Sunday, March 31, 2013

Samaj Utkarsh Volume No 581 February 2013


To read Pages 1 to 12 of Samaj Utkarsh click here 

To read Pages 13 to 23 of Samaj Utkarsh click here 

To read Pages 24 to 33 of Samaj Utkarsh click here 

To read Pages 34 to 40 of Samaj Utkarsh click here

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff.

Death

    
Native : Ghantila
Currently At : Rajkot
Name of the deceased : Amratben Gulabchand Lodaria
Age : 87 Years
Date of Death : 29-03-2013
Husband : Gulabchand Kirchand Lodaria
Sons : Bhupatbhai, Dineshbhai, Pravinbhai, Hasubhai,Rajendrabhai, Shashibhai, Late Rameshbhai
Daughters : Late Sarojben Nabinchandra Khandor, Jyotiben Vasantkumar Shah, Ranjanben Yogeshkumar Mehta, Vandanaben Nitinkumar Mehta, Pritiben Sanjaykumar Shah
Brothers-in-Law : Late Amulakhbhai, Late Jamnadasbhai, Nagindasbhai
Sisters-in-Law (Nanand) : Late Muktaben, Hiraben, Labhuben, Late Jayaben, Late Lalitaben, Kanchanben
Father : Late Vakhatchand Hakamichand Mehta

May Her Soul rest in eternal peace


ઘાંટીલા (હાલ રાજકોટ) અમરતબેન ગુલાબચંદ લોદરીયા (ઉં. વ. ૮૭) તે ભૂપતભાઈ, દિનેશભાઈ, પ્રવીણભાઈ, હસુભાઈ, રાજેન્દ્રભાઈ, શશીભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. સરોજબેન નવીનચંદ્ર ખંડોર, જ્યોતિબેન વસંતકુમાર શાહ, રંજનબેન યોગેશકુમાર મહેતા, વંદનાબહેન નીતિનકુમાર મહેતા, પ્રિતીબેન સંજયકુમાર શાહના માતુશ્રી. સ્વ. અમુલખભાઈ, સ્વ. જમનાદાસભાઈ, નગીનદાસભાઈ, સ્વ. મુક્તાબેન, હીરાબેન, લાભુબેન, સ્વ. જયાબેન, સ્વ. લલિતાબેન કંચનબેનના ભાભી. પિયર પક્ષે સ્વ. વખતચંદ હકમીચંદ મહેતાના દીકરી શુક્રવાર તા. ૨૯-૩-૧૩ના અરિહંતશરણ પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).

"This Is What The Internet Was Made For"

 An exceptional composition of amazing video footage. 

Birth Anniversary (31-03)


1 ) Doshi Bhavya Bhupesh Manilal Ujamshi
2 ) Gandhi Falguni Hitesh Shantilal Kalidas
3 ) Maniar Vasumati Jayantilal
4 ) Mehta Rahil Bhaven Kumudchandra
5 ) Mehta Dhruv Mehul Hasmukhlal Keshavlal
6 ) Mehta Bharatkumar Bhogilal
7 ) Sanghavi Jagdish Mansukhlal
8 ) Shah Kushal Samir Natvarlal
9 ) Shah Mukesh Gunvantray
10) Vakharia Hitesh Kishor Labhshankar

Saturday, March 30, 2013

પ્રેમના ચમત્કારો – અનુ. સુનીતા નિમાવત


[ થોડાક વર્ષો પહેલા અમેરિકાના ‘એડમ્સ મિડિયા કૉર્પોરેશન’ દ્વારા પ્રકાશિત અને બે લેખિકાઓ યિટ્ટા હલ્બરસ્ટામ અને જુડિથ લેવેન્થેલ દ્વારા લિખિત ‘સ્મોલ મિરેકલ્સ’ નામના પુસ્તકે ખાસ્સી ધૂમ મચાવી હતી. આ પુસ્તકમાં લોકોના જિવાતા જીવનમાં બનેલી બિલકુલ સાચુકલા ચમત્કારોની વાત છે. આવા નાના નાના ચમત્કારો જગતના અસ્તિત્વના ગૂઢ અર્થને પ્રકટ કરે છે. આ પુસ્તકની પ્રસ્તાવના ડૉ. બર્ની સીગલે લખી છે. તેઓ લખે છે કે વાસ્તવમાં કોઈ ઘટના અમસ્તી નથી બનતી, તે તો પ્રભુના સર્જન અને આપણા પ્રતિભાવનો હિસ્સો જ હોય છે. આ પુસ્તકની લેખિકાઓ કહે છે કે ‘જીવનમાં એવી ક્ષણો આવે છે જ્યારે આપણને પ્રભુની ઉપસ્થિતિનો અહેસાસ થાય છે. પ્રભુનો ન દેખાતો હાથ સતત આપણને દોરે છે.’ ‘સ્મૉલ મિરેકલ્સ’ ના તો એ પછી બે ભાગો પણ પ્રકાશિત થયા. અત્રે એ પુસ્તકમાંથી પ્રેમના ચમત્કારને પ્રતિપાદન કરતો એક પ્રસંગ પ્રસ્તુત છે. આ પ્રસંગ ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત અને શ્રી ડંકેશ ઓઝા દ્વારા સંપાદિત પુસ્તક ‘વાંચન વિશેષ-2001’ માંથી લેવામાં આવ્યો છે.’ ]
આ વાર્તા છે બીજા વિશ્વયુદ્ધના સમયની. હિટલરના નાઝીવાદે યુરોપ પર ભરડો લીધો હતો. હિટલરના પાગલ અને ઝનૂની દિમાગે ચોમેર હિંસાનું તાંડવ ખેલ્યું હતું. તેણે લાખો યહૂદીઓની કતલ કરી હતી. લાખો યુદ્ધકેદીઓ જર્મન કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં મોતની જિંદગી જીવી રહ્યા હતા. ઘણી વાર હિટલર યુદ્ધ કેદીઓને ગૅસ ચેમ્બરમાં કેદ કરીને ગૂંગળાવીને મારી નાખતો. આવી યાતનાઓનું વર્ણન વાંચતાં આજે પણ આપણે કમકમાટી અનુભવીએ છીએ. આવી યાતનાઓ વચ્ચે પાંગરેલા પ્રેમની આ સત્યકથા છે. મુશ્કેલીઓ, દર્દો અને યાતનાઓની વચ્ચે પણ ખીલે તે પ્રેમ. દુ:ખના ડુંગરાઓ તૂટી પડ્યા હોય ત્યારે પણ પ્રેમ જીવનને પોષે છે, જીવવા પ્રેરે છે તે સંદેશ આ નાનકડી કથા આપણને આપે છે.
1942નો એ ઠંડોગાર દિવસ હતો. હિટલરના એ નાઝી કોન્સન્ટ્રેશન કૅમ્પમાં એકલોઅટૂતો છોકરો શૂન્ય નજરે બેઠો હતો ને અચાનક એ છોકરાએ કાંટાળા તારની વાડને પેલે પાર પસાર થઈ રહેલી છોકરીને જોઈ. પેલી છોકરીને પણ આ છોકરાની હાજરીની ગજબની અસર થઈ. કશીય વાતચીત નહીં, કોઈ શાબ્દિક આપ-લે નહીં, કોઈ સંબંધ નહીં ને તોય કોણ જાણે કેમ એ છોકરીને પોતાની અંદર હિલ્લોળાતી લાગણીની નદી અનુભવાઈ. એ છોકરીએ લાલચટ્ટક સફરજન વાડ પરથી પેલા છોકરા તરફ ફેંક્યું. સફરજન એટલે જિંદગીની નિશાની, આશા અને પ્રેમની નિશાની. છોકરાએ નમીને સફરજન ઉપાડી લીધું. – જાણે કે એની અંધકારમય જિંદગીમાં પ્રકાશનું એક કિરણ પ્રવેશ્યું.
પછી છોકરાનેય કોણ જાણે શું થયું કે દરરોજ એ એની રાહ જોવા માંડ્યો. છોકરીના મનમાં પ્રેમની નદી તો છોકરાના હૃદયમાં પ્રેમનો દરિયો ઘૂઘવવા લાગ્યો. છોકરાને પેલી છોકરીને ફરી ફરી જોવાની ઈચ્છા થવા લાગી. તેને જોવાની પ્રબળ ઝંખના સાથે વળી વળીને તેની આંખો વાડની પેલે પાર તાકી રહેતી. તેની નજર વિશ્વાસસભર આશા અને વાડની પેલે પાર મંડાયેલી રહેતી ને પેલી બાજુ પેલી છોકરી પણ એ દુ:ખી ને એકલવાયા છોકરાને જોવા ઝંખતી રહેતી. ખબર નહીં શું સંબંધ હતો એ બન્ને વચ્ચે કે એ છોકરાનાં દુ:ખ અને એકલતા એને અંદર સુધી સ્પર્શીને હલબલાવી મૂકતાં. સમય પસાર થતાં બન્ને વચ્ચેનું ખેંચાણ એટલું વધ્યું કે શિયાળુ પવન સાથેની બરફવર્ષામાં કે તીરની જેમ ભોંકાતી ઠંડીમાં પણ બે મન (હૃદયો) તો હૂંફાળાં જ રહેતાં. ને ફરી પાછું એક સફરજન કાંટાળી વાડ પરથી પસાર થતું ને બીજી બાજુ પ્રેમનો સંદેશ બની અકબંધ પહોંચી જતું. આ દશ્ય ફરી ફરી દરરોજ ભજવાતું ને આમ ને આમ દિવસો વીતી ગયા. અલગ અલગ બાજુઓ પર રહેતાં બે યુવાન હૃદયને એકબીજાને જોવાની સતત તડપ, રાહ રહેતી. ભલેને પછી એ એકાદ ક્ષણ માટેનું જ દર્શન કેમ ન હોય ? પરસ્પરના પ્રેમ કે સંબંધમાં હંમેશાં અવર્ણનીય પ્રોત્સાહન અને શક્તિની આપ-લે થતી હોય છે. કંઈક એવું જ એ બન્ને વચ્ચે થયું.

ને એવા જ અલપઝલપ અંતિમ મિલન વખતે, એ યુવાને પેલી યુવતીને કહ્યું, ‘કાલથી મારા માટે સફરજન ન લાવીશ. હું અહીં નહીં હોઉં. આ લોકો મને બીજા કૅમ્પ પર મોકલી દેવાના છે.’ ને ભગ્નહૃદયી છોકરો એકપણ વાર પાછળ જોયા વિના ચાલ્યો ગયો.
ત્યાર પછી દુ:ખની પળોમાં હંમેશાં એની આંખો, એના શબ્દો, એની ગંભીરતા અને એનું લાલચટ્ટક સફરજન – આ બધું જ રાત્રે સ્વપ્નોમાં આવીને મધરાતે એને પરસેવે રેબઝેબ કરી મૂકતાં. તેનો સમગ્ર પરિવાર યુદ્ધમાં મૃત્યુ પામ્યો. એનું આખું જીવન બદલાઈ ગયું ને પહેલાંનું સુખી, પ્રેમસભર જીવન તો જાણે કે અદશ્ય જ થઈ ગયું, પરંતુ પેલી મીઠડી છોકરી અને એની મૂક લાગણી તેની યાદમાં જીવંત આશા બનીને વહેતાં રહ્યાં.
પરંતુ સમયને વહેતાં તો વાર જ ક્યાં લાગે છે ? 1957માં અમેરિકામાં બહારથી આવીને વસેલાં પુખ્ત વયનો યુવક અને યુવતી એકબીજાને અવારનવાર મળતાં હતાં. આ પરિચય પરિણયમાં પલટાવાની શક્યતા હતી. એક દિવસે સ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો, ‘તમે યુદ્ધ વખતે ક્યાં હતા ?’
‘હું જર્મનીમાં કોન્સન્ટ્રેશન કૅમ્પમાં હતો.’ પુરુષ બોલ્યો.
‘મને યાદ છે કે હું કાંટાળી વાડની પેલે પાર કોન્સન્ટ્રેશન કૅમ્પના બંદી છોકરાની તરફ રોજ સફરજન ફેંકતી.’ એ સ્ત્રીએ યાદોમાં ખોવાતાં કહ્યું.
અદમ્ય આશ્ચાર્યાઘાતની લાગણી સાથે પુરુષ બોલ્યો : ‘તમને એ છોકરાએ એક દિવસ કહેલું કે હવે તું સફરજન નહિ લાવતી, કારણકે હવે મને બીજા કૅમ્પમાં મોકલવાના છે ?’
‘હા કેમ ?’ એ બોલી, ‘પણ તમને એ વાતની કેવી રીતે ખબર ?’
એણે એની આંખોમાં આંખો પરોવતાં કહ્યું, ‘હું જ એ છોકરો છું.’ થોડી વારના મૌન પછી એણે વાત ચાલુ રાખી. ‘હું ત્યારે તારાથી અલગ પડી ગયો પણ હવે પછી હું તારાથી ક્યારેય અલગ નહીં થાઉં. શું તું મને પરણીશ ?’ યુવતીએ મૌન સંમતિ આપી અને બન્ને પ્રેમભર્યા આલિંગનમાં જકડાઈ ગયાં.

1996ના વેલેન્ટાઈન્સ ડે ના રોજ ‘ઓપ્રાહ વિન્ફ્રે શૉ’ નામના અમેરિકન ટેલિવિઝન શૉમાં એ માણસે રૂબરૂ મુલાકાતમાં પોતાની પત્ની અને એના 40 વર્ષના સતત, પ્રબળ પ્રેમની સાબિતી આપેલી. ‘તેં મને કોન્સન્ટ્રેશન કૅમ્પમાં સફરજનથી પોષેલો અને આટલાં વર્ષોથી તું સતત અન્નપૂર્ણા બનીને મને પોષે છે પણ હજુય હું ભૂખ્યો છું – માત્ર મારા પ્રેમનો.’ જીવનની વિષમ ક્ષણોમાં પણ સુખદ ભવિષ્યનાં બીજ રોપાયેલાં હોય છે
સૌજન્ય : રીડ ગુજરાતી 

Birth Anniversary (30-03)


1 ) Gholani Vasant Dhirajlal Somchand
2 ) Mehta Chetna Harshad Sevantilal
3 ) Mehta Jitendra Jevantlal
4 ) Mehta Manish Vasantlal
5 ) Sanghavi Daksha Yogesh Ramniklal
6 ) Shah Chetna Harshad Mehta
7 ) Shah Navinchandra Shantilal
8 ) Shah Chaitali Kundanbhai
9 ) Shah Vaibhav Dilipbhai Chamanlal
10) Sheth Kalpana Rajesh Shah
11) Sheth Priti Mahendra Ramniklal
12) Sheth Jay Bhupatray Khushalchand
13) Vora Bharti Suresh Girdharlal

Friday, March 29, 2013

Landing An Airplane Upside Down


Craig Hosking lands and takes off upside-down at the Sussex, New Jersey, airshow in 1987.


Birth Anniversary (29-03)


1 ) Doshi Kruti Dharmin Dineshbhai
2 ) Mehta Jyotsna Rameshchandra Keshavlal
3 ) Patel Dhwani Divyesh Anantray
4 ) Sanghavi Kruti Hasmukh Chimanlal Pranjivan
5 ) Sanghavi Divyam Bhavesh Rajendra
6 ) Shah Vijay Ravichand
7 ) Solani Kirit Talakshi

Thursday, March 28, 2013

Death



    

Native : Wankaner
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased :Mayuri Jagdish Shah
Age : 52 Years
Date of Death : 25-03-2013
Husband : Jagdish Hakmichand Shah
Son : Jinesh
Daughter-in-Law : Nisha
Daughter : Priti 
Son-in-Law : Mayurkumar Ashok Trevadia
Grand-Son (Daughterside) : Param
Brothers-in-Law : Anantbhai (Jeth), Girishbhai(Diyar)
Sisters-in-Law (Nanand) : Jayashri, Jyotsna,Meena, Usha, Late Kiran
Father : Late Jamnadas Himatlal Shah
Father-in-Law : Late Hakemchand Juthalal Shah (Wankaner)

May Her Soul rest in eternal peace



વાંકાનેર (હાલ ઘાટકોપર)ના સ્વ. હાકેમચંદ જૂઠાલાલ શાહના પુત્ર જગદીશનાં પત્ની અ.સૌ. મયૂરી (ઉં.વ. 52) તા. 25મી ને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. તે જીનેશ, પ્રીતિના માતા. મયૂરકુમાર, નિશાનાં સાસુ. પરમનાં નાની. તે અનંતભાઈ, ગિરીશભાઈ, જયશ્રી, જયોત્સના, મીના, ઉષા, સ્વ. કિરણનાં ભાઈનાં પત્ની. સ્વ. જમનાદાસ હિંમતલાલ શાહનાં પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. 29મીએ 3થી 5. ઠે.: પારસધામ, વલ્લભ બાગ લેન, ઘાટકોપર (પૂ.).

જીવનની સાર્થકતા – વિરેન શાહ

માણસમાં સમજણ જેમ જેમ આવતી જાય તેમ તેમ પુખ્તતા આવતી જાય છે. જેમ કે નાની ઉંમરે વ્યક્તિની સમજ, હિંમત અને પુખ્તતા એની ઉંમર જેટલી મર્યાદિત હોય છે. એ પછી જ્યારે ઉંમર વધે ત્યારે સમજ વિકસતી જાય છે. એ સમજ વ્યક્તિને પોતાનો સમય કઈ રીતે પસાર કરવો એનું જ્ઞાન આપે છે. મારી દષ્ટિએ મોટાભાગના લોકો પુખ્તતા અથવા સમજણને ભણવાનું પૂરું થાય એ પછી તાળું મારી દેતા હોય છે ! એ પછી એમનામાં ખાસ વધારો જણાતો નથી. આ રીતનું જીવન જાણે સુખ-સગવડોની કેદમાં બંધાઈ જાય છે. સમજ વિકસિત ન થાય તેથી જાગૃતતા પણ વિકસતી નથી. જીવનનો વિકાસ અટકી જાય છે. છેવટે એક જ રૂઢિમાં સવારથી સાંજ, સાંજથી રાત એમ દિવસો, અઠવાડિયાઓ અને વર્ષો ચાલ્યા જાય છે.
એક ફિલ્મમાં કોઈક જુવાન વ્યક્તિને ગાડી લઈને ઘરે આવતો બતાવવામાં આવે છે. લગભગ દોઢ-બે મિનિટ પછી એ જ વ્યક્તિને ફરીથી ગાડી લઈને ઘરે આવતો બતાવવામાં આવે છે, પરંતુ આ બીજીવારના દ્રશ્યમાં ફરક એ છે કે તે વ્યક્તિના વાળ સફેદ થઈ ગયેલા છે, ઘર વીસ વર્ષ જૂનું થઈ ગયું છે અને બાળકો યુવાન અથવા પરિણીત થઈ ગયા છે. આ દ્રશ્યનો અર્થ એ છે કે વચ્ચેના વીસ વર્ષોમાં માણસ રોજિંદી ઘટમાળમાં એવો તો ઘેરાઈ ગયેલો છે કે ફિલ્મમાં વચ્ચેના એ વીસ વર્ષોમાં શું થયું એ બતાવવાની જરૂર જ નથી રહેતી ! આ વાત અહીં કરવાનો ઉદ્દેશ એ છે કે ભણવાનું પૂરું થાય અને વ્યક્તિ નોકરીએ લાગી જાય પછી જીવનમાં જાણે કશું નવું બનતું જ નથી. રૂઢિગત જીવન ચાલ્યા કરે છે. લોકો નોકરી-બાળકો અને સામાજિક જવાબદારીઓની ઘરેડમાં એવા તો જકડાઈ જાય છે કે ચક્કરની જેમ બસ ગોળગોળ ફર્યા કરે છે ! એ બધાની વચ્ચે માણસનો વ્યક્તિગત વિકાસ સાવ શૂન્ય થઈ જાય છે.
આમાં વ્યક્તિનો વાંક ઓછો છે કારણ કે માણસ સંજોગોનો શિકાર બનતો હોય છે. પણ તેમ છતાં, અમુક ટકા લોકો એવા છે જે કોઈ પણ સંજોગોમાં પોતાનો વ્યક્તિગત વિકાસ જાળવી રાખે છે. શાળાના દિવસો દરમ્યાન થતી શીખવાની ઈચ્છા, કૂતુહલ કે ઉત્સુકતાને તેઓ આજીવન સાચવી શકે છે. જે લોકો આ જાળવી શકે છે તેઓ બીજા સામાન્ય લોકોથી જુદા પડે છે. આ પ્રકારના લોકોને એક વસ્તુ ખબર હોય છે કે એમને શું જોઈએ છે – અને તેથી એ લોકો સતત નવું શીખવાનું અને જાણવાનું ચાલુ જ રાખે છે. દર વર્ષે કે દર મહિને એ લોકો પોતાની જાતને ‘અપગ્રેડ’ કરતા રહે છે અને તેમને એમ કરવાનો આનંદ આવે છે. જીવનમાં કશુંક નવું જાણતા રહેવાની આ પ્રક્રિયા એમને ઘણા ફાયદાઓ કરી આપે છે. જેમ કે, આ પ્રકારના લોકો માનસિક રીતે વધુ તંદુરસ્ત અને વિકટ પરિસ્થિતિઓમાં પણ પોતાનું માનસિક સંતુલન જાળવી શકે તેવા બની રહે છે. તેઓને શારીરિક તંદુરસ્તીનો લાભ પણ મળતો રહે છે કારણ કે સંપૂર્ણ માનસિક શાંતિ એમના શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ લોકો જીવનના પ્રશ્નોથી ઝટ ગભરાઈ ઊઠતા નથી. તેઓ જીવનમાં પ્રશ્નો અને સમસ્યાઓ ઊભી જ ન થાય એ પ્રકારનું આગોતરું આયોજન કરનારા હોય છે.
આ સાથે ઉત્સાહથી જીવન જીવનારને બીજો ફાયદો એ થાય છે કે એના વિચારોની સ્થિરતા એને સારો એવો આર્થિક ફાયદો પણ કરી આપે છે. તેઓ જીવનના અંત સમયે પણ પૈસે-ટકે સ્થિર રહી શકે છે. વિશ્વ-પ્રવાસની પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકે છે. વિશ્વની સંસ્કૃતિઓની અનુભૂતિ માણી શકે છે. એમનું નિવૃત્ત જીવન એવી રીતે પસાર થાય છે જેવું અગણિત લોકો પોતાના સપનામાં આદર્શ રૂપે જોતા હોય છે ! જીવનના અંતે એમને પોતાની અંદરથી એક હાશકારો મહેસૂસ થાય છે કે જીવન ખૂબ સફળતાપૂર્વક પસાર થયું અને કોઈ કામ ખોટું થયાનો એમને રંજ રહેતો નથી.
શું આ પ્રકારનું વહેતી નદી જેવું જીવન દરેક જણ રાખી શકે ખરું ? જો કુદરતી રીતે વિચારવાની આ પ્રકારની પદ્ધતિ વિકસી ન હોય તો પણ યોગ્ય દિશા વિશે જાણ્યા પછી સતત પ્રયત્નો કરીને જાગૃતતા કેળવી શકાય છે. એક વાર મન જાગૃત થઈ જાય પછી એ પોતે જ આપોઆપ ઓછી અગ્રતાવાળા કામોને ઘટાડીને વધુ ને વધુ વિકાસને લગતાં કામો તરફ ધ્યાન કેન્દ્રિત કરવા લાગે છે. બર્થ-ડે પાર્ટી, ગેટ-ટુ-ગેધર, ઘરના સરસામાનની ખરીદી, ગાડીનું સમારકામ વગેરે જેવા અસંખ્ય ટાળી ન શકાયે એવા કામોની વચ્ચે પણ સમય ચોરીને જરૂરી કામો પ્રથમ થાય અને વિકાસને લગતાં કામો સૌથી પહેલાં થાય એવું મન ગોઠવી આપે છે. મનની આ જ તો ખૂબી છે ! પણ તકલીફ એ છે કે મનનો માલિક જ્યાં સુધી આ ખૂબીને વાપરે નહિ ત્યાં સુધી તે વણવપરાયેલી પડી રહે છે. જેમ કે, તમારી ગાડીના ચાર ગિયરમાંથી ચોથા ગિયરમાં વાહનને સૌથી વધારે ઝડપે હંકારવાની શક્તિ રહેલી છે. પરંતુ, જ્યાં સુધી એ ગિયર પાડો નહિ, ત્યાં સુધી ગાડી એ સ્પીડ પર જઈ શકે નહિ. આ પ્રકારની જાગૃત અવસ્થા જેટલી વહેલી આવે, એટલી પુખ્તતા વહેલી આવે અને એટલો જ જીવનનો વિકાસ ઝડપી થાય. જાગૃત અવસ્થામાં મનનો વિકાસ ‘લોગેરિથમિક સ્કેલ’ પ્રમાણે થાય છે; એટલે કે વિકાસ જ્યારે દસગણો થાય ત્યારે એને ડબલ થયો કહેવાય અને સો ગણો થાય ત્યારે ત્રણગણો ! ટૂંકમાં, વિકાસ જેટલો ઝડપી થાય એમ માણસ વધુ ઝડપથી આપોઆપ વધુને વધુ સારી રીતે વિકસ્યા કરે.
આ પ્રકારનું જીવન જીવવાથી વ્યક્તિમાં નવો આત્મવિશ્વાસ ઊભો થાય છે. કોઈ એક સમયે તે ભયમુક્ત બનીને જીવન જીવતો થઈ જાય છે. આ ભયમુક્ત જીવન માણસના મનને એવી અવસ્થામાં લઈ જાય છે જેના પર પ્રબુદ્ધ લોકો પહોંચ્યા હોય છે. જ્યારે મનની સંતુલિત અવસ્થા હોય ત્યારે વ્યક્તિ અંદરથી મજબૂત બને છે. એના અવાજમાં ગજબની શાંતિ અનુભવાય છે. સામાન્ય વ્યક્તિઓની જેમ હાંફળા-ફાંફળા થઈને, ચિંતિત બનીને ઊંચા જીવે દોડાદોડ કર્યા કરવાની એની અવસ્થા બદલાઈ જાય છે. ચિંતાને સ્થાને નૂતન દષ્ટિકોણ, આળસના બદલે પ્રવૃત્તિ અને દોડાદોડની જગ્યાએ શિસ્તબદ્ધ આયોજન શરૂ થાય છે. પરિણામની ચિંતાને બદલે સર્જનનો આનંદ મનમાં વ્યાપી જાય છે. આત્મા જેમ સત્ત, ચિત્ત અને આનંદ સિવાય બીજા કશા તરફ ગતિ કરતો નથી એ રીતે મન સૃષ્ટિના સ્પંદનો સાથે તાદાત્મય સાધી લે છે, જેથી મન એના પ્રાકૃતિક મૂળ સ્વરૂપમાં પાછું ફરે છે. આને વગર ધ્યાને સમાધિ કહી શકીએ ! આ સ્થિતિમાં પડકારો તકમાં ફેરવાઈ જાય છે અને જીવનનો અનુભવ દરેક ક્ષણે સાર્થક થતો જાય છે. ડરના સ્થાને હિંમત અને ઉચાટના સ્થાને વિસ્મયનો ભાવ ઊભો થાય છે. જેમ ભગવાન બુદ્ધ માટે આગાહી હતી કે તેઓ ચક્રવર્તી સમ્રાટ અથવા પ્રબુદ્ધ સંન્યાસી થશે.. એવી રીતે જો વિકાસનો સાચો પંથ મળી જાય તો માનસિક અવસ્થા સંસારમાં રહેવા છતાં ધ્યાન કરનારા યોગી જેવી થઈ રહે છે.
તમને જીવનમાં કંઈક વિશેષ કરવાની ઈચ્છા હોય તો પ્રગતિ કરવાની તક શોધી કાઢો અને એ લક્ષ્ય તરફ સતત આગળ વધો તો આવી પરિસ્થિતિ અને ઉત્તમ અવસ્થાઓ પર પહોંચવાની શક્યતાઓ વધી જશે.
સૌજન્ય : રીડગુજરાતી 

Birth Anniversary (28-03)


1 ) Gholani Kashish Parin Manhar Dhirajlal Somchand
2 ) Lodaria Nidhi Pankaj Maganlal
3 ) Mehta Harsha Manoj Nagindas
4 ) Mehta Smita Chetan Swarupchandra
5 ) Mehta Shobhana Sevantilal Jethalal
6 ) Sanghavi Binaben Vipulbhai Shah
7 ) Sanghavi Kapil Pravinbhai Chandulal
8 ) Shah Vishal Deepak Nagindas
9 ) Shah Chandulal Popatlal
10) Solani Bhaven Rajendra Ratilal

Wednesday, March 27, 2013



Speed Painter Has Talent


Master speed-painter D. Westry shows off his creative skills during the "Anderson's Viewers Got Talent" competition.


Birth Anniversary (27-03)


1 ) Doshi Jinansh Narendra Vikramchand
2 ) Doshi Bhavisha Nitin Indulal Manilal
3 ) Gandhi Shailesh Himatlal
4 ) Mehta Hiya Viral Mahesh Chhotalal
5 ) Mehta Jaynish Bharat Amrutlal
6 ) Parekh Manharlal Jagjivandas
7 ) Shah Viral Jitendra
8 ) Shah Kishor Devchand

Tuesday, March 26, 2013

વડીલોનું વિચારમંથન – ભૂપત વડોદરિયા



વર્ષોથી જેઓ મને ઓળખતા હતા. એ ગૃહસ્થ એક દિવસ સવારે મારી પાસે આવ્યા અને એમના મુખ ઉપર ચિંતાનો ભાવ જોઇને મેં પ્રશ્ન કર્યો, ‘તમારા ચહેરા ઉપર ચિંતા ચોખ્ખી દેખાય છે, વાંધો ના હોય તો મને કહો કે શું થયુ છે ?
તેમણે કહ્યું, ‘આમ તો ખાસ કશું થયું નથી, પણ 19-20 વર્ષની મારી પુત્રી રાતે ખૂબ મોડી પાછી આવે છે. મા-બાપ તરીકે આજના સમયમાં યુવાન પુત્રી માટે ચિંતા થવી સ્વભાવિક છે. કોઇ રાતે 12 વાગ્યે પાછી ફરે, કોઇ વાર એથી પણ મોડું થાય. એ ક્યારે પાછી ફરશે એના ઉચાટમાં અમે તેની રાહ જોઇને બેસી રહીએ. અમે પૂછીએ કે ‘બેટા, તું ક્યાં હતી ?’ એ એની કોઇ બહેનપણીનું નામ આપે. પછી યોગનુયોગ ખબર પડી કે ‘એની કોઇ બહેનપણીને ત્યાં તો ગઇ જ નહોતી. એટલે અમારી ચિંતામાં ઓર વધારો થયો. એક દિવસ અમે એને પૂછ્યું, ‘બેટા, અમારે બીજું કશું જાણવું નથી પણ માત્ર એટલું જ પૂછવું છે કે તું ક્યાં અને કોને ઘેર જાય છે ? તારામાં અમને વિશ્વાસ નથી એવું નથી, પણ રાત્રીના સમયે તું જાતે મોટર ચલાવતી હોય, તારી સાથે કોઇ ના હોય અને આવા સંજોગોમાં તું ક્યાંય અધવચ્ચે તકલીફમાં આવી પડે તો શું થાય ? એનો વિચાર અમને પરેશાન કરે છે.
અમે માત્ર અનુમાન જ કરીએ છીએ પણ, તારી ઉંમર જોતાં અમે કહીશું કે તું કોઈ યુવકને મળવા જતી હોય અને એ યુવકની સાથે કોઇ પ્રેમસંબંધ હોય તો તું અમને નિખાલસપણે કહી શકે છે. તું તારી પસંદગીનાં લગ્ન કરે એમાં અમને કોઇ વાંધો નથી, મા-બાપ તરીકે અમે એટલું જ જોવા માગીએ છીએ કે ‘છોકરો કેવો છે ?’ અને તને સુખી કરી શકશે કે નહી ? આમાં એવું જરૂરી નથી કે એ ધનવાન હોય, ભગવાને આપણને ઘણું ધન આપ્યું છે. અમારે ધન વિશે કશું જણવું નથી. અમારે એનું મન જાણવું છે. એ હંમેશાં તને સાથ આપશે કે નહીં એ અમારે જાણવું છે. અમારે એ પણ જાણવું છે કે તેં જે વિશ્વાસ એનામાં મૂક્યો છે એને એ ધક્કો નહીં પહોંચાડે. એક પતિ તરીકે એનામાં નિષ્ઠા અને સ્થિરતા એ બે ગુણો છે કે નહીં એ અમારા માટે જ નહીં, તારા માટે પણ જાણવું જરૂરી છે.
અમે જિંદગીને ખૂબ નિકટથી જોઇ છે. તને તો કલ્પના પણ નહીં આવે એવા સ્ત્રી-પુરુષ વચ્ચેના સરળ અને જટિલ બંને પ્રકારના સંબંધો અમે જોયા છે. કોઇ પણ યુવાન હૃદય પ્રેમ ઝંખે એ સ્વભાવિક છે, પણ આપણે સહુ જાણીએ છીએ કે, આપણે જેને પ્રેમ કહીએ છીએ એમાં પ્રેરક બળ સ્ત્રી-પુરુષની કામેચ્છા હોય છે. કવિઓ ‘પ્લેટોનિક લવ’ ની, માત્ર આત્માના સંબંધની વાતો કે કવિતા કરે, પણ આપણે સૌ જાણીએ છીએ કે આત્માનું રહેઠાણ માણસનું શરીર છે અને મનુષ્યના શરીર બહારનો કોઇ આત્મા કલ્પી શકીએ નહીં. એટલે પ્રેમ ગમે એટલો શુધ્ધ અને સાચો હોય તોપણ શરીરની બહાર હવાની જેમ તેનું અદ્રશ્ય અસ્તિત્વ શક્ય નથી.
લગ્
ન એ સંસારનો પાયો છે. સંસાર એટલે કુટુંબજીવન, કેમ કે પ્રેમલગ્ન ન હોય કે રૂઢિગત પસંદગી ન હોય એ સંબંધનું અનિવાર્ય ફળ એક બાળક પુત્ર કે પુત્રીરૂપે પ્રગટ થાય જ છે. બસ, ત્યાંથી જ પ્રેમ કે લગ્નની સાચી ગંભીર જવાબદારી શરૂ થાય છે. એક નાનું બાળક પોતાની પિછાણ તેના પિતા કે માતાના નામથી જ આપે છે, કારણ કે સૌથી પહેલી અને મજબૂત કડી તો આ જ છે. મહાભારતમાં કુંતીના પ્રથમ પુત્ર કર્ણની વ્યથાનો વિચાર કરો. કર્ણે જ્યારે આ સંસાર છોડ્યો ત્યારે કુંતીએ છાતીફાટ રુદનની વચ્ચે કહ્યું કે ‘આ મારો પહેલો પુત્ર હતો અને સૂર્યપુત્ર હતો.’ કુંતીમાતાના પાંચ પુત્રો, જે પાંડુના વંશજો હતા તેમણે માતાને પ્રશ્ન કર્યો કે ‘તેં આટલી પીડા વેઠી તો અમને કહ્યું કેમ નહીં કે અમારો એક મોટો ભાઇ છે ?’
મારે તો એટલું જ કહેવાનું કે ‘બેટા, તું સમજુ છે. તારા પોતાના હિત-અહિત નો વિચાર કરી શકે એટલી પુખ્ત છે અને ના હોય તો બનવું જોઇએ. અમારે તને વિશેષ તો કંઇ કહેવાનું નથી, પરંતુ એટલું જ કહેવાનું છે કે તું રોજ રાતે જેને મળવા જાય છે એ કોઇ યુવક હોય, તમને બંનેને પરસ્પર સ્નેહ હોય અને આ સંબંધને તમે જીવનભરના સાથીપણાના બીજરૂપે જોતાં હો તો, તું કાં તો એની સાથે અમારો મેળાપ કરી આપ અને તું રજા આપે તો અમે એને ઘેર જઈને તેનાં મા-બાપને પણ મળીએ. આમાં અમારે કશું કહેવાનું નથી. છેવટનો નિર્ણય તો તારે અને એ યુવાને કરવાનો છે.’
એ યુવતીને તેનાં મા-બાપની સલાહ એક નવો જ પ્રકાશ આપી ગઇ અને મા-બાપની સલાહ પ્રમાણે યુવતીએ એ યુવાનને પોતાને ઘેર બોલાવી મા-બાપની સાથે મેળવી આપ્યો. છેવટે બંને કુટુંબો મળ્યાં અને યુવક-યુવતીનું વિધિસર વેવિશાળ પણ થઇ ગયું.
સૌજન્ય : રીડ ગુજરાતી 

Birth Anniversary (26-03)


1 ) Late Doshi Rajnikant Abhechand
2 ) Mehta Nilesh Indulal Umedchand
3 ) Shah Hitesh Sevantilal
4 ) Shah Krisha Rajesh Hasmukhray
5 ) Shah Deepak Nagindas
6 ) Shah Ajay Chimanlal
7 ) Shah Hasmukhray Popatlal
8 ) Sheth Dinesh Shivlal

Monday, March 25, 2013

Driver Flips Car And Finishes Off-Road Race


While competing in the "Parker 425 Off-Road Race" in Arizona the driver of the Corvette engine-powered "Rally Fighter"
performed a full frontal flip and continued the race, finishing the grueling 425-mile event as a respectable 4th place winner.



Birth Anniversary (25-03)


1 ) Doshi Simoni Parag Jashwantlal
2 ) Mehta Jayesh Natvarlal
3 ) Mehta Narmada Rasiklal Pranjivan
4 ) Parekh Abhaykumar Chandrakant
5 ) Sanghavi Chimanlal Pranjivan
6 ) Sanghavi Hardik Bharat Jevatlal

Sunday, March 24, 2013

આજના માનવીની આંધળી દોટ – ચાંપશી ઉદેશી

તમે જોયું હશે કે વંટોળિયો આવે ત્યારે ધરતી પરની ધૂળ એ વંટોળ ભેગી ઊંચે ચડે છે. વંટોળ વહેતો રહે ત્યાં સુધી એ રજકણો ઉપર અવકાશમાં ઘૂમ્યા કરે છે અને વંટોળ શમી જતાં એ જ રજકણોને પાછું પતન પામીને ધરાશાયી થવું પડે છે. આજનો માનવી મોટે ભાગે આ રજકણો જેવી જ ‘પોકળ પ્રતિષ્ઠા’ મેળવે છે. ‘પોકળ’ એટલા માટે કે એ પ્રતિષ્ઠા કે પ્રસિધ્ધિ પાછળ સિધ્ધિ, સત્યનિષ્ઠા કે ઉચ્ચ અને શુધ્ધ ધ્યેય મોટે ભાગે હોતાં નથી. એટલે જ વંટોળિયાની રજકણો પેઠે ‘પોલી પ્રતિષ્ઠા’ થોડી જ વારમાં પાછી નીચે આવી જાય છે ! અને છતાં આશ્ચર્ય અને દુ:ખની વાત તો એ છે કે આજનો માનવી આવી પોકળ પ્રતિષ્ઠા પાછળ આંખ મીંચીને દોટ મૂકે છે ! પ્રતિષ્ઠા કે પ્રસિધ્ધિ એ તો સાચી, સંનિષ્ઠા અને શ્રમસાધ્ય સિધ્ધિની પાછળ ‘આપમેળે’ આવતો સિધ્ધિનો પવિત્ર અને સ્થાયી યશમુકુટ છે, એ સત્ય આજનો માનવી મોટે ભાગે વીસરી જતો લાગે છે.

આજના યુગના બે મહારોગો તે ધનલાલસા અને કીર્તિલાલસા. ધનલાલસા આજના યુગમાં તીવ્રતર બનતી જાય છે એનું કારણ એ છે કે આજના યુગમાં માનવીની મહત્તાનો માપદંડ ‘પૈસો’ જ બની ગયો છે ! આજ ના માનવીએ પોતાની જરૂરિયાતો અને વિલાસો એટલાં બધાં વધારી દીધાં છે કે આજે તો માનવી કાજે ‘પૈસો’ લગભગ ‘અનિવાર્ય’ થઈ પડયો છે ! વળી આ ધનલાલસામાં કીર્તિલાલસા ભળતાં જેટલું વધુ ધન પોતે મેળવશે એટલો વધારે મહાન પોતે લેખાશે એવી માન્યતા પણ આજના માનવીના મનનો કેડો મૂકતી નથી ને આજનો માનવી આંખો મીંચીને ધન અને કીર્તિનાં મૃગજળ પાછળ દોડયે જ જાય છે ! આને પરિણામે અનેક અનિષ્ટો જન્મે છે. ગમે તે માર્ગે ધન મેળવવામાં આજે માનવીને સંકોચ થતો નથી કે કોઈ નૈતિક સિધ્ધાંત આડે આવતો નથી. પ્રતિષ્ઠા માટે એ ‘પ્રચાર’ નો આશ્રય લે છે ને એ રીતે કેવળ પોતાના સ્વાર્થને ખાતર એ આજના યુગના એક મહાદૂષણ ‘પ્રચાર’ને અપનાવે છે. પરિણામે એને પ્રતિષ્ઠા તો મળે છે, પણ તે વંટોળના પેલા રજકણ જેવી જ !

સિધ્ધાંતપ્રિયતા, નીતિપ્રિયતા, ચારિત્ર્ય, ન્યાયપ્રિયતા, પ્રેમાળતા, સંતોષ, ગરવી ગરીબીને જોવાની આંખ, સાચની ખુમારી – આ સર્વ સદ્ગુણો આજનો માનવી આ કારણે જ ગુમાવી બેઠો છે અને તેમને સ્થાને પવન તેવી પીઠ દેવાનો સિધ્ધાંતહીનતાભર્યો સિધ્ધાંત, નીતિ કે ઈશ્વર તરફ આંખમીંચામણાં કરવાની ટેવ, ચારિત્ર્યહીનતા, ગમે તે પ્રકારે આગળ વધવાની ઈચ્છા, દંભ, મહત્ત્વાકાંક્ષાના ઓઠા હેઠળ લાલસાનો ગુણાકાર, ગરીબોને અને ગરીબીને હીણવાની હીન વૃત્તિ, અસત્યનું અસત્ય શરણ વગેરે દુર્ગુણો આજના માનવીને ઘેરી વળ્યા છે. અને સૌથી વધારે દુ:ખની વાત તો એ છે કે આ સર્વ દુર્ગુણોને જીવનની કહેવાતી પ્રગતિ કાજે ‘અનિવાર્ય’ લેખતો આજનો માનવી જીવનનો, જીવનસત્યનો, જીવનમર્મનો કે જીવનધર્મનો તાત્ત્વિક રીતે કદી વિચાર જ કરતો નથી ! એવો પામર અને દયાપાત્ર બની ગયો છે આજના યુગનો દંભી માનવી, જેની ક્ષણિક અને પોકળ પ્રતિષ્ઠા છેવટે વંટોળના પેલા રજકણોની પેઠે થોડા સમયમાં જ ધરાશાયી થઈ જાય છે !

સૌજન્ય : રીડ ગુજરાતી 

Birth Anniversary (24-03)


1 ) Doshi Karishma Pradip Mugatlal
2 ) Gandhi Sanjay Mahendra Dhirajlal Virpal
3 ) Mehta Geeta Girishchandra
4 ) Parekh Harshil Birenkumar
5 ) Sanghavi Hitesh Nautamlal Nanalal
6 ) Shah Mahek Sanjay Rameshbhai
7 ) Shah Jay Ashok Pranlal
8 ) Shah Krunal Asim Kishorbhai
9 ) Shah Sheetal Jignesh Mehta

Saturday, March 23, 2013

Freestyle Motocross In An Airplane Graveyard


Robbie Maddison shows his legendary freestyle motocross skills by doing backflips over abandoned airplanes in Tucson, Arizona.


Birth Anniversary (23-03)


1 ) Doshi Sonal Ketan Chamanlal
2 ) Lodaria Nirmala Nagindas Nandlal
3 ) Late Mehta Chandrakant Vanechand
4 ) Mehta Kanan Sidhdharth Prafull Trambaklal
5 ) Mehta Indumati Rajnikant
6 ) Mehta Rekha Suresh Jethalal
7 ) Sanghavi Chetankumar Sevantilal
8 ) Shah Amita Shrenik Vinodchandra
9 ) Sheth Jaina Suhas Mehta
10) Solani Jayshree Jitendra Jevatlal

Friday, March 22, 2013

ઉમ્મર– નવનીત શાહ

માણસની સરેરાશ ઉમ્મર વધી છે, પણ તેને કારણે તેની બીજી ઉપાધિઓ પણ વધી છે. ઉમ્મર વધે એટલે શારીરિક તંદુરસ્તી ઘટે, થયેલ રોગોમાં વૃદ્ધિ થાય અને સાથે સાથે એકલવાયું પણ વધે છે. દોડતી દુનિયા પ્રૌઢો અને વૃદ્ધો સાથે નિરાંતે બેસી કેવી રીતે શકે ? ને પ્રૌઢો તથા વૃદ્ધો દોડતી દુનિયા સાથે દોડી પણ કેવી રીતે શકે ? તનનો બન્નેનો મેળ નહિ એ તો ખરું જ, પણ બન્નેના મનનો મેળ પણ ક્યાંથી હોય ? ને દોડતી દુનિયા વૃદ્ધો તથા નિવૃત્ત માણસો સાથે બેસીને શું કરે ? ઘરમાં કુટુંબીજનો તથા વૃદ્ધો વચ્ચે બોલચાલ ક્રમશઃ ઓછી થતી જાય છે. બન્ને વચ્ચેનો ઉષ્માનો તંતુ પણ ક્ષીણ થતો જાય છે. ઔપચારિકતાઓ વધે છે. વૃદ્ધ પિતા યુવાન પુત્રને કંઈ પૂછે તો યુવાન પુત્ર કશો જવાબ ન આપે. વધુ પૂછે, વારંવાર પૂછે તો તેમને કચકચ કરવાનું બંધ કરે તેમ ગુસ્સાથી કહે. પુત્રી હોય, કુંવારી કે પરણેલી, તેને વૃદ્ધ મા-બાપ પ્રત્યે ભાવ ખરો, પ્રેમ ખરો. આમ હોવા છતાં માણસને પુત્ર પ્રાપ્તિની ઝંખના, પુત્રી પ્રાપ્તિની ઝંખના કરતાં વધુ રહે છે.
વૃદ્ધ સ્ત્રી ઘરના કામમાં મગ્ન રહે, પડોશમાં જઈને બેસે, એટલે તેને એકલવાયું લાગે નહિ. પણ વૃદ્ધ નિવૃત્ત પુરુષ આડોશપાડોશમાં ભળે નહિ, એટલે તેને એકલવાયું ખાવા જાય. તેમાંય જો તેની પત્ની હયાત ન હોય તો અંદર અંદર હિઝરાય. પોતાનું દુઃખદર્દ પ્રકટ ન કરે, આવા પત્ની વગરના એકલવાયામાં બહુધા પતિ વધુ જીવતો નથી, મૃત પત્ની પાછળ એ પણ મૃત્યુને શરણે જાય છે. પુત્રની પત્ની સારી હોય, સમજુ હોય, આમન્યા રાખનારી હોય તો નસીબ ! નહીં તો એનાં મહેણાંટોણાંનાં તીર નિવૃત્ત જીવથી સહન થતા નથી. પણ લાચારી તે આનું નામ ! કોને શું કહે ? સ્ત્રીઓની આપણે ભારોભાર પ્રશંસા કરીએ છીએ અને તેમનાં દુઃખોનો આપણે વિચાર કરીએ છીએ તે સારી વાત છે, પણ સ્ત્રીઓ જ ઘરને સ્વર્ગમાંથી નરકમાં લાવી દે છે એવું પણ જોવા-અનુભવવા મળે છે.
નિવૃત્ત વ્યક્તિઓની સમસ્યાઓ કોઈ સમજે તે જરૂરી છે. જો તેમની તંદુરસ્તી સારી હોય અને શારીરિક રીતે તેઓ જો કોઈને ભારરૂપ ન થતા હોય તો તે તેમને માટે સ્વયં આધાર છે. સમાજ અને ઘરનાં સભ્યો તેમને તો એમ જ કહેવાનાં : ‘બસ, તમે બહુ કર્યું. હવે જંપો. આવા શોખ તમને શોભે ? ઈશ્વર ભજન કરોને ! તમારે હવે કેટલા દિવસો ?’ બસ, ફક્ત તેમને અને બીજા લોકોએ તેમના મરણની જ રાહ જોવાની ? ઘરમાં કોઈ તૂટેલું ફૂટેલું ફર્નિચર પડ્યું હોય નકામું, તેવા તેઓ નકામા ? ઉમ્મર વધી એટલે ઉપાધીઓ પણ વધી.

સૌજન્ય : રીડ ગુજરાતી 

Birth Anniversary (22-03)


1 ) Doshi Rina Dhimant Pranlal
2 ) Lodaria Bhavna Shashikant Panachand
3 ) Mehta Jigna Jayendra Keshavlal
4 ) Mehta Pranlal Amrutlal
5 ) Parekh Bharat Jayantilal
6 ) Sanghavi Dhirajben Hasmukh Chhaganlal
7 ) Sheth Ramaben Dineshchandra Hematlal
8 ) Sheth Daksha Manoj Shantilal

Thursday, March 21, 2013

Wakeboarding with Dolphins in the Sea of Cortez


How lucky can one get to be surfing in the company of playful dolphins?


Birth Anniversary (21-03)


1 ) Doshi Vanshika Vipul Mugatlal
2 ) Doshi Nisha Yogesh Manharlal Chaturdas
3 ) Gandhi Bhavna Hiten Chhotalal
4 ) Sheth Devangini Rakesh Loariya
5 ) Lodaria Jitendra Prabhulal
6 ) Mehta Vaishali Mahesh
7 ) Mehta Eshan Nilesh Indulal Umedchand
8 ) Mehta Mahasukhlal Mohanlal
9 ) Mehta Ami Nalin Rasiklal Pranjivan
10) Patel Dhiren Anantray Nemchand
11) Sanghavi Harshit Vijay Zaverchand
12) Shah Bhadresh Haresh Jatashankar
13) Shah Jagdish Jatashankar
14) Shah Hansa Vinod Ratilal
15) Sheth Madhubala Kishorchandra
16) Sheth Devang Suryakant Ravichand
17) Sheth Varsha Jitendra Manilal
18) Vakharia Rushabh Jayesh Kanakray
19) Vakharia Bhavnaben Hitenkumar Gandhi

Wednesday, March 20, 2013

બદલાવ – નવનીત શાહ


જમાનો કેટલો બધો બદલાઈ ગયો છે એમ જે જૂની પેઢીના માણસો માને છે તેનું શું કારણ ? બદલાવું એટલે જૂનું રદબાતલ કરવું ? બદલાવું એટલે પ્રગતિ કરવી ? બદલાવું એટલે ખોટે માર્ગે જવું ? જૂની પેઢીનું કહેવું છે કે અમારો જમાનો ગયો, અમારા જમાનામાં જે બધું સારું હતું તે આજે નજરે પડતું નથી અને નવી પેઢી તે અપનાવતી નથી. માણસ પોતાની મર્યાદામાં રહી પોતાની દષ્ટિથી બધું માપે છે. જૂની પેઢીને આપણે છાશવારે બોલતા સાંભળીએ છીએ : ‘અમે યુવાન હતા ત્યારે’, ‘અમારા જમાનામાં’, પણ એવું વારંવાર રટણ કરવાનો શો અર્થ ? બદલાવવું એ સમાજનો સ્વભાવ છે. પરિવર્તન સ્વાભાવિક છે અને તે જરૂરી પણ છે.
આજની જૂની પેઢી એકવાર નવી પેઢી હતી. જૂની પેઢી નવી પેઢી હતી ત્યારે તે જૂની પેઢીનું બધું જ અપનાવતી નહોતી. સમય અને વાતાવરણ બદલાય છે એટલે જરૂરિયાતો પણ આપોઆપ બદલાઈ જાય છે. આજે વીજળી આપણે માટે અનિવાર્ય છે. એ વેરણ થાય ત્યારે દીવો સળગાવીએ છીએ પણ વીજળી હોય ત્યારે વીજળી બંધ રાખી આપણે દીવાનો ઉપયોગ નથી કરતા. એ તો જેવો જમાનો અને જેવી સુવિધાઓ. નવા જમાનાને કોઈ નીતિનિયમ કે આદર્શ નથી એમ એની ખોટી ખણખોદ કરીએ એ ઉચિત નથી. દરેક વસ્તુને બે પાસાં હોય છે. જૂનું બધું ખરાબ નથી એમ નવું બધું સારું નથી એનો આપણને અનુભવ થાય છે. જૂનું જો ખપનું હશે, આજના સંદર્ભમાં જો તે પ્રસ્તુત હશે તો માણસ, આજનો માણસ, તેને જરૂર અપનાવશે. નવાને પણ આપણે આવકાર આપવો પડશે. તેનાથી જ આપણે બીજા પ્રગતિશીલ દેશોની હરોળમાં બેસી શકીશું.
અમારા વખતમાં જે સુખ અને શાંતિ હતાં તે આજે નજરે ચઢતાં નથી એમ કહેનાર દેશની પ્રગતિને જોઈ શકતા નથી. પરંપરાને પકડી રાખીએ તો આપણે આગળ દોડી શકીશું નહિ. આપણે આગળ દોડી શકીશું નહિ તો આપણે દુનિયાના અનેક દેશોથી પાછળ પડી જશું. તેમાં આપણને જ ગેરલાભ થશે. આપણી નવી પેઢી તેનાથી પાંગળી બની જશે, આગળ વધી નહિ શકે. પ્રાચીનતાની પીપૂડી વારંવાર વગાડ્યા કરવાનો શો અર્થ ? અને એને સાંભળશે પણ કોણ ? આ દોડતો જમાનો આ પ્રાચીનતાની પીપૂડીનો અવાજ રોકી સાંભળશે નહિ. હા, આ દોટ આંધળી ન હોવી જોઈએ, ઠેસ વાગે, અહિત જેવું લાગે, તો અટકી જવું જોઈએ. કેટલાક લોકો પોતાની જાતને આધુનિકતામાં ખપાવવા માટે સ્વચ્છંદી બની જાય છે. આ કોઈપણ રીતે યોગ્ય નથી. જમાનો જૂનો હોય કે નવો હોય, પ્રાચીન હોય કે અર્વાચીન હોય, જીવનમાં જે સનાતન મૂલ્યો છે તેની તો જાળવણી કરવી જ રહી. જમાનો બદલાય ત્યારે આપણે પણ ઉચિત રીતે બદલાવું જોઈએ.

સૌજન્ય : રીડ ગુજરાતી 

Birth Anniversary (20-03)


1 ) Vora Bharti Sureshchandra Girdharlal
2 ) Mehta Bhavin Kamlesh Shashikant Pranjivandas
3 ) Mehta Bharat Kantilal
4 ) Mehta Pinki Hardik Vasantrai Vrajlal
5 ) Mehta Hasmukh Jethalal
6 ) Mehta Suresh Jethalal
7 ) Parekh Nehal Kalpesh Mistry
8 ) Shah Smita Sujit Jevatlal
9 ) Shah Devansh Ketan Bhupatlal
10) Sheth Tarika Bhaven Dineshchandra

Tuesday, March 19, 2013

Awesome in Ice and Snow


Professional free runner Ronnie Shalvis on ice and snow.



Birth Anniversary (19-03)


1 ) Doshi Dhirajben Suresh Navalchand
2 ) Vora Nita Ashok
3 ) Khandor Dhara Mahendra Ujamshi
4 ) Mehta Deepa Kishor Chandulal
5 ) Mehta Hetal Bharat Chandulal
6 ) Parekh Ranjanben Kantilal
7 ) Sanghavi Hansaben Pravinchandra
8 ) Sanghavi Bipin Mohanlal
9 ) Sanghavi Neha Parag Bharat Chandulal
10) Shah Mitesh Kishor Anopchand
11) Shah Arhad Sheetal Lalitkumar

Monday, March 18, 2013

New Office Bearers of Samaj

After the elections of President & Vice President, the President Paresh Shah has selected the following office bearers
1) Secretary : Shri Jayesh Rasiklal Lodaria
2) Joint Secretaries : a) Shri Nainesh Chandulal Doshi
                                b) Shri Narendra Dahyalal Sheth
3) Treasurer : Shri Kailash Navalchand Shah 

અંતરના ધબકારા – દિલીપ સંઘવી


એક સેવાભાવી સત્સંગ મંડળ તરફથી દર ઉનાળે એપ્રિલ-મે એમ બે મહિના દરરોજ બે-ત્રણ કલાક દરમિયાન ઠંડી મજાની મસાલાયુક્ત પૌષ્ટિક છાશનું નિઃશુલ્ક વિતરણ થાય છે. જેનો સામાન્ય જનતા, આજુબાજુનો વેપારીવર્ગ, શાળા-કૉલેજ જતા વિદ્યાર્થીઓ, રહેવાસીઓ તથા બપોરના સૂકા રોટલા સાથે દાળ-શાકની અવેજીમાં છાશથી ચલાવી લેતો શ્રમજીવીવર્ગ લાભ લેતો. આ અભિયાનનો કુલ ત્રીસથી પાંત્રીસ હજારનો ખર્ચ, બસો-ત્રણસોથી હજાર-બેહજાર, પાંચ હજાર, દસ હજાર રૂપિયાની નામેરી દાતાઓની સખાવતોમાંથી નીકળી જતો. દરેક દાતાને રસીદ આપવાનો નિયમ પણ હતો.
છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી, મધ્યમવર્ગનાં એક શ્રમજીવી-આધેડ વયનાં બહેન છાશ વિતરણના બરોબર એક મહિના પછી આવતાં અને છાશ માટે ડોનેશનમાં બસો રૂપિયા આપી જતાં. એ બહેન ગાય-ભેંસના તબેલામાં છાણ-ગોબરનાં વાસીદાનું તથા છાણાં થાપવાનું કાયમી કામ કરતાં. એમનો વીસ વર્ષનો અભણ અને અપંગ દીકરો નાનું-મોટું ચોકીદારીનું કામ કરતો. બહેનનો પતિ છેલ્લાં બાર વર્ષથી અર્ધલકવાગ્રસ્ત લાચારીથી ઘરમાં પથારીવશ હતો. આ વર્ષે પણ મહિના પછી બહેન આવ્યાં. બારી પાસે ઊભાં રહી, સાડલાના છેડે બાંધેલી ગાંઠ છોડી, એમાંથી ગડી વાળેલી સો-સોની બેના બદલે ત્રણ નોટ સેવાનિષ્ઠ બહેનના હાથમાં આપતાં બોલ્યાં : ‘આ લો બોન, બહોના તૈંણસો લો. વધુ લોકોની આંતરડી ઠારજો. લાલિયાને (અપંગ પુત્રને) આપણા ટસ્ટી (ટ્રસ્ટી) ચંપુભૈ ને ન્યાં વધારાનું કોમ મલ્યું છે તો લાલિયો કિયે કે માડી છાશવાળાં બોનને સો વધારે આલજો.’ પછી દર વખતની જેમ કહે : ‘મુંને રસીદ નો ખપે. છાશ પીવાનો ટેમ નથી. હું તો આ હાલી. મારા વન્યા ગાયું ભેંશું ભોંભરતી હશે…’
હવે બન્યું એવું કે બહેન હજુ બોલવાનું પૂરું કરે ત્યાં પેલા ટ્રસ્ટી ચંપુભૈ એટલે કે ચંપકભાઈ પોતે આવ્યા. ગાડીમાંથી ઊતરી, બારી પાસે આવી અને હજારની એક નોટ સેવાનિષ્ઠ બહેન તરફ ફેંકતા બોલ્યાં : ‘છોકરી, પેટ્રોલના ભાવવધારાને લીધે છાશ માટે બેહજારને બદલે હજાર રૂપિયા આપું છું. હું છાશ પીને આવું ત્યાં સુધી તું રસીદ બનાવી રાખ….’
સેવાનિષ્ઠ બહેનનો અંતરાત્મા બોલી ઊઠ્યો : ‘ચંપુભૈના માહ્યલાં માંહેની સ્વાર્થભરી મતલબી ‘બૂ’ મારતી મણ જેટલી હજાર રૂપિયાની સખાવત આગળ, લાલિયાના વધારાના સો રૂપિયાની કીડીના કણ જેટલી ‘આંતરડી ઠારજો’ જેવી સખાવત. આ અમીરી સખાવતને કારણે હજુ પુણ્ય પરવાર્યું નથી.’

સૌજન્ય : રીડ ગુજરાતી 

Birth Anniversary (18-03)


1 ) Doshi Dhimant Pranlal
2 ) Doshi Mona Jatin Champaklal
3 ) Lodaria Harsh Amit Pranjivan Harjivan
4 ) Parekh Umedchand Panachand
5 ) Sheth Ritik Devendra Chandrakant
6 ) Sheth Lata Pravinchandra Nimchand
7 ) Trevadia Darshana Anil Ujamshibhai
8 ) Vakharia Nila Tarun

Sunday, March 17, 2013

Mini Pulls Off Worlds First Successful Car Backflip


French Rally Raid world champion, Guerlain Chicherit takes a John Cooper Works Mini Countryman and makes it do a backflip


Birth Anniversary (17-03)


1 ) Doshi Himani Ashish Vinodrai Maganlal
2 ) Shah Jyoti Uttamkumar Jayantilal
3 ) Gardi Nirupa Naresh Chhabildas
4 ) Mehta Indravadan Ujamshi
5 ) Mehta Neha Navinchandra Shantilal
6 ) Patel Tejas Kishore
7 ) Shah Shobhna Bipin
8 ) Shah Deepika Pankajkumar Bagadia
9 ) Shah Hetal Jatin Chandulal
10) Sheth Meenakshi Manoj Pisat

Saturday, March 16, 2013

ભારત અલ્પવીકસીત દેશ શા માટે છે ?

આઝાદીનાં ૬૦ વર્ષો પછી પણ ભારત એક અલ્પવીકસીત દેશ તરીકે જ ઓળખાય છે. ૧૮૨ દેશોની યાદીમાં છેક ૧૩૪મા ક્રમે ભારત દેશનો નંબર આવે છે, શા માટે ? કારણ કે ભ્રષ્ટાચાર, અનામત, જાતીવાદ, પ્રાંતવાદ, બેઈમાની, અંધશ્રદ્ધા જેવાં દુષણો આ દેશના નેતાઓ તેમ જ દેશના રહેવાસીઓની આદત બની ગઈ છે.

આ દેશના નેતાઓનો પ્રથમ ધર્મ એ જનસેવા, દેશની ઈજ્જત કે દેશનો વીકાસ નહીં; પરંતુ પોતાની ખુરશી અને બૅન્ક બેલેન્સ જળવાઈ રહે તેનું તેઓ વધુ ધ્યાન રાખે છે. ભારત દેશની ઓળખ એક ખેતીપ્રધાન દેશ તરીકેની છે. ખેડુતો માટે હજારો કરોડ રુપીયાની લોન તેમજ સબસીડી જાહેર કરવામાં આવે છે; તો પણ આ દેશમાં  સૌથી વધુ આત્મહત્યા ખેડુતો કરે છે. વરસાદ ઓછો પડે તો અનાવૃષ્ટી અને વધુ પડે તો અતીવૃષ્ટી ! મોંઘવારી કદી ઓછી થતી નથી ! આ દેશમાં લોકો સાધુ-બાવા, ધર્મગુરુઓ, બાપુઓ તેમ જ મહારાજોને ભગવાનની જેમ માને છે અને તેઓની પાછળ સમય અને પૈસાનો વ્યય ગાંડાની જેમ કરે છે. પછી ભલે આવા ઠગ લોકો ધર્મની આડમાં નાસમજ લોકોનું શોષણ કરતા હોય કે ગેરકાનુની પ્રવૃત્તી કરતા  હોય તો પણ; આવા લોકોની દુકાન આ દેશમાં ધમધોકાર ચાલતી જ રહે છે. આ દેશમાં લાખો લોકોને બે વખતનું ભોજન અને કપડાં મળતાં નથી, વ્યક્તીદીઠ પાંચ હજારથી પણ વધુ રકમનું દેવુ છે; છતાં શ્રદ્ધાનું મુખોટું પહેરી આ દેશની જનતા દર વર્ષે હજારો કરોડ રુપીયા મુર્તીઓ પાછળ બગાડે છે. દેશમાં શૌચાલય બનાવવા પાંચ રુપીયાનું દાન ન કરનારા, મંદીરો બનાવવા માટે પાંચ લાખનું દાન કરવામાં પોતાનું ગૌરવ સમજે છે ! દુનીયાના દરેક દેશો આજે પ્રદુષણ ઓછું થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે. બધાને ખબર છે કે પર્યાવરણને જાળવવું જરુરી છે, પ્રકૃતીને સાચવવી જ પડશે તો પણ; આ દેશમાં રીવાજ, પ્રથા, વાર-તહેવાર અને ધર્મના નામ પર પ્રદુષણ થતું જ રહે છે અને થતું જ રહેશે ! કારણ કે આ દેશ માનવતાના ધર્મ પર નહીં; કેવળ ધર્મ પર આધારીત છે.

આ દેશમાં ગુનેગારો ગુનો કરવાથી ગભરાતા નથી; કારણ કે આ દેશમાં કાયદો એક બનાવવામાં આવે છે; તો તેની સાથે કાયદાથી બચવા માટે બે છટકબારીઓ રાખવામાં છે.

આ દેશમાં પૈસાથી કાયદો ખરીદી શકાય છે અને ન્યાય મળે તો પણ અડધી જીન્દગી અદાલતના આંટા-ફેરામાં જ નીકળી જાય છે ! આ દેશની બેટીઓ દહેજની આગમાં સળગતી જ રહે છે. આ દેશમાં ‘બેટી બચાવો’ નારાની શું કોઈ જરુર છે ખરી ?

સવાસો કરોડથી વધુ વસ્તીવાળા આ દેશના કેટલાક નેતાઓ અને નાગરીકો મફતમાં મળેલી સ્વતંત્રતા પચાવી શક્યા નથી. તેઓ  માટે દેશદાઝ માત્ર ‘મેરા ભારત મહાન’ બોલવા પુરતું અને ૧૫મી ઑગસ્ટે તેમ જ ૨૬મી જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવાની ઔપચારીકતા પુરતું જ છે અને એ આની આ જ રફ્તાર રહેશે તો દેશનો પહેલો નંબર (છેલ્લેથી) આવતા વધુ રાહ નહીં જોવી પડે અને આ અલ્પવીકસીત  દેશ કદી વીકસીત નહીં બની શકે !

-કીરણ એ. સુર્યાવાલા, સુરત

Birth Anniversary (16-03)


1 ) Merchant Rita Hriday
2 ) Doshi Usha Jayesh Chimanlal
3 ) Doshi Dr. Falguni Sanjay Rameshchandra Amichand
4 ) Mehta Falguni Nimesh Bhupatrai Ratilal
5 ) Mehta Saryuben Hasmukhlal Keshavlal
6 ) Shah Sajan Ashish Arvindbhai
7 ) Shah Hina Vinod Devchand
8 ) Shah Kailash Navalchand
9 ) Sheth Bhavna Parag Shah
10) Trevadia Pravin Mulchandbhai

Friday, March 15, 2013

Russian Homemade Aircraft Takes Off From Gas Station


A Russian man fills his homemade power-glider at a local gas station, drives onto the freeway, and takes off into the skies.


Birth Anniversary (15-03)


1 ) Doshi Ankit Nitesh Rajnikant
2 ) Doshi Aditi Deepak Manharlal
3 ) Doshi Nagindas Bhudarlal
4 ) Lodaria Alpa Niral Vijay Chhotalal
5 ) Mehta Saumil Bharat Vinodrai
6 ) Mehta Saurabh Bharat Vinodrai
7 ) Mehta Prafull Trambaklal
8 ) Parekh Pankaj Umedchand
9 ) Parekh Karan Rajesh Manharlal
10) Parekh Ashaben Bharatbhai Kantilal
11) Parekh Bipin Shantilal
12) Patel Bharati Hasmukhray
13) Sanghavi Aagvi Prakash Pravinchandra Mohanlal
14) Shah Jagruti Ketan Mehta
15) Shah Smita Jitendra Rasiklal
16) Shah Vishal Dilipbhai Chamanlal
17) Shah Vishal Yogesh Hasmukhray
18) Shah Niyati Sachin Jaswant
19) Sheth Kamal Dhirajlal

Thursday, March 14, 2013

‘મારો ઈશ્વર કોણ ?’

ચર્ચાપત્રોમાં ભગવાન વીષયક ચર્ચાઓ ચાલી. હું માનું છું ત્યાં સુઘી દરેક વ્યક્તીનો ઈશ્વર ભીન્ન હોય છે. મારો ઈશ્વર મનુષ્ય છે. મારો ભગવાન પ્રાણીઓ­–પક્ષીઓ છે, વૃક્ષો છે. પુસ્તકો પરમાત્માનો પર્યાય બની શકે ? હા, મારે માટે. ફીરાક ગોરખપુરી કહી ગયા;  ‘જીન્હે શક હૈ વો કરે ઔર ખુદાઓંકી તલાશ, હમ તો ઈન્સાનકો ઈસ જહાં કા ખુદા માનતે હૈં’ . કોઈનો ભગવાન મંદીરોમાં પુરાયેલ છે. ભગવાન બંદી હોઈ શકે ? કોઈ મસ્જીદ કે ગીરજાઘરોમાં શોઘે છે. ‘અલ્લા’ કે ‘ગૉડ’ ઈંટ, સીમેન્ટ, પથ્થરની બનેલ દીવાલોનો ઓશીયાળો ખરો કે ? શ્રદ્ઘાળુઓનો ઈશ્વર એમની ‘આસ્તીકતા’ છે તો અ–શ્રદ્ઘાળુઓનો ઈશ્વર એમની ‘નાસ્તીકતા’ છે. નાસ્તીકો ગ્રંથથી ઘડાય છે, આસ્તીકો ગ્રંથીઓના ગુલામ છે. ઘડાયેલા ગાડાં વાળી શકે, ગુલામ કશું ન કરી શકે. અબ્રાહમ લીંકને કદાચ તેથી જ કહ્યું હતું, ‘હું સ્વર્ગમાં ગુલામ બનવા કરતાં નર્કમાં નેતા બનવાનું પસંદ કરું.’ હું માનું છું કે, જેમાંથી જીવનબળ મળે તે ભગવાન.જીસસે ઉપદેશ્યું: ‘ધ કીંગડમ ઓફ ગૉડ ઈઝ વીઘીન યુ’. ગૌતમ બુદ્ઘ : ‘અપ્પ દીપો ભવ’ની વાત કરી ગયા. કબીરે ‘તેરા સાંઈ તુજમેં’ કહી ઝાંકવાનું પ્રબોઘ્યું. આદ્ય શંકરાચાર્ય ‘ચીદાનન્દ રુપ: શીવો અહમ્‘ કહી ગયા. યુગપુરુષોએ આટલું બઘું કહ્યા પછી આ બઘી મગજમારી ક્યાંથી અને ક્યાં સુધી ? માન્યતાનાં પોટલાં લઈ ફરતા આસ્તીકો પોતે પીડાય અને પારકાને પીડે છે. ‘એની અંદર શું હશે, મારી બલા જાણે, મરીઝ, બહાર તો પથ્થર મળ્યા મંદીર ને મસ્જીદને.‘ હકીકતે શ્રદ્ઘાળુઓ અને અ–શ્રદ્ઘાળુઓએ ભેગા મળી અન્ઘશ્રદ્ઘાળુઓને જગાડવાના છે. શ્રદ્ઘા અને અ–શ્રદ્ઘાના ઝંડાઘારીઓ  એક થઈ અન્ઘશ્રદ્ઘા–નીર્મુલન  માટે કટીબદ્ઘ થાય  એ સમયની માંગ છે. કુલડીમાં ગોળ ભાંગ્યે શું વળે ? અન્ઘશ્રદ્ઘાનું વીષ વીષમ પરીસ્થીતી સર્જે છે. અન્ઘશ્રદ્ઘાળુઓ તબાહ થઈ રહ્યા છે. તેઓને બચાવી લેવા એ આપણું દાયીત્વ છે. કહેવાતા આસ્તીકો અને તેમના ગોડફાઘરો ખુલ્લેઆમ લુંટ ચલાવે છે. મેં તો આસ્તીકો પૈકી અનેક નાસ્તીકો જોયાં છે; કારણ કે ઈશ્વર કૃપા વીશે તઓ ચીન્તીત હોઈ, સતત એક યા બીજાં વીધીવીધાનમાં રમમાણ રહેતા હોય છે. નાસ્તીકો પૈકી એવાય હોય જે પોતાની મસ્તીમાં જીવ્યે જતા હોય છે. મનુષ્ય જ્યારે અકળ તત્ત્વને ભાળી–પારખી જાય ત્યારે તે નાસ્તીકતાની સમીપ પહોંચી જતો હોય છે.

વીરલ વ્યાસ

 અક્ષરાંકન: ગોવીન્દ મારુ

Birth Anniversary (14-03)


1 ) Late Lodaria Mahesh Shantilal
2 ) Mathakia Vimal Mahendra Nanchand
3 ) Mehta Saumil Umesh Nemchand
4 ) Mehta Kusum Prakash Maganlal
5 ) Mehta Rahil Devesh Jashwantrai Revashankar
6 ) Mehta Jayshree Mukesh Duleray
7 ) Sheth Manish Kishor

Wednesday, March 13, 2013

Best Bus Stop Ever


Mobile technology company Qualcomm brought a few surprises to a bus stop. They put up a poster featuring a URL
and waited for people to visit the site. When they pressed the button, the fun began...


Birth Anniversary (13-03)


1 ) Doshi Bhupatrai Bhaichand
2 ) Doshi Labdhi Ketan Rajnikant Chaturdas
3 ) Gholani Rajesh Shantilal Somchand
4 ) Gholani Fenil Nikhil Kumudchandra Maganlal
5 ) Lodaria Rohan Jayesh Mugatlal
6 ) Mehta Shashikant Pranjivandas
7 ) Mehta Nina Bhupesh Rameshchandra
8 ) Mehta Charmi Mukesh Himmatlal
9 ) Sanghavi Vir Chetankumar Sevantilal
10) Sanghavi Jigna Nautamlal Nanalal
11) Sanghavi Mit Ashok Jagjivandas
12) Shah Varsha Pradip Vrajlal
13) Shah Yashvi Hiren Kirtikumar
14) Solani Zalak Samir Kishorchandra Ratilal
15) Trevadia Gunvant Gopalji

Tuesday, March 12, 2013

કર્મો પ્રત્યે મન્દ ઉત્સાહ

‘એની ઈચ્છા વીના પાંદડું પણ ફરકતું નથી’ એવું માનીને આપણે ઈશ્વરનું આધીપત્ય સ્વીકારી લઈએ છીએ. આપણે એવું પણ માની લઈએ છીએ કે આપણાં સુખદુ:ખ તો ‘એના’ ખેલ છે. કળીયુગ પ્રવર્તતો હોવાથી ભ્રષ્ટાચાર તો ચાલવાનો જ, જ્યારે સતયુગનો પ્રારમ્ભ થશે ત્યારે જ ભ્રષ્ટાચાર નાબુદ થશે. આવી આવી માન્યતાઓ પ્રજાને નીર્માલ્ય બનાવી દે છે. કેટલાક એવું માની બેસે છે કે આપણે ગમે તેટલો પુરુષાર્થ કરીએ પણ જો પ્રારબ્ધનો સાથ ન મળે તો સફળ થવાતું નથી. આવી માન્યતા ભ્રામક છે. પ્રારબ્ધના ભરોસે બેસી ન રહેવાય. કોઈ પણ કાર્ય જો યોગ્ય આયોજન કરીને હાથ ધરવામાં આવે તો વહેલું–મોડું તે સીદ્ધ થયા વગર ન રહે. પ્રજા દરીદ્ર રહે છે તેનું મુખ્ય કારણ જ આવી અન્ધશ્રદ્ધા છે.

જ્યોતીષની પરવા ન કરનાર અંગ્રજો તથા અન્ય લોકો સાહસ ખેડે છે, કર્મઠ બને છે અને બાહોશી દાખવી આળસુ તથા અન્ધશ્રદ્ધાળુ લોકો ઉપર રાજ કરે છે.

મંગળ ગ્રહ ભારતીય પ્રજાને જ નડે છે, અન્ય પ્રજાઓને તો એવા નડતરની ખબર સુધ્ધાં નથી. મુઢ પ્રજા ‘મંગળ’ના ત્રાસમાંથી મુક્ત ન થાય તો તેમાં જોશી લોકોનો શો દોષ ? બીલાડી આડી ઉતરે ત્યારે અશુભ થાય માટે ઘરે પાછા વળી જવું અને પછી ‘શુભ’ ચોઘડીયામાં કામ કરવા નીકળવું. આવી અન્ધશ્રદ્ધાથી પીડાતી આપણી પ્રજાને સુખી થવાનો અધીકાર નથી.

સામ્યવાદી પ્રજા મન્દીરો, મસ્જીદો, દેવળો નથી બાંધતી, પ્રાર્થનાઓ નથી કરતી અને તોય સુખપુર્વક જીવે છે. આપણે તો મંદીરો બાંધી બાંધીને ભ્રષ્ટ લોકોને પ્રોત્સાહીત કરીએ છીએ. મન્દીરોનો કારભાર કરનારા મહન્તો, શ્રેષ્ઠીઓ વગેરે મન્દીરના બહાના હેઠળ શાં શાં કાળાં–ધોળાં કરતા હોય છે તેની વાતો હજારો વાર અખબારોમાં છપાય છે.

તો પણ લોકો મન્દીરે જઈને એની મુર્તીઓમાં ભગવાન શોધે છે.

- ડૉ. મોહનભાઈ પટેલ

Birth Anniversary (12-03)


1 ) Doshi Rahul Deepak Indulal
2 ) Shah Rekha Deepak
3 ) Mehta Bhupat Vadilal
4 ) Patel Kundanben Mukundbhai Manilal
5 ) Sheth Devansh Kiran Kishorbhai

Monday, March 11, 2013

Nana: A Clever Dog


Nana, a very intelligent Border Collie, does some impressive tricks.


Birth Anniversary (11-03)


1 ) Sanghavi Meet Udaykumar Sevantilal
2 ) Sanghavi Miti Ashok Jagjivandas
3 ) Shah Raj Shailesh Shankarlal
4 ) Shah Shushilaben Ramniklal Vanechand
5 ) Vakharia Hetal Hitesh Doshi

Sunday, March 10, 2013

‘વૈદ્યનાં મરે નહીં ને જોશીનાં રંડાય નહીં !’–શરદ ભી. દેસાઈ

‘વૈદ્યનાં મરે નહીં ને જોશીનાં રંડાય નહી !’ આ કહેવત સદીઓથી ભારતીય જાનપદી અનુભવોને કારણે લોકજીભે રમતી બની છે. આ કહેવતનું આગલું ચરણ કદાચીત સન્દીગ્ધ હોઈ શકે; કેમ કે વૈદ્યોની સારવાર પામેલાં તો માંદગીમાંથી વખતે બેઠાંયે થઈ શકે છે; કીન્તુ જ્યોતીષીએ જેમનાં જોષ ભાખીને, ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ કહીને વરાવી હોય તેવી, કુટુમ્બની એકાધીક કન્યાઓના વૈધવ્યપ્રાપ્તીના કેટલાય દાખલાઓ સમાજમાં અત્ર–તત્ર–સર્વત્ર– જોવા મળે છે. જ્યોતીષશાસ્ત્ર કદાપી સચોટ ન હોઈ શકે – નથી જ – એ હકીકત ઉક્ત કહેવત સ્પટપણે સુચવે છે.

પીતાજીએ કહેલી એક સત્ય ધટના યાદ આવે છે; જે પોણો સોએક વર્ષ અગાઉ બની હતી. હીન્દમાં ત્યારે રજવાડાં હતાં. મુંબઈમાં ‘રાજજ્યોતીષ’ તરીકે પોતાને ઓળખાવતા એક સમૃદ્ધ ભુદેવ રહેતા હતા. ‘સમૃદ્ધ’ એટલા માટે કે દેશના કેટલાંય નગરોમાંથી પ્રગટતાં વીવીધ ભાષાનાં છાપાંઓમાં, મોટા મોટા દાવા કરતી તેમની જાહેરખબરો અવારનવાર આવતી રહેતી હોઈ તેમનો ધન્ધો રજવાડામાં સારી પેઠે વીકસ્યો હતો. એવા જ એક રજવાડામાંથી રાજવીનું તેડું આવતાં, પોતાનાં ટીપણાં તથા અન્ય જ્યોતીષગ્રંથો લઈને શુભમુહર્ત જોઈને મુંબઈ સેન્ટ્રલથી તેઓ બી.બી. એન્ડ સી.આઈ. રેલવેના ફર્સ્ટ ક્લાસમાં બેઠા. પેલા રજવાડાને ટેલીગ્રામ કરી દીધેલો કે પોતે ચોક્કસ સમયે રાજના અમુક સ્ટેશને ઉતરશે, તો શાહી આવભગતનો પ્રબન્ધ કરવો. તે મુજબ યથાસમયે તેઓ જ્યારે ત્યાં પહોચ્યા ત્યારે રાજ્યના સૈનીકોની ટુકડી સાથે બગી સ્ટેશન પર હાજર હતી. તેમાં તેમને બેસાડી તેમને રાજમહેલ પર નહીં; પરંતુ સીધા તુરંગ પર લઈ જવામાં આવ્યા, અને પુરી દીધા સળીયા પાછળ અન્ધારી કોટડીમાં ! જેલ અધીકારીને તેમણે રાજાને મળવા દેવા ઘણી આજીજી કરી પણ વ્યર્થ. એક દીવસ, બે દીવસ, ત્રણ દીવસ – એમ સપ્તાહ વીત્યું. પછી તો એક–બે–ત્રણ એમ ચાર સપ્તાહ વીત્યાં અને એમ ને એમ મહીનાઓ વીતી ગયા. ચોથે મહીને એક દી’ અચાનક તેમને રાજદરબારમાં હાજર કરવામાં આવ્યા ત્યારે તેઓના ખરા હાલ થઈ ગયા હતા. હાથ જોડી વીનમ્રભાવે પુછયું કે તુરત રાજાજીએ કહ્યું, ‘અરે વાહ, રાજજ્યોતીષીજી ! તમે મુંબઈથી શુભમુહુર્ત જોઈ અહીં આવવા નીકળ્યા ત્યારે શું તમને એ વાતની ખબર નહોતી કે ભવીષ્યમાં તમારે માટે અહીં શી પરીસ્થીતી નીર્માણ થવા સર્જીત હતી ? જો તમને તમારા જ ભાવીની ખબર નહોતી તો પછી તમે અન્યનું ભાવી કેવુંક ભાખવાના ? તમે અહીંથી જીવતા સ્વગૃહે જઈ શકશો કે કેમ એની ખબર છે ખરી !’ રાજાની વાણી સાંભળી જ્યોતીષ ડઘાઈ ગયા. મુંગામંતર ! કાપો તો લોહીયે ન નીકળે !

મુદ્દો એ છે કે, ભારતવર્ષના ઋષીઓએ, તારા ગ્રહો વગેરે ખગોળીય પીંડોની ગતીના સુક્ષ્મ નીરીક્ષણોને આધારે કરેલા સાચા ગણીતને આધાર તરીકે રાખી, ફલકથન જ્યોતીષનેય ‘વીજ્ઞાન’ તરીકે ઓળખાવી, ફેંકછાપ શૈલીની એક આગવી કલા વીકસાવી, લોકોની છેતરપીંડી કરી, ગજવા ભરનારાઓનો મોટો વર્ગ અસ્તીત્વમાં આવ્યો છે. સ્વાભાવીક જ, હાલના પરીવેશમાં ધર્માવલમ્બી રાજ્યો તરફથી પોતપોતાના નીહીત સ્વાર્થોના હીતાર્થે આવી પ્રવૃત્તીને પ્રોત્સાહન જ મળે,  કેમ કે અંગ્રેજ અમલવેળાના પેલા રજવાડાના રૅશનાલીસ્ટ શાસક જેવો એક પણ રાજ્યકર્તા આજના સ્વતન્ત્ર લોકશાહી ભારતમાં જોવા મળતો નથી, ત્યારે પ્રજાએ જ આવા ‘જ્યોતીષ પરીષદ’ અહીં ભરનારાઓને નીરુત્સાહ કરવા ચળવળ પ્રારમ્ભવી પડશે. તેમ થાઓ.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

 


Birth Anniversary (10-03)



1 ) Late Lodaria Leela Rasiklal Chhaganlal
2 ) Mehta Krina Hiten Nagindas
3 ) Shah Rupal Deepak Sevantilal
4 ) Shah Mayuri Viral Vasantray
5 ) Late Sheth Mahendra Dhirajlal
6 ) Sheth Smit Deepakkumar Ramniklal
7 ) Sheth Bipin Kantilal
8 ) Trevadia Bhanuben Kishorkumar Bhaichand
9 ) Vora Pranjal Dhansukh Amrutlal