Sunday, September 30, 2012

Samaj Utkarsh Volume No 575 August 2012

To read Pages 1 to 8 of Samaj Utkarsh click here 

To read Pages 9 to 16 of Samaj Utkarsh click here 

To read Pages 17 to 24 of Samaj Utkarsh Click here 

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff.

2) Last month wrong volume no was given. This month also the mistake is carried forward. Actually , The volume no. should be 575 and not 574 as mentioned on the first page of Samaj Utkarsh.

3) Proof Readers seem be doing a casual work. 

They do not correct the mistake made by the circular writer or Printing press composer. 

Circular of Samaj are shown to be signed by Secreataries of Yuvak Mandal. See page 7. 

Likewise on page no 17, Taraben has expired last year and a big donation has been given to Samaj but her date of death has not been mentioned nor Sva. is prefixed to her name.Even the write up seems to be written for Trambakbhai Mehta and is not corrected to incorporate death of Taraben.

On Page 20, the advertisement given for Indumatiben & Naginbhai can not be understood clearly as to which family has paid tribute to Parents as there is no surname mentioned.

Parents






http://2.bp.blogspot.com/-2Vn1JHXZeaE/TdFAlmIbSRI/AAAAAAAAACw/pzbJddpPpeA/s1600/pencil_n_eraser_icon_by_erandarki.pngPencil: I'm sorry !

Eraser: For what? You didn't do anything wrong.

Pencil:
I'm sorry because you get hurt because of me. Whenever I made a mistake, you're always there to erase it. But as you make my mistakes vanish, you lose a part of yourself. You get smaller and smaller each time.

Eraser:
That's true. But I don't really mind. You see, I was made to do this. I was made to help you whenever you do something wrong. Even though one day, I know I'll be gone and you'll replace me with a new one, I'm actually happy with my job. So please, stop worrying. I hate seeing you sad.  
Click here to join World Malayali Club
I found this conversation between the pencil and the eraser very inspirational.   Parents are like the eraser whereas their children are the pencil. They're always there for their children, cleaning up their mistakes. Sometimes along the way, they get hurt, and become smaller / older, and eventually pass on. Though their children will eventually find someone new (spouse), but parents are still happy with what they do for their children, and will always hate seeing their precious ones worrying, or sad.
All my life, I've been the pencil. And it pains me to see the eraser that is my parents getting smaller and smaller each day. For I know that one day all that I'm left with would be memories of what I used to have.
Click here to join World Malayali ClubClick here to join
 World
 Malayali ClubClick here to join World Malayali ClubClick here to join World Malayali ClubClick
 here to join World Malayali Club
 
"We never know the love of our parents for us until we have become parents"

From Jayesh Doshi

Africa - Into The Wild

 Breathtaking footage from Kenya, East Africa by the talented videographer Devin Graham.
Music: "African Skies" by Stephen Anderson   Edited by Lindsey Stirling 


Saturday, September 29, 2012

અત્યંત રસપ્રદ જીવનચરિત્ર – ડંકેશ ઓઝા


[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.]
પણે સારાં જીવનચરિત્રોની શોધમાં હોઈએ છીએ. પરંતુ ઘણી બધી વખત આપણે આખા પુસ્તકના બદલે છાપાં કે સામાયિકમાં આવેલા એકાદ લેખથી સંતોષ માનતાં હોઈએ છીએ. માણસ માત્રને બીજાના જીવનમાં ડોકિયું કરવું ગમતું હોય છે જેથી પોતાના જીવન માટે ઉપયોગી એવું કંઈક એમાંથી મેળવી શકે અને તાળો પણ મેળવી શકે. અંગ્રેજીમાં ખૂબ સારાં જીવનચરિત્રો લખાયેલાં જોવા મળે છે. એનું કારણ એ છે કે તેનો લેખક એક સંશોધનની માફક ચારેતરફ ખાંખાખોળા કર્યા પછી વિષયને ન્યાય આપતો હોય છે. કોઈપણ વ્યક્તિત્વને ચારેતરફથી જોવાનો પ્રયત્ન કરીએ તો કદાચ સમગ્ર ચિત્ર અને ચરિત્ર આપણી સમક્ષ આવે. ઘણી બધી વખત આપણને આખું જોવામાં રસ નથી અને તેથી પાર વિનાની મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. શિવાજી વિશે આવું સમગ્રદર્શી લખાયું તો ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટ રફેદફે થઈ ગયું. હમણાં કોઈકે મહર્ષિ અરવિંદનું જીવનચરિત્ર લખ્યું તો પોંડીચેરીમાં અરવિંદભક્તોએ ધરણા કર્યા.

અંગ્રેજીના વિદ્વાન પ્રાધ્યાપક અને નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં લાંબો સમય કામ કરનાર મીનાક્ષી મુખરજીએ રોમેશચંદર દત્ત (1848-1909) વિશેનું સંપૂર્ણ જીવનચરિત્ર 400 પાનાના પુસ્તકમાં લખ્યું છે. એક ICS અધિકારી આજથી 150 વર્ષ પહેલાં સરકારમાં અને સમાજમાં કેવું કામ કરેઅને લોર્ડ કાર્ઝનને દુકાળની પરિસ્થિતિ અને તેમાં મરતા માણસો વિશે કેવા પ્રશ્નો ઊભા કરે છે તે જાણવું અત્યંત રસપ્રદ બને તે રીતે આખું પુસ્તક લખાયું છે.

વડોદરામાં સ્ટેશનથી અલકાપુરી તરફનો જે રસ્તો છે તે આર.સી.દત્ત રોડ કહેવાય છે. દત્ત તેમના ત્રણ સાથીદારો સાથે ICSની પરીક્ષા માટે ઘર છોડીને ઈંગ્લેન્ડ ગયા હતા જ્યારે દરિયો ઓળંગવો એ પાપ ગણાતું હતું. જે વિશે ટાગોરે પણ ‘સમુદ્રયાત્રા’ (1892)માં બંને પ્રકારની દલીલોની ચર્ચા કરી છે. સૌથી પહેલા કોઈ ભારતીય ICS થયા હોય તો તે ટાગોરના મોટાભાઈ સત્યેન્દ્રનાથ હતા અને બીજા 1871માં આર.સી. દત્ત. બિહારીલાલ ગુપ્તા સુરેન્દ્રનાથ બેનરજી અને શ્રીપાદ બાબાજી ઠાકોર ICSમાં તેમની સાથે હતા. જે જમાનામાં પ્રવાસની અત્યંત મુશ્કેલીઓ હતી ત્યારે દત્ત તરાપામાં બેસીને કે ઘોડા પર બેસીને અંતરિયાળ મુલકોમાં ગયા છે અને પ્રજા સાથે વાતચીત કરી છે તેના અનુભવો જાણવા જેવા છે. આશ્ચર્ય એ વાતનું થાય કે એક ICS અધિકારી ઋગવેદનો બંગાળીમાં અનુવાદ કરે, ભારતની આર્થિક પરિસ્થિતિનો ઈતિહાસ લખે, પ્રાચીન ભારતની સંસ્કૃતિનો ઈતિહાસ લખે, બંગાળી સાહિત્યનો ઈતિહાસ લખે, મહાભારત અને રામાયણ વિશે અંગ્રેજીમાં લખે જેની ભૂમિકા ખુદ મેક્સમૂલર લખી આપે અને તે ઉપરાંત બંગાળીમાં નવલકથાઓ લખે જે લખવાની પ્રેરણા ખુદ બંકીમબાબુએ પૂરી પાડી હોય અને પ્રાદેશિક ભાષામાં લખવા બાબતે અવઢવ અનુભવતા દત્તને બંકીમબાબુએ કહ્યું હોય કે માતૃભાષામાં લખશો તેમાં જ તમને ખરો યશ મળશે !

ICSમાંથી પણ વહેલી સ્વેચ્છા નિવૃત્તિ લઈ લીધી અને પાછલા વર્ષોમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના નિમંત્રણથી તેઓ વડોદરામાં શરૂઆતમાં મહેસૂલ મંત્રી અને પછી દિવાન એટલે કે પ્રધાનમંત્રી તરીકે જોડાયેલા. જાહેરજીવનમાં સતત ઓતપ્રોત રહ્યા અને જે સમકાલીનો સાથે તેમણે કામ કર્યું તેમાં દાદાભાઈ નવરોજી, વ્યોમેશચંદ્ર બેનરજી, સુરેન્દ્રનાથ બેનરજી, ફિરોજશા મહેતા, બંકીમચંદ્ર ચેટરજી, રવીન્દ્રનાથ ટાગોર, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ, લાલા લજપતરાય, ગોપાલકૃષ્ણ ગોખલે, માર્ગારેટ નોબલ (સીસ્ટર નિવેદીતા) વગેરે હતાં. ડૉ. સુમંત મહેતાનાં પત્ની અને ગુજરાતનાં પહેલા મહિલા ગ્રેજ્યુએટ એવા શારદાબહેન મહેતાએ રોમેશચંદ્ર દત્તની ‘સંસાર’ નવલકથાનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ ‘સુધા-હાસિની’ નામે કરેલો. જે દત્તસાહેબ વિગતે જોઈ ગયેલા અને ગુજરાતી ભાષા પર પૂરતી પકડ હાંસલ કરી હોવાને કારણે અનુવાદની ચર્ચા પણ શારદાબહેન મહેતા સાથે કરતા. પોતાની પ્રથમ બંગાળી નવલકથા ‘બંગવિજેતા’ માં ચાર પાત્રોનાં નામ છે : બિમલા, કમલા, સરલા અને અમલા. આ નવલ લખી ત્યારે પોતાની બે પુત્રીઓનાં નામ આમાંથી હતા અને બાકીની બે પછી જન્મી જેનાં નામ આ રાખવામાં આવેલા. મહારાજ સાહેબે તેમને 3000 રૂ.નો માસિક પગાર 1904માં ઓફર કરેલો અને 1907માં જ્યારે નાદુરસ્ત તબિયતને કારણે તેમણે વડોદરા છોડવાનો નિર્ણય કર્યો ત્યારે એક મહિનાની રજા અથવા તો તેટલો પગાર તેમણે બક્ષીસરૂપે આપતાં ગૌરવ અનુભવેલું !

પુસ્તકની અંદર લગભગ 100 પાનાં પરિશિષ્ટોનાં છે, જેમાં તેમના કુટુંબનું વંશવૃક્ષ, મહારાજાના હસ્તાક્ષરમાં પત્રો, પ્રત્યેક પ્રકરણમાં આવતા સંદર્ભોની વિગતે નોંધ, દત્તનાં અંગ્રેજી તથા બંગાળીમાં પ્રકાશિત પુસ્તકોની યાદી, લેખકે ખપમાં લીધેલા સંદર્ભ ગ્રંથોની વિગતવાર યાદી (જેમાં શારદાબહેન મહેતાનાં સંસ્મરણોનો અંગ્રેજી અનુવાદ દિલ્હીની ઝુબાન સંસ્થા દ્વારા 2008માં પ્રગટ થયો છે તેનો ઉલ્લેખ છે) અને નામવાર અને વિષયવાર સૂચિનો પણ તેમાં સમાવેશ થાય છે. લંડનમાં હતા ત્યારે બ્રિટનની આમસભા અને ઉમરાવસભામાં તો ચર્ચા સાંભળવા જતા જ. પરંતુ જાહેર કાર્યક્રમમાં જવાના શોખને કારણે આર.સી.દત્તે જે.એસ.મીલ અને ચાર્લ્સ ડીકન્સને પણ સાંભળ્યાના ઉલ્લેખો છે. ડીકન્સ સરસ રીતે વાંચતા તો હતા જ પરંતુ તે યોગ્ય હાવભાવ સાથે વાંચતા. બ્રિટનની સંસદમાં ગ્લેડસ્ટોન અને ડીઝરાયલીને પણ તેઓ રસપૂર્વક સાંભળતા. ત્યાંના છાપાઓમાં પત્રો લખતા અને એક છાપાના ભારતીય ખબરપત્રી તરીકે તેમણે નિયમિત લખેલું. ભારતની સ્થિતિ સંદર્ભે ઘણાં વ્યાખ્યાનો લંડનની કલબોમાં આપેલાં.
તેઓ સ્વભાવે અત્યંત સૌજન્યશીલ અને સંસ્કારી હતા. વડોદરાના મહારાજા સાહેબના તબીબ ડૉ. સુમંત મહેતાનાં પત્ની શારદાબહેને નોંધ્યું છે કે દત્ત જ્યારે વડોદરા છોડીને ગયા ત્યારે તેમને પોતાનું પિયરઘર બંધ થયાની લાગણી થયેલી. દત્તની એકપુત્રીના લગ્નમાં બંકીમબાબુ અને ટાગોર બંને સાથે પધાર્યા ત્યારે બંકીમબાબુ તો સિદ્ધહસ્ત લેખક તરીકે જાણીતા હતા અને રવીન્દ્રનાથ હજુ નવા નવા ઊભરી રહ્યા હતા. દત્તે સ્વાગતમાં પહેલો ફૂલહાર બંકીમબાબુને પહેરાવ્યો તો બંકીમચંદ્રે તરત એ જ હાર રવીન્દ્રનાથને પહેરાવી દીધો અને કહ્યું કે હવે ટાગોરને તે પહેરાવાય તે વધુ યોગ્ય છે. આ ઘટના બંગાળી સાહિત્યમાં ઠેકઠેકાણે નોંધાઈ છે અને દંતકથા રૂપ બની ગઈ છે.

ઋગવેદનો બંગાળીમાં અનુવાદ કર્યો તેથી બ્રાહ્મણોની મોનોપોલીમાં ગોબો પડતો અનુભવાયેલો અને ત્યારે જે ટીકાટીપ્પણ સહેવાનાં આવ્યાં તેમાં સમાજસુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આર.સી.દત્ત ની પડખે ઉભા રહેલા. મોરલે મીન્ટો કમિશન વિકેન્દ્રિકરણ માટે નિમાયું ત્યારે જે એક માત્ર ભારતીયનો સભ્ય તરીકે સમાવેશ કરાયેલો તે આર.સી.દત્ત હતા. ભારતીય રાષ્ટ્રિય કૉંગ્રેસના પ્રમુખ તરીકે આર.સી.દત્તે 1899માં લખનૌમાં હવાલો સંભાળેલો. નિવૃત્તિ પછી લંડનની કોલેજોમાં એમણે અધ્યાપન કાર્ય કરેલું. આપણને આશ્ચર્ય થાય પરંતુ તેમની ઐતિહાસિક નવલકથઓમાં જ્ઞાતિવાદી મૂલ્યો ધરાવતા હિન્દુ સમાજ તેમજ સતી અને જૌહરપ્રથાના ગૌરવગાન પણ છે. વ્યવહારમાં તેઓ આંતરજ્ઞાતીય લગ્નોના પુરસ્કર્તા હતા અને પુત્રવધૂઓ સાસરીયાઓ સમક્ષ માથે ઓઢીને પેશ આવે તેના પુરસ્કર્તા હતા. એક જુનિયર ICS અધિકારીએ પોતે જુદા પ્રદેશ અને જુદી જ્ઞાતિના હોવા છતાં આર.સી.દત્તની દીકરીને પરણવાની ઈચ્છા પત્રથી પ્રગટ કરી તેનો સંમતિસૂચક જવાબ દત્તે આપ્યો છે. તેમાં આવી ઘણી વિગતો પ્રગટ થાય છે.

આર.સી.દત્ત વિશે એકથી વધુ જીવનચરિત્રો લખાયાં છે, જે બધાના ઉલ્લેખો પુસ્તકમાં આવે છે. સુંદર અને સરળ અંગ્રેજી ભાષામાં લખાયેલું આ જીવનચરિત્ર તે સમયના બ્રિટન અને ભારતના સામાજિક-રાજકીય વાતાવરણને તથા જાહેરજીવનને સુપેરે અને વિગતે પ્રગટ કરે છે અને તેથી જ તેનું વાચન અત્યંત રસપ્રદ બને છે ને અને વાચક તેમાં ડૂબી જાય છે. આર્થિક ઈતિહાસના બે ગ્રંથો તેમની અત્યંત મહત્વની અને યશસ્વી કામગીરી ગણાય છે. ભારત સરકારે આઝાદી પછી પણ તેનું પુનઃપ્રકાશન કરવાનું યોગ્ય માન્યું હતું અને ગાડગીલે તેની પ્રસ્તાવના લખી હતી. આર.સી.દત્તનું એક જીવનચરિત્ર ભારત સરકારની પ્રકાશન સંસ્થાએ પ્રગટ કર્યું છે. આપણે જે પુસ્તકની ચર્ચા કરીએ છીએ તે પેન્ગવીનનું પ્રકાશન છે. બહુ વખતે એક સુંદર જીવનચરિત્રનો અને તેથી એક સદાબહાર ગૌરવપ્રદ વ્યક્તિત્વનો પરિચય થયો તેનો આનંદ છે.

Friday, September 28, 2012

Death

   


Native : Juna Ghantila
Currently At : Dadar , Mumbai
Name of the deceased : Kantaben Jamnadas Lodaria
Age : 87 Years
Date of Death : 26-09-2012
Husband : Late Jamnadas Kirchand Lodaria
Sons : Vinodbhai, Girishbhai
Daugjters-in-Law : Mrudulaben, Pritiben
Daughter : Varshaben Kamleshkumar Doshi
Grandsons  : Aashish, Virag,Sohil
Grand Daughters-in-Law : Disha, Kejal
Grand Daughters : Dimple Rajivkumar, Darshana Jigarkumar
Father :Late Savji Gulabchand Doshi
 
May her soul rest in eternal peace.



જૂના ઘાંટીલા (હાલ દાદર) સ્વ. જમનાદાસ કીરચંદ લોદરીયાના ધર્મપત્ની કાંતાબેન (ઉં. વ. ૮૭) ૨૬-૯-૧૨ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે વિનોદભાઈ, ગીરીશભાઈ,વર્ષાબેનના માતા. મૃદુલાબેન, પ્રીતિબેન, કમલેશકુમાર દોશીના સાસુ. તે ડીમ્પલ રાજીવકુમાર, આશીષ, વિરાગ, દર્શના જીગરકુમાર તથા સોહીલના દાદીમા. તે દિશા, કેજલના મોટાસાસુ. સ્વ. સવજી ગુલાબચંદ દોશીના દીકરી. તે નિમિત્તે અનુષ્ઠાન ૨૮-૯-૧૨ના શુક્રવારના ૯.૩૦ થી ૧૨.૩૦. સ્થળઃ કિત્તે ભંડારી સભાગૃહ, શિવસેના ભવનની પાસે, હોટલ પ્રકાશની સામે, દાદર (વે.). (ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.). (લૌકીક વ્યવહાર બંધ છે.)

Truth about Cancer

THIS IS AMAZING INFORMATION ON WHAT FEEDS CANCER, AND WHAT OTHER TREATMENT IS AVAILABLE.
This HAS to be of interest to everyone... FINALLY!!! News from the medical world that makes sense!!!
 
 
JohnsHopkins Update
This is an extremely good article.
Everyone should read it.

AFTER YEARS OF TELLING PEOPLE CHEMOTHERAPY IS THE ONLY WAY TO TRY ('TRY', BEING THE KEY WORD) TO ELIMINATE CANCER,JOHNSHOPKINS IS FINALLY STARTING TO TELL YOUTHERE IS AN ALTERNATIVE WAY


Cancer Update from Johns Hopkins :

1.
Every person has cancer cells in the body. These cancer
Cells do not show up in the standard tests until they have
Multiplied to a few billion. When doctors tell cancer patients
That there are no more cancer cells in their bodies after

Treatment, it just means the tests are unable to detect the
Cancer cells because they have not reached the detectable
Size.

2. Cancer cells occur between 6 to more than 10 times in a

person's lifetime.

3.
When the person's immune systemis strong the cancer
Cells will be destroyed and prevented from multiplying and
Forming tumors.

4. When a person has cancer it indicates the person has
Nutritional deficiencies. These could be due to genetic,
But also to
environmental,foodand lifestyle factors.

5. To overcome the multiple nutritional deficiencies,
changing
Dietto eat more adequately and healthy, 4-5 times/day
And by including supplements will strengthen the immune system.

6. Chemotherapy
involves poisoningthe rapidly-growing
Cancer cells and also destroys rapidly-growing healthy cells
In the bone marrow, gastrointestinal tract etc., and can

Cause organ damage, like liver, kidneys, heart, lungs etc.

7. Radiation while destroying cancer cells
alsoburns, scars
And damages healthy cells, tissues and organs.

8. Initial treatment with chemotherapy and radiation will often
Reduce tumor size.
However prolonged use of chemotherapy and radiation do not result in more tumor destruction.

9. When the body has too much toxic burden from
Chemotherapy and radiation the immune system is either
Compromised or destroyed, hence the person can succumb
To various kinds of infections and complications.

10. Chemotherapy and radiation can cause cancer cells to
Mutate and become resistant and difficult to destroy.
Surgery can also cause cancer cells to spread to other sites.

11. An effective way to battle cancer is to starve the cancer
Cells by not feeding it with the foods it needs to multiply.


*CANCER CELLS FEED ON:

A. Sugar substitutes likeNutraSweet, Equal, Spoonful, etc. Are made
With Aspartame and it is harmful
. A better natural substitute
Would be Manuka honey or molasses, but only in very small
Amounts.
Table salthas a chemical added to make it white in
Color Better alternative is Bragg's aminos or
sea salt.

B.
Milkcauses the body to produce mucus, especially in the
Gastro-intestinal tract.
Cancer feeds on mucus. By cutting off milk and substituting with unsweetened soy milk cancer cells are being starved.

C. Cancer cells thrive in an acid environment.
A meat-based
Dietis acidicand it is best to eat fish, and a little other meat,
Like chicken. Meat also contains livestock antibiotics, growth hormones and parasites, which are all harmful, especially to people with cancer.

D. A diet made of
80%fresh vegetables and juice, whole
Grains, seeds, nuts and a little fruits help put the body into
An
alkaline environment. About 20% can be from cooked
Food including beans. Fresh vegetable juices provide live
Enzymes that are easily absorbed and reach down to
Cellular levels within 15 minutes to nourish and enhance
Growth of healthy cells. To obtain live enzymes for building
Healthy cells try and drink fresh vegetable juice (most
Vegetables including bean sprouts) and eat some raw
Vegetables 2 or 3 times a day.
Enzymes are destroyedat
Temperatures of 104 degrees F (40 degrees C)..

E. Avoid
coffee, tea, and chocolate, which have high
Caffeine
Green teais a better alternative and has cancer
Fighting properties. Water-best to drink purified water, or
Filtered, to avoid known toxins and heavy metals in tap
Water. Distilled water is acidic, avoid it.


12.Meat proteinis difficult to digest and requires a lot of
Digestive enzymes. Undigested meat remaining in the
Intestines becomes putrefied and leads to more toxic buildup.

13. Cancer cell walls have a tough protein covering. By
Refraining from or eating less meat it frees more enzymes
to attack the protein walls of cancer cells and allows the
body's killer cells to destroy the cancer cells.

14.
Some supplementsbuild up the immune system
(IP6, Flor-ssence, Essiac, anti-oxidants, vitamins, minerals,
EFAs etc.) to enable the bodies own killer cells to destroy
cancer cells..
Other supplementslike vitamin E are known
to cause apoptosis, or programmed cell death, the body's
normal method of disposing of damaged, unwanted, or
unneeded cells.

15. Cancer is a disease of the
mind, body,and spirit.

A proactive and positive spirit will help the cancer warrior
be a survivor.
Anger, un-forgiveness and bitternessput
the body into a stressful and acidic environment. Learn to
have a loving and forgiving spirit. Learn to relax and enjoy life.

16. Cancer cells cannot thrive in an oxygenated
environment.
Exercising daily, anddeep breathinghelp to
get more oxygen down to the cellular level. Oxygen therapy is another means employed to destroy cancer cells.

1.
No plastic containersin micro.

2.No water bottlesin freezer.

3.No plastic wrapin microwave..

Johns Hopkins has recently sent this out in its newsletters. This information is being circulated at Walter Reed Army Medical Center as well. Dioxin chemicals cause cancer, especially breast cancer.Dioxins are highly poisonousto the cells of our bodies. Don't freeze your plastic bottles with water in them as this releases dioxins from the plastic. Recently, Dr Edward Fujimoto, Wellness Program Manager at Castle Hospital , was on a TV program to explain this health hazard. He talked about dioxins and how bad they are for us. He said that we should not be heating our food in the microwave using plastic containers. This especially applies to foods that contain fat. He said that the combination of fat, high heat, and plastics releases dioxin into the food and ultimately into the cells of the body. Instead, he recommends using glass, such as Corning Ware, Pyrex or ceramic containers for heating food. You get the same results, only without the dioxin. So such things as TV dinners, instant ramen and soups, etc., should be removed from the container and heated in something else. Paper isn't bad but you don't know what is in the paper. It's just safer to use tempered glass, Corning Ware, etc. He reminded us that a while ago some of the fast food restaurants moved away from the foam containers to paper The dioxin problem is one of the reasons.

Please share this with your whole email list.........................
Also, he pointed out thatplastic wrap, such as Saran, is just as dangerous when placed over foods to be cooked in the microwave. As the food is nuked, the high heat causes poisonous toxins to actually melt out of the plastic wrap and drip into the food. Cover food with a paper towel instead.

This is an article that should be sent to anyone important in your life...
 --
Thanks & Regards,Pradip Doshi.

Thursday, September 27, 2012

ધર્મ અનુષ્ઠાન

ઘાંટીલા નિવાસી (હાલ દાદર) કાંતાબેન જમનાદાસ લોદરિઆ (ઉ.વ. ૯૦) તા. ૨૬-૦૯-૨૦૧૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમના સ્મરણાર્થે ધર્મ અનુષ્ઠાનનું આયોજન તા. ૨૮-૦૯-૨૦૧૨ના રોજ સવારના ૧૦:૦૦ કલાકે કિત્તે ભંડારી હોલ દાદર ખાતે રાખવામાં આવેલ છે.

જાણવા જેવું – સંકલિત


[1] પુત્રીના નામથી પ્રખ્યાત બની કાર – હિતેશ જોશી
વર્ષ 1900ની આસપાસનો સમય. જર્મનીની ‘ડેઈમલર મોટર કંપની’ (ડીજીઓ) હજુ ઓટોમોબાઈલ ક્ષેત્રે આગલ વધવા માટે સંઘર્ષ કરી રહી હતી. ગાડીઓની દુનિયાના દરવાજા હજુ તો ઊઘડી રહ્યા હતા જાણે. ત્યારની નવલી નવોઢા જેવી બધી મોટર કંપનીઓ વર્ષે દહાડે માંડ 35-36 કાર વેચી શકતી. એવામાં આ નવી-સવી ડેઈમલર કંપનીને એક ‘એમીલ જેલીનેક’ નામના રાજદ્વારી ઉદ્યોગપતિનો ભેટો થયો. આ ઉદ્યોગપતિ ઝડપી કારનો આશિક તો હતો જ પરંતુ પોતાની પુત્રી ઉપર એને એટલો બધો પ્રેમ અને પુત્રીનું નામ પોતાની કોઈ શુકનવંતી માન્યતાને લીધે લખાવવાનું એવું પાગલપન કે તેણે ડેઈમલર કંપની સામે ઑફર મૂકી કે જો મારી પુત્રીનું નામ તમારી મોટર ઉપર લખો તો એકસાથે 35 કાર આ બંદો એકલો ખરીદી લેશે !
ડેઈમલર કંપનીને તો જાણે જલસો પડી ગયો ! એક નામ લખવા બદલ જો આખા વર્ષનું વેચાણ એક જ સોદે થતું હોય તો પછી કરાય જ ને કંકુના… – એમ માની ડેઈમલરે શરત માન્ય રાખી અને ‘એમીલ જેલીનેક’ ને તેની પુત્રીનું નામ લખેલી 36 ગાડીઓ એક સાથે વેચવામાં આવી. જેલીનેકે આ બધી કાર ખરીદી અને નફો કરી વેચી પણ નાખી. અને યુરેકા ! આ કાર તો યુરોપિયન માર્કેટમાં હિટ ગઈ અને આવો જ સોદો એણે ફરી પણ કર્યો. ત્યારથી માંડીને આજ સુધી એ કારના નામે સિક્કા રણકતા રહ્યા છે. એમીલની જે લકી ડૉટરનું નામ કાર પર લખાયેલ એ હતી ‘મર્સિડિઝ’ ! અને એ કંપની એટલે હાલની ‘મર્સિડિઝ બેન્ઝ’ ! આ કાર એટલી તો વિખ્યાત રહી કે આજ સુધી કંપનીએ તેનું નામ દૂર નથી કર્યું. જરા વિચારો, જો એમીલને પોતાની દીકરી આટલી વ્હાલી ન હોત તો ? તો શાયદ આ કંપની પણ ના હોત. ક્યારેક ‘જો’ અને ‘તો’ ની વચ્ચે ઈતિહાસ રચાય છે અને એને આ કિસ્સામાં બેશક મર્સિડિઝ કહી શકાય ! (‘ફીલિંગ્સ’ સામાયિકમાંથી સાભાર.)
.

[2] કળશપૂજા કેમ ? સં. – આદિત્ય વાસુ
આજથી બે સદી પહેલાંનો વિચાર કરીએ તો આપણો દેશ નાનાં ગામડાંઓ અને નાનાં નગરોનો બનેલો સમૂહ હતો. આ ગામો અને નગરો મહદઅંશે કોઈ ને કોઈ નદીના કિનારે વસેલા હતાં કારણ કે પાણી-જળ એ મનુષ્યની પહેલી અને મહત્વની જરૂરિયાત હતી. એ સમયે વાહનવ્યવહાર અને મુસાફરી પગપાળા કે બળદગાડામાં થતી હતી, તે જ પ્રમાણે પાણી તો નદીકિનારે અથવા કૂવામાંથી ભરી લાવવું પડતું હતું. પાણી લાવવા માટે મનુષ્યે સર્વપ્રથમ માટીની ગાગર બનાવી હતી અને તે પછી જ્યારે તેણે ધાતુની શોધ કરી ત્યારે ધાતુના ઘડા તેણે બનાવ્યા જેને તે કળશ પણ કહેતો હતો. આ કળશમાં તે તેનું જીવન ટકાવવામાં સૌથી મહત્વનો ફાળો આપનાર પાણી ભરી લાવતો. આમ કળશ મનુષ્યના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયો હતો અને આજે પણ તે તેના જીવનનું મહત્વનું અંગ છે. ભલે આજે ઘરે ઘરે પાણીના નળ આવી ગયા છતાંય તે પાણીને ભરી રાખવા માટે તો ઘડા-કળશની તો જરૂર પડે જ છે.
યુગોથી જળ ભરેલા ઘડા-કળશને મનુષ્ય ખૂબ જ આદરપૂર્વક – પ્રેમપૂર્વક જોતો આવ્યો છે. તેને મન કળશ ભરપૂરતાનું અને પવિત્રતાનું પ્રતીક છે. આથી જ્યારે તે કોઈ શુભ કાર્ય – સારું કામ કરવા જઈ રહ્યો હોય છે ત્યારે સર્વપ્રથમ તે કળશને યાદ કરે છે. આજની સામાન્યમાં સામાન્ય વિધિમાં તે કુંભ સ્થાપના કરવાની વિધિ સર્વ પ્રથમ કરે છે. લગ્ન પ્રસંગ હોય, ગૃહપ્રવેશ હોય, કોઈનું સ્વાગત કરવાનું હોય કે પછી કોઈ પણ પ્રકારનું શુભકાર્ય કરવાનું હોય ત્યારે સર્વપ્રથમ શણગારેલા કુંભ-કળશની સ્થાપના કરવામાં આવે છે. જીવનને ટકાવી રાખનાર જળની આટલી સુંદર ઉપાસના ભારત સિવાય જગતના કોઈ દેશમાં નથી. જેનો યશ આપણા જ્ઞાની પૂર્વજો અને ઋષિમુનિઓને જાય છે. અત્યંત સુંદર રીતે શણગારેલા કળશનું ચિત્ર આપણે લગ્નપત્રિકા, નિમંત્રણપત્રિકા કે જાહેરાતમાં જોઈએ છીએ ત્યારે આપણને આપણી આ પરંપરા માટે ગૌરવ થયા વગર રહેતું નથી. સમગ્ર જીવન દરમિયાન કળશ દ્વારા જળને મહત્વ આપનાર મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેની અંત્યેષ્ઠિમાં પણ માટીના કુંભને સ્થાન આપવામાં આવ્યું છે. જીવન જળ હવે ખૂટી ગયું છે તે ભાવને વ્યક્ત કરવા અગ્નિસંસ્કાર પહેલાં જળ ભરેલા માટીના ઘડાને ફોડી નાખવામાં આવે છે.
જળ ભરેલો કળશ હર્યાભર્યા જીવનનું સુંદર પ્રતીક છે. સંસ્કૃતિના બીજા તબક્કામાં મનુષ્ય જ્યારે ખેતી કરવા લાગ્યો ત્યારે માટી અને જળની મહત્તા તેને સમજાઈ. ધન-ધાન્ય તે આ બે વસ્તુના સંયોજનથી જ મેળવી શકતો હતો. આથી જ્યારે સર્વપ્રથમ તેણે માટીનો ઘડો બનાવ્યો ત્યારે તેમાં જળ ભરવાનો જ તેનો આશય હતો. માટી અને જળના સુભગ મિલને તેને ખુશ કરી દીધો અને જળના સંગ્રહ માટે વિવિધ પ્રકારના ઘડા-કળશ તેણે બનાવ્યા અને જીવન તથા જીવંતતાના પ્રતીક તરીકે તેણે તેમાં વૃક્ષનાં પાન અને શ્રીફળનો સુશોભન તરીકે ઉપયોગ કર્યો. કળશ મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતોનું સૌંદર્યવાન પ્રતીક છે. (‘આવું કેમ ?’ પુસ્તકમાંથી સાભાર.)
.

[3] ભારતીય ભાષામાંથી અંગ્રેજી ભાષામાં સામેલ થતા શબ્દો – હેમેન ભટ્ટ
ઓરેન્જ (Orange), પાયજામા (Pajama), ઠગ (Thug), બેંગલ્સ (Bangles), જંગલ (Jungle), કૉટ (Cot) આ બધા શબ્દોના અર્થ તો તમે જાણતા હશો, પણ આ બધા શબ્દોમાં શું સામ્ય છે, જાણો છો ? વિચારો…. નથી સમજ પડતી ? તો જાણી લ્યો કે, આ બધા શબ્દ ભારતીય ભાષામાંથી અંગ્રેજીમાં આવ્યા છે. દર વર્ષે અંગ્રેજી ભાષામાં ભારતીય ભાષામાંથી કોઈ ને કોઈ શબ્દ સામેલ કરવામાં આવે છે. તે એક બાજુ આ ભાષાનું મહત્વ દર્શાવે છે, બીજી બાજુ અંગ્રેજી ભાષાના આંતરરાષ્ટ્રીય મહત્વ પણ દર્શાવે છે. અંગ્રેજી ભાષાની ઑક્સફોર્ડ કન્સાઈઝડ ડિકશનરીએ ગયા વર્ષે પોતાની 11મી આવૃત્તિમાં ભારતના 50 કરતાં પણ વધુ શબ્દોને સામેલ કર્યા છે. તાજેતરમાં જ એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં અંગ્રેજી બોલનારાઓની સંખ્યા સૌથી વધુ છે. ઑક્સફોર્ડની નવી આવૃત્તિમાં આપણા જે શબ્દો સામેલ કરવામાં આવ્યા છે, તે છે; બદમાશ (Badmash), ઢાબા (Dhaba), હવાલા (Hawala), બંધ (Bandh), ભેળપૂરી (Bhelpuri), ચમચા (Chamcha) વગેરે. આ બધા શબ્દો ઉપરાંત યોગ (Yoga), મંત્ર (Mantra), પંડિત (Pandit), કર્મા (Karma) વગેરે ઘણા અગાઉથી અંગ્રેજીમાં પ્રચલિત છે જ.
ભારતનું નામ દુનિયામાં મસાલાઓ માટે મશહૂર છે. હવે ખાણીપીણીની દુનિયામાં ભારતીય ભોજનમાં લોકોની રુચિ એ વાતથી જણાય છે કે, અંગ્રેજીમાં કેટલાંક નામ એમાંથી પણ આવ્યા છે, જેમ કે, ચટણી (Chutney), તંદૂર (Tandoor), કરી-કઢી (Curry) વગેરે. Orange – ઓરેંજ એટલે નારંગી. સંસ્કૃતમાં આ ફળને નારંજ કહેવાતું, ત્યાંથી આ શબ્દ અરબી ભાષામાં ગયો, જ્યાં તે નારંજહ થઈ ગયો. અરબોનું જ્યારે સ્પેન પર આધિપત્ય છવાયું ત્યારે આ શબ્દ સ્પેની ભાષામાં નારનહાના ઉચ્ચારણ સાથે આવ્યો. સ્પેનિશથી તે અંગ્રેજીમાં A Naraj ના રૂપમાં ચાલ્યો ગયો. અંગ્રેજીમાં ‘જે’ અક્ષર પર ખૂબ મુશ્કેલીથી કોઈ શબ્દ પૂરો થાય છે, આથી તેનો સ્પેલિંગ Narange થઈ ગયો, અને લોકો તેને A Narange કહેવા લાગ્યા. પછી તે A Narange બોલતાંબોલતાં An Arange થઈ ગયું. પછી Arangeના શરૂઆતના ‘એ’ ને ‘ઓ’ના ઉચ્ચારણમાં લઈ લેવાયો. આ રીતે તે An Orange બની ગયો. મતલબ કે નારંગીમાં રંગ લાવવા માટે ઘણી લાંબી સફર કાપવી પડી. આ શબ્દ માટે એ વાત પણ યાદ રહેવી જોઈએ કે આ પ્રકારનો અંગ્રેજીમાં કોઈ બીજો શબ્દ નથી.
Cheese – ચીઝ, એક ચીઝ કે જેને આપણે પનીરના રૂપમાં ઓળખીએ છીએ. સમગ્ર દુનિયામાં તેનું પ્રચલન છે પરંતુ છેલ્લી એક સદીથી ચીઝ શબ્દનો પ્રયોગ ઉર્દૂ ભાષાના ચીઝ શબ્દના રૂપમાં જ થઈ રહ્યો છે. જેમ કે, He is a big cheese. (તે બહુ મોટી ચીઝ એટલે કે હસ્તી છે.)
Mango – મેંગો, આપણી કેરી માટે દુનિયાભરમાં જાણીતો આ શબ્દ મલયાલયના ‘માંગા’માંથી આવ્યો છે. સ્પેનીશમાં પણ મેંગા, મેંગો માટે વપરાય છે.
Bangles – બેંગલ્સ, આ શબ્દ હિન્દીમાંથી આવ્યો છે. તેનો અર્થ છે, બંગડીઓ કે કડા. હકીકતમાં આ હિન્દીના શબ્દ બાંગડીનું રૂપ છે, જેનો અર્થ કાચ થાય છે.
Shampoo – શેમ્પૂ. આ લોકપ્રિય શબ્દ ચમ્પૂમાંથી આવ્યો છે, જેને આપણે ચમ્પીથી પણ જાણીએ છીએ. Thug- ઠગ, મતલબ કે ચોર પણ ભારતમાંથી લેવામાં આવ્યો છે. આપણી લોકકથાઓમાં ઠગભગતના ઘણા કિસ્સા સાંભળ્યા હશે. આનાથી જ શબ્દ ઠગી બન્યો છે. અંગ્રેજીમાં તેનો પણ ઘણી જગ્યાએ પ્રયોગ જોવા મળે છે. બીજા કેટલાક શબ્દો, જે ભારતીય ભાષામાંથી અંગ્રેજી ભાષામાં લેવામાં આવ્યા તે છે; (Sentry) – સંતરી, (Teapoy) – ટિપોય, (Sepoy) – સિપાઈ, (Toddy) – તાડી, (Pukaa) – પક્કા, પાકું જેમ કે તમારું કામ પાક્કું. (Chai) – ચા, (Bidi) – બીડી. આમ ભારતની જુદીજુદી ભાષાઓના સેંકડો શબ્દ અંગ્રેજી ભાષાના શબ્દકોશમાં છે. આ કામ ખૂબ અગાઉથી ચાલી રહ્યું છે. (‘નૉલેજ-ગાર્ડન’ પુસ્તકમાંથી સાભાર.)
.
[4] વર્તમાનપત્રોમાં કાર્ટૂન ચિત્રની શરૂઆત ક્યારે થઈ ? તેના પ્રકારો કેટલા છે ? અત્યારે શ્રેષ્ઠ કાર્ટૂનિસ્ટ કોણ છે ? – બંસીધર શુક્લ

કાર્ટૂન કે કટાક્ષ ચિત્ર કે ઠઠ્ઠાચિત્ર અતિ પ્રાચીન કલા છે. ત્યારે ચિત્રકારો મોટે ભાગે વ્યક્તિનાં રમૂજી ચિત્રો બનાવતા. 15મી સદીમાં યુરોપમાં દેવળોની ભીંતો ઉપર કટાક્ષ ચિત્રો આલેખવાની પ્રથા ચાલી. નવજાગૃતિ સમયે રાજા, મંત્રી, સેનાપતિ, પાદરી આદિનાં કુરૂપ ચિત્રો દોરવાની શરૂઆત 16મી સદીના જર્મનીમાં થઈ. તેમને કેરિકેચર કહેતા. 18મી સદીમાં અંગ્રેજી વર્તમાનપત્રો તથા સામાયિકોમાં કટાક્ષ ચિત્રો નિયમિત છપાતાં થયાં. 19મી સદીમાં ફ્રાન્સમાં શાસનના ભ્રષ્ટાચાર સામે પ્રજાનો આક્રોશ કટાક્ષ ચિત્રો રૂપે વ્યક્ત કરાયો. અમેરિકામાં 1870ના દસકામાં હાર્પર્સ વીકલીનાં કટાક્ષ ચિત્રોએ વિલિયમ ટ્વીડના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી તેને કારાગૃહ ભેગો કર્યો. બ્રિટનમાં કટાક્ષ ચિત્રોના સામાયિક ‘પંચે’ કાર્ટૂન શબ્દ પ્રચલિત કર્યો. પહેલી કટાક્ષ ચિત્ર-પટી યલો કિડ ‘ન્યૂ યૉર્ક જરનલ’માં 18-10-1896ના દિવસે પ્રગટ થઈ.
ગુજરાતીમાં મુંબઈના પારસી ‘ગપસપ’ માસિકમાં 1930 આસપાસ કટાક્ષ ચિત્ર દેખાયાં. આ જ સમયે ગુજરાતમાં પ્રથમ કટાક્ષ ચિત્રો રવિશંકર રાવળે ‘અફલાતૂન’ ઉપનામે તેમના કુમાર માસિકમાં છાપ્યાં. અમદાવાદના ‘રેખા’ માસિકે બંસીલાલ વર્મા (ચકોર)નાં વિશ્વ કક્ષાનાં કટાક્ષ ચિત્રો નિયમિત પ્રગટ કર્યાં. શંકર પિલ્લૈએ દિલ્હીથી અંગ્રેજી ‘શંકર્સ વીકલી’ કાઢ્યું. તેમાં તેમનાં કટાક્ષ ચિત્રો લોકપ્રિય થયાં. કટાક્ષ ચિત્રના મુખ્ય બે પ્રકારો છે. રાજકીય અને સામાજિક. કેટલીક વાર મળતી રજૂઆતને કારણે માહિતી ચિત્રને કાર્ટૂન કહે છે. સ્વરૂપ પ્રમાણે બે પ્રકાર એકલ તથા ચિત્રવાર્તા પટી છે.
ભારત તથા ગુજરાતના કેટલાક કટાક્ષ ચિત્રકારો આ પ્રમાણે છે : અબુ અબ્રાહમ, આબિદ સુરતી, ઈંદ્રદેવ આચાર્ય, કુટ્ટી, ગોપી ગજવાણી, ચંદ્ર ત્રિવેદી, જયંતી પટેલ, તુષાર તપોધન, દલસુખ શાહ, દીપક ચૌહાણ, દેવ ગઢવી, નટુભાઈ મિસ્ત્રી, નારદ, પ્રફુલ્લચંદ્ર લાહિડી, પ્રમોદ સોની, બલિ, બંસીલાલ વર્મા, ભદ્રેશ, મારિયો, મિલન, રણછોડભાઈ પુરાણી, રમેશ બૂચ, રવીન્દ્ર, રાજેન્દ્ર પુરી, રાસીપુરમ લક્ષ્મણ, રૂપમ, લક્ષ્મણ વર્મા, લલિત બૂચ, શનિ, શંકર પિલ્લૈ, શારદ, શિવ પંડ્યા, સુધીર દર આદિ કટાક્ષ ચિત્રકારો થયા. આમાં કેટલાક વિદ્યમાન નથી. 1958થી દસેક વર્ષ સુધી મારાં કટાક્ષ ચિત્રો ‘જનસત્તા’ દૈનિક તથા ‘રંગતરંગ’ માસિકમાં પ્રગટ થયાં. બીજાં કેટલાંક સામાયિક આદિમાં પણ છૂટાંછવાયાં પ્રગટ થયાં. (‘અખંડ આનંદ’ માંથી સાભાર.)

Wednesday, September 26, 2012

World's Most Extreme Homes - The Sphere - Sao Paulo, Brazil

The Sphere House in Sao Paulo, Brazil has three levels, all connected via a spiraling walkway.
Everything inside the house – from the doors and windows to the custom-made furniture – is rounded. It was designed and built by Eduardo Longo in the 80's. He wanted a large home with a big back yard, but only had a small plot of land. So the perfect solution was the "Sphere House" on a pole.  


Tuesday, September 25, 2012

ભારતના ૯૦ ટકા લોકો દસ રીતે મુર્ખ છે !!!–રવીન્દ્ર વેપારી

    ભારતના ૯૦ ટકા લોકો મુર્ખ છે એવું વીધાન સુપ્રીમ કોર્ટના નીવૃત્ત ન્યાયાધીશ માર્કંડેય કાત્જુએ કર્યું ત્યારે થોડો રોષ અને ખળભળાટ મચી ગયો. પરંતુ મહીનાના ચોક્કસ દીવસે અમુક તીર્થધામ પર પદયાત્રા કરનારાઓની સંખ્યા ઘણી મોટી છે. સમય, શક્તી અને નાણાંનો આ ગાંડો વ્યય થાય છે. આવા મુસાફરી કરનારા ગરીબ કે મધ્યમ વર્ગના હોય છે, તેમની નોકરી કે ધન્ધા પર કેટલી અસર થતી હશે ! ધર્મના કોઈપણ શાસ્ત્રમાં જણાવ્યું હોય કે આમ કરવાથી વધારે પુણ્ય મળે છે એવું મારા ધ્યાનમાં નથી. કહેવાતા પ્રચલીત તીર્થધામોમાં અમુક ક્ષેત્રોમાં ઉચ્ચકક્ષાએ પ્રતીષ્ઠીત થયેલી વ્યક્તી પગપાળા દર્શને જાય તેથી પણ શો ફાયદો થાય છે તેનું કોઈ પ્રમાણ નથી. સુર્યમંડળના ગ્રહો ખગોળશાસ્ત્રના નીયમ પ્રમાણે ફરી રહ્યા છે. પૃથ્વીની આટલી મોટી પ્રજાથી આટલે દુર રહી સુર્યમંડળના ગ્રહો કેવી રીતે દરેક વ્યક્તીના જીવન પર અસર કરી શકે ? અને કદાચ, તેમ કરી શકવાની શક્યતા હોય તો પણ; માત્ર અમુક પ્રકારની પુજાવીધીથી કેવી રીતે તે અસર દુર કરી શકાય કે ઓછી કરી શકાય ? ગ્રહો લગ્નજીવનમાં તકલીફ ન આપે તે માટે એક ખાસ વીધી ગ્રહશાન્તી કરવામાં આવે છે તે આ સન્દર્ભમાં કેટલી યોગ્ય છે તે વીચારવા અને ચકાસવા જેવું છે.   

 

  મુર્ખાઈના અનેક દૃષ્ટાંતો આપી શકાય છે. પરન્તુ વૈજ્ઞાનીક અભીગમના અભાવે વીવેકબુદ્ધીને બાજુએ મુકીને બીન અગત્યની વાતો પર ધ્યાન કેન્દ્રીત થતું હોય છે. ભણેલી કે અભણ પ્રજા આ રીતે વર્તે ને પોતાનો સમય, શક્તી અને ધન વેડફે છે. તે કારણે પ્રજાની આટલી મોટી જનસંખ્યાવાળા આપણા દેશમાંથી વીવીધ વૈજ્ઞાનીક સંશોધનોનાં ક્ષેત્રોમાં બહુ જ અલ્પ સંશોધકો હોય છે ને તેમાંથી જવ્વલે જ કોઈ વૈજ્ઞાનીકને નોબેલ પ્રાઈઝ મળતું હોય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણી ગણતરી જ ન થતી હોય તો તેમાં નવાઈ ન લાગવી જોઈએ. વ્યર્થ ધાર્મીક ઉપવાસો કે પૌષ્ટીક તત્ત્વો સીવાયનું ભોજન ખાવામાંથી જ્યારે લોકો ઉંચા ન આવતા હોય; તો ઓલમ્પીક રમતોમાં માત્ર રડ્યાખડ્યા ને તેય નીચી પાયરીનાં પારીતોષીકોથી જ આપણે કેમ સન્તોષ લેવો પડે છે તે સમજાઈ શકે તેવું છે. દીપપ્રાગટ્ય જેવી અર્થહીન વીધીઓ કોઈ પણ સમારોહમાં થાય, કોઈ પણ નવા બાંધકામ કે પછી સરકારી કે અર્ધસરકારી હોય તેમાં ભુમીપુજનની વીધી થાય તે આપણા સેક્યુલર બન્ધારણ–સમાજ જોડે કેટલી અનુરુપ છે ? 

 

     પરન્તુ આપણે મગજ બન્ધ કરીને આગળ હાંક્યે રાખીએ છીએ. તેજસ્વીતાનો ચમકારો આવવા જ ન દેવો અને નવા વીચારો પર ચર્ચા–વીમર્શ જ ન થાય તે સામાન્ય થયું છે. જ્યાં બુદ્ધીને કોરાણે મુકીને નીર્ણયો લેવાતાં હોય કે વીવીધ પરમ્પરાગત વીધીવીધાનો થતાં રહેતાં હોય ત્યાં જસ્ટીસ કાત્જુનો ‘૯૦ ટકા ભારતીયો મુર્ખ છે’ એવો અંદાજ વધારવો જરુરી નથી લાગતો ???

 

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર 


 

Monday, September 24, 2012

Advanced Sailing Boat Breaks Speed Record In San Francisco Bay

Hydroptère, the worlds fastest sailing boat, sailed one nautical mile at a speed of 37.5 Knots (43 mph or 70 km/h) in San Francisco Bay.
The Hydroptère is an experimental sailing hydrofoil designed by French yachtsman Alain Thébault. Her multihull hydrofoil design allows the sail-powered vessel to reach high speeds on water. In November 2009, she broke the 50 knot barrier for a nautical mile with a speed of 50.17 knots (92.91 km/h or 57.73 mph) in Hyères (France), setting a new world record


Sunday, September 23, 2012

Death


  


Native : Wankaner
Currently At : Wankaner
Name of the deceased : Rameshbhai Ramanlal Shah
Age : 70 Years
Date of Death : 19-09-2012
Wife : Hansaben
Son : Dharmaveer
Brothers : Kirtibhai, Shantibhai, Late Jagdishbhai , Mangalbhai
Sister : Smita Virendrakumar Solani 
Father : Late Ramanlal Pranjivan Shah 
Father-in-Law : Late Shantilal Dipchand Lodaria
 
May his soul rest in eternal peace. 
વાંકાનેર નિવાસી સ્વ. રમણલાલ પ્રાણજીવન શાહના સુપુત્ર રમેશભાઈ (ઉં. વ. ૭૦) તે હંસાબેનના પતિ, ધર્મવીરના પિતા, કિર્તીભાઈ, શાંતિભાઈ, સ્વ. જગદીશભાઈ, મંગલભાઈ તથા સ્મિતાબેન વીરેન્દ્રકુમાર સોલાણીના ભાઈ, સ્વ. શાંતિલાલ દિપચંદભાઈ લોદરિયાના જમાઈ. વાંકાનેર મુકામે તા. ૧૯-૯-૧૨ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર અને પ્રાર્થના સભા બંધ છે.

શા માટે ? કોના માટે ? – મોહમ્મદ માંકડ


[‘ચાલતાં રહો, ચાલતાં રહો’ પુસ્તકમાંથી સાભાર.]
  ‘આજકાલ માણસો પોતાની તબિયતનું ધ્યાન રાખતા નથી.’ એક ભાઈએ મને કહ્યું. એમની ઉંમર સાઠેક વર્ષની હતી. ‘જુઓ, આટલાં વર્ષે પણ હું કેટલો તંદુરસ્ત છું ? મને ભાગ્યે જ કોઈ રોગ થાય છે અને થાય છે તો પણ જલદી મટી જાય છે. કોઈ દવા, કોઈ ઈન્જેકશન હું ક્યારેય લેતો નથી. કુદરતી ઉપચારો કરું છું અને કુદરતી જીવન જીવું છું. મારી દિનચર્યા તમને કહું : વહેલી સવારે જાગું છું. શૌચાદિથી પરવારીને, સ્વસ્થ થઈને મોર્નિંગ વૉક માટે જાઉં છું. કલાક દોઢ-કલાક ચાલું છું. ઘેર આવીને થોડી વાર આરામ કરું છું. પછી થોડાં યોગાસનો કરું છું. પછી માલિશ કરું છું. શરીરના એકેએક અંગને કસરત અને માલિશનો લાભ મળવો જોઈએ. માલિશ કર્યા પછી સ્નાન કરું છું. પછી પ્રાર્થનામાં બેસું છું.

ઘણી વાર પ્રાર્થના લાંબી ચાલે છે. મન સ્વસ્થ અને શાંત થાય ત્યાં સુધી પ્રાર્થના કરું છું. જમવાનો સમય થાય એટલે જમી લઉં છું. જમવામાં ખાખરા, બાફેલાં શાકભાજી, સૂકો મેવો, મોસમનાં ફળો, દૂધ અથવા છાશ ઋતુ પ્રમાણે લઉં છું. મીઠું કે ખાંડ હું લેતો નથી. ઘણી વાર રસોઈની વાનગીઓ હું મારી મેળે જ બનાવું છું. એથી ઘરના માણસોને અને મને બન્નેને અનુકૂળતા રહે છે. જમ્યા પછી તરત જ હું આરામ કરું છું. જમ્યા પછી માણસે કોઈ પ્રવૃત્તિ કરવી ન જોઈએ. શરીરના જે અવયવો કામ કરતા હોય એને વધારે લોહી જોઈએ છે. જમ્યા પછી હોજરીનું કામ શરૂ થાય છે. એટલે એને વધારે લોહી મળવું જોઈએ. એ વખતે જો આપણે બીજું કામ કરીએ તો હોજરીમાં લોહીની એટલી મોટી ખોટ પડે છે અને પરિણામે આપણે અનેક રોગોના શિકાર બનીએ છીએ.

બપોરના સમયે જો ગરમી વધારે હોય તો એ સમય હું વાચન, મનન અને ચિંતનમાં ગાળું છું. જો ગરમી ઓછી હોય તો વહેલો ઘર બહાર નીકળી જાઉં છું. મારા માટે શાકભાજી, ફળો વગેરેની ખરીદી હું જ કરું છું. નોકર સાથે હોય તોપણ ખરીદી હું જાતે જ કરું છું. માણસો પોતાના ખોરાકની ચીજો તરફ ખૂબ જ બેદરકાર રહે છે. પરિણામે ગમે તેવું વાસી અને સડેલું એમને પેટમાં પધરાવવું પડે છે. સાંજે પણ હું યોગાસનો અને પ્રાણાયામ કરું છું. રાત્રે વહેલા ભોજન કરું છું. પ્રાર્થના કરું છું અને સૂઈ પણ વહેલો જાઉં છું. શરીરને તો જેવી ટેવ પાડીએ એવી પડે. શરીર તો યંત્ર છે. જો તમે તેને સાફસૂફ રાખો, યોગ્ય આહારવિહાર આપો તો વર્ષો સુધી તે નિરોગી રહી શકે.’

એમની વાત સાંભળીને મને થયું કે, એમાં જરાય ખોટું નહોતું. એ રીતની દિનચર્યાથી શરીરને જરૂર નીરોગી રાખી શકાય, પણ દિવસ આખો શરીરને નીરોગી રાખવામાં જ ખર્ચાઈ જાય, પછી ? આ તો ‘હેલ્થ ફોર હેલ્થ્સ સેઈક’ જેવું થાય. તબિયત સરસ રહે, પણ જિંદગીનું એકમાત્ર કામ તબિયત સુધારવાનું જ હોય એવી સ્થિતિ નિર્માણ થાય. મોટી હોટલનો કોઈક રસોયો રસોઈ પાછળ આખો દિવસ ગાળી શકે અને ફક્કડ રસોઈ બનાવી શકે, પણ બીજા સામાન્ય માણસોને એ પરવડી શકે ? આપણા એક પત્રકારદંપતીને હું ઓળખું છું. એ પત્રકારમિત્ર સ્પષ્ટ કહે છે કે, રસોઈ પાછળ અર્ધા-પોણા કલાકથી વધારે સમય ગાળવો એ જિંદગીનો કીમતી સમય વેડફી નાખવા બરાબર છે. બાજરાના રોટલા, દૂધીનું શાક, દૂધ, દહીં, કાચાં શાકભાજી જે કાંઈ થોડા સમયમાં તૈયાર થઈ શકે અને પૌષ્ટિક હોય એવું ભોજન કરી લેવું. રાંધવામાં અને જમવામાં જ જો સમય ગાળીએ તો બીજું કામ ક્યારે કરીએ ?

એટલે, મહત્વનો પ્રશ્ન એ છે કે જિંદગીમાં બીજું કોઈ કામ કરવું છે કે નહિ ? રાંધવા-જમવા સિવાય, તબિયત સુધારવા સિવાય, પૈસા કમાવા સિવાય બીજું કોઈ મહત્વનું કામ જિંદગીમાં કરવાનું છે કે નહિ ? માણસ સ્વભાવે જ અતિરેક કરનારો છે. જેની પાછળ લાગે એની પાછળ લાગે છે. પૈસા પાછળ દોડનાર પૈસા પાછળ જ દોડ્યા કરે છે. કીર્તિ પાછળ પડનાર પોતાની બધી શક્તિ એમાં જ ખર્ચી નાખે છે. ભાગ્યે જ થોડી વાર થોભીને એ વિચારે છે કે, એનું આ વર્તન યોગ્ય છે કે નહિ ? તબિયત સારી રાખવી જ જોઈએ. તંદુરસ્તી જીવનની પહેલી જરૂરિયાત છે. નીરોગી શરીર વિના કોઈ કામ સારી રીતે થઈ શકતું નથી કે જીવનનો કોઈ આનંદ માણી શકાતો નથી; પણ પ્રશ્ન એ છે કે, શરીરને નીરોગી રાખવા પાછળ જ જો જિંદગીનો બધો સમય ખર્ચી નાખવાનો હોય તો બીજા કોઈ કામ માટે કે જિંદગી માણવા માટે સમય રહેશે કઈ રીતે ? આવું જ પૈસા અને કીર્તિનું છે. પૈસા અત્યંત જરૂરી છે, પરંતુ એ કમાવા પાછળ જ જો જિંદગી ખર્ચી નાખવાની હોય તો એનાથી મળશે શું ? પૈસા મળશે, પણ પૈસા દ્વારા મેળવી શકાય એવી કોઈ સારી વસ્તુ મળશે નહિ. એવી વસ્તુઓને માણવાનો કે ભોગવવાનો આનંદ મળશે નહિ. સવારથી સાંજ સુધી માત્ર પૈસા જ આપણા અસ્તિત્વ ઉપર છવાયેલા રહેશે અને રાત્રે પણ એ આપણને છોડશે નહિ.

જેના લોહીમાં પૈસા કમાવાની ધૂન જ માત્ર દોડતી હોય એવા વેપારીની પેલી જૉક આ બાબતમાં યાદ રાખવા જેવી છે. એક વેપારીને સખત તાવ આવ્યો. સગાંવહાલાં ભેગાં થઈ ગયાં. ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. ડૉક્ટરે ટેમ્પરેચર લીધું. આઘાતથી કહ્યું, ‘એકસો છ છે !’ વેપારીએ અર્ધ બેભાનવસ્થામાં ડૉક્ટરના શબ્દો સાંભળ્યા. તરત જ બબડાટ કર્યો, ‘એકસો સાત…. થાય એટલે… વેચી નાખો !’ એને તો લે-વેચ અને નફામાં જ રસ હતો. માણસ જ્યારે કોઈ વસ્તુ પાછળ લઈદઈને પડે છે ત્યારે પ્રમાણભાન ભૂલી જાય છે. ‘હેલ્થ ફોર હેલ્થ્સ સેઈક’ કે ‘મની ફોર મનીઝ સેઈક’થી એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. પૈસા કમાવાની ધૂનમાં એક વાર માણસ એવી સ્થિતિમાં જઈ પહોંચે છે કે પોતે શા માટે, કોના માટે પૈસા કમાય છે એ જ ભૂલી જાય છે. આવી સ્થિતિ કોઈ પણ બાબતમાં બની શકે છે.

એટલે, જ્યારે કોઈ કામ આપણે કરીએ ત્યારે આપણી જાતને બે પ્રશ્નો પૂછવા જોઈએ. એક તો, આ કામ પાછળ હું જે સમય ગાળું છું એને લાયક એ છે ખરું ? અને બીજું, એની સફળતા દ્વારા મને ખરેખર શું પ્રાપ્ત થઈ શકે તેમ છે ? જિંદગી સારી રીતે જીવવા માટે નીરોગી શરીર, સારી આબરૂ, પૂરતા પૈસા જરૂરી હોય છે. પરંતુ એમાંથી કોઈ વસ્તુ એવી નથી કે જેના સામેના પલ્લામાં આપણી આખીય જિંદગી મૂકવી પડે. કોઈ પણ વસ્તુ- પછી ભલે ને તે ગમે તેટલી જરૂરી કે કીમતી હોય – આપણી જિંદગીનો બધો જ સમય ખાઈ જવાની હોય એનાથી આપણને કોઈ ફાયદો થવાનો નથી. અને નીરોગી શરીર, પૈસા આબરૂ એ તો પાયાની વસ્તુઓ છે. એની પાછળ પણ જો આપણો બધો સમય ખર્ચી નાખવાનું યોગ્ય ન હોય, તો બીજી અનેક ક્ષુલ્લક બાબતોમાં સમય ખર્ચવાનું કેટલું યોગ્ય ગણાય ?

માણસનું ડહાપણ એમાં છે કે, દરેક કામ કરતી વખતે અતિરેકથી બચે અને સમય શક્તિમાં પ્રમાણભાન બરાબર જાળવે. સમતોલ અને સુખી જિંદગી માટે એ ખૂબ જ આવશ્યક છે.

Saturday, September 22, 2012

The Runaway Bicycle

 From "Jour de Fête" by Jacques Tati as a French postman who goes to hilarious lengths to speed up mail delivery with his bicycle.
n Jacques Tati's charming first feature "Jour de Fête" (1949) he plays Francois, a contented and happy postman in a small, unhurried French village. Francois is at ease with his job and leisurely performs his duties, peddling away on his rounds upon his beloved bicycle. Things perk up when a traveling carnival arrives in town. One of the attractions at the carnival is a film depicting the United States Postal Service's fast and efficient postal delivery system. The narrator in the film exhorts, "Rapidite, rapidite." Francois takes up the call, and attempts to Americanize his work style...
 






Friday, September 21, 2012

Death


  


Native : Jodia
Currently At : Jamnagar
Name of the deceased : Nilaben Kiritbhai Mehta
Age : 57 Years
Date of Death : 19-09-2012
Husband : Kiritbhai Manubhai Mehta
Daughters :Hilomi, Khushboo
Sons-in-Law :Abhay Shah, Khushal Sanghavi
Brother : Maheshbhai
Sisters : Niruben, Naynaben,Rekhaben,Varshaben, Chetnaben
Father : Balachand Somchand Gholani

Mother : Shardaben
 
May her soul rest in eternal peace. 
શારદાબેન અને બાલાચંદ સોમચંદ ઘોલાણીના પુત્રી સૌ. નીલાબેન (ઉં. વ. ૫૭) તે કીરીટભાઇ મનુભાઇ મહેતાની ધર્મપત્ની હિલોમી અભય શાહ, ખુશબુ ખુશાલ સંઘવીના માતુશ્રી. મહેશભાઇ, નીરૂબેન, નયનાબેન, રેખાબેન, વર્ષાબેન અને ચેતનાબેનના બેન. બુધવાર ૧૯-૯-૧૨ના જામનગર મુકામે અરિહંતશરણ પામેલ છે.

Death




  


Native : Wankaner
Currently At : Ghatkopar,Mumbai
Name of the deceased : Sukhlal Nanalal Sanghavi
Age : 82 Years
Date of Death : 16-09-2012
Wife : Late Chandanben
Son : Ketan
Daughter-in-Law : Bhavini
Daughter :Vaishali 
Son-in-Law :Mukesh Maneklal Vora
Brother : Late Nautambhai  
Father-in-Law : Late Chandulal Abhechand Mehta
 
May his soul rest in eternal peace. 
વાંકાનેર હાલ ઘાટકોપર સુખલાલ નાનાલાલ સંઘવી (ઉં. વ. ૮૨) ૧૬-૯-૧૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચંદનબેનના પતિ. તે કેતન, વૈશાલીના પિતા અને ભાવીની, મુકેશ માણેકલાલ વોરાના સસરા. સ્વ. નૌતમભાઇના ભાઇ, ચંદુલાલ અભેચંદ મહેતાના જમાઇ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૧-૯-૧૨ શુક્રવારે ૩.૩૦ થી ૫ સ્થળઃ પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇ.) લૌ. વ્ય. બંધ છે.

અવગણાયેલા મહામાનવો–મુરજી ગડા


મહાકાવ્યો લખનાર ઋષી–કવી લોકમાનસમાં અમર થઈ ગયા છે. એમનાં માનસ પુત્રો અને પુત્રીઓ (પાત્રો) એમના કરતાં પણ વધારે અમર થઈ ગયાં છે. ઘણા રાજાઓ, સેનાપતીઓ, તત્ત્વજ્ઞાનીઓ, દાર્શનીકો ઈત્યાદી પણ વત્તેઓછે અંશે અમર થઈ ગયા છે. વાર્તાકાર અને એમનાં વાસ્તવીક તેમ જ કાલ્પનીક પાત્રો (ટારઝન, સુપરમેન, શેરલોક હોમ્સ વગેરે) પણ અમર થઈ ગયાં છે. વર્તમાનમાં પ્રસીદ્ધીની ટોચ પર પહોંચેલી રમતગમત અને મનોરંજન ક્ષેત્રની થોડી વ્યક્તીઓ પણ આગળ જતાં અમર થઈ જશે.

આ બધાં ક્ષેત્રની વ્યક્તીઓ કરતાં માનવજીવનને પ્રત્યક્ષ રીતે વધારે સ્પર્શી ગયેલી વ્યક્તીઓ પાઠ્યપુસ્તકો સીવાય સદંતર વીસરાઈ ગઈ છે. આ અવગણાયેલ વ્યક્તીઓ છે : વૈજ્ઞાનીકો અને સંશોધકો. આપણી આસપાસ માનવસર્જીત જે પણ દેખાય છે તે તમામ આ લોકોની સાધના અને મહેનતનું ફળ છે. આ લોકોએ પોતાનું કાર્ય ન કર્યું હોત તો આજે પણ આપણે ગુફાઓમાં રહેતા હોત, ઝાડનાં પાનફળ ખાતા હોત અને શરીરે ચામડું લપેટતા હોત.



વીસરાઈ ગયેલા આવા અસંખ્ય લોકોમાંથી હજી કંઈક યાદ હોય એવા નજીકના ભુતકાળમાં થઈ ગયેલા થોડા લોકો અને એમના કાર્ય વીશે જાણીએ.

વૈજ્ઞાનીકોની વાત આવે એટલે સૌથી પહેલાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું નામ લેવાય છે. એમની શોધોએ પ્રત્યક્ષ રીતે આપણી જીન્દગી પર હજી સુધી ખાસ અસર કરી નથી. એ થવાની હજી બાકી છે.

આધુનીક શોધખોળોના પાયામાં સૌથી વધારે યોગદાન રહ્યું છે આઈઝેક ન્યુટનનું. એમનું નામ જેમણે સાંભળ્યું છે તેઓ એમને  ગુરુત્વાકર્ષણના શોધક તરીકે ઓળખે છે. તે એમની એક મહત્ત્વની શોધ ખરી; પણ તે સીવાય એમણે ભૌતીકશાસ્ત્ર, યન્ત્રશાસ્ત્ર, ગણીત, ખગોળ વગેરે વીષયોમાં ખુબ ઉપયોગી કામ કર્યું છે.

કાગળની શોધ આશરે બે હજાર વરસ પહેલાં ચીનમાં થઈ હતી. બીજા દેશોમાં પહોંચતાં એને કેટલીક સદીઓ લાગી. આ અગત્યની શોધનો ખરો લાભ છાપખાનું શોધાયું ત્યારે જણાયો. છાપખાનાની શોધનો યશ આશરે છસો વર્ષ પહેલાં થઈ ગયેલ જોહાનીસ ગુટેનબર્ગને ફાળે જાય છે. આને લીધે જ્ઞાન અને માહીતી વધુ લોકો પાસે ઝડપથી પહોંચવા લાગી.

વીજળીની શોધ અને એના જુદાં જુદાં ક્ષેત્રોના ઉપયોગ પાછળ પચાસ જેટલા મુખ્ય સંશોધકોનું યોગદાન છે. વીજળીના અગણીત ઉપયોગમાંથી મુખ્ય છે પ્રકાશ, ઈલેક્ટ્રીક મોટર, ટેલીફોન વગેરે. વીજળીની લાઈટ શોધનાર થોમસ એડીસનનું નામ પ્રમાણમાં વધુ જાણીતું છે. એમણે રાતના અંધારાનું વર્ચસ્વ ઘટાડી નાખ્યું અને કામના કલાકો વધારી આપ્યા. ચોવીસે કલાક ચાલુ રાખવી પડે એવી જીવન જરુરીયાતની પ્રવૃત્તી વીજળીને લીધે શક્ય બની છે.

કોઈપણ મશીન ચલાવવા માટે ઈલેક્ટ્રીક મોટરની જરુર પડે છે. આ મોટરની શોધનો યશ મુખ્યત્વે માઈકલ ફેરાડેના નામે જાય છે. મોટરથી ચાલનાર દરેક યન્ત્ર પાછળ વળી બીજા જ કોઈ વૈજ્ઞાનીકનો ફાળો છે.

દુનીયાને ટેલીફોન આપનાર એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલનું નામ પણ કંઈક જાણીતું છે. એના લીધે દુર બેઠેલી વ્યક્તીઓ વચ્ચે તાત્કાલીક વાતચીત શક્ય બની. સંદેશવ્યવહાર ખુબ સરળ અને કાર્યદક્ષ બન્યો.

ટી.વી.ના આગમન પહેલાં લાંબા સમય માટે રેડીયોની બોલબાલા હતી. એની શોધનો યશ માર્કોનીના ફાળે જાય છે. રેડીયોએ હવે ભલે એનું મહત્ત્વ ગુમાવ્યું હોય; પણ ત્યાર પછીનો બધો વાયરલેસ સંદેશ વ્યવહાર માર્કોનીની શોધ પર આધારીત છે.

બધાં વાહનોમાં વપરાતાં પેટ્રોલ અને ડીઝલ એન્જીનના શોધક નીકોલસ ઓટો અને વરાળથી ચાલતા એન્જીન શોધનાર જેમ્સ વૉટ.  આ બે જણાએ વાહનવ્યવહાર બદલાવી દીધો છે. ત્યાર પછી રાઈટ બંધુઓએ વીમાનની શોધ કરી દુનીયાને નાની બનાવવામાં મોટી હરણફાળ ભરી છે.


આ ઉપરાંત આરોગ્ય અને ચીકીત્સા ક્ષેત્રે પણ આજ સમય દરમીયાન ખુબ અગત્યની શોધો થઈ છે. એલેકઝાંડર ફ્લેમીંગે શોધેલ પેનેસીલીનને લીધે જાતજાતના ચેપ સામે રક્ષણ મળ્યું છે. વીલીયમ મોર્ટને શોધેલ એનેસ્થેસીયાને લીધે શસ્ત્રક્રીયા શક્ય અને સહ્ય બની છે. તે ઉપરાંત વીવીધ ચેપી રોગો સામે રક્ષણ આપતી રસીઓ, ટીસ્યુ કલ્ચર, જર્મ થીયરી, ડી.એન.એ., એક્સ–રે, એન્ટીબાયોટીક વગેરે શોધોએ ચીકીત્સાક્ષેત્રને સમુળગું બદલાવી દીધું છે.

આ શોધોના પરીણામે ચેપી રોગથી મરતા લાખો લોકો બચી ગયા છે. શીતળા જેવો રોગ દુનીયામાંથી સદન્તર નાબુદ થઈ ગયો છે. અને બીજા બધા રોગોના ઉપચાર શક્ય બન્યા છે. બાળમૃત્યુનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે અને માણસોની સરેરાશ આવરદા બમણી થઈ ગઈ છે.

આ બધાનાં પરીણામ સ્વરુપ થયેલ વસતીવીસ્ફોટનું નીવારણ પણ શોધી કઢાયું છે. ગર્ભનીરોધક ગોળીઓ અને અન્ય સાધનોએ વસતી નીયન્ત્રણ ઉપરાન્ત સ્ત્રીઓનો પ્રસુતી આધારીત ઉંચો મૃત્યુદર ઘટાડી એમનાં સ્વાસ્થ્ય અને આવરદાને ઘણી વધારી છે.

આપણને પ્રત્યક્ષ અસર કરતા આ થોડાં ઉદાહરણ છે. પરોક્ષ રીતે અસર કરતી શોધો આનાથી અનેકગણી વધારે છે. દરેક વસ્તુને વધારે અસરકારક અને કાર્યક્ષમ બનાવવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે. જો બધા વૈજ્ઞાનીકો અને સંશોધકોનું લીસ્ટ બનાવવા જઈએ તો એક દળદાર પુસ્તક બની જાય. એ ઉપરાન્ત કેટલાયે એવા સંશોધકો છે જેમનાં નામની દુનીયાને ખબર સુધ્ધાં નથી.

વળી, આ ભૌતીક ઉપકરણોની શોધ જે પાયાના સીદ્ધાન્તો પર રચાયેલી છે તે સીદ્ધાન્તો ઘડનારા વૈજ્ઞાનીકોનું યોગદાન પણ એટલું જ મહત્ત્વનું છે. એમની નામાવલીમાં જવાનું હમણાં ટાળીએ.

આપણી જીવનશૈલીમાં બધું જ માનવસર્જીત છે. ખાવાનું અનાજ સુધ્ધાં. આ વીકાસ–પ્રગતીને ભૌતીકવાદ કહેતા લોકો પોતે એનો જેટલો પણ લાભ મળે એટલો લેવાનું ચુકતા નથી !

આ બધા ઉપરાંત ગેલીલીયો, કોપરનીકસ, હબલ, ચાર્લ્સ ડાર્વીન, સીગમંડ ફ્રોઈડ વગેરે જેવાઓએ આપણી બાહ્ય દુનીયા અને આંતરમન વીશેની પ્રચલીત માન્યતાઓને ધરમુળથી બદલાવી દીધી છે.

તાજેતરમાં શોધાયેલી કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને સ્ટેમ સેલ જેવી શોધોનો પુરો વ્યાપ હજી હવે ખબર પડવાનો છે. નીત નવી શોધોનો અહીં અન્ત નથી આવતો. બધું ક્યાં પહોંચશે એની કોઈને ખબર નથી. ભવીષ્યની કલ્પના કરતા ઘણાં પુસ્તકો લખાયાં છે, ફીલ્મો બની છે ને બનતી રહેવાની છે.

એ જ રીતે ભુતકાળમાં ત્યારના ભવીષ્ય વીશે જે પણ લખાયું છે એમાંની ઘણી બાબતો તે વખતની વાસ્તવીકતા નહીં; પણ કવીકલ્પના હોવાની શક્યતા ઘણી વધારે છે. આના અનુમોદનમાં પુષ્પક વીમાન, પવન પાવડી, સંજય દૃષ્ટી જેવા ઘણા દાખલા આપી શકાય.

આગળ વર્ણવેલા બધા લોકો વૈજ્ઞાનીકો અને સંશોધકો ઉપરાન્ત સાધક અને તપસ્વી પણ હતા. આ સીદ્ધીઓ એમને કોઈ મન્ત્રનો જાપ જપવાથી નથી મળી, કે કોઈ મંદીરના ઘંટ વગાડવાથી નથી મળી. પુજાપાઠ કરવાથી, જાત્રાઓ કરવાથી, શીબીરોમાં જવાથી કે બાધા–આખડીઓ રાખવાથી પણ નથી મળી.

આવી શોધો કરવા માટે રાત દીવસ જોયા વગર અભ્યાસ ખંડમાં અને પ્રયોગશાળામાં જાત ઘસી નાંખવી પડે છે. એ માર્ગે કેટલીયે નીષ્ફળતાઓને પચાવવી પડે છે. એમાં કૌટુમ્બીક જીવનનો ભોગ દેવાય છે અને ઘણી વખત આર્થીક પાયમાલી પણ નોતરવી પડે છે. ફક્ત પોતાના આત્માના ઉદ્ધાર માટે નહીં; પણ સમસ્ત માનવજાતના લાભ માટે કરેલી આ એમની સાધના અને તપસ્યા છે.

આ શોધખોળોની વીશેષતા એ છે કે –એક ચીનના અપવાદ સીવાય– એ બધી જ પશ્વીમના દેશોમાં થઈ છે. આની પાછળ એમની સવાલો કરી, એના ઉત્તર મેળવવા માટે જાતમહેનત અને પ્રયોગો કરવાની વૃત્તી રહેલી છે. રાજકીય કારણોસર અંગ્રેજો સાથેના દ્વેષથી પ્રેરાઈને આપણે વીચાર્યા વગર પશ્વીમના દેશોની બધી બાબતોનો આંધળો વીરોધ કરતા આવ્યા છીએ.  જ્યારે એમની મહેનતનું ફળ ભોગવવામાં જરાય સંકોચ કરતા નથી.

સદીઓથી અવગણાયેલ આ વર્ગનું છેલ્લાં સો વરસથી જાહેર સન્માન થવા લાગ્યું છે. આવા સન્માનોમાં સૌથી પ્રતીષ્ઠીત છે, દર વર્ષે અપાતું નોબલ પ્રાઈઝ. એનાથી એમને કદર અને કલદાર બન્ને મળે છે. હવે સંશોધકોને આપવો પડતો ભોગ ઘણો ઓછો થયો છે અને મળતું વળતર પણ વધ્યું છે. આ સ્વીકાર–સન્માન હજીયે મર્યાદીત વર્તુળમાં સીમીત છે.

ભુતકાળમાં સ્વીકાર–સન્માન તો દુર રહ્યાં; સર્વસ્વીકૃત માન્યતાથી અલગ કહેનારને પણ ઘણું સહન કરવું પડતું હતું. એવું કહેનારને ક્યારેક જેલવાસ તો કયારેક દેહાન્ત દંડ પણ મળ્યો છે. આજે પણ જુનવાણી સમાજોમાં રુઢીગત માન્યતાથી અલગ વીચારનારને દંડાય છે.

ઘણી વખત  સાંભળ્યું અને વાચ્યું છે કે પ્રથમ જૈન તીર્થંકર ઋષભદેવે માણસોને ખેતી કરતા શીખવાડ્યું છે. ખોરાક પાછળ ભટકવા કરતાં સ્થાયી થઈ ખેતી કરવી એ માનવ ઉત્ક્રાન્તીનું ખુબ અગત્યનું પગથીયું હતું. આગળના કથનને બીજી રીતે પણ જોઈ શકાય જૈન વીચારધારાએ એક સંશોધક–વૈજ્ઞાનીક તપસ્વીને તીર્થંકર ગણ્યા છે. આ ગૌરવની વાત છે. કોઈ પ્રગતીશીલ વાસ્તવવાદી ધર્માચાર્ય આ પરમ્પરાને આગળ ચલાવવા ઈચ્છે તો એમને એવા ઘણા સંશોધકો, વૈજ્ઞાનીકો, તપસ્વીઓ મળી આવે. ફરક એટલો છે કે એ ભારતની ભુમી પર ઓછા અને અન્ય દેશોમાં ઘણા વધુ મળશે.

મુળ સવાલ તરફ પાછા ફરીએ. ગીત ગાતા, ક્ષણીક મનોરંજન કરાવતા, ધનનો ઢગલો ભેગો કરતા, કથા–વાર્તા કરતા વગેરે લોકો લોકજીભે રહે છે અને એમનું સન્માન થાય છે. ક્યાંકથી મળી આવેલી અજાણી પથ્થરની મુર્તીને નવું નામ આપી એને પુજાય છે. જ્યારે આપણી રોજબરોજની પ્રવૃત્તીઓને આટલી આસાન અને સગવડભરી બનાવી આપણી જીન્દગી ધરમુળથી બદલી નાંખનારાઓનાં નામ સુધ્ધાં કોઈને ખબર નથી કે જાણવાની દરકાર પણ નથી !

રાજકીય, સામાજીક, ધાર્મીક વગેરે બધી જ વીચારધારાઓએ માનવ સમુદાયના મર્યાદીત વર્ગને પ્રભાવીત કર્યા છે. ઘણી વખત એકબીજા સાથે લડાવ્યા પણ છે. અવગણાયેલ મહામાનવોની મહેનતનું ફળ સમસ્ત માનવજાત ભોગવી રહી છે. બધા જ એમના ઋણી છે. એમનું યથાયોગ્ય સન્માન સૌની નૈતીક ફરજ બની જાય છે.

જે લોકોને હજી આવી સગવડો ભોગવવાથી વંચીત રાખવામાં આવ્યા છે, એને માટે એમના રાજકારણીઓ અને ધર્મગુરુઓ જવાબદાર છે. આ વાસ્તવીકતા સ્વીકારવી આપણા હીતમાં છે.
 ( મૂળ લેખ ટૂંકાવીને )
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર