Monday, December 31, 2012

Samaj Utkarsh Volume No 578 November 2012

To read Pages 1 to 8 of Samaj Utkarsh click here 

To read Pages 9 to 14 of Samaj Utkarsh click here 

To read Pages 15 to 20 of Samaj Utkarsh click here 

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff.


Horizontal Skyscraper



Hovering over a tropical garden, this 'horizontal skyscraper' - as long as the Empire State Building is tall - unites into one vision office spaces, apartments and a hotel. A conference center, spa and parking are located under the large green, public landscape.
 The building appears as if it were once floating on a higher sea that has now subsided; leaving the structure propped up high on eight legs.   This design allows a beautiful view of the South China Sea and to generates the largest possible green space open to the public on the ground level.   The building, located in Shenzhen, is tsunami-proof and is one of the first Leadership in Energy and Environmental Design (LEED) Platinum rated buildings in Southern China.   Steven Holl Architects received the 2011 American Institute for Architecture Honor Award for the "horizontal skyscraper".  



Sunday, December 30, 2012

મારું નહિ, આપણા સૌનું – કૃષ્ણકાંત



આફ્રિકન જન-જાતિની રહેણી-કરણી અને રિવાજોનું અધ્યયન કરતો એક માનવ-વિજ્ઞાની મોટાભાગનો સમય કબીલાનાં બાળકોથી ઘેરાયેલો રહેતો હતો. એક વાર તેણે બાળકો સાથે એક નાનકડી રમત રમવાનું વિચાર્યું. તેણે વાડકીમાં કેટલીક ચોકલેટ્સ લઈ તેને એક ઝાડ નીચે મૂકી દીધી. ત્યારબાદ તેણે બાળકોને સમજાવ્યાં કે જેવું તેઓ ‘રન’ બોલે, ત્યારે બાળકોએ ઝાડ તરફ દોડવાનું શરૂ કરવું અને જે બાળક ત્યાં સૌથી પહેલાં પહોંચશે, બધી જ ચોકલેટ્સ તેની. બધાં બાળકો એક લાઈનમાં ઊભાં રહી ગયાં અને તેના સંકેતની રાહ જોવા લાગ્યાં. જેવું તેણે ‘રન’ કહ્યું, દરેક બાળકે એકબીજાના હાથ પકડી લીધા અને સૌ સાથે તે ઝાડ તરફ દોડવા લાગ્યાં. તે બધાં એક સાથે તે ઝાડ સુધી પહોંચ્યાં અને ત્યાં મૂકેલી ચોકલેટ્સ વહેંચી લીધી. આ જોઈ માનવ-વિજ્ઞાની તેમની પાસે ગયો અને તેમને પૂછ્યું કે બધાં સાથે જ કેમ દોડ્યાં ? જો કોઈ એક જણ સૌથી પહેલાં ત્યાં પહોંચી ગયો હોત તો બધી જ ચોકલેટ્સ મેળવી શક્યું હોત.
ત્યારે બાળકોની પ્રતિક્રિયા હતી – ‘ઉબંટુ.’ તેમનામાંથી એક બાળક બોલ્યો, ‘જો બાકીનાં દુઃખી હોય તો અમારામાંથી કોઈ એક ખુશ કેવી રીતે થઈ શકે છે ?’ ‘ઉબંટુ’ આફ્રિકન જન જાતિઓની એક ફિલસૂફી છે. જેને આ રીતે સમજાવી શકાય છે કે, ‘હું જે કંઈ છું તે અમે બધા છીએ.’ ‘ઉબંટુ’ ખાસ કરીને એ તથ્યને રેખાંકિત કરે છે કે તમે માણસ તરીકે માત્ર પોતાની જાત સુધી જ સીમિત ન રહી શકો અને જ્યારે તમારી અંદર આ ખૂબી ‘ઉબુંટુ’ હોય છે, ત્યારે તમે તમારી ઉદારતા માટે ઓળખાવ છો. આપણે મોટાભાગે એક-બીજાથી અલગ રહીને માત્ર પોતાના વિશે વિચારીએ છીએ. હકીકત એ છે કે આપણે જે કરીએ છીએ, તેનાથી આખી દુનિયા પ્રભાવિત થાય છે. ખાસ તો, જ્યારે કોઈપણ સારું કામ થાય ત્યારે તેનો ફેલાવો સમસ્ત વિશ્વમાં થાય છે.
કમ્પ્યુટરો જ્યારથી આપણી રોજબરોજની જિંદગીના આટલા બધા મહત્વના ભાગ બની ગયા ત્યારે તેનો ફાયદો લઈને બિલગેટ્સ જેવાએ Microsoft નામની કંપની બનાવી. Microsoft એક એવી Operating System બનાવી જેના પર એકાધિકાર હોય. આવી પદ્ધતિ વિકસાવવાને લીધે જ તે દુનિયાનો સૌથી શ્રીમંત માણસ બન્યો. કેટલાક સોફ્ટવેર એન્જિનીયર્સને આ કઠતું હતું. તેમને થયું આવું તો ન ચાલે. એમણે એક ગ્રુપ (કમ્યુનિટી) બનાવી જેનું નામ પાડ્યું ‘ઉબુંટુ’. આ મિત્રોએ ખૂબ પ્રયત્ન કરી, પોતાનાં સમય-શક્તિ વાપરીને Microsoft ના આ એકાધિકારને તોડવાનું નક્કી કર્યું. તેમણે Linux નામનો પ્રોગ્રામ વિકસાવ્યો – જેને કોઈ પણ વાપરી શકે, જેના પર કોઈનો અધિકાર ન હોય. ઉબુંટુનો અર્થ થાય છે સહકાર અને એકબીજા સાથે વહેંચીને જીવવું. Microsoftના એકાધિકારને તોડવા માટે રચાયેલ Operating Systemનું નામ તેથી જ Ubuntu રાખવામાં આવ્યું. જેના નામમાં જ ‘વહેંચવું’ નિહિત છે. આજે વિશ્વના ખૂણે ખૂણે આ સિસ્ટમ વધુ ને વધુ લોકપ્રિય બની રહી છે, કારણ કે તેને સામાન્ય લોકો પણ સહેલાઈથી વાપરી શકે તેવી બનાવવની મહેનત તેની પાછળ થઈ રહી છે. તેમ જ તેણે Microsoft જેવી વિશાળકાય કંપની સામે એક મોટો પડકાર ઊભો કર્યો છે. આને માટે કામ કરનારા છે નાના-મોટા-સ્વતંત્ર અને ન્યાયપ્રેમી એવા સોફટવેર એન્જિનીયરો.
માઈક્રોસોફટ અને એપલ જેવી કંપનીઓએ પોતાની બંધિયાર અને માલિકીવાળી સિસ્ટમને આધારે ભલે અબજો ડોલર ઘર ભેગા કર્યા હોય પરંતુ, સમાજે બતાવી દીધું છે કે જેટલો ઝડપી ફેલાવો ઓપન સિસ્ટમનો થાય છે તેટલો આવી બંધિયાર સિસ્ટમનો નથી થતો. (‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.)
.

Saturday, December 29, 2012

Wingsuit Racing

 Getting to the ground is easy. Getting across the finish line is a different story.
 
Featuring Mike Wilson, Miles Daisher, Suzanne Graham, Carson Klein and Andreas Matischak.   Film by Devin Graham.   Filmed in Hawaii on the island of Oahu.   Music by Stephen Anderson.



Friday, December 28, 2012

જીવન છે ત્યાં સુધી કામ અને કામ છે ત્યાં સુધી જીવન – સુરેશ દલાલ



મને પહેલેથી જ પુસ્તકો બહુ ગમે. ગુજરાતી પુસ્તકો ખરીદતો અને અંગ્રેજી પુસ્તકો મને પોસાય તેટલાં જ ખરીદી શકતો. ગુજરાતી પુસ્તકોનું છાપકામ અને બાહ્ય દેખાવ મને ગમતાં નહીં. પુસ્તક જોતાં જ તે રૂપકડું અને આકર્ષક દેખાવું જોઈએ. આંતરિક સૌંદર્યની સાથે બાહ્ય સૌંદર્યને અવગણી શકાય નહીં. એટલે પુસ્તકનો બાહ્ય દેખાવ એવો હોવો જોઈએ કે કોઈને પણ પુસ્તક હાથમાં લેવાની ઈચ્છા થાય અને એક વાર પુસ્તક હાથમાં આવ્યા બાદ જો અંદરનું કન્ટેન્ટ સારું હશે તો વાંચવાની ઈચ્છા કોઈ પણ વ્યક્તિ ખાળી નહીં શકે. એટલે ઈમેજ પબ્લિકેશનની સ્થાપના કરી જાતે જ અંદરથી અને બહારથી રૂપકડાં ગુજરાતી પુસ્તકો તૈયાર કરવાનું શરૂ કર્યું.
છેલ્લા બે દિવસથી મારી તબિયત સારી નહોતી. ડોક્ટરે ચેકઅપ કરીને કહ્યું કે તમારા મસલ્સ નબળા પડી ગયા છે એટલે તમને તકલીફો રહેશે. એટલે કમરનો દુઃખાવો એટલો હતો કે ઘરેથી ઓફિસ જવાની હિંમત એકઠી કરવી પડે. હૃદયમાં પેસ મેકર બેસાડ્યું છે. પગમાં સ્ટેન્ટ છે. અને છતાંય દર વરસે ત્રણ-ચાર પુસ્તકોના પ્રોજેક્ટ પર કામ કરવાનો ટાર્ગેટ છે. હું માનું છું કે જ્યાં સુધી કામ છે ત્યાં સુધી જીવન છે ને જીવન છે ત્યાં સુધી કામ રહેવું જોઈએ. હું હકારાત્મક અભિગમ સાથે જીવું છું. રડતી વ્યક્તિઓ મને ગમતી નથી અને રડવાનું મને ગમતું નથી. રોજ સવારે સૂરજ ઊગે ત્યારે એ આંખમાંય ઊગે. તેને હા કહીને આવકારું. રોજિંદા જીવનમાં જે માણસ આનંદ મેળવી શકે તે જ આનંદથી જીવી શકે. પ્રાઈમ મિનિસ્ટરથી લઈને પ્યુન સુધી દરેક માણસે રુટિન કામ તો કરવાનાં જ હોય છે. એટલે હું દરરોજનાં મારાં કામને માણું છું. બીમારી આવે તેને પણ સ્વીકારું કારણ તમે કોઈના વતી જીવી નથી શકતા. એટલે મારી પીડા કોઈ સમજી શકે પણ લઈ ન શકે એટલે મારે તેને સ્વીકારવી જ પડે. જીવનમાં સંઘર્ષ ત્યારે થાય જ્યારે વાસ્તવિકતાને નહીં. જો વાસ્તવિકતાને સ્વીકારી લો તો સંઘર્ષ રહેતો જ નથી. મારે કોઈની સાથે વાંધાવચકા પડે નહીં. અને મને ક્યારેય કોઈ બાબતનું ખોટું લાગતું નથી. હવે આટલાં વરસે જો મેચ્યોરિટી ન આવે તો શું કામની. અને મેચ્યોર્ડ માણસને ક્યારેય ખોટા વાંધાવચકા પડતા નથી. મારું મન વેસ્ટ પેપર બાસ્કેટ નથી, તે બગીચો છે. જેમાં નવા વિચારોનાં ફૂલો જ ઊગે છે. અને તેનો આનંદ જ લઉં છું. આપણે મોટે ભાગે ન્યાયને યાદ નથી કરતા અને અન્યાયને યાદ કરીએ છીએ. હું આવો કચરો સાચવતો નથી એટલે વાગોળવા જેવું પણ કશું હોતું નથી. મારા જીવનમાં જે સમજણ છે તે જે. કૃષ્ણમૂર્તિની છે. તેમની મારા પર ગાઢ અસર છે. અને શ્રદ્ધા છે તે નાથાભાઈ જોષીમાં છે. હું ક્યારેય કોઈ જ ચિંતા કરતો નથી. મેં એક કવિતા લખેલી…..
પડશે તેવા દેવાશે, ચિંતા કોર્યું મન, પછીથી એક ઝાટકે દેવાશે.
પેસ મેકર મુકાવ્યું તેને મેં આમ કહીને સ્વીકાર્યું કે તે મને મદદ કરવા આવ્યું છે. માણસ મરણ કરતાં તેના ભયને કારણે મરે છે. આપણા સાહિત્યને અંગ્રેજીમાં ન લઈ શક્યાનો અફસોસ છે. આપણી પાસે કેટલુંક સારું સાહિત્ય છે. પણ સારા અનુવાદકો ન હોવાને કારણે આ કામ થઈ શકતું નથી. સુરેશ જોષીના નિબંધો આંતરરાષ્ટ્રીય સાહિત્યની કક્ષાના છે. આવાં કેટલાંક પુસ્તકો ન કરી શક્યાનો અફસોસ રહેશે જ. (સુરેશ દલાલની મોટે ભાગે આ અંતિમ મુલાકાત દિવ્યાશા દોશીએ લીધી હતી જે ‘નવનીત સમર્પણ’માંથી અહીં સાભાર પ્રકાશિત કરવામાં આવી છે.)

Thursday, December 27, 2012

Death



    

Native : Wankaner
Currently At : Songadh & Sion Mumbai
Name of the deceased : Dhirajlal Dalpatbahi Sapani
Age : 88 Years
Date of Death : 24-12-2012
Wife  : Vasantben
Brothers : Late Prabhulalbhai, Jugalkishore, Bhupatbhai, Anilbhai
Sisters :  Late Kamlaben, Manguben, Bhanuben, Late Ilaben, Kumudben
Nephews:  Mahendrabhai, Praffulbhai, Vijaybhai, Sunilbhai,Hiten, Vipin, Mayur, Nemish
Father : Late Dalpatbhai Dahyabhai Sapani
Mother : Late Dudhiben
Father-in-Law : Late Manilal Saubhagyachand Mehta
Brothers-in-Law: Jaysukhbhai, Late Kishorebhai
 
May His Soul rest in eternal peace

વાંકાનેર નિવાસી (હાલ સોનગઢ) સ્વ. દુધીબેન અને સ્વ. દલપતભાઈ ડાહ્યાભાઈ સપાણીના પુત્ર ધીરજલાલ (ધીરૂભાઈ) (ઉં.વ. ૮૮) તે વસંતબેનના પતિ. સ્વ. પ્રભુલાલભાઈ, જુગલકિશોર, ભૂપતભાઈ, અનિલભાઈ, સ્વ. કમળાબેન, મંગુબેન, ભાનુબેન, સ્વ. ઇલાબેન, કુમુદબેનના ભાઈ., મહેન્દ્રભાઈ , પ્રફ્ફૂલભાઈ, વિજયભાઈ સુનીલભાઈના કાકા તથા  હિતેન, વિપિન, મયુર અને નેમીશના ભાઈજી તેમ જ  સ્વ. મણિલાલ સૌભાગ્યચંદભાઈ મહેતાના જમાઈ. જયસુખભાઈ, સ્વ. કિશોરભાઈના બનેવીએ તા. 
૨૪-૧૨-૨૦૧૨ના રોજ  સોનગઢ મુકામે દેહ પરિવર્તન કરેલ  છે. (સાદડી, લૌકિક વ્યવહાર બંધ છે.) ઠે.: સાધના સદન, સોનગઢ.

Belarus Parade Domino Effect


A simulated domino effect at a parade in Belarus to celebrate the IThe Republic of Belarus, is a landlocked country in Eastern Europe, bordered by Russia to the northeast, Ukraine to the south, Poland to the west, and Lithuania and Latvia to the northwest. Its capital is Minsk. Over forty percent of its 207,600 square kilometres (80,200 sq mi) is forested, and its strongest economic sectors are agriculture and manufacturing. ndependence Day of the country. The timing of their movements is impressive.


Wednesday, December 26, 2012

ટાપટીપ ક્યાં સુધી ? કેટલી ? – હસમુખ પટેલ



કન્યાશાળાના એક કાર્યક્રમમાં એક બહેને મને સૂચન કર્યું : ‘શહેરોમાં બહેનોને હેલ્મેટમાંથી મુક્તિ આપવી જોઈએ. તેમનો મેકઅપ બગડી જાય છે.’ મેં કહ્યું : ‘ગામડાની બહેનોને મેકઅપની ચિંતા નહિ ?’ મારે તો આ સિવાય ઘણું કહેવું હતું, પણ સમય અને વિષયની મર્યાદા હતી. આજે કહી દઉં તો ? સુંદર દેખાવું તે દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે – સ્ત્રીની જ શું કામ, સ્ત્રી-પુરુષ બન્ને એ સુંદરતા પ્રત્યે સભાન રહેવું જોઈએ. પણ ટાપટીપ જ જીવનસર્વસ્વ બની જાય તે કેમ ચાલે ?
હમણાં સાડીનું સેલ ક્યાં ચાલે છે ? બ્લાઉઝમાં નવી કઈ પૅટર્ન આવી છે ? ફિલ્મી હિરોઈનો કેવાં આભૂષણો પહેરે છે ? – આવા જ વિષયોમાં સ્ત્રીઓ અટવાઈ જાય તે કેમ ચાલે ? ઘણાં ઘરોમાં તો સ્ત્રીઓને દાગીને જડી દ્યો એટલે પત્યું, તેના સ્વતંત્ર વ્યક્તિત્વની ચિંતા નહિ. સ્ત્રીઓની અપેક્ષા પણ એવી જ. લગ્નદિવસે કે જન્મદિવસે પતિ તરફથી સરસ મજાની સાડી કે ઘરેણું મળ્યું એટલે પત્યું. પતિ તમારા વ્યક્તિત્વનો સ્વીકાર કરતો હોય, તમારા બાહ્ય દેખાવનો જ નહિ, આંતરિક સૌંદર્યનો આશક હોય તો તેની કિંમત નહિ. તેના કરતાં અઢીસો રૂપિયાની સાડી તમારે મન ઊંચી. વસ્ત્ર-આભૂષણ અને સૌંદર્ય-પ્રસાધનોની જ સ્વીકૃતિ પામવાની ભૂખ કાં ? આપણી ક્ષમતાઓ, આવડતો, સંસ્કારો, સાત્વિક શોખો આકર્ષણનું કારણ ન બની શકે ? આપણે આપણી વેશભૂષાથી જ શું કામ ઓળખાઈએ ? આપણી પાસે બીજું કંઈ નથી ? આપણે એક સારા શિક્ષક, વક્તા, ચિત્રકાર, નૃત્યકાર, લેખક, નાટ્યકલાકાર, ડૉક્ટર, વકીલ, કૉર્પોરેટર, લીડર કે સરકારી અમલદાર તરીકે શું કામ ન ઓળખાઈએ ?
બહેનો સામે એક આક્ષેપ અવારનવાર સાંભળવા મળે છે : તેઓ વસ્ત્રો બહુ ઉત્તેજક પહેરે છે. ઘણા તેના ઉપર નિયંત્રણો મૂકવાની માગણી પણ કરે છે. આવાં નિયંત્રણો મૂકી શકાય નહિ. મૂકવાનો વિચાર આવે તે પણ આપણી રુગ્ણતાની નિશાની છે. પુરુષો પોતે કેવાં વસ્ત્રો પહેરવાં તે જાતે જ નક્કી કરે તો સ્ત્રીઓ કેમ નહિ ? જ્યાં સુધી વસ્ત્રો બીભત્સ ન હોય ત્યાં સુધી સમાજને દખલ કરવાનો અધિકાર નથી. પણ, બહેનોએ એ જરૂર વિચારવું પડશે કે આપણે એવું કંઈ પણ ન કરીએ કે વ્યક્તિ મટી વસ્તુ બની જઈએ. આપણી સેક્સ અપીલ જ એકમાત્ર અપીલ શું કામ હોય ? આપણે આપણા વ્યક્તિત્વથી લોકોને કેમ આંજી ન શકીએ ? ક્યારેક પોતાની સ્વતંત્રતા સાબિત કરવા સારુ સ્ત્રીઓ વસ્ત્રોમાં અંતિમ છેડાની છૂટ લેતી હોય છે. સ્વતંત્રતા વ્યક્ત કરવા માટે આ જ એકમાત્ર ક્ષેત્ર છે ? આપણી શક્તિઓ-પ્રતિભાઓ ખીલવવામાં આવતા અંતરાયોને દઢતાપૂર્વક ઓળંગી જઈ આપણી સ્વતંત્રતાના ઢોલ ન પીટી શકીએ ? સફળતાનાં શિખરો સર કરો, દુનિયાએ તમારી સામે જોવું જ પડશે.
વસ્ત્રાભૂષણના સંસ્કાર મોટા ભાગે બાળપણ, તરુણ કે કિશોરઅવસ્થામાં પડતા હોય છે. દેખાદેખી ઘણો ભાગ ભજવે છે. બીજા છોકરા જેવાં જ કપડાં પહેરવાની બાળકોને ઈચ્છા થાય છે. બીજાઓ જેવાં કપડાં પહેરવાના ન મળે તો લઘુતાગ્રંથિ જન્મે છે. એવું ન થાય તે સારુ મા-બાપ પણ ઘણી વાર અનિચ્છાએ બાળકોની ઈચ્છા પૂરી કરે છે. ખરેખર તો બીજાઓ જેવા થવા કે દેખાવાની ઘેલછા પોતામાં ઊણપ દર્શાવે છે. બાળકોને એવી રીતે ઉછેરીએ, તેઓમાં સુષુપ્ત પડેલી શક્તિઓને એવી ખીલવીએ, કેળવીએ કે તેઓમાં ગજબ આત્મવિશ્વાસ જન્મે, પછી બીજાઓ જેવા બનવાની ઈચ્છા નહિ રહે. શૃંગાર જ આપણી જાતને વ્યક્ત કરવાનું એકમાત્ર માધ્યમ ન બને તેનું ધ્યાન રાખીએ. આમ પણ કોઈ પણ એક બાબત ઉપર વધારે પડતી નિર્ભરતા ગુલામી જ નોતરે. બિનટકાઉ બાહ્ય આવરણ કરતાં આંતરિક તાકાત ઉપર વધુ આધાર રાખીએ. આંતરિક શક્તિઓ ઓછી હોય તો કેળવીએ. મન નબળું હોય તો તેને જ મજબૂત કરવા કોશિશ કરીએ. સોળે કળાએ ખીલેલું વ્યક્તિત્વ જ સાચું આભૂષણ છે. (‘ચાલો વિકસીએ, ચાલો વિકસવા દઈએ’ પુસ્તકમાંથી સાભાર.)

Tuesday, December 25, 2012

Visions of Earth - National Geographics

 National Geographic presents some amazing pictures and facts about our planet in "Visions of Earth - National Geographics".
 Our world offers moments of inspiration and awe — and these opportunities are everywhere we look.   Book available at amazon.com

 

Monday, December 24, 2012

શિક્ષણ મૂલ્યોનું જતન – માલિની પાઠક



વીસ વર્ષ પહેલાં ખાનગી શાળામાં શિક્ષિકા હતી. શાળાના ટ્રસ્ટીનો પુત્ર નાપાસ થયો. પરિણામ જાહેર થાય તે પહેલાં અમે ટ્રસ્ટીને ખુશ કરવા તેને પાસ કરી દીધો. શિક્ષિકા કમલાએ તેના વિષયમાં નાપાસ કર્યો. ટ્રસ્ટી નારાજ થઈ ગયા. તેને નોકરીમાંથી છૂટી કરે તે પહેલાં કમલાએ રાજીનામું આપી કહ્યું : ‘સર, હું ગુજરાત વિદ્યાપીઠ શાળામાં ભણી છું. ગાંધી મૂલ્યનું જતન કરતાં મારા ગુરુજનોએ સમર્પિત ભાવે શિક્ષણમાં ટકાવારી કરતાં સમાજને ટેકારૂપ બનવા અમારામાં સંસ્કારમૂલ્યોનું સિંચન કર્યું છે. મને ખબર છે કે નોકરી જશે પરંતુ શાળાજીવનની વિદાય વખતે ગાંધી વિદ્યાપીઠનો દરવાજો છોડતાં પહેલાં મૂલ્ય જાળવવાની આસ્થા માટે ગુરુજનોએ ભીની આંખે અમને આશિષ આપેલી તે ભાવનાનો હ્રાસ કેવી રીતે કરી શકું ?
બીજે દિવસે ટ્રસ્ટી શાળામાં આવ્યા. ભીની આંખે બોલ્યા : ‘બહેન, કમલા, પુત્ર મોહમાં હું શિક્ષણમૂલ્ય ભૂલી ગયો. તારા ગુરુજનોના શિક્ષણ આચરણના પ્રભાવથી વિદ્યાર્થીને સારો માણસ બનાવવાના તારા પ્રયત્નોથી મારા પુત્રે મને કાલે કહેલું : ‘પપ્પા, કમલા મેમે પોતાની દીકરીને પણ નાપાસ કરી છે. અમારે મન શિક્ષણનું મૂલ્યાંકન સમાજ ઉપયોગી બનતા જવાનું છે. તમે કમલા મેમનું રાજીનામું લીધું તેનું મને દુઃખ છે. પ્રાયશ્ચિત કરવા હું આજે ઉપવાસ કરીશ. તમારા વતી તેમની માફી માગીશ.’ તેમણે કમલાનું રાજીનામું નામંજૂર કર્યું. ઘટના વળાંક બની શિક્ષણમૂલ્યો જાળવવા કર્મશીલ પ્રેરણા આપ્યા કરે છે. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)

Sunday, December 23, 2012

The Birds Of Spain


An epic video about the birds of Spain, edited into a timne-lapse of the beautiful Spanish landscape.
Raul Tomas Granizo, born (1978) and raised in Spain, is a freelance wildlife filmmaker and nature photographer, always looking for the essence of nature.  "After many hours of hard work, throughout continental Spain, I managed to edit this short film about the birds of my beloved country. Living and working in the richest European country regarding birds, I tried to film some of the Spanish specialities, mainly for non-Spanish birders. With so many different habitats and species, I had to move, driving to special locations sometimes separated more than 1000 km. The good thing was that after so many years birdwatching and working with birds, I really knew pretty well where to look..."
Locations: - Riglos and Valle de Tena (Pyrenees, Huesca) - Bardenas Reales (Navarra) - Montes de Toledo and Andújar (Jaén) - Albufera de Valencia and Dénia - Tablas de Daimiel (Ciudad Real) and Doñana (Huelva) - Coast of Murcia and Almeria.   Species 
Camera: Canon HD SLR with 400 5.6 lens (sometimes plus 1.4x and 2x III Teleconverter)  Music: "Home, Pt. II" by Armand Amar



Saturday, December 22, 2012

એ મુરતિયાને નહીં પરણું – ડૉ. પ્રજ્ઞા પૈ

મુલ્લા નાસિરુદ્દીન ટ્રેનમાં પ્રવાસ કરતા હતા. અઢી દિવસનો લાંબો પ્રવાસ હોવાથી ફર્સ્ટ કલાસના ડબ્બામાં બેઠા હતા. એ જ ડબ્બામાં કુપ્પુસ્વામી નામનો એક યુવાન ચડ્યો. ટ્રેન ચાલુ થઈ. થોડી વાર પછી કપ્પુસ્વામીએ મુલ્લાને પૂછ્યું : ‘કેટલા વાગ્યા છે ?’
મુલ્લાએ સામું પૂછ્યું : ‘મને શા માટે પૂછો છો ?’
‘મારી પાસે ઘડિયાળ નથી.’ જવાબ મળ્યો. મુલ્લાએ સમય કહ્યો અને પછી બોલવાનું શરૂ કર્યું, ‘તમારી પાસે ઘડિયાળ નથી એટલે દર કલાકે તમે મને સમય પૂછશો એટલે આપણી વચ્ચે વાતચીત ચાલુ રહેશે અને એકમેકનો પરિચય થશે. આટલા લાંબા પ્રવાસ દરમિયાન સાથે લાવેલાં ટીમણમાંથી હું તમને કંઈક ધરીશ અને તમે લાવેલાં ટીમણમાંથી મને કંઈક ધરશો, એમ કરતાં કરતાં આપણે મિત્ર બની જઈશું. ત્યાર બાદ, સ્ટેશને ઉતરતાં પહેલાં તમે મારું સરનામું માગશો. હું તમને મારું સરનામું આપીશ કારણ કે અઢી દિવસમાં તો આપણે નજીક આવી જઈશું. થોડા દિવસ પછી સરનામાંની મદદ લઈ તમે મારે ઘેર આવશો અને હું તમને આવકાર આપીશ. દોસ્તને આવકાર આપવો જ જોઈએ ને ? બે-ત્રણ વાર આવ્યા પછી મારી યુવાન દીકરી સાથે તમારી મુલાકાત થશે અને તમે એની સાથે વાતચીત કરવા માંડશો. હું એનો વાંધો નહિ લઉં. પછી આ ઓળખાણ વધશે એટલે તમે મારી પુત્રીને તમારી સાથે સિનેમા જોવા આવવાનું આમંત્રણ આપશો કારણ કે ત્યાં સુધીમાં તમે જાણી લીધું હશે કે તમારી જેમ મારી પુત્રીને પણ ફિલ્મો જોવાનો બહુ શોખ છે. તમારી સાથે સિનેમા જોવા આવવા માટે હું મારી પુત્રીને પરવાનગી આપીશ કારણ કે તમે અમારા કુટુંબના મિત્ર બની જવા ઉપરાંત એક સારા માણસ છો અને મારી પુત્રી સાથે પણ તમને મૈત્રી થઈ ગઈ છે. આમ કરતાં કરતાં તમને મારી પુત્રી સાથે પ્રેમ થશે. ભલે થતો. ત્યાર બાદ થોડો સમય પછી મારી પાસે આવી તમે તેની સાથે પરણવાનો પ્રસ્તાવ મૂકશો. આમાં તમારો વાંક નથી, પણ હું તમને મારી પુત્રી સાથે લગ્ન કરવાની મંજૂરી નહિ આપું.’

ધીરજપૂર્વક અને રસપૂર્વક કુપ્પુસ્વામીએ આ બધું સાંભળ્યું. આમ તો ભેંસ ભાગોળે ને છાશ છાગોળે જેવું હતું. છતાં મુલ્લા લગ્ન કરવાની ના શા માટે પાડશે તે જાણવાની તેને ઉત્કંઠા થઈ. તેણે મુલ્લાને પૂછ્યું : ‘તમે લગ્ન કરવાની ના શા માટે પાડશો ?’ મુલ્લાએ કહ્યું, ‘કારણ કે તમારી પાસે ઘડિયાળ નથી !’

આવુજ કંઈક આપણા જીવનમાં પણ બનતું હોય છે. છોકરા છોકરીના સગપણમાં પણ જે કારણ સગપણ નકારવા માટે આપવામાં આવે છે તે કેટલું વાહિયાત હોય છે તે નીચેની વાત દ્વારા જાણવા મળશે 

મુંબઈ જવાના આગલા દિવસે રાકેશ જાનકીને લઈને એક મોંઘી રેસ્ટોરામાં ગયો. જમતાં જમતાં તેણે કહ્યું, ‘આઈ લવ યુ જાનકી’. ‘આઈ લવ યુ ટુ’ જાનકીએ પ્રતિસાદ આપ્યો.
‘તો પછી તું મારી સાથે લગ્ન કરશે એ હું માની લઉં ને જાનકી ?’ જાનકીનો હાથ પોતાના હાથમાં લઈ રાકેશે પૂછ્યું. પોતાનો હાથ ધીમેથી સેરવી લઈ જાનકીએ કહ્યું :
‘સોરી રાકેશ, મને તારા જેવો જ હસબન્ડ જોઈએ છે, પણ યુ નો સમથિંગ ? મારો હસબન્ડ મલબાર હિલ, નેપિયન્સી રોડ, ક્વિન્સ રોડ- કમ સે કમ પેડર રોડ પર રહેતો હોવો જોઈએ. મ.કા.બો. તો ન જ ચાલે. તળ મુંબઈમાં રહેતી છોકરીઓ મલાડ, કાંદિવલી અને બોરીવલીના છોકરાઓને મ.કા.બો. કહી પડતા મૂકે તેવું સાંભળ્યું છે. પરામાં-દહિસરમાં રહેતી કન્યાએ વડાલામાં અમારી સામેના બિલ્ડિંગમાં રહેતા એમ.બી.એ. પાસ થયેલા યુવાનની માતાને સુણાવી દીધું, ‘મને ઈસ્ટર્ન સબર્બ-પૂર્વ ઉપનગરમાં વસતો છોકરો ન ચાલે !’ લગ્ન ન કરવા માટે કોઈ પણ કારણ-બહાનું હોઈ શકે. છોકરી ભીને વાન છે, વળોટ નથી, ભાયડા છાપ છે, બે ચોટલા વાળે છે, તાડ જેવી ઊંચી છે, છોકરો ઠીંગણો છે, સિગારેટ પીએ છે, જુદો ફલૅટ નથી, નણંદોની લંગર છે, રસોઈ કરનાર મહારાજ નથી, ‘ડસ્ટબીન’ – ઘરડાં સાસુ કે સસરા છે, સ્માર્ટલી ડ્રેસ્ડ નથી ... વગેરે. 

પરંતુ આવી એક છુલ્લક વાત સંબંધ નહી બાંધવા માટે કેટલી યોગ્ય  છે ?  તે વિચારવાની વાત છે.

(થોડા ફેરફાર સાથે) 

Friday, December 21, 2012

Biking Hurricane Sandy

 During the height of Hurricane Sandy, Filmmaker Casey Neistat went by bicycle into deserted Lower Manhattan to make this documentar
 Casey Neistat (born 1981) is an American film director and producer. His first job in New York City was as a bike messenger.


Thursday, December 20, 2012

પ્રશ્નો – ભૂપત વડોદરિયા




[‘પંચામૃત’ પુસ્તકમાંથી સાભાર.]
માણસને કોઈ વાર એવી લાગણી થાય છે કે મારા પ્રશ્નો મારો પીછો છોડે તો હું શાંતિથી જીવી શકું ! પણ પ્રશ્નો તો દરેક માણસને હોય જ છે અને જિંદગી છે ત્યાં સુધી પ્રશ્નો તો રહેવાના જ ! એવો એક પણ માણસ જોવા નહીં મળે જેને નાના કે મોટા પ્રશ્નો પરેશાન કરતા ન હોય ! જિંદગી એટલે જ પ્રશ્નો, પ્રશ્નો અને પ્રશ્નો ! પ્રશ્નોનો સામનો કરવો જ પડે છે. પ્રશ્નોને ટાળી શકાય છે, વિલંબમાં મૂકી શકાય છે, પણ તેને સંપૂર્ણપણે અવગણી શકાતા નથી. કોઈ જીવતો માણસ સંપૂર્ણપણે પ્રશ્નોથી કાયમી છુટકારો મેળવી શકતો નથી.
પ્રશ્નોનું એવું છે કે માણસ એક પ્રશ્ન ઉકેલી નાખ્યાની રાહત ક્ષણવાર અનુભવે છે ત્યાં નવો પેચીદો પ્રશ્ન હાજર થઈ જાય છે. પ્રશ્નોનું ઊંટના કાફલા જેવું છે. બે ઊંટ બેસી જાય ત્યાં બીજા બે ઊંટ ઊભાં થઈ જાય ! એટલે માણસે સતત જાગ્રત રહીને પ્રશ્નોનો મુકાબલો કરવો જ પડે છે. કોઈને પૈસાના પ્રશ્નો પજવે છે, કોઈને તબિયતના પ્રશ્નો પરેશાન કરે છે, કોઈને ઘરકંકાસના પ્રશ્નો પીડે છે ! આ બધા નાનામોટા પ્રશ્નોનો મુકાબલો હસતા ચહેરે કરવો પડે છે. માણસે અકળાઈ ગયા વગર સહિષ્ણુતા કેળવીને ધીરજથી સામે આવેલા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. કોઈ વાર અકસ્માત બનીને પ્રશ્ન ઊભો થાય છે. તાજેતરમાં એક યુવાન મુંબઈમાં અકસ્માતમાં સપડાયો. તે જાતે મારુતિકાર હાંકતો હતો અને તેની મોટર સાથે ઝડપથી આવી રહેલી જીપ અથડાઈ. મોટરનો ભુક્કો બોલી ગયો. યુવાનના માથામાં ઈજા થઈ. ઘડીભર તો તેણે મોત નિહાળ્યું, પણ લોહી નીંગળતી હાલતમાં પણ તેણે હિંમત રાખીને બાજુની ઈસ્પિતાલ ભણી દોટ મૂકી. ત્યાં તેના સારા નસીબે તત્કાળ સારવાર મળી. માથામાં બાર ટાંકા આવ્યા, પણ બાલબાલ બચી ગયો. ઈસ્પિતાલની નજીક અકસ્માત નડ્યો તે તેણે સદભાગ્યની નિશાની લાગી ! તેણે કહ્યું, ‘તે દિવસે મને લાગ્યું કે આજે એક જ દિવસમાં હું બહુ લાંબું જીવ્યો !’ હાથમાંથી છીનવાઈ રહેલી કીમતી ચીજ જ્યારે બચી જાય છે ત્યારે કીમતી બક્ષિસ મળ્યા જેવી મીઠી લાગે છે !
એક બીજા માણસની વાત સાંભળવા જેવી છે. બધું બરાબર ચાલતું હતું ત્યાં એક દિવસ ચક્કર આવ્યાં. ‘કોમા’માં આવી ગયો. નિદાન થયું કે ડાયાબિટીસ છે. તેણે સારવાર શરૂ કરી. ડાયાબિટીસનો રોગ અંકુશમાં તો આવી ગયો. આ તો વારસાગત રોગ છે તેનું યુવાનને જ્ઞાન થયું. યુવાન શ્રીમંત છે. પિતા પાસેથી ધનનો વારસો મળ્યો છે. ડૉક્ટરે હસતાં હસતાં તેને કહ્યું કે માબાપનો વારસો પૂરેપૂરો સ્વીકારવો પડે છે. પિતાના વારસામાં એકલું ધન ન મળે – ધનની સાથે મધુપ્રમેહનો રોગ પણ મળે અને તેને પણ અપનાવ્યા વિના છૂટકો નહીં !
માણસ ગમે તેટલો ભાગ્યશાળી હોય, જિંદગી કોઈને માત્ર સુખનો વારસદાર બનાવતી નથી. એક માણસ લાંબી બીમારી ભોગવીને આત્મબળ અને યોગ્ય ઉપચાર વડે તંદુરસ્ત બન્યો. બીમારી બહુ જ લાંબી અને કંટાળાજનક હતી. આ બધું જે ધીરજ અને હિંમતથી તેણે સહન કર્યું અને પોતાની તબિયતનું સમારકામ જાતે જ કર્યું તેને માટે તેના મિત્રોએ તેને અભિનંદન આપ્યાં ત્યારે તેણે કહ્યું, ‘જાતજાતના રોગોનું નિદાન થયું ત્યારે ક્ષણ વાર તો હતાશા ઘેરી વળી. થયું કે આવી રીતે કઈ રીતે જિવાશે ! આના કરતાં મૃત્યુ સારું. પછી મેં બીમારીનો આ પડકાર ઉપાડી લીધો. કોયડો ઉકેલવા માટે આપણે આપણી બુદ્ધિની બરાબર કસોટી નથી કરતા ? મેં માન્યું કે મને માબાપે કે ઈશ્વરે એક ‘સીક યુનિટ’ જેવું શરીર આપ્યું છે. હું વેપારીનો દીકરો છું ! ખોટ કરતાં એકમને નફો કરતો એકમ કરી દઉં તો હું સાચો વેપારી ! પછી તો મેં એલોપથી, આયુર્વેદ અને હોમિયોપથીનો અભ્યાસ કરવા માંડ્યો ! અખરતા કરતાં કરતાં આરોગ્યની સાચી ચાવીઓ મળી ગઈ ! આજે હું કાંઈ પહેલવાન ગામા બની ગયો નથી, પણ આનંદથી જીવી શકું એટલી તબિયત સારી છે.’
માણસે નાનામોટા પ્રશ્નોના મુકાબલામાં આવો જ અભિગમ અપનાવવો પડે છે. મૃત્યુ સાથે તો બધી પીડાનો અને પ્રશ્નોનો અંત આવી જ જતો હોય છે, પણ માણસે તો જીવતા રહીને તેનો મુકાબલો કરવાનું જીવનબળ મેળવવું પડે છે. આના માટે સંકલ્પ કરવો પડે છે. માણસની સામે નાનો કે મોટો કોઈ પ્રશ્ન આવી પડે ત્યારે તેને દુશ્મન ગણીને નાસી છૂટવાનું મન થાય તે સ્વાભાવિક છે, પણ પ્રશ્નને દુશ્મન ગણવાને બદલે મિત્ર બની રહેવાની સંભાવનાવાળો અજાણ્યો માણસ ગણીને તેની સાથે કામ પાડવું એ વધુ સારો રસ્તો છે.
એ વાત સાચી છે કે કેટલાક પ્રશ્નો ગમે તેટલી મહેનત પછી પણ પૂરેપૂરા ઉકેલી શકાતા જ નથી. પણ એ વાત પણ એટલી જ સાચી છે કે પ્રશ્નોના આ કૂંડાળાની વચ્ચે જ માણસે જીવવાનું છે અને જીવનને માણતાં રહેવાનું છે. માણસના જન્મની સાથે જ પ્રશ્નો પણ જન્મે છે. પડછાયાની જેમ તે અંત સુધી આપણી સાથે જ રહેતા હોય છે. બધા જ પ્રશ્નો ઉકેલી શકાય તેવા હોતા નથી તે વાત જરૂર સાચી છે, પણ પ્રશ્નોને દુશ્મન ગણીને ગભરાઈ જવા કરતાં મિત્ર ગણીને આછીપાતળી ભાઈબંધી નિભાવવી પડે છે અને તેની સાથે કામ પાડવું પડે છે.
સૌજન્ય : રીડગુજરાતી 

Wednesday, December 19, 2012

Para-Skiing - Swiss Alps

 'Speed Flying' in the Swiss Alps with Pedro Torres and Nicholas Koch.

'Speed flying' is the air sport of flying a small, fast fabric wing, usually in close proximity to a steep slope.   Music: "The Light" by Blackmill Music 
 
 

Tuesday, December 18, 2012

હાસ્યમ શરણં ગચ્છામિ (રમૂજી ટૂચકા) – સંકલિત


એક પહેલવાન દુબળા-પાતળા માણસની ધોલાઈ કરી રહ્યો હતો. ભેગી થયેલી ભીડમાંથી એક માણસે પૂછ્યું:
‘ઉસ્તાદ ! તમે આ માણસને શા માટે મારો છો ?’
પહેલવાને એ માણસને મારવાનું ચાલુ રાખતાં જવાબ આપ્યો : ‘મારો અગરબત્તીનો ધંધો છે. આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી ‘પહેલવાન છાપ અગરબત્તી’ અને એણે છાપી નાખ્યું- ‘અગરબત્તી છાપ પહેલવાન…!’
****

પપ્પુ એક વખત પેપ્સી સામે રાખીને ઉતરેલી કઢી જેવું મોં કરીને બેઠો હતો. એટલામાં ત્યાં ગપ્પુ આવી ચઢ્યો. ગપ્પુ પેપ્સી ગટગટાવી ગયો અને બોલ્યો :
‘કેમ પપ્પુ ઉદાસ દેખાય છે ?’
પપ્પુ રડતાં મોંએ બોલ્યો, ‘આજે દિવસ જ સાવ ખરાબ છે. સવારે ઘરવાળી જોડે ઝઘડો થયો, રસ્તામાં કાર પંચર થઈ ગઈ, ઑફિસ મોડે પહોંચ્યો તો શેઠ્યાએ બે-ચાર સંભળાવી અને નોકરીમાંથી નીકાળી દીધો અને હવે મરવા માટે જે પેપ્સીમાં ઝેર નાખીને બેઠો તો એ પણ તું પી ગયો….’
****

છગનના ઘરે ચોર આવ્યા.
તેઓએ હિંદીમાં છગનને પૂછ્યું : ‘સોના કહાં હૈ ?’
ઊંઘણશી છગન ઊંઘમાં જ બોલ્યો : ‘અલ્યા આટલી બધી તો જગ્યા છે, જ્યાં મરજી પડે ત્યાં સૂઈ જા ને. અડધી રાતે બૂમો શેનો પાડે છે !’
****

કંઈ કેટલીય છોકરીઓ સપનાં જોતી હોય છે કે એક દિવસ એક રાજકુમાર ઘોડા પર સવાર થઈને આવશે….
ખરેખર ! હવે પેટ્રોલના ભાવ જોતાં એ સપનું સાકાર થાય એવા દિવસો નજીક આવી રહ્યાં છે…
****

છગન : ‘જીવનમાં માત્ર બે શબ્દો જો યાદ રાખીશ તો અનેક દરવાજા ખૂલી જશે.’
મગન : ‘એ વળી ક્યા બે શબ્દો ?’
છગન : ‘PUSH’ અને ‘PULL’
****

પતિ : ‘શું તું મારા જીવનનો ચાંદ બનવા માંગે છે ?’
પત્ની (ઉત્સાહથી) : ‘હા…હા….!’
પતિ : ‘તો મારાથી 1 લાખ 86 હજાર માઈલ દૂર રહેજે !’
****

કર્મચારી : ‘સાહેબ, જબરજસ્ત ટેન્શન છે ! મારી પત્ની કહે છે કે વેકેશનમાં કાશ્મીર લઈ જાવ.’
બૉસ : ‘સૉરી ! રજા નહિ મળે.’
કર્મચારી : ‘થેન્કયૂ સર ! મને ખાતરી હતી કે સંકટ સમયે તમે જ મદદ કરશો !’
****

છગન : ‘સાહેબ, તાજેતરમાં મારાં લગ્ન થયાં છે, કંઈક પગારવધારો કરો તો મહેરબાની !’
બૉસ : ‘જે ઘટના ઑફિસ બહાર ઘટે તે માટે ઑફિસ જવાબદાર નથી.’
****

સુરતીલાલો પંડિતને : ‘મને સંસ્કૃત શીખવો.’
પંડિત : ‘એ દેવોની ભાષા છે.’
સુરતી : ‘એટલે જ તો શીખવી પડે ને ? મરીને સ્વર્ગમાં ગયો તો ?’
પંડિત : ‘ને નરકમાં ગયો તો ?’
સુરતી : ‘તો ક્યાં વાંધો છે ? સુરતી તો આવડે જ છે ને !’
****

દુકાનના પાટિયાં કદી ધ્યાનથી વાંચ્યા છે ? જુઓ :
(1) ગાંધી હેરડ્રેસર
(2) મલ્લિકા ટેક્સટાઈલ
(3) સલમાન મેરેજબ્યુરો
(4) રાખી સાવંત સત્સંગ મંડળ
****

આજના યુવાનોએ આજના વૃદ્ધોને માન અને સન્માન બંને આપવું જોઈએ કારણ કે આ એ પેઢી છે… જે ગુગલ અને વિકીપીડીયા વિના પાસ થઈ છે !
****

એક ભૂત સલૂનમાં વાળ કપાવવા આવ્યું.
કારીગરે કીધું : ‘બેસો, હજી કલાક થશે.’
ભૂતે જવાબમાં એવું કંઈક કહ્યું કે બિચારો કારીગર બેહોશ થઈ ગયો.
ભૂતે કહ્યું : ‘મારું માથું અહીં મૂકી જાઉં છું. તું વાળ કાપી રાખજે !’
****

છોકરી : ‘I only talk in English. So you better talk in English only. Otherwise I am not interested.’
છોકરો : ‘Ok. Walk away… How many percentage I have….’
છોકરી : ‘What ?’
છોકરો : ‘હાલતી થા… મારે કેટલા ટકા !’
****

નવા સંશોધન મુજબ વૈજ્ઞાનિકો કહે છે કે જગતની 1 ટકા મહિલાઓ માનસિક બિમારીની દવાઓ લે છે.
ટૂંકમાં ચેતજો ! 99 ટકા મહિલાઓ યોગ્ય દવાઓ વિના છૂટ્ટી ફરી રહી છે !
****

બે કીડીઓ સાઈકલ રેસ કરતી હતી.
રસ્તામાં એક હાથી આવી ગયો.
કીડીએ બૂમ પાડી : ‘અલ્યા જાડીયા, મરવું છે કે શું ?’
****

ગોલુ : ‘સર ! મારી પત્ની ખોવાઈ ગઈ છે.’
પોસ્ટ માસ્તર : ‘આ પોસ્ટ ઑફિસ છે. પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવો.’
ગોલુ : ‘શું કરું ? આનંદના અતિરેકમાં મને કંઈ સમજાતું નથી.’
****

‘યાર ! હું એક બહુ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છું.’
‘એવું તે શું થયું ?’
‘મારી પત્નીના મેક-અપનો ખર્ચ હું બરદાસ્ત નથી કરી શકતો અને મેક-અપ ન કરે તો પત્નીને બરદાસ્ત નથી કરી શકતો !’
****

સંતા : ‘યાર ! મેં એક બાબતની ખાસ નોંધ લીધી છે.’
બંતા : ‘કઈ બાબતની ?’
સંતા : ‘રેલવે ફાટક જ્યારે બંધ હોય છે ત્યારે અચૂક ટ્રેન આવે જ છે.’
****

ડૉક્ટર : ‘હું તમને એવી દવા આપીશ કે તમે ફરીથી જુવાન થઈ જશો.’
દર્દી : ‘ના બેટા ! એવું ન કરીશ. મારું પેન્શન બંધ થઈ જશે.’
****

જાદુગર : ‘હવે હું આ ભાઈની ધર્મપત્નીના વચ્ચેથી બે કટકા કરીશ અને તમને જાદુ બતાવીશ.’
સંતાસિંગ : ‘રહેવા દો જાદુગરભાઈ…. એક સમસ્યાને બમણી કરો એ કંઈ જાદુ ના કહેવાય….!’


સૌજન્ય : રીડગુજરાતી 

Monday, December 17, 2012

Swedish Turbo Tractor

Tractor running like a car and working like a tractor when you 'upgrade' a tractor with a Volvo 240 Turbo engine.


Sunday, December 16, 2012

કારકિર્દીના કારખાનાં – ડૉ. પંકજ જોશી



[ ભારતના મુખ્ય વૈજ્ઞાનિકોમાંના એક એવા શ્રી પંકજભાઈના નામ તેમજ તેમના લેખનથી આપણે સૌ પરિચિત છીએ. તેઓએ આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત ઉપર પી.એચ.ડી. પ્રાપ્ત કરી છે. હાલ તેઓ મુંબઈની ‘ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ’ ખાતે પ્રોફેસર તરીકે સંશોધનકાર્ય કરી રહ્યાં છે. તારાઓના ગુરુત્વીય ભંગાણ અને વિલય વિશેની એમની ફાયરબોલ થિયરીની આંતરરાષ્ટ્રીય ધોરણે નોંધ લેવાઈ છે. ગુજરાતી ભાષા અને યુવાશિક્ષણ વિશે તેઓ સતત ચિંતિત રહે છે. તેમના પ્રસ્તુત લેખમાં પણ કારકિર્દીની રેસમાં જીવનનો આનંદ ખોઈ નાખતાં યુવાનો પ્રતિ ચિંતા વ્યક્ત થાય છે.]

ક મિત્રનો દીકરો ચૌદ-પંદર વરસનો છે. દસમાની પરીક્ષા હમણાં જ આપી. સવારે સાડા-સાતે શાળા શરૂ થાય. બપોરે અઢી વાગે પાછો આવે. પછી સાડા-ત્રણે ક્લાસમાં જવાનું. અત્યારથી આઈ.આઈ.ટી.ની તૈયારી શરૂ. કોચિંગ ક્લાસમાંથી રાત્રે સાડા-આઠે પાછો આવે. પછી જમી લેવાનું અને રાત્રે સાડા-નવે બધું ક્લાસનું અને શાળાનું હોમ-વર્ક કરવા બેસી જવાનું. તે એ બધું રાત્રે એક વાગ્યા સુધી ચાલે. ત્યારે એ સમયે સુવે અને ફરી સવારે સાડા-છ વાગે ઉઠીને જેમ તેમ નાસ્તો કરી નિશાળે ભાગતો થાય !
તેના મમ્મી-પપ્પાને મેં પૂછ્યું કે તેને આ બધું અને આટલી મજૂરી ફાવે છે અને ગમે છે ? આટલી નાની ઉંમરમાં આટલું યંત્રવત જીવન, વરસના બાર મહિના આ જ રીતે ? અને બાળકના મન પર તેની શી અસર થાય ? ત્યારે તેઓ કહે કે એ તો બધું કરવું જ પડે, તેમાં કંઈ ચાલે જ નહી ! આમાં ગમવા-ન ગમવાની વાત જ ક્યાં આવે ? એન્જિનિયર થવું હોય, કારકિર્દી બનાવવી હોય તો અત્યારે તો આ જ રસ્તો છે, આમ જ કરવું પડે ! અમારે તો જરા મોડું થઈ ગયું, નહીં તો આઈ.આઈ.ટી.ના ક્લાસ તો આઠમા-નવમા ધોરણથી જ શરૂ થઈ જાય છે, ત્યારે જ શરૂ કરી દેવાના હોય ને ! મેં કહ્યું કે આમાં તેના શોખ, રસના વિષયો, આ બધાનું શું ? તેઓ કહે, તેનું કંઇ નહી. કેરિયર તો બનાવવી પડશે ને ? અને તે માટે તો આ સિવાય ચાલે જ નહીં, પછી ગમે કે ન ગમે ! અત્યારે તો છોકરાઓને રાત-દી મહેનત કરવી પડે તેવું છે !
મને તરત એક જ વિચાર આવ્યો કે આપણા દેશમાં બાળ-મજૂરીની વાતો તો ઘણી થાય છે. તો આ પણ અઢાર-વીસ કલાકની બાળ મજૂરી નથી તો શું છે ? અને સુખી-સદ્ધર માતા-પિતાઓ હોંશે હોંશે પોતાના બાળકોને આવા બધા કેળવણીના કારખાનાઓમાં ખુશીથી ધકેલી દે છે ! તેમાં બાળકને સફળતા મળી તો રાજીના રેડ અને ગામ ગજવશે અને નિષ્ફળતા મળી તો જાણે દુનિયા ડૂબી ગઈ તેવો શોક અને ખરખરો કરશે ! આમાંથી પરિણામ શું આવે છે ? છોકરા હોંશિયાર અને મહેનતુ હોય તો કંઈ ને કંઈ કરી તો લે છે, પરંતુ તેઓ અતિ યંત્રવત બનતા જાય છે. તેમનામાં એક પ્રકારની લાગણી શૂન્યતા જન્મવા લાગે છે અને તેઓ જડ જેવા બનતા જાય છે. કેરિયર અને કારકિર્દીને નામે તેમના પર જે એક પ્રકારનો બળાત્કાર વર્ષો સુધી થયા કરે છે તેના પરિણામે દુનિયાને જોવાની તેમની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. આમાં મૂળ કામ બાળકની સર્જનાત્મકતાનો નાશ થવાનું જ થાય છે અને છેવટે શાળાઓ, માતા-પિતા અને બાળકની લાગણીશૂન્યતા… આ જ સરવાળો નીકળે છે.
મહેનત કરવાની, ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની કે કારકિર્દીઓ બનાવવાની ના નથી અને તેમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ તે આવી અને આટલી હઠ કરીને જોર-જુલમથી ન થવું જોઈએ, જે માતા-પિતાઓ અને શાળાઓ આજે કરે છે. કેવળ સહજતા, સમજણ અને રસપૂર્વક બાળક પ્રેરાવું જોઈએ, પોતે જે કંઇ કરે તેમાં. કદાચ સાચી કેળવણીનું હાર્દ એમાં જ છે. વાસ્તવમાં શાળાઓનું તો કાર્ય જ આ છે અને બાળકનો સહજ વિકાસ તેનું નામ જ સાચી કેળવણી છે. પણ આજે તો આપણી મોટાભાગની શાળાઓ કેળવણી આપનાર સંસ્થાઓ નહીં પણ કારકિર્દીના કારખાનાંઓ બની ચુકી છે ! કવિ કૃષ્ણ દવેએ લખ્યું છે, ‘આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.’ જો શક્ય હોય તો આપણી આધુનિક શાળાઓના ‘મેનેજમેન્ટ’ શિસ્તને નામે આ પણ કરે તેવી આજે પરિસ્થિતિ છે.
આ બધામાં મૂળ વૈજ્ઞાનિક વાત સમજવાની છે તે એ છે કે માતા-પિતાનો કે સમાજનો મૂળ ઉદ્દેશ્ય શું છે ? છેવટે તો પોતાનું બાળક તેના જીવનમાં સુખી થાય, તેના જીવનમાં આનંદ પ્રગટે, તે શરીર અને મનથી એક અતિ આરોગ્યપૂર્ણ, સ્વસ્થ અને વિકાસશીલ જીવન જીવે… આ જ આપણે ઇચ્છીએ છીએ ને ? પણ જે પ્રકારનો અત્યાચાર આજે કેળવણી અને કારકિર્દીને નામે આજે બાળક પર થાય છે તેમાં એની સ્વસ્થ મનોભૂમિકાનો તો કેવળ નાશ જ થઇ જાય છે. છેવટે પેદા થાય છે તે તો એક યંત્રવત અને જડ વ્યક્તિત્વ, જેમાં સુખ પાંગરવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય ? આને કારણે જ આજે બાળકોમાં પણ અનેક માનસિક વિકૃતિઓ અને આપઘાતોનું પ્રમાણ વધતું ચાલ્યું છે અને અન્ય અનેક વિચાર વમળોમાં પણ બાળકો ફસાય છે. આ બધી કહેવાતી આધુનિક વિચારધારા તથા વિકાસની બલિહારી છે. આઈ.આઈ.ટી.ના વિદ્યાર્થીઓમાં અને આવી બીજી સંસ્થાઓમાં પણ અનેકવાર વિદ્યાર્થીઓ ભારે માનસિક તાણનો ભોગ બનતા હોય છે. આ બધાનું મૂળ કારણ આપણા કેવળ ખોટા અગ્રતાક્રમો જ છે. આવા બાળકો પછી ગેરમાર્ગે દોરાય છે, આપઘાતો કરે છે અથવા મોટા થાય ત્યારે જડ રોબોટ જેવા બની જાય છે.
કેટલાક સમય પહેલાં મુંબઈમાં અને અન્યત્ર ઉપરા-ઉપરી અનેક વિદ્યાર્થીઓના આપઘાતોના કિસ્સાઓ બન્યા હતાં તે ઘણાને યાદ હશે. કમનસીબી એ છે કે આપણે કાયમી ઉપાય કરવાને બદલે આ બધું બહુ જલદીથી ભૂલી જઈએ છીએ. આ બધી આત્મહત્યાઓ ભણવાના અને પરીક્ષાઓને લગતા પ્રશ્નો અને તાણમાંથી જ પેદા થઈ હતી અને આજે પણ થતી રહે છે. આ નવ યુવાનો કેવી કારમી મનોવ્યથામાંથી પસાર થતા હશે તેની કલ્પના તો કરી જુઓ ! પરંતુ આજે તો આપણને આપણા ‘વ્યસ્ત’ જીવનમાંથી એ વિશે વિચારવાનો પણ સમય નથી ! ખરેખર તો કરવા જેવું એક કામ એ છે કે એક રવિવારે નિરાંત હોય ત્યારે શાંતિથી એક ઓરડામાં બારણાં બંધ કરીને પંદર મિનીટ બેસી જાઓ અને તમારા બાળકના અંતરમાં પ્રવેશ કરવાનો, તેની માનસિકતા સમજવાનો પ્રયત્ન અને વિચાર કરો. એ સમયે બીજો કોઈ વિચાર કે બીજી વાત ન જોઈએ. અને તમને તેમાંથી બાળકની ઘોર માનસિક તાણ તરત સમજાશે.
મૂળ વાત એ થઈ છે કે આજે આપણા સમાજ પાસે સાચી સફળતા એટલે શું તે વિચારવા-સમજવાની પૈસા સિવાય કોઈ અન્ય દ્રષ્ટિ જ રહી નથી. બાળકને આપણે જીવન માટે તૈયાર કરવું છે કે કેવળ પૈસા કમાવાનું મશીન બનાવવું છે ? અહીં જે. આર. ડી. ટાટાની એક વાત યાદ કરવા જેવી છે. આપણો દેશ ‘સુપર પાવર’ બની જાય તેવી વાત જયારે થાય ત્યારે તેઓ કહેતા, ‘મારો ભારત દેશ સુખી બને એ મારે જોઈએ છીએ, સુપર પાવર બને તે નહી !’
અલબત્ત, અહીં સ્વાભાવિક પ્રશ્ન તમે એ જ કરશો કે આ બધામાં તે વળી ઉપાય શું અને આમાં તે સુધારો કેમ કરીને થાય ? આભ ફાટ્યું ત્યાં થીગડું કેમ દેવું ? પણ અહીં નિરાશાજનક અભિગમ અપનાવવાની જરૂર નથી. એકવાર વાસ્તવિક પરિસ્થિતિ સાચી રીતે સમજીને વિચાર કરવાનું શરૂ કરીએ એટલે પરિવર્તન અવશ્ય શરૂ થાય જ છે. એટલે સહુથી પહેલું કામ વિચાર કરવાની શરૂઆત કરવાનું છે.
સૌજન્ય : રીડગુજરાતી

Saturday, December 15, 2012

Fluid Dynamics: Non-Newtonian Fluid

 Can you walk on liquid? Flipy, a Spanish comedian, shows us how to do it.
 They filled a pool with a mix of cornstarch and water made on a concrete mixer truck. It becomes a non-newtonian fluid. When stress is applied to the liquid it exhibits properties of a solid.   Non-Newtonian fluid is so named because it's properties cannot be described in terms of the concepts of classical fluids. It can be created easily in the home. An example is a mixture of corn starch and water, roughly 10 parts cornstarch to 1 water.


Friday, December 14, 2012

જૂની કડવાશને જતી કરીએ - ભૂપતભાઇ વડોદરિયા

વૃદ્ધ સુમતિચંદ્ર પાસે એક યુવાન મદદ માગવા આવ્યો છે. એ યુવાન સુમતિચંદ્રની બહેનનો દીકરો છે. ઘણા વર્ષે ભાણેજ મામાને મળવા આવ્યો છે. ભાણેજ મોં ખોલીને કશું કહેતો નથી પણ એક પત્ર મામાના હાથમાં મૂકે છે. સુમતિચંદ્રે એ પત્ર વાંચ્યો, ફાડીને કચરાની ટોપલીમાં નાખ્યો. તેમણે પોતાના કોટમાંથી એક હજાર રૂપિયા કાઢીને એ યુવાનને આપ્યા. ક્ષોભભરી નજરે પણ આભારવશ હૈયે એ જુવાન વિદાય થયો. એના ગયા પછી તુરંત જ સુમતિચંદ્રનાં પત્ની ભાગીરથીબહેન દીવાનખાનામાં આવ્યાં. તેમના પતિને પૂછ્યું, ‘કોણ હતું?’ સુમતિચંદ્રે ટૂંકો જવાબ આપ્યોઃ ‘બહેનનો મહેશ હતો. મેં તો તેને ચાપાણીનું પણ પૂછ્યું નહીં! મને એમ કે તમે અંદર સૂતાં હશો.’ પત્નીએ કડવું હસીને કહ્યું, ‘હું તો જાણતી જ હતી અને તમારા મામાભાણેજની લીલા જોઈ! તમને શું કહેવું એ મને સૂઝતું નથી. શું તમને કશું જ યાદ નથી? તમારી આ બહેન પાસે વર્ષો પહેલાં જ્યારે મેં આપણી દીકરી માટેતેની ફી અને કોલેજના ચોપડા માટેમાત્ર ત્રણસો રૂપિયા જ માગ્યા હતા ત્યારે તમારાં બહેન અને બનેવીએ પૈસા આપવા તો દૂર રહ્યા, પણ એવું મહેણું માર્યું હતું કે ‘સ્થિતિ નથી તો દીકરીને શું કામ આગળ ભણાવો છો! છેવટે દીકરીને તો પરણાવીને સાસરે જ મોકલવી છે ને?’ ત્યારે આપણી સ્થિતિ ખૂબ ખરાબ હતી. તેઓની સ્થિતિ ખૂબ સારી હતી. આજે તમે તમારી એ બહેનના દીકરાને કંઈ સવાલજવાબ કર્યા વિના નગદ એક હજાર આપી દીધા! બહેને ચિઠ્ઠીમાં ચાર લીટી લખી અને ભાઈનું દિલ પીગળી ગયું! ખેર, એ ચિઠ્ઠી ફાડીને ફેંકી શું કામ દીધી? હું તે કોઈને વાંચી સાંભળાવત!’ સુમતિચંદ્રે કહ્યું, ‘‘મારી સગી બહેનનો દીકરો છે, આજે મુશ્કેલીમાં આવી પડ્યો ને પોતાની મા પાસે ચિઠ્ઠી લખાવીને આવ્યો! બનેવી તો આજે હયાત નથી. ભૂતકાળમાં કોઈ સગાંસંબંધીએ આપણી સાથે ભલે ગમે તેવો વહેવાર કર્યો હોય, એ સગાંસંબંધી મુશ્કેલીમાં આવી પડે અને આપણી મદદ માગે ત્યારે આપણી શક્તિ મુજબ મદદ આપવી. આપણી ત્રેવડ ન હોય તો ના પણ પાડીએ, પણ મદદની શક્તિ છે. મદદ માગનારની ભીડની સચ્ચાઈમાં પણ કાંઇ શંકા નથી ત્યારે જૂની વાત યાદ કરી તેને નનૈયો ભણાવે એ શું સારું છે? મને તો એ વાતનો આનંદ છે કે ઈશ્વરે મને કોઈને પણ બે પૈસાની મદદ કરવાની શક્તિ આપી! હું પરમાત્માનો એટલો આભાર માનું છે કે મારે મારી બહેનના દીકરાને મદદ કરવાની વેળા આવી ત્યારે જૂની કડવાશે મારો હાથ રોકી ન રાખ્યો! મારી બહેનના પત્રમાં ‘લાચારી’ અને પોતે અગાઉ કરેલા વહેવારનો ‘પસ્તાવો’ પણ હતાં! એ ચિઠ્ઠી સંઘરીને આપણે શું કરવું હતું? હું તો માનું છું કે પોતાની ભીડની ક્ષણે પોતાનો હાથ બીજે ક્યાંક લંબાવવાને બદલે જૂની વાત ભૂલીને સગા ભાઈ પાસે જ મદદ માગવા જેટલી ‘ઉદારતા’ પણ તેણે બતાવી. ભગવાને જ એના અંતરમાં આવી પ્રેરણા મૂકી હશે! તે મારી ઓળખાણના બીજા કોઈ પણ વેપારી પાસે મદદ માગવા જઈ શકી હોત. કદાચ તેને મદદ મળી પણ હોત અને એને મદદ કરનારે હસતાં હસતાં મને સંભળાવ્યું પણ હોત કે ‘તમારાં બહેન બિચારાં મારી પાસે મદદ માટે આવ્યાં હતાં! મેં તેને મદદ તો કરી પણ મિત્ર, તમે બહેનનું મુદ્દલ ધ્યાન નથી રાખતા કે શું?’ એણે આવું કહ્યું હોત તો શરમથી મારું માથું ઝૂકી જાત! હું શું ત્યારે એ માણસ સમક્ષ એવો ખુલાસો કરત કે મારા નબળા સમયમાં મેં મારી દીકરી માટે કોલેજની ફીચોપડીના પૈસા માગ્યા ત્યારે મારાં બહેનબનેવીએ મને મદદ નહોતી કરી એટલે અત્યારે હવે હું એમને શું કામ મદદ કરું? તે વખતે મારાં બહેનબનેવીનું વર્તન જો ગેરવાજબી હતું તો આજે હું એવું જ વર્તન કરું તો તે કઈ રીતે વાજબી ગણાય? ‘‘એમ વિચાર કરીએ તો આપણા અત્યંત વિકટ સમયમાં તારા સગા ભાઈએ આપણી સાથે કેવો વહેવાર કર્યો હતો? આજે આપણે જે સ્નેહભર્યો સંબંધ તેમની સાથે નિભાવીએ છીએ તે સંબંધ ભૂતકાળની વાતો યાદ કરીએ તો ટકી શકે ખરો?

જીવન આવું જ છે. બધી સમયની લીલા છે. સમય એક સારા શક્તિમાન મનુષ્યને ભિખારીનાં કપડાં પહેરાવે છે અને સમય ફરી કોઈ વાર એ જ માણસને ધનવાનનો પોશાક પહેરાવે છે. એ દિવસોમાં તારા સગા ભાઈએ જે વહેવાર કર્યો હતો તે પણ ત્યારે તો ખૂબ ખટક્યો હતો. મારી સગી બહેને જે વહેવાર આપણી સાથે કર્યો હતો તે તને મને પણ ખૂબ ખટક્યો હતો, પણ માણસે યાદ રાખવું જ પડે છે કે સ્મૃતિઓનો પણ એક વિવેક છે. સારા પ્રસંગની શોભા પર વીતી ગયેલી વાતનો પડછાયો પાડવાથી આપણું સુખ ઘટે, ખારું બને તે વધે નહીં, તેમાં કોઈ મીઠાશ ન મળે.’’

Thursday, December 13, 2012

A Truck Driver With a Plan

This trucker discovered a practical way to load and unload the material into the truck without help ... he does everything alone.

This is seed cotton from a John Deere "round module" cotton picker. They are being loaded to haul to the cotton gin (short for "cotton engine"), a machine that quickly and easily separates cotton fibers from their seeds.


Wednesday, December 12, 2012

Death


    

Native : Wankaner
Currently At : Kandivali, Mumbai
Name of the deceased : Leena Vipul Sheth
Age : 45 Years
Date of Death : 04-12-2012
Husband : Vipulkumar J.  Sheth
Son : Karan 
Daughter : Muskan 
Brother : Samirbhai   
Sister-in-Law : Mitaben
Father : Lalitkumar Champaklal Shah
Mother : Naliniben
May her soul rest in eternal peac

વાંકાનેર નિવાસી હાલ કાંદિવલી, લલિતકુમાર ચંપકલાલ શાહ, નલિનીબેનના પુત્રી. અ. સૌ. લીનાબેન વિપુલ શેઠ (ઉં. વ. ૪૫) તા. ૪-૧૨-૧૨ના કેન્યા (નાયરોબી) મુકામે અરિહંતશરણ પામેલ છે. તે અમરેલી નિવાસી વિપુલકુમાર જ. શેઠના ધર્મપત્ની કરણ, મુસ્કાનના માતુશ્રી. સમીરભાઈના બેન. સૌ. મીતાબેનના નણંદ. લૌકિક વ્યવહાર બંધ છે. રહે. એ-૨, ૪૦૪, ખજુરીયાનગર, બાલાજી બેંકવેટ હોલની ગલીમાં, એસ. વી. રોડ, કાંદિવલી (વે.), મુંબઈ

મેક્સિમ્સ’ના થોડા નમૂના - ભુપતભાઇ વડોદરિયા

માણસની કોઈ ઉમદા ભાવનાની, તેના આદર્શની, તેની નૈતિક ઊંચાઈની કોઈ વાત કેટલાક માણસોને ગળે જ નથી તરતી. માણસના સ્વભાવ વિશે અધિક અંશે ઘણું બધું ખરાબ હોવાનું માનનારી વ્યક્તિને આપણે નિરાશાવાદીહતાશાવાદી ગણીએ છીએ, આવી વ્યક્તિઓને કેટલીક વાર કશું સીધું કે સારું દેખાતું જ નથી, તેને બધું જ આડુંઅવળું, ઊંધુંચત્તું અને પોલંપોલ જેવું લાગે છે, ત્રાંસી નજરે વ્યક્તિ કે સમુદાયને જોનારા માણસ અત્યંત અળખામણા બને છે. વક્રદર્શનની આવી વિશિષ્ટ દ્રષ્ટિવાળા માણસોમાંથી બહુ જ થોડા એવા નીકળે છે, જેમની વાણી કડવી લાગવા છતાં તેમાં કશુંક ગુણકારી સંભવી શકે છે.

સત્તરમા સૈકાની શરૂઆતમાં આવો એક માણસ જન્મ્યો હતો પૅરિસમાં. સોળસો તેરની સાલમાં પંદરમી સપ્ટેમ્બરે જન્મેલો લા રોસેફુકોલ્ડ (La Rochefoucauld) રાજવંશી ખાનદાનનો હતો. તેને આગળ ઉપર ડ્યૂકનો ખિતાબ પણ મળ્યો હતો. સોળ જ વર્ષની ઉંમરે પરણ્યો હતો. રાજદરબારની ખટપટોમાં ભાગીદાર અને શિકાર બંને બની ચૂક્યો હતો. લશ્કરમાં પણ સામેલ હતો. ૩૯ વર્ષની ઉંમરે લડાઈમાં જખ્મી બન્યો. ૬૭ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. બાવન વર્ષની ઉંમરે એણે જ્યારે ‘મેક્સિમ્સ’ (સૂક્તિઓ) પુસ્તિકા પ્રગટ કરી ત્યારે તેના સમકાલીનોને આંચકો લાગ્યો હતો. અર્વાચીન વાચકોને આજે કદાચ એવો આઘાત નહીં લાગે, વાચકને લાગશે કે આ ચિંતનલેખકે મનુષ્યસ્વભાવને બહુ જ કાળો ચીતર્યો છે, આવા આક્ષેપમાં જરૂર તથ્ય છે, પણ સાથેસાથે આ માણસ જે કંઈક કડવુંકાળું કહે છે તેમાં પણ કાંઈક હકીકત છે, તેનો ઇન્કાર પણ થઈ નહીં શકે. થોડાક જ શબ્દોમાં તે માનવસ્વભાવના કોઈ ને કોઈ ડાણને સ્પર્શી શકે છે, પકડી શકે છે.

‘મેક્સિમ્સ’ના થોડા નમૂના અહીં આપ્યા છે.

- માણસો ભલાઈ અને બુરાઈ બંનેને ભૂલી જતા હોય છે એટલું જ નહીં પણ જેણે પોતાનું ભલું કર્યંુ હોય તેને ધિક્કારતા હોય છે. જેણે પોતાનું ખરાબ કર્યું હોય તેને ધિક્કારવાનું બંધ કરી દે છે.

- બીજાઓનાં દુર્ભાગ્યો વેઠવાનું બળ આપણા સૌમાં હોય છે!

- દુર્ભાગ્ય કરતાં સદભાગ્ય  સહન કરવા માટે વધુ સદગુણ ની જરૂર રહે છે.

- સૂર્ય સામે અને મોત સામે કોઈ સીધી નજરે તાકી શકતું નથી.

- આપણી આશાઓ પ્રમાણે આપણે વચનો આપીએ છીએ અને આપણી શક્તિ અનુસાર તેનું પાલન કરીએ છીએ.

- આપણે જાતે કલ્પના કરીએ છીએ એટલા સુખી કે દુઃખી આપણે ક્યારેય હોતા નથી.

- પરિણામ પરથી પ્રેમનું મૂલ્યાંકન કરવા જઈએ તો એમ જ લાગે કે પ્રેમ દોસ્તી કરતાં દુશ્મનાવટને વધુ મળતો આવે છે.

- દરેક માણસ પોતે સારા હૃદયનો હોવાનું કહે છે, કોઈ પોતાનું મન સારું હોવાનું કહી શકે તેમ નથી.

- દિલ હંમેશાં દિમાગને મૂર્ખ બનાવે છે.

- આપણી પોતાની જ ખુશામત આપણે કરીએ નહીં તો આપણે ભાગ્યે જ રાજી રહી શકીએ!

- બીજાઓની બાબતમાં ડાહ્યા થવાનું સહેલું હોય છે પણ આપણી પોતાની બાબતમાં ડાહ્યા થવાનું મુશ્કેલ હોય છે.

- પ્રશંસા સાંભળવાનો ઇન્કાર કરવો તેનો અર્થ બે વાર વખાણ સાંભળવાની માગણી કરવી છે.

- આવી પડનારાં દુર્ભાગ્યોની કલ્પનામાં આપણી બુદ્ધિ વાપરવા કરતાં ચાલુ દુર્ભાગ્યને પહોંચી વળવામાં આપણી બુદ્ધિ વાપરવાનું બહેતર છે. દંભ એટલે સદગુણને દુર્ગુણે આપેલી સલામી!

- મોટા ભાગના માણસો માટે તેમની કૃતજ્ઞતાની લાગણીમાં વધુ લાભો ખાટવાની છાની ઇચ્છાથી વધુ કંઈ હોતું નથી.

- આપણી નાની ત્રુટિઓ આપણે એકદમ કબૂલ કરીએ છીએ, અને એમ કરીને આપણે બીજાઓને એવું સમજાવવા માગતા હોઈએ છીએ કે આપણામાં કોઈ મહાન ત્રુટિઓ નથી.

- ભાગ્યની મહેરબાની જેમને મળી નથી હોતી તેમને ભાગ્ય ખરેખર આંધળું લાગે છે. ભાગ્યની સાથે કામ પાડવાનો તરીકો એક જ છે, તબિયતની બાબતમાં આપણે આ જ તરીકો અજમાવીએ છીએ ઃ તબિયતની જેમ જ ભાગ્ય સારું હોય ત્યારે તેને માણો, ભાગ્ય ખરાબ હોય ત્યારે ધીરજ રાખો અને અંતિમ ઇલાજનો આશરો કદી ન લો!

- આપણાં ઉત્તમમાં ઉત્તમ કાર્યો પાછળના મૂળ હેતુઓની જગતને જાણ થતી હોત તો આપણે તેને માટે શરમાઈ મરતા હોત!

Tuesday, December 11, 2012

The Russian Aerobatic Team


The Russian Aerobatic Team performs at the air show celebrating "100 Years of the Russian Air Force".  Best viewed in Full Screen.
Zhukovsky Airfield, 25 miles southeast of Moscow. 10 and 12 August 2012.
Aerobatics: Drum, corkscrew, loop the loop, bell, heart, tulip, ventilator, ligature.
Aircraft: Aero L-39 Albatros jet trainer.  Cameras: GoPro.  Music: "Time Will Remember Us" by Epic Score


Monday, December 10, 2012

નિભ્રરન્તિની આખરી ક્ષણ, જે જીવનના ઉદ્વેગમાંથી મુક્ત કરે -ભૂપતભાઇ વડોદરિયા

મનુષ્યના જીવનમાં નિભ્રરન્તિની એક ક્ષણ આવે છે. મારાં મનોચક્ષુ સમક્ષ બે છબી ખડી થાય છે. એક છબી એક જૈન સજ્જનની છે અને બીજી છે એક મહાન સ્વપ્નદ્રષ્ટાની.
જૈન સદગૃસ્થને જીવનમાં સુખ જ હતું, પૈસા ટકાની ક્યારેય ચિંતા ન હતી. એ માનતા કે હવે બેઉ દીકરા કમાતાધમાતા થયા છે તો મારે લીલાલહેર કરવા સિવાય કશું બાકી રહેતું નથી. પણ પત્ની ગુજરી ગઇ અને બન્ને વહુઓને સસરાનો સ્વભાવ અનુકૂળ ના લાગ્યો. ગૃહસ્થ એક નાની ખોલીમાં રહેવા જતા રહ્યા. એક દિવસ મને મળવા આવ્યા. કહેવા લાગ્યા કે, ‘તબિયત ખૂબ કથળી ગઇ છે. ખોલીમાં એકલો રહું છું. ડાયાબિટીસ છે, પણ ખાવાનો શોખ એવો ને એવો જ છે. વીશીનું ભાણું ભાવતું નથી. એક મિત્રની સાથે સમેત શિખરની જાત્રાએ જઇ રહ્યો છું, તમને મળવા આવ્યો છું, છેલ્લીવાર! ત્યાં જ દેહ પડી જાય એવું ઈશ્ચર પાસે માંગું છું. જિંદગી ખૂબ જોઇ, ખૂબ માણી, ઘણા ઉધામા કર્યા. કોઇને ચાહ્યા, કોઇની સાથે લડ્યા, પણ હવે મન શાંતિ ઝંખે છે. હવે નહીં મળું, છેલ્લી સલામ!’ એમની વાત સાંભળીને થયું કે ભખભખિયો માણસ, પેટમાં પાપ નહીં એટલે આવું બધું કહેતો હશે. બાકી એમ કોઇને માગ્યું મોત થોડું મળે છે? એ ગૃહસ્થ જાત્રાએ ગયા. બે એક મહિના વિત્યા હશે. એમના એક સંબંધી મને મળ્યા. મેં એમને પૂછયું કે પેલા સજ્જન જાત્રાએથી પાછા આવી ગયા? પેલા ભાઇએ નવાઇથી કહ્યું, ‘તમને કશી ખબર નથી? એ તો પાછા આવી ગયા પછી બે દિવસ આરામ કર્યો. ત્રીજા દિવસે નાહીને કપડાં પહેર્યા. એમને અચાનક છાતીમાં દુખાવો ઊપડયો એટલે મેં કહ્યું તમે સૂઇ રહો, હું દાક્તરને બોલાવી લાવું. તે કહે, ‘એમનું પણ કામ નથી. ઇશ્ચર એમને સુખી રાખે. માત્ર એક કામ કરો, મને નવકાર મંત્ર સંભળાવો!’ મેં મંત્ર સંભળાવ્યો અને એમણે આંખો ઢાળી દીધી. એ વખતે એમના ચહેરા પર મેં અવર્ણનીય શાંતિ જોઇ. હું કોઇ સારા જીવનાં દર્શન કરી રહ્યો હોઉં એમ મને લાગ્યું.’ 


શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાન્ત સ્વામી પ્રભુપાદની કીર્તિ ઇ.સ. ૧૯૬૫ પછી વિશ્ચવ્યાપી બની. ‘ઇસ્કોન’ ના સ્થાપક તરીકે સૌ તેમને ઓળખે છે. અમેરિકા ગયા ત્યારે ભાગ્યે જ કોઇએ માન્યું હશે કે કૃષ્ણભક્તોનો વિશ્ચવ્યાપી સંઘ રચવાનું તેમનું સપનું સાકાર થશે. સ્વામીનું મૂળ નામ અભયચરણ. ૧૮૯૬ની ૧ સપ્ટેમ્બરે કલકત્તામાં જન્મ્યા હતા. એ વેપાર ધંધો કરતા હતા અને ૬૦ વરસની ઉંમરે એવા ઝંઝાવાતમાં સપડાયા કે શિરે મોટી ખોટ આવી પડી. પુત્રોને વેપાર ધંધા સોંપી દીધા. તેમની એકમાત્ર ઇચ્છા શ્રીમદ્ ભાગવતને અંગ્રેજીમાં ઉતારવાની હતી. લગભગ સિત્તેર વર્ષની ઉંમરે તદ્દન નિર્ધન અને બીમાર એવા માંડ અમેરિકા પહોંચ્યા. તે અગાઉ સ્વામીએ વૈરાગ્યનો અને એકલતાનો જે ભાવ અનુભવ્યો તે એમણે બંગાળીમાં એક કાવ્યરૂપે વ્યક્ત કર્યો છે. તેમાં પ્રારંભની કડીઓ આત્મલક્ષી છે. તેમાં મનુષ્યના હ્ય્દયનું, નિભ્રરન્તિની આખરી ક્ષણનું પ્રતિબિંબ છે, તે જુઓ.
‘વૃંદાવન ધામમાં હું એકાકી બેઠો છું. આ વૈરાગ્યભાવમાં મને ઘણા સાક્ષાત્કાર થાય છે. મારી પાસે મારાં પત્ની, પુત્રો, પુત્રીઓ, પૌત્રો, દોહિત્રો સર્વ છે, પણ પૈસો નથી, તેથી તે સર્વ નિષ્ફળ મહિમા છે. કૃષ્ણે ભૌતિક પ્રકૃતિનું નગ્ન સ્વરૂપ મને બતાવ્યું છે. એમણે મને બક્ષેલી શક્તિથી એ સર્વમાં આજે મને રસ રહ્યો નથી. કૃષ્ણે કહ્યું છે, ‘યસ્માહં અનુગૃહણામિ હરીષ્યે તદ્ધનંશનૈઃ’ (જેના પર હું કૃપા કરું છું તેનું ધન હું ધીમે રહી લઉં છું) પરમ કૃપાળુની આ કૃપા હું કેવી રીતે સમજી શકવાનો હતો? પત્ની, સગાં, મિત્રો, ભાઇઓ વગેરેએ મને નિર્ધન નિહાળી ત્યજી દીધો છે તે દુઃખદ છે, પણ હું એકલો બેસીને એ વાત પર હસું છું. આ માયાસંસારમાં હું ખરેખર કોને ચાહું છું? મારાં વત્સલ માતાપિતા ક્યાં ચાલ્યાં ગયાં? જે મારા સાચા આત્મીયજનો હતા તે વડીલો ક્યાં છે? કહો, તેમના સમાચાર મને કોણ આપશે?’ ‘એ કૌટુંબિક જીવનમાંથી તો માત્ર નામોની યાદી જ શેષ રહી છે.’ બસ, પછી સ્વામી અમેરિકા પહોંચે છે અને જીવનનું સાચું અને અંતિમ કાર્ય કરે છે. એમને વિશ્ચવ્યાપી કીર્તિ મળી, પણ માણસને કીર્તિ મળે કે ન મળે, તેણે આવું કામ શોધવું જ રહ્યું, જે તેને જિંદગીની બાહ્ય જટિલતાઓ અને ઉદ્વેગમાંથી મુક્ત કરી દે. પછી એને દુઃખ ભલે આવે પણ જીવન સરળ અને શાંત લાગે.

Sunday, December 9, 2012

The Apartment Of The Future

Simon Woodroffe has created a home which offers four times the rooms within the confines of a typical one-bedroom apartment.
Hidden rooms, which are operated via 12 mechanical moving parts, are designed to create four 860 sq ft (80 sq/m) rooms in one single 860 sq ft apartment. As a result the property boasts a master bedroom suite, second bedroom, a sunken sitting room, cinema, dining room, office, full-size kitchen, breakfast room, bathroom, party room and even a wine cellar. It incorporates the principles of Japanese living, where the simple and adaptable layout of traditional rooms allows many activities to take place in the same space. 



Saturday, December 8, 2012

સન્તો અને બુદ્ધીવાદ


દરેક માણસના મસ્તકમાં વીચારબૅંક આવેલી છે. દેહવીજ્ઞાનની ભાષામાં એને દીમાગ કહેવામાં આવે છે. બૅંકોમાં ઉજળાં નાણાં ભેગું કાળું નાણું પણ હોય તેમ માણસના દીમાગમાં સાચા ભેગી જુઠી વાતો પણ હોય.  સમાજમાં અસત્ય વકરે ત્યારે વાદવીવાદનો કોલાહલ સર્જાય છે. અને સત્ય વકરે ત્યારે ‘સત્યશોધક સભા’ની સ્થાપના થાય છે. સત્ય અને અસત્યની દોરડાખેંચ નર્મદના જમાનાથી ચાલતી આવી છે. એ ગજગ્રાહમાંથી એક સત્યવાદ જન્મ્યો તે ‘વીવેકબુદ્ધીવાદ’. એને વીજ્ઞાનપ્રમાણીત ‘સત્યનો ધરમકાંટો’ કહી શકાય. સત્યનાં એ ત્રાજવાંમાં પણ ક્યારેક બે પલ્લાં વચ્ચે ધડાનો ફેર પડી જાય છે. એક જણ જુદું માને; બીજો જુદું માને !

ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતા કથાકારોએ નાસ્તીકોના ફંક્શનમાં હાજરી ન આપવી જોઈએ એમ ઘણા માને છે. બીજી તરફ ઘણાનું કહેવું છે કે નાસ્તીકોએ તેમના ફંક્શનમાં કથાકારને બોલાવવા જ ન જોઈએ. (અમારા બચુભાઈ માને છે કે નાસ્તીકોના સંમેલનમાં કથાકારને મંચ પર બેસાડવામાં આવે તે એવી વીચીત્રતા છે માનો, કોઈ ભુવા પાસે વીજ્ઞાનમેળાનું ઉદ્ ઘાટન કરાવવામાં આવતું હોય !) વીવાદનો કોઈ અંત નથી. એક દોરડાને બે માણસો ખેંચે ત્યારે ત્રણ વાત બને છે. (1) જે મજબુત હોય તે પોતાના તરફ દોરડું ખેંચી જાય છે. (2) બન્ને સરખા મજબુત હોય તો દોરડું સ્થીર રહે છે અને (3) બન્ને બેહદ જોર લગાવે તો દોરડું તુટી જાય છે. સમાજમાં ઘણા વૈચારીક ગજગ્રાહોનાં દોરડાં તંગ રહેતાં આવ્યાં છે. મોટેભાગે આવા ગજગ્રાહોમાં સત્યની નહીં; બળની જીત થાય છે.

માણસ ચા બનાવે કે કોફી, બન્નેમાં તપેલીની જરુર પડે છે તેમ ચર્ચા શ્રદ્ધાની થાય કે અશ્રદ્ધાની એમાં વીચારશક્તી અનીવાર્ય હોય છે. પ્રયત્ન કરીએ તો પણ મુળ સત્યને કોઈથી મરોડી શકાતું નથી. જો કે હવે સત્યનો પણ ‘મેકઓવર’ થાય છે. કાગડા કાળા જ હોય. એને ધોળા રંગથી રંગવો એ સત્યનું રીનોવેશન કરેલું ગણાય. શાક માર્કેટમાં કેપ્સીકમ મરચાં પહેલાં લીલાં જ જોવા મળતાં. હવે લાલ અને પીળા રંગનાં પણ મળે છે. કાળક્રમે સત્યો પણ કેપ્સીકમની જેમ રંગ બદલે છે. ચર્ચા, દલીલ, તર્ક, વીતર્ક એ બધાંને ધારેલી દીશામાં મરોડી શકાય છે. આવું થાય ત્યારે મુળ ચર્ચા વંટોળીયાની જેમ સત્યના એપી સેન્ટરથી ધમરોળાઈને દુર નીકળી જાય છે. જીદ, મમત, હઠાગ્રહ કે હમસચ્ચાઈ એ ચાર બાબતો રૅશનાલીઝમ માટે ચાર ડાઘુ જેવી કામગીરી બજાવે છે. બધી સ્મશાનયાત્રાઓની નનામી રોડ પર નીકળતી નથી. બધા મૃત્યુની શોકસભા યોજાતી નથી.

સન્તોને નાસ્તીકોના ફંક્શનમાં બોલાવવા જોઈએ કે નહીં; એ મુદ્દો ઘણો ચર્ચાયો. એક વાત નીર્વીવાદ સ્વીકારવી પડશે. સત્યને જુથબંધી ન હોવી જોઈએ. આખા વીશ્વ માટે સત્યનું ભોજન તૈયાર થયું હોય તેમાં આસ્તીક–નાસ્તીકનો ભેદભાવ ન હોઈ શકે. ભુખ પેટની હોય કે દીમાગની, માણસ માત્ર માટે જ્ઞાનનો ખોરાક જરુરી છે. રૅશનાલીઝમમાં કોઈ ઉપયોગી બાબત હોય તો કોઈ પણ સંત તેમાં સુર પુરાવે તે આવકારદાયક લેખાય. સત્ય કોઈ એકની જાગીર નથી. યાદ રહે જે સત્ય નાસ્તીકોની દુકાને નથી ખપી શકતું તે રામકથાના દરબારમાં રમતાં રમતાં વેચાઈ શકે છે. રામના નામે પથરા તર્યા હશે કે ન હશે; પણ રામના નામે રૅશનાલીઝમ અવશ્ય તરી જશે. સંતો પાસે ધર્મનું શક્તીશાળી માધ્યમ છે. ધર્મના માઈક્રોફોનમાંથી નીકળતા ઉપદેશો સાંભળવા કરોડો કાન તત્પર હોય છે.  રૅશનાલીઝમ માટે તો રૅશનાલીસ્ટોને પણ શ્રદ્ધાળુઓ જેટલો ઉમળકો નથી ! એક સત્ય દીવાદાંડી બની ચારે દીશાનું અંધારુ દુર કરે એ સમાજોપયોગી બાબત છે. એમાં સાધુ–સંતો કે આસ્તીક–નાસ્તીકના ભેદભાવો ન હોવા જોઈએ.

બીજી નક્કર વાત સાંભળો. જો રૅશનાલીઝમમાં રોજબરોજ જીવાતા જીવનનાં નક્કર સત્યો હશે તો કોઈ સાધુ–સંતો કે ભગતો તેના મુળીયાં ઉખેડી શકશે નહીં. કોણ બોલે છે તેનું નહીં; તે શું બોલે છે તેનું મહત્ત્વ હોય છે. આપણી અંદરના ત્રાજવે તોળીને એ સમજવાનું છે કે મોરારજી દેસાઈ દારુ પીવાની ભલામણ કરે તેથી દારુની હાનીકારકતા નષ્ટ થઈ જવાની નથી. બીજી તરફ ઓસામા બીન લાદેન શાન્તીની હીમાયત કરે તો તેને એક આતંકવાદીની હીમાયત ગણીને ફગાવી દેવાની જરુર નથી. કેટલાંક સત્યો વીવેકબુદ્ધીના બેરોમીટરથી તપાસતાં પોકળ જણાય છે. પરન્તુ રૅશનાલીઝમ અને જીવન એ બેનો હમ્મેશાં મેળ ખાતો નથી. જીવનમાં જીવાતાં વ્યવહારુ સત્યો જુદાં હોય છે અને વાસ્તવમાં જે અસલ સત્યો છે તે જુદાં છે. આ બન્ને સત્યોનો સમન્વય કર્યા પછી જન્મતું ‘વ્યવહારુ–રેશનાલીઝમ’ સમાજનું કલ્યાણ કરી શકે છે.

એક બે દાખલા જોઈએ. લાખો શ્રદ્ધાળુઓ (શીક્ષીતો) પણ સવારે સુર્યવંદના કરે છે. એ અન્ધશ્રદ્ધા હોય તોય તેનાથી સમાજનું ધનોતપનોત નીકળી જતું નથી. યાદ રહે અન્ધશ્રદ્ધાનો આનંદ પણ મદીરાપાન જેવો છે. દારુ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે છતાં;  નાસ્તીકો પણ તે પીએ છે. કેમ…? આનંદ મળે છે માટે ! (સંભવત: ‘બેફામ’ સાહેબે સાચું જ લખ્યું છે– ‘પુરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા… મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ…!) જીવનના પ્રત્યેક આનંદને ન્યાય, નીતી અને સત્યના ત્રાજવે તોલી શકાતો નથી. ચીનનો બ્રાહ્મણ સાપ, દેડકાં, ઉંદર વગેરે આરોગે છે. કહો જોઉં, એ સારુ છે કે ખરાબ તે કોણ અને શાના આધારે નક્કી કરશે?

બીજો મુદ્દો જોઈએ. માન્યું કે દીશાઓ માણસે શોધી છે. બ્રહ્માંડમાં દીશાઓ જેવું કશું છે જ નહીં. વાત સો ટકા સાચી. પણ શું દીશાઓ વીના માણસને ચાલશે ખરું ? (ડુંગરો કદી પગથીયાં વાળા હોતા જ નથી. પગથીયાં માણસ પોતે બનાવે છે. પણ પગથીયાં વીના ચાલે ખરું ?) દીશાઓ પણ ડુંગરના પગથીયાં જેવી છે. તે દરીયામાં, આકાશમાં, ધરતી પર કે રણમાં પ્રવાસ કરતી વેળા અનેક રીતે ઉપયોગી થાય છે. અમદાવાદ કઈ દીશામાં આવ્યું તે વાત કોઈને સમજાવવા માટે માણસે શોધી કાઢેલી તરકીબને દીશા કહી શકાય. તે અન્ધશ્રદ્ધા હોય તો પણ ઉપયોગી અને અનીવાર્ય અન્ધશ્રદ્ધા છે. ખરી વાત એટલી જ કે જીવનામાં સુખશાન્તીથી જીવી જવા માટે માણસ પોતાની રીતે જે વ્યવસ્થા ગોઠવે તેમાં ક્યાંક ખોટું પણ થતું હોય છે. પણ અસલી મુદ્દો એ છે કે જીવન કદી વ્યાખ્યાઓ અને વીજ્ઞાન વડે જીવી શકાતું જ નથી. સંજોગના પવન પ્રમાણે માણસે સુપડું ફેરવવું પડે છે. માણસ આસ્તીક હોય કે નાસ્તીક, વન વેમાં ટ્રીપલ સીટે સ્કુટર લઈને ઘુસી જાય પછી પોલીસ મેમો ફાડે તે પહેલાં પોલીસના ખીસ્સામાં સોની નોટ સરકાવી દે છે. આજપર્યંત એક પણ નાસ્તીક માણસે (રીપીટ એક પણ નાસ્તીકે…) પકડાયા પછી પોલીસ સામે એવી જીદ પકડી નથી કે મેં ગુનો કર્યો છે માટે કાયદા પ્રમાણે તેની સજા થવી જોઈએ.

ધુપછાંવ


માણસ સુરજને નમસ્કાર કરી લીધા પછી સુર્યપ્રકાશમાંથી વીજળી પેદા કરવાના સંશોધનમાં લાગી જતો હોય તો તેની અંગત શ્રદ્ધાનું સમાજને કોઈ નુકસાન નથી. માણસે તેમ કર્યું પણ છે. ઉંદરને ગણપતીનું વાહન માનતો માણસ પ્રયોગશાળામાં ઉંદરો પર પ્રયોગો કરીને અનેક દવાઓ શોધે છે. સવારે સુરજને વંદન કર્યા પછી તે સોલર–કુકર વડે તેની પાસે ખીચડી રંધાવી લે છે. નાગપાંચમને દીને નાગની પુજા કર્યા પછી તેના ઝેરમાંથી જ તે ઝેરમારણના ઈંજેક્શન બનાવે છે.

-દીનેશ પાંચાલ
અક્ષરાંકન:ગોવીન્દ મારુ 
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

Friday, December 7, 2012

Truck Driver Refuses To Give Up

 A Russian truck driver refuses to give up after his vehicle gets stuck several feet deep in a river.
 


Thursday, December 6, 2012

Death


    

Native : Rangpar, Morbi
Currently At : Borivali, Mumbai
Name of the deceased : Vijyaben Chandulal Doshi

Age : 83 Years
Date of Death : 04-12-2012
Husband : Late  Chandulal Doshi
Sons : Rajnikant, Dinesh, Hitesh
Daughters-in-Law : Ranjan, Bina, Urmila
Daughter : Lataben Nagindas Shah
Grandchildren : Manasi, Manan, Mihir, Pranav, Rushabh, Khushi
Brothers : Late Chimanbhai, Himatbhai
Sister : Muktaben
Father : Late Virchand Panachand

May her soul rest in eternal peace

રંગપર મોરબી હાલ બોરીવલી ગં. સ્વ. વિજયાબેન ચંદુલાલ દોશી (ઉં. વ. ૮૩), તે રજનીકાંત, દિનેશ, હિતેશ, લતાબેન નગીનદાસ શાહના માતુશ્રી. સૌ. રંજન, બીના, ઉર્મિલાના સાસુ. માનસી, મનન, મિહિર, પ્રણવ, ઋષભ, ખુશીના દાદીમા. તે વીરચંદ પાનાચંદભાઈની પુત્રી. સ્વ. ચીમનભાઈ, હિંમતભાઈ, મુકતાબેનના બેન મંગળવાર, ૪-૧૨-’૧૨ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૬-૧૨-’૧૨ના ૧૦ થી ૧૨. સ્થળઃ પાવન ધામ, બી.સી.સી.આઈ. ગ્રાઉન્ડની સામે, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ).

ઈશ્વરનું અસ્તીત્વ માનવતામાં છે- ડૉ. પ્રતાપ પંડ્યા

છેલ્લી સાત પેઢીથી અમારા પરીવારનો કર્મકાંડનો તદ્દન બનાવટનો, લોકોને લુંટવાનો, લોકોને જાહેરમાં મુર્ખ બનાવી રોટલો રળવાનો ધંધો રહ્યો. એ કરનાર અમારા વડીલોએ જે મરતાં મરતાં અમને કહ્યું છે તે આપને કહેવા માંગુ છું. તેમણે કહ્યું, ‘‘અમે ઓછું ભણેલા બ્રાહ્મણના દીકરા એટલે બીજી કોઈ મહેનત – મજુરી કરી ન શકવાને કારણે કથા, વાર્તા, જ્યોતીષ, યજ્ઞ, દોરા–ધાગા, સરવણી વગેરે વીધી કરવાના થોડાક ચાલુ મંત્રો પુસ્તકોમાંથી ગોખીને શીખી લીધા. પછી ગાડું ચાલ્યું. નાણાં, માન, વસ્ત્રો અને સારાં મકાન પણ અમે આ કર્મકાંડના ગોરખધંધા વડે પ્રાપ્ત કરી જીવ્યા છીએ.  
‘‘પણ આપણી પુત્રીઓ, પુત્રો, વહુઓ, બાળકો આ અનીતીભરી આવકને કારણે સુખી થયાં નથી. રોગ, ગાંડપણ કુસંસ્કારના ભોગ બન્યાં છે. અમારા વડવાઓ પણ છેલ્લે દુ:ખી થઈને મર્યા છે. કારણ કે માનવજાતને અમે માનવ થઈને છેતરી છે. દગો દીધો છે. માનવમાત્ર ઈશ્વરનો અંશ છે. દરેક જીવમાં ઈશ્વરનું અસ્તીત્વ અનુભવી શકાય છે. જો વેદના – સમ્વેદના કે હૃદયમાં થતી લાગણીનો અનુભવ થાય તો એ જ ઈશ્વર છે એમ માની કરુણા, સ્નેહ, પ્રેમ, હુંફ આપી માનવમાં રહેલા ઈશ્વરને રાજી કરજો. એ સીવાય મફતનું ખાવું, મફતનું લેવું, બ્રાહ્મણ છીએ માટે મફત ભોજન, દાન–દક્ષીણા લેવાનો હક્ક કાયમ માટે ત્યાગીને નાત–જાત છોડીને સમગ્ર માનવ પ્રત્યે સમજણપુર્વક સમાન વાણી અને વહેવાર રાખી વર્તન કરજો એ ઈશ્વરની ખરી પુજા છે.’’
છેલ્લે મરણની છેલ્લી પળે મારા સ્વ. પીતાજીએ મારા માતુશ્રીને હાથમાં પાણી લેવડાવી પ્રતીજ્ઞા કરાવી હતી કે, ‘‘આપણાં સન્તાનોને આ કર્મકાંડનો ધન્ધો નહીં કરાવીશ. ભીક્ષાવૃત્તીનો ત્યાગ કરાવીશ. મફતનું ભોજન, અન્ન, વસ્તુ– સીધુંસામાન–દાનદક્ષીણા કદાપી લેવા દઈશ નહીં. પેટ ન ભરાય તો ફોડી નાખજો.’’
 મારા સ્વ. માતુશ્રી ૨૬ વરસની ઉમ્મરે વીધવા થયાં. અમે ચાર સન્તાનો અને પોતે એમ પાંચનું ભરણપોષણ, ખડ વાઢીને, જીવનભર અજાચક બની જીવવાના ઉત્તમ સંસ્કારો અમને આપ્યા. આજ સુધીમાં મન્ત્ર, તન્ત્ર, જન્માક્ષર, સમય–વાર, ચોઘડીયાં કે ગ્રહો કોઈ ક્યાંય અમને નડ્યાં નથી. દરેક સન્તાન ૧૮ વર્ષની ઉમ્મરે કામે લાગી જાય. અને આપ સૌને નવાઈ લાગશે કે ૮૧ વરસની ઉમ્મરે મારાં પુજ્ય માતુશ્રી સ્વર્ગવાસી થયાં ત્યારે શીક્ષણ, સંસ્કાર, સમ્પત્તી અને સાચી સમજણ સાથે અમને જીવતા જોઈને પરમ સન્તોષ સાથે આશીર્વાદ આપીને ગયાં. તેઓએ એ જ કહ્યું કે, ‘આપણી અજાચકવ્રતની વારસાગત મુડી સાચવજો. માનવમન્દીરમાં રહેલ ઈશ્વરને વન્દન કરી નમ્રતા, સરળતા અને સહજ જીવન જીવજો…’
આ સત્ય હકીકત મેં એટલા માટે રજુ કરી છે કે સમાજમાં અત્યારે વ્યાપી રહેલી અન્ધશ્રદ્ધા, ભુત, ભારાડી, ધર્મને નામે ચાલતાં આશ્રમો, મંદીરો કે જેનો માત્ર નાણાં કમાવા સીવાય કોઈ હેતુ નથી તેમાં પડવું નહીં. કદાચ તેને પડકાર કરવા કે તે ખોટું છે તેમ કહેવાની હીમ્મત, છાતી, તાકાત ન હોય તો ભલે; પણ તેનાથી દુર તો રહેવાય ને ? મારે પણ આસ્તીક, નાસ્તીક કે વચ્ચેના કોઈ માનવસમાજની પ્રવૃત્તીઓ–ધન્ધા, સાચા, ખોટામાં પડવું નથી; પણ આ બધાથી દુર રહીને ખુબ સારી રીતે જીવાય છે તેવો મારો પોતાનો જાતઅનુભવ છે. હું શીક્ષણનો માણસ છું. માણસ બનીને જ માનવ તૈયાર કરવાનનું કામ મેં અને મારાં પત્નીએ ૩૫ વરસ કર્યું છે. ગામડાંમાં, શહેરમાં, ગલી, પોળમાં કે દુનીયાના અન્ય દેશોમાં ક્યાંય અમે માનવતા ચુકતાં નથી. અન્ધશ્રદ્ધા કે દમ્ભી દેવદર્શન કરી દાન–દક્ષીણા લેતા તો નથી જ; પણ ક્યારેય એક પણ પૈસો મન્દીરમાં, સન્તને કે તેના આશ્રમને આપતા નથી. મન્દીર, હવેલી કે અન્ય ધર્મસ્થળોની આજુબાજુ જે ગરીબ, ભુખ્યાં લોકો ટળવળતા હોય તેની તપાસ કરી, તેમને ઘરે બોલાવીએ છીએ. તેમનાં ઝુંપડાંઓમાં જઈને કપડાં, અનાજ, રુપીયા, પુસ્તકો, બાળકોને ભણવાની ફી આપીએ છીએ. અમારાં પેન્શનની રકમ દર મહીને ૨૦ થી ૨૫ હજાર આવે છે. કોઈ પણ જાતની પ્રસીદ્ધી કર્યા વીના છેલ્લાં ૧૦ વરસથી વડોદરા શહેરમાં રહીને આવી મદદ આપ્યા જ કરીએ છીએ. અમે બન્ને પ્રાથમીક શાળાના નીવૃત્ત શીક્ષક–દમ્પતી છીએ. ઈશ્વરનું અસ્તીત્વ અમે માનવમાં જોયું છે. અને માનવસેવા એ જ ઈશ્વરસેવા છે તેમ દૃઢપણે માનીએ છીએ. બાકી બધો દમ્ભ છે, ધતીંગ છે, ખોટું છે, છેતરવાના ગોરખધંધા છે. લોકોની લાચારી, ગરીબી, નીરક્ષરતા, બેકારીનો લાભ લેતી આવી વ્યક્તીઓ, સંસ્થાઓ કે આશ્રમોને ખુલ્લાં પાડી સત્ય સમજાય તેવું સામાજીક પરીવર્તન કોઈએ તો કરવું જ પડશે.
છેલ્લે એટલું કહું કે કાદવના ખાડાને તમે પુરી શકો તેમ ન હો; તો પણ તેનાથી દુર તો રહી શકાય છે ને ?
શીક્ષીત વ્યક્તી આટલું સમજી પોતાના પુરતો નીર્ણય કરી જીવે તો પણ ઘણું બધું કામ થાય…’

(મૂળ લેખને ટૂંકાવીને)
અક્ષરાંકન: ગોવીન્દ મારુ 
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર 

Wednesday, December 5, 2012

Human Towers (Govinda) In Spain

In the city of Tarragona, Spain, "castellers" gather every two years to see who can build the highest, most intricate human castles.
It requires astonishing strength, finesse, and balance. Not to mention courage.  





Tuesday, December 4, 2012

માન્યતાની બીજી બાજુ-શ્રી. મુરજી ગડા


અહીંસાની આગેકુચ…
ખાસ વીનન્તી :
આ લેખ અહીંસાને કેન્દ્રસ્થાને રાખી વાંચવાનો છે. પોતાની માન્યતાથી ભીન્ન રજુઆત વાંચવાથી જેમની લાગણી દુભાતી હોય એમના માટે આ લેખ ન વાંચવો હીતાવહ રહેશે…..
રામાયણ અને મહાભારતના સાચાપણા માટે વીવાદ ઉઠતો રહે છે. આપણે એમાં ન પડતાં એટલું તો સ્વીકારીએ કે સો કરોડ લોકોની સંસ્કૃતી અને જીવનપદ્ધતી પર સૌથી વધુ પ્રભાવ આ બે મહાગાથાઓનો છે. એટલે રામાયણ અને મહાભારત વાસ્તવીક હોય યા ન હોય, એમને અવગણી તો ન જ શકાય.
આ મહાકાવ્યોનું અસલી સંસ્કૃત લખાણ તો સાવ ઓછા લોકોએ વાચ્યું હશે. જૈન રામાયણ અને મહાભારત છે એવું સાંભળ્યું છે, એ જોયું કે વાચ્યું નથી. અત્યારે જનસામાન્યના મનમાં જે સ્વરુપે છે તે મુખ્યત્વે રામાનન્દ સાગર અને બી. આર. ચોપરાની રજુઆતનું છે. નીચેનું લખાણ એના સંદર્ભમાં છે.
પ્રચલીત માન્યતાની તરફેણમાં લખવું સહેલું અને સુરક્ષીત હોવાથી એવું ઘણું લખાય છે. માન્યતાની બીજી બાજુ રજુ કરવાનો આશય આંધળા વીરોધનો લગીરે નથી. તે વીષયને બીજા દૃષ્ટીકોણથી તપાસવાની–જોવાની કોશીશ છે. વૈચારીક તેમજ સાંસ્કૃતીક વીકાસ માટે તે જરુરી છે.
આ મહાકાવ્યોમાં વર્ણવાયેલ બધું તત્કાલીન સમાજની વાસ્તવીકતા હશે. અત્રે એને મુલવવાની કોશીશ નથી કરી; બલકે આજનાં જીવનમુલ્યો, સાચાં–ખોટાંની આપણી સમજ, માનવતા વગેરેના સંદર્ભમાં વીચારતાં આ મહાકાવ્યોના કેટલાક પ્રસંગો મનને મુંઝવતા પ્રશ્નો ઉઠાવે છે. એમાંથી થોડાને અહીં અહીંસાના માપદંડથી જોઈએ.
(1)   રામાયણનો સૌથી વધારે જાણીતો પ્રસંગ છે રામ–રાવણનું યુદ્ધ. દર દશેરાએ એની યાદ તાજી કરાય છે તેમ જ અન્ય કેટલાયે પ્રસંગે એનો ઉલ્લેખ થાય છે.
કોઈનું અપમાન કરવું હોય, કોઈ વાતનો બદલો લેવો હોય તો એનો સૌથી અકસીર રસ્તો છે એની પત્નીનું અપહરણ કરવાનો. એ અનુસાર રાવણ સીતાનું અપહરણ કરે છે. સ્ત્રીના અપહરણનો આ પહેલો પ્રસંગ નહીં હોય, અને છેલ્લો તો નહોતો જ.
આને બે વ્યક્તીઓ વચ્ચેનો અંગત મામલો કહેવાય. સામાન્ય રીતે જ્યારે આવો બનાવ બનતો ત્યારે બે જણ વચ્ચેના દ્વન્દ્વ દ્વારા એનો ઉકેલ લવાતો.
શ્રીરામ સામાન્ય રાજા નહોતા. એમના મનમાં પોતાની પ્રજા ઉપરાન્ત સમસ્ત સૃષ્ટીનું હીત રહેલું હતું. વીષ્ણુના અવતાર એવા ત્રીકાળજ્ઞાની રામને ખબર હતી કે પોતે અજેય છે તેમ જ તેમના સીવાય રાવણને બીજો કોઈ હરાવી કે મારી શકે એમ નથી. યુદ્ધના અન્તે રામ–રાવણ સામે સામે આવે જ છે. યુદ્ધનો અન્ત પણ એમના દ્વન્દ્વથી જ આવે છે. એ દરમીયાન બન્ને બાજુના કેટલા બધા સૈનીકોનું મૃત્યુ થાય છે ! શું આટલા લોકોની આહુતી જરુરી હતી ?
જે કથાને આધારે સંસ્કૃતી રચાય છે અને ઘડાય છે તે કથા માત્ર રસપ્રદ હોય એ પુરતું નથી. એનો દરેક પ્રસંગ આદર્શ હોવો જરુરી છે.
શાન્તીકાળમાં દરેક દેશના સૈન્યમાં સ્વેચ્છાએ ભરતી થયેલ સૈનીકો હોય છે. જ્યારે કોઈ દેશ યુદ્ધે ચઢે છે કે પરાણે ચડવું પડે છે ત્યારે, સૈન્યમાં યુવાનોની ફરજીયાત ભરતી કરવામાં આવે છે. અર્વાચીન ભારત ક્યારે પણ મોટા યુદ્ધમાં સંડોવાયું નથી. ભારતની વસતી અને ગરીબીને લીધે ફરજીયાત ભરતીની જરુર ઉભી થઈ નથી એટલે આપણને એનો ખ્યાલ ન હોય. આવી રીતે ફરજીયાત જોડાયેલ સૈનીકો અને ધન્ધાકીય રીતે જોડાયેલ સૈનીકોમાં ફરક હોય છે.
રાવણની સેનામાં તે સમયે આવા ફરજીયાત ભરતી કરેલા સૈનીકો હશે જ. સુગ્રીવની પુરી સેનાને (વાનરસેના) આ યુદ્ધ સાથે શી નીસબત હતી ? યુદ્ધમાં જે સૈનીકો મરે છે એનાં કુટુમ્બો નીરાધાર થાય છે. યુદ્ધનો અન્ત કેવી રીતે આવવાનો છે એની રામને ખબર હોવા છતાં; યુદ્ધમાં આટલી બધી નીર્દોષ વ્યક્તીઓનો ભોગ આપવાનું કારણ શું હતું ?
આજે સમગ્ર વીશ્વ ઈરાક–અમેરીકાના યુદ્ધનો વીરોધ કરે છે. ખુદ અમેરીકાની બહુમતી પ્રજા, જે શરુઆતમાં યુદ્ધને ટેકો આપતી હતી તે, આજે યુદ્ધ આટોપવાની તરફેણમાં છે; કારણ કે બધાને ઈરાકના નાગરીકોની યાતના નજર સામે દેખાય છે. ભુતકાળનું જે દેખાતું નથી એનું મહત્ત્વ ઓછું નથી થઈ જતું.
યુદ્ધ એ રાજકારણનું વીસ્તૃતીકરણ ગણાય છે. મહત્ત્વાકાંક્ષી નેતાઓના અંગત એજન્ડા માટે કેટલાયે નીર્દોષ લોકો ખુવાર થઈ જાય છે. આજે આ બધું સ્પષ્ટ દેખાય છે. પહેલાં એવું નહોતું એમ માની ન લેવાય.
(2)   મહાભારતની કથા ધર્મયુદ્ધના નામે ઓળખાતા કરુક્ષેત્રના યુદ્ધ આસપાસ વણાયેલી છે. યુદ્ધ નીવારવાના બધા પ્રયાસો નીષ્ફળ જતાં, અન્તે કૌરવ–પાંડવ યુદ્ધમેદાનમાં સામસામે આવી જાય છે. બધા સ્વજનોને સામે ઉભા જોઈને વીવશ અર્જુનને શ્રીકૃષ્ણ જે બોધ આપે છે તે શ્રીમદ્ ભગવદગીતા નામે હીન્દુ વીચારધારાનો પાયાનો ગ્રંથ બની જાય છે. અન્તે યુદ્ધ થાય છે. આઠ જણ સીવાય બન્ને બાજુના બધાનો એમાં નાશ થાય છે.
અહીં પણ મન મુંઝાય છે અને પ્રશ્ન ઉઠે કે શું યુદ્ધ નીવારવા બધા પ્રયત્નો સાચે જ થયા હતા ?
રાજવંશની વ્યકતીઓ માત્ર રાજ કરે; બીજું કંઈ ન કરે એ ત્યારની પ્રથા હશે. આ પ્રથા એટલી સબળ હોય કે એના માટે સર્વનાશ વહોરી લેવાય ! મીત્રરાજ્યમાં પાંડવો એક વર્ષ માટે અજ્ઞાતરુપે સામાન્ય નાગરીક થઈને રહ્યા હતા. હવે તો અજ્ઞાતવાસનો સવાલ નહોતો. પ્રતીષ્ઠા સાથે મીત્રરાજ્યમાં રહી શક્ત. અંતર્યામી કૃષ્ણને યુદ્ધનાં પરીણામ વીશે બધી ખબર હતી. એમણે સર્વનાશ નીવારવા આ પ્રયાસ કર્યો હતો ?
યુધીષ્ઠીરને બધા ભાઈમાં સૌથી વધુ ધીરગમ્ભીર, નમ્ર, માયાળુ, ભાવનાશીલ વગેરે બતાવવામાં આવે છે. યુદ્ધ મેદાનમાં જે રીતે અર્જુન વીવશ થાય છે તેમ યુધીષ્ઠીર પણ થયા હશે. યુદ્ધ નીવારવાની એક વધુ શક્યતા તપાસીએ.
યુદ્ધ મેદાનમાં શ્રીકૃષ્ણ અર્જુનને બદલે યુધીષ્ઠીરને ઉપદેશ આપે છે. એ કાલ્પનીક તેમ જ વૈકલ્પીક ઉપદેશનો સાર યુધીષ્ઠીરના શબ્દોમાં જોઈએ. કૌરવ પક્ષમાં ઉભેલા વડીલોને પ્રણામ કરી યુધીષ્ઠીર કહે છે: ‘અમે અહીં અમારી સાથે થઈ રહેલ અન્યાય સામે લડવા આવ્યા છીએ; આપ સાથે લડવા કે આપને મારવા નથી આવ્યા. અમે મરવાથી પણ નથી ડરતા. એક ક્ષત્રીય તરીકે અમે હવે યુદ્ધભુમી છોડીને પણ નથી જવાના; તેમ જ કૃષ્ણની જેમ અમે પણ શસ્ત્રો વાપરવાના નથી. જ્યાં સુધી અમને અમારો હક ન મળે ત્યાં સુધી અમે પાંચ ભાઈઓ અન્નજળનો ત્યાગ કરી અહીં જ ઉભા રહીશું.’
પછી પોતાના પક્ષના બધા યોદ્ધાઓ અને સૈનીકોનો આભાર માની કહે છે, ‘તમને બધાને પોતપોતાના ઘરે પાછા જવાની છુટ છે. તમારા પર યુદ્ધભુમી છોડી જવાનું કલંક નહીં લાગે. સત્યવક્તા યુધીષ્ઠીરનું આ વચન છે.’
ફરી પાછું કૌરવો તરફ વળીને કહે છે, ‘આપ પણ આપના સૈનીકોને પાછા જવાની છુટ આપી શકો છો; પણ આપ સૌ મહારથીઓને યુદ્ધભુમી છોડી જવાની છુટ નથી. આપને યોગ્ય લાગે તો અમને હણી શકો છો. આપ સૌને અહીં જ રહેવાનું છે.’ વગેરે વગેરે સમ્પુર્ણ ‘ગાંધીગીરી’ કરે છે.
દુર્યોધનને તો વગર યુદ્ધે જોઈતું મળી જાત; પણ ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ વગેરે મહારથીઓના પ્રત્યાઘાત કેવા હોત અને એનું પરીણામ શું આવત એ વાચકો પોતાની રીતે વીચારી લે. બીજું કંઈ નહીં તોયે; લાખો નીર્દોષ સૈનીકો બચી ગયા હોત. પાંડવોના વારસાગત હક માટે લાખો સૈનીકોનાં જીવનનો મુળભુત હક છીનવાયો ન હોત. એમનાં પરીવાર નીરાધાર ન થયાં હોત. કે પછી ત્યારની સમાજવ્યવસ્થામાં સૈનીકો અને એમનાં પરીવારનાં જીવનની કંઈ કીંમત જ નહોતી !
(3)   પત્નીને એટલા માટે અર્ધાંગના કહેવામાં આવી છે કે તે પતીની મર્યાદાઓની પુરક બને. (આમ તો પતી–પત્ની બન્નેએ એકબીજાનાં પુરક બની, પાર્ટનર બની, સંસારના પ્રશ્નો ઉકેલવાના હોય છે.) અન્ધ રાજકુમાર સાથે વીવાહ નક્કી થતા આંખે પાટા બાંધી સ્વેચ્છાએ જીવનભરનો અંધાપો સ્વીકારી લેનાર ગાંધારીને મહાસતીનું બીરુદ મળ્યું છે. શું એનું આ પગલું વાજબી હતું ? પતીની ખામી પ્રત્યેની સહાનુભુતીથી પોતે પણ એની મજબુરીનો અહેસાસ કરી કદાચ પત્નીધર્મ (!) નીભાવ્યો હોય. એના બદલે મહારાજ ધૃતરાષ્ટ્રની આંખો બની મહારાણી તરીકેની ફરજ બજાવવી એ વધુ જરુરી નહોતું ? એ રીતે કેટલાંયે સંકટો નીવારાયાં હોત.
(4)   પીતાની એક ઈચ્છા પુરી કરવા પુત્ર દેવવ્રત આકરી પ્રતીજ્ઞા લઈ ભીષ્મ તરીકે પ્રસીદ્ધ થયા. એ પ્રતીજ્ઞા પાળવા એમણે કંઈ કેટલીયે બાંધછોડ કરી. કોઈ ચોક્કસ સંજોગોમાં લીધેલી પ્રતીજ્ઞા સંજોગો બદલાતાં પણ તોડી ન શકાય એવી સમજ ત્યારે દૃઢ બનેલી હશે. દેશના હીતમાં, માનવસમાજના હીતમાં ગાંધારીએ તેમ જ ભીષ્મ પીતામહે પોતાની પ્રતીજ્ઞાઓ તોડી હોત તો કેટલો વીનાશ ટાળી શકાયો હોત ! આજના સંદર્ભમાં કોઈ એક વ્યક્તીની પ્રતીજ્ઞા કે વચન આટલા માનવસંહાર કરતાં વધારે અગત્યનાં હોઈ શકે ?
(5)   મહભારતના યુદ્ધ દરમીયાન ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, અભીમન્યુ, દુર્યોધન, પાંડવપુત્રો વગેરેને મારવા માટે બન્ને બાજુના યોદ્ધાઓએ પોતાના ક્ષત્રીયધર્મનું તેમજ યુદ્ધના નીતીનીયમોનું ઉલ્લંધન કર્યું હતું. જીતવા માટે નીયમોનો ભંગ વાજબી હતો પણ સંહાર અટકાવવા પ્રતીજ્ઞાનો ભંગ વાજબી નહોતો લાગ્યો ?

       થોડા સમય પહેલાં પસાર થયેલી ગાંધીજીની ૬૦મી પુણ્યતીથી નીમીત્તે એમના વીશે સમાચારપત્રોમાં ઘણું લખાયું હતું. એમાંનો એક લેખ ખાસ ધ્યાન દોરી ગયો. ‘મોહનથી મોહન, વાયા મહાવીર’ એ લેખમાં શ્રીકૃષ્ણ (મોહન), મહાવીર અને ગાંધીજી(મોહનદાસ)ના વીચાર અને જીવનની સરખામણી કરી હતી. આપણે એમને થોડા જુદા દૃષ્ટીકોણથી જોઈએ.
પાંડવોને એમના રાજ્યનો હીસ્સો અપાવવા માટે કૃષ્ણને, વીષ્ટી નીષ્ફળ જતાં યુદ્ધ અનીવાર્ય લાગ્યું. એમને અત્યારે અહીંસક વીકલ્પો યોગ્ય લાગ્યા નહીં કે પછી સુઝ્યા નહીં ?
મહાવીર અને બુદ્ધ, બન્નેએ બીજાનાં દુ:ખો નીવારવા પોતાના હકનાં રાજપાટ હતાં તે છોડ્યાં. દુનીયાને અહીંસાનો માર્ગ બતાવ્યો. જો કે એમની અહીંસા વ્યક્તીગત અજમાયશ પુરતી સીમીત રહી છે. સાર્વજનીક રીતે જનસમુદાય જેટલી વીસ્તૃત ન બની શકી. એમના ઉપરાંત ઘણા સાધુસંતોએ પણ અહીંસાનો વ્યક્તીગત અમલ કર્યો છે.
ગાંધીજીની અહીંસાનો વીસ્તાર સાર્વજનીક હતો. એમણે સત્તારુઢ શાસકોને શાસન છોડી જવાની ફરજ પાડી, સત્ય અને અહીંસાને માર્ગે ગાંધી કોઈ અવતારી પુરુષ નહોતા. આપણી જેમ જ સામાન્ય વ્યક્તી તરીકે જનમ્યા અને ઉછર્યા હતા. એમણે ઘણી ભુલો પણ કરી હતી અને જાહેરમાં એનો એકરાર પણ કર્યો હતો આટલી ઉન્નત અને વીસ્તૃત હોવા છતાં એમની અહીંસાના પ્રયોગની પણ મર્યાદા હતી. એ અંગ્રેજો સામે કામ આવી; પણ પોતાના જ દેશબાંધવો સામે કામ ન આવી શકી. દેશના ભાગલા વખતે ફાટી નીકળેલાં કોમી રમખાણોને અટકાવવામાં એ નીષ્ફળ નીવડી. ગાંધીજી લાંબું જીવ્યા હોત તો આવા બનાવોને કારણે એમની પાછલી જીન્દગીમાં તેઓ સાર્વજનીક અહીંસાના સફળ પુજારી ગણાયા હોત કે નહીં એ એક પ્રશ્ન રહી જાય છે. કમનસીબે અહીંસાના પુજારીનું મૃત્યુ કુદરતી નહોતું, હીંસક હતું. દેશ તેમ જ એમના ચાહકો માટે તે દુ:ખદ ઘટના હતી. એમના ભોગે અહીંસાની શાખ જળવાઈ કહેવાય ?
આવા સંવેદનશીલ વીષય પર અલગ મંતવ્ય રજુ કરવાનો એક અર્થ એ કરી શકાય કે લખનારને આવા બનાવો પાછળના ગુઢ સંદેશ વીશે કંઈ સમજ નથી એ હોઈ શકે છે. બીજો અર્થ એ પણ હોઈ શકે કે માનવ સંસ્કૃતી ધીરેધીરે વીકાસ પામી રહી છે. સાંસ્કૃતીક વીકાસનાં આ પગથીયાં છે.
આડેધડ યુદ્ધ કરવા કરતાં એને નીવારવા પ્રયાસ કરવા અને ન છુટકે જ યુદ્ધનો આશરો લેવો એ અહીંસાનું પહેલું પગથીયું હતું. કોઈ પણ સંજોગોમાં યુદ્ધ ન કરવાનો, બદલો ન લેવાનો, ક્ષમા કરવાનો મહાવીરનો સંદેશ એ અહીંસાનું બીજું પગથીયું હતું. જ્યાં સમયનો બાધ ન હોય ત્યાં અહીંસક રીતે અન્યાયી સત્તા સામે લડતા રહેવું એ ગાંધીજીનો માર્ગ ત્રીજું પગથીયું હતું. જ્યાં એક એક ક્ષણ અગત્યની હોય એવા યુદ્ધ મેદાનમાં, આક્રમણખોર સામે અહીંસા અજમાવવી એ માનવજાતની અહીંસાવૃત્તીનું ચોથું પગથીયું હશે. (નાના પાયે  પ્રયોગ સફળ રીતે અજમાવાયો હોય એવા દાખલા વર્તમાનમાં નોંધાયા છે.)
એ ભુલવું ન જોઈએ કે પહેલાં પગથીયાંની અગત્યતા પછીનાં પગથીયાં કરતાં જરાય ઓછી નથી. એના વગર બીજાં પગથીયાંનું અસ્તીત્વ શક્ય નથી. એટલે જ જુદેજુદે તબક્કે અહીંસા આચરનાર બધા મહાપુરુષો વંદનીય છે.
આગળ ચર્ચેલાં મહાકાવ્યોનાં દૃષ્ટાંત ઉપરાંત અન્ય કેટલીક વીસંગતતાઓ તે જ અન્ય પુરાણો કે દંતકથાઓ વીશે પણ મનમાં પ્રશ્ન ઉઠે છે. વાલ્મીકી કે વેદવ્યાસ કોઈ પ્રકારે આપણી પાસે આવી શકે તો બધા પ્રશ્નો સરસ રીતે ઉકેલી શકાય. પણ એ શક્ય નથી. જો કે આવા પ્રશ્નોના ઉત્તર મેળવવા અગત્યના નથી અને જરુરી પણ નથી. અગત્યની વાત એ છે કે બે ત્રણ હજાર વરસ પુરાણી વીચારધારાનું આંધળું અનુકરણ આજે ન કરાય. એને વર્તમાન સંજોગોમાં તપાસવી જરુરી છે. દરેક વીષયની માવજતની સમજ ઘણી વધી છે. રોજરોજ બનતી કેટલીયે ખરાબ ઘટનાઓ ઉપરાંત વર્તમાન સમાજ એકંદરે સંસ્કારી છે. રામનું એકપત્નીવ્રત એક આદર્શ ગણાતું, આજે તે એક સામાન્ય બાબત ગણાય છે. કહેવાતા સતયુગમાં પ્રચલીત એવા વર્ણભેદ, જાતીભેદ ઘટી રહ્યા છે. દાસ–દાસી જેવા શબ્દો ભુંસાતા જાય છે. ગુલામી નાબુદ થઈ છે. સામાન્ય માણસની જીન્દગીની પણ કદર થાય છે.
આ તો એક જ સદીનો પ્રતાપ ગણાય; પાંચ – છ સદીઓ પછી તો શુંનું શું થઈ શકે છે….

અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર