Friday, February 28, 2014

Samaj Utkarsh Volume No 592 January 2014

To read Pages 1 to 9 of Samaj Utkarsh click here  

To read Pages 10 to 18  of Samaj Utkarsh click here

To read Pages 19 to 28 of Samaj Utkarsh click here  

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff

જીવન જીવવાની કલા – તન્વી બુચ

બેફામ સાહેબની એક રચના છે :
અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે,
હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે;
અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ,
તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.

જીવન જીવવું અને જીવંત રહેવું એ બંને અલગ બાબત છે. હૃદય જ્યાં સુધી ધબકતું રહે ત્યાં સુધી આપણે ચોક્કસ જીવતા રહી શકીએ છીએ, પરંતુ એમાં જો જીવન ધબકતું રહે તો જ જીવંતતા ટકી રહે. જીવનને ધબકતું રાખવા માટે જીવનમાં શોખ હોવા ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિને જુદા જુદા શોખ હોય છે. શોખ અને કલા એકબીજાના પૂરક છે. માણસને જે વસ્તુનો શોખ હોય તે જરૂર કલા બની શકે છે; પરંતુ શોખ તો ટીવી જોવાનો પણ હોઈ શકે ! શોખ પાણીપુરી ખાવાનો કે ગપસપ કરવાનો પણ હોઈ શકે. એ પ્રકારનાં શોખની આ વાત નથી. અહીં શોખ એટલે કાર્ય પ્રત્યેની અત્યંત એકાગ્રતા અને શુભનિષ્ઠા. આવો શોખ ક્યારેક કલામાં પરિવર્તિત થઈ શકે છે. તમને શું કરવાનો શોખ છે એ શોધી કાઢો. દરેક વ્યક્તિમાં એક કલાકાર વસેલો છે. ઈશ્વરે દરેકને કોઈને કોઈ કલાનું વરદાન આપ્યું છે પરંતુ એ વરદાનને ઓળખીને આપણે આપણામાં રહેલા કલાકારને જન્મ આપવાનો છે.
પોતાના શોખનો વિસ્તાર કરવાથી કે કોઈ કલામાં પારંગત બનવાથી માણસ જીવંત રહે છે. સતત નવું નવું શીખવાથી મગજનો પણ વિકાસ થાય છે. મનની ક્ષિતિજો વિસ્તરે છે. પોતાનો આત્મવિશ્વાસ વધે છે. નૃત્યનો શોખ હોય તો તે માટેની તાલિમ લઈને વ્યક્તિ એક સારો નૃત્યકાર બની શકે છે. ખૂબ ગાવાનો શોખ હોય તેવી વ્યક્તિ યોગ્ય માર્ગદર્શન અને રિયાઝ વડે સારો ગાયક બની શકે છે. સતત કંઈક નવું વાંચવા-લખવાનો શોખ કેળવીને લેખનકલામાં પારંગત બની શકાય છે. અરે… રોજિંદુ ઘરકામ કરતાં રસોઈના ક્ષેત્રમાં નવી-નવી વાનગીઓ બનાવવાનો શોખ જાગે તો એ પણ ક્યારેક રસોઈકલામાં રૂપાંતરિત થઈ શકે છે. શોખ એ જ કલાની જન્મદાત્રી છે.
માણસને અલગ-અલગ પ્રકારનાં શોખ તો હોવા જ જોઈએ. એ બધાં શોખ ભલેને પછી કલામાં પરિવર્તિન ન પણ પામે; પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નવું નવું જાણવા કે શીખવાનું તો મળી રહેશે ! આપણે ભલે એક જ ક્ષેત્રમાં નિપુણ બનીએ પરંતુ અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને એક નવી જ દુનિયાનો નીતનૂતન અનુભવ કરવો એ કંઈ ખોટની વાત નથી. માણસ અને જગત બધું જ પરિવર્તનશીલ છે. એકનું એક ક્યારેય કંઈ રહેવાનું નથી. પ્રત્યેક માનવી હરહંમેશ કંઈક નવું ઝંખે છે. એક જ પ્રકારના કાર્યથી વ્યક્તિ ઊબી જાય છે. માણસની આંખ અને હૃદયને હંમેશાં કંઈક વિસ્મયતા જોઈએ છે. કંઈક નવું જાણવાની તાલાવેલી કેળવીને જ માનવી આ પ્રકારની નવીનતાનો અનુભવ કરી શકે છે. આપણે બધાએ અનુભવ્યું છે કે આપણી શેરીમાં સાપ નીકળે તો લોકો એને જોવા ટોળે વળે છે કારણ કે એ આપણને રોજ જોવા નથી મળતા, પરંતુ જો ગાય નીકળે તો લોકો જોવા ટોળે વળે ખરા ?
કંઈક અનોખું જાણવામાં જ માણસને રોમાંચનો અનુભવ થાય છે. વ્યક્તિ તેમાં આનંદ પ્રાપ્ત કરે છે. શોખ આપણે વિવિધ આનંદદાયક પ્રવૃત્તિઓને જીવનમાં એક નિશ્ચિત સ્થાન આપી શકીએ છીએ. શોખ કેળવવો એ સહજ બાબત છે. તે આપોઆપ પ્રગટે છે અને વિકસે છે. ‘આમ નહીં કરું તો હું મૂર્ખ દેખાઈશ’ એમ જબરજસ્તી કરીને કોઈ શોખ વિકસાવી શકતા નથી. એનાથી તો ઊલટું જીવનતત્વ ઓછું થઈ જાય છે. કોઈ પણ શોખને સહજ રીતે વિકસવાની અને પાંગરવાની મોકળાશ મળે ત્યારે તે કલામાં પરિવર્તિત થતો હોય છે. એક વિદ્યાર્થી એ એક ચિત્ર દોર્યું હતું. એ વિદ્યાર્થીને ચિત્ર થોડું બરાબર નહોતું લાગતું. એણે તે ચિત્ર પોતાના વર્ગશિક્ષકને બતાવ્યું. શિક્ષકે તે ચિત્રમાં બ્રશથી એક નાનકડો લસરકો માર્યો અને ચિત્ર ક્ષણાર્ધમાં અતિસુંદર બની ગયું ! વિદ્યાર્થીને હવે ખરેખર એ ચિત્ર જીવંત લાગ્યું. આથી તેણે શિક્ષકને પૂછ્યું : ‘સર, આપે તો ફક્ત એક સહેજ લસરકો જ માર્યો છે છતાં ચિત્ર આટલું સરસ કેવી રીતે બની ગયું ?’ શિક્ષકે જવાબ આપ્યો કે : ‘બેટા, એક લસરકો આટલો ફેરફાર કરી શકે ત્યાં જ કલા જન્મે છે.’
ખરેખર, કલાનો એક લસરકો માનવીને ક્યારેક જીવન જીવવાની કલા પણ શીખવી શકે છે. કલાનો સંગાથ માનવીને તાણમુક્ત રાખે છે. સદાય આનંદમાં રાખે છે. હંમેશા પ્રફુલ્લિત રહેવા માટે કંઈક નવું નવું શીખવું પડે તો માણસે સતત શીખતા રહેવું જોઈએ. પોતાના શોખને કેળવવા માટે યોગ્ય વ્યક્તિની મદદ લેવી પડે તો પણ લેવી જોઈએ પરંતુ સવાલ છે જીવનના વૈવિધ્યસભર આનંદને માણવાનો. આમ કરતાં જે કલાકો પસાર થાય છે એમાં કદાચ આપણને પૈસા ન મળતા હોય એમ બને; પરંતુ એકવાર વ્યક્તિનો શોખ કલામાં રૂપાંતરિત થાય છે એ પછી તેની પાછળ કામ અને દામ બેઉ દોડતા આવે છે. એ સમય ‘વેસ્ટ’ નથી થતો પરંતુ ‘ઈનવેસ્ટ’ થાય છે.
વિખ્યાત મનોવૈજ્ઞાનિક કાર્લ જુર્ગે હતાશાને આ યુગની સૌથી મોટી વ્યાધિ તરીકે ઓળખાવી છે. આ હતાશાને દૂર કરવી હશે અને જીવન જીવવાની કલા શીખવી હશે તો આપણે સાચા અર્થમાં કલાકાર બનવું પડશે.
સૌજન્ય : રીડ ગુજરાતી

Birth Anniversary (28-02)


1 ) Doshi Chandanben Rajnikant Chatrabhuj
2 ) Doshi Chetan Gunvantrai Abhechand
3 ) Doshi Pallavi Vijay Gunvantrai
4 ) Lodaria Rajiv Jagdish
5 ) Lodaria Mahesh Maganlal
6 ) Lodaria Jitendra Chhotalal
7 ) Mehta Manjula Hasmukh Ambavidas
8 ) Parekh Bina Mukesh Narbheram
9 ) Sanghvi Meena Jitendra Vallabhdas
10) Shah Nisha Nilesh Jyantilal
11) Shah Marghaben Jatashankar
12) Sheth Viraj Nalinkumar Navalchand
13) Solani Jayshree Dhirendra Chandulal

Thursday, February 27, 2014

Death



Native :Morbi
Currently At : Borivali, Mumbai
Name of the deceased :Vimal Indulal Shah
Age :48 Years
Date of Death : 26-02-2014.
Wife : Diptiben
Son : Urmil
Daughter :Urvi
Brother:Vipulbhai
Sisters: Rekhaben Vijendrakumar Shah, Sonal Ketankumar Doshi 
Sister-in-Law (Bhabhi) : Deenaben
Father : Late Indulal Jamnadas Shah
Mother : Nirmalaben
May His Soul rest in eternal peace 

મોરબી હાલ બોરીવલી ગં. સ્વ. નિર્મળાબેન ઇન્દુલાલ જમનાદાસ શાહના પુત્ર વિમલ (ઉં. વ. ૪૮) તે દીપ્તીબેનના પતિ. તે વિપુલભાઇ, રેખાબેન વિજેન્દ્રકુમાર શાહ તથા સોનલ કેતનકુમાર દોશીના ભાઇ. અ. સૌ. દિનાબેનના દીયર. ઉર્મીલ, ઉર્વીના પિતાશ્રી બુધવાર તા. ૨૬-૨-૧૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા બંને પક્ષ તરફથી ગુરુવાર તા. ૨૭-૨-૧૪ના ૪ થી ૫.૩૦ સ્થળ: પેરેડાઇઝ હોલ, સ્વામીજી સ્કુલ, રોડ નં ૧૦, દૌલતનગર, બોરીવલી (ઇ.). લૌ. વ્ય. બંધ છે. (ચક્ષુદાન કરેલ છે.)

Fastest Car In The World' Vs Oracle Yacht - New Zealand Race - Top Gear

Jeremy and James race a Toyota 'Auris' against the America's Cup yacht Oracle at the Northern tip of New Zealand.

Birth Anniversary (27-02)


1 ) Gandhi Vishal Pramod Vanechand
2 ) Lodaria Rajesh Kasalchand
3 ) Mehta Pooja Himanshu Anilkumar
4 ) Mehta Aakash Himanshu Anilkumar
5 ) Parekh Hemang Navinchandra Roopchandbhai
6 ) Sanghvi Lalit Maneklal
7 ) Shah Hansa Jayendra Jevatlal
8 ) Shah Ramila Pradip Rajnikant
9 ) Shah Rasiklal Devchand
10) Shah Chirag Rasiklal Devchand
11) Sheth Piyush Bipinchandra
12) Solani Kenisha Nitul Rajendra Ratilal
13) Solani Samir Kishorchandra

Wednesday, February 26, 2014

સુખી થવાનો સીધો ઉપાય ! – હરેશ ધોળકિયા



સાંજ ઢળી રહી છે. ઓટલાઓ સામેના તળાવની ક્ષિતિજે લાલચોળ સૂર્ય અસ્ત પામવાની તૈયારી કરી રહ્યો છે. તળાવમાં જે થોડું ઘણું પાણી બચ્યું છે, તેના પર સૂર્ય કિરણોનો લાલ પટ્ટો પથરાયો છે અને પાણી, ગંદુ હોવા છતાં, અત્યંત ચળકી રહ્યું છે. તળાવ વચ્ચે આવેલ બાગમાંના વૃક્ષોનાં પાંદડાં સૂર્ય પ્રભાવે ઝગમગી રહ્યાં છે. ક્રમશ: પ્રકાશ ઘટે જાય છે અને વાતાવરણમાં ઝાંખાશ આવતી જાય છે. ઓટલા પર મંડળીઓ જામી છે. છૂટાંછવાયાં દંપતિઓ કે મિત્ર વર્તુળો બેઠાં છે. તળાવનું સૌંદર્ય આંખોથી પી રહ્યાં છે. બેસનારામાંથી મોટા ભાગના જીવન સંધ્યામાં છે. તેથી પ્રકૃતિની સંધ્યાને સમાનુભૂતિથી માણી રહ્યાં છે. યુવા દંપતિઓ માટે આ કેવળ સૌંદર્યદર્શન છે. તે તેમની ભાવિ સંધ્યાનો અહેસાસ નથી કરાવતી. તેમને તો આવનાર રાત્રીની મીઠાશની સ્મૃતિ કરાવે છે.
એક વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે. અલબત્ત, સમય પસાર કરવા. પણ ચર્ચાનો વિષય રસપ્રદ છે. ડહાપણના પ્રતીક એવા રૂપેરી વાળ ધરાવતા એક વૃદ્ધ હસતાં હસતાં કહે છે : ‘આજે સર્વત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રભાવ વધ્યો છે. વિજ્ઞાને દરેક બાબતના ઉપાયો પણ શોધી કાઢ્યા છે. જુઓને, શરીરમાં તકલીફ કે પીડા થઈ નથી અને તરત ઈન્જેકશન મારી દે છે અને પળભરમાં દુ:ખ ગાયબ ! અથવા એન્ટિબાયોટિક દવા આપે છે. તો આ વિજ્ઞાન સુખનાં ઈન્જેકશન શોધતું હોય તો ? અથવા એન્ટિબાયોટિક દવા જેમ એન્ટિદુ:ખોટિક દવા બનાવતું હોય તો ? આ ઈન્જેકશન લીધું નથી અથવા ગોળી પેટમાં ગઈ નથી અને દુ:ખ ગાયબ !’
બીજા વૃદ્ધે ટેકો આપતાં કહ્યું : ‘સાચી વાત છે. કેટકેટલી ઉપાધિઓ હોય છે. સવાર પડી નથી અને ઉપાધિઓનો ઢગલો આવી પડે છે. દરેક ઉપાધિ તકલીફ ઊભી કરે છે. તેનું નિરાકરણ લાવતાં દમ નીકળી જાય છે. ઘરથી માંડી કેટકેટલાંને સાચવવાં ! કેટલા રિવાજો જાળવવા ! સંબંધો જાળવવા ! પોતાની માંગો પૂરી કરવી ! તે માટે કમાવું. દોડદોડમાં દિવસ જ નહીં, આખી જિંદગી નીકળી જાય છે. છતાં તકલીફો કે દુ:ખો ઘટવાનું નામ જ નથી લેતાં. આ ભાઈ કહે છે તેમ ગોળી કે ઈન્જેકશન આવતાં હોય તો દુ:ખ થકાવે કે તરત તે લઈ લેવાથી ફરી હળવા થઈ જવાય અને સુખમાં ડૂબી જવાય.’
આ વાત સાંભળતાં આલ્ડસ હકસ્લેની નવલકથા ‘આઈલેન્ડ’ યાદ આવી જાય. તેમાં પણ મોક્ષની ગોળીની કલ્પના કરી છે તેણે. જે લેવાથી વ્યક્તિ પળમાં સ્વમાં તલ્લીન થઈ જાય. આ કલ્પના હકસ્લેને ચરસ અને મેરીજુઆના લીધા પછી આવેલી. (તેનું વર્ણન તેણે પોતાનાં પુસ્તક ‘ડોર્સ ઑફ પરસેપ્સન’માં વિસ્તૃત કરેલ છે.) આ વાત પણ ગમે તેવી છે કે ગોળી કે ઈન્જેકશન આવતાં હોય તો સુખ સીધું જ મળી જાય. પળના છઠ્ઠા ભાગમાં ! આ તો રમૂજી વિચાર ગણાય, પણ હકીકતે સુખનો, સુખી થવાનો, કોઈ સીધો માર્ગ ખરો ? અથવા તેનો વિચાર થયો છે ખરો ? હકીકતે સુખ એ બહારની ઘટના નથી. તે માનવ-મનની સ્થિતિ છે. બહાર જે મળે છે, અથવા વિજ્ઞાન જે આપે છે, તે સગવડો છે. સગવડો પોતે સુખ નથી. હા, તેનાથી સુખ મળે છે તેમ વ્યક્તિ માની શકે છે ખરી ! વિજ્ઞાન તો સગવડો આપે ખરું, પણ સુખ તો માનવીના વિચારો પર આધારિત છે. સંપૂર્ણ સુખ વચ્ચે પણ વ્યક્તિ દુ:ખી હોઈ શકે અને ફૂટપાથ પર સૂતેલ પૂર્ણ અભાવગ્રસ્ત વ્યક્તિ પણ આનંદી હોઈ શકે.
પણ હા, આપણાં શાસ્ત્રોમાં આપેલ બે સૂચનો સુખ મેળવવાનો સીધો ઉપાય બની શકે. તેને જો મન ગળી જાય કે તે જો લોહીમાં ભેળવી દે, તો તે પળે જ વ્યક્તિ સુખી થઈ શકે છે. એક સૂચન છે ભગવદ ગીતામાં અને બીજું છે ઉપનિષદમાં. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે (5:3) ‘નિદ્વંદ્વો હિ સુખમ્ બંધાત્પ્રમુચ્યતે’ એટલે કે ‘નિદ્વંદ્વ વ્યક્તિ જ બંધનોમાંથી મુક્તિ મેળવી સુખી થઈ શકે છે.’ એટલે કે, સુખ મેળવવાનો સીધો ઉપાય છે નિદ્વંદ્વ થવું. દ્વંદ્વોથી મુક્ત થવું તે. કયો છે અગત્યનો દ્વંદ્વ ? તે છે ‘રાગ અને દ્વેષ.’ દુ:ખનો પાયો છે આ દ્વંદ્વ. માણસની સામે કશુંક પણ આવે – વ્યક્તિ કે વસ્તુ – તો તરત તે તેનાં સાથે રાગ ઊભો કરે છે. તેના તરફ તે આકર્ષાય છે અને આસક્તિ બાંધી લે છે. માનવ સંબંધો, માનવના વસ્તુ સાથેના સંબંધો-બધા પળભરમાં આ રાગ દ્વારા ખરડાઈ જાય છે. રાગ આસક્તિ જન્માવે છે. આસક્તિ મોહ જન્માવે છે. મોહ માલિકીભાવ ઊભો કરે છે. મોહ વ્યક્તિને બેહોશ બનાવે છે. આ બધાને પરિણામે તે તેને જોરથી પકડી બેસી જાય છે. જેવી રાગની પકડ વધે, તરત તે ગુમાવવાનો ડર ઊભો થાય. આ ડર અસલામતી જન્માવે. પરિણામે તે વ્યક્તિ કે વસ્તુ તરફ કોઈ નજર કરે, તો તે વ્યક્તિ દુશ્મન લાગે. પરિણામે તેના તરફ દ્વેષ ઉત્પન્ન થાય. તેને તે દૂર રાખવા પ્રયત્ન કરે અથવા અન્ય કારણોસર વ્યક્તિ કે વસ્તુ ચાલ્યાં જાય, તો શોક જન્મે અને વ્યક્તિ દુ:ખી થયા કરે. આમ જેવો રાગ પ્રગટ્યો કે મોહ અને શોક આવ્યાં જ ! અને તે વ્યક્તિ દુ:ખી રહેવાની જ.
તેનો ઉપાય છે તે બંનેનો ત્યાગ. સમગ્ર દ્વંદ્વથી મુક્તિ. હવે આનો આધાર બહારનાં વ્યક્તિ કે વસ્તુ નથી. તેઓ તો કેવળ સંયોગવશાત વ્યક્તિ પાસે આવેલ છે. તેને સ્વીકારવાનાં પણ છે અને તેને પ્રેમ પણ કરવાનો છે. પણ પ્રેમ કરવો અને રાગ કરવો એ બે અલગ બાબત છે. પ્રેમમાં આગમનનો સ્વીકાર છે, પણ ‘જશે તો’ – ગુમાવવાનો ડર નથી. પ્રેમને જ્ઞાન છે કે જે આવે છે તે જઈ પણ શકે છે અને એક સમયે જશે જ ! માટે હોય ત્યાં સુધી માણવું. જાય તો જવા દેવું. રાગ આ નથી સ્વીકારતો. તે માને છે કે જે આવે તે ટકવું જ જોઈએ. તેની માલિકી તેની જ હંમેશ માટે હોવી જોઈએ. આ હંમેશ શક્ય નથી. માટે ડર ઉત્પન્ન થાય છે જે મોહ ગાઢ બનાવે છે. વ્યક્તિ કે વસ્તુ જવાથી જે દુ:ખ થાય છે, તે આ મોહભંગનું પરિણામ છે, તે જવાનું નહીં. નિદ્વંદ્વ થવું એટલે વ્યક્તિ કે વસ્તુને સ્વીકારવાં જ નહીં એવું નથી. જે જ્યારે આવે તેને પ્યારથી સ્વીકારવાનાં છે. તેનો યથાયોગ્ય ઉપયોગ પણ કરવાનો છે. તેને માણવાનાં પણ છે. પણ દરેક પળે, માણતી વખતે, ‘તે જઈ પણ શકે છે.’ તે જાગૃતિ રાખવાની છે. તેની ક્ષણભંગુરતાનો પણ સ્વીકાર કરવાનો છે. આ રીતે અનાસક્તિ આવી કે તરત દ્વંદ્વનો પ્રભાવ ચાલ્યો જશે. દ્વંદ્વો તો રહેશે જ, તે તો જગતનો સ્વભાવ છે, પણ તેનો પ્રભાવ ન સ્વીકારવો તે વ્યક્તિની પસંદગી છે. આવું થયું કે તે પળે સુખ જ સુખ છે. અને હકીકતે દુ:ખ છે જ નહીં, દુ:ખ તો દ્વંદ્વને સ્વીકારવાથી જ થાય છે. દુ:ખનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી અને દ્વંદ્વનો અભાવ તે જ સુખ !
ઈશ ઉપનિષદ આ વાત બીજી રીતે કહે છે. તે કહે છે કે, ‘ત્યાગીને ભોગવ’ ઘણા ગોટાળા આ વાક્ય સંદર્ભે થયા છે. હજારો વખત એમ કહેવાયું છે કે આમાં ત્યાગની મહત્તા બતાવી છે, પણ આ વાક્યમાં ક્રિયાપદ ‘ભોગવ’ છે, ‘ત્યાગ’ એમ નથી. વાત તો ભોગવવાની જ કરી છે. માત્ર તેની રીત ‘ત્યાગ’ બતાવી છે. ત્યાગ પદ્ધતિ છે, ક્રિયા નથી.
શેનો ત્યાગ ?
દ્વંદ્વનો જ ! આસક્તિનો જ ! માલિકીભાવનો જ !
ઉપનિષદ કહે છે કે જગત ભોગવવા માટે જ છે. જે કંઈ છે, તે માણવાનું છે. માત્ર ખ્યાલ એ રાખવાનો છે કે તેના પ્રત્યે આસક્તિ ઊભી ન થાય. તે ‘મારું’ છે તેમ નથી માનવાનું. ‘મને ભોગવવા મળ્યું છે’ એમ માનીને ‘છે’ ત્યાં સુધી માણવું. જાય તે સ્વસ્થતાથી જવા દેવું, પછી તે પોતાનું પ્રિયજન હોય કે પ્રિય વસ્તુ હોય કે ગમે તે. પણ હોય ત્યાં સુધી આનંદથી માણવું. વ્યક્તિ કે વસ્તુને નથી ત્યાગવાનાં, તેના પ્રત્યેના રાગ અને મોહને ત્યાગવાના છે. તેને ત્યાગીને ‘ભોગવ’ એમ કહે છે.

બસ ! આ ચાવી છે સુખની. હકીકતે સુખ મેળવવાનું જ નથી. વિશ્વમાં સુખ સિવાય બીજું કશું જ નથી. માત્ર જો ભૂલથી પણ દ્વંદ્વ સ્વીકાર્યું અને પકડ્યું, તો પછી દુ:ખ આવે જ છે. દુ:ખ એ સુખનો અભાવ નથી, પણ રાગી થવાથી ઊભી થતી પરિસ્થિતિ છે. જો રાગ-દ્વેષ છોડ્યાં, તો સુખ જ સુખ ! તે પકડ્યાં, તો દુ:ખ જ દુ:ખ ! અને દુ:ખ માટે ‘ઉપાધિ’ શબ્દ વપરાય છે. ઉપ અને આધિ. આધિ એટલે તકલીફ. ઉપ એટલે ગૌણ. બહાર જે વ્યક્તિ કે વસ્તુ છે તે ગૌણ છે. મુખ્ય આધિ નથી. મુખ્ય આધિ તો રાગ અને દ્વેષ છે. તે છોડ્યાં તો સુખ. આ જ ઈન્જેકશન છે; એન્ટિદુ:ખોટિક ગોળી છે.
શું સ્વીકારવું તે વ્યક્તિની પસંદગી છે. માટે જ ગીતા કહે છે : ‘યથેચ્છિસિ તથા કરુ’ – તું ઈચ્છે તેમ કરી શકે છે.
સૌજન્ય : રીડ ગુજરાતી

Birth Anniversary (26-02)


1 ) Modi Kamini Ketan Hematlal
2 ) Lodaria Aayushi Rajiv Jagdish
3 ) Lodaria Priti Girish Jamnadas
4 ) Mehta Mukesh Dhanwantrai
5 ) Mehta Jignesh Bipin Trambaklal
6 ) Sanghvi Chandresh Ramniklal
7 ) Shah Hardik Rajesh Ravichand
8 ) Sheth Vasantiben Dhirajlal
9 ) Solani Rajnikant Ratilal

Tuesday, February 25, 2014

Climbing Shanghai Tower - World's Second Tallest Building (650 m - 2133 ft.)

Don't watch this if you are afraid of heights!

Birth Anniversary (25-02)


1 ) Shah Chandrika Dinesh Manharlal
2 ) Kothari Kishore Shantilal
3 ) Lodaria Jyoti Rahul Rasiklal Chhaganlal
4 ) Mehta Vidrum Ajit Pravinchandra
5 ) Mehta Rajendra Kantilal
6 ) Mehta Vaishali Jayesh Anantrai Malukchand
7 ) Sanghvi Priyanki Nimesh Narendra
8 ) Shah Rita Tushar
9 ) Shah Khushboo Kishor Devchand
10) Shah Bijal Deepak Hasmukhray
11) Sheth Keyur Jitendra Navalchand
12) Trevadia Viral Anilkumar

Monday, February 24, 2014

ધાર્મીક વીધીને નામે દુર્વ્યય..…ડૉ. જનક વ્યાસ


માણસ એકવીસમી સદીમાં જીવવાનો રોફ મારે છે. તેની વીજ્ઞાન તરફની દોડ અચમ્બો પમાડે તેવી છે; તેમ છતાં ધાર્મીકતાને નામે તેની અન્ધશ્રદ્ધાનો કોઈ પાર નથી. જીવન–મૃત્યુના અનેક પ્રસંગોમાં મોંઘી ચીજ, કે જેને માટે ગરીબ વર્ગ હવાતીયાં મારે છે તેનો, ધાર્મીકતાને નામે બહોળો દુર્વ્યય કરે તે છે અને તેમાંથી બહાર નીકળવાના કોઈ પ્રયાસો પણ થતા નથી. લગ્ન એ પવીત્ર વીધી છે, તેમાં વધુને ઓવારવા ચોખા ઉડાડાય છે. લાખોની સંખ્યામાં થતા લગ્નોમાં આવા અનેક ટનબંધી ચોખા ધુળમાં ભળી જાય છે. જ્યારે આ દેશમાં અસંખ્ય લોકો ભુખે મરે છે. આ વીધી અટકે તો કેટલા ભુખ્યાજનોની આંતરડી સન્તોષાય ! તે જ રીતે ધાર્મીકતાને નામે ગામે ગામ યજ્ઞો કરાવાય છે. લગ્નની વેદીમાં પણ યજ્ઞોની જેમ તે વેદીમાં ચોખ્ખું ઘી હોમાય છે અને આવા અસંખ્ય હોમહવનમાં કીંમતી ચોખ્ખું ઘી બાળી મુકવામાં આવે છે. હોળીમાં લાખ્ખો નારીયેળ ફુંકી મારવામાં આવે છે. આપણે કરોડો પોષણવીહીન મનુષ્યોના મુખેથી તે ઝુંટવી લઈએ છીએ એમ નથી લાગતું ? માણસ મૃત્યુ પામે ત્યારે હીન્દુઓ શબને સ્મશાનમાં બાળે છે. એક શબ 15-20 મણ લાકડાંથી બળે છે, આમ ત્રણ વ્યક્તીઓ માટે એક વૃક્ષનો નાશ થાય છે અને પર્યાવરણ ખોરવાયે જ જાય છે. જંગલોનો નાશ થતાં અનેક પ્રશ્નો ખડા થાય છે. હવે તો વીદ્યુત અને ગેસ સગડી ઉપલબ્ધ છે.

ગીધ પક્ષીઓનો નાશ થતાં પારસી સમાજે પણ કુવો–ભસ્તો છોડી ગેસ સગડી અપનાવી છે. છતાં ધાર્મીકતાને નામે હીન્દુવીધીમાં લાકડાંનો દુર્વ્યય કરાય છે. આવા તો બીજા અનેક પ્રસંગોએ દુર્વ્યય કરાય છે. જે અટકાવાય તો અનેક જરુરીયાતમન્દોને તે આપી આશીર્વાદ મેળવી શકાય.
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર 

­

Birth Anniversary (24-02)


1 ) Doshi Vihan Shashank Jitendra
2 ) Gandhi Kunal Bharat Fulchand
3 ) Gandhi Aditya Himanshu Madhusudan Lalchand
4 ) Gholani Chintan Vasant Dhirajlal Somchand
5 ) Maniar Rupal Yogesh Jayantilal
6 ) Mehta Tejas Surendra Shantilal
7 ) Mehta Shailesh Prabhashankar
8 ) Shah Jayshree Mahesh Jatashankar
9 ) Sheth Dr. Praguna Bipinchandra

Sunday, February 23, 2014

Death



Native :Wankaner 
Currently At : Kandivali, Mumbai
Name of the deceased :Harilal (Bhikhubhai) Bhaichand Doshi
Age :83 Years
Date of Death : 22-02-2014.
Wife : Late Chandanben
Son : Atulbhai
Daughter-in-Law : Harshaben
Daughters :Saryuben,Meenaben
Sons-in-Law :Mitesh, Nitin
Brothers:Late Natubhai, Navalbhai
Sisters: Late Chanchalben, Late  Shantaben, Vasuben, Kanchanben, Ranjanben
Father-in-Law : Late vanechand Devkaran Gandhi 
Father : Late Bhaichand Karshanji Doshi
May His Soul rest in eternal peace
વાંકાનેર હાલ કાંદીવલી હરીલાલ (ભીખુભાઈ) ભાઈચંદ કરશનજી દોશી (ઉં. વ. ૮૩) તે સ્વ. ચંદનબેનના પતિ, તે અતુલભાઈ, સરયુ, મીનાના પિતાશ્રી, તે સ્વ. ચંચળબેન, સ્વ. શાંતાબેન, સ્વ. નટુભાઈ, વસુબેન, કંચનબેન, રંજનબેન, નવલભાઈના ભાઈ, તે ગાંધી વનેચંદ દેવકરણના જમાઈ, તે હર્ષાબેન, મિતેષ, નીતિનના સસરા તા. ૨૨-૨-૧૪ના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા મંગળવાર તા. ૨૫-૨-૧૪ના સવારે ૧૦.૦૦ સ્થળ: શ્રી સંભવનાથ જૈન દહેરાસર, જાંબલીગલી, બોરીવલી (વેસ્ટ). (ચક્ષુદાન તથા દેહદાન કરેલ છે). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

અવસાન

વાંકાનેર (હાલ વિલે પાર્લે)ના સ્વ. ધરમશીભાઈ રવજીભાઈના પુત્ર સ્વ. જયંતીભાઈના પત્ની ગં.સ્વ. લીલાવંતીબેન (ઉં.વ. 80). તે સ્વ. હરિલાલ અંબાવીદાશના દીકરી ગુરુવાર, તા. 20મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા, લૌકીક વ્યવહાર બંધ છે. ઠે.: 102, સીમરન બિલ્ડીંગ, તેજપાલ સ્કીમ રોડ નં.5, વિલે પાર્લે (પૂ.).
 

Death



Native :Koth
Currently At : Ahemdabad
Name of the deceased :Suryaben Jayendrakumar Shah
Age :74 Years
Date of Death : 21-02-2014.
Husband : Jayendrakumar Kantilal Shah 
Son : Late Sanjaybhai 
Daughter-in-Law : Nipulaben
Daughters :Harshaben, Hinaben 
Sons-in-Law :Rajeshkumar, Sujitkumar
Brothers-in-Law (Diyar):Dineshbhai, Manishbhai
Sisters-in-Law (Nanand) : Narangiben,Meenaben, Smitaben, Geetaben 
Father : Late Raichand Hathising Gandhi 
May Her Soul rest in eternal peace 

કોઠ, હાલે અમદાવાદ શાહ જયેન્દ્રકુમાર કાંતિલાલના ધર્મપત્ની અ. સૌ. સુર્યાબેન (ઉં. વ. ૭૪) તેઓ સ્વ. સંજયભાઈ, હર્ષાબેન, હિનાબેનના માતુશ્રી. નિપુલાબેન, રાજેશકુમાર, સુજીતકુમારના સાસુ. રાયચંદ હઠીસીંગ ગાંધીના દીકરી. નારંગીબેન, દિનેશભાઈ, મનીશભાઈ, મીનાબેન, સ્મિતાબેન, ગીતાબેનના ભાભી. શુક્રવાર, ૨૧-૨-૧૪ના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા રવિવાર, ૨૩-૨-૧૪ના અમદાવાદ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

When Luck Is On Your Side

A compilation of some incredibly lucky pedestrians, train spotters, truck drivers, bicycle riders, motorcyclists and rally drivers.

Birth Anniversary (23-02)


1 ) Doshi Utsav Vipul Mugatlal
2 ) Doshi Poonam Vimal Vikramchand
3 ) Doshi Dhruvin Atul Kantilal Keshavlal
4 ) Sheth Pragna Deepak Mansukhlal
5 ) Lodaria Saurabh Dinesh Mugatlal
6 ) Mehta Dhaval Shailesh Mohanlal Karsanji
7 ) Parekh Ramesh Navalchand
8 ) Shah Jyoti Vinodchandra Shantilal
9 ) Shah Dharmil Dilesh Rameshchandra
10) Sheth Dinesh Hematlal

Saturday, February 22, 2014

લગ્નમાં અક્ષત ચોખાનો હેતુ !…નાનાસાહેબ ઈન્ગળે

આઝાદી પહેલાં આપણો દેશ ખેતીપ્રધાન હતો અને નાનાં–નાનાં ગામડાંઓની સંખ્યા 80 ટકાથી વધુ હતી. લોકોમાં અન્ધશ્રદ્ધા હતી; પણ સાથે સાથે ‘બહુજન હીતાય, બહુજન સુખાય’ની ભાવના હોવાથી લગ્નો પણ વસન્તપંચમી કે અખાત્રીજ પર વીશેષ થતાં. જાન એક ગામથી બીજે ગામ જતી ત્યારે ગામના સૌ નાનામોટા ફળીયાવાસીઓ જાનૈયાની આગતા–સ્વાગતા કરતા. તે જમાનામાં અઠવાડીયાં પહેલાં રાત્રે લગ્નનાં ગીતો ગવાતાં, તોરણો બન્ધાતાં. મહેમાનો માટે ઘેરઘેર ખાટલા–ઢોલીયા પથરાતા. સવારે દાતણ–પાણી, ચા–નાસ્તો વગેરે આડોશપડોશના અને ફળીયાના લોકો જ, આપસનાં વેરઝેર ભુલીને ‘ગામની દીકરી’ની ભાવનાથી બધો ભાર ઉપાડી લેતા હતા. બહારગામથી જાન આવે તો વરરાજાની ઓળખાણ પણ ‘ગામના જમાઈ’ તરીકે કરાવતા. તે જમાનામાં અનાજ એટલું બધું પાકતું કે આખા ગામને જમાડવાનો રીવાજ હતો. જેમાં જમીનદારથી માંડીને ખેતમજુરને પણ આગ્રહ કરીને જમાડવામાં આવતા. હવે જ્યારે ગામમાં વરઘોડો નીકળતો ત્યારે ગામની તથા ઘરની મહીલાઓ અક્ષત ચોખા, જુવાર અને બીજાં ધાન્યો મુઠ્ઠીમાં લઈને ગીતો ગાતીગાતી વરરાજાની પાછળ ‘રમણદીવા’ સાથે રાખી, વરરાજા પર નાંખતી. એની પાછળનો હેતુ ઘણો ઉમદા હતો. ગામડાંમાં ધુળમાટીના રસ્તા હતા અને આજુબાજુ ખેતરોને લીધે ફળીયામાં, પાદરમાં અને વાડામાં વૃક્ષો ઘણાં હતાં. તેના પર પક્ષીઓ માળા બાંધતાં. એ પક્ષીઓ સવારે જ્યારે આ દાણા ખાતા તેથી એમનું પેટ ભરાતું અને ખેતરના પાકને નુકસાન ઓછું કરતા. એટલું જ નહીં પણ ગામનો ગરીબવર્ગ મરઘાં–બકરાં પાળતો. તેમને પણ દાણા ખાવા મળતા હતા. એટલે એમાં ‘બહુજન હીતાય, બહુજન સુખાય’ની ભાવના પણ હતી. હવે જમાનો બદલાયો છે. લોકોમાં પ્રેમ લાગણીને બદલે મારા–તારાની સ્વાર્થવૃત્તી પેસી ગઈ. નાનાં ગામડાંઓમાં ઉદ્યોગોને લીધે ખેતીની જમીન ધીરેધીરે નાશ પામતી રહી અને આપણો દેશ ખેતીપ્રધાન મટીને ઉદ્યોગપ્રધાન બની રહ્યો છે.
હવે લગ્નોમાં બુફે ડીનરે જમણવારનું સ્થાન લીધું છે. અનાજનો જેટલો બગાડ વરકન્યા પર અક્ષત નાંખવાનો થતો હતો, એનાથી દસ ગણો બગાડ બુફે ડીનરમાં થાય છે. કારણ કે ઘણાં મા–બાપો પોતાનાં બાળકોને પણ ડીશ ભરીને બધું જ ખાવાનું આપે છે. અને જમણવાર પણ કોન્ટ્રાકટ પદ્ધતીથી થતો હોવાથી કોઈ પણ જાતની રોકટોક થતી નથી. હવે તો અક્ષત એવા ચોખાને પણ કૅમીકલવાળા રંગથી રંગીન તથા સોનેરી રુપેરી બનાવવાથી એનો સાચા અર્થમાં બગાડ જ થાય છે. માટે હવે અક્ષત ચોખાનો થતો બગાડ અટકવો જરુરી છે. અક્ષતનો અર્થ થાય છે ક્ષતી વગરનું ‘અખંડીત’. તેથી વરકન્યાનું જીવન પણ આજીવન અખંડ રહે તેવી ભાવના તેમાં હોય. તેથી કન્યાને ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ના આશીર્વાદ આપવામાં આવતા.
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર 

Birth Anniversary (22-02)


1 ) Doshi Rushabh Vimal Vikramchand
2 ) Doshi Shailesh Mansukhlal
3 ) Doshi Jayshree Harish Shantilal
4 ) Mehta Deepali Chirag Jayesh Natvarlal
5 ) Mehta Yati Vimal Hasmukh Ambavidas
6 ) Sanghvi Ajay Rasiklal Narshidas
7 ) Shah Harshaben Kirtikumar
8 ) Shah Mayuri Hiren Kirtikumar
9 ) Solani Rushabh Deepak Rajnikant Ratilal
10) Trevadia Gauri Bhavesh Kishorkumar
11) Trevadia Dipti Tejas Mehta

Friday, February 21, 2014

This Crow Is The Smartest Bird You Have Ever Seen

A crow solves a problem that requires eight seperate stages that must be completed in a specific order.

Birth Anniversary (21-02)


1 ) Doshi Ketan Chamanlal
2 ) Parekh Nishith Rajnikant Jayantilal
3 ) Parekh Narbheram Jasraj
4 ) Sanghvi Hriday Keyur Rameshchandra
5 ) Sanghvi Jigna Chirag Bhupatkumar
6 ) Sanghvi Sandhya Piyush Vora
7 ) Shah Gunvantray Harakhchand
8 ) Shah Bipin Chimanlal
9 ) Shah Yash Kirit Kantilal
10) Sheth Jinal Mukesh Jevatlal
11) Vakharia Nehal Hitesh Kishorchandra
12) Vora Vasumati Kanaiyalal Khantilal

Thursday, February 20, 2014

Bio Data

NamePankti Jatin Shah
Birth Date/Time/Place17-02-1987 / 1:55 AM /Dahisar-Mumbai
Height5'6"
Weight57 Kgs.
EducationB.A., M.A. Certification 16
CasteJain
Address103, New Padmavati Krupa,
Orlem Tank Road, Opp. Tree House,
Malad(W),Mumbai 400064.
OccupationWorking with Randstad India Ltd. as Asst. Consultant
MotherSurekhaben J. Sheth (Single Parent)
SiblingsTrishna Jatin Shah married
To Anand Ramswami, Hyderabad
MosalBipin J Sheth & Mukesh J Sheth (Mama)
PhonesResi : 28081750 Mob : 9619264101
Emailpankti1702@gmail.com

Birth Anniversary (20-02)


1 ) Doshi Nitin Indulal Manilal
2 ) Shah Tejal Dharmesh
3 ) Mehta Ashok Shamaldas
4 ) Mehta Nilima Jayesh Bhupatbhai
5 ) Shah Aruna Sunil Chandulal
6 ) Shah Deepak Dineshchandra
7 ) Trevadia Tejal Dineshbhai
8 ) Vora Rajesh Bhogilal
9 ) Vora Ashish Prafullchandra Jethalal

Wednesday, February 19, 2014

Bio Data

NameAkshay Sureshbhai Mehta
Birth Date/Time/Place20-10-1986 /10:15AM /Rajkot
Height5'7"
Weight55 Kgs.
EducationPursuing M.S.(Software Systems),
B.E.(Elect & Telecom),
PG Diploma (Embeded Sys), Diploma (Digi. Electro)
CasteMachchhukantha Vishashrimali Jain
NativeRangpar Bela -Morbi-Gujarat
Address2/9,Sumitra Sadan, Dhobiali, Thane (W), 400601.
OccupationWorking with Green Ridge Systems Pvt. Ltd.
As Embeded Software Engineer
MotherLate Rekhaben Sureshbhai Mehta
FatherSureshbhai Jethalal Mehta (Mob : 9892953340)
MosalLate Bhagwanlal Khetshibhai Shah (Surendranagar)
Phones9773328911 Resi : 65731236
Emailmehta.akshay9@gmail.com

Birth Anniversary (19-02)


1 ) Doshi Narendra Vikramchand
2 ) Mehta Rekha Ajit Pravinchandra
3 ) Mehta Amita Rajiv Chamanlal Jivraj
4 ) Mehta Janhavi Vipul Shashikant
5 ) Mehta Shrenik Suresh Jethalal
6 ) Parekh Vinaychadra Jagjivandas
7 ) Shah Ami Sheetal Lalitkumar
8 ) Shah Niyati Viraj
9 ) Sheth Mital Ramesh Shivlal

Tuesday, February 18, 2014

Photos of Machchhu Gaurav Function on 16th Feb. 2014

Death



Native :Wankaner
Currently At : Wankaner
Name of the deceased :Rameshchandra Mugatlal Shah
Age : 60 Years
Date of Death : 07-02-2014. 
Husband : Jyotsnaben
Daughters :Ami Amitkumar, Kinjal Mehulkumar, Jinal RiteshKumar, Reema, Richa 
Brother :Pankajbhai 
Sisters : Varshaben Bharatbhai, Shobhanaben Kiritkumar, Krutiben Kamleshbhai
Father -in-Law  : Late Manharlal Dalichand Mehta
Father : Late Mugatlal Juthabhai Shah
Mother : Prabhaben
May His Soul rest in eternal peace 


શાહ પ્રભાબેન મુગટલાલના સુપુત્ર ચિ. રમેશચંદ્ર (ઉં. વ. ૬૦) વાંકાનેર મુકામે તા. ૭-૨-૧૪, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે જ્યોત્સનાબેનના પતિ. પકંજભાઈ, વર્ષાબેન ભરતકુમાર, શોભનાબેન કીરીટકુમાર, કૃતિબેન કમલેશભાઈના ભાઈ. અમી અમીતકુમાર, કીંજલ મેહુલકુમાર, જિનલ રીતેશકુમાર, રીમા તથા રીચાના પિતા. મનહરલાલ દલીચંદના જમાઈ.

Bio Data


NameAnisha Prakashbhai Mehta
Birth Date/Time/Place03-06-1978/-/-
Height5'7"
Weight60 Kgs.
EducationB.E.(Electronics Engineer), M.Tech. (I.T.)
CasteMachchhukantha Vishashrimali Jain
Derawasi
NativeMorbi-Gujarat
AddressA11/205/206, Yogi Nagar,
Borivali(W), Mumbai 400091.
OccupationImage Processing (USA Returned)
MotherKusum Prakash Mehta (Retired Principal)
FatherPrakash Maganlal Mehta (Retired Engineer)
SiblingsParixit Mehta (Married) [(B.E. Mech), M.B.A. (London)]
MosalMahendra Gandhi (Peddar Road)
Phones9833773278


Birth Anniversary (18-02)


1 ) Mehta Hitesh Indrakumar
2 ) Sanghvi Rajesh Prabhudas Dalichand

Monday, February 17, 2014

Bio Data



NameViral Prablesh Mehta
Birth Date/Time/Place08-11-1987/-/-
Height6'1"
Weight60 Kgs.
EducationB.Com., M.Com.
CasteMachchhukantha Vishashrimali Jain
Derawasi
NativeMorbi-Gujarat
AddressJaya Niwas, 2nd Floor,
Goras Wadi, Malad (West), Mumbai 400064.
OccupationMaterials Manager
MotherVarsha Prablesh Mehta
FatherPrablesh Maganlal Mehta
SiblingsAmal Mehta (B. Com.)
MosalGirishbhai Khandharia
Phones9004567721


Birth Anniversary (17-02)


1 ) Doshi Harendra Manharlal
2 ) Lodaria Pankaj Maganlal
3 ) Mehta Bharati Parag Jayantilal
4 ) Mehta Shantaben Kantilal
5 ) Parekh Bharat Kantilal
6 ) Parekh Drishti Himanshu Kanakrai
7 ) Patel Krina Jiten Chhabildas
8 ) Sanghvi Rakesh Dinesh Talakchand
9 ) Shah Bhavini Shreepal
10) Shah Nayna Vijay Anopchand
11) Shah Sheetal Lalitkumar
12) Shah Mansi Raj Sheth
13) Sheth Pankti Jatin Shah
14) Solani Jitendra Jevatlal Ratilal

Sunday, February 16, 2014

Bio Data


NameMeghna Dilipbhai Shah
Birth Date/Time/Place23-07-1982 / 15:42 /
Height5'0"
EducationT. Y. B.Com., Jewellery Design
CasteMachchhukantha Vishashrimali Jain
AddressB/105, Kamla Ashish No 3, Dahanukar Wadi,
Mahavir Nagar, Kandivali (W), Mumbai 400067
OccupationAdministrative Head in J.K.Shah C.A. Institute
Working in Family Firm
MotherGeeta Dilip Shah (Mob :9320038311)
FatherDilip Popatlal Shah (Mob : 9321111051)
Father's BusinessAdvertisement (Production),
Professional Photography &
Freelance Journalist
SiblingsVinit Shah (Mob : 9892188824)
MosalKusumben Bachubhai Shah
Sanghavino Pado, Patan
PhonesResi :32928311 / 96667038311
Grand ParentsBhagwatiben Popatlal Shah


Birth Anniversary (16-02)

1 ) Doshi Nishi Nitin Indulal Manilal
2 ) Doshi Gunvantrai Abhechand
3 ) Doshi Panna Dilip Amichand
4 ) Mehta Chirag Bharat Amrutlal
5 ) Mehta Vaishali Hemanshu Rameshchandra
6 ) Mehta Rajiv Chamanlal Jivraj
7 ) Mehta Dharmendra Navinchandra
8 ) Parekh Sanjay Harshadray
9 ) Shah Nirmalaben Mulraj
10) Shah Jigar Jitendra Nalinbhai

Saturday, February 15, 2014

Bio Data



NameParshva Maheshbhai Mehta
Birth Date/Time/Place01-12-1991
Height6'1"
Weight60 kg
EducationB.M.S., M.Com.
CasteMachchhukantha Vishashrimali Jain
Deravasi
NativeMorbi - Gujarat
AddressPlot No 1, 3rd Floor, Sunder Nagar,
S.V.Road, Malad (West),Mumbai 400064.
OccupationJob in T.C.S.
MotherBharati Mahesh Mehta
FatherMahesh Maganlal Mehta
Father's BusinessRetired
SiblingsBijal Hemen Settled in U.S.A.
MosalTarun Patwa, Shripal Nagar
Phones8080757117
Email

Birth Anniversary (15-02)


1 ) Shah Kalpana Harshadkumar Jamnadas
2 ) Khandor Devanshi Sanjay Dhirajlal Lavjibhai
3 ) Mehta Shalibhadra Sanjay Kantilal
4 ) Mehta Mausam Yogesh Chandulal
5 ) Mehta Pratham Viresh Hargovinddas
6 ) Parekh Narendra Shantilal
7 ) Sanghvi Navnit Talakchand
9 ) Shah Lalitray Manilal
10) Shah Priti Harshadray Ratilal

Friday, February 14, 2014

Bio Data


NameMiral Ramesh Sheth
Birth Date/Time/Place14-09-1985 / 7:40 AM / Jetpur
Height5'3"
Weight50 kg
EducationB.Sc. (Food Science & Nutrition)
PGD (Clinical, Nutrition, Dietetics)
CasteMachchhukantha Vishasrimali-Digamber
NativeWankaner
AddressA/602,Kinjal Apt., Behind Shreyas Cinema,Garden Lane, LBS Marg, Ghatkopar (W), Mumbai 400086.
OccupationClinical Nutritionist & Dietician at Hiranandani Fortis Hospital.
MotherSurya Ramesh Sheth
FatherRamesh Shivlal Sheth
Father's BusinessSynthetic Chemicals,
308,Sharda Chambers,
31, Keshavji Naik St,
Near Fuwara, Mum 400009.
SiblingsMital Mayank Kothari (Married)
Kinjal Ramesh Sheth
Sagar Ramesh Sheth
Mosal
PhonesResi :25005361 Mobile : 9869408557
Office Phones : 23742869 , 66313598
Emailmiralsheth@gmail.com