Tuesday, April 30, 2013

Samaj Utkarsh Volume No 582 March 2013


This issue of Samaj Utkarsh also has Income Expenditure & Balance Sheet of the Yuvak Mandal for the year 2011-12. The report is printed between pages 17 & 39 which we have not published as the matter is sensitive from public information point of view. 

To read Pages 1 to 8 of Samaj Utkarsh click here 

To read Pages 9 to 16 & 40 of Samaj Utkarsh click here 

To read Pages 41 to 51 of Samaj Utkarsh click here 

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff.

Phone Directory Form Download

You can Download the directory form  from the link provided hereunder.
1) Click the Link
2) Form will open in the browser
3) On Google Doc page there is a print button . Click the button or press Ctrl+P together to print the form
4) Fill the form in GUJARATI 
5) All the members including ladies (if they have their own Cell Phone) should be included in the form
7) Important : Members established outside India are also to be covered in the Telephone Directory. You can take xerox of the form received in the Samaj Utkarsh and fill that form separately with the information of your relative staying abroad.
6) Submit the form to any one of 7 centers or scan the form and email it to mjvtd5@gmail.com.
Download Phone Directory Form

Aston Martin - Dubai Centenary Spectacular at Burj Al Arab


 Aston Martin celebrates 100 years of Power, Beauty and Soul with a spectacular centenary event.


લગ્ન માટે લોન


આજ કાલ લગ્ન ઘણા ખર્ચાળ  થતા જાય છે . સોનાના ભાવ તોલાના 5000-6000 થી વધીને 30000-31000 સુધી પહોચ્યા છે  ખાદ્ય સામગ્રીના ભાવ પણ દિન પ્રતિદિન વધતા  જાય છે . લગ્ન પ્રસંગનો જમણવાર 100-125 રૂપિયામાં થતો તે હવે 500-550નો થઇ ગયો છે . હોલના ભાડા અને કપડા લત્તા બધું જ  મોંઘુ  અને મધ્યમ વર્ગીય માણસની પહોચની બહાર  થતું જાય છે . 

આવા કપરા સંજોગોમાં કન્યાનો બાપ એક સારો મુરતિયો ગોતવામાં  લોહીનું પાણી કરે છે ( હાલના સંજોગોમાં દીકરાનો બાપ પણ બેહાલ છે . તેને પણ સારી ઘરરખ્ખુ કન્યા માટે ફાફા મારવા પડે છે )પરંતુ વાત ત્યાં પતતી  નથી . સામા પક્ષની માંગણીઓ અને અપેક્ષાઓ  સંતોષવાનો બોજ તેના અંતર મન પર છવાયેલો હોય જ છે . મોટા દેખાવાની અને સુખી દેખાવાની હરીફાઈમાં વર  અને કન્યા પક્ષ લગ્ન ટૂંકા અને સાદા રાખવાને બદલે ભપકાદાર અને મોંઘા કરવાની કોશિશ કરે છે  જેથી કરીને પોતે બીજાઓને ગર્વથી કહી શકે કે તેમના લગ્નમાં 550 રૂપિયાની થાળી હતી . 

તેમને આવું ન કરવાનું સમજાવવાના પ્રયત્નો કરવામાં  આવે ત્યારે તેઓ એવો પ્રશ્ન કરે છે કે સાદગીથી લગ્ન કરતા સમાજમાં અમારી છાપ ઉંધી પડે કડકા , ગરીબ કે કંજૂસ તરીકે ગણાવા લાગીએ આનાથી બીજા સંતાનો માટે યોગ્ય સાથી શોધવાનું કઠિન કામ અતિ કઠીન બની જાય માટે તેવું અમે કરી શકીએ એમ નથી .

સમાજે  મધ્યમ  વર્ગ માટે સમૂહ લગ્નનો  વિકલ્પ અમલમાં મુકવાની કોશિશ કરી પણ તે તદ્દન અસફળ રહ્યો કારણકે સમૂહ લગ્નમાં ભાગ લેનાર ગરીબ અને ટૂંકા સાધનો વાળો ગણી  લેવામાં આવે છે . મધ્યમ વર્ગીય માણસ ની હાલત સુડી  વચ્ચે સોપારી  જેવી છે . તેની પાસે મોટો ખર્ચ કરવાની તાકાત નથી અને ઓછો ખર્ચ કરી પોતાને અશક્ત જાહેર કરી શકતો નથી . ખર્ચનો હિસાબ કરીએ તો સહેજે 8-10 લાખનો ખર્ચ દીકરીના લગ્નમાં થઇ  જાય છે આને પાર પાડવા માટે મધ્યમ વર્ગીય માણસની  આંખે લોહીના આંસુ આવી જાય છે .તેની પાસે કદાચ આવક હોય તો પણ એક સાથે આટલી રકમની છૂટ હોતી નથી વધુમાં આજના પગારના ધોરણને હિસાબે તેનું જીવન ધોરણ પણ મોંઘુ થયેલ હોય છે .સમાજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ને ભણવા માટે વ્યાજ વગર લોન આપે છે અને હપ્તા વાર પૈસા પાછા લે છે જેથી મોટી રકમની ફી ભરવાનું કાર્ય તેને માટે સહેલું થઇ જાય છે આવું જ કઈક લગ્ન માટે શરુ કરવાની તાતી જરૂર જણાય છે . કન્યાના માબાપને એક લાખ અને વરના માબાપને 50 હજાર  સુધી ની વગર વ્યાજુ લોન આપવાની યોજના મુકવી જોઈએ જે તેઓ એ હપ્તાવાર ચૂકવવાના રહે . જેઓ પાસે બચત નથી પણ આવક છે તેઓને માટે આ આશીર્વાદરૂપ થઇ શકે . મહીને 5-10 હજાર દેવાની ક્ષમતા ઘણા કુટુંબોમાં હશે તેઓ શાંતિથી લગ્ન પર પાડી  શકે . 

સમાજના સુખી દાતાઓ આગળ આવે અને એક ફંડ ઉભું કરી લગ્ન કરતા કુટુંબીજનોને મદદનો હાથ લંબાવે તો સમાજ ના મધ્યમ વર્ગીય કુટુંબીઓના આશિષ જરૂરથી મળે . 

Birth Anniversary (30-04)


1 ) Doshi Rajnikant Chatrabhuj
2 ) Doshi Mayur Jitendra
3 ) Doshi Chetna Nitin Lalchand
4 ) Mehta Rachna Hitesh Jayantilal
5 ) Patel Nilesh Chhabildas
6 ) Shah Vishwa Bharat Ratilal
7 ) Sheth Deepika Nitin Ramanlal

Monday, April 29, 2013

અબ પછતાયે ક્યા હોત હૈ…. – આશા વીરેન્દ્ર



[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.]
ડસડાટ દોડી જતી ટ્રેનની ઝડપ કરતાં વધુ વેગથી અનિલાના મનમાં વિચારો ચાલતા હતા. આજે જે બન્યું એમાં આમ તો કંઈ નવું નહોતું. બાર વર્ષના લગ્નજીવન દરમ્યાન કેટલીય વાર નાની-મોટી વાત માટે અનિલાને ઠપકો આપવા મયંક આજુબાજુના ચાર ઘરના લોકો સાંભળી શકે એટલા જોરથી ઘાંટા પાડતો. એ પછી જ્યારે અનિલા બહાર નીકળે ત્યારે જાણે એણે કોઈ ગુનો કર્યો હોય એમ પાડોશીઓ એની સામે જોઈ રહેતા. આજે ઑફિસે જવા તૈયાર થતાં એને એકદમ યાદ આવ્યું ને એણે મયંકને કહ્યું : ‘મયંક, લાઈટ બિલ ભરવાની કાલે છેલ્લી તારીખ છે ને મારી પાસે પૈસા નથી તે….’
હવે આમાં એનો શું વાંક-ગુનો હતો ? પણ જાણે કશુંક બહાનું જ શોધતો હોય એમ મયંકે બૂમો પાડવાનું ચાલુ કર્યું.
‘સવારના પહોરમાં પૈસા, પૈસા ને પૈસાની જ વાત હોય. હું તો જાણે પૈસાનું ઝાડ હોઉં એમ મને ખંખેર્યા કરવાનો.’
‘અરે પણ હું તો ફક્ત…..’
‘હા, હા, રાણીસાહેબા, તમે તો ફક્ત હુકમ જ કરો છો. બિલ ભરી દેજે, બેંકમાંથી પૈસા લેતો આવજે, વીમાનું પ્રીમિયમ ભરી દેજે….. અને તમારા આ સેવકે હુકમનું પાલન કરવા તૈયાર રહેવાનું.’

આવી વાતનો શું જવાબ આપવો એ ન સમજાતાં એ ચૂપચાપ ઑફિસે જવા નીકળી ગઈ હતી. લેડીઝ ડબ્બામાં એણે આસપાસ નજર ફેરવી. એ બહાને મન બીજી વાતમાં પરોવાય ! સામે બેઠેલી સ્ત્રી છાપું વાંચી રહી હતી એટલે એનો ચહેરો જોઈ શકાતો નહોતો પણ એના જમણા હાથ પરનું લાખું જોઈને એ ચમકી ઊઠી. એનાથી બોલાઈ ગયું : ‘અરે, કેતકી તું ?’ ખરેખર એ કેતકી જ હતી. બંને કૉલેજકાળની ખાસ બહેનપણીઓ તોયે આજે પંદરેક વર્ષ પછી બંને મળતાં હતાં. કૉલેજ પતાવીને છૂટાં પડ્યા પછી સંજોગો એવા ઊભા થતા ગયા કે એકમેકના લગ્નમાં પણ હાજર ન રહી શકાયું. શરૂઆતમાં થોડાં વર્ષો પત્રો અને ફોનથી સંપર્ક રહ્યો પણ પછી તો એ ય છૂટી ગયો. આજે આટલા વખતે ભેગી થયેલી સખીઓની વાતો પંદર-વીસ મિનિટના પ્રવાસમાં તો શી રીતે પૂરી થાય ?
કેતકીએ કહ્યું : ‘દાંડી મારને આજે ઑફિસમાં ! ચાલ મારે ઘરે. આજે હું એકલી જ છું. આખો દિવસ શાંતિથી રહીએ, ખાઈએ-પીએ અને પેટ ભરીને વાતો કરીએ.’
સવારના બનાવથી ઉદાસ અને બેચેન અનિલાને આ વાત ગમી ગઈ. એ બહાને કંઈક હળવા થવાશે. એણે ઑફિસમાં ફોન કરીને માંદગીની વાત કરીને રજા મેળવી લીધી.

કેતકીનો સુંદર, સુરુચિપૂર્ણ ઢબે સજાવાયેલો ફ્લેટ, આખું કબાટ ભરીને કવિતા અને વાર્તાનાં પુસ્તકો, ફૂલ-ઝાડનાં સુશોભિત કૂંડાઓ – આ બધું જોઈને એ તાજુબ થઈ ગઈ.
‘અલી તારામાં આટલી બધી આવડત વળી ક્યારથી આવી ગઈ ? કેટલું સુંદર રીતે ઘર સજાવ્યું છે !’ એણે કેતકીની મજાક કરતાં કહ્યું.
‘આ બધું કંઈ આપણું કામ નહીં હં ! આ કમાલ તો મારા પતિદેવનો છે.’
‘વાહ ! તું તો ભારે નસીબદાર !’ ધીમો નિઃસાસો નાખતાં અનિલા બોલી. નાનપણથી એને હોંશ હતી કે, પોતાનું ભલે નાનું, પણ કલાત્મક ઢબે સજાવેલું ઘર હોય. પણ મયંકને એવો કશો શોખ તો નહોતો જ, ઉપરાંત આવા કોઈ ખર્ચા કરવા પણ એ તૈયાર ન થતો. ભેજ લાગવાથી દીવાલો પરથી રંગના પોપડા ઊખડી ગયા છે, ટાઈલ્સ ઘસાઈને જૂની થઈ ગઈ છે, ફર્નીચર પણ બાબા આદમના જમાનાનું હોય એવું લાગે છે, સોફાની ગાદી ફાટી ગઈ છે પણ મયંકનો એક જ જવાબ હોય : ‘હજી તો ચાલે એવું છે.’ જો એની કમાણી ઓછી હોત તો પોતે કદી ન બોલત પણ એક મોટી કંપનીમાં માર્કેટીંગ મેનેજર એવા મયંકનો પગાર પાંચ આંકડામાં તો હોય જ ને ! પણ એ તો બસ, બચત કરવામાં જ માનતો- ઘડપણ માટે.

દરવાજાની બેલ વાગી ને કેતકીનો ઈસ્ત્રીવાળો કપડાં આપી ગયો. કબાટ ખોલીને એ ઈસ્ત્રીવાળી સાડીઓ હેન્ગરમાં મૂકવા લાગી. એક સાડી પર અનિલાનું ધ્યાન ગયું, ‘કેતકી, પેલી આસમાની રંગની સાડી બતાવ, કેટલી સુંદર છે !’
‘તે હોય જ ને ! મારા જન્મદિન પર મારા વરજીએ ભેટ આપી છે.’ કેતકીએ ખુશ થતાં સાડી બતાવી. મયંકને કદીયે લગ્નદિવસ, જન્મતિથિ કશું ઊજવવાનું મન ન થતું. સિનેમા-નાટક, હરવું-ફરવું કશામાં એને રસ નહોતો. એને રસ હતો ફક્ત શેરબજારમાં. અનિલાની બધી આવડત, બધા શોખ નિરસતાભર્યા, એકધારા જીવન હેઠળ દબાઈ ગયા હતા.
‘કેતકી, આપણે કૉલેજમાં હતાં ત્યારે બધાં તને ‘ફેટી બ્યૂટી’ કહીને ચીડવતા. તું તો ખાસ્સી જાડી હતી. આટલી પાતળી ને ઘાટીલી કેવી રીતે થઈ ગઈ ?’
‘તું કદાચ મને વરઘેલી કહેશે છતાં મારે કહેવું જ પડશે કે, એનો યશ પણ સતીષને જ જાય છે. ડાયટીંગ કેવી રીતે કરવું, શું અને કેટલા પ્રમાણમાં ખાવું, નિયમિતપણે જીમમાં જવું – બધું એણે પ્રેમથી મને સમજાવ્યું.’
‘તે તારો વર ડાયેટિશિયન છે કે શું ?’
‘ના રે ના, થયેલું એવું કે અમારા લગ્ન પહેલાં એક છોકરી સાથે એનો ઈન્ટરવ્યૂ ગોઠવાયેલો. પહેલી જ મુલાકાતમાં એને છોકરી ગમી ગયેલી. બંને ત્રણ-ચાર વખત મળ્યાં એમાં ખ્યાલ આવ્યો કે બંનેના વિચારો ઘણા મળતા આવે છે પણ માત્ર એ પોતાની આગળ જાડો લાગે છે એમ કહીને પેલી છોકરીને ના પાડી દીધેલી.’

અનિલાને આંચકો લાગ્યો. હા, એનું નામ સતીષ જ હતું. એને અનિલા એટલી પસંદ પડી ગયેલી કે છ મહિનામાં દસ-બાર કિલો જેટલું વજન ઉતારીને એ ફરી પાછો મળવા આવ્યો પણ ત્યારે મયંક સાથે એની સગાઈ થઈ ચૂકી હતી. અજાણપણે અનિલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. કેતકીનું ધ્યાન ન જાય એમ એણે આંખો લૂછી. કેતકીની વાતો ચાલુ જ હતી, ‘અમારી મિટિંગ ગોઠવાઈ ત્યારે એ ઊંચો-ગોરો, 65 કિલો વજન ધરાવતો હેન્ડસમ યુવાન હતો. એની આગળ હું તો ઘણી જાડી લાગતી હતી પણ એણે કહ્યું, મારે બાહ્ય દેખાવને મહત્વ નથી આપવું. મને તો તારો હસમુખો ને નિખાલસ સ્વભાવ ગમી ગયો છે.’
આસમાની સાડી પર હાથ ફેરવતાં અનિલાને કબીરનો પેલો દુહો યાદ આવી ગયો : ‘અબ પછતાયે ક્યા હોત હૈ, જબ ચીડિયન ચુગ ગઈ ખેત.’ એકાએક એ પલંગ પરથી ઊભી થઈ ને એણે કેતકીને કહ્યું : ‘ચાલ હવે હું જાઉં ?’
(રાજશ્રી બર્વેની મરાઠી વાર્તાને આધારે)

Birth Anniversary (29-04)


1 ) Khandor Ankita Deepak Himmatlal
2 ) Mehta Darshini Surendra Shantilal
3 ) Parekh Hina Deepak Ramniklal
4 ) Sanghavi Rushabh Narendra Jayantilal
5 ) Shah Pratik Haresh Kantilal
6 ) Shah Umang Anand Uttamkumar
7 ) Shah Amita Shailesh Shankarlal
8 ) Shah Vidhi Chandresh Harshadray
9 ) Sheth Mansi Parag Himatlal

Sunday, April 28, 2013

Truck Unloading Bamboo Taiwan Style


 A Taiwanese truck driver knows how to unload 3 tons of bamboo in 30 seconds without any extra help.


Birth Anniversary (28-04)


1 ) Lodaria Hardik Mahesh Maganlal
2 ) Patel Rini Nitinkumar Manilal
3 ) Shah Amit Hasmukhray Popatlal
4 ) Sheth Ketan Bipinchandra Navalchand
5 ) Trevadia Apeksha Shashikant Mulchandbhai

Saturday, April 27, 2013

જિંદગીનો જામ એક મિશ્ર પીણું છે, થોડીક વાસ્તવિકતા અને થોડીક કલ્પના....

-ભૂપતભાઇ વડોદરિયા

સાડત્રીસ વર્ષની ઉંમરે કેન્સરના વ્યાધિથી મૃત્યુ પામેલા આઇરિશ નાટ્યકાર જે. એમ. સીંજનું એક નાટક છે ધી વેલ ઓફ સેઇન્ટ્સ.’ આ નાટકમાં એક ભિખારી અને તેની પત્ની છે. બંને અંધ છે. એક સંતપુરુષ તેમને થોડા સમય માટે દ્રષ્ટિ આપે છે. પણ કમનસીબે આ અંધ દંપતીને આંખનું તેજ મળતાં જ એ દુઃખી દુઃખી થઈ જાય છે. આ અંધ દંપતીને આંખો નહોતી ત્યાં સુધી બંને સુખી હતાં. અંધ પતિ માનતો હતો કે પોતાની પત્ની ખૂબ રૂપાળી છે. અંધ પત્ની માનતી હતી કે પોતાનો પતિ ખૂબ દેખાવડો છે. દ્રષ્ટિ મળી ત્યારે બંનેને ખબર પડી કે હવે તેઓ એકબીજાને મુદ્દલ રૂપાળાં લાગતાં નથી. કુરૂપતાનો વાસ્તવિક ચહેરો જ આંખ સામે તરવરી ઊઠે છે. પેલો સંત આ અંધ દંપતીને હંમેશ માટે આંખોનું તેજ મળે તેવું પવિત્ર જળ આપે છેપણ પતિ જાણીબૂજીને  એ પાણી ઢોળી નાખે છે. આંખોનું તેજ પાછું આપનારું એ જળ એને જોઈતું નથીકેમ કે એ તેજને કારણે જિંદગીની રૂપાળી માનેલી છબી કદરૂપી બની જાય છે.

જે. એમ. સીંજનું આ નાટક પોણો સો વર્ષ પહેલાં તખ્તા પર રજૂ થયું ત્યારે નિષ્ફળ ગયું હતું. પણ આજે વિવેચકો આ નાટકને સીંજની એક ઉત્તમ કૃતિ ગણે છે. જે. એમ. સીંજનું સૌથી વધુ જાણીતું અને સફળ નાટક તોરાઇડર્સ ટુ ધી સી’ છે. આ પણ એક કરુણાંત નાટક છે. આ નાટકમાં એક વૃદ્ધ નારી પોતાનો પતિ અને પાંચ પુત્રીને દરિયાલાલના ખોળે ખોઈ બેઠેલી છે. છઠ્ઠો પુત્ર પણ એ ગુમાવી બેસે છે ત્યારે એ કહે છે ઃ કોઈ પણ માણસ હંમેશ માટે જીવતો રહી શકે નહીં. જેટલું જિવાય એટલું ઘણું!

પોતાની જિંદગીને નક્કર ધરતી ઉપર દોડવનારા કોઈક ક્ષણે એવું કબૂલ કરે છે કે જિંદગીનો જામ એક મિશ્ર પીણું છેથોડીક વાસ્તવિકતા અને થોડીક કલ્પનાનું એ મિશ્રણ છે. થોડીક આશા અને થોડીક ભ્રમણાનું એ અદ્ભુત મિશ્રણ છે. માણસ ગમે તે દાવો કરેકોઈ માણસ કદી નરી વાસ્તવિકતાનો તેજાબ પી શક્યો જ નથી. ગઈ કાલે એક માણસ હટ્ટોકટ્ટોહસતોકૂદતો આપણી આંખ સામે હતોએક નહીંઅનેક આંખોએ તેને નક્કર રૂપમાં જોયો હતો. આજે એ માણસ નથી! ક્યાં ગયો એ માણસકોઈને કશી ખબર નથી. આપણે જિંદગીના તખ્તા ઉપર ભાતભાતનાં દ્રશ્યો નિહાળીએ છીએહરખાઈએ છીએરડીએ પણ છીએ અને એકદમ વાસ્તવિક’, ‘ખૂબ સુંદરએવી દાદ પણ આપીએ છીએપણ આ બધાં દ્રશ્યો આપણે હજુ પળબે પળ માટે જોયાં ત્યાં તો એક અનંત શૂન્યતામાં વિલીન થઈ જાય છે. માણસની જિંદગીનો પહેલો અંક એનાં માબાપ લખતાં હશેજિંદગીનો બીજો અંક તે પોતે જાતે લખવાનો દાવો કરી શકે તેમ હશે. પણ જિંદગીનો ત્રીજો અંક

જિંદગીનો ત્રીજો અંક તો કોઈક અદ્રશ્ય હાથ લખે છે એમ ચોક્કસ માનવું પડે. ક્યારેક આ અંક કશા ઢંગધડા વગરનોકશા જ અર્થ વગરનો લાગે છે. વેઇટિંગ ફોર ગોદોના નાટ્યકાર સેમ્યુઅલ બેકેટ જેવો જ કોઈ નાટ્યકાર આકાશના કોઈક ઓઝલ ઝરૂખામાં બેઠો બેઠો અધૂરી ઘટનાઓ ઉપર પડદા પાડી દેતો હોય એવું પણ લાગે. જે તખ્તા પર અજવાળું અજવાળું આપણે જોઈ રહ્યા હોઈએ ત્યાં એકદમ અંધારું અને કાં તો ખાલીખમ તખ્તો જ્યારે જોવા મળે ત્યારે પળવાર શ્વાસ થંભી જાય! આ કઈ જાતનું નાટકપડદો તો પાડી દીધોપણ પેલા વેશ ભજવનારા ક્યાં ગયાખરેખર કશું હતા જ નહીંએ કોઈની જાદુગરી કલ્પનાના ફરજંદ હતા કે પછી એ આપણા પ્રેક્ષકોનાં દિવાસ્વપ્નો માત્ર હતાંમાણસના મોતને આખરી અંત માનવા આજે કોઈ તૈયાર નથી. કેટલાક વિજ્ઞાનીઓ જાતજાતની ધારણાઓદલીલો અને કેટલાક પુરાવા આગળ કરીને કહે છે કે મૃત્યુ એ અંત નથી. આત્માનો એકમ શું છે તેની અમને ખબર નથીપણ તેનું એક સારરૂપ તત્ત્વ મરતું નથીકોઈક બીજી અવસ્થામાં મોજૂદ રહે છે. તે ફરી વાર જન્મે છે કે કેમ તેની અમને ખબર નથી પણ આત્મતત્ત્વ’ જેવું કાંઈક છે તે નક્કી અને તે માણસની કાયાનો માટીકૂબો ભાંગી જતાં જ ત્યાં ને ત્યાં કચડાઈ કે ઓલવાઈ જતું નથી. જિંદગી જેવી છે તેવી જ તેને ચાહવી અને માણવી જોઈએ. ફેફસાં અને હૃદય હાંકનારી હવા અને એકંદર ચાલકબળ ક્યાંક બહારથી મળે છે. જિંદગીની વૃદ્ધિ અને વિલયમાં કોઈ ચોક્કસ ગણિત કે ગણતરીઓ ચાલતી નથી. કેટલાક તેની ઉપર એક આકૃતિ ઊભી કરવા મથે છેકેટલાક એમાં જાતજાતના રંગોની ભાત ઊભી કરવા મથે છે. કોઈક વળી જાતજાતનાં રક્ષણોની કાંટાળી વાડ ઊભી કરે છે. પણ સરવાળે તો આ આકાર અને આ રંગોળીની બહાર નીકળી જઈને જિંદગી પોતાનો મનસ્વી મિજાજ બતાવે જ છે.

Birth Anniversary (27-04)


1 ) Doshi Nilesh Khushalchand Popatlal
2 ) Doshi Parth Sandip Nagindas Bhudarlal
3 ) Mehta Jaini Vimal Hasmukh Ambavidas
4 ) Mehta Bhavin Kirit Sukhlal
5 ) Sanghavi Vinaychandra Chhaganlal
6 ) Shah Rupal Amitkumar Gandhi
7 ) Shah Suryaben Jayendra Kantilal
8 ) Sheth Bhupatray Khusalchand
9 ) Solani Fenil Tushar Kishorchandra
10) Vora Rukshmaniben Bhogilal
11) Vora Mukesh Nagindas

Friday, April 26, 2013

Death




Native : Wankaner
Currently At : Borivali, Mumbai
Name of the deceased : Keshavlal Sukhlal Mehta
Age : 87 Years 

Date of Death : 23-04-2013 
Wife :Late Sarlaben
Sons : Dilip, Rajesh,Chetan
Daughters-in-Law : Kalpana, Kashmira, Dharini
Brothers : Late Jayantilal, Arvindbhai, Late Mahendrabhai, Suryaakant
Sisters : Kamlaben Sukhlal, Rasilaben Chamanlal, Shushilaben Indulal
Father-in-Law : Late Raichand Lalchand Doshi

May His Soul rest in eternal peace


વાંકાનેર હાલ બોરીવલી કેશવલાલ સુખલાલ મહેતા (ઉં. વ. ૮૭), તે સ્વ. સરલાબેનના પતિ. દિલીપ, રાજેશ, ચેતનના પિતા. કલ્પના, કાશ્મીરા, ધારીણીના સસરા. સ્વ. જયંતિલાલ અરવિંદભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સૂર્યકાંત, કમળાબેન સુખલાલ, રસિલાબેન ચમનલાલ, સુશીલાબેન ઈન્દુલાલના ભાઈ. રાયચંદ લાલચંદ દોશીના જમાઈ ૨૩-૪-’૧૩ ને મંગળવારે અરિહંતશરણ થયેલ છે. બંને પક્ષ તરફથી ભાવયાત્રા ૨૬-૪-’૧૩ના શુક્રવારે ૧૦ થી ૧૨. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, લોકમાન્ય તિલક રોડ, ડાયમંડ ટોકિઝની સામે, બોરીવલી (વેસ્ટ). (લૌ. વ્ય. બંધ છે).

Chinese Acrobats


An amazing acrobatic performance from China.

Birth Anniversary (26-04)


1 ) Doshi Himani Nitin Jaysukhlal Shantilal
2 ) Doshi Nishit Rasiklal
3 ) Gandhi Jignesh Dhirajlal
4 ) Mehta Jiten Harshad Sevantilal
5 ) Parekh Hasmukh Jethalal
6 ) Sanghavi Divya Rameshchandra Gopalji
7 ) Sanghavi Narendra Shantilal
8 ) Shah Beena Girish Hakemchand
9 ) Shah Dinesh Manharlal
10) Shah Indumati Madhukar Shantilal Bhurabhai
11) Sheth Anmol Manish Kishor
12) Vora Navnitray Hematlal

Thursday, April 25, 2013

બુદ્ધિશાળી શિયાળ



પોતાની ગુફા અને સાથીઓથી અલગ પડી ગયેલું એક શિયાળ ગીચ ઝાડીમાંથી રસ્તો શોધવા મથામણ કરી રહ્યું હતું. જંગલ એટલું બધું ગાઢ હતું કે તેમાંથી પસાર થવામાં મુશ્કેલી પડે. એવામાં બરાબર તેની સામે જ એક સિંહ આવી ગયો. શિયાળ પાસે ભાગવાનો કોઈ રસ્તો જ નહોતો એટલે ફફડી ઊઠ્યું. સિંહ એક છલાંગમાં જ તેને ઝડપી લે એટલું જ અંતર હતું. તેથી શિયાળ ભાગી શકે એવી સ્થિતિમાં જ નહોતું. છતાં તેણે ઝડપથી યુક્તિ વિચારી લીધી અને સિંહ છલાંગ મારે એ પહેલા મોટેથી તાડૂક્યું : ‘મારા માર્ગમાં આડે આવવાની તેં હિંમત કેવી રીતે કરી ? શું તને ભગવાનનો ડર નથી લાગતો ?’ આવા આકસ્મિક હુમલાથી સિંહ તો ડઘાઈ જ ગયો. તેને આ રીતે કોઈ સવાલ કરે એવી તો તેને કલ્પના પણ નહોતી. ક્ષણિક આઘાતમાંથી બહાર આવેલા સિંહે શિયાળને પૂછ્યું : ‘તું આવો દાવો કેવી રીતે કરી શકે ? તને ભગવાને મોકલ્યું છે એની સાબિતી શું ?’
શિયાળ પાસે જવાબ તૈયાર જ હતો. તેણે કહ્યું : ‘ચાલ મારી સાથે જંગલમાં ફર, તને ખબર પડી જશે. તું મારી પાછળ પાછળ ચાલજે અને જોજે કે તમામ પ્રાણીઓ મને કેટલું સન્માન આપે છે !’ આમ સિંહ શિયાળની પાછળ પાછળ ચાલવા લાગ્યો અને બન્યું એવું જ. નાનાં-મોટાં પ્રાણીઓ કાં તો ભાગી જતાં અથવા આ બંનેને રસ્તો કરી આપતાં. જોકે હકીકત તો એ હતી કે શિયાળની પાછળ ચાલી રહેલા સિંહને કારણે આ પ્રાણીઓ ડરીને આવું કરતાં હતાં. એ બધું જોઈને સિંહ પણ જાણે પ્રભાવિત થઈ ગયો, પરંતુ પોતાના આ ચતુરાઈભર્યા ઉપાયને કારણે શિયાળનો જીવ તો બચી ગયો.
બોધ : ગમે તેવી મુશ્કેલી આવી પડે છતાં શાંત રહીને તેના ઉપર યોગ્ય વિચાર કરવામાં આવે તો માર્ગ ચોક્ક્સ મળી રહે છે. ડરી જવાને બદલે બુદ્ધિપૂર્વક તર્કનો ઉપયોગ કરવામાં આવે તો આપણે ગંભીર મુશ્કેલીમાં સપડાતા બચી જઈ શકીએ છીએ.

Birth Anniversary (25-04)


1 ) Lodaria Nitin Mugatlal
2 ) Mehta Samkit Paras Suryakant Sukhlal
3 ) Mehta Kamlesh Himmatlal
4 ) Parekh Purnima Rajesh Manharlal
5 ) Shah Neha Purvik Mehta
6 ) Shah Samir Natvarlal
7 ) Shah Gitaben Kishorbhai Anopchand
8 ) Sheth Parshva Kiran Kishor Revashankar

Wednesday, April 24, 2013

Comedy: Men In Coats


 The comedy team 'Men in Coats' are the masters of nonverbal entertainment.



Birth Anniversary (24-04)


1 ) Doshi Riya Nitin Indulal Manilal
2 ) Sanghvi Dina Hiren Navinchandra
3 ) Gholani Ronit Maulik Mahesh Balachand
4 ) Mehta Kundanben Pravinchandra Amrutlal
5 ) Mehta Akshat Paras Chandrakant Vanechand
6 ) Parekh Preksha Himanshu Kanakbhai
7 ) Parekh Mital Manoj Vallath
8 ) Patel Anantray Nemchand
9 ) Sanghavi Abhaykumar Ghelabhai
10) Sheth Priya Piyush Mahendra
11) Solani Chintan Jitendra Laxmichand

Tuesday, April 23, 2013

વિશ્વાસ– સં. અલકેશ પટેલ

નવસારીનો એક નટ હતો. તેની કલાબાજી જોઈને લોકો મોઢામાં આંગળાં નાખી જતા હતા. હવે તેણે મોટા શહેરોમાં જઈને ત્યાં પણ પોતાની કળા બતાવવાનો નિર્ણય કર્યો. નાના નગરો અને ગામોમાં તો તે વાંસ ઉપર દોરડું બાંધી તેના ઉપર સંતુલન રાખીને ચાલતો અને બધા ખુશ થઈ જતા, પરંતુ શહેરના લોકોને ખુશ કરવા તેણે વધારે સાહસપૂર્ણ ખેલ કર્યો. વીસ માળ ઊંચા બે મકાનોની અગાસી વચ્ચે બંધાયેલા દોરડા પર તે સંતુલન માટે હાથમાં એક ડંડા સાથે એક છેડેથી બીજા છેડે ચાલીને જતો. બીજા છેડેથી પાછા ફરતી વખતે પોતાના એક સહાયકને ખભે બેસાડીને આવતો. એક દિવસ લોકો તેનો આ સ્ટંટ જોઈને તાળીઓ વગાડી રહ્યા હતા ત્યારે તેણે પૂછ્યું : ‘શું તમને સૌને ખાતરી છે કે આ સ્ટંટ હું બીજી વાર કરી શકીશ ?’ બધાએ ઉત્સાહભેર એકીઅવાજે ‘હા’ કહ્યું. તે બોલ્યો : ‘અચ્છા, તો જે લોકો મારા સહાયક બનવા માટે તૈયાર હોય તે આગળ આવે. હું તમને મારા ખભે બેસાડીને આ છેડેથી સામેના છેડા સુધી લઈ જઈશ.’ આ સાંભળતાંની સાથે જ ચોતરફ શાંતિ છવાઈ ગઈ અને ટોળું ધીમે ધીમે વિખરાવા લાગ્યું.
બોધ : કોઈની પ્રતિભા વખાણવી અને તેની ક્ષમતામાં વિશ્વાસ કરવો એ બે જુદી-જુદી વાતો છે. કળાકાર હોય કે બાળક – તેની ક્ષમતામાં વિશ્વાસ મૂકવાથી તે વધારે ઉત્તમ પરિણામો આપી શકે છે.

Birth Anniversary (23-04)


1 ) Lodaria Nipesh Vinodrai Chhabildas
2 ) Parekh Viral Jagdish Kantilal
3 ) Parekh Gita Nilesh Sanghavi
4 ) Shah Saloni Parag Kishorbhai
5 ) Trevadia Abhijit Dinesh Mulchandbhai

Monday, April 22, 2013

BMW Vision ConnectedDrive: 10 Steps How To Multiply Your Wealth


 10 steps how to easily multiply your wealth using the new "BMW Vision ConnectedDrive".  A funny (high-tech) video by BMW.


Birth Anniversary (22-04)


1 ) Mehta Arpit Yogesh Natvarlal
2 ) Mehta Aashique Kumudchandra
3 ) Mehta Sevantilal Jethalal
4 ) Mehta Pratham Devesh Jashwantrai Revashankar
5 ) Shah Hetal Mahesh Manharlal
6 ) Shah Madhukar Shantilal Bhurabhai
7 ) Sheth Nimish Mukesh Navalchand
8 ) Sheth Nemish Dhanvantrai Shivlal
9 ) Mehta Lata Viresh Chunilal

Sunday, April 21, 2013

Facts about Eyes

Amdavadis4Ever@yahoogroups.com

મેં તમને ઓળખ્યાં નહિ – સં. અલકેશ પટેલ



હજુ હમણાં જ 45મો જન્મદિવસ ઊજવનાર હેમાબહેનને હાર્ટઍટેક આવ્યો. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. ઑપરેશન ટેબલ સુધી પહોંચતા પહોંચતા તો તેમને બહુ જ નજીકથી મૃત્યુનો અહેસાસ થયો. તેઓ આમ ખાસ ધાર્મિક વૃત્તિનાં નહોતાં, છતાં મૃત્યુ સમયે ઈશ્વરને યાદ કર્યા અને ઑપરેશન થિયેટરની બહાર તેમની મૂર્તિ જોઈને પૂછ્યું, ‘હે ભગવાન, શું મારો અંતિમ સમય આવી ગયો છે ?’ ભગવાને કહ્યું : ‘ના, હજુ તો તમારી પાસે 43 વર્ષ, બે મહિના અને આઠ દિવસનું જીવન બાકી છે.’ પછી તો તેમનું ઑપરેશન સારી રીતે પાર પડ્યું.
તે સંપૂર્ણ સાજા થઈ ગયા, છતાં ત્યાંથી રજા લઈને ઘરે જવાને બદલે તેમણે હૉસ્પિટલમાં જ રહીને ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી. હોઠ, નાક ઠીક કરાવ્યાં. પેટ પર વધી ગયેલી ચરબી દૂર કરાવી. આ રીતે શરીરનાં જે અંગોમાં તેમને ખામી લાગી તે બધાં જ અંગો તેમણે ઠીકઠાક કરાવી લીધાં. એટલે સુધી કે બ્યુટિશિયનને હૉસ્પિટલમાં જ બોલાવી વાળનો રંગ પણ બદલાવી નાખ્યો. હેમાબહેન આવું કરે તે પણ સ્વાભાવિક હતું, કારણ કે તેમની પાસે સરસ રીતે જીવન જીવવા માટે હવે ચાર દાયકા કરતાં વધુ સમય હતો.
હૃદયરોગના ગંભીર હુમલા પછી તેમને તો જાણે નવું જીવન જ મળ્યું હતું. તેથી ભવિષ્યના જીવન માટે તેમણે પોતાની જાતને સંપૂર્ણપણે ફિટ કરી લીધી. હૉસ્પિટલમાં છેલ્લામાં છેલ્લું ઑપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા પછી તે ઘરે જવા નીકળ્યાં. જીવનના અનેરા ઉત્સાહ સાથે તે રોડ ક્રોસ કરતાં હતાં ત્યારે જ એક એમ્બ્યુલન્સની ટક્કર વાગી અને તેમનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ બાદ ઈશ્વર સાથે ભેટો થયો ત્યારે તેમણે ઈશ્વરને પૂછ્યું કે, ‘તમે તો કહ્યું હતું કે મારે હજુ 43 વર્ષ, બે મહિના અને આઠ દિવસ જેટલું જીવવાનું બાકી છે. તો પછી આ શું થયું ? શા માટે મને અહીં બોલાવી લીધી ?’
જવાબમાં ભગવાને એટલું જ કહ્યું કે : ‘હું તને ઓળખી જ ન શક્યો.’

બોધ : બોધ સરળ અને સ્પષ્ટ છે – કુદરતે તમને જે રંગ-રૂપ આપ્યાં હોય તેને જાળવી રાખો. બનાવટી જીવન તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બની શકે કે તમે તમારી ઓળખ પણ ગુમાવી દો !
.

Birth Anniversary (21-04)


1 ) Gandhi Paresh Nyalchand Mansukhlal
2 ) Gandhi Chanda Mahendra Dhirajlal Virpal
3 ) Khandor Vipul Bhupendra Lalchand
4 ) Lodaria Pinali Hemal Ravichand
5 ) Mehta Jigar Parag Jayantilal
6 ) Mehta Kruti Kamlesh Kantilal
7 ) Mehta Diya Tejas Navinchandra Shantilal
8 ) Mehta Arun Manharlal
9 ) Mehta Reema Devang Arun Manharlal
10) Mehta Devendra Pranlal Amrutlal
11) Sanghavi Esha Mahesh Maganlal
12) Sanghavi Hitesh Pravinchandra Harjivan
13) Shah Ankita Jignesh Jitendra
14) Shah Ajay Nagindas
15) Shah Toral Parag Kishorbhai
16) Shah Arvind Devchand
17) Sheth Rushabh Mahesh Keshavlal
18) Vora Mukesh Maneklal

Saturday, April 20, 2013

Death



Native : Wankaner
Currently At : Kandivali, Mumbai
Name of the deceased : Laxmichand Chhotalal Solani
Age : 89 Years 
Date of Death : 17-04-2013 
Wife :Late Taramati
Son : Jitendra
Daughter-in-Law : Harsha
Daughters : Ranjanben, Leenaben, Amisha
Sons-in-Law : Bhupatrai,Chandrakant,Atul 
Father : Late Chhotalal Maganlal Solani 
Mother : Late Maniben
Father-in-Law : Late Abhechand Somchand Sanghavi (Wankaner)

 May His Soul rest in eternal peace


વાંકાનેર હાલ કાંદીવલી સ્વ. મણીબેન છોટાલાલ મગનલાલ સોલાણીના પુત્ર લક્ષ્મીચંદ (ઉં. વ. ૮૯) તે સ્વ. તારામતીના પતિ તા. ૧૭-૪-૧૩ના દેહપરીર્તન કરેલ છે. તે રંજનબેન, લીનાબેન, જિતેન્દ્ર, અમીષાના પિતાશ્રી. ભુપતરાય, ચંદ્રકાંત, સૌ. હર્ષા, અતુલના સસરા. વાંકાનેર સ્વ. અભેચંદ સોમચંદ સંઘવીના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રવિવાર તા. ૨૧-૪-૧૩ના ૧૦ થી ૧૨ ઠઠાઇ ભાટીયા હોલ નં ૨, શંકરગલી, એસ. વી.રોડ જંકશન, કાંદીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.






Amazing Flexible Dancer - Vita Radionova



Vita Radionova from the Ukraine at the French TV show "The World's Greatest Cabaret."

 


Birth Anniversary (20-04)


1 ) Doshi Hemant Dineshchandra Bhaichand
2 ) Gandhi Vishat Jayesh Himmatlal
3 ) Mehta Nihar Parag Balwantrai Malichand
4 ) Parekh Rekha Jagdish Kantilal
5 ) Parekh Mehul Praful Jagjivandas
6 ) Sanghavi Nila Lalitrai Kantilal
7 ) Shah Het Shetal Vinodray
8 ) Shah Shardaben Jayantilal
9 ) Shah Malvika Bakul Hasmukh
10) Sheth Toral Deepak Mansukhlal
11) Vakharia Linaben Dhirajbhai Dadia

Friday, April 19, 2013

Death




Native : Morbi
Currently At : Vikhroli, Mumbai
Name of the deceased : Hemlata Jitendra Shah 
Age : 59 Years 
Date of Death : 17-04-2013   
Husband :Jitendra Hasmukhrai Shah
Sons : Hitesh , Nirav
Brothers-in-Law (Diyar): Bakul, Haren, Yogesh, Deepak
Sisters-in-Law : Malvika, Dharmistha, Shashikala, Kiran, Mitaben Ashokkumar Shah
Father : Late Amritlal Chatrabhuj Shah
Brothers :Sukhlal, Vadilal,Anopchandbhai, Kantibhai, Mahendrabhai
Sisters : Chandanben, Veenaben
Father-in-Law : Late Hasmukhrai Fulchand Shah 
 
 May Her Soul rest in eternal peace 
 

મોરબી (હાલ વિક્રોલી)ના સ્વ. હસમુખરાય ફૂલચંદ શાહના પુત્ર જિતેન્દ્રનાં પત્ની હેમલતા (ઉં.વ. 59). તે હિતેશ, નીરવનાં માતા. બકુલ, હરેન, યોગેશ, દીપક, માલવિકા, ધર્મિષ્ઠા, શશિકલા, કિરણ, મીતાબેન અશોકકુમાર શાહનાં ભાભી. અમૃતલાલ ચત્રભૂજ શાહનાં દીકરી. સુખલાલ, વાડીલાલ, અનોપચંદભાઈ, કાંતિભાઈ, મહેન્દ્રભાઈ, ચંદનબેન, વીણાબેનનાં બેન તા. 17મીએ અરિહંતશરણ પામ્યાં છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 20મી ને શનિવારે 3.30થી 5. ઠે.: ઉત્સવ અને ઉમંગ બૅન્કવેટ હૉલ, 90 ફૂટ રોડ,  ઘાટકોપર (પૂ.). લૌકિક વ્યવહાર બંધ છે.

Death


    
Native : Morbi
Currently At : Thana, Mumbai

Name of the deceased : Rekhaben 
Sureshchandra Mehta
Age : 56 Years 
Date of Death : 16-04-2013   
Husband :Sureshchandra Jethalal Mehta
Son : Akshay, Shrenik, Chintan  
Brothers-in-Law (Jeth-Diyar): Late Naginbhai, Sevantilal,  Hasmukhbhai
Sisters-in-Law : Vijyaben Harshadray Mehta, Ramilaben Sureshchandra Vora, Urmilaben Chandrakant Patel, Late Padmaben Jaysukhlal Mehta
Father : Late Bhagwanlal Khetshibhai Shah (Surendranagar)
Father-in-Law : Late Jethalal Vallabhdas Mehta

May Her Soul rest in eternal peace



મોરબી (હાલ થાણા) જેઠાલાલ વલ્લભદાસ મહેતાના પુત્ર સુરેશચંદ્રના ધર્મપત્ની રેખાબેન (ઉં. વ. ૫૬) તે અક્ષય, શ્રેણીક, ચિંતનના માતુશ્રી, તે સ્વ. નગીનભાઈ, સેવંતીલાલ, હસમુખભાઈ, ગં. સ્વ. વિજયાબેન હર્ષદરાય મહેતા, અ. સૌ. રમીલાબેન સુરેશચંદ્ર વોરા, અ. સૌ. ઉર્મિલાબેન ચંદ્રકાંત પટેલ, સ્વ. પદમાબેન જયસુખલાલ મહેતાના ભાઈના પત્ની, પિયર પક્ષે ભગવાનલાલ ખેતશીભાઈ શાહ (સુરેન્દ્રનગર)ના પુત્રી મંગળવાર, ૧૬-૪-૧૩ના અરિહંતશરણ પામેલ છે. શ્રી શેત્રુંજય ભાવયાત્રા ગુરુવાર, ૧૮-૪-૧૩ના ૯ થી ૧૧. સ્થળ: પંચાયત ભવન, શ્રી મુનિસુવ્રત જૈન દેરાસર સામે, ટેંભી નાકા, થાણા (વે.). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Benefits of Banana -Part II

Amdavadis4Ever@yahoogroups.com

કોના પુણ્ય પ્રતાપે ? – હરિકૃષ્ણ પાઠક



ગાંધીનગરમાં મકાન બંધાવવાનું શરૂ કર્યું ત્યારની મનઃસ્થિતિ કંઈક વિપરીત હતી. એ અરસામાં જ એક કાવ્ય લખેલું :
પાયા પૂર્યા ને કાઢ્યાં ભીંતડાં, મેલી છત ને કાંઈ કોર્યાં રે કમાડ; હવાને પાણીને તરતાં તેજના, પાડ્યા ખાંચા-ખચકા ને વાળી વાડ; કળીએ કપાણો જીવણ જીવડો !
પર્યાવરણ મારે માટે એક પ્રાથમિકતા ધરાવતી નિસબત છે, તેથી મકાનનાં ચણતરમાં વૃક્ષોના ઉચ્છેદનનું નિમિત્ત ન બનવાનો ખ્યાલ હતો. પણ રુચિ એવી કે લાકડાનાં બારીબારણાં વધુ ગમે ! એવામાં મિત્ર સનતભાઈ પાસેથી જાણ્યું કે ધ્રાંગધ્રામાં રેલવેના જૂના સલેપાટ (સ્લીપર્સ)ની સાઈઝો મળે છે, અને તેમણે તેવું લાકડું ઉપયોગમાં લીધું છે. સાથોસાથ એ પણ જાણ્યું કે તેમને આ કામ માટે એક સારા મિસ્ત્રી પણ મળ્યા છે. આથી ધ્રાંગધ્રાનું સ્લીપર્સનું લાકડું; ને ત્યાંના નજીકના ગામ શિયાણીના મિસ્ત્રી બળદેવભાઈની કારીગરી યોજવાનું ઠરાવ્યું. સ્લીપરની સાઈઝોનું માપ મિસ્ત્રીએ કાઢી આપ્યું. તેમાંથી જ તેમની ચોકસાઈનો અણસાર મળ્યો. એકાદ વાર તો હું ને સનતભાઈ ધ્રાંગધ્રા જઈ આવ્યા. ત્યાંના લાટીના શેઠ પ્રકાશભાઈ શાહનો આ તો સાઈડ બિઝનેસ હતો. પણ સનતભાઈ સાથે મૈત્રી થઈ ગયેલી તેનો લાભ મને પણ મળ્યો.
બીજી વાર અમે મિસ્ત્રીને સાથે લઈને ગયા. ત્યારેય જમવાનું તો પ્રકાશભાઈને ત્યાં જ હતું. અમે માત્ર લેવા જતા, પણ મહેમાન થઈને રહેતા. મિસ્ત્રીને વધુ રસ લાકડાના એ ગંજમાંથી સારામાં સારી સાઈઝો કાઢવાનો રહેતો. તેમનું કામ ખૂબ ખંત, ચીવટ, ચોકસાઈથી કરે. કેટલું લાકડું જોઈશે તેનો હિસાબ મનોમન કરી લે ને પ્રકાશભાઈ કૉમ્પ્યુટરનાં બટન દબાવીને અંદાજ આપે તો બળદેવભાઈનો હિસાબ સરખો જ ઊતરતો હોય ! લાટીમાં કામ કરતા બાબુલાલ, હિસાબકિતાબ રાખનાર રિટાયર્ડ રેલવે ગાર્ડ જોષી સાહેબ કે પરચુરણ સાંધા-સુંધીને ફાચર-રંધા મારનાર સતવારા કારીગર સાથે મિસ્ત્રીએ સહજમાં આત્મીયતા કેળવી લીધી. પછી અર્ધો માલ આવી ગયો ને મિસ્ત્રીએ તેમનું કામ શરૂ કર્યું. શરૂમાં દરવાજાની ફ્રેમો બનાવી. મારા ક્વાર્ટરના આંગણામાં જ ચીકુડીના છાંયડે મિસ્ત્રી કામ કરે. ક્યારેક મદદમાં કોઈ છોકરડાને લાવે. ક્યારેક પહોંચતી ઉપરના ડુંગરભાને લાવે, ને ક્યારેક તેમના મોટાબાપાના જમાઈ રમેશલાલને.
પોતાના જેવી જ ચોકસાઈથી બધાં કામ કરે તેવો તેમનો આગ્રહ. આથી સાથી કારીગરો સાથેનો મિસ્ત્રીનો વ્યવહાર રસ પડે તેવો રહેતો. પછી બાકી રહેલું બારીની સાઈઝોનું લાકડું આવવામાં મોડું થતું ગયું, તે પ્રકાશભાઈનો આગ્રહ એવો કે મિસ્ત્રી જાતે માલ પસંદ કરી જાય તો પછીથી સારું-મોળું ન થાય. એટલે એક વખત મિસ્ત્રીને એકલા જવાનું થયું. જાડી ગણતરી કરીને મેં તેમને ભાડાના, વાટ ખરચીના ને જમવાના પૈસા આપ્યા. મિસ્ત્રી ધ્રાંગધ્રા ગયા ને તેમનું કામ પાર પાડી આવ્યા. તેમના કહેવા પ્રમાણે ‘માલ કાઢ્યો નો’તો, એટલે બધાંયને ઉસકાવ્યા !’ ને પાછા આવીને મને વધેલા પૈસા પરત કર્યા.
મેં પૂછ્યું : ‘પૈસા વધે ક્યાંથી ? ભૂખ્યા રહ્યા’તા કે શું ?’
તો કહે : ‘આ વખતેય મને પ્રકાશભાઈએ લોજમાં જમાડ્યો’તો. એટલે ખાવાનું ખરચ થયું નથી.’
મેં કહ્યું : ‘ભલે રહ્યા, પછી વાત.’

પછી મિસ્ત્રીએ બિલ આપ્યું ત્યારે તેમના છેલ્લા ફેરાના દિવસનું રોજ ભર્યું ન હતું. અગાઉ ભરેલું, પણ આ વખતે નહોતું ભર્યું. મેં પૂછ્યું તો કહે : ‘હું ધ્રાંગધ્રા ગ્યો એ દિવસે અમાસ હતી; અમે અમાસને દિવસે કામ નો કરીએ, એટલે રોજ ભર્યું નથી !’ માત્ર પોતાના કામમાં જ નહીં, આર્થિક વ્યવહારોમાં એ નીતિનું એક ચોક્કસ ધોરણ જાળવીને, જાત તોડીને કામ કરતા એક આખા પ્રામાણિક નિમ્ન મધ્યમ વર્ગના પ્રતિનિધિરૂપે મેં મિસ્ત્રીને જાણ્યા. એક ઠેકાણે કામ ચાલતું હોય ત્યારે, તે પૂરું થાય ત્યાં સુધીમાં બીજું કામ મળી રહે, ને એમ ‘લાઈન’ ગોઠવાઈ જાય તેની ચિંતા આ ઊભડ કામ કરનારાઓને હંમેશ રહેતી હોય છે તેમ છતાં જે નીતિમત્તાનું ધોરણ આ વર્ગના લોકોમાં જોઉં છું, તેની સામે આપણા ઉચ્ચત્તમ પદો પર બિરાજનાર મહાનુભાવોના ભ્રષ્ટાચારોની ભરમાર વ્યથિત કરી મૂકે છે. આખા દેશની પ્રજામાં ભ્રષ્ટાચારીઓનું પ્રમાણ ટકાવારીની દષ્ટિએ કદાચ ઓછું હશે, પરંતુ તેમને હસ્તકની સત્તાઓ અને વગવસીલા એવા છે કે આખા દેશને પારાવારનું નુકશાન અને હાનિ પહોંચે છે. અને આમ છતાં આપણો આ સમાજ ટકી રહ્યો છે એ તો પેલા ઊભડિયાઓના પુણ્યપ્રતાપે જ ને !

Birth Anniversary (19-04)


1 ) Doshi Rekha Rohitkumar Chandulal
2 ) Doshi Priti Bhalesh Bhupatrai Bhaichand
3 ) Mehta Ila Rajesh Pravinchandra
4 ) Mehta Himanshu Anilkumar
5 ) Mehta Dimple Dharmesh Tarunkumar
6 ) Parekh Kusum Kalpesh Shah
7 ) Patel Foram Nilesh Chhabildas
8 ) Trevadia Hitesh Mulchand
9 ) Vora Kesha Suresh Girdharlal

Thursday, April 18, 2013

Explanation of Missing Square Puzzle.


Visual explanation of the "Missing Square Puzzle"



Birth Anniversary (18-04)


1 ) Doshi Bhupatrai Vanechand
2 ) Doshi Nita Madhukant Kasturchand
3 ) Mehta Rajesh Vadilal
4 ) Mehta Jitendra Shantilal
5 ) Mehta Alpa Ramniklal Nimchand
6 ) Mehta Aarti Ramniklal Nimchand
7 ) Shah Jayendra Himatlal Vrujlal
8 ) Shah Dr. Parag Anopchand Shantilal
9 ) Shah Suchita Sandip Virendra Padamshi
10) Vora Dhara Navin Dungarshi

Wednesday, April 17, 2013

Effects of High Heels

Amdavadis4Ever@yahoogroups.com

અડધું જીવન, અડધું મૃત્યુ – ગુણવંત શાહ


[ ‘સંપર્ક’ સામાયિક જાન્યુઆરી-2013માંથી સાભાર.]
રાબર યાદ છે. સુરતના એક થિયેટરમાં ‘શોલે’ ફિલ્મ જોવા માટે ભારે ધસારો રહેતો હતો. આગળથી બુકિંગ કરાવીને અમારું આખું ઘર ‘શોલે’ જોવા ગયું ત્યારે એક ઘટના બની. ઈન્ટરવલ દરમ્યાન કોઈ માણસે થિયેટરના પડદા નીચે પ્લૅટફોર્મ પર ધૂપસળી સળગાવી. એરકન્ડિશન્ડ થિયેટરમાં ખૂણેખાંચરે ધૂપસુગંધ પ્રસરી ગઈ.
ફિલ્મ જોઈને ઘરે આવતી વખતે દીકરીએ પ્રશ્ન પૂછ્યો : ‘પપ્પા ! આટલી હત્યાઓ એકસાથે જોઈને તમને રડવું ન આવ્યું ?’ મારી પાસે કોઈ જવાબ ન હતો. થોડાક સમય બાદ મેં દીકરીના પ્રશ્નના જવાબમાં એને સામો પ્રશ્ન કર્યો : ‘નરક જેવી ઝૂંપડપટ્ટીમાં સબડતી ગરીબ વસતિને જોઈને તારી આંખમાં આંસુ આવ્યાં છે ખરાં ?’ ‘શોલે’માં જે બનાવટી હત્યા જોવા મળે તેના કરતાં રસ્તાની બાજુએ ફેલાયેલી ઝૂંપડપટ્ટીમાં જીવતી માનવજાતને જોઈને મને વધારે લાગી આવે છે. ઝૂંપડપટ્ટીમાં તો ધૂપસળી સળગાવનારું પણ કોઈ નથી.’ આપણે સૌ લગભગ સંવેદનબધિર થઈ ગયાં છીએ.
સંવેદના મરી પરવારે પછી ગમે તેવી દુર્ઘટના પણ પજવતી નથી. એક માણસ દ્વારા બીજા માણસનું શોષણ થાય તે એક એવી દુર્ઘટના છે, જેમાં લોહી વહેતું દેખાતું નથી. જેમ આજનાં ઘરોમાં કન્સીલ્ડ વાયરિંગ અને કન્સીલ્ડ પાઈપલાઈન હોય છે, તેમ જીવનમાં બધું પ્રચ્છન્નપણે ભોંયભીતર ચાલતું રહે છે. શોષક ગમે તેટલો ક્રૂર હોય તોયે એને કોઈ રાક્ષસ નથી કહેતું. શું રાક્ષસ હોવા માટે રાવણ હોવાનું ફરજિયાત છે ? બાળમજૂરી દ્વારા અઢળક કમાણી કરનાર શેઠિયાને કોઈ કંસ નથી કહેતું. કન્સીલ્ડ ક્રૂરતા હવે કોઠે પડી ગઈ છે. હવે આપણને શોષણ, ગરીબી, ભ્રષ્ટાચાર અને ક્રૂરતા જોઈને ખાસ કશું થતું નથી. આ માટે આપણી સંવેદનબધિરતા જવાબદાર છે. ફિલ્મમાં કરુણ દશ્ય જોઈને રડનારી પ્રજાને દુનિયાની વાસ્તવિક ટ્રેજેડી પજવતી નથી. સમાજ બહારથી સાફસૂથરો દેખાય છે. જે કાંઈ માનસિક ગંદકી હોય તે કન્સીલ્ડ છે. હોટલો ભવ્ય છે. ફાઈવસ્ટાર હોટલ અતિ ભવ્ય છે. ગંદકી અને ગરીબી નજીક ફરકી પણ ન શકે એટલી પ્રભાવશાળી સ્વચ્છતા તથા રોનક ત્યાં થોડાક પરદેશી પ્રવાસીઓની અવરજવરમાં અટવાતી રહે છે. ફાઈવસ્ટાર હોટલમાં જે રેસ્ટોરાં હોય છે તેમાં ખાધેલા એક પાપડના પૈસામાંથી બે ગરીબો જમી શકે તેવું અર્થશાસ્ત્ર સુખી માણસોની રહીસહી સંવેદનશીલતાને સળી કરતું રહે છે.
માણસની આંખ ધીરે ધીરે એની અસલ શક્તિ ગુમાવતી જાય છે. કેટલાંક ઘરોના બાથરૂમમાં વીજળીનો પ્રકાશ એટલો બધો હોય છે કે બાથરૂમની સ્વચ્છતા પણ આક્રમક જણાવા લાગે. સ્નાન કરતી વખતે એવું લાગે કે આપણે બાથરૂમને ગંદો કરી રહ્યાં છીએ. બધું ટિપટોપ હોય એવા બંગલામાં સ્વચ્છતાની છેડતી કરવાનો ગુનો કરવો પડે છે. બેડરૂમમાં પથારી એટલી તો વ્યવસ્થિત હોય છે કે ખાટલાની નજીક નીચે સૂઈ રહેવાનું મન થાય. ડ્રોઈંગરૂમમાં પ્રકાશના ફુવારા છૂટે ત્યારે આંખ પર આક્રમણ થતું લાગે. ગામડિયાને તારાના પ્રકાશમાં બધું દેખાય છે. ધીરે ધીરે ખબર પણ ન પડે તેમ આપણે વધારે પ્રકાશથી ટેવાતાં જઈએ છીએ. અંધારામાં અથડાઈ ન જવાય તે માટે વીજળીનો પ્રકાશ જરૂરી છે. સુખી માણસ પોતાને માટે જરૂરી હોય એના કરતાં દસગણી વધારે વીજળી વાપરે છે. એની આંખોનું તેજ આથમતું જાય છે અને ટ્યુબલાઈટનું તેજ વધતું જાય છે. ટેબલ લૅમ્પ વાંચવા માટે જરૂરી છે, પરંતુ એ માટે જરૂરી હોય તેના કરતાં ત્રણ ગણો પ્રકાશ વાપરવામાં આવે છે. આંખની શક્તિ ક્ષીણ થતી જાય ત્યારે અડધોપડધો અંધાપો કોઠે પડી જાય છે.
શહેરની ભરચક ભીડમાં સતત હૉર્ન ભસતા રહે છે. હૉર્નનો અવાજ મોટો થતો જાય છે કારણ કે એ અવાજ રસ્તે ચાલનારને જાણે ઊંઘમાંથી જગાડવા માટે વપરાય છે. અડધીપડધી બહેરાશને બહેરાશનો દરજ્જો પ્રાપ્ત થતો નથી. કાન સરવા કરીને સાંભળવા જેવા અવાજો દબાઈ ગયા છે અને કાન ફાડી નાખે એવા અવાજો વધ્યા છે. આંખ મીંચી શકાય છે. કાન મીંચી શકતા નથી. કાન સ્વભાવે સ્ત્રી-અવયવ છે. એના પર બળાત્કાર થઈ શકે છે. મ્યુઝિક સિસ્ટમ સાથે બે લાઉડસ્પીકરો હોય છે. સંગીતમાં પ્રગટ થતું બારીક ભરતકામ પણ કાન ચૂકી ન જાય એટલી સંવેદનશીલતા ધરાવનારી મ્યુઝિક સિસ્ટમ હવે ઘણાં ઘરોમાં જોવા મળે છે. લાઉડસ્પીકરોએ આપણા કાનને લાચાર બનાવી દીધા છે. નવી પેઢી ધીમા સાદે કશુંય સાંભળવા તૈયાર નથી. તહેવારોના દિવસોએ નાગજીવનમાં અટવાતા ઘોંઘાટના ડેસિબલ વધી પડે છે. ઘોંઘાટ વગર ઘણા લોકોને સોરવતું નથી. બધું જ લાઉડ હોય ત્યારે કાન દઈને સાંભળવું શું ? ઘોંઘાટ સાંભળવા માટે કાન સરવા કરવા ન પડે, ખિસકોલીને સાંભળવા માટે કરવા પડે. સંવેદનબધિરતા મૃત્યુનો જ એક પ્રકાર જણાય છે. આપણી ચેતનાનો કેટલો અંશ મરી ચૂક્યો છે તે વિચારવા જેવું છે. અડધું જીવન અને અડધું મૃત્યુ અડખેપડખે પડી રહે છે. શરીરને ખાલી ચડી જાય ત્યારે પગ જૂઠો પડી ગયેલો જણાય છે. આપણા અસ્તિત્વના એક અંશને જાણે ખાલી ચડી ગઈ છે. પરિણામે ખલેલ પામવાની આપણી શક્તિ ક્ષીણ થતી ચાલી છે. કદાચ ધીરે ધીરે આપણી રડવાની ક્ષમતા પણ ઓછી થઈ રહી છે. સાચમસાચ રડવાનું ઘટતું જાય છે અને બનાવટી હસવાનું વધતું જાય છે, એવો વહેમ પડે તેવી પરિસ્થિતિ છે. ઋતુઓ બદલાતી રહે છે, પરંતુ માણસ લગભગ ‘ઋતુ-બેભાન’ બનતો જાય છે.
સ્ત્રીઓની સંવેદનશીલતા હજી છેક ઓછી નથી થઈ. સ્ત્રીઓનાં આંસુનો સ્ટોક હજી ખૂટી નથી પડ્યો. સ્ત્રીઓનું ભાવજગત હજી લગભગ અકબંધ છે. દુઃખી સ્ત્રીનું સ્મિત અને સુખી સ્ત્રીની કરુણા હજી જોવા મળે છે. ખંધા ધર્મગુરુઓને આ વાતની ખબર છે. મોટી મોટી કંપનીઓ પોતાનો માલ ખપાવવા માટે જાહેરખબરો તૈયાર કરતી વખતે ‘ટાર્ગેટ ગૃપ્સ’ નક્કી કરે તેમાં સ્ત્રીઓ કેન્દ્રમાં હોય છે. ધર્મગુરુઓ પણ લગભગ આવી જ વ્યૂહરચના અપનાવે છે.

Birth Anniversary (17-04)

1 ) Gandhi Palak Brijesh Sureshchandra Mansukhlal
2 ) Lodaria Agam Dharmesh
3 ) Patel Urmila Chandrakant
4 ) Patel Bharati Ketan Chhabildas
5 ) Shah Ketki Rajiv Mehta
6 ) Sheth Chandni Jayendra Doshi
7 ) Vora Anila Navin Dungarshi

Tuesday, April 16, 2013

Missing Square Puzzle


 Can you figure out how he does it?  It is based on a phenomenon known in mathematics as the 'missing square puzzle.'

Birth Anniversary (16-04)


1 ) Shah Jyoti Uttamkumar Jayantilal
2 ) Shah Sangita Ketankumar Anantray

Monday, April 15, 2013

Benefits of Ripe Banana

Amdavadis4Ever@yahoogroups.com

મતભેદોનો તત્કાળ નિવેડો લાવો – અવંતિકા ગુણવંત


[ ‘કુર્યાત સદા મંગલમ’ પુસ્તકમાંથી સાભાર. ]
ર્ણવ શિક્ષિત સંસ્કારી સોહામણો અને સારું કમાતો નવયુવાન છે. ઈશાની અને એના મમ્મી પપ્પાને એ પસંદ પડ્યો હતો. પરંતુ એનું સંયુક્ત કુટુંબ હતું. ઈશાની જો અર્ણવને પરણે તો એને સંયુક્ત કુટુંબમાં રહેવું પડે તેથી એનાં મમ્મી-પપ્પા અચકાતાં હતાં. તેઓ કહે : ‘સંયુક્ત કુટુંબમાં વહુ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખવામાં આવે છે. નાનાં નાનાં બિનજરૂરી કામો જે બીજું કોઈ કરી શકે તે આદર અને લાગણીના નામ પર વહુએ દરરોજ કરવાં પડે છે. ના ગમે તેવાં કામ પણ ફરજ ખાતર કરવાં પડે છે.
‘આપણી ઈશાની તો રાજકુંવરીની જેમ ઉછરી છે, એ એવા પરંપરાગત રૂઢિવાળા ઘરમાં સુખેથી ના રહી શકે.’ પરંતુ ઈશાનીએ કહ્યું : ‘મને અર્ણવ પસંદ છે એટલે હું બધું વેઠી લઈશ. તમે મારી ચિંતા ના કરો. હું સંયુક્ત કુટુંબમાં રહીશ.’ માબાપને થયું ઈશાની પોતાના મનથી વસ્તારી કુટુંબ પસંદ કરે છે એટલે એ ત્યાંની શિસ્ત અને પ્રથાને અનુકૂળ થઈને રહી શકશે. આમ ઈશાનીના અર્ણવ સાથે લગ્ન થયાં. સામાન્ય રીતે સંયુક્ત કુટુંબમાં બધી વસ્તુઓ સહિયારી જ મનાય છે, એટલે એક સભ્યની ચીજવસ્તુ બીજો સભ્ય બેધડક વાપરે છે. સંયુક્ત કુટુંબમાં રહેનારમાં ઉદારતા અને સહિષ્ણુતા હોય તો જ બધાને પ્રિય થઈ પડે એવું ઈશાનીએ સાંભળ્યું હતું. આજ સુધી ઈશાનીએ જે માગ્યું એ માબાપે એને આપ્યું છે, ઈશાનીને કદી મન મારવું નથી પડ્યું કે વસ્તુ વહેંચીને વાપરવી નથી પડી. પિયરના ઘરમાં જે હતું એ બધા પર એનો અબાધિત હક હતો, કોઈ એમાં ભાગ પડાવનાર ન હતું. પરંતુ અહીં તો ઈશાનીના જેઠ-જેઠાણી, એમનાં સંતાનો, દિયર, નણંદ, સાસુ-સસરા અને વડસસરા છે. નણંદ કોલેજમાં જાય છે, ઈશાનીના મોંઘા કલાત્મક ડ્રેસ જોઈને એનું મન લલચાય છે, એક વાર એણે ઈશાની પાસે ડ્રેસ પહેરવા માગ્યો ને વગર ખચકાટે ઈશાનીએ આપ્યો. પછી તો નણંદને માગવાની ટેવ જ પડી ગઈ. આવી જ રીતે દિયર અવારનવાર પૈસા માગે છે ને ઈશાની આપે છે. એ એક વારે પૂછતી નથી કે તમને ખીસાખર્ચ નથી મળતો ? શું કામ વધારે પૈસા જોઈએ છે ? ફટ દઈને એ પૈસા આપે છે ને દિયર રાજી રાજી થાય છે.
આ જોઈને જેઠના સંતાનો પણ ‘કાકી તમારું સ્પ્રે આપોને, કાકી તમારું વૉચ આપોને, કાકી તમારું આ આપોને, તે આપોને…’ એમ સસ્તી મોંઘી વસ્તુઓ માગ્યા જ કરે છે ને ઈશાની હસતા મોંએ આપે છે. કદી ના નથી કહેતી, સાચવીને વાપરજો એવી સૂચના પણ નથી આપતી. ક્યારેક અર્ણવ હસીને કહે છે :
‘તું બહુ ખોટી ટેવો ના પાડીશ, નહિ તો આ તો ગમે તેવી મોંઘી ચીજ માગશે ને તે બગડી જશે તો પછી તારો જીવ બળશે.’
ઈશાની જવાબ આપે છે : ‘એમાં જીવ શું બાળવાનો ? ચીજ તો મારાથીય બગડે. ચીજ વાપરવા માટે છે. હું વાપરું કે એ વાપરે.’ અર્ણવ તો ઈશાનીની સ્નેહાળ ઉદારતા જોઈને વિસ્મય પામી ગયો. એને તો હતું કે ઈશાની એના માબાપની એકની એક દીકરી છે, એ તો કેવીય સ્વકેન્દ્રી, અભિમાની, અતડી અને મિજાજી હશે. જ્યારે આની ઉદારતા તો ઘરના બધાં કરતાં ચડી જાય એવી છે. અર્ણવને ઈશાની માટે પ્રેમની સાથે સાથે આદર પણ થયો.

ઘરનાં બધાં ઈશાનીથી ખુશ છે પણ એની સાસુને કોને ખબર કેમ ઈશાનીની નમ્રતા, સૌમ્યતા કે વિનય વિવેક સ્પર્શતાં નથી. એમને મન એ દંભ અને બનાવટ છે. ક્યારેક એ પોતાની સત્તાનો પરચો બતાવવા ઈશાનીને કઠોર શબ્દમાં વગર વાંકે ઠપકો આપે છે, ત્યારે ઈશાનીને મનોમન બહુ લાગી આવે છે. પણ વાત વધી ન જાય, ખોટી રીતે ઘરમાં કંકાસ ના થાય માટે એ ચૂપ રહે છે, ગમ ખાય છે – પતિનેય વાત નથી કરતી. પણ અર્ણવના આંખો અને કાન ખુલ્લા છે. ઈશાની એને કોઈ ફરિયાદ નથી કરતી. પરંતુ એ પોતાની માનું અયોગ્ય વર્તન જાણી શક્યો હતો. એને માનું વર્તન જરાય પસંદ નહોતું આવ્યું. એક વાર સાસુ ઈશાનીને કર્કશ શબ્દોમાં કંઈક કહેતાં હતાં ત્યારે અર્ણવ અચાનક ત્યાં પહોંચી ગયો અને ધીમા પણ ભારપૂર્ણ અવાજે કહ્યું, ‘મમ્મી, ઈશાની તમારો વડીલ તરીકે આદર કરે છે તો તમે એને દીકરી જેવી કેમ નથી માનતાં ?’ ઈશાનીનાં સાસુ ચોંકી ઊઠ્યાં. એમને તો ખ્યાલ જ નહિ કે એમનો પોતાનો શાંત અને કહ્યાગરો દીકરો વહુનું ઉપરાણું લઈને એમને આવી રીતે બોલશે. અર્ણવે આજે તો સાફ સાફ કહેવાનું નક્કી કર્યું જ હતું. એ બોલ્યો : ‘મમ્મી, માફ કરજો પણ કડવો શબ્દ માણસને વાગે જ છે. તમે વડીલ તરીકે સ્નેહ અને મીઠાશથી જે કહેવું હોય એ કહો. આપણું આખું કુટુંબ વિભાજિત થયા વગર એક સાથે રહે તેવું તમે ઈચ્છતા હો તો આવો અન્યાય ન કરો. આનાથી અમારું દિલ દુભાય છે.’
અર્ણવે જ્યારે એની મમ્મીને કહેવાનું શરૂ કર્યું હતું ત્યારે ઈશાની ત્યાંથી ખસી ગઈ હતી. એને માણસના સ્વભાવ અને મનનું જ્ઞાન છે. એણે વિચાર્યું હતું કે અર્ણવ મારી પરના પ્રેમના લીધે ઉશ્કેરાઈને મમ્મીને કહે એ પળે પોતે ત્યાં હાજર હોય તો સાસુ પણ એને અપમાન સમજીને સામો ઉશ્કેરાટ કરે જ. દીકરાની સાચી વાત પણ એ સાંભળી ના શકે અને ઝઘડો થાય એમાં તો આખું ઘર ખળભળી ઊઠે, એ બરાબર નહિ. સાસુ છોભીલાં પડે એમાં મારો વિજય નથી. સાસુના હૈયામાં કુદરતી રીતે મારા માટે મમત્વ જાગે અને આંખમાં અમી આવે તો જ સાસુવહુનો સંબંધ હેતભર્યો બને, એ સંબંધની ગરિમા સચવાય. એ ખોટી જીભાજોડીમાં માનતી ન હતી. એકાંતમાં ઈશાનીએ અર્ણવને કહ્યું :
‘તમારે અમારા સાસુવહુના મામલામાં વચ્ચે નહોતું બોલવું જોઈતું. ધીરે ધીરે મમ્મી મને સમજી શકત.’
‘એવી રાહ ના જોવાય. તારો હાથ પકડીને હું તને આ ઘરમાં લાવ્યો છું અથવા તો મારો હાથ પકડીને કેટલી મહેચ્છાઓ અને વિશ્વાસ સાથે તું આ ઘરમાં આવી છે. તું આ ઘરનાને હેતથી સુખી કરવા મથી રહી છું ત્યારે તારી કદર કરવાના બદલે મમ્મી ઊંચા અવાજે સખતાઈથી વારંવાર કંઈ કહે તો વચ્ચે બોલવાની મારી જવાબદારી બને છે. તારા સુખદુઃખ અને માન-અપમાનની જવાબદારી મારી છે. તું ભાવનાશીલ છે, આદર્શવાદી છે તેથી વિવેકથી સાંભળી લે છે પણ ક્યાં સુધી આમ દબાતી રહીશ ? એક દિવસ તારી સહનાશીલતા ખૂટે, ધીરજ ના રહે ને વિસ્ફોટ થાય એ પહેલાં મમ્મીને ચેતવી દેવાની જરૂરત હતી અને એ મારે જ કરવું જોઈએ.’ સંયુક્ત કુટુંબની એકતા જાળવી રાખવી હોય તો દરેક સભ્યની દષ્ટિથી વિચાર કરવો જોઈએ, દરેકનું મન સચવાય, માન સચવાય તો જ મીઠાશ રહે. ઘરમાં કોઈનું શોષણ ના થવું જોઈએ. કોઈ ગૂંગળાવું ના જોઈએ. આજથી થોડા વરસો પહેલાં ચૂપ રહીને અન્યાય, દુઃખ સહન કરવાની સ્ત્રીની ફરજ મનાતી હતી. ખોટી રીતે ઠપકો મળે શોષણ થાય તોય ચૂપ રહેવામાં સ્ત્રીની શોભા ગણાતી. આપણા દેશમાં જ નહિ, પણ અન્ય દેશો જેવા કે રશિયા ઝેકોસ્લોવેકિયા જાપાન ઈરાન બધે જ મનાતું હતું કે ઘરની શાંતિનો બધો આધાર સ્ત્રી પર છે, માટે સ્ત્રીએ પોતે દુઃખ વેઠીને ઘરનાંને સુખી કરવા જોઈએ.

પરંતુ આધુનિક યુગ સમાનતાનો છે. ઘરમાં શાંતિ રાખવાની સ્ત્રી અને પુરુષ બેઉની સરખી જવાબદારી મનાય છે. ઘરમાં મતભેદ ઊભા થાય તો તરત નિરાકરણ લાવવું જોઈએ. સ્ત્રીએ ખોટી રીતે સહન કરવાની જરૂર નથી. ધનિક હોય કે ગરીબ, શિક્ષિત હોય કે અશિક્ષિત દરેક ઘરમાં વાદવિવાદ કે ચડભડ થાય છે. મતભેદ પણ સર્જાય છે. ક્યારેક નાની વાતમાં એકાદ સભ્ય જીદ પર ચડી જાય અને ગરમાગરમી થઈ જાય અને પછી કોઈ વાર એની મેળે બધું શાંત પડી જાય અને ભુલાઈ જાય. પરંતુ ક્યારેક બહારથી બધું શાંત પડી જતું દેખાય પણ હૃદયમાં કડવાશ રહી ગઈ હોય અને એ અંદર ને અંદર ઘૂંટાઈને ક્યારેક એ કલેશ, કકળાટના રૂપે બહાર નીકળે છે. એવું ના બને એ માટે ઘરના મોભીએ ઝઘડાના મૂળ સુધી પહોંચીને ગેરસમજ દૂર કરી વાતનો નિવેડો લાવવો જોઈએ. જેથી કરીને ફરીથી એ મુદ્દા પર ઝઘડો ના થાય. ઘરની વહુ નમ્રતા, ધીરજ, વિનય અને ઉદારતા દાખવે એ નબળાઈ ન ગણાવી જોઈએ. એનો ખોટી રીતે ગેરલાભ ન ઉઠાવાય એ જોવાની ફરજ એના વરની છે. દરેક સંબંધમાં સમાનતા, સૌજન્ય, સદભાવ અને સ્નેહ જોઈએ તો જ કુટુંબ અખંડિત રહે. આપણા સમાજની પુરાણી પ્રથા અનુસાર પરાયા ઘરની દીકરી પોતાની ચિરપરિચિત સૃષ્ટિને એક ક્ષણમાં છોડીને પોતાને લગભગ અજ્ઞાત અપરિચિત અનનુભૂત એવી નવી સૃષ્ટિમાં પ્રવેશે છે, ત્યારે એની કલ્પના કાયમ ફળે છે ?
લગ્નના દિવસે સુગંધિત પીઠી અને અભ્યંગ સ્નાન, આભૂષણ અને સુંદર કપડાં માનપાન અને વિનોદમસ્તી, મંત્રોચ્ચાર અને હોમહવન આ બધાના વાતાવરણને લીધે નૂતન જીવન વિશે જે પવિત્ર પ્રસન્ન અને સર્વમંગલની કલ્પના મનમાં રચાય છે એ કલ્પના સાકાર થાય એ માટે પતિ-પત્ની બેઉએ સાથે પુરુષાર્થ કરવાનો છે. લગ્નના પહેલા દિવસના શરણાઈના સૂરો સાથે પછીના દિવસોના સૂરોનો મેળ બેસાડવાનો છે. જીવનને સંગીતમય બનાવવાનું છે. અન્યોન્યમાં અને પ્રેમમાં શ્રદ્ધા હશે તો જ લગ્ન સફળ થાય છે.

Birth Anniversary (15-04)



1 ) Doshi Devang Ashutosh Vasantrai Jivraj
2 ) Doshi Kishorchandra Damjibhai
3 ) Lodaria Binal Nitin Mugatlal
4 ) Mehta Hinal Hemanshu Vrajlal
5 ) Mehta Jayesh Anantrai Malukchand
6 ) Mehta Dipesh Mukund Navalchand
7 ) Mehta Paras Chandrakant Vanechand
8 ) Sanghavi Hetal Devesh Maganlal
9 ) Sanghavi Dipali Hitesh Nautamlal
10) Sanghavi Rupal Rajesh Himatlal
11) Shah Sonal Hitesh Shantilal Maneklal
12) Shah Dhruv Pinakin Mahendra
13) Shah Damayanti Manharlal Sukhlal
14) Shah Bhavika Rahul Nayak
15) Sheth Ramesh Shivlal
16) Sheth Kaushik Kirtikumar Tribhovandas
17) Trevadia Kokila Navinchandra

Sunday, April 14, 2013

Death



    
Native : Tankara
Currently At : Adalaj, Ahmedabad

Name of the deceased : Vasumati Jayantilal Mehta
Age : 79 Years 
Date of Death : 10-04-2013 
Husband :Jayantilal Keshavlal Mehta
Son : Rupesh 
Daughter-in-Law : Reema
Daughters : Nutanben Yogenbhai Doshi, Dimple
Brothers: Late Jamnadas, Himatlal, Late Manharlal
Nephews : Paresh, Parag, Kiran, Ronak
Nieces : Veena, Heena, Aruna, Mira
Father : Late Ratilal Kirchand Sheth (Wankaner)

May Her Soul rest in eternal peace


ટંકારા હાલ અડાલજ (અમદાવાદ) જયંતીલાલ કેશવલાલ મહેતાના ધર્મપત્ની અ. સૌ. વસુમતીબેન (ઉં. વ. ૭૯) તે નુતનબેન યોગેનભાઇ દોશી રૂપેશ તથા ડીમ્પલના માતુશ્રી. રીમાના સાસુ. સ્વ. જમનાદાસ, હીંમતલાલ તથા સ્વ. મનહરલાલ રતીલાલ શેઠના બહેન. પરેશ, પરાગ, કીરણ, રોનક, વીણા, હીના, અરૂણા, મીરાના ફૈબા બુધવાર તા. ૧૦-૪-૧૩ના દેહત્યાગ કરેલ છે. ચક્ષુદાન તથા દેહદાન કરેલ છે.


***********************


    
Native : Wankaner
Currently At : Mumbai

Name of the deceased : Indulal Kanji Doshi
Age : 80 Years 
Date of Death : 12-04-2013 
Wife :Late Indiraben
Son : Amit
Daughter-in-Law : Sapna
Daughter :Rita Hriday Merchant
Grand Children:Esha, Mahek
Father : Late Kanjibhai Rupchand Doshi
Mother : Late Vasantben
Father-in-Law : Late Amritlal Premchand Sheth (A.P.Sheth)


May His Soul rest in eternal peace

વાંકાનેર નિવાસી સ્વ. કાનજીભાઇ તથા સ્વ. વસંતબેન દોશીના પુત્ર ઇંદુલાલ (ઉં. વ. ૮૦) તે સ્વ. ઇંદીરાબેનના પતિ, અમીત, રીટા હૃદય મરચંટના પિતાશ્રી. અ. સૌ. સપનાના સસરા. એશા, મહેકના દાદા , સ્વ . અમૃતલાલ પ્રેમચંદ શેઠ (એ .પી . શેઠ)ના જમાઈ  શુક્રવાર તા . ૧૨-૪-૧૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા- સાદડી રાખેલ નથી. લૌ. વ્ય. બંધ છે.