Monday, February 24, 2014

ધાર્મીક વીધીને નામે દુર્વ્યય..…ડૉ. જનક વ્યાસ


માણસ એકવીસમી સદીમાં જીવવાનો રોફ મારે છે. તેની વીજ્ઞાન તરફની દોડ અચમ્બો પમાડે તેવી છે; તેમ છતાં ધાર્મીકતાને નામે તેની અન્ધશ્રદ્ધાનો કોઈ પાર નથી. જીવન–મૃત્યુના અનેક પ્રસંગોમાં મોંઘી ચીજ, કે જેને માટે ગરીબ વર્ગ હવાતીયાં મારે છે તેનો, ધાર્મીકતાને નામે બહોળો દુર્વ્યય કરે તે છે અને તેમાંથી બહાર નીકળવાના કોઈ પ્રયાસો પણ થતા નથી. લગ્ન એ પવીત્ર વીધી છે, તેમાં વધુને ઓવારવા ચોખા ઉડાડાય છે. લાખોની સંખ્યામાં થતા લગ્નોમાં આવા અનેક ટનબંધી ચોખા ધુળમાં ભળી જાય છે. જ્યારે આ દેશમાં અસંખ્ય લોકો ભુખે મરે છે. આ વીધી અટકે તો કેટલા ભુખ્યાજનોની આંતરડી સન્તોષાય ! તે જ રીતે ધાર્મીકતાને નામે ગામે ગામ યજ્ઞો કરાવાય છે. લગ્નની વેદીમાં પણ યજ્ઞોની જેમ તે વેદીમાં ચોખ્ખું ઘી હોમાય છે અને આવા અસંખ્ય હોમહવનમાં કીંમતી ચોખ્ખું ઘી બાળી મુકવામાં આવે છે. હોળીમાં લાખ્ખો નારીયેળ ફુંકી મારવામાં આવે છે. આપણે કરોડો પોષણવીહીન મનુષ્યોના મુખેથી તે ઝુંટવી લઈએ છીએ એમ નથી લાગતું ? માણસ મૃત્યુ પામે ત્યારે હીન્દુઓ શબને સ્મશાનમાં બાળે છે. એક શબ 15-20 મણ લાકડાંથી બળે છે, આમ ત્રણ વ્યક્તીઓ માટે એક વૃક્ષનો નાશ થાય છે અને પર્યાવરણ ખોરવાયે જ જાય છે. જંગલોનો નાશ થતાં અનેક પ્રશ્નો ખડા થાય છે. હવે તો વીદ્યુત અને ગેસ સગડી ઉપલબ્ધ છે.

ગીધ પક્ષીઓનો નાશ થતાં પારસી સમાજે પણ કુવો–ભસ્તો છોડી ગેસ સગડી અપનાવી છે. છતાં ધાર્મીકતાને નામે હીન્દુવીધીમાં લાકડાંનો દુર્વ્યય કરાય છે. આવા તો બીજા અનેક પ્રસંગોએ દુર્વ્યય કરાય છે. જે અટકાવાય તો અનેક જરુરીયાતમન્દોને તે આપી આશીર્વાદ મેળવી શકાય.
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર 

­

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.