Friday, August 31, 2012

Samaj Utkarsh Volume No 574 July 2012


To read Pages 1 to 8 of Samaj Utkarsh click here 

To read Pages 9 to 16 of Samaj Utkarsh click here 

To read Pages 17 to 24 of Samaj Utkarsh Click here 

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff.

2) Last month wrong volume no was given. This month also the mistake is carried forward. Actually , The volume no. should be 574 and not 573 as mentioned on the first page of Samaj Utkarsh.

 

Vasti Patrak by Shree Vishashrimali Yuvak Mandal, Morbi

Shree Vishashrimali Yuvak Mandal, Morbi, under the banner of Shree Vishashrimali Vanik Gnati, Morbi, is preparing to publish Vasti Patrak of the community members of Morbi & its neighbouring villages & towns. They have sent the following circular for appeal for Donations and the form of information to be filled by all the community members living anywhere in the world.




Death

  


Native : Wankaner
Currently At : Andheri,Mumbai
Name of the deceased : Jevatlal Sukhlal Shah
Age : 79 Years
Date of Death : 29-08-2012
Wife : Kusumben
Sons :Sunil, Sujit
Daughter :Jagruti Ketan Mehta
Father :Late Sukhlal Siraj Shah
Brothers : Late Jayendra,Kishore, Late Kailash 
Sisters :Varshaben, Nainaben
Father-in-Law : Late Pranlal Girdharlal Modi
 
May his soul rest in eternal peace. 

વાંકાનેર હાલ અંધેરી સ્વ. સુખલાલ સીરાજ શાહના પુત્ર જેવતભાઇ (ઉં. વ. ૭૯) ૨૯-૮-૧૨ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે કુસુમબેનના પતિ, તે સુનીલભાઇ, સુજીતભાઇ તથા જાગૃતીબેન કેતનભાઇ મહેતાના પિતાશ્રી. તે સ્વ. જયેન્દ્રભાઇ, કિશોરભાઇ, સ્વ. કૈલાસભાઇ, વર્ષાબેન, નયનાબેનના મોટાભાઇ. તે સ્વ. પ્રાણલાલ ગીરધરલાલ મોદીના જમાઇ. પ્રાર્થનાસભા શુક્રવાર ૩૧-૮-૧૨ના અમૃતબાગ, બજાજ રોડ, પારલા (વે.). સમય ૪ થી ૬.

Digital Redecorating

Next time you redecorate your living room, try this new invention: The room is continually redecorated using two projectors and state-of-the-art software.  

"We created a unique physical 3D video mapping experience by turning a white living room into a spacious 360° projection area. This technique allowed us to take control of all colors, patterns and textures of the furniture, wallpapers and carpet. All done with 2 projectors 

Thursday, August 30, 2012

એક સાદી કસોટી-ડૉ. આઈ. કે. વિજળીવાળા


તમને હું થોડાક સવાલો પૂછવા માગું છું. તરત જ જવાબ આપવાની કોશિશ કરજો.

1. 1984ની સાલના દુનિયાના 3 સૌથી ધનવાન માણસોના નામ આપો.
2. 1977નું નોબલ પ્રાઈઝ મળ્યું હોય તેવી 3 વ્યક્તિઓનાં નામ આપો.
3. 1980ની ઑલિમ્પિક રમતોમાં સુવર્ણચંદ્રક જીતનાર ત્રણ એથ્લેટ્સનાં નામ આપો.
4. હિમાલયન કાર રેલીના 3 વિજેતાઓનાં નામ આપો.
5. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ પારિતોષિક મેળવનાર પાંચ જણનાં નામ આપો.

કાં ? કેમ લાગ્યું ?

જુઓ, આ બધા કોઈ સામાન્ય માણસો નથી જ ! પોતપોતાના ક્ષેત્રમાં માહિર અને પ્રથમ ક્રમની વ્યક્તિઓ છે આ બધી. સર્વશ્રેષ્ઠ તેમજ ઉત્તમ ! છતાં આપણને એ લોકો આટલાં થોડાં વર્ષો બાદ યાદ પણ નથી રહેતાં. તાળીઓના ગડગડાટ તો શમી જ જતા હોય છે. ઈનામો, ઍવૉર્ડઝ કે પ્રમાણપત્રો પણ એમના મેળવનારની સાથે જ ક્યારે આપણી સ્મૃતિમાંથી અતીતમાં સરી જાય છે તેનો ખ્યાલ પણ નથી આવતો.

હવે આ કસોટીનો બીજો ભાગ જોઈએ. નીચેના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ :

1. એવા ત્રણ શિક્ષકોના નામ આપો જેણે તમને નિશાળ કે કૉલેજકાળ દરમિયાન ખૂબ જ હૂંફ આપી હોય કે આગળ વધવાની પ્રેરણા આપી હોય.
2. એવા ત્રણ મિત્રોના નામ આપો જેમણે કપરા સંજોગોમાં તમને સાથ, સહારો તેમજ હૈયાધારણ આપી હોય.
3. તમારા સાચા રાહબર બન્યા હોય તેવા ત્રણ વડીલોનાં નામ આપો.
4. પ્રશંસા કે કદરના શબ્દોથી તમારું દિલ જીતી લીધું હોય તેવી ત્રણ વ્યક્તિઓનાં નામ આપો.
5. જેમની સાથે સમય પસાર કરવાનું તમે પસંદ કરતા હો તેવી ત્રણ વ્યક્તિઓનાં નામ આપો !

કાં ? હવે કેવું લાગ્યું ? અત્યંત સહેલું ને ?

કહેવાનું તાત્પર્ય એ જ કે આપણા જીવનમાં જેમની કાળજીથી, હૂંફથી નિખાર આવ્યો હોય તેમને આપણે અજાણપણે જ આપણા હૃદયમાં કાયમી સ્થાન આપી દીધું હોય છે. આપણા દિલ માટે તો સાચા એવોર્ડ વિનર્સ એ લોકો જ હોય છે. દુનિયા એમને જાણતી હોય કે નહીં પરંતુ આપણું હૃદય તો જીવનપર્યંત એમને યાદ રાખે છે !!

(મૂળ શીર્ષક : A little perpective )

Wednesday, August 29, 2012

German Town Removes All Traffic Signs To Reduce Accidents

The town council of Bohmte, Germany has decided the best way of improving road safety is to remove all traffic lights and stop signs.  
 
The town that had at least one serious accident a week now has none.   Shared space is an urban design concept aimed at integrated use of public spaces. Shared space removes the traditional segregation of motor vehicles, pedestrians and other road users. The goal of shared space is an improvement in road safety, encouraging negotiation of shared areas at appropriate speeds and with due consideration for the other users, using simple rules like giving way to the right.



Tuesday, August 28, 2012

જ્યોતીષ

 વીજ્ઞાને ગુરુત્વાકર્ષણની શોધ કરી એને આધારે જ્યોતીષીઓને વળી અન્ય એક ફાવતી દલીલ જડી ગઈ : ચંદ્રના આકર્ષણથી જો સમુદ્રમાં ભરતી ચઢતી હોય તો એની માનવદેહ ઉપર પણ અચુક અસર થાય; કારણ કે માણસના શરીરમાં પણ સીત્તેર ટકા પાણી રહેલું છે. આમ જ્યોતીષીઓને એમની વ્યાપક છેતરપીંડીનો એક નવો જ નુસખો મળી ગયો. જુઠ્ઠો: કારણ કે ચંદ્રના આકર્ષણથી ભલભલાં તળાવોમાં, તરણકુંડોમાં કે ઘરનાં ગોળા–માટલાંમાં પણ ભરતી નથી ચઢતી, તો પછી માનવ દેહમાં રહેલા અલ્પ પાણીને તો એ કેમ કરીને ખળભળાવી શકે ? હકીકતે ચંદ્રના કેવળ આકર્ષણ માત્રથી દરીયામાં ભરતી નથી જ આવતી અને જો એમ હોય તો રોજેરોજ એક સરખી જ ભરતી ચડવી જોઈએ, કારણ કે ચંદ્ર તો રોજ જ આકાશમાંથી પસાર થાય છે. પરન્તુ વૈજ્ઞાનીક કારણ ભીન્ન જ છે: સમુદ્રમાં  ભરતી તો ચંદ્ર અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અમુક અવસ્થાને પરીણામે ઉત્પન્ન થતા ‘ભરતી–બળ’ (ટાઈડલ ફોર્સ)ને પરીણામે આવે છે અને તે કેવળ મહાસાગરોમાં જ. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ માનવદેહ યા માનવજીવન ઉપર કશો જ નીર્ણાયક પ્રભાવ પાડી શકતું નથી. છતાં ધારો કે ગ્રહોનું ગુરુત્વાકર્ષણ માનવ કે પ્રાણીના દેહને અસ્વસ્થ કરતું પણ હોય, તોય તે કેવળ આરોગ્યને અસર કરી શકે એ સમજી શકાય. પરન્તુ લગ્નયોગ, પતી–પત્ની વચ્ચેની લેણદેણ, સંતાનયોગ, સ્થાવર–જંગમ મીલ્કત, લોટરી, નોકરી, પ્રેમ–રોમાન્સ કે કોર્ટ–કચેરીના ખટલા જેવી માનવસર્જીત વ્યવસ્થાઓ ઉપર ગુરુત્વાકર્ષણ તે કેવી રીતે અને શી અસર પાડી શકે ? પરન્તુ માણસને મુરખ બનવાનું હમ્મેશાં ગમે જ છે, એટલે શું થાય ?

જ્યોતીષ વીજ્ઞાન નથી, અજ્ઞાન છે, એનો સચોટ પુરાવો તો એ જ કે એના અજ્ઞાન રચનાકારો બાપડા ફક્ત પાંચ જ ગ્રહોને ઓળખી શકેલા. વળી, એક તારકપીંડ એવા સુર્યને તેમ જ પૃથ્વીના ઉપગ્રહ એવા ચન્દ્રને પણ તે ‘ગ્રહો’ જ ગણીને ચાલતા. નરી આંખે આવું બધું નીરીક્ષણ કરી, એનું ગણીત રચવા બદલ, તેઓને આપણે આદરપુર્વક જરુર ધન્યવાદ આપીએ; પરન્તુ તેનાં ફળજ્યોતીષનાં જીવનસ્પર્શી બનતાં તારણોને સત્ય માનીને, સમાજને માથે વણજોઈતી, બીનજરુરી આપત્તી તો ઝીંકી શકીએ જ નહીં. અવૈજ્ઞાનીક એવી જ્યોતીષવીદ્યાના પ્રચારથી, સમાજમાં વહેમો, અન્ધશ્રદ્ધાઓ, નસીબવાદ તેમ જ ફરેબી ઠગધંધાનું વર્ચસ્વ વધશે; એવી સચોટ આગાહી જ્યોતીષની મદદ વીના જ પાકી થઈ શકે. રાહુ ને કેતુ જેવા તો કોઈ પીંડો જ અવકાશમાં નથી, જ્યારે યુરેનસ, નેપચ્યુન અને પ્લુટોના ગ્રહોની હસ્તીની તો મુદ્દલે જાણકારી જ આ કાલસાપેક્ષ વીદ્વાનોને હતી નહીં. આ તથ્યોના ઉપલક્ષમાં પછી, ફળજ્યોતીષ સત્ય કે આધારભુત સંભવી જ ક્યાંથી શકે ?

યાદ રાખો કે, પ્રાચીન ભારતમાં ફલજ્યોતીષ શાસ્ત્ર હતું જ નહીં. કેટલાક પંડીતો– સંશોધકોના મતે તો એ વીદ્યા બહારથી પ્રાચીન મીસર, બેબીલોન કે ગ્રીસથી આયાત કરેલી છે. એનો પુરાવો એ જ કે, રામાયણમાં, સીતાજી ગુમ થતાં, રામ એની શોધ માટે કોઈ જ્યોતીષીને પુછવા નથી જતા કે પાંડવો – દ્રૌપદીના લગ્ન પાકાં કરવા માટે જન્મકુંડળીઓ મેળવ્યાનો કોઈ ઉલ્લેખ મહાભારતમાં જોવા મળતો નથી. એથી ઉલટું, કર્ણ તો સગર્વ જાહેર કરે છે કે, મારો જન્મ ભલે દૈવને આધીન હોય, કીન્તુ મારું જીવનકાર્ય તો મારા પુરુષાર્થને જ વશ છે. વેદ–ઉપનીષદોમાં પણ ફલજ્યોતીષ શાસ્ત્રનો કોઈ ઉલ્લેખ જ નથી…!

–રમણ પાઠક

ગુજરાતમીત્ર દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ ના લેખોમાંના જુદા જુદા મુદ્દાઓ વીશે, જુદા જુદા વીષયોનું સંકલન કરીને સુરતના શ્રી વીજય ભગત: vmbhagat@gmail.com, ‘વીવેકવીજય’ (પુસ્તક માટે ભાઈ વીજય ભગતનો ઈ–મેઈલ પર સમ્પર્ક સાધવા વીનન્તી) ગ્રંથ સાકાર કર્યો. ‘વીવેકવીજય’ ગ્રંથના પ્રકરણ – 5માંથી ઉપરોક્ત મુદ્દા લેખક અને સંપાદકશ્રીના સૌજન્યથી..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

Monday, August 27, 2012

How to multiply using lines

Ever wanted to know how to multiply other than using a calculator? Well we have put together a brilliant trick that is simple to learn and works every time!

We are going to use lines to calculate 21 X 32

First we look at the left part of the sum, 21.

The first digit, 2 needs to be represented in line format. How? Well we draw two lines diagonally, like so:


If it was 31 then there would have been three lines.


Ok, so now we need to draw a line for the 1 of 21:


So now we have the 21 part of the sum sorted out.

Next we concentrate on the 32 part of the sum.
Not surprisingly we need to draw lines in the opposite direction to the way 21 was drawn.

Let's look at the 3 of 31:


And finally we add the lines for the 2 of 32:


Right, so we have all the work done that is necessary to calculate the answer to 21 X 32. But how do we know what to do next? Easy. Break the diagram above into three sections, the first section is the left part of the diagram, the 2nd section is the top and bottom intersection and the third is the right intersection. The diagram below should clarify this for you:


Looking at part one circled above, you can see 6 red dots. These dots are there when one line crosses over another one. You can see that there are 6 red dots, this makes up the first part of the answer.

Looking at section 2 there are four red dots at the top section and three red dots at the bottom section. Add them together totalling 7. This makes up the second part of our answer.

Finally, part three. There are two red dots cutting the intersection. The third part of the answer is two.

Putting all these answers together to get 672.

So our answer 21 X 32 = 672


So how did you find it?

This method will also work for larger numbers too. Try 123 X 321 and see how you fair.

So what about when the sum gets bigger? How do we tackle it?
Well let's take an example of 42 X 37, and having drawn in all the lines we should have an image something like this:
Looking at part one on the left, how many red dots are there?
I count 12.

Part two, how many red lines do you see? I count 34 (don't worry, this won't make it any more difficult).

And finally, part three. How many red dots? 14.

so, put the numbers together, in order and you get 12, 34, 14
But, this isn't the answer yet. We need to have only single digits in each part and to do this you add the tens part to the left hand side. The tens part, for example would be the three of 34 or the 1 of 14.

So to make these numbers be on their own its easier to work from the right to left.
Move the 1 of the 14 to the left, adding the 1 to 34 giving 35. In this movement we have just got our last digit in the answer, 4.
So now our sum looks like this:
12, 35, 4
Next, move the three of 35 across to the left, and adding it to the 12, giving:

15, 5, 4

And finally, notice that we cannot add the 1 of 15 to anything on the left hand side, so we know we have reached the end of the calculation. All we need to do now is remove the commas and we have our answer.

So 42 X 37 = 1554
And that's how you multiply numbers using lines!
So, are you still interested in Vedic Maths? Learn how to do sums like the one above quickly and easily. Your child may benefit from these skills as well as yourself.

 See Video here

Sunday, August 26, 2012

અણગમો ઑફિસનો – ડૉ. પ્રજ્ઞા પૈ


[‘જનકલ્યાણ’ ફેબ્રુઆરી-2011માંથી સાભાર.]

‘ઓહ નો, આજે સોમવાર. ફરી પાછું ઓફિસે જવાનું. એ જ ખટપટ, એ જ વાતાવરણ, એટલો કંટાળો આવે છે, એલાર્મની ઘંટડી બંધ કરી પાંચેક મિનિટ પછી ઊઠી જ જવું છે, નહીંતર પાછું જવાનું મોડું થશે…’ એવું વિચારી ઝંખના પથારીમાં આડી પડી.

શુક્રવારની સાંજ પડે ત્યારે અથવા કોઈ વાર સવારે જ ‘થેંક ગોડ, હવે શનિ-રવિ બે દિવસ નિરાંત. ઑફિસ જવાની કડાકૂટ નહીં.’ એવું ઘણા અનુભવે છે. જેમ કેટલાંક બાળકો શાળાએ જવું પડશે એ વિચારથી સોમવારે સવારે ગમગીન થઈ જાય છે તેવું કેટલાંક નોકરિયાત વર્ગ પણ અનુભવે છે. ‘શું થાય ? જવું જ પડશે. બીજો કોઈ ઉપાય નથી. કોઈ વાર થાય છે કે રાજીનામું આપી દેવું જોઈએ. પણ એવું ગાંડપણ કરાય ? નવી નોકરી કંઈ મારી રાહ જોઈને નથી બેઠી…..’ પોતાની મરજી અને મહત્વકાંક્ષા પ્રમાણે મળેલી નોકરી, સારી સંસ્થા, સારો પગાર, બીજી સુવિધાઓ વગેરે હોવા છતાં ઘણી વ્યક્તિઓને પોતાનો વ્યવસાય, નોકરી, કારકિર્દી એક બોજા જેવાં લાગે છે. સાંજે ઘેર જવાનો સમય થાય એટલે મન થોડી હળવાશ અનુભવવા માંડે, હાશ, આજનો દિવસ તો પૂરો થયો – જેવો વિચાર આવે તે પણ સામાન્ય છે. જોકે અમુક લોકો, ખાસ કરીને સ્ત્રીઓને ઘેર જવાના આનંદ સાથે ‘ચાલો, હવે ફરી પાછું રસોઈ, ખરીદી અને બાળકોના હોમવર્કમાં જોતરાવું પડશે, કેવી જિંદગી છે ?’ એવો વિચાર પણ ઝબકી જાય છે. છતાં સાધારણ રીતે ઓફિસ એટલે જ્યાં મન તાણ અનુભવે એવું સ્થળ અને ઘર એટલે મન શાતા અનુભવે તેવું સ્થળ – એવો મોટા ભાગની વ્યક્તિનો અનુભવ છે.


લગભગ બધી જ સંસ્થાઓ એકમેક સાથે સ્પર્ધા કરવા માંડી છે. ઉત્તમ કક્ષાની કામગીરી બજાવ્યા પછી સારો એવો નફો અને નામના મેળવવા છતાં બીજી કંપનીઓ કરતાં આગળ વધી જવાના-મુઠ્ઠી ઊંચેરા બનવાની હાયવોયને લીધે ઉત્કૃષ્ટ કામગીરીનો આનંદ અને સંતોષ અનુભવવાને બદલે તાણ નિર્માણ થાય છે. આવી સ્પર્ધા માત્ર બે કંપની વચ્ચે, બે સંસ્થા વચ્ચે કે બે ઑફિસ વચ્ચે જ હોય તેવું નથી. એક જ સંસ્થાની બે શાખા વચ્ચે, એક જ ઑફિસના જુદાજુદા વિભાગો વચ્ચે અને કેટલીક વાર એક જ વિભાગમાં – એક જ ટીમમાં, જૂથમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે પણ હરીફાઈ ચાલતી હોય છે. અમુક અંશે રચનાત્મક સ્પર્ધા-હેલ્ધી કોમ્પિટિશન ફાયદો કરે છે તેની ના નહીં, પરંતુ સામાન્ય રીતે બીજા આગળ વધી જશે, હું પાછળ રહી જઈશ, મારું પ્રમોશન નહીં થાય, ગમે તેમ કરીને મારે આગળ નીકળી જવું છે – વગેરે વિચાર સહકાર- કૉ-ઑપરેશનનું સ્થાન સ્પર્ધા કે પ્રચ્છન્ન સંઘર્ષ – કોમ્પિટિશન અને કોન્ફિલીક્ટ લઈ લે છે. બીજાની ઈર્ષા, તેમને ઉતારી પાડવાની વૃત્તિ કે તેમનો વિકાસ અવરોધવાનું વલણ જોર પકડવા માંડે છે. છેતરપિંડી અને કનડગતને પણ હથિયાર બનાવવામાં આવે છે. આવા નકારાત્મક વિચારો અંગ્રેજી શબ્દોમાં કહીએ તો ‘કોમ્પિટિશન’, ‘કોન્ફિલીક્ટ’ (સંઘર્ષ), ‘કનિંગનેસ’ (લુચ્ચાઈ) અને ‘ક્રુઅલીટ’ (ક્રૂરતા)નું મિશ્રણ હોય છે.

આવાં નકારાત્મક સ્પંદનોથી ખદબદતું, ડહોળાયેલું વાતાવરણ માનસિક તાણ નિર્માણ ન કરે તો જ આશ્ચર્ય થાય. પોતે કરેલી મહેનતની બીજાને કદર નથી, આટલું સારું પ્રેઝન્ટેશન કર્યું છતાં બોસ વખાણનો એક શબ્દ બોલ્યા ? આ પ્રોજેક્ટ કરવાનો મારો આઈડિયા હતો, પણ એનો બધો યશ આજકાલનો નવો આવેલો ઓફિસર ખાટી ગયો, કારણ કે એ મિનિસ્ટરની લાગવગથી આવ્યો છે. મારે શું ? આપણાથી થાય એટલું કામ કરવું. બોડી બામણીના ખેતર જેવો કારભાર હોય તો કંપની ખાડે જ જાય ને ? બોસ એ જ લાગનો છે.

જે સ્થળે આપણે દિવસનો મોટા ભાગનો સમય ગાળતા હોઈએ તે સ્થળ આપણને પારકું લાગે, અણગમતું લાગે અને ત્રાસદાયક લાગે તો તેની માઠી અસર મન પર પડે છે, કર્તવ્ય પર પડે છે. એટલું જ નહીં, એનો ભંગાર આપણે ઘેર લઈ જઈને ઘરનું વાતાવરણ પણ અમુક અંશે કલુષિત કરીએ છીએ. આ જાતની પરિસ્થિતિમાં વ્યક્તિએ શું કરવું જોઈએ ? બોસ નિવૃત્ત થાય, બીજા ખટપટી સહકાર્યકર્તા નોકરી છોડીને જતા રહે અથવા કોઈ સમસ્યા નિર્માણ થવાને લીધે તેમને લાંબી રજા પર ઊતરી જવું પડે, ઓફિસનું વાતાવરણ સુધરે… વગેરે  અપેક્ષા રાખવાને બદલે જો વ્યક્તિ પોતાની વૃત્તિ, વિચારો અને વર્તનનું નિયંત્રણ કરે તો જ સુધારો શક્ય છે.

સાસરે ગયેલી પુત્રી જો સાસરાને પોતાનું ઘર માની લે તો જ એનું મન ત્યાં બેસશે. એ જ હિસાબે સંસ્થા-ઓફિસ સાથે લગાવ કેળવવો – સેન્સ ઑફ બીલોન્ગિન્ગ આવશ્યક છે. મારી ઑફિસ માટે હું બધું જ કરી છૂટવા તૈયાર છું એ પ્રથમ સંકલ્પ. બીજાને પોતાના હરીફ કે દુશ્મન તરીકે જોવાને બદલે સહકાર્યકરો અને એથીયે બહેતર શુભેચ્છકો ગણી તેમની પ્રત્યે હૂંફાળું વર્તન રાખવાથી સમય જતાં ત્યાંથી પણ પ્રેમાળ વર્તન મળશે. આપણે મન દઈને જે કાર્ય કરીએ છીએ તે આપણા સંતોષ માટે કરીએ છીએ, બીજાને રાજી રાખવા નહીં. તેથી પ્રશંસા કે ઉત્તેજનના શબ્દો સાંભળવા ન મળે તો ‘ઈટ ઈઝ ઑ.કે.’ માની લેવું. બાહ્ય પરિસ્થિતિ આપણા મન પર કાબૂ જમાવી દે તેને બદલે આપણી પોતાની સ્થિતિ બાહ્ય પરિસ્થિતિનું પરિવર્તન કરે એવા પ્રયાસો જ સફળ થશે.

Saturday, August 25, 2012

Amazing Hula Hoop Performer - Irina Akimova

Irina Akimova is an amazing hula hoop performer from Russia who has performed all over the world, including at 'Cirque Du Soleil'.  
Irina Akimova Live on the Swiss TV show "Benissimo".   Irina Akimova was born and raised in very small town near Saratov, Russia. At the age of 10, she attended the local school of art where she learned the art of hula-hoop and immediately was captured by the "fun, philosophy and challenge of it". After appearing and winning the world famous Circus festival “Silver Rain”, producers from around the world noticed her. After travelling the world performing on many prestigious stages in Japan, Russia, U.S.A, Germany, Mexico, Canada and Monaco, she is now performing at the Cirque Du Soleil show “Delirium”.  

Friday, August 24, 2012

નિરાંતની વાત – જસ્મિન રૂપાણી

વારે ઓફીસ જવા નીકળ્યો એટલે રોજિંદા ક્રમ પ્રમાણે ટેક્સી માટે ઘર ના નાકા પર પહોચ્યો. રોજની જેમ આજે ત્યાં ટેક્સી ની હારમાળા ન હતી. ફક્ત એક જ ખખડધજ ટેક્સી ઉભી હતી. ટેક્સીમાં બેસતાની સાથે પસ્તાવો થયો. જર્જરિત ફાટેલી સીટ, છતનાં કુશનમાં કાણા અને ડેશબોર્ડમાંથી છુટ્ટા વાયર્સ લટકી રહ્યા હતા. ટેક્સીનો ડ્રાઈવર પણ ટેક્સી જેટલો જ ખખડધજ હતો. તેણે ડેશબોર્ડ માંથી લટકતા બે વાયર્સ એક બીજાને અડકાડીને ટેક્સી ચાલુ કરી અને ધીમેથી ટેક્સી હંકારવા માંડી.

બળદગાડાની જેમ ચાલતી ટેક્સીમાં બેઠો હું વિચારતો હતો કે માર્યા ઠાર, આજે ઓફીસ પહોચવામાં ખાસ્સું એવું મોડું થવાનું છે ત્યાં ડ્રાઈવરે બબડવાનું શરુ કર્યું. પહેલા તો મેં કશું ધ્યાન આપ્યું નહિ પણ થોડા સમય બાદ સમજાયું કે તે મારી સાથે વાત કરી રહ્યો છે. હું શિષ્ટાચાર ખાતર હોંકારો આપતો રહ્યો પણ મારું ધ્યાન તેની વાતો પર ન હતું મારા મગજમાં આખા દિવસમાં કયા કામ કરવાના છે તેની યાદી બની રહી હતી.

અચાનક ‘હું અઠ્યાસી વરસનો થયો’ તેવું સંભળાયું અને મારા કાન સરવા થઇ ગયા. મેં ખાતરી કરવા હિન્દીમાં પૂછ્યું, ‘શું કહ્યું ? તમારી ઉમર અઠ્યાસી વરસની છે ?’ તેણે સહજતાથી હા પડી. તત્કાળ મારી નજર તેના હાથ પર પડી. ટેક્સી ચલાવતા તેના હાથ ધ્રુજતા ન હતા એટલે મારો શ્વાસ હેઠો પડ્યો. મેં હવે તેને પહેલી વાર ધ્યાનથી જોયો. અઠ્યાસી વરસની ઉમર હોય તે વાત મને અતિશયોક્તિ ભરી લાગી. તેણે ચશ્માં નહોતા પહેર્યા, બધા દાંત પણ સલામત હતા અને મોટા ભાગનાં વાળ પણ કાળા હતા, પણ તે ખરેખર ખુબ જ વૃદ્ધ લાગતો હતો.


મેં સહાનુભૂતિ દર્શાવતા કહ્યું ‘અઠ્યાસી વરસ ની ઉમરે પણ કામ કરવું પડે છે તે દુઃખની વાત કહેવાય. તો કહે ‘સાહેબ આ ઉંમરે કામ કરી શકું છું તે તો ઈશ્વરની કૃપા કહેવાય. કામ કરી રહ્યો છું એટલે જ શરીર ચાલી રહ્યું છે. જે દિવસે નિષ્ક્રિય થઈ જઈશ તે દિવસે શરીર જવાબ દઈ દેશે, પણ વધારે ઉંમરને કારણે બીજા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લાયસેન્સ રિન્યુ કરાવવા જાઉં છું તો મારી ઉંમર જોઇને ચોખ્ખી ના પાડી દે છે. હું તેમને કહું કે તમે ઈચ્છો તો મારા ડ્રાઇવિંગની ફરી પરીક્ષા લઇ લો. મારી આંખોમાં હજી ભરપુર તેજ છે, ચશ્માં પણ નથી આવ્યા. મેં પહેલીવાર લાયસેન્સ માટે ડ્રાઇવિંગની પરીક્ષા આપી ત્યારે પરીક્ષા લેનાર અંગ્રેજ ઓફિસર હતો. તે સમયે નિયમ બહુ કડક હતાં. પહેલા ડાબી આંખને બંધ કરી ગાડી ચલાવવાનું કહેતા અને ત્યારબાદ જમણી આંખ બંધ કરી ને. આવી પરીક્ષા પાસ કરી હોય પછી લાયસેન્સ રિન્યુ કેમ ન થાય. આમ બહુ મનાવવા બાદ લાયસેન્સ રિન્યુ કરી દે છે.

રસ્તામાં ભૂલ ભલે બીજા વાહન ચાલકની હોય પોલીસ વાંક હમેશા મારો જ ગણે છે. કહેશે બુઢ્ઢાનો જ વાંક હશે. તમે જ કહો સાહેબ હું અત્યારે ગાડી ચલાવી રહ્યો છું, તમને જરાય એવું લાગે છે કે હું બરાબર ચલાવી શકતો નથી ?’ મારી નજર ફરી કુશળતા પૂર્વક ટેક્સી ચલાવી રહેલા તેના સ્થિર હાથ પર ગઈ : ‘ના. તમે બહુ જ સરસ રીતે ગાડી ચલાવી રહ્યા છો…’ મેં પ્રમાણિકતાપૂર્વક જવાબ આપ્યો.

વાત ચાલી રહી હતી ત્યાં એક લાલ રંગની નવી નક્કોર ગાડીએ અમારી ટેક્સીને ડાબી બાજુથી ઓવેરટેક કરી. ‘જુઓ સાહેબ, કોણ બેદરકારીથી ગાડી ચલાવી રહ્યું છે ? આ જુવાનીયો કે અઠ્યાસી વરસનો આ વૃદ્ધ ? આ લોકો આખી જિંદગી ઉતાવળમાં જ જીવે છે. જીવનની દરેક ક્ષણોને ઉતાવળમાં જ વેડફી નાખે છે. હું હંમેશા નિરાંતે ગાડી ચાલવું છું. જિંદગીની કોઈ પણ બાબતમાં મેં ક્યારેય ઉતાવળ કરી નથી.

ટેક્સીમાંથી ઊતરી ને હું વિચારી રહ્યો કે આપણે આખું જીવન ઉતાવળમાં જ જીવી નાખીએ છીએ એટલે જ કદાચ બીમારી અને મૃત્યુ પણ ઉતાવળથી આવે છે. જે નિરાંતે જીવન જીવે છે તેના માટે સમય પણ નિરાંતે રાહ જુએ છે

Thursday, August 23, 2012

The (Secret) City of London Explained

Did you know that The City of London is not the same as the city in England we know as London.
C.G.P. Grey explains how ‘The City Of London' is actually a separate entity that resides in the city of ‘London’.

Wednesday, August 22, 2012

જો ભગવાન-ડૉ. આઈ. કે. વિજળીવાળા

જો ભગવાનના ઘરમાં રેફ્રિજરેટર હોત તો ચોક્કસ એની ઉપર એ આપણા ફોટાવાળી ફ્રેમ રાખત !
જો ભગવાન પાકીટ રાખતો હોત તો ખાતરીપૂર્વક કહું છું કે એમાં આપણો નાનકડો ફોટો એ જરૂર રાખત !

દરેક વસંતઋતુએ એ આપણને હજારો ફૂલોનો ગુલદસ્તો શું કામ મોકલે છે ?

રોજ સવારે એ સૂરજને મોકલીને રાતનો અંધકાર શું કામ દૂર કરે છે ?
અમૃતધારા જેવી વર્ષાને દર વરસે એ ધરતી પર શું કામ મોકલે છે ?
જ્યારે જ્યારે આપણે સાચા દિલથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ સાંભળે જ છે. શું કામ ?
અને એણે બનાવેલા આટલા મોટા વિશ્વમાં એ ગમે ત્યાં રહી શક્યો હોત પણ રહેવાની જગ્યા તરીકે એણે આપણું હૃદય જ શું કામ પસંદ કર્યું ? શું કામ ?!

અરે, એટલા માટે કે એ આપણો દીવાનો છે. આપણી પાછળ પાગલ છે. આપણી સાથે તાલ મિલાવવા માટે એ અધીરો છે.

અને આમેય ભગવાને આપણને બનાવ્યા ત્યારે એવું વચન તો નહોતું જ આપ્યું કે
આપણને દુ:ખ વગરના દિવસો જ આપશે !
એવું તો નહોતું કહ્યું કે
હાસ્ય આપશે પણ ઉદાસી નહીં આપે
કે
રાત વગરના જ દિવસો આપશે.

પણ એવું વચન જરૂર આપ્યું હતું કે
જો દુ:ખ આપશે તો એ સહન કરવાની શક્તિ તેમજ હિંમત આપશે,
જો ઉદાસીનતા આપશે તો ખુશી પણ આપશે જ,
નિરાશાનાં આંસુ આપશે તો આશાનું સ્મિત પણ જોડે આપશે.
અને
અંધકારભરી રાત્રિ આપશે તો તારા, ચંદ્ર અને નહીં તો દીવડાનો પ્રકાશ જરૂરથી આપશે જ આપશે !

(મૂળ શીર્ષક : If God had a refrigerator)

Tuesday, August 21, 2012

181-Way Women's World Record Skydive

The new women's world record 181-way formation skydive, with women from 31 countries participating. 





This video was shot by Willie Boeykens on Saturday, September 26 2009, at Perris Valley Skydiving in California.  

Monday, August 20, 2012

વાસ્તુશાસ્ત્ર: વીજ્ઞાન કે અજ્ઞાન ? –વલ્લભભાઈ ઈટાલીયા

વાસ્તુશાસ્ત્ર એ છેલ્લા બે દાયકામાં અને ખાસ કરીને શહેરોમાં ઝડપથી ફેલાઈ રહેલું સામાજીક દુષણ છે. જ્યોતીષ, વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ જેવા કહેવાતા શાસ્ત્રો ભોળા, લાચાર અને નબળાં મનવાળા લોકોને અવળે માર્ગે દોરે છે. સમસ્યાગ્રસ્ત, ગરજવાન અને અંધશ્રદ્ધાળુ માણસનું મગજ ભાગ્યે જ ઠેકાણે હોય અને તેનો ગેરલાભ ઉઠાવવામાં ધતીંગશાસ્ત્રીઓ નીષ્ણાત હોય છે ! લોકો પણ છેતરાવા માટે હંમેશાં ખડેપગે રહેતા હોય ત્યાં, લેભાગુઓને પોતાનો છેતરપીંડીનો વ્યવસાય વીકસાવવામાં ખાસ કશી તકલીફ નથી પડતી !

 

વાસ્તુશાસ્ત્રના નીષ્ણાતો આપણી આફતો, મુશ્કેલીઓ અને ઉપાધીઓ દુર કરવા માટે મકાનોમાં તોડફોડ અને ફેરફારો કરાવે છે. તેનાથી લાભ તો કશો થતો નથી, ઉપરથી વધારાની એક આર્થીક આફત આવી પડે છે ! વાસ્તુશાસ્ત્ર મુળે તો સ્થાપત્યશાસ્ત્ર છે. એમાં રહેલી શીલ્પકલા સામે કોઈને કશો વાંધો ન હોઈ શકે; પરંતુ કેટલાક લેભાગુ વાસ્તુશાસ્ત્રીઓ પોતાનું પેટ ભરવા ભોળા-અજ્ઞાની લોકોને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવાનો ધંધો કરે છે. વાસ્તુશાસ્ત્ર માણસને નીષ્ક્રીય, પુરુષાર્થહીન અને આળસુ બનવામાં મદદ કરે છે ! અને વળી, આપણી નીર્ણયશક્તી, આત્મવીશ્વાસ અને બુદ્ધીપ્રતીભાને પાંગળી બનાવવા બદલ આપણી પાસેથી ફી પણ વસુલે !

 

વાસ્તુશાસ્ત્રનો મુખ્ય આધાર જ દીશાઓ છે. દીશાઓ તો કલ્પીત અને સ્થળસાપેક્ષ છે. બ્રહ્માંડમાં કોઈ દીશા જ નથી. પૃથ્વી ગોળ છે, એટલે ક્ષીતીજ પણ ગોળ જ છે. માત્ર સુર્યોદય અને સુર્યાસ્તને કારણે જ માણસને દીશાની કલ્પના આવી. માણસે ચાર દીશા કલ્પી,  એટલે ચાર ખુણા પણ થયા. વીજળીની શોધ પહેલાં માનવીને રાત ભયાનક લાગતી; સુર્યોદય સારો લાગતો. માટે માણસે પુર્વ દીશાને શુભ કલ્પી હશે. દક્ષીણમાં દ્રવીડો-અનાર્યો વસતા એટલે દક્ષીણ દીશા યમની-અશુભ કલ્પવામાં આવી.

 

શુભ-અશુભ ‘ઉર્જા’, કીરણો અને ‘વાયબ્રેશન્સ’ અંગેની વાસ્તુશાસ્ત્રીઓની વાતો પણ અવૈજ્ઞાનીક છે. માણસના ધનદોલત, કૌટુંબીક કે સ્વાસ્થ્ય જેવા પ્રશ્નોમાં ‘ઉર્જા’ શું કરે ? આરોગ્ય માટે ખાસ હાનીકર કે  લાભકારક એવાં કોઈ કીરણો કે ઉર્જા હજી શોધ્યાં જ નથી. અલ્ટ્રાવાયોલેટ જેવાં કીરણો પૃથ્વી સુધી પહોંચતા નથી અને ચુંબકીય ઉર્જા સાથે તો પ્રાણીદેહનું અનુકુલન સધાયેલું જ છે. ‘ગુઢ ઉર્જા’ની વાસ્તુશાસ્ત્રની કલ્પના સાવ બોગસ છે. વીજ્ઞાને પૃથ્વી સાથે સમ્બન્ધ ધરાવતી તમામ ઉર્જાઓ શોધી કાઢી છે. ઉપરાંત વીજ્ઞાને અવકાશ પણ ફંફોસ્યું છે; ક્યાંય કોઈ ગુઢ  ઉર્જાઓ વૈજ્ઞાનીકોને દેખાઈ નથી, એ વાસ્તુશાસ્ત્રીઓને કેવી રીતે દેખાઈ ?

 

માણસના સારા-ખરાબની વ્યાખ્યા સાથે કુદરત (પ્રકૃતી)ને કશી લેવાદેવા જ કેવી રીતે હોય ? સંડાસ ખરાબ અને પુજાનો ઓરડો સારો એ બધું તો માણસની લાગણી, ગમા-અણગમાનું જ વીભાગીકરણ છે. ઉર્જા જેવી કુદરતી શક્તી શું સંડાસ પર થઈને  આવે, એટલે અશુભ થઈ જાય ? અને આજકાલ તો સારા ઘરનાં સંડાસ પુજાના ઓરડા જેટલાં જ ચોખ્ખાં હોઈ શકે છે !

 

દરવાજો ફક્ત આવ–જાનો માર્ગ છે, એની ઘરના સભ્યો પર શુભ-અશુભ અસરો કેવી રીતે થાય  ? અને સુર્યકીરણો ફક્ત દરવાજામાંથી જ ઘરમાં પ્રવેશે એવું કોણે કહ્યું ? હવે તો મકાનની ચારે દીશાએ કાચની બારીઓ હોય છે, ત્યારે મુખ્ય દરવાજાની વીશેષતા જ ક્યાં રહી ?

 

વાસ્તુશાસ્ત્રનો મુળ આધાર દીશાઓ  ઉપરાંત ગ્રહો પર પણ છે. વાસ્તવમાં ગ્રહોની કોઈ અસર માણસજાત પર પડતી જ નથી, એમ વીજ્ઞાને સીદ્ધ કર્યુ છે. માત્ર ભારતના જ નહીં; પરન્તુ વીશ્વના અગ્રગણ્ય ખગોળશાસ્ત્રીઓમાં જેમની ગણના થાય છે, એવા નહેરુ પ્લેનેટોરીયમના ડીરેક્ટર ડૉ. જે. જે. રાવલે લખ્યું છે:જ્યોતીષ, વાસ્તુશાસ્ત્ર કે ફેંગશુઈ એ કોઈ વીજ્ઞાન નથી, પણ સમાજને ગેરમાર્ગે દોરતા લુંટારાઓએ ઉપજાવી કાઢેલું ફરેબી વીજ્ઞાન (સ્યુડો-સાયન્સ) છે.’ જે પ્રજાને ‘વીજ્ઞાન’ કરતાં ‘વાસ્તુ’માં વધારે શ્રદ્ધા હોય એ પ્રજાને પીડાવાનો હક છે ! ‘ખગોળશાસ્ત્રી’ કરતાં ‘વાસ્તુશાસ્ત્રી’ પર વધારે શ્રદ્ધા એટલે જ ‘અંધશ્રદ્ધા’ !

 

વાસ્તુશાસ્ત્રના કહ્યા મુજબ, પતી-પત્નીને સંતાનપ્રાપ્તી ન થતી હોય તો તેનું કારણ ઘરમાં બેડરુમ અયોગ્ય દીશામાં હોઈ શકે અથવા શયનખંડમાં દંપતી અયોગ્ય દીશામાં માથું અને પગ રાખીને સુતાં હોઈ શકે !  છે ને તંદુરસ્ત ડૉક્ટરને પણ ચક્કર આવી જાય એવી વાત ?

 

મુંબઈના અમારા વીદ્વાન મીત્ર શ્રી લક્ષ્મીદાસભાઈ ખટાઉએ સુંદર પુસ્તક લખ્યું છે, ‘વાસ્તુશાસ્ત્ર કે ફાલતુશાસ્ત્ર ?’ તેઓ લખે છે: ‘પતી-પત્ની કઈ દીશામાં માથું રાખીને શયન કરે છે, તેને ગર્ભધારણ સાથે સમ્બન્ધ હોય તો એ જગતની અદ્ ભુત શોધ ગણાય ! વીશ્વમાં વસ્તીનીયંત્રણ માટે વાપરવા પડતાં નીરોધ, પીલ્સ કે પરેશનોના ખર્ચા જ બંધ થઈ જાય ! આ શોધ સાચી નીકળે તો વાસ્તુશાસ્ત્રીને નોબલ પ્રાઈઝ આપવું જોઈએ !’ વાસ્તુશાસ્ત્રીઓ આપ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ !

  

વાસ્તુશાસ્ત્રની કેટલીક માન્યતાઓ સ્વીકારવા માટે આપણે મગજને ગીરવે મુકવું પડે એમ છે: 

- બેડરુમ અગ્નીખુણે હોય તો પતી-પત્ની વચ્ચે ઝગડા થાય ! 

- ઘરનું પ્રવેશદ્વાર પશ્વીમ-નૈર્ઋત્ય હોય તો મનની શાંતી ન મળે !          અકસ્માતનો સંભવ !

- સામુદાયીક કુવો ઘરથી પશ્વીમ દીશાએ હોય તો દોષ, તે ઈશાન કે ઉત્તરમાં જ હોવો જોઈએ ! (આમ હોય તો કુવાની એક જ બાજુએ વસાહત વીકસે !)

- તમારા ઘરના દરવાજા પર તમારા નામની તકતી નહી હોય તો ‘ઉર્જા’ તમારા ઘરમાં પ્રવેશ નહી કરે ! (ગામડાઓમાં તો કોઈના ઘર બહાર તક્તી નથી હોતી. શું ગામડામાં કોઈ સુખી જ નથી ?)

- એક નીષ્ણાત વાસ્તુશાસ્ત્રીએ નોંધ્યું છે કે, ‘ભારતનું સંસદભવન વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ બંધાયું નથી એટલે દેશમાં વારંવાર આટલી બધી વીકટ સમસ્યાઓ સર્જાય છે ! (છે ને ગાંધીબાપુના હાથમાંથી પણ લાકડી હેઠી પડી જાય એવી વાત !)

- ઘરની મધ્યમાં કુવો બાંધવામાં આવે, તો તે ઘરની તમામ સંપત્તીનો વીનાશ થાય છે ! (પણ કુવો તેલનો હોય તો ? !)

- તમારા ઘરમાં ચોક્કસ જગ્યાએ માછલીઘર હોય તો એ વધારે શુભ ગણાય. માછલીઘર પોસાય તેમ ન હોય તો પાણીમાં તરતી માછલીનું ચીત્ર ભીંત પર ટીંગાડવાથી પણ ચાલે ! (આ તો સંતાનો ન હોય તો બાળકોના ફોટાથી ચલાવી લેવા જેવી વાત થઈને !)

મીત્રો, આવા અસંખ્ય નોન્સેન્સ નીયમોથી સમૃદ્ધ છે- વાસ્તુશાસ્ત્ર ! તમે તમારી કોઈ પણ સમસ્યા માટે જ્યોતીષીને મળશો એટલે તમારા ગ્રહોની નડતર કાઢશે; કોઈ તાંત્રીકને મળશો તો મેલી વીદ્યાનું નડતર કાઢશે અને કોઈ વાસ્તુશાસ્ત્રીને મળશો તો મકાન કે તેની અંદરની ચીજ-વસ્તુઓના સ્થાનનું નડતર કાઢશે ! વાસ્તુશાસ્ત્રીની બુદ્ધીમત્તા એટલી તો પ્રગાઢ કે રેલ, અકસ્માત, વીમાન દુર્ઘટના કે સ્પેસશટલ તુટે ત્યારે પણ વાસ્તુની ખામી પકડી પાડે !

વાસ્તુશાસ્ત્રી માત્ર સમસ્યાઓનું કારણ જ ન પકડે; સચોટ ઉપાય પણ બતાવે ! વાસ્તુદોષ નીવારવા માટે પીરામીડ, લાફીંગ બુદ્ધ, ક્રીસ્ટલ અને સ્વસ્તીક જેવાં સાધનો વેચે  ! આ સાધનો ઘરમાં ઘટતી ‘ગુઢ ઉર્જા’ પેદા કરે અને માણસની મુશ્કેલીઓ ટાળે !

હમણાં હમણાં હીરાઉદ્યોગમાં વેપારીઓનાં ‘ઉઠમણાં’ વધી રહ્યાં છે. નથી લાગતું કે, વેપારીઓએ ‘ઉઠતાં’ પહેલાં વાસ્તુશાસ્ત્રીને મળી તીજોરી યોગ્ય ખુણામાં જ મુકાવી દેવી જોઈએ કે જેથી, ધનલાભ થવા માંડે અને ઉઠમણાં ટળે ! મીત્રો, વાસ્તુશાસ્ત્રની મદદથી આપણી સંપત્તીમાં વધારો થતો હોત તો આજે દુનીયાનો સૌથી વધુ ધનવાન માણસ બીલ ગેટ્સ નહી; કોઈ વાસ્તુશાસ્ત્રી જ હોત ! બીલ ગેટ્સ પાસે 500 કરોડ રુપીયાનું રહેવાનું મકાન છે ! છે કોઈ વાસ્તુશાસ્ત્રી પાસે પાંચ કરોડનું પણ ? માણસની સમૃદ્ધીનો આધાર તેની તીજોરી કઈ દીશામાં છે તેના પર નહી; તેનો ધંધો કઈ ‘દશા’માં છે, તેના પર નીર્ભર હોય છે !

અમુક દીશામાં મોઢું રાખીને બેસવાથી સુખ-સંપત્તી વધી જાય, ચીંતામુક્ત થઈ જવાય કે રોગમુક્ત થઈ જવાય એવા ગપગોળા સાચા લાગવા માંડે ત્યારે સમજવું, આદીમાનવ પણ આપણા જેટલો જ બુદ્ધીવાન હતો ! પાણીનું માટલું, ચુલો કે મકાનનો દરવાજો કઈ દીશામાં છે, એની સાથે માણસનાં સુખ-શાંતી, સમૃદ્ધી અને આરોગ્યને શો સમ્બન્ધ હોઈ શકે, એ તો વાસ્તુશસ્ત્રી જ જાણે ! ઘરમાં સંડાસ કઈ દીશામાં છે અને આપણે કઈ દીશામાં મોઢું રાખીને બેસીએ છીએ એની સાથે માણસના આરોગ્યને કોઈ સમ્બન્ધ હોઈ શકે ખરો ? કબજીયાત થાય ત્યારે કોઈ ડૉક્ટરે કદી કોઈ દરદીને પુછ્યું છે ખરું કે તમે કયા મોઢે (સંડાસમાં) બેસો છો ?

ધરતીકંપ, પુર, હોનારત કે વાવાઝોડાં જેવી કુદરતી આફતો વાસ્તુશાસ્ત્રીઓના પોતાના ઘરને પણ છોડતી નથી. પુર આવે ત્યારે નીચાણવાળા તમામ વીસ્તારમાં એક સરખું પાણી ભરાય એ પ્રકૃતીનો નીયમ છે. વાસ્તુશાસ્ત્રીના ઘરના દરવાજા બહાર નેઈમ પ્લેટ વાંચીને પાણી દરવાજે અટકી જાય ખરું ? પ્રકૃતીને આવા અપવાદમાં રસ નથી હોતો.

વાસ્તુશાસ્ત્રથી થતા ફાયદાઓ એ માત્ર કાલ્પનીક વાર્તા છે; કહેવાતા અનુભવો એ માત્ર ભ્રમણા છે અને થતા ફાયદાની સાંભળેલી વાતો એ માત્ર ધંધાની જાહેરાત માટેની માયાજાળ જેવું ષડ્યંત્ર છે ! બે સત્ય અને  મુળભુત નક્કર વાસ્તવીકતાઓ નોંધી રાખવા જેવી છે:

(1) આપણું ભાવી પહેલેથી જ નીર્ધારીત થયેલું હોતું નથી. આપણા સાચી દીશાના પુરુષાર્થ પર આપણું ભાવી નીર્ભર છે.

(2) કોઈ જ્યોતીષશાસ્ત્રી કે વાસ્તુશાસ્ત્રી વીધી કે મંત્ર-તંત્ર દ્વારા આપણને  સુખ, સમૃદ્ધી કે આરોગ્ય પ્રદાન કરી શકે જ નહી.

માણસ પોતાની મુશ્કેલીમાં ગ્રહદોષ કે વાસ્તુદોષ શોધવાને બદલે ‘સ્વદોષ’ શોધતો થાય તો તેને મુશ્કેલીનો ઉપાય ઝટ મળે. સત્ય અને જ્ઞાન એવાં તત્ત્વબીજો છે જે આજે નહીં તો આવતીકાલે, દાયકાઓ-સદીઓ પછી પણ સ્વીકાર્યા વગર કોઈનો છુટકો નથી. આપણા બંધારણમાં પ્રજાજનોએ ‘વૈજ્ઞાનીક અભીગમ કેળવવો’ એવી ભલામણ કરવામાં આવી છે. માણસની ‘વીચારયાત્રા’ની દીશા, ‘વીજ્ઞાનયાત્રા’થી વીરુદ્ધની દીશામાં ફંટાય ત્યારે સર્જાય છે.. ‘વીનાશયાત્રા’ !

પ્રસાદ



‘‘જીવનશાસ્ત્રમાં નીપુણ હોય એવા માણસો વાસ્તુશાસ્ત્ર વીના પણ પોતાના ઘરમાં સુખનો ટાપુ સર્જી શકે છે. માણસની બુદ્ધીનાં બારણાં ખુલ્લાં હોય તો ઘરના બારણાં ગમે તે દીશામાં ખુલતાં હોય, કશો ફરક પડતો નથી !”

- પ્રસાદ - લેખક, વીચારક મીત્ર શ્રી દીનેશભાઈ પાંચાલના સૌજન્યથી

 -શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા

ગોવીન્દ મારુ ના બ્લોગ ઉપરથી સાભાર 


Sunday, August 19, 2012

Quick And Simple Life Hacks

 A list of awesome and easy tips and tricks that will save a lot of time and frustration in life.



Topics: 1. Fixing a warped screw   2. Make your own DIY Stylus   3. Natural Paint Remover   4. Unclogging shower head naturally   5. Cleaning windows with coke   6. Garbage Bag Storage   7. Unsealing an envelope   8. Natural Bug Repellent   9. Freshen up a dish pad   10. Automatic Toilet Cleaner  

Saturday, August 18, 2012

ભગવાન સાથે વાતચીત-ડૉ. આઈ. કે. વિજળીવાળા

એક માણસે આકાશ સામે જોઈને કહ્યું, ‘હે ભગવાન મારી સાથે વાત કર’,
એ જ સમયે એક બુલબુલે સુંદર મજાનું ગીત છેડ્યું,
પણ પેલા માણસનું એ તરફ ધ્યાન જ ન ગયું !!

પછી પેલા માણસે આકાશ સામે જોઈને વિનંતી કરી, ‘હે ભગવાન, મારી સાથે બોલ તો ખરો !’
એ જ સમયે આકાશમાં છવાયેલાં વાદળોમાં વીજળી થઈ અને એક લાંબી ગડગડાટી ચાલી,
પરંતુ પેલા ખોવાયેલા માણસને એનો ખ્યાલ પણ ન આવ્યો !!
એને ભગવાનની આ અવગણના પર આશ્ચર્ય થયું !

એ રાત્રે અંધારામાં એણે કોઈ નથી જોતું એની ખાતરી કરીને પછી કહ્યું,
‘હે ભગવાન, મારે તારાં દર્શન કરવાં છે ! તું મને દર્શન આપ!’
એ જ સમયે એક તારો ખૂબ જ તેજ સાથે ચમકી ઊઠ્યો,
પરંતુ પેલા માણસની દ્રષ્ટિ એ ના પકડી શકી !!

હવે એને રડવું આવ્યું.
એ બોલ્યો : ‘હે પ્રભુ, મને સમજાતું નથી કે તું મારી આટલી અવગણના કેમ કરે છે ?
આજે તો તું મને ચમત્કાર બતાવ.’
એ જ સમયે તેની પત્નીને પ્રસુતિની પીડા ઊપડી, એને તુરંત દવાખાને લઈ જવી પડી.
થોડી જ વારમાં તેણે એક સુંદર આંખોવાળા બાળકને જન્મ આપ્યો. પરંતુ પેલા માણસને કંઈ જ સમજાયું નહીં.

એ હવે ભગવાન પર ગુસ્સે થયો. એણે બૂમ પાડી. ‘હે ભગવાન, મને ખાતરી કરાવ કે તું છે જ. તું મને સ્પર્શીને એ ખાતરી કરાવ. તો જ હું માનીશ કે તું છે.’
આ વખતે ભગવાન ખુદ નીચે આવ્યા.
એમણે અતિસુંદર સ્વરૂપ ધારણ કર્યું, અને પેલા માણસને હળવેથી સ્પર્શ્યા.
પેલા માણસે હાથ પર બેઠેલા રંગીન પતંગિયાને ઉડાડી મૂક્યું અને નિસાસો નાખ્યો કે, ‘ભગવાન ક્યાંય છે જ નહીં !!’

આપણે અપેક્ષા રાખેલી હોય તેવા સ્વરૂપે જ આશીર્વાદ આવી પડે એવી આશામાં આપણે કેટકેટલા આશીર્વાદ અને ચમત્કારોની પ્રતીતિ ગુમાવી દેતાં હઈશું ?!
(મૂળ શીર્ષક : A dialogue with God. )

Friday, August 17, 2012

Train Plowing Through Deep Snow In New Zealand

 Spectacular footage of a Kiwirail train attempting to plow a route through "Arthur's Pass" New Zealand.
Date: 07 June 2012   Arthur's Pass (el. 920 m.) is a mountain pass in the Southern Alps of the South Island of New Zealand. It is named after Sir Arthur Dudley Dobson (1841–1934), who led the first party of Europeans across the pass in 1864


Times tables using your hands!

 

Thursday, August 16, 2012

લાડકા પપ્પા હોવું એટલે…. ગુણવંત શાહ.


 [ વિચારપ્રેરક નિબંધોના પુસ્તક ‘પ્રેમ એટલે....’ માંથી પ્રસ્તુત લેખો સાભાર લેવામાં આવ્યા છે. હંમેશની જેમ આદરણીય શ્રી ગુણવંત સાહેબના લેખો આપણને ‘વિચારોના વૃંદાવન’ની સફરે લઈ જાય છે]

લાડકી દીકરી પર ઘણુંબધું લખાયું છે. વહાલી દીકરી માટે લાડકા પપ્પા ખૂબ જ મહત્વના હોય છે. લાડકા પપ્પા જે વાત કોઈને ન કરે એ પોતાની વહાલી દીકરીને કરે છે. પપ્પાને એક જ વાતનો ગમ સતાવે છે કે દીકરી ઝટપટ મોટી થઈ જાય છે. એ મોટી થાય એના ત્રણ તબક્કા જાણી રાખવા જોઈએ :

પ્રથમ તબક્કો એટલે : યસ, પપ્પા !
બીજો તબક્કો એટલે : વ્હાઈ પપ્પા !
ત્રીજો તબક્કો એટલે : વ્હાઈ નૉટ પપ્પા !

કોઈને પણ ખબર ન પડે એવો ચોથો તબક્કો કેવળ પ્રેમાળ પપ્પાને સમજાય છે. એ તબક્કો એ દીકરીની ગેરહાજરી વસમી લાગે ત્યારે કોઈ ન જાણે તેમ રડી લેવાનો તબક્કો. નરસિંહ મહેતાએ પત્ની ગુજરી ગઈ ત્યારે કહ્યું : ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ.’ આવો દઢ વૈરાગી નરસૈંયો કુંવરબાઈનું મામેરું કરવા વેવાઈને ત્યાં પહોંચી ગયેલો. પ્રત્યેક પપ્પાને કુંવરબાઈ જેવી દીકરી મળવી જોઈએ. લગ્નને માંડવેથી દીકરીને વળાવતી વખતે ગમે એવો નિષ્ઠુર બાપ પણ થોડીક ક્ષણ માટે નરસિંહ મહેતો બની રહે છે. સાસરે જતી દીકરી સુખી થશે કે દુઃખી ? આ પ્રશ્નનો જવાબ છે : સસ્પેન્સ.

પપ્પા દાઢી કરે ત્યારે સામે બેઠેલો દીકરો ગાલ પર આકાર લેતી ફીણ-ઘટનાને વિસ્મયપૂર્વક જોતો રહે છે. એ દીકરાને પોતાના ગાલ પર ફીણ લગાડીને રેઝર ફેરવવાનું મન થાય છે. સમજુ પપ્પા એના ગાલ પર બ્રશ ફેરવીને સાબુનું સફેદ ફીણ લગાડી આપે છે, પરંતુ રેઝરમાંથી બ્લેડ કાઢી લે છે. બાળક નિરાંતે રેઝર ફેરવતો રહે છે અને ગાલ પરથી સફેદ ફીણ સાફ થતું જાય એમ હરખાતો રહે છે. દીકરાનો ભ્રમ પણ કુંવારા વિસ્મયથી ભર્યો ભર્યો હોય છે. જો આ દશ્યની ફિલ્મ પાડી લેવામાં આવે તો ! મોટો થઈને જ્યારે દીકરો પિતાની સામે થાય ત્યારે એ ફિલ્મ કદાચ ખપ લાગે. મોંઘવારી વધે ત્યારે માલદાર માણસની સિલક ખોરવાય છે, મધ્યમ વર્ગના માણસનું બજેટ ખોરવાય છે અને ગરીબ માણસનું જીવન ખોરવાય છે. જાહેરખબરની પજવણી પામવામાં સ્ત્રીઓ મોખરે હોય છે. જાહેરખબર માલદાર ગૃહિણીના સમૃદ્ધ અહંકારને પંપાળે છે, મધ્યમ વર્ગની ગૃહિણીને લલચાવે છે અને ગરીબ ગૃહિણીને પરેશાન કરે છે. જાહેરખબર આપનારી મોટી મોટી કંપનીઓની કુદષ્ટિ ટાર્ગેટ ગ્રુપ્સને ધ્યાનમાં રાખે છે. જાહેરખબર પપ્પાના કાનમાં કહે છે : ‘દુનિયા ફસતી હૈ, ફસાનેવાલા ચાહિયે.’ શું માણસનો જન્મ પ્રચારના ધોધ સામે ઊભા રહીને પોતાની સ્વતંત્ર વિચારશક્તિ અને વિવેકશક્તિની આહુતી આપવા માટે થયો છે ? કહેવું પડશે કે ટીવી સરમુખત્યાર છે. એની સરમુખત્યારી માણસને ખૂંચતી નથી.

આપણી નિશાળોમાં અપૂર્ણાંક વિશે ભણાવવામાં આવે છે. જ્યારે જ્યારે ગરીબના ઘરમાં બે રોટલા પાંચ જણ વચ્ચે વહેંચીને ખાવાની નોબત આવે ત્યારે ભૂખ્યાં બાળકોને અપૂર્ણાંક આપોઆપ આવડી જાય છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ફાટેલી ગોદડી ઓઢીને ભેગાં પડી રહેલાં છોકરડાં અંદર અંદર જે ખેંચાતાણી કરે એની જાણ કેવળ અંધારાને જ હોય છે. દેશની ગરીબી કિલોગ્રામને હિસાબે ઘટે છે અને વસ્તી ક્વિન્ટલના હિસાબે વધે છે. ગરીબ હોય તોય પપ્પા તો પપ્પા જ રહે છે ! જે પપ્પા બાળકોને એક કપ દૂધ ન આપી શકે એના હૃદયની પીડા ગરીબ થોડી હોય ? જ્યાં જીવવાનાં ફાંફાં હોય ત્યાં લાડકોડ ગેરહાજર હોય છે. લાડકોડ શબ્દને સમૃદ્ધિ પ્રત્યે જબરો પક્ષપાત હોય છે. દેશની ગરીબી ક્યારેય મટશે ખરી ? પપ્પા-મમ્મીનાં લાડકોડ ન પામ્યાં હોય એવાં લાખો-કરોડો બાળકો મોટાં થાય પછી નાગરિક બને એ કેવાં હશે ? ક્યારેક લાગે છે કે કશુંય બદલાતું નથી. માલદાર પપ્પાનો લાડકવાયો સ્ટેશનના પ્લૅટફૉર્મ પર આઈસ્ક્રીમના કપમાંથી ચમચો મારીને આઈસ્ક્રીમ વડે પોતાના હોઠ ગંદા કરે છે. એ જોઈને પાસે ઊભેલા ગરીબ બાળકના મોંમાં જે પાણી આવે એને કોઈ ગંગાજળ ન કહે. મોંમાં પાણી આવે, પણ વાનગી ન મળે ત્યારે ગરીબ બાળકને જે વ્યથા પહોંચે એ શબ્દથી પર હોય છે. ક્યારેક એ ગરીબ બાળક પણ પારકા ટીવી પર ચૉકલેટની કે આઈસ્ક્રીમની આકર્ષક જાહેરખબર જોઈને કેવી ખલેલ પામતો હશે ? કોઈ ગરીબ પપ્પા જો મન કઠણ કરીને આઈસ્ક્રીમનો એક કપ ખરીદે તો એમાં ભાગ પડાવનારા જીવ કેટલા ?

કલ્પના કરવા જેવી છે. રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર એક સુખી પરિવાર ટ્રેનની રાહ જોઈને ઊભો છે. બાળકો મોજથી આઈસ્ક્રીમ ખાઈ રહ્યાં છે. પપ્પા-મમ્મી પણ પોતપોતાના કપમાંથી આઈસ્ક્રીમ ખાઈ રહ્યાં છે. વૈશાખ મહિનાના ઉકળાટમાં ઉપર ફરતો પંખો પણ ગરમ ગરમ હવા ફેંકી રહ્યો છે. એ વખતે પાસે ઊભેલાં ચાર ગરીબ બાળકો ટગર ટગર આઈસ્ક્રીમના કપને જોઈ રહ્યાં છે. અચાનક પપ્પાના મનમાં પવિત્ર ઝબકારો થાય છે. એ ચાર કપ ખરીદે છે અને પેલાં બાળકોના હાથમાં મૂકી દે છે. શું આવું બને તે અશક્ય છે ? ના, એવું કશુંક જોયું પછી જ આટલું લખ્યું છે.

ગુણવંત શાહ

Wednesday, August 15, 2012

"A Packet's Tale" - How Does The Internet Work?

 A visual explanation of how the Internet actually works. Ride with a packet of data and follow it as it flows from your fingertips, through circuits, wires, and cables, to a host server, and then back again, all in less than a second. 

 The "World Science Festival" created this short video explainer as a setup to "Internet Everywhere: The Future of History's Most Disruptive Technology", a sold-out program featuring Internet pioneer Vint Cerf of Google, MIT's Neil Gershenfeld, lawyer and Internet advocate Elizabeth Stark and Alex Wright, director of user experience at The New York Times.

Disruptive technologies uproot culture, can precipitate wars and even topple empires. By this measure, human history has seen nothing like the Internet. Pioneers of the digital revolution examine the Internet’s brief but explosive history and reveal nascent projects that will shortly reinvent how we interact with technology—and each othe



Tuesday, August 14, 2012

Death

Anil D. Vora is from Sorath Community but is the Son-in-Law of Late Ghelabhai Hukamichand Sanghavi. Hence this is published only in Gujarati.
 
વંથલી (સોરઠ) નિવાસી હાલ ઘાટકોપર અનિલભાઈ દ્વારકાદાસ વોરા (ઉં. વ. ૬૪) ૧૨-૮-૧૨ના રવિવારના અરિહંતશરણ થયેલ છે. તે હંસાબેનના પતિ. કેતન, રેખા, દિપ્તીના પિતા. સુરેશભાઈ, સ્વ. બિપિનભાઈ, વિનોદભાઈ, સ્વ. હરેશભાઈના ભાઈ. પિયર પક્ષે ખાખરેચી નિવાસી સ્વ. ઘેલાભાઈ હુકમીચંદ સંઘવીના જમાઈ. સુરેશભાઈ, મહેશભાઈ, અભયભાઈના બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, ૧૪-૮-૧૨ના સવારે ૧૦થી ૧૧-૩૦. સ્થળઃ શ્રેયસ હોલ, શ્રેયસ સિનેમા, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. ચક્ષુદાન કરેલ છે

અચ્યુતમ્ કેશવમ્

સાધુસંતોને કારણે નહીં; પણ સ્ત્રીઓને લીધે હીંદુ ધર્મ સદીઓથી ટકી રહ્યો છે. સ્ત્રીઓમાં સામાન્યત: ધાર્મીક વૃત્તી વધારે હોય છે. આ ધાર્મીક વૃત્તી ન પણ હોઈ શકે અને ચમત્કારથી સહેલાઈથી અંજાઈ જવાની લાક્ષણીકતા પણ હોય શકે, કારણ આપણો હીંદુ ધર્મ ચમત્કારોથી ભરપુર છે.

નાનપણમાં અમારા ઘરમાં ભગવાનની પુજાનો વારસો દાદીમાએ મારી બાને પકડાવ્યો હતો. મારા બાપા કે કાકાઓને મેં કદી મંદીરનાં પગથીયાં ચઢતાં જોયા નથી. અમારા ઘરમાં હીંદુ ધર્મનો આદર થતો તે ફ્ક્ત મારી બાની શ્રદ્ધાને લીધે જ. અમારા ઘરમાં દેવમંદીર હતું. ભગવાનની સેવાની મારી બાની તમન્ના તેણે મને પકડાવી હતી. પરીક્ષામાં પહેલા નંબરની લાલચ આપીને. રોજ સવારે ભગવાનની પુજા મારી પાસે કરાવતી હતી. સવારે પુજા થઈ ગયા પછી આશીર્વાદ આપતી કે ભણીગણીને વીલાયત જજે. વીલાયતનું તો ન ગોઠવાયું પણ અમેરીકા આવી ગયો. મને પુજા કરવાનો જબરજસ્ત કંટાળો આવતો હતો. મીત્રો બહાર ગીલ્લીદંડા કે ક્રીકેટ રમતા ત્યારે મારે પુજાપાઠ કરવાં પડતાં. પરંતુ ભગવાનને ચોપડે ભક્તીનું ખાતું તો મારી બાના નામનું હતું. મારી બા ખુબ ભક્તીભાવવાળી હતી. સવારે ઉઠતાંવેત સ્વપ્નમાં કયા ભગવાન આવ્યા હતા તેની વાત કરે. જ્યારે હું મીત્રો સાથે સ્વપ્નમાં મધુબાલા આવી હતી કે નરગીસ તેની ચર્ચા કરતો ! અમારા ઘરમાં હીંદુ ધર્મનો ઝંડો મારી બાએ ફરકાવ્યો હતો. મેં જોયું છે કે મારા છ કાકાઓના ઘરમાં પણ બધી કાકીઓએ ધર્મના ઝંડા પક્ડ્યા હતા. અમારા કુટુંબની બધી સ્ત્રીઓ પોતે સૌથી વધુ ધાર્મીક છે એ પુરવાર કરવા હંમેશાં મથતી હતી.

એક વખત મારાં ભાનુકાકી મારી બા પાસે આવ્યાં ને કહે, ‘સુશીલા, તારે સત્યનારાયણની કથા કરાવવી પડશે અને પાંચ બ્રાહ્મણ જમાડવા પડશે, કારણ કે તારો હરનીશ માંદો પડ્યો હતો ત્યારે મેં બાધા રાખી હતી કે, ‘હે ભગવાન, સુશીલાનો હરનીશ બચી જશે તો હું સુશીલા પાસે સત્યનારાયણની કથા અને બ્રહ્મભોજન કરાવીશ.’ મારી બાને ગુસ્સો તો ચઢ્યો કે મારા વતીની તેં બાધા કેમ રાખી ? પણ હવે બાધા પ્રમાણે કથા અને બ્રહ્મભોજન ન કરે તો પોતાની ધાર્મીક વૃત્તીમાં ખામી ગણાય. એટલે એણે પાંચ નહીં પણ દસ બ્રાહ્મણ જમાડ્યા (સાથે પચાસેક સગાંવહાલાં તો ખરાં જ !) અને સત્યનારાયણનું વ્રત ધામધુમથી ઉજવ્યું.

બાધાની વાત કરીએ તો મારાં હસુભાભીએ કનુભાઈ માંદા પડ્યા હતા ત્યારે બાધા રાખી હતી કે ‘જો મારા પતી સાજા થઈ જશે તો હું આવતી શરદ પુનમે તેમને ડાકોર ચાલતા રણછોડરાયજીની સેવા કરવા મોકલીશ.’ કનુભાઈનું નસીબ નબળું તે માંદગીમાંથી તે બચી ગયા. કનુભાઈ હરતાફરતા થયા એટલે ભાભીએ એમને બાધાની વાત કરી. કનુભાઈ ભડકી ઉઠ્યા. રાજપીપળાથી ડાકોર દોઢસો-બસો કીલોમીટર દુર ! ભાઈ કહે, ‘મારા વતી તું ચાલ, તેં બાધા રાખી છે. મેં નહીં.’ સ્ત્રી પોતાની શ્રદ્ધા સાબીત કરવા બીજાને ગરદન મારતાં જરા પણ ન અચકાય.

પછી ડાકોર ચાલતા જવાનો કોયડો અમારા બાબુકાકાએ ઉકેલ્યો. ગામના લાકડાવાળા શેઠની ટ્રોલી(ટ્રક) ભાડે કરી. કનુભાઈને અંદર ઉભા રાખી અને ટ્રોલીમાં એક છેડેથી બીજે છેડે સાંકળ પકડીને ચાલવાનું સુચવ્યું. અને ટ્રોલી ભાગી ડાકોર તરફ. ચાલવાનું વ્રત પણ સચવાયું અને હસુભાભીને પુણ્ય મળ્યું. ફેર એટલો પડ્યો કે કનુભાઈએ હસુભાભીને કહ્યું કે ‘હવે જો કોઈ દીવસ તું માંદી પડે તો મારી બાધા જોજે. હું તને મથુરા સુધી ઉઘાડા પગે ચલાવીશ !’

અમારા ગામમાં ખુબ સુંદર આરસની લાદીવાળું લાકડાની ઉંચી છતવાળું ભગવાન લક્ષ્મીનારાયણનું સુંદર મંદીર હતું. છતમાંથી લટકતાં ઝુમ્મર અને દીવા સળગાવવાના રંગબેરંગી કાચના લેમ્પ અને લક્ષ્મીનારાયણની સફેદ આરસ-પહાણની મુર્તીઓ હતી. કહેવાતું કે રાજપીપળાના મહારાજા પણ દર્શન કરવા આવતા.

મુળ વાત એ કે ઉનાળામાં વાતાનુકુલ જેવી ઠંડક મંદીરમાં રહેતી. જ્યારે જુઓ ત્યારે કોઈને કોઈ કથાકારની કથા ચાલતી જ હોય. સો દોઢસો માણસો બેસી શકતા. મોટા ભાગની સ્ત્રીઓ હોય. સાથે પાંચ દસ પુરુષો પણ કથામાં બેસતા. અમે છોકરાંવ ત્યાં રમવા અને પ્રસાદ ખાવા જતાં. મેં જ્યારે જોયું છે ત્યારે પુરુષો મંદીરની ઠંડકમાં ઉંઘતા જ હોય ! કથા કથાની જગ્યાએ ને મહારાજ મહારાજની જગ્યાએ ! જ્યારે પુરુષો પોતાની ઉંઘ બપોરે આરામથી પુરી કરી લેતા. મને ત્યારે લાગતું કે ધાર્મીક વૃત્તી ગઈ એને ઘેર. આ લોકો મંદીરમાં ઉંઘવા જ આવતા. જ્યારે મંદીર તરફથી શ્રોતાજનોને એક એક રકાબી ચા અને પ્રસાદ મળતો ત્યારે તેઓ આંખો ખોલતા અને કામ પતાવીને પાછી મીંચી દેતા. અમે છોકરાંઓ આ સેવા પુરી પાડતાં. કથામા જ્યારે ભજનો ગવાતાં ત્યારે બેચાર સ્ત્રીઓ હાથ ઉંચા કરીને નાચતી. ભક્તીભાવ હોય કે જુવાનીમાં નાચવાના રહી ગયેલા અભરખા હોય, જે હોય તે, પણ સ્ત્રીઓમાં ભક્તીભાવ છલકાતો હતો. એ લોકો બાકીના શ્રોતાઓનું ખાસ ધ્યાન ખેંચતાં. આપણને લાગે કે એ સ્ત્રીઓ નાચવા જ આવતી.

ધરમના ધંધા ભલે પુરુષોના હાથમાં રહ્યા. પરંતુ તેમના ગ્રાહક તો સ્ત્રીઓ જ છે. સ્ત્રીઓની ધાર્મીક ભાવનાને કારણે જ ધર્મનો વીકાસ થયો છે. હીંદુ ધર્મ સ્ત્રીઓને ગમે છે, કારણ કે એમાં આવતી દેવીઓ આગળ પુરુષોનાં ઝુકતાં માથાં જોવાની તેમને મઝા આવે છે. હીંદુ ધર્મ સ્ત્રીશક્તીને પુજે છે. શકંર ભગવાન, કહેવાય ભગવાન, પણ તેમના શેઠ (બોસ) તો પાર્વતી જ ને ! શીવપુરાણમાં ઠેર ઠેર પાર્વતીનો જ વૈભવ છે. મારા બાપુજી ઘણી વાર કહેતા કે ‘અલ્યા નારાયણને ભજ તો પતી પાછળ લક્ષ્મીજી તારે ત્યાં આવશે.’ આજે મોટો થયો ત્યારે સમજાયું કે જ્યાં જ્યાં લક્ષ્મીજી છે ત્યાં ત્યાં નારાયણ બીચારા લક્ષ્મીજીની પાછળ પાછળ ઘસડાય છે.

ગુજરાતણોમાં અંબામાતાનું ચલણ બહુ, મારી પત્નીનાં તો ખાસ પ્રીય માતા અંબામા ! એને એ ગમે છે કારણ કે મોટા વાઘને બકરી બનાવીને એના પર સવાર થાય છે. જ્યારે એ માતાજીની પુજા કરીને ઉઠે ત્યારે હું તેને રસ્તે આડો નથી આવતો, કારણ કે માતાજીની પુજા કર્યા પછી આપણને લાગે કે માતાજી સ્વયં એનામાં સમાયાં છે અને કોઈક વાઘને બકરી બનાવવા તત્પર છે !

છેલ્લે, જ્યારથી મારી પત્નીએ જાણ્યું છે કે હું નાનપણમાં મારી બાને ખુશ રાખવા મારા ઘરમાં ભગવાનની પુજા કરતો હતો ત્યારથી અમારા ઘરમાં રોજ સવારે ભગવાનની પુજા મારી પાસે કરાવવાના પ્લાન ઘડે છે. પુજા મારે કરવાની અને ભગવાન પાસે એના નામનું ખાતું ખોલાવવાનું. તમને લાગે છે કે હું એમ કરીશ ? તમારી વાત ખરી છે. હું ભગવાનની પુજા કરીશ.

હરનીશ જાની

Monday, August 13, 2012

Death

  

Native : Wankaner
Currently At : Malad,Mumbai
Name of the deceased : Bhupatbhai Bhaichand Doshi
Age : 80 Years
Date of Death : 11-08-2012
Wife : Manjulaben
Sons :Deepak, Bhavesh
Daughters :Harshida Jitendra Desai, Meena Deepak Gandhi
Father :Late Bhaichand Jagjivan Doshi
Brothers : Late Manharbhai, Late Chamanbhai, Dineshbhai 
Sisters :Late Shantaben, Late Dayaben, Gunvantiben, Chandanben
Father-in-Law : Mavji Savji Patel (Kalawad)
 
May his soul rest in eternal peace. 
 
વાંકાનેર હાલ મલાડ સ્વ. ભાઇચંદ જગજીવન દોશીના પુત્ર ભુપતભાઇ (ઉં. વ. ૮૦) તે મંજુલાબેનના પતિ, તે દીપકભાઇ, ભાવેશભાઇ, હર્ષીદા જીતેન્દ્ર દેસાઇ, મીના દીપકભાઇ ગાંધીના પિતાશ્રી. તે સ્વ. મનહરભાઇ, સ્વ. ચમનભાઇ, દીનેશભાઇ, સ્વ. શાંતાબેન, સ્વ. દયાબેન, ગુણવંતીબેન, તથા ચંદનબેનના ભાઇ. તે સ્વ. માવજી સવજી પટેલ (કાલાવડ)ના જમાઇ ૧૧-૮-૧૨ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા બંને પક્ષ તરફથી સોમવાર ૧૩-૮-૧૨ ના ૪ થી ૫.૩૦ ઠે. પાવનધામ, મહાવીર નગર, બીસીસીઆઇ ગ્રાઉન્ડની સામે, કાંદીવલી (વે.).

How To Free Yourself From A Sinking Car Using The Headrest

 What should one do if they find themselves in a sinking car? This Japanese video shows viewers how to break the car window with the headrest.Remove the headrest and pry one of the stick ends into the window well. Pull back and the torque will cause the window to break.   With a manual car window, you can simply wind it down. But with power windows you may need to do this. Note: Due to of the strength of the water pressure outside the car, you may have to let water flow into the interior of the car to balance the pressure, before you can open the car door.


Sunday, August 12, 2012

ભારત અલ્પવીકસીત દેશ શા માટે છે ?

આઝાદીનાં ૬૦ વર્ષો પછી પણ ભારત એક અલ્પવીકસીત દેશ તરીકે જ ઓળખાય છે. ૧૮૨ દેશોની યાદીમાં છેક ૧૩૪મા ક્રમે ભારત દેશનો નંબર આવે છે, શા માટે ? કારણ કે ભ્રષ્ટાચાર, અનામત, જાતીવાદ, પ્રાંતવાદ, બેઈમાની, અંધશ્રદ્ધા જેવાં દુષણો આ દેશના નેતાઓ તેમ જ દેશના રહેવાસીઓની આદત બની ગઈ છે.

આ દેશના નેતાઓનો પ્રથમ ધર્મ એ જનસેવા, દેશની ઈજ્જત કે દેશનો વીકાસ નહીં; પરંતુ પોતાની ખુરશી અને બૅન્ક બેલેન્સ જળવાઈ રહે તેનું તેઓ વધુ ધ્યાન રાખે છે. ભારત દેશની ઓળખ એક ખેતીપ્રધાન દેશ તરીકેની છે. ખેડુતો માટે હજારો કરોડ રુપીયાની લોન તેમજ સબસીડી જાહેર કરવામાં આવે છે; તો પણ આ દેશમાં  સૌથી વધુ આત્મહત્યા ખેડુતો કરે છે. વરસાદ ઓછો પડે તો અનાવૃષ્ટી અને વધુ પડે તો અતીવૃષ્ટી ! મોંઘવારી કદી ઓછી થતી નથી ! આ દેશમાં લોકો સાધુ-બાવા, ધર્મગુરુઓ, બાપુઓ તેમ જ મહારાજોને ભગવાનની જેમ માને છે અને તેઓની પાછળ સમય અને પૈસાનો વ્યય ગાંડાની જેમ કરે છે. પછી ભલે આવા ઠગ લોકો ધર્મની આડમાં નાસમજ લોકોનું શોષણ કરતા હોય કે ગેરકાનુની પ્રવૃત્તી કરતા  હોય તો પણ; આવા લોકોની દુકાન આ દેશમાં ધમધોકાર ચાલતી જ રહે છે. આ દેશમાં લાખો લોકોને બે વખતનું ભોજન અને કપડાં મળતાં નથી, વ્યક્તીદીઠ પાંચ હજારથી પણ વધુ રકમનું દેવુ છે; છતાં શ્રદ્ધાનું મુખોટું પહેરી આ દેશની જનતા દર વર્ષે હજારો કરોડ રુપીયા મુર્તીઓ પાછળ બગાડે છે. દેશમાં શૌચાલય બનાવવા પાંચ રુપીયાનું દાન ન કરનારા, મંદીરો બનાવવા માટે પાંચ લાખનું દાન કરવામાં પોતાનું ગૌરવ સમજે છે ! દુનીયાના દરેક દેશો આજે પ્રદુષણ ઓછું થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે. બધાને ખબર છે કે પર્યાવરણને જાળવવું જરુરી છે, પ્રકૃતીને સાચવવી જ પડશે તો પણ; આ દેશમાં રીવાજ, પ્રથા, વાર-તહેવાર અને ધર્મના નામ પર પ્રદુષણ થતું જ રહે છે અને થતું જ રહેશે ! કારણ કે આ દેશ માનવતાના ધર્મ પર નહીં; કેવળ ધર્મ પર આધારીત છે.

આ દેશમાં ગુનેગારો ગુનો કરવાથી ગભરાતા નથી; કારણ કે આ દેશમાં કાયદો એક બનાવવામાં આવે છે; તો તેની સાથે કાયદાથી બચવા માટે બે છટકબારીઓ રાખવામાં છે.

આ દેશમાં પૈસાથી કાયદો ખરીદી શકાય છે અને ન્યાય મળે તો પણ અડધી જીન્દગી અદાલતના આંટા-ફેરામાં જ નીકળી જાય છે ! આ દેશની બેટીઓ દહેજની આગમાં સળગતી જ રહે છે. આ દેશમાં ‘બેટી બચાવો’ નારાની શું કોઈ જરુર છે ખરી ?

સવાસો કરોડથી વધુ વસ્તીવાળા આ દેશના કેટલાક નેતાઓ અને નાગરીકો મફતમાં મળેલી સ્વતંત્રતા પચાવી શક્યા નથી. તેઓ  માટે દેશદાઝ માત્ર ‘મેરા ભારત મહાન’ બોલવા પુરતું અને ૧૫મી ઑગસ્ટે તેમ જ ૨૬મી જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવાની ઔપચારીકતા પુરતું જ છે અને એ આની આ જ રફ્તાર રહેશે તો દેશનો પહેલો નંબર (છેલ્લેથી) આવતા વધુ રાહ નહીં જોવી પડે અને આ અલ્પવીકસીત  દેશ કદી વીકસીત નહીં બની શકે !

-કીરણ એ. સુર્યાવાલા, સુરત

સુરતના દૈનીક “ગુજરાતમીત્ર”ના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૧૫/૧૦/૦૯ના રોજ પ્રકાશીત થયેલ આ ચર્ચાપત્ર; ચર્ચાપત્રી–લેખીકા તેમ જગુજરાતમીત્ર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

 ગોવિંદ મારૂ ના અભિવ્યક્તિ બ્લોગમાંથી 

Saturday, August 11, 2012

Flying Horseman



27 year old Lorenzo jumps incredible obstacles at a gallop while standing on his 8 grey Lusitano horses. Called "The Flying Frenchman," Lorenzo perfects his routines on the beach near his home town of Saintes Maries de la Mer in southern France. His popularity has led this equestrian prodigy to perform at many prestigious venues, including the World Jumping Championships in Calgary. Lorenzo has been involved with horses since he was 6 years old. The horses are trained by the sound his voice, he rarely "sits" anymore on horseback and if so, it's often backwards. The horse likes the interaction, games and complicity which constitue Lorenzo's whole life -- it's a life of work and discipline. It takes him 3 years to train a horse to jump with him (standing on his back) at liberty (with no tacks). His brother explains that Lorenzo shows are a mix of voltige, gymnastic, horsemanship and magic.

Friday, August 10, 2012

ફાસ્ટ ફૂડ – ડૉ. પ્રજ્ઞા પૈ


[‘અખંડ આનંદ’ સામાયિક મે-2011માંથી સાભાર.]

હર્ષ જમવાની ના પાડે છે, એને માટે પીઝા મંગાવી લઈએ, એ રાજી થઈને ખાશે; આજે દાળભાત ખાવાનો મૂડ નથી, પાણીપૂરી અને કુલફીનો પ્રોગ્રામ કરીએ; મને ઑફિસેથી આવતાં મોડું થવાનું છે એટલે બધી રસોઈને બદલે હું ઝટપટ નૂડલ્સ બનાવી નાખીશ; બેટા આજે લંચબૉક્સ નથી તૈયાર કર્યો, તું કેન્ટીનમાંથી સમોસા કે બર્ગર કે એવું ખાઈ લે જે, લે આ પૈસા; બાપ રે, તમે લારી-ગલ્લાનો કચરો ઝાપટ્યો ?………..

ફાસ્ટ ફૂડ, જંકફૂડ, ઈન્સ્ટન્ટ ફૂડ, રેડી ટુ ઈટ ફૂડ, સ્ટ્રીટ ફૂડ, ટેક અવે ફૂડ વગેરે હવે વારંવાર સાંભળવા મળે છે. આપણે સાધારણ રીતે બધા માટે ‘ફાસ્ટ ફૂડ’ નો શબ્દપ્રયોગ વાપરીએ છીએ, પરંતુ આ આહારો જુદા જુદા છે. ફાસ્ટ ફૂડ એટલે ઓછા સમયમાં ઝડપથી તૈયાર થઈ જતી વાનગી. દા..ત, સેન્ડવીચ, બર્ગર, પીઝા, પેટિસ, ભજિયાં, સમોસા, ભેળપૂરી, પાંઉભાજી, ઈડલી, ઢોંસા, પૂરી, પૂડલા, સલાડ વગેરે અમુક ચીજો અગાઉથી તૈયાર કરી રાખવામાં આવી હોય છે. તેથી ગ્રાહકને લાંબો સમય રાહ નથી જોવી પડતી. ગ્રાહક આવે ત્યારે ઝટપટ આપી શકાય છે. બધી જ વાનગીઓ જુદી જુદી ગુણવત્તા ધરાવે છે. થોડી વાનગીઓ પોષક હોય છે. દા..ત, સલાડ, ઈડલી, ઢોકળા. કેટલીક વાનગીઓમાં પોષક અથવા સ્વાસ્થ્યવર્ધક ઘટકો બહુ ઓછાં હોય છે. દા..ત, પીઝા, કૅન્ડી જ્યારે અમુક વાનગીઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. દા..ત, ઠંડા પીણાં, ‘બુઢ્ઢીકા બાલ.’ ટૂંકમાં બધાં જ ‘ફાસ્ટ ફૂડ’ને ‘જંક ફૂડ’ ન કહી શકાય.


જેને આપણે ‘કચરો’ કે ‘આચરકૂચર’ તરીકે જાણતાં હતાં તેને હવે ‘જંક ફૂડ’નું નામ મળ્યું છે જે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય છે. તેની અસર તરત ન જણાય, પરંતુ લાંબે ગાળે અમુક તકલીફો શરૂ થાય છે. આ ઉપરાંત આવા પદાર્થોમાં પ્રોટીન, વિટામિન આવશ્યક ક્ષારો અને રેસાનું પ્રમાણ નહિવત હોય છે. આવી ચીજો સ્વાદમાં સારી લાગે (હકીકતમાં આપણે કેળવેલી વૃત્તિને લીધે). ખાવાનું કે ખવડાવવાનું મન થાય, તે ખાવાથી પેટ પણ ભરાય, છતાં પોષણને બદલે માત્ર કૅલરી અને ઉપર જણાવેલા ઘટકો ઉપરાંત કૃત્રિમ રંગો શરીરને નુકશાન કરે છે. આમાં ચૉકલેટ, આઈસક્રીમ, કૅન્ડી, કેક, બર્ગર, પીઝા, ચીપ્સ, ફ્રાઈઝ (બટાટાના તળેલા લાંબા ટુકડા), બાટલીઓમાં વેચાતાં ઠંડાં પીણાં, શરબત (કૃત્રિમ પદાર્થોનું) જેવી ચીજોનો સમાવેશ થાય છે.

‘ઈન્સ્ટન્ટ ફૂડ’ તત્કાળ, થોડી જ મિનિટોમાં તૈયાર થઈ જતા પદાર્થો છે. દા…ત, નૂડલ્સ, કોર્ન ફલેક્સ, સૂપ પાઉડરમાં ગરમ પાણી ભેળવી બનાવેલો સૂપ, મકાઈ કે રતાળુ જેવી શેકેલી ચીજો, દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી ‘ઈડીયપમ’ (ચોખાના લોટની સૂકવેલી સેવ) જેને એક-બે મિનિટ માટે ઉકળતા પાણીમાં ડુબાડી, બહાર કાઢી, પાણી નિતારી તરત જ ખાઈ શકાય છે. હવે આ પ્રકારની નવી નવી બનાવટો મળવા માંડી છે. ઝડપી જીવનશૈલી, સમયનો અભાવ, બદલાયેલી અગ્રક્રમતા, આળસ, એકલા રહેતા વૃદ્ધો, ખર્ચ કરવાની તૈયારી અને સહેલાઈથી મળતી સુવિધા આનાં મુખ્ય કારણો છે. શેકવાની, બાફવાની કે રાંધવાની અમુક પ્રક્રિયા અગાઉથી જ કરી લેવામાં આવી હોવાથી ગરમ કે ઠંડાં દૂધ/પાણીમાં ભેળવવાની જ જરૂર પડે છે. ‘રેડી ટુ ઈટ’ પદાર્થો સંપૂર્ણ રીતે રાંધેલા હોય છે. માત્ર ગરમ કરવાના હોય છે. શાક, પાત્રા, ઉંધિયું, પુલાવ, દાળ વગેરે ઘણી વાનગીઓ ટીનમાં કે બીજી રીતે પૅક કરેલી મળે છે. હોટલમાંથી મંગાવતી વખતે આ વાનગીઓ મોંઘી પડે છે અને ગમે તે સમયે નજીકની સારી હોટલમાંથી લાવવાનું શક્ય ન પણ હોય તેથી આવા ખાદ્ય પદાર્થોનો વપરાશ વધવા માંડ્યો છે – ખાસ કરીને કામમાં બહુ વ્યસ્ત હોય, એકલી રહેતી હોય અથવા ઘેર આવવાનો સમય અનિયમિત હોય તેવી વ્યક્તિઓ દ્વારા. સાધારણ રીતે સારી ગૃહિણી પાસેથી ટિફિન મંગાવી તાજો ખોરાક વાપરવો તે બહેતર પર્યાય છે.

‘સ્ટ્રીટ ફૂડ’ એટલે લારી, ગલ્લા અને સાર્વજનિક સ્થળે મળતી ચીજો દા…ત, ચાટ, પાણીપૂરી, ભેળપૂરી, ભજિયાં, સમોસા, નૂડલ્સ, શરબત, બરફગોળો, હલકા કે ભેળસેળવાળા પદાર્થો અને સંભાવ્ય અસ્વચ્છતાને લીધે સસ્તા હોવા છતાં આ ખાદ્યપદાર્થો સ્વાસ્થ્યને નુકશાન કરી શકે. કૅલરી, ખાંડ, મીઠું, ચરબી, રંગ ઉપરાંત જીવાણુની હાજરી ઊલટી, ઝાડા, મરડો, કમળો કે ટાઈફૉઈડ જેવા રોગની શક્યતા વધારે છે. જો કે બહારથી સારાં દેખાતાં રેસ્ટોરાં, હોટલ, કાફેટેરિયા, જોઈન્ટસ દુકાનોનાં રસોડાં-અથવા એ જ્યાંથી ખાદ્ય પદાર્થો મંગાવતા હોય તે સ્થળો સ્વચ્છ જ હોય તેવું નથી.

ફાસ્ટ ફૂડનો ઉપયોગ કૂદકે ને ભૂસકે શા માટે વધતો જાય છે ? સર્વ પ્રથમ પ્રગતિ, આધુનિકરણ, વૈશ્વિકીકરણ ને નામે આપણાં પારંપારિક મૂલ્યો બદલાયાં છે. બહાર ખાવું કે બહારની ચીજો ખરીદી ઘરમાં લાવી ખાવી કે પીરસવી તે હવે સામાન્ય થઈ ગયું છે. કેટલીક વાર એ મોભાનું પ્રતીક ગણાય છે. વિભક્ત કુટુંબોની બદલાઈ ગયેલી રહેણીકરણી, નોકરીએ જઈ થાકીને ઘેર આવતી મહિલાઓ, રસોડામાં વધારે સમય ગાળવાનો કંટાળો, ખર્ચ કરવાની તૈયારી અને ઈચ્છિત વાનગીઓ સહેલાઈથી કે ઘેર બેઠાં મેળવી શકવાની સુવિધા તેમ જ સંતાનોની માંગણી આનાં મુખ્ય કારણો છે. માધ્યમો પર આવતી લલચાવનારી અને આકર્ષક જાહેરાતો, ‘બાય વન, ગેટ વન ફ્રી’ જેવી યોજનાઓ, જ્યાં આવી જ વાનગીઓ પીરસવામાં આવે છે તેવી પાર્ટીઓ અને કાર્યક્રમની સંખ્યામાં થતો વધારો, દેખાદેખી અને આવી વાનગીના અતિરેકને લીધે થતાં સંભાવ્ય નુકશાનનું અજ્ઞાન કે તેની અવગણના પણ આ નવી પરંપરાને ટકાવી રાખે છે. શાળાની કૅન્ટીન કે આસપાસના પરિસરમાં પણ આ ચીજો છૂટથી વેચાય છે.

બધાં જ ‘જંક ફૂડ’ અને મોટા ભાગનાં ‘ફાસ્ટ ફૂડ’ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. મેંદો, વધુ પડતી ચરબી-ખાસ કરીને ટ્રાન્સ ફેટ તરીકે જાણીતું ઘટક, વધારે પ્રમાણમાં મીઠું, સોડા, સાકર અને કૃત્રિમ રંગો આને માટે જવાબદાર છે. સ્થૂળતા, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની વધતી શક્યતા, દાંતનો સડો, વધુ પડતી ચંચળતા અને ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી તેની પ્રત્યક્ષ અસરો છે. આવા પદાર્થો ખાવાથી પોષક આહાર લેવામાં ઘટાડો થાય તે આડકતરી અસર છે. ‘ફાસ્ટ ફૂડ’નું પ્રમાણ ઓછું કરવા વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક સ્તર ઉપરાંત શાળા, માધ્યમો અને શાસન પણ ફાળો આપે તે આવશ્યક છે. નાનપણથી જ રંગરંગનાં ફળો, કચુંબરો અને ફણગાવેલા કઠોળ આકર્ષક રીતે બાળકને પીરસવા જોઈએ. ચૉકલેટ, કેક, આઈસ્ક્રીમ જેવા પદાર્થોને બદલે શીરો, મઠો કે ફળનો ગર મેળવેલું દહીં વધારે વાપરી શકાય. ભેટ, ઈનામ કે લાલચ તરીકે ચૉકલેટનો ઉપયોગ ટાળવો. ઠંડાં પીણાંને બદલે ફળોનો તાજો રસ, નાળિયેરનું પાણી, લીંબુનું શરબત છાશ કે એલચીવાળું દૂધ વાપરી શકાય. સમારંભમાં પીઝા, કેક, સમોસાં, ઠંડા પીણાં જ પીરસવાને બદલે બીજા સારા પદાર્થો શોધી શકાય. શાળાના પરિસરમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક ચીજો ન વેચાય અને માધ્યમો પણ એવી જાહેરાતો પર કાબૂ રાખે તે ઈચ્છનીય છે. ફાસ્ટ ફૂડથી થતા સંભાવ્ય નુકશાન વિશે માહિતગાર થવું જરૂરી છે.

તેમ છતાં આવી ચીજો માણવાનું મન થાય તો તેની કડક બંધી ફરમાવ્યા વગર પંદર દિવસે-મહિને ખાઈ લેવી-ઓછા પ્રમાણમાં. મનાઈહુકમ કરતાં સમજાવટ, મનોબળ અને બીજી સ્વાદિષ્ટ અને પોષક ચીજોની શોધ બાળકો-આધેડોને આ લતથી દૂર રાખશે.

Thursday, August 9, 2012

Death

  

Native : Wankaner
Currently At : Walkeshwar,Mumbai
Name of the deceased : Navinchandra Shantilal Mehta
Age : 75 Years
Date of Death : 06-08-2012
Wife : Hansaben
Son :Tejas
Daughter-in-Law : Deepa
Daughter :Dr. Neha
Grand Children :Diya ,Dhruv
Father :Late Shantilal Kalidas Mehta 
Mother : Labhkuvarben
Donations : Eyes & Skin

May his soul rest in eternal peace.

વાંકાનેર હાલ મુંબઈ - વાલકેશ્વર સ્વ. લાભકુંવરબેન શાંતિલાલ મેહતાના જ્યેષ્ઠ પુત્ર નવીનચંદ્ર (ઉં. વ. ૭૫) તે હંસાબેનના પતિ, ચિ. તેજસ, ડો. નેહાના પિતાશ્રી. અ.સૌ. દીપાના સસરા. ચિ. દીયા તથા ચિ. ધ્રુવના દાદાજી તા. ૬-૮-૧૨ સોમવારના અરિહંતરણ પામેલ છે. તેમના આત્મશ્રેયાર્થે શુક્રવાર તા. ૧૦-૮-૧૨ના શ્રી બાબુ અમીચંદ પન્નાલાલ દેરાસરના ઉપાશ્રયમાં વાલકેશ્વર. ભાવયાત્રા બપોરના ૧-૩૦ થી ૪. લૌકિક વ્યવહાર બંધ છે. (ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે).

How to Multiply Amazingly Fast!!!

Wednesday, August 8, 2012

Death


 

Native : Wankaner
Currently At : Malad,Mumbai
Name of the deceased : Anusuyaben Chhotalal Gandhi
Age : 77 Years
Date of Death : 04-08-2012
Husband : Late Chhotalal Dahyalal Gandhi
Son :Hiten
Daughter-in-Law : Bhavna
Daughters : B.B.Anugnabai M.S.,B.B. Anteshabai M.S.,Pritiben Pankaj Shah, Rashmiben Atul Shah
Brothers-in-Law :B.B.Pu. Harshadmuni M.S.,Late Durlabhjibhai,Prabhudasbhai
Sister-in-Law :Lilavantiben
Father :Late Ambavidas Avichal Mehta (Wankaner) 
May her soul rest in eternal peace.
 

વાંકાનેર હાલ મલાડ સ્વ. છોટાલાલ ડાહ્યાલાલ ગાંધીના ધર્મપત્ની અનસુયાબેન (ઉં. વ. ૭૭) તે બા. બ્ર. પૂ. હર્ષદમુનિ મ.સા., સ્વ. દુર્લભજીભાઈ, પ્રભુદાસભાઈ, લીલાવંતીબેનના ભાભી. ગોપાલ લિંબડી સંપ્રદાયના બા. બ્ર. પૂ. અનુજ્ઞાબાઈ મ.સ., બા. બ્ર. પૂ. અંતેષાબાઈ મ.સ., હિતેન, પ્રીતિબેન પંકજકુમાર શાહ, રશ્મિબેન અતુલકુમાર શાહના માતુશ્રી. ભાવનાના સાસુ. પિયર પક્ષે વાંકાનેર નિવાસી સ્વ. અંબાવીદાસ અવિચળ મહેતાના પુત્રી. ૪-૮-૧૨, શનિવારે અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૯-૮-૧૨, ગુરુવારે ૩-૩૦થી ૫-૩૦. સ્થળઃ કડિયા મહાજન વાડી, ૩, મામલતદારવાડી, જૈન દેરાસર ગલી, મલાડ (પ.) (લૌકિક વ્યવહાર બંધ છે.)

પ્રસંગ – હંસા જાની

સન 1997ની 15 જૂને અમે અમારા દીકરા સંદીપને જનોઈ આપવાનો પ્રસંગ અમેરિકામાં યોજ્યો હતો. તે પ્રસંગની કંકોતરી ભારતમાં છપાવી હતી. એનું કદ 5 x 8 ઈંચનું સાધારણ લંબચોરસ હતું. આ કદની ટપાલ પોસ્ટવાળા નહીં સ્વીકારે તેમ બેચાર લોકોએ અમને કહેલું. પોસ્ટવાળાનું તમામ કામ કમ્પ્યુટર વાટે થતું હોઈ તેમને આ કદમાપથી પ્રોબ્લેમ થશે એમ તે બધાં કહેતાં હતાં.

ઉકેલ સારુ એ 200-250 કંકોતરી લઈને અમારી મુખ્ય પોસ્ટઑફિસે હું ચાલી ગઈ. કાઉન્ટર પરની કેશિયરને થોકડો આપ્યો અને કહ્યું કે આ ઈન્વિટેશન કાર્ડ છે. તો તે કહે, પોસ્ટખાતું આ મોકલી નહીં શકે. અને પછી ઉપર કહ્યાં તે તમામ કારણો તેણે કહી સંભળાવ્યાં. હું ખૂબ નિરાશ થઈ.

 હામ લઈને તે કેશિયરને મેં પૂછ્યું, ‘May I talk to your supervisor or officer ?’ તે અંદર ગઈ અને તેના બૉસને બોલાવી લાવી.

 તે અમેરિકન ગોરો માણસ હતો. લાગલો તે બોલ્યો : ‘Hello, young lady ! May I help you ?’ મેં જવાબમાં કહ્યું : ‘Yes Sir ! I need your kind help. I think only you can do this.’ મારા દીકરાના જનોઈ પ્રસંગની અને ધાર્મિક પરંપરા અને સંસ્કારની ઉપરછલી સમજણ આપી. એ પ્રસંગની આ કંકોતરી છે તેમ મેં જણાવ્યું. તે ભારતમાં છપાઈ છે અને હવે અહીં યુનાઈટેડ સ્ટેટ્સમાંથી આમંત્રણ માટે મોકલવાની છે. મૅનેજરે એક કાર્ડ હાથમાં લીધું. આમતેમ ફેરવીને જોયું અને મારા સામે જોઈ બોલ્યો : ‘Lady ! You are from India. That means Mahatma Gandhi’s country. He was a gentleman. He did good work for humankind. We cannot do this work by machine, but I will do this work by myself, manually. It will take one and a half hour. I think I am doing this work for that great man, Gandhi. Did you know that I have read his Autobiography twice, so far ? I have now bought that book for my home library. We can learn from his life.’ તેની વાતે મને ભારે ખુશી ઊપજી. મેં તેનો બહુ જ આભાર માન્યો તેના હાથ ઝાલીને તેનો આભાર માનતી જ રહી. તેણે મને ચિંતા ન કરવા જણાવ્યું.

એ પછી હું પોસ્ટઑફિસેથી ઘેર ભણી જવા નીકળી. એ વખતે તો મને થયું : હાશ ! મારું કામ પતી ગયું. મારા વાકચાતુર્યથી કામ થઈ ગયું. કારમાં બેઠી અને ચલાવતાં વિચારે ચડી, આ જણે ગાંધીજીની કેવી સરસ વાતો કરી. ગાંધીજીથી એ કેવો પ્રભાવિત થયો હતો અને હમવતનીને નાતે તેનો લાભ મને મળી રહ્યો હતો. પછી મને સમજાયું કે એ મારું વાકચાતુર્ય નહોતું અને મારી કોઈ જ હોશિયારી ન હતી. આ કામ ગાંધીજીને નામે પાર પડ્યું હતું. મારી આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. મારી કારને બાજુમાં લીધી અને ઊભી રાખી. ગાંધીજી ફરી ફરી યાદ આવતા હતા. આંખમાંથી આંસુ વહેતાં હતાં. ગાંધીજીને નત મસ્તકે મનોમન વંદતી રહી. અને પેલી ગીતની કડી ફરીથી ગણગણતી રહી : ‘સાબરમતી કે સંત, તૂંને કર દિયા કમાલ.’ મેં આંસુ લૂછ્યાં. હસતી હસતી પછી ઑફિસે ગઈ.

Tuesday, August 7, 2012

Dominic O’Brien – Memory Man

Memorizing 31 cards in less than a minute.
 




Monday, August 6, 2012

વ્યસનની ફૅશન – મનહર શુક્લ


[ રમૂજી લેખો દ્વારા વ્યસનમુક્તિનો સંદેશ આપતા, થોડા વર્ષો અગાઉ પ્રકાશિત થયેલ પુસ્તક ‘વ્યંગ રંગ...છોડો વ્યસન સંગ’માંથી સાભાર.]

અમે અગાઉ શરદી-ઉધરસ તથા અસ્થિભંગ અંગે લેખો લખેલા ત્યારે વાચકોએ કહેલું કે અનુભવમાંથી પસાર થયા સિવાય આવું લખવું શક્ય નથી. એટલે ત્યાર પછીના જે લેખોમાં હરસ-મસા તથા સિઝેરિયન ડિલિવરી વિશે હતું તેને જુદા મૂકી દીધા. અત્યારે વ્યસન વિશે લખવાનું આવ્યું ત્યારે હિંમત એટલા માટે કરી છે કે આપાણી સાથે અન્ય મહાનુભાવો પણ (પોતપોતાનાં) વ્યસન વિશે લખી રહ્યા છે. હવે વાચકો માત્ર અમને જ પૂછવા આવે એવી શક્યતા ઓછી કહેવાય. જોકે હવે આપણાં વ્યસન બાબત લોકો જાણે તો પણ ફેર પડે તેમ નથી.
અમારાં લગ્ન જે તારીખે થયેલાં, 31મી મે, એ વખતે નહીં પણ પછીનાં વરસોમાં એ તારીખ તમાકુ નિષેધ દિન જાહેર થયો. ત્યારથી અમે એની એનીવર્સરી ઊજવવાનું બંધ કર્યું છે. તમાકુ શબ્દ જ હલાકુ જેવો લડાયક જણાય છે. તત્વ પરથી તમાકુ શબ્દ આવ્યો છે. મોંમાં મૂકો તો તમતમાટી બોલાવી દે. નાનપણમાં દાદાની પાનપેટીમાંથી કાતરેલી સોપારીની કરચ ખાતી વખતે તમાકુની કટકી આવી ગયેલી. તે વખતે તો ઉંમર એટલી નાની કે તમાકુ નામની કોઈ ચીજ છે તેની ખબર જ નહીં. પરસેવો થયો. ચક્કર આવ્યા અને આજે 31મી મેને દિવસે પણ….


વ્યસન એટલે શું ? વ્યસ્ત રાખે તે વ્યસન. જેનું વ્યસન હોય તે ના મળે તો ત્રસ્ત રાખે તે વ્યસન. જેની તલબ લાગે તે વ્યસન. જે બીજાને મન નકામું છે પણ આપણે મન કીમતી છે તે વ્યસન. યોગનાં કે બેસવાનાં આસનો જેવું અગત્યનું એટલે વ્યસન. ગુલામીનું આસન એટલે વ્યસન. આ વ્યસનની બબાલ માત્ર માણસને જ હોય છે. કોઈ પશુપક્ષી કે જીવજંતુને વ્યસન હોવાનું જાણ્યું નથી. એટલે પશુ થવા વ્યસન કરી શકાય છે. પશુઓ માણસ ના થઈ શકે પરંતુ માણસ તો પશુ બની શકે ને ? અર્થશાસ્ત્રના શરૂઆતનાં પ્રકરણોમાં એક વાક્ય આવે છે ‘ટેવને પોસ્યા કરવાથી તે વ્યસન બને છે.’ અમે કહીએ છીએ કે દેખાદેખીથી વ્યસનનો વ્યાપ વધે છે ત્યારે વ્યસનની ફૅશન આકાર લે છે.

ખાય તેનો ખૂણો પીએ તેનું ઘર,
સૂંઘે તેનાં લુગડાં એ ત્રણે બરોબર.

 
તમાકુ અંગેની વાત છે. તમાકુનો રસ ગળે ઉતાર્યા પછી એનાં ફોતરાં કાઢીને ક્યાં નાખવા ? વ્યસની હોય તે ઘરના ખૂણા ગોતે અને ત્યાં ફોતરાં થૂંકે એટલે જે તમાકુ ખાતા હોય એના ખૂણા – એટલે એના ઘરના ખૂણા ફોતરાંથી ભરી મૂકે. પીએ તેનું ઘર એટલે ધૂમ્રપાન કરતો હોય એના ઘરના ખૂણા. દરેક ખંડમાંથી ધુમાડાની વાસ આવે. સૌથી નાના ઓરડામાંથી તો ખાસ અને જે તપખીર સૂંઘતા હોય – સડાકા લેતા હોય એમનાં કપડાં જોવા. અંગૂઠા અને આંગળીઓ કપડાંથી સાફ થતી હોય છે. આમ, વ્યસન કરનારના મોં ઉપરાંત ઘરનો ખૂણો, વાતાવરણ અને કપડાં ત્રણેય વ્યસન ધરાવતા થઈ જાય છે. હિન્દી ફિલ્મોમાં કનૈયાલાલને પાન ખાવાની આદત હતી. ઓમપ્રકાશનેય ખરી. આ કલાકારોને ડાયલોગ બોલતાં સાચવવું પડતું. મોંનું પાન બહાર ધકેલાઈ જાય નહીં તેનું તેમને ટેન્શન રહે. સામા કલાકારને પોતાના ચહેરા પર પાનનો રસ છંટાઈ જાય નહીં તેનું ટેન્શન રહે અને સાઉન્ડ કેમેરા એ બધા આર્ટિસ્ટોને તો ખરું જ. આવા કલાકારોને બીજા કલાકારો સાથેના કલોઝ આપતાં દશ્યો પછી ના મળે. નસીબ એમના.

ચાને હવે વ્યસન નથી ગણાતું. જરૂરિયાત ગણાઈ છે. બીડી બાબત એમ કહીએ છીએ કે બીડી અને જીવને બાળતાં બચાવો. ત્યારે બીડીનો ભોગી કહે છે બીડી એ સ્વર્ગની સીડી છે. અમે કહીએ કે ત્યાં સ્વર્ગમાં જઈને બધાંને હેરાન કરવા કરતાં અહીં જ આ વ્યસનનો ત્યાગ કરોને. બીડી સ્વર્ગની સીડી નથી નરકની નિસરણી છે. સીડી કે નિસરણીને ઊભી ગોઠવો તો તે ઉપર લઈ જાય અથવા નીચે પણ ઉતારે, પણ જો એને આડી ગોઠવો તો ઠાઠડી થાય. ઠાઠથી તમને આ જગતમાંથી વિદાય આપે.

વ્યસન વધવાનું એક કારણ આપણી રેલવે અને બસ સર્વિસો પણ છે. તે લોકો એવી સૂચના લખે છે કે ચાલુ વાહને ધૂમ્રપાન કરવું નહીં. એટલે એમ કે આ વાહનમાંથી ઊતરો એટલે તમારે ધુમાડા કાઢવાના. અમારી સાથે ધુમાડાની સ્પર્ધા નહીં કરવાની. ગોરપદું કરાવતા એક મહારાજને અમે ધુમાડા કાઢતા જોઈ ગયેલા.

‘અરે મહારાજ ! આ શું ?’
‘ધૂમ્રપાન ચાલે છે.’
‘અરે, પણ તમે ? અગરબત્તીનો ધુમાડો લેનારા આજે સિગારેટના ધુમાડે ?’
‘ધૂમ્રપાનં મહાદાનમ્ ગોટે ગોટે ગોદાનમ – વત્સ, ધૂમ્રપાન એ મહાદાન છે. એક એક ગોટે એક એક ગાયનું દાન કર્યાનું પુણ્ય મળે છે….’ અમારા દોસ્ત મુકેશને ત્યાં કથા હતી. ત્યાં આ મહારાજ પધારેલા. ચોખા લાવો, ઘી લાવો, અગરબત્તી આપો… આમ કરતાં કરતાં કહે ‘તુલસી લાવો’
મુકેશ કહે : ‘મહારાજ ! તુલસી નથી.’
‘વાંધો નહીં, માણેકચંદ લાવો, ચાલશે.’ મહારાજ વદ્યા. એક વાર રેલવેમાં એક યુવાન સિગારેટ પીતો હતો. એ જોઈ શિક્ષક જેવા લાગતા વડીલે કહ્યું : ‘સિગારેટને બે છેડા હોય છે. એક છેડે અગ્નિ હોય છે અને બીજે છેડે મુરખ.’
પેલો કહે : ‘પણ એની કોમેન્ટ દોઢ ડાહ્યા કરતા હોય છે….’


અમારા મિત્ર સાવલિયા સાથે બે-ત્રણ વાર એમના ગામડે જવાનું થયેલું. એક વાર તેનો મિત્ર હરજી મળેલો. તે વખતે ખેતરમાં કામ કરતાં તે ચલમ પીતો હતો. અમે તેને વ્યસનની અસરો વિશે સમજાવેલું અને તેણે ચલમ ખંખેરી નાખેલી. આપણને આનંદ થયો કે ગામડાના માણસોની સમજણ શહેરીજનો કરતાં સારી છે. બીજી વખત ફરીથી ત્યાં જવાનું બનેલું. આ વખતે હરજી ચોરા પર બેઠેલો અને હુક્કો ગડગડાવે. આપણને આઘાત લાગ્યો કે ચલમ છોડનારો હોકે આવી ગયો ?
‘અલ્યા હરજી ! આ શું કરે છે ?’
‘સાહેબ, તમે જ કહેલું ને કે વ્યસન તો છેટું એટલું સારું !’ વરસો વીતી ગયાં. કદાચ આજે હરજીનું વ્યસન રીમોટ કંટ્રોલથી ચાલતું હશે. જેટલું દૂર એટલું સારું.


તમાકુ ખાનારને ફાઈબ્રોસીસ થાય છે. એટલે મોં પૂરું ખૂલી શકતું નથી. હાસ્યના કાર્યક્રમમાં આવા શ્રોતાઓ મોટેથી હસી નથી શકતાં. માત્ર ખી….ખી…. કરીને સંતોષ માની શકે. બીજા શ્રોતાઓ કરતાં તેઓ માત્ર ચોથા ભાગનું જ હસી શકે. વધુ ટ્રેજેડી તો એ છે કે ભયંકર કંટાળાભર્યા કાર્યક્રમમાં બોર થતા હોવા છતાં એ લોકો બગાસાં ખાઈ શકતાં નથી. આની ખબર કાર્યક્રમ આપનારને આવતી ના હોવાથી તેઓ પણ ખેંચે રાખે છે. સાંભળ્યું છે કે ચરસનું વ્યસન એ હરસના રોગ કરતાંયે ખરાબ છે. જેમ માણસ ઉપગ્રહ છોડી શકે છે પણ પૂર્વગ્રહ છોડી શકતો નથી, એ જ રીતે તે વતન છોડી શકે છે પણ વ્યસન છોડી શકતો નથી. વ્યસનની આ ફૅશન પર રેશન આવે તો સારું.

Sunday, August 5, 2012

FLIP Ship (Floating Instrument Platform)

 The FLIP research vessel (Floating Instrument Platform) is the only ship in the world capable to flip from a horizontal to a vertical position while at sea. It is designed to study wave height, acoustic signals, water temperature and density, and collect meteorological data. 

Saturday, August 4, 2012

Death

 
Native : Morbi
Currently At : Secundrabad
Name of the deceased : Indiraben Hasmukhlal Doshi
Age : 72 Years
Date of Death : 03-08-2012
Husband : Late Hasmukhlal Fulchand Doshi
Sons :Jayesh, Ajay
Daughter : Hinaben Vijay Modi
Brother : Rohitbhai Chhabildas  Varia (Rajkot)
Father :Late Chhabildas Sunderji Varia
 
May her soul rest in eternal peace.
 

મોરબી હાલ સિકન્દ્રાબાદ સ્વ. હસમુખલાલ ફુલચંદ દોશીના ધર્મપત્ની ગં. સ્વ. ઇંદીરાબેન (ઉં. વ. ૭૨) તે હિનાબેન વિજયભાઇ મોદી, જયેશભાઇ, અજયભાઇના માતુશ્રી. રાજકોટ નિવાસી રોહીતભાઇ છબીલદાસ સુંદરજી વારીયાના બેન ૩-૮-૧૨ શુક્રવારના દેહપરીવર્તન કરેલ છે. ચક્ષુદાન કરેલ છે. લૌ. વ્ય. બંધ છે.

*****************

 
Native : Wankaner
Currently At : Ghatkopar,Mumbai
Name of the deceased : Rasiklal Himatlal Shah
Age : 81 Years
Date of Death : 0
2-08-2012
Wife: Late Shushilaben
Brothers : Pravinbhai, Prafulbhai
Sisters-in-Law : Late Kundanben, Ushaben
Sisters : Lilamben Rasiklal Mehta, Manjulaben Suryakant Thakkar, Ranjanben Chandrakant Mehta
Father :Late Himatlal Savjibhai Shah
Father-in-Law : Late  Dalichand Kalyanji Mehta (Akola)

May his soul rest in eternal peace.

વાંકાનેર હાલ ઘાટકોપર સ્વ. હિંમતલાલ સવજી શાહના પુત્ર રસીકભાઇ (ઉં. વ. ૮૧) ૨-૮-૧૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સુશીલાબેનના પતિ. પ્રવીણભાઇ, પ્રફુલભાઇ, લીલમબેન રસીકલાલ મહેતા, મંજુલાબેન સુર્યકાંત ઠક્કર, રંજનબેન ચંદ્રકાંત મહેતાના વડીલ બંધુ. સ્વ. કુંદનબેન, ઉષાબેનના જેઠ. આકોલા નિવાસી સ્વ. દલીચંદ કલ્યાણજી મહેતાના જમાઇ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૪-૮-૧૨ શનિવારના ૩.૩૦ થી ૫.૩૦ સ્થળઃ માધવબાગ, જગડુશાનગર, ગોલીબાર રોડ, ઘાટકોપર (વે.). લૌ. વ્ય. બંધ છે.