Tuesday, December 31, 2013

Samaj Utkarsh Volume No 590 November 2013

To read Pages 1 to 10 of Samaj Utkarsh click here  

To read Pages 11 to 19  of Samaj Utkarsh click here

To read Pages 20 to 28 of Samaj Utkarsh click here  

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff. 

Incredible Magic Trick: The Lottery Illusion


Magician Nate Staniforth performs the impossible and amazing 'Lottery Ticket Illusion.'


Birth Anniversary (31-12)


1 ) Khandor Kalpana Mahesh Himmatlal
2 ) Lodaria Varsha Pravin Chhabildas
3 ) Mehta Hemal Chandrakant Vanechand
4 ) Sanghvi Amit Manish Chimanlal
5 ) Sanghvi Jignesh Sureshchandra
6 ) Sanghvi Ketan Sukhlal Nanalal
7 ) Sanghvi Jimit Kalpen
8 ) Shah Bijal Sanjay Rameshbhai
9 ) Shah Darshna Hitenkumar Zaveri
10) Shah Prakash Ravichand
11) Sheth Chandravadan Jamnadas
12) Sheth Nimmit Ketan Dhanwantrai

Monday, December 30, 2013

મનનો અંધાપો અને તાર્કીકતા–મુરજી ગડા

પોતાના ખાબોચીયાને સર્વસ્વ માનતા દેડકાઓ પરથી પ્રચલીત થયેલી ‘કુવામાંના દેડકા’ કહેવત, દેડકાઓ માટે નહીં પણ માણસો માટે બનાવવામાં આવી છે. દેડકાઓ કે પછી બીજા કોઈપણ પ્રાણીઓનું મગજ એટલું વીકસીત નથી હોતું કે પોતાની નાનકડી દુનીયાથી અલગ દુનીયાના અસ્તીત્વ વીશે એમને કંઈ ખબર હોય.
માણસોની બાબતમાં એવું નથી. આજના સમયમાં બધાને એટલી તો ખબર છે કે દુનીયા ઘણી વીશાળ છે. એમાં ભાતભાતના લોકો રહે છે. એમના આચાર–વીચાર, માન્યતાઓ, ધર્મ વગેરે એકબીજાથી અલગ છે. કંઈ જાણ્યા–સમજ્યા વગર લગભગ બધા જ બીજાનું ખોટું અને ફક્ત પોતાની માન્યતાઓ સાચી હોવાનો આગ્રહ સેવે છે.
જેલની કોટડીમાં પુરાયેલાને ફક્ત એક નાનકડી બારીમાંથી જોવા મળે છે. ત્યાંથી એને હમ્મેશ એક જ દૃશ્ય દેખાય છે. આંખો હોવા છતાં એ અન્ધાપો ભોગવે છે. જે મુક્ત અને જાગૃત છે, જેની ચારે તરફ બારીઓ (મોકળાશ) છે, એને જોવાની ઈચ્છા હોય તો હમ્મેશા ધબકતી, બદલાતી, જીવન્ત દુનીયા એના માટે મોજુદ છે.
મગજની બારીઓનું પણ એવું જ છે. ઘણા લોકો મગજની એક નાનકડી બારી ખુલ્લી રાખે છે. એમાંથી આવતી બધી જ માહીતીને સમ્પુર્ણ અને સાચી માનીને બીજી કોઈપણ માહીતીને અન્દર આવવા દેતા નથી. આ જાતે સ્વીકારી લીધેલો મનનો અન્ધાપો છે.
સામાન્ય માણસની મનની બારીઓ બન્ધ કરાવનાર હોય છે ધર્મગુરુઓ, રાજકારણીઓ અને અન્ય અંકુશની વૃત્તી ધરાવતા લોકો. તેઓ ફક્ત પોતા તરફ ખુલતી બારીને જ ખુલ્લી રાખવાનો આગ્રહ સેવે છે. જુદી વીચારધારા ધરાવતા લોકોની વાતોએ ન સાંભળે એટલા માટે ક્યારેક બીજા કોઈને ન સાંભળવાનું કે વાચવાનું વ્રત પણ લેવડાવે છે. આવું વ્રત માનસીક અન્ધાપાને કાયમી કરે છે. નાઝી જર્મની, સામ્યવાદી દેશો વગેરે આ પ્રકારના માનસીક અન્ધાપાને ઠોકી બેસાડનારાં રાજકીય ઉદાહરણો છે. ધાર્મીક ઉદાહરણો તો ચારેકોર દેખાય જ છે.
પ્રત્યેક ધર્મના મોટા ભાગના શ્રદ્ધાળુઓ પોતાના ધર્મગુરુ અને સમ્પ્રદાયના પ્રચાર–સાહીત્ય સીવાય બીજું કશું સાંભળવાની કે વાંચવાની તસ્દી લેતા નથી. આ ગુરુઓ એમના અનુયાયીઓને સદીઓ જુની ભ્રામક માન્યતાઓમાં અટવાયેલા રાખે છે. એનાથી દૃષ્ટી ટુંકી થઈ જાય છે. લોકો ગુરુઓથી એટલા પ્રભાવીત થયેલા હોય છે કે એમના કહેવાથી દુષ્કૃત્યો કરવા પણ તૈયાર હોય છે. આતન્કવાદીઓ તેમ જ સમ્પ્રદાયો વચ્ચેની હીંસક અથડામણો આના દાખલા છે.
કેટલાક કીસ્સાઓમાં ધર્મગુરુઓને  ‘ભગવાન’ના નામે સમ્બોધાય છે અને ‘ભગવાન’ના સ્થાને બેસાડાય છે. એમની પાસે ચમત્કારીક અને અલૌકીક શક્તીઓ હોવાનો ભ્રમ ઉભો કરવામાં આવે છે. વ્યક્તીપુજાની આ પરાકાષ્ઠા છે.
એક વર્ગ એવો પણ છે જેણે ‘દુનીયા જોઈ છે’ છતાં એ જડતાપુર્વક પોતાની જુની માન્યતાઓને વળગી રહે છે. સામાન્ય રીતે બુદ્ધીશાળી અને શીક્ષીત ગણાતા કેટલાક લોકોનો આ વર્ગમાં સમાવેશ થાય છે. આ લોકો મનના અન્ધાપાનો ભોગ બનેલા હોય છે.
આપણાથી જુદું કંઈ જાણવું કે સાંભળવું નહીં એ મનનો અન્ધાપો છે. નવું તેમ જ સત્ય જાણ્યા અને સમજ્યા છતાં સ્વીકારવું નહીં એ બુદ્ધીનો અન્ધાપો છે. પ્રેમમાં કે દ્વેષમાં માણસ આંધળો થઈ જાય છે એવું કહેવા પાછળ આજ બુદ્ધીના અન્ધાપાની વાત છે. વોટર પ્યુરીફાયરનું શુદ્ધ પાણી કપડાના ગળણાથી ફરી ગાળવું એ બુદ્ધીના અન્ધાપાનું એક ઉદાહરણ છે. આવું તો બીજી કેટલીયે પ્રવૃત્તીઓમાં દેખાય છે. રુઢીચુસ્ત ધાર્મીક પકડે ઘણાને સાવ સાદી બાબતોમાં પણ માનસીક અન્ધ બનાવ્યા છે. જાણ્યા–સમજ્યા છતાં સમજુ લોકો પરમ્પરા છોડી શકતા નથી.
મનનો અને બુદ્ધીનો અન્ધાપો દુર કરવાનો સાદો, સરળ અને એકમાત્ર ઉપાય છે ‘તાર્કીકતા’. સાંભળેલી કે વાંચેલી કોઈપણ વાતની ખરાખોટાની શક્યતા પર વીચાર કરી વાસ્તવીક લાગે તેટલું જ સ્વીકારવાની પદ્ધતીને તાર્કીકતા કે તર્કશાસ્ત્ર કહેવાય છે – Logic and Reasoning. મનની બધી બારીઓ ખોલી નવી માહીતી અને વીચારોને પ્રવેશવા દેવાનો; ખુલ્લા મને એને સમજવાનો પ્રયાસ કરવાનો; એમાંથી સાચું અને સારું લાગે તેટલું સ્વીકારવાની પ્રામાણીકતા અને હીમ્મત દાખવવી એ માનસીક સ્વતન્ત્રતાની નીશાની છે. જીન્દગીભર એકની એક કથા સાંભળવાની પણ હદ હોય છે. માનસીક ગુલામીમાં અટવાયેલા માટે એને છોડવું અતી કઠીન પગલું લાગશે.
ધાર્મીક કે બીજી કોઈપણ વીચારધારા કુદરતના નીયમોથી વીરુદ્ધ ન હોઈ શકે. જ્યાં પણ કુદરતી નીયમોનો ભંગ થતો દેખાતો હોય ત્યાં તાર્કીક રીતે વીચારવું જોઈએ. ચમત્કારો અને અલૌકીક સીદ્ધીઓને વાસ્તવીકતાની નજરથી જોવું જરુરી છે.
નાના બાળક માટે એના માતા–પીતા સર્વસ્વ હોય છે. એમની પાસેથી એના બધા પ્રશ્નોના ઉત્તર મળે છે. ત્યાં એ સલામતી અનુભવે છે. જ્યારે બાળક મોટું થાય છે ત્યારે બીજા લોકોના સમ્પર્કમાં આવવાથી એની દૃષ્ટી વીશાળ થાય છે. એ જાત અનુભવે ઘણું શીખે છે. એને મા–બાપની મર્યાદીત સમજ અને શક્તીનો ખ્યાલ આવે છે. પરીણામે મા–બાપની દરેક વાતમાં તે સહમત થતો નથી. આ બધું અનાયાસે થતું હોય છે. આના લીધે મા–બાપ પ્રત્યેનો એનો પ્રેમ અને માન ઓછાં થતાં નથી, ફક્ત તે એમની મર્યાદાઓને સ્વીકારતો થાય છે.
અફસોસની વાત એ છે કે આવા જાત અનુભવનો ઉપયોગ માણસ પોતાના માની લીધેલા ગુરુની મર્યાદાઓ સ્વીકારવા માટે નથી કરતો. ગુરુઓએ એનું એટલું બધુ બ્રેઈન વોશીંગ કરેલું હોય છે કે એ બીજી દીશામાં વીચારવાનું છોડી દે છે. બધા ધાર્મીક પન્થોની મુળ વાતનો સાર એકસરખો હોવા છતાં ધર્મગુરુઓ ગજબ રીતે ફક્ત પોતાને જ સાચું અને સમ્પુર્ણ જ્ઞાન હોવાનું ભોળા ભાવીકોના મનમાં ઠસાવે છે.
મોટા ભાગના લોકો પોતાના ગુરુની વાતોમાં સમ્પુર્ણ શ્રદ્ધા ધરાવે છે. કેટલાક લોકો આનાથી પર  છે. એ ધર્મને નીતીશાસ્ત્ર રુપે જુએ છે. કોઈપણ ધર્મગુરુને ચુસ્તપણે અનુસરતા નથી. ધર્મપ્રચારના સાહીત્યમાંથી સત્યને વેગળું તારવવાની કોશીશ કરે છે. કહેવાતા ધાર્મીક લોકો, આવા લોકોને નાસમજ કે નાસ્તીક ગણે છે. જ્યારે એ પોતાને વાસ્તવવાદી અને જાગૃત માને છે.
આ લોકો કુદરતના નીયમોને સમ્પુર્ણપણે સ્વીકારે છે. ચમત્કાર અને પરલોકની દુનીયા કરતાં જે નજર સામે દેખાય છે એને વધુ મહત્ત્વ આપે છે. એમને ક્રીયાકાંડને બદલે માનવતા અને પ્રામાણીકતામાં, ધર્મ તેમ જ પ્રભુતા દેખાય છે. પોતાની મર્યાદામાં થાય એટલું એનું પાલન કરે છે. એક રીતે જોઈએ તો તેઓ નાસ્તીક નહીં પણ ખરા અર્થમાં આસ્તીક છે.
આ બે પ્રકારમાં ન આવતા હોય એવા બાકીના લોકોને ચીલાચાલુ માન્યતાઓ સ્વીકાર્ય નથી અને આ માન્યતાઓમાંથી સત્યને અલગ તારવવાની સમજ પણ નથી. પરીણામે તેઓ સામાજીક દબાણને કારણે બહુમતીમાં ભળે છે. વાસ્તવવાદી લધુમતીની એ નૈતીક ફરજ થઈ જાય છે કે અવઢવમાં ફસાયેલા આ લોકોને યોગ્ય માહીતી પુરી પાડવી. જેથી પોતાના નીર્ણયો તેઓ જાતે કરી શકે. આમ કરતાં કટ્ટર પન્થીઓને કદાચ મન દુ:ખ થાય; પણ એના માટે અન્ધશ્રદ્ધાને પોષતા રહેવું વાજબી નથી. આ ઉપદેશ નહીં પણ સન્દેશ છે. વીજ્ઞાન, સાહીત્ય, કળા, કાયદો વગેરે ક્ષેત્રોમાં વીચાર, ચીન્તન અને તર્કને મુલ્યવાન ગણવામાં આવે છે. સંગઠીત ધર્મોનું પહેલું કામ શ્રદ્ધા અને ભક્તીના નામે તર્ક અને વીચારને દબાવી દેવાનું રહ્યું છે. એમને સમ્પુર્ણ શરણાગતી ખપે છે. આ પન્થો ‘મારું તે સાચું’ની હઠ લઈને બેઠા છે. તર્ક પર રચાયેલી વૈજ્ઞાનીક વીચારસરણી ‘સાચું તે મારું’માં માને છે. વીજ્ઞાન ઘણી જુની ધાર્મીક માન્યતાઓને ખોટી સાબીત કરતું આવ્યું છે.
આપણે મેળવેલું બધું જ્ઞાન અને બધી સમજ આપણી આસપાસની દુનીયા અને એમાં બનતા બનાવોના અવલોકન પરથી આવેલ છે. જે પણ પ્રખર બુદ્ધીશાળી અને પ્રતીભાશાળી વ્યક્તીઓ થઈ ગઈ એમણે કેટલાક સનાતન પ્રશ્નોના ઉત્તર પોતાની સમજ પ્રમાણે આપ્યા છે. એમાંથી જ બધી ધાર્મીક વીચારધારાઓ શરુ થયેલી છે. એમનાં વીચારો અને તારણો પર તત્કાલીન સ્થળ અને કાળની અસર હોવાથી એમના દ્વારા કરેલું અર્થઘટન એકબીજાથી થોડું ભીન્ન છે. પરીણામે આટલી બધી વીચાર ધારાઓ પ્રચલીત થઈ છે. હજી સુધી દુનીયામાં એવી કોઈ વ્યક્તી પેદા નથી થઈ જેના બધા જ વીષય પરના વીચારો સમ્પુર્ણ અને સત્ય હોય. તર્કમાંથી જ શરુ થયેલી આ બધી વીચારધારાઓ આગળ જતાં, (કમનસીબે) તર્કને પોતાનો હરીફ અને પછી વીરોધી માનવા લાગી છે.
માનવજાતનું સંયુક્ત જ્ઞાન અને સમજ સતત વધી રહ્યાં છે. વર્તમાનમાં વધેલી વસતી અને વૈચારીક સ્વતન્ત્રતાને લીધે જ્ઞાન વધવાની ગતીમાં પણ વધારો થઈ રહ્યો છે. દરેક વીષયની સમજ પહેલાં ક્યારે પણ હતી એના કરતાં અત્યારે અનેકગણી છે. આમાં કોઈપણ ક્ષેત્ર અપવાદરુપ નથી. એનો લાભ ન લેવો એ સામુહીક અન્ધાપો થશે.
ઘણા લોકો સામાજીક માન્યતાઓ, રીતરીવાજ અને પ્રવૃત્તીઓ પ્રત્યે ઘણી જ પ્રગતીશીલ વીચારસરણી ધરાવે છે. એવાઓની  ‘સંસ્કારી’ તરીકે ગણના થાય છે. જ્યારે એ જ લોકો ધાર્મીક માન્યતાઓ અને ક્રીયાકાંડની બાબતમાં અતીશય રુઢીચુસ્ત વલણ ધરાવે છે. સામાજીક અને ધાર્મીક આચરણના આ વીરોધાભાસ પાછળ મુખ્યત્વે વ્યક્તીપુજાને લીધે આવતો મનનો તથા બુદ્ધીનો અન્ધાપો અને તાર્કીક રુચીનો અભાવ જવાબદાર છે. આ નરી વાસ્તવીકતા છે.

: તણખો :

જે તર્ક કરી શકતા નથી એમની મર્યાદાઓ ક્ષમ્ય છે. આવડત હોવા છતાં જે તર્ક કરવા માંગતા નથી તે મતાન્ધ છે. જેમનામાં તર્ક કરવાની હીમ્મત પણ નથી તે માનસીક કાયર છે.

http://govindmaru.wordpress.com/ માંથી સાભાર 



Birth Anniversary (30-12)


1 ) Gholani Jigna Nimesh Pravinchandra Maganlal
2 ) Shah Neha Ashish Rameshchandra
3 ) Mehta Anish Bhupatrai Ratilal
4 ) Mehta Nimesh Bhupatrai Ratilal
5 ) Mehta Navinchandra Shantilal
6 ) Mehta Nitul Suryakant Narandas
7 ) Mehta Jagruti Rahul
8 ) Late Mehta Mahendrakant Vadilal
9 ) Mehta Stuti Nilesh Bhupat Vadilal
10) Mehta Jagruti Rahul Indrakumar
11) Mehta Jashwantrai Revashankar
12) Parekh Heli Praful Vrajlal
13) Parekh Hardik Mukund Kantilal
14) Patel Hasmukhrai Narendrarai
15) Shah Dilip Jaysukhlal
16) Shah Bharat Rajnikant
17) Shah Chandulal Premchand
18) Solani Vinit Rohit Balwantrai

Sunday, December 29, 2013

'The Bicycle'

'The Bicycle' - from the French television show 'The World's Greatest Cabaret' hosted by Patrick Sebastien. 
You don't need to understand French to enjoy this. 


 

Birth Anniversary (29-12)


1 ) Mehta Vinodini Rameshchandra Pranjivan
2 ) Mehta Kruti Deepak Indulal Umedchand
3 ) Mehta Indumati Harish Jamnadas
4 ) Sanghvi Priti Ashwin Pravinchandra
5 ) Shah Minaxi Chandulal Premchand
6 ) Shah Manoj Pradyutbhai
7 ) Vora Khushali Suresh Chunilal

Saturday, December 28, 2013

લાખનાં બાર હજાર– જગદીશ ત્રિવેદી


એક દિવસ ભોગીલાલને પોક મૂકીને રડતો જોઈને ગભરાટમાં મારાથી પૂછાઈ ગયું કે ‘મારા ભાભી સ્વધામ ગયા લાગે છે.’ આ સાંભળી ભોગીલાલ રડતાં રડતાં બોલ્યો કે, ‘મારા જેવા બાળોતિયાનાં બળેલાનાં એવા સારા નસીબ ન હોય, હું તો કલકત્તામાં મારા કાકા ગુજરી ગયા એટલે રડું છું.’ મેં દુઃખી થવાનો અભિનય કરીને આગળ પૂછ્યું કે , ‘કાકા કેવી રીતે ગુજરી ગયા ?’
ભોગી બોલ્યો, ‘આમ તો કાકા કડેઘડે હતાં. એક પછી એક એમ ત્રણ કાકી ચાલ્યા ગયા પણ કાકા જવાનું નામ લેતાં નહોતા. એક દિવસ બિચારા દૂધ પીતાં પીતાં પતી ગયા.’ મેં આશ્ચર્યથી પૂછ્યું કે ‘કોઈ દૂધ પીતાં પીતાં કેવી રીતે મરી જાય ?’ ત્યારે એણે ખુલાસો કર્યો કે, ‘અચાનક ભેંસ બેસી ગઈ, એમાં ઉકલી ગયા. ત્રણ પત્ની કરવામાં સફળ થયેલા કાકા સંતાન પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા હતા એટલે એમનો એક કરોડનો વારસો મને મળ્યો.’
આ સાંભળી મેં તાળી પાડતાં કહ્યું કે ‘આ તો પાર્ટી આપવા જેવા સમાચાર છે છતાં તું શા માટે રડે છે ?’
એટલે ભોગીલાલે ચોખવટ કરી કે ‘કાકા તો ત્રણ વરસ પહેલા જતાં રહ્યા છે પરંતુ મારા સગામાં હજુ બે-ત્રણ વ્યક્તિ નિર્વંશ જાય એવું છે. છેલ્લા ત્રણ વરસથી એમાંથી કોઈ મરતું નથી એટલે રડવું આવે છે.’

ભોગીલાલને એક કરોડની અણધારી લોટરી લાગી એટલે વધારે લોભ જાગ્યો. કરોડનાં બે કરોડ કરવા માટે એણે કંડક્ટરની નોકરી છોડીને ઉદ્યોગમાં ઝંપલાવ્યું. પચીસ લાખ રૂપિયાનું રોકાણ કરીને વોટરપ્રુફ ટુવાલનું પ્રોડક્શન શરૂ કર્યું. એવા ટુવાલ બનાવ્યા કે પાણીમાં પાંચ કલાક પલાળી રાખો તો પણ પલળે નહીં. પરંતુ ટુવાલનું કામ પાણી લૂછવાનું હોવાથી પચીસ લાખ પાણીમાં ગયા ! ત્યારબાદ એણે નવતર ધંધા માટે ફરી દિમાગ દોડાવ્યું. એક વરસનાં ઊંડા અધ્યયન બાદ એવી આઈટમ બનાવી કે ચીન કે જાપાન તો શું પણ દુનિયામાં કોઈ બનાવતું નથી. એણે પેડલવાળી વ્હીલચેર બનાવી. ભોગીલાલનો આશય એવો કે સગાંવહાલાં હાજર ન હોય તો દર્દી જાતે પેડલ મારીને હરીફરી શકે. પરંતુ ઉતાવળમાં એક નાનકડી વાત વિચારવાની રહી ગઈ કે જેનામાં પેડલ મારવાની પહોંચ હોય તે વ્હીલચેરમાં બેસે જ નહીં. બીજા પચીસ લાખ પેડલમાં ગયા. ત્યારબાદ એને થયું કે અત્યારે ગાડીનો જમાનો છે. અત્યારે લાડી પણ ગાડી હોય તો જાડી બુદ્ધિ સાથે પરણવા રાજી થઈ જાય છે. ત્રીજી આઈટમમાં એણે એવી હેડલાઈટ બનાવી જે સૂર્યપ્રકાશથી સળગે. પણ નાનકડી શરત એટલી કે સૌરઊર્જાનો સંગ્રહ થતો નહોતો એટલે જ્યાં સુધી તડકો હોય ત્યાં સુધી સળગે. કારની હેડલાઈટની દિવસે ખાસ જરૂર ન હોવાથી ત્રીજા પચીસ લાખ અંધારામાં ગયા.
હવે છેલ્લા પચીસ લાખ હોવાથી બુદ્ધિ ચલાવવી ફરજિયાત હતી. એમાં આપણાં મુખ્યમંત્રીએ ‘વાંચે ગુજરાત’ અભિયાન શરૂ કર્યું અને ભોગીલાલને પ્રોડક્ટ મળી ગઈ. એણે વિચાર્યું કે જે લોકોને વાંચતા આવડે છે એ તો વાંચતા થઈ જશે પણ જે લોકો અભણ છે એમને વાંચતા કરવા માટે શું કરવું જોઈએ ? નિરક્ષર લોકોને વાંચનનાં અભાવે શું શું ગુમાવ્યું એની હૃદયસ્પર્શી વાતોનું પુસ્તક અત્યારે છાપી રહ્યો છે. માત્ર નિરક્ષરો માટેનાં પુસ્તકનું શીર્ષક છે : ‘અભણ રહીને તમે આટલું ગુમાવ્યું.’ ભોગીલાલને આશા છે કે આ પુસ્તકનું વિશ્વની ઘણી ભાષાઓમાં ભાષાંતર થશે જેથી વિશ્વનાં તમામ અભણ એ પુસ્તક વાંચી શકે. આ પુસ્તક વર્લ્ડની બેસ્ટ સેલ બુક બનીને ગુમાવેલા પંચોતેર લાખ પાછા અપાવશે. કદાચ એવું ન થાય તો ભોગીલાલ વધુ એક સગાંનાં મૃત્યુની રાહ જોશે.

Birth Anniversary (28-12)


1 ) Doshi Shweta Harshad Dhirajlal
2 ) Doshi Manav Dhimant Pranlal
3 ) Gandhi Alpa Himanshu Madhusudan Lalchand
4 ) Lodaria Nishant Dinesh Maganlal
5 ) Mehta Priti Hemanshu Vrajlal
6 ) Mehta Aalok Mehul Hasmukhlal Keshavlal
7 ) Mehta Mokshit Jayesh Bhupatbhai
8 ) Parekh Vishal Bharat Kantilal
9 ) Shah Sarlaben Ashokkumar
10) Shah Nayna Ashok Pravinchandra
11) Shah Veena Lalitkumar
12) Doshi Leena Chetan Gunvantrai
13) Shah Bakul Hasmukhrai
14) Sheth Chhaya Kiran Manharlal
15) Sheth Kirti Tribhovandas

Friday, December 27, 2013

Eduardo Galeano - Amazing Card Manipulation

Magician Eduardo Galeano (23) performs at the French television show 'The World's Greatest Cabaret' hosted by Patrick Sebastien.
Song: "Roxanne's Veil" by Vangelis & Vanessa Mae. 


Birth Anniversary (27-12)


1 ) Shah Nisha Roshankumar
2 ) Doshi Shefali Sandip Nagindas Bhudarlal
3 ) Gholani Romin Suresh Kantilal Somchand
4 ) Mehta Nayna Nilesh Mahendra Ambavidas
5 ) Mehta Harshika Harshad Trambaklal
6 ) Mehta Harsha Vijay Nagindas
7 ) Mehta Renuka Ajit Kantilal
8 ) Sanghvi Manjula Kasturchand Jetshibhai
9 ) Shah Panna Kamlesh Jamnadas
10) Shah Vandana Shushil Chandulal
11) Shah Bhupatlal Premchand
12) Shah Dipesh Kailash Navalchand

Thursday, December 26, 2013

જમ જેવા જમાઈની જફા-જગદીશ ત્રિવેદી


જમાઈને દસમો ગ્રહ કહેવામાં આવ્યો છે કારણ નવ ગ્રહોને પોતાના ઢોલીયા સાથે બાંધી દેનારો રાવણ પણ જમાઈ નામનાં દસમા ગ્રહથી દુઃખી દુઃખી થઈ ગયો હતો અને ઘોઘાનો વર લંકાની લાડીને બઠાવી ગયો હતો, ઘણાં પરિવારોમાં જમાઈ અને જમ (યમરાજ) વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગયેલી હોય છે અને જમાઈ મોટેભાગે ભારતીય રેલગાડી જેવો હોય છે, આમ બધી રીતે વખાણવાલાયક પણ ક્યારે ઉથલી પડે એનું કંઈ જ નક્કી નહીં.
બાપ ગરીબ હોય તે દુર્ભાગ્ય ગણાય અને સસરા ગરીબ હોય તે મુર્ખામી ગણાય તે વાતને બરાબર સમજીને એક યુવાન હિંમત કરીને પોતાની પ્રેમિકાનાં અમીર પિતા પાસે જઈને ધડામ કરતો બોલ્યો કે હું તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું, આ સાંભળીને ગુસ્સે થવાને બદલે હોલસેલનો વેપારી બાપ બોલ્યો કે જોઈએ તો આખી લઈ જા બાકી હું છૂટક આપવા માંગતો નથી. જોકે જમાઈનાં નસીબ આટલા બધા સવળાં હોય એવું ભાગ્યે જ બનતું હોય છે.
એકવાર એક સસરા બિમાર પડ્યા. સસરા માંદા પડે અને દોડાદોડ કરી મૂકે એવા જમાઈ ઘણાં હશે પરંતુ સસરાની બિમારીથી સાચા હૃદયથી દુઃખી થાય એવા જમાઈની ટકાવારી બહુ ઓછી છે. બાકી પત્ની અથવા સાળીને રાજી રાખવા માટે દોડાદોડ કરવી એ પુરુષનો લગ્નસિદ્ધ અધિકાર છે. પેલા સસરા માંદા પડ્યા એટલે તબિયત પૂછવા જવું પડે નહીંતર ઘરની શાંતિ જોખમાય એટલે જમાઈ બિચારો અનિચ્છાએ તૈયાર થયો. જમાઈની સમસ્યા એક જ હતી કે એ બન્ને કાને બહેરો હતો. તથા દામાદનાં કાન માત્ર ચશ્માની દાંડલી ખોસવા માટે જ છે આ વાત સસરાનાં કાન સુધી પહોંચી નહોતી. જમાઈ નેતાની પેઠે પોતાની નબળાઈ જાહેર કરવા માગતો નહોતો એટલે એણે આઈડીયા માર્યો, જમાઈએ નક્કી કર્યું કે ત્રણ સાદા સવાલો એવા કરવા જેનો જવાબ દરેક દર્દી પાસેથી સરખો જ આવે. પહેલા પૂછવું કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’ જવાબ પૂરો થાય એટલે કહેવું કે ‘બસ એ જ ચાલુ રાખો.’ બીજો સવાલ કરવો કે ‘જમવામાં શું લ્યો છો ?’ સસરાનાં હોઠ ફફડતાં બંધ થાય એટલે કહેવું કે ‘તમારા માટે એ જ બરાબર છે.’ ત્રીજો અને છેલ્લો સવાલ કરવો કે ‘ક્યા દાક્તરની દવા લ્યો છો ?’ જવાબ મળે એટલે કહેવું કે ‘એનાથી વધુ અનુભવી કોઈ નથી.’

આ રીતે તૈયારી કરીને બહેરાકુમાર દવાખાને પહોંચ્યા. પ્રથમ સવાલ કર્યો કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’ સસરો થોડો આખાબોલો નીકળ્યો એટલે જવાબ આપ્યો કે ‘દવાનું બિલ ભરવામાં અડધું ફર્નિચર વેચાઈ ગયું છે.’ એટલે જમાઈ બોલ્યો : ‘બસ, એ જ ચાલુ રાખો એટલે સાવ રાહત થઈ જશે.’ જમાઈનો જવાબ સાંભળી સસરાની આંખે અંધારા આવી ગયા છતાં ગમ સાથે પપૈયુ પણ ખાતા રહ્યા. જમાઈએ બીજો ઘા કર્યો કે ‘શું જમો છો ?’ આ વખતે સાસુ બોલ્યા કે પથરાં ખાય છે અને ધૂળ ફાકે છે.’ જમાઈ કહે, ‘એ જ ચાલુ રાખો. તમારા માટે એ જ યોગ્ય છે.’ હવે સાસુનું બી.પી. વધવા માંડ્યું હતું ત્યાં જમાઈએ ત્રીજો પ્રહાર કર્યો કે ‘આ ક્યા દાક્તરની દવા ચાલે છે ?’ આ વખતે તો સલમાનખાન જેવો સાળો ઊભો થઈને બરાડ્યો કે, ‘જમરાજાની દવા ચાલે છે.’ અને તરત જ જમ જેવો જ જમાઈ બોલ્યો કે, ‘એમનાથી અનુભવી બીજું કોઈ નથી. એમની ચાલુ રાખો એટલે સાવ શાંતિ થઈ જશે.’ પછી જમાઈનું શું થયું એ ખબર નથી પણ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સસરાનાં રૂમની બાજુનાં રૂમમાં જ દાખલ કરેલા છે.

Birth Anniversary (26-12)


1 ) Mehta Nanda Dilip
2 ) Lodaria Darshana Girish Jamnadas
3 ) Mehta Viren Shashikant Pranjivandas
4 ) Mehta Ashok Rasiklal
5 ) Mehta Rakesh Ramniklal Nimchand
6 ) Parekh Nidhi Haresh Kantilal
7 ) Shah Sneha Kamlesh Jamnadas
8 ) Shah Rutvi Chirag Jayendra Jevatlal
9 ) Shah Jubin Tushar Pravinchandra
10) Shah Sharad Navalchand
11) Shah Parag Navinbhai
12) Sheth Apurva Pradip Shivlal
13) Sheth Bharat Hematlal
14) Sheth Mahendra Ramniklal
15) Solani Nirali Mayank Rajnikant
16) Trevadia Mayur Ashok

Wednesday, December 25, 2013

The Ultimate Grid Obstacle Course - Ken Block Gymkhana 6

Ken Block drifts around a moving wrecking ball, slides through shipping containers, executes jumps, evades Lamborghinis and runs circles around Segway cops.
Filming location: San Bernardino Airport.  Starring: Ken Block, 600-hp Ford Fiesta ST RX43 2013, two Lamborghini Aventadors and a wrecking ball with nasty spines. 


Birth Anniversary (25-12)


1 ) Doshi Mahendra Chatrabhuj
2 ) Doshi Pooja Deepak Indulal
3 ) Doshi Manisha Ashutosh Vasantrai Jivraj
4 ) Doshi Dilip Amichand
5 ) Gandhi Aashish Manharlal
6 ) Mathakia Indumati Shantilal Makanji
7 ) Mehta Minaxi Chandulal Shah
8 ) Mehta Narendra Popatlal
9 ) Mehta Deepak Indulal Umedchand
10) Mehta Amit Mahesh Vinodrai
11) Mehta Kairav Kamlesh Shashikant Chunilal
12) Mehta Dipen Narendra Jevantlal
13) Mehta Jenil Nilesh Bhupat Vadilal
14) Mehta Jignesh Chandrakant Vanechand
15) Sanghvi Kavish Atul Vinaychandra
16) Shah Pradip Vrajlal
17) Shah Jatin Navnitlal Chunilal
18) Sheth Feril Kamal Dhirajlal
19) Solani Nilesh Chandulal
20) Vora Rashi Paresh Gunvatrai

Tuesday, December 24, 2013

મૃત્યુ પછીની ગતિ ની ચીંતા! -ભુપતભાઇ વડોદરિયા


એક સંબંધીએ કહયુ ‘મે જે કાઇ ઝંખ્યુ અને માગ્યુ તે બધુ મળયુ છે. છ્તા કેટ્લીવાર એવુ લાગે છે કે મારા સાનુકુર્ સંજોગો ને હિસાબે જે ખુશાલીની લાગણી મનમા ટ્કી રહેવી જોઇએ તે ટ્કી રહેતી નથી. મને સતત બિનસલામતી ની લાગણી સતાવ્યા કરે છે. ખરેખર તો સંપુર્ણ સુરક્ષિતતાની લાગણી થવી જોઇએ. તેને બદલે બિનસલામની લાગે છે. આનુ કારણ સમજાતુ નથી. આનો ઇલાજ શુ તેની કશી ખબર નથી. મારા આ સંબંધી પૈસેટકે અતિ સુખી છે. મિલકત સારી છે. ધંધામાં સ્થિર છે. સમાજમા પ્રતિત્ત પણ છે. એમને બિનસલામતીની લાગણી રહ્યા કરે છે ને તેથી બેચેની પેદા થાય છે.

એક તદન ગરીબ માનસે પોતાની પાસે આવેલી ઠીક ઠીક રકમ બતાવીને કહ્ય “જ્યા જ્યા ગયો ત્યાં ત્યાં કોઇએ બે તો કોઇએ પાંચ રુપિયાની મદદ કરી. હુ ગરીબ છુ પણ મારે રુપિયાની ખાસ જરુર નથી. મને સતત ભય લાગ્યા કરે છે કે કોઇક રક્ષણ આપે તો સારુ! આ માણસને આ બધા પ્રષ્નો પુછવા છતા તે ખરેખર પોતાની ઉપર કોઇ વાસ્તવિક જોખમ હોવાનુ બતાવી શકયો નહી. આમ કોઇ જોખમ નથી ને લુટાઇ જવાનો ભય નથી, કે જેના પડ્છાયાની ચીંતા કરવી પડે. કોઇ નક્કર ભયની વાત નથી, પણ મનની અંદર બિનસલામતીની એક લાગણી સતત સરવર્યા કરે છે અને તેને ચેન પડતુ નથી.

તાજેતરમા મશહુર લેખક ફ્રાંસ કાફકાનો પત્ર વહેવાર વાંચયો. પોતાની પ્રિયતમાને અમુક સમય માટેની વિવાહિતા ફેલિસ પર્ન પત્રો તેમા છે. કાફ્કાએ આ પ્રેમ પત્રોમા પોતાની જાતને સંપુર્ણ ખલ્લી કરી છે. એમા કાફ્કાની બિનસલામાતી ની લાગણી વારમવાર કહે છે કે, હું દુબળામા દુબળો માણસ છુ. ફેલીસને એ ચાહે છે ખરો પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ શકતો નથી. કાફ્કા કહે છે કે મારા પોતના એક્લાના જીવતર પુરતી તબિયત ચાલે તેવી છે, પણ લગ્ન કરી શકુ એવી તબિયત નથી. હકીકતે કાફ્કાનો પત્રવહેવાર પોકરી પોકારીને એક વાત કહે છે કે, તેને બિનસલામતીની ઉંડી લાગણી પરેશાન કર્યા કરે છે. તેને સતત ડર રહ્યા કરે છે કોઇ જોખમની સ્થિતિ ઉભી થાય નહિ. તે માટે મોટેભાગે તે એકાંત પસંદ કરે છે અને શક્ય હોય તેટ્લે અંશે પોતાના નાનકડા કમરામાંજ રહે છે. છ્તા બંધિયાર જગાનુ પણ એક જોખમ હોય છે. એટ્લે ગમે તે મોસમમા એ બારી ખુલ્લી રાખીને સુવે છે. ખાસ ઉંઘતા પણ નથી, કેમકે, ઉઘવુ એટ્લે અસહાય અને બિનસલામત બની જવુ! ઉંઘવું એટ્લે પોતાનુ માથુ અજાણ્યા ખોળામાં મુકી દેવુ.

માણસ ભર ઉંઘ મા હોય ને કઇક આફત બહારથી કે અન્દરથી ઉતરી પડે તો? તમે ઉંઘતા હો અને કોઇ તમારી ઉપર હુમલો કરી શકે. તમે ઉંઘમા ભાન વિનાના હો અને કોઇ ઝેરી જીવજતુ કરડી શકે! બહારની જોખમ ની વાત તો ઠીક છે, માણસના શરીરની અન્દ્ર ક્યા ઓછા શત્રુ છુપાયા છે! ખુબ લાડ લડાવેલા આ હ્ર્દયનો પણ શો ભરોસો. એ પણ ક્યારેક પાંસરીની પાછળ કઇક શ્વાસની ગડબડ ઉભી કરી ના શકે? ઉઘની અવસ્થામા પણ અન્દરના કોઇ કોઇ જોખમોનો ડર હોઇ શકે છે. ફ્રાંસ કાફ્ડા તો મહાન સર્જક હતો. એટલે તેની સાચીકે માની લીધેલી શારીરિક-માનસિક પીડા, તેની મુઝવણો, તેની ચિંતાઓને તેના જાતજાતના ડરની લાગણીઓમાથી વાર્તાઓ વણાય છે. અને આ બધી બળતરામાથી સરજનનો એક વિચિત્ર સંતોશ જન્મે છે. કોઇક સરસ વાર્તા લખ્યા પછી તે થાકેલી સ્થિતિમા પણ અસાધારણ ખુશાલીની લાગણી અનુભવે છે. પણ પેલી બિનસલામતીની લાગણીનો સમગ્ર રીતે વિચાર કરીયે ત્યારે આપણા આશ્ચર્ય વચ્ચે આપણને ખબર પડે છે કે, કેટલા બધા ચેહરાની પાછર ડરની આ લાગણી સંતાઇને બેઠી હોય છે. પોતાને બિનસલામતીની લાગણી સતાવ્યા કરે છે તે કબુલ કરવાની હિમત પણ ચાલતી નથી. કોઇ પોતની બિનસલામાતીની લાગણીના ઇલાજ તરીકે એકાંત શોધે છે. તો કોઇ વળી ભીડ્મા ભય ઓછા ગણીને ગાઢ સોબતમા સંતાય છે. કદાચ ભીડ અને ભાષામા ભળી જવાનુ ઘણા બધા માણસોને ગમે છે અને તેનુ એક કારણ આ પણ હોઇ શકે છે.

બિનસલામતીની લાગણીનો વિચાર એક અગર બીજા માણસને સતાવતો રહે છે. કોઇને વળી આથિક બિનસલામાતીની લાગણી પીડા આપે છે. નોકરી પુરી થશે અને નિવ્રુત થવુ પડશે, પછી હુ શુ કરીશ? આજનુ આ જીવણધોરણ કઇ રીતે જાળવી રાખીશ? કોઇને નિવ્રુતિ દુર હોય છે તો બઢતીની ચિંતા થાય છે. આ પણ આથિર્ક બિનસલામતીની લાગણી છે. કોઇને ધન્ધો ભાંગી પડવાની, ધંધો બંધ થઇ જવાની, ખોટ જવાની ચિંતા રહ્યા કરે છે. કોઇને રોકાણ કરવાની પોતાની અશક્તિ સતાવે છે. આમા પણ આર્થિક બિંનસલામાતીની લાગણી બોલે છે. અમેરિકાના એક મહામાલદાર ઉધ્યોગપતિ રોક્ફોલરે કબુલ કરેલુ છે કે , નવા નવા ધન્ધાનુ વિસ્તરણ કરવાની તેની સાહસિકતાનુ મુળ આર્થિક બિનસલમતી ની લાગણીમા પડેલુ હતુ. ન કરે નારાયણને ચાલુ ધંધો ભાંગી પડે તો? ગાય દુધ આપે છે પણ કાલે વસુકી નહી જાય તેની શી ખાતરી? ચાલો એક નવી ગાય પણ વસાવી લઇએ. ધીકતા ધંધામાં હોવા છતા નવા ધંધાનો જન્મ થાય છે.

આર્થિક બિનસલામાતીની લાગણી જેવીજ સામાજીક બિનસલામાતીની લાગણી કેટ્લાકને પીડે છે. આબરુ જશે તો? પ્રતીત નહી સચવાય તો? કૈક બદનામી કે ફજેતી આવી પડશે તો? આવી લાગણીથી પીડાતા ગ્રુહસ્થો સતત સંતાનો પર ચાંપતી નજર રાખે છે. ક્યાંક દીકરી પ્રેમ લગ્નની ફજેતી કરીને આબરુ ઢોળી નાખે. ક્યાંક દીકરો પરનાતમા કોઇ ઉતરતી ન્યાતિકે કોમની કન્યાના ગળામા પુષ્પમાળા આરોપીને પ્રતિત્ત્ને ધુરધાણી કરી નાખે!

કેટલાક વળી લાગણી વિષયક બિનસલામાતી સતાવે છે. પોતાની પત્ની કે પોતાનો પતિ પોતાને ચાહવાનુ બંધ કરી દેશે તો? મિત્રોમા ફેરવી લેશો તો? સંબંધીની ઇર્ષયા કઇક કારસ્તાન ઉભુ કરશો તો? માણસને સતત સ્નેહ્ની ભુખ છે, તે ઇચ્છે છે કે થોડીક નિકટની વ્યક્તિઓના ભાવમા કઇ ફરક ના પડે. તેને પોતાની હદયની ચાહવાની શક્તિમા શંકા છે. એટલે બિજાઓના હદયની આવી શક્તિમા પણ શંકા પડે છે. આ બધાની શંકાથી તેઓ પ્રેમ અને વફાદારીના પોતાના દાવા બુલન્દ રીતે રજુ કરવાની સાથે ચોપાસ શંકાભરી નજરે જાંચ તપાસ ચલાવે છે. કોઇ વળી પોતાની તબિયતની બાબતમા બિનસલામાતીની લાગની પિડ્યા કરે છે. કેંનસરની વાત વાંચે ત્યારે તેના લક્ષણોની ખાનગી તપાસ પોતાના શરીરમા કરે છે. હદયરોગની જાણકારી મેળવે ત્યાં પોતાના હૈયાની કોઇક દગાખોરીની તપાસ આદરે છે. તબિયત પરના જાતજાતના આવા આવા જોખમોની એક અસ્પષટ ભયભીતતા તેમને સતાવે છે. આ બધાજ શંકાઓનુ ગ્રાંડ ટોટલ પોતના આયુષ્યની લામ્બી ટુકી રેખાની ચિંતારુપે હાજર થાય છે. શરીર અંગે કોઇ ખાસ ફરિયાદ ના હોય ત્યારે અકસ્માતનો ભય રહે છે. ટ્રેનોનો અકસમાત, વિમાન અકસમાત, જાહેર રસ્તા પરના અકસ્માત એક વ્યક્તિગત શક્યતા બનીને તેમની પોતાની યાત્રાનુ શંકાસ્પદ ભાથુ બની જાય છે. પોતાનો સામાનના દાગીના વારેવારે ગણ્યા કરે છે. પણ પેલો મુખ્ય દાગીનો તો શંકાના ભય્નો હોય છે.

પોતનુ મ્રુત્યુ કેવી રીતે, કયા અને કયા સંજોગોમા થશે તેની ચિંતા કેટ્લાક્ને બિનસલામાતીની લાગણી આપે છે. તો વરી આમાથી કેટ્લાકને પોતાના મ્રુત્યુ પછી પોતાની શી દશા થશે - માત્ર શરીરનીજ નહિ, પણ પોતાના આત્માની એની ચિંતા થાય છે. સમરસેટ મોમ કહે છે કે, માણસના ઘણા બધા ડર અને બિનસલામાતીની લાગણીઓની કલ્પના હુ કરી શકુ છુ, પણ મ્રુત્યુ પછીની ગતિની ચિંતા કરનારાઓના ડરની લાગણી હુ સમજી શકતો નથી. તમે જ્યારે નહિ હો ત્યારે કઇજ નહિ હોય. મ્રુત્યુ પછીની આવી ચિંતાને વર્તમાન ડરના રુપમા ચીતરવાનો શો અર્થ?


Birth Anniversary (24-12)


1 ) Doshi Manjulaben Bhupatrai Bhaichand
2 ) Gandhi Rupal Shekhar Chandrakant
3 ) Doshi Mihir Deepak Harish
4 ) Shah Nita Nishad
5 ) Mehta Hemal Jagdish Sevantilal
6 ) Parekh Rahul Jitendra Jayantilal
7 ) Patel Rajendra Durlabhji
8 ) Sanghvi Neha Deepak Khushalchand
9 ) Sanghvi Roshni Prakash Pravinchandra
10) Sanghvi Hiloni Hitesh Pravinchandra
11) Sapani Bhavna Jiten Pankaj
12) Shah Rushit Vipul Anopchand
13) Shah Ridhdhi Manish Sevantilal
14) Shah Shailesh Manilal
15) Sheth Hemang Narendra

Monday, December 23, 2013

The World’s Cycling City

Groningen, Netherlands, is one of the world's most bike-friendly cities, and a model for effective bicycle infrastructure.
 50% of all journeys are made by bicycle. The sheer number of people riding at any one time is astounding, as well as the absence of automobiles in the city center. It is remarkable just how quiet the city is.  People go about their business running errands by bike, going to work by bike, and even holding hands by bike.


Birth Anniversary (23-12)


1 ) Doshi Nemish Shashikant Shantilal
2 ) Doshi Kumarpal Deepak Harish
3 ) Lodaria Mahesh Dalichand
4 ) Mehta Parth Bhaven Vasantrai Vrajlal
5 ) Mehta Girish Shamaldas
6 ) Mehta Dhaval Chetan Kantilal
7 ) Mehta Pratibha Rasiklal Pranjivan
8 ) Mehta Hetvi Hemanshu Pravinchandra Khodidas
9 ) Shah Beena Mahesh Prabhulal
10) Shah Jayshree Bipin Chimanlal
11) Sheth Dilip Navalchand

Sunday, December 22, 2013

Death




Native :Wankaner
Currently At : Wankaner 
Name of the deceased :Gajraben Dhanvantray Shah
Age : 80 Years
Date of Death : 20-12-2013. 

Husband : Late Dhanvantray Madhavji Shah

Sons : Rohit, Jayesh 
Daughters : Ila Uttamkumar Shah,Nila Pankajkumar Shah
Father : Late Nimchand Devchand Shah
Father-in- Law : Late Madhavji Maganlal Shah
May Her Soul rest in eternal peace

વાંકાનેર સ્વ. માધવજી મગનલાલ શાહના પુત્ર સ્વ. ધનવંતરાયના ધર્મપત્ની ગજરાબેન (ઉં. વ. ૮૦) તે પિયર પક્ષે સ્વ. નીમચંદ દેવચંદ શાહની દીકરી. તે રોહિત, જયેશ, ઈલા ઉત્તમકુમાર શાહ, નીલા પંકજકુમાર શાહના માતુશ્રી વાંકાનેર શુક્રવાર, ૨૦-૧૨-૧૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વરત વરતો તો પંડિત કઉં. . . – શરીફા વીજળીવાળા


[‘નવનીત સમર્પણ’ માસિકમાંથી સાભાર.]
નાનપણ સૌરાષ્ટ્રના ગામડામાં વીતવાને કારણે રોજિંદી વાતચીતમાં કહેવતો, રૂઢિપ્રયોગો, ધાણીની જેમ ફૂટે. પણ વડોદરા ભણવા ગઈ, ભણેલી પ્રજા વચ્ચે રહેતી થઈ એ પછી મારી ભાષા એની જાતે જ બદલાતી ગઈ, કારણ કે કહેવત કે રૂઢિપ્રયોગ બોલતાંની સાથે ‘એટલે શું?’ એવો પ્રશ્ન સામેથી અચૂક પુછાય. . . એટલે ધીરે ધીરે મારી રોજિંદી ભાષામાંથી એ સમૃદ્ધિ ખંખેરાતી ચાલી. . . પરંતુ આજે વરસાદી માહોલ અને તાપીના પૂરની શક્યતા વચ્ચે બેઠી બેઠી હું એ સમૃદ્ધ કહેવતોના અર્થજગતને યાદ કરતી હતી. . . ત્યારે અનાયાસ મને આવા માહોલ સાથે સંકળાયેલ ઉખાણાંઓનું જગત પણ યાદ આવ્યું. આમ તો અમે રમત્યું વાંહે એવાં ઘેલાં કે દીવો લઈને ગોતે તોય નો’તાં જડતાં. . . પણ વરસતા વરસાદમાં ટાંટિયા વાળીને બેસવું પડતું. . . રાત્યે દીવો કે ફાનસ કરીએ તો જીવડાં લોઈ પી જાય. . . એટલે વંચાય નંઈ એટલે એકમેકને ઉખાણાં (વરત) પૂછીને સમય કાઢતાં. . . અમે બે પ્રકારનાં ઉખાણા પૂછતાં, એક : જેમાં સવાલ નાનો અને જવાબ લાંબોલચક હોય ને બીજા : જેમાં સવાલ લાંબો હોય અને જવાબ ટૂંકોટચ હોય. ‘વરત વરતી દે તો ખરો કઉં. . .’ કેતાં’ક અમે ભાઈબહેન એકમેકને પડકારતાં. . . મા-બાપ પણ પછી તો એમાં ભળતાં. . . કેટકેટલાં પ્રકારનાં ઉખાણાં અમે પૂછતાં ! આજે તો બહુ ઓછા યાદ આવે છે તે ‘નવનીત સમર્પણ’ના વાચકોને પૂછવાની ઈચ્છા થઈ આવી છે. પૂછું ?
બની શકે મારી જેમ બીજાને પણ આ બધાં કે આ સિવાયનાં ઉખાણાં યાદ આવે. . . તો ઉમેરવા વિનંતી. એનાથી ભાષાને સમૃદ્ધિ વધશે. મને જેટલાં યાદ આવે છે તેમાંથી થોડાંક હું અહીં પૂછીશ. નાનપણમાં નીચેના ઉખાણાં તો લગભગ બધા માટે સહજ હતાં. . . પૂછવા ખાતર પુછાતાં. . . આના જવાબ આવડે જ. . . પછી ધીમે ધીમે જરાક અઘરા પુછાતાં જાય. . . થોડાંક સાવ સહેલાં યાદ કરી જોઉં. . .
1. પેટમાં પાણી : નાળિયેર
2. વનવગડામાં રાતા ખીલા : ગાજર
3. ઘેર ઘેર ડોસા દાટ્યા : ઉંબરા
4. કાળી છીપરની હેઠ્યે ચાર ચોર : ભેંશનાં આંચળ
5. ઘરમાં ઘર, માલીપા પાણી : નાળિયેર
6. ઝીણકી છોકરી, રાજાની પાઘડી ઊતરાવે : જૂ
7. રાજા મરે ને પ્રધાન ગાદીએ બેસે : સૂરજ અને ચંદ્ર
8. રાજારાણી બેઠાં લાકડાં ચાવે : સોપારી
9. ધોળો ડોહો લીલી મૂછ, ન આવડે તો બાપને પૂછ : મૂળો
10. નારી પણ નાગણ નહીં, કાળી પણ નહીં કોયલ, દરે વસે પણ નાગણ નહીં, ઉત્તર હોય તો બોલ : તલવાર
11. સો આંબા સો આંબલી, બસ્સો બીજાં ઝાડ, કોર વિનાનું પાંદડું રાજા ભોજ કરે વિચાર : ડુંગળી
ને હવે જરાક કસોટી કરનારાં. . . લાંબાં ઉખાણાં પણ જવાબ ટૂંકાટચ
1. વહેંત જેટલું વરખડું, ઢાલ જેવડાં ફૂલ; કાચા કેળા ઊતરે, પાકે પછી મૂલ. . . જવાબ : કુંભારનો ચાકડો અને માટીનાં વાસણ
2. છો પગ ચાળવે, બે પગ દૂઝે; પેટ વચાળે પૂંછડી એનું કંઈ સૂઝે ? જવાબ : ત્રાજવા
3. ખાટ ખટકે, ખટકે કડાં, ખાટે બેઠાં બે જણા ભાંગે સોપારી ને ચાવે પાન બે જણા ને બાવીસ કાન. જવાબ : રાવણ અને મંદોદરી
4. ગઢ ભીંજાય, ગઢના કાંગરા ભીંજાય, હાથી છબછબ નાય ચકલાંની તો ચણ્ય ભીંજાય પણ જનાવર તરસ્યાં જાય. . . જવાબ : ઝાકળ (બધું ભીંજવે પણ પીવા જેટલું પાણી ન થાય)
5. આભામંડળમાં ઘર કરું, તારાની જેમ તરું; ચણ્ય બચ્ચાંને ખાઈ ગઈ, રાવ કોને કરું? જવાબ : સમળી અને સાપ
6. નવધારું લાકડું ઘીના નામે નામ, ચતુર હોય ઈ પારખે, મુરખ કરે વિચાર. જવાબ : ઘીસોડા – જેને તુરિયા કહે છે. સૌરાષ્ટ્રમાં ઘીહોડા કહે. . .
7. આઠ પગને અવળો હાલે, માથા વગરનો ડોળા કાઢે. જવાબ : કરચલો
થોડાંક ઉખાણાંના જવાબ હવે શહેરનાં બાળકો માટે અઘરાં. કારણ ન ચૂલો જોયો હોય, ન દેતવા, ન રાખના ઢગલા, ન વલોણાં, ન પીંજારાં, ન હોકા, ન કોઠી. . . આ બધાના ગાયબ થવા સાથે ભાષાએ પણ કેટલું ખોયું એનો હિસાબ કોણ કરશે? આ કહેવતો કે ઉખાણાંમાં શ્લીલ-અશ્લીલ જેવું કશું હોતું નથી. . . આ બધું જીભના ટેરવે હોય છે ને જરૂર પડ્યે ક્ષણનાય વિલંબ વગર બોલાય છે. . . થોડાંક એવાં ઉખાણાં. . .
1. આકાશમાં ઊપજે નહીં, જમીનમાં નીપજે નહીં; પાણીમાં ડૂબે નહીં, હવામાં ઊડે નહીં. જવાબ : માખણ
2. પેલા પરથમ પોતે જન્મ્યા, પછી એની મા; ધામેધૂમે બાપા જન્મ્યા, પછી વડા ભાઈ.  જવાબ : દૂધ, છાશ, માખણ, ઘી
3. ઊભી ઊભી ધમકાવી, પછી વાળી વાંકી; રસકસ લઈ લીધાં, પછી દીધી ઢાંકી.  જવાબ : છાશ
ઉપરનાં બેઉ ઉખાણાં તો જ આવડે જો વલોવવાની પ્રક્રિયા જોઈ હોય. . . આ વલોણાં વહેલી સવારે વલોવાતાં. . . એટલે હજી એક ઉખાણું.
4. અમે આવતા’તા, તમે તમે જાતા’તા. ઘમઘમ ઘૂઘરા વાગતા’તા, તમે જાગતા’તા? જવાબ : વલોણું.
એક દોરડું આવે ત્યારે બીજું સામે જાય. ઉપર બાંધેલ ઘૂઘરીઓ ખખડે . . . ને આ સમય ગામમાં તમામ સ્ત્રીઓને માટે ઊઠવાનો હોય. . .
5. ફળ નહીં, ફૂલ નહીં તોય સૂંડો સૂંડો ઊતરે. . . જવાબ : રાખ
6. ચકમક ચીપિયો, ચોરના હાથમાં છરી; વાંઢા હાર્યે વાત કરે ઈ જુવાનડી ખરી. જવાબ : ચૂલો (ચૂલાને વાંઢો ગણવામાં આવે)
7. રાતી પેટી ભોંમાં દાટી, કામ પડ્યું ત્યારે બારી કાઢી. જવાબ : દેતવા
જે જમાનામાં બાકસ કે લાઈટર નો’તા ત્યારે દેતવાને ભોંમાં ભરી રાખતા. . . જરૂર પડ્યે ત્યારે દેતવાથી જ ઓંબાળ ભરાતા ને ચૂલા સળગતા. . . એક ઘર્યેથી બીજા ઘર્યે દેતવા લેવા જવું પડતું એ તો મને પણ યાદ છે. ઉમાશંકર જોશીની અફલાતૂન વાર્તા ‘છેલ્લું છાણું’ની નાયિકા પણ દેતવા જાય છે અને એમાંથી જ હોળી સળગે છે ને?
8. ગોઠણ જેવડી ગાય, નીરે એટલું ખાય જવાબ : ઘંટી.
9. હાશ કરી હેઠા બેઠા, પહોળા રાખ્યા પગ; ડાંડિયો લઈ ડખડખાવ્યો, નીકળ્યું ધોળુંધફ. . . જવાબ : ઘંટી અને લોટ
10. બાપ બેસવા શીખ્યો ને છોકરો ચાલવા શીખ્યો. જવાબ : ગોળો અને કળશ્યો.
11. બટુકડી છોકરી બટુકડું નામ, કડ્યે બાંધે સીંદરું ને ઝટ કરે કામ. જવાબ : સાવરણી
12. ગામ બળે ને નદી પડકારા કરે. જવાબ : હોકો
13. આઠ છે લાકડાં ને નવ છે જાળી, આ વરત નો વરતે એની મા પીંજારી. જવાબ : ખાટલો (બે ઈંસ, બે ઊંપળા ને ચાર પાયા)
14. કાળું ને કદરામણું ખાતાં લાગે ભૂંડું, ઈ વરત નો વરતે એની માથે ઊંધું કૂંડું. જવાબ : અફીણ
15. હમ ભી બેલા, તુમ ભી બેલા, સબ બેલમળેલા; લાકડાં વિનાનું ઝાડવું, હમ ગુરુ તુ ચેલા. જવાબ : કેળ (કેળમાં પાન જ હોય)
16. કાળી ગાય, કંટોલા ખાય; ભમ બોલે ને નખ્ખોદ જાય. જવાબ : બંદૂક
17. એક જનાવર અડ્ય, એની પાંખ બોલે પડ્ય; એનું માથું મુડદાલ, એની પૂંછડી પંદર હાથ જવાબ : કૂવા પરનો કોહ
ગાંધીજી યાદ આવે ને? કોશિયાને સમજાય એવી ભાષાની ગાંધીએ વાત કરેલી. . . પણ હવે કોશિયા ક્યાં?
18. પોલું લાકડું પલકે, ને ગામ જોવા હલકે. જવાબ : ઢોલ
19. કટકની છોકરી ને તેજબાઈ નામ, પેરે પટોળા ને ભાંગે ગામ જવાબ : તલવાર અને મ્યાન
20. નગરમાં નાગી ફરે, વનમાં પેરે ચીર; એવી વસ્તુ લાવજો, મારી સગી નણંદના વીર. જવાબ : સોપારી (વનમાં છોલેલ નથી હોતી)
21. પીયુ જાજો પરદેશ લાવજો હળદર ને હિંગ, એવી વસ્તુ લાવજો જેને એક માથું ને ચાર શીંગ જવાબ : લવિંગ
22. તારી માનું પેટ ફાટ્યું, મારી મા સૂપડું લઈને દોડી. જવાબ : કોઠી
હવે બે-ચાર એવાં ઉખાણાં કે જેમાં પૂછનારની નહીં જવાબ આપનારની યાદશક્તિ કસોટીએ ચડે. આગળ જોયાં તે ઉખાણાં તર્કબદ્ધ હતાં. અહીં માત્ર શબ્દરમત દેખાશે. પણ એનીય એક મઝા છે.
1. લંકાએથી લોટ લાવી દો.
જવાબ : રાતાં બગલાં રણે ચડ્યા, રણ દેખીને પાછા પડ્યા, એક બગલાનો ભાંગ્યો હોઠ, લંકાએથી આવ્યો લોટ.
2. ખિસકોલીને આણું વળાવી દો/રોવડાવી દો. જવાબ : અંગ દોરા તંગ દોરા, તંગના દોરા તાજા હાથી ઉપર ગઢ ચણાવું, રમતા આવે રાજા રાજાના હાથમાં મોતી ખિસકોલી આવે રોતી રાજાના હાથમાં છાણું, ખિસકોલી વળે આણું.
3. પટેલને પીપરે ચડાવી દો/પાડે ચડાવી દો
જવાબ : આવતા વાઢુ ઝીંઝવણીને જાતા વાઢુ સોય (એક પ્રકારનું પાણીમાં થતું ઘાસ) સો સો મગર્યુંના માથાં વાઢું કડ્ય કડ્ય સામા લોય. . . લોહી ગયા ખાડે, ને પટેલ ચડ્યા પાડે અથવા લોહી ચડ્યા છીપરે ને પટેલ ચડ્યા પીપરે
4. બાલાની બકરી દોઈ દો.
જવાબ : અડી કડી સોનાની કડી, ભામણ બેઠા ડેલી પડી ડેલીમાં બે બોલ્યા બોલ ગઢમાં વાગ્યા જાંગી ઢોલ જાંગી ઢોલને શું કરું? બસ્સો ઘોડા લઈ ચડું એક ઘોડો ખોટ્ટો ચાબુક મારું ચોટ્ટો ચાબુક પડી ચૂલામાં દે બનિયાના કૂલામાં બનિયો ક્યે રામ રામ ભાંગ્યા ભંગાર ગામ ભંગાર ગામની કાંકરી ને દોઉં બાલાની બાકરી. . .
હવે જુઓ મજા. . . ઉપરોક્ત ઉખાણામાં કોઈ તર્ક, કોઈ અર્થ કશું જ નહીં મળે. . . માત્ર ને માત્ર યાદશક્તિની કસોટી અને બીજું કશું નહીં. . .
મારી જેમ સૌરાષ્ટ્રમાં મોટા થયેલા મોટા ભાગના લોકોને આ અને આ સિવાયનાં ઘણાં ઉખાણાં જીભને ટેરવે હશે જ. હોય તો આવો ‘નવનીત સમર્પણ’ના મેદાનમાં. . . જેથી ભાષાની સમૃદ્ધિ વિસ્મૃતિની ગર્તામાં ખોવાઈ ન જાય. . .
સૌજન્ય : રીડ ગુજરાતી

Birth Anniversary (22-12)


1 ) Gandhi Shailesh Nyalchand Mansukhlal
2 ) Lodaria Jasvin Vallabhdas
3 ) Mehta Surabhi Chetan Kantilal
4 ) Mehta Hetal Bhupatbhai
5 ) Mehta Janak Surendra Jevantlal
6 ) Mehta Bhavisha Champaklal Harilal
7 ) Patel Nidhi Saumil Rajendra
8 ) Sanghvi Sakshi Abhay Ghelabhai
9 ) Sanghvi Meena Vinodrai Khushalchand
10) Shah Miren Chetan Rasiklal Amrutlal
11) Sheth Manisha Chetan Kishorchandra
12) Sheth Aatman Parimal Vijay Ratilal

Saturday, December 21, 2013

Worlds First 360° Barrel Roll In A Car

Airplanes have been doing barrel rolls for ages, but not cars - until now.

Adrian 'Wildman' Cenni completes the first ever ground to ground 360° barrel roll in a car.  The stunt was performed on November 14th in Ensenada, Mexico during the SCORE-International Baja 1000 off-road racing event. 


Birth Anniversary (21-12)


1 ) Sanghvi Sudha Mukesh
2 ) Doshi Hiral Shailesh Indulal Manilal
3 ) Doshi Bhalesh Bhupatrai Bhaichand
4 ) Mehta Kejal Nandish Jagdish Himmatlal
5 ) Mehta Niranjan Bhogilal
6 ) Mehta Dharmi Kalpen
7 ) Mehta Radhika Vipul Navinchandra
8 ) Parekh Kavita Dhirendra Kantilal
9 ) Sanghvi Ankit Jagdish Mansukhlal
10) Shah Kamini Girish Natverlal
11) Shah Hiren Kirtikumar Himatlal
12) Shah Vaishali Yogesh Hasmukhrai
13) Shah Khushi Ajay Vinodrai Jethalal
14) Sheth Hansa Ajit Chandrakant

Friday, December 20, 2013

સુખની શોધ–મુરજી ગડા

     લાંબા સમયથી ચાલી આવતી કહેવત, ‘પહેલું સુખ તે જાતે નર્યા’ અવારનવાર વાંચવા મળે છે. નાનપણમાં આવાં દસ સુખની યાદી ક્યાંક વાંચી હતી. એમાંથી જે યાદ છે તે આ પ્રમાણે હતું.
     પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે કોઠીમાં જાર, ત્રીજું સુખ તે સુશીલ નાર, ચોથું સુખ તે કુળનો તારનાર….. ત્યાર પછી સાચો મીત્ર, સારા પાડોશી, ન્યાયી રાજા જેવું કંઈક હતું બરાબર યાદ નથી.
     આવી કહેવતો તત્કાલીન જનસમુદાયના અનુભવનો નીચોડ હોય છે. સુખની અગત્યનો એમનો ક્રમ પણ ત્યારની વાસ્તવીકતા પર આધારીત હોય છે. એનું મહત્ત્વ કોઈપણ શાસ્ત્રના ઉપદેશ કરતાં જરાપણ ઓછું નથી, બલકે વધારે હોઈ શકે છે. શાસ્ત્રોમાં ‘શું હોવું જોઈએ’ એ કહેવામાં આવે છે, જ્યારે આવી કહેવતો ‘જે હકીકત છે તે’ વર્ણવે છે. આદર્શ ભલે ‘ધ્યેય’ હોય; ‘વાસ્તવીકતા’નું પોતાનું આગવું મહત્ત્વ છે.
     બધાનું અંતીમ ધ્યેય સુખી થવાનું હોય છે. જો કે દરેકની સુખની વ્યાખ્યા તેમ જ સુખી થવા માટેની જરુરીયાતો જુદી હોઈ શકે છે. ઉમ્મર પ્રમાણે એમાં ફેરફાર પણ થાય છે. યુવાનીમાં આનન્દનો અભાવ એ દુ:ખ છે. વૃદ્ધાવસ્થામાં દુ:ખનો અભાવ આનન્દ બની જાય છે.
     સમય સાથે દરેક વાતની યથાર્થતા બદલાતી હોવા છતાં; આગલી કહેવતનો મોટો ભાગ આજે પણ એટલું જ વજુદ ધરાવે છે. સુખનાં પહેલાં ચાર ક્ષેત્રો આજના સંદર્ભમાં સારું સ્વાસ્થ્ય, પાયાની જરુરીયાતો પુરતી સમ્પત્તી, સમજદાર પતી કે પત્ની, વંશવેલો વગેરે વાજબી છે. એનો ક્રમ પણ મોટા ભાગના લોકો માટે સાચો છે.
ધ્યાન દોરવા યોગ્ય બાબત એ છે કે આ બધાં સુખની યાદી રોજબરોજની જીન્દગી સાથે વણાયેલી આ પૃથ્વી લોકની જરુરીયાતો છે. આત્મકલ્યાણ, સ્વર્ગ, મોક્ષ જેવી પરલોકની વાતોની ગેરહાજરી સ્પષ્ટપણે બતાવે છે કે  જનસામાન્ય માટે શું અગત્યનું હતું. એમને અહીં જીવી, અહીં જ સુખી થવામાં રસ હતો, જે આજે પણ છે.
અધ્યાત્મની વાતો કરતા અને એને લગતી પ્રવૃત્તી કરતા લોકો પણ જ્યારે પોતાના ધર્મગુરુને ખાનગીમાં મળે છે ત્યારે એમના વાર્તાલાપનો વીષય ‘આ–લોક’ની પ્રવૃત્તી અંગે હોય છે. એની ફળશ્રુતી (ધનલાભ) માટે તેઓ ગુરુના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હોય છે. ગુરુજી એવા આશીર્વાદ આપે પણ છે. અહીં આવા બધાની આધ્યાત્મીક પોકળતા છતી થાય છે.
મુળ કહેવતમાં નહોતી છતાંયે સુખની યાદીમાં સમાવવા લાયક, દરેક સમયકાળમાં અગત્યની એવી બે બાબતો વીશે લખવું જરુરી લાગે છે. એક છે વ્યક્તીગત સ્વતન્ત્રતા અને બીજી છે મનગમતી પ્રવૃત્તી.
     જુની યાદીમાં સ્વતન્ત્રતાને સ્થાન નહોતું મળ્યું તે સમજી શકાય એમ છે. એ રાજાશાહીનો જમાનો હતો. ઉપરાન્ત, સમાજ અને ધર્મની પણ લોકો પર જોરદાર પકડ હતી. ગ્રામસમાજમાં રહેનાર માટે સ્વતન્ત્રતાની વાતો કરવી શક્ય નહોતી. આ વાત હડતાળો પાડવાની કે વાતવાતમાં વીરોધ કરવાની સ્વતન્ત્રતાની નથી. આ સ્વતન્ત્રતા છે વીચારોની તેમજ નૈતીક મર્યાદા ઉલ્લંઘ્યા વગર સ્વતન્ત્રપણે વર્તવાની.
પહેલાં જેમને વ્યક્તીગત સ્વતન્ત્રતા જોઈતી હતી તેઓ સંસાર છોડી, સાધુ બની જતા અથવા તો ડાકુ કે બહારવટીયા બનતા હતા. સ્વતંત્રતા માટે ચુકવવી પડતી આ ખુબ આકરી કીમ્મત હતી. હવે જ્યારે વ્યક્તી પરની સમજ અને ધર્મની પકડ ઢીલી પડી છે, રાજાશાહીને બદલે લોકશાહી આવી છે ત્યારે સ્વતન્ત્રતા ભોગવવી સહેલી થઈ છે. છતાં લોકોને વ્યક્તીગત સ્વતન્ત્રતાનું ખાસ મહત્ત્વ નથી હોતું. જેમને છે તે આ તક અને અધીકારની યોગ્ય કદર કરે છે. મોટાભાગના લોકોને બીજાના દોરવ્યા દોરાવાનું વધુ માફક આવે છે. ટોળામાં સમાવું વધુ ફાવે છે.
મનગમતી પ્રવૃત્તી કરવી પણ એક પ્રકારની સ્વતન્ત્રતા છે. બધાને પોતાના ધન્ધા–વ્યવસાયમાં ક્યારેક તો કંટાળો આવતો જ હોય છે. આ કંટાળો જ્યારે નીયમીત બને છે ત્યારે એમની પ્રવૃત્તી એક મજબુરી બને છે.
વર્ણ આધારીત સમાજવ્યવસ્થામાં બધાને બાપદાદાના વારસાગત ધન્ધા–વ્યવસાયમાં જોડાવું પડતું. એ જ ગામમાં અને સમાજમાં રહેવું પડતું. એમનું ભાવી જન્મ સાથે જ નક્કી થઈ જતું. ભાગ્ય, કર્મ વગેરેના ખ્યાલ આવી સમાજરચનાને લીધે આવે અને પાંગરે એ સ્વાભાવીક છે.
આજે શીક્ષણ અને ઉદ્યોગીકરણને લીધે વ્યવસાયના કેટલાયે નવાં ક્ષેત્રો ખુલ્યાં છે. લાયકાત કે આવડત હોય તો મનગમતા ક્ષેત્રમાં જઈ શકાય છે. હવે જન્મ સાથે વ્યવસાય નક્કી નથી થઈ જતો એટલે મનગમતી પ્રવૃત્તીની તક મળે છે. માણસ જ્યારે ગમતું કામ કરે છે ત્યારે એને કામનો ઉત્સાહ હોય છે. પરીણામે કામ વધુ સારું થાય છે અને થાક ઓછો લાગે છે. એનાથી સન્તોષ, સફળતા અને સાર્થકતા અનુભવાય છે.
આજની નવી સમાજવ્યવસ્થામાં નીવૃત્તીની વ્યાખ્યા બદલાઈ ગયેલ છે. નીવૃત્તી સાથે ફાજલ સમય અને સ્વતન્ત્રતા મળે છે. નીવૃત્ત ઉમ્મરે ઘણાનું સ્વાસ્થ્ય પણ સારું હોય છે. સ્ત્રીઓ માટે આ ખાસ લાગુ પડે છે. આવા સંજોગોમાં મનગમતી સકારાત્મક પ્રવૃત્તી માટે અવકાશ સાંપડે છે.
વર્તમાનમાં ઘણા લોકો સુખની યાદીમાં ખાવું–પીવું, પહેરવું–ઓઢવું, હરવું–ફરવું, પાર્ટી–મેળાવડા–ઉજવણી વગેરે આનન્દની પ્રવૃત્તીઓનું આગવું સ્થાન હોય છે. એમના માટે મોજમજામાં સુખ છે. તે સીવાય કોઈને ધનસંચયમાં તો કોઈને માહીતીસંચયમાં સુખ દેખાય છે. કોઈ સમ્બન્ધો વધારવામાં સુખ જુએ છે તો કોઈ પરનીંદામાં. બધા પોતપોતાની રીતે સુખની શોધમાં પડ્યા છે.
સુખની આટલી લાંબી યાદી તપાસ્યા પછી પણ મુળ સવાલ તો હજી ઉભો જ છે. બધાને લાગુ પડે એવું સુખ કોને કહેવાય ? શબ્દકોશમાં સુખના ઘણા અર્થ આપેલા છે: આનન્દ, ચેન, શાન્તી, આરામ, સન્તોષ, તૃપ્તી વગેરેમાંનો કોઈ અર્થ બન્ધ બેસતો નથી લાગતો. સન્તોષકારક નથી જણાતો.
માણસ બીમાર થાય, ધન્ધામાં ખોટ ગઈ હોય કે કોઈ સ્વજનને ગુમાવ્યું હોય ત્યારે જરુર દુ:ખ થાય છે. એને નીવારી નથી શકાતું; પણ એને કેટલું મહત્ત્વ આપવું તેની સમજ અવશ્ય કેળવી શકાય છે. આ પ્રકારનાં દુ:ખના અભાવને પણ સુખ ગણી શકાય. દુ:ખનો અભાવ એ સુખની શરુઆત ખરી; પણ એનો પડાવ નથી. દુ:ખના અભાવથી માણસ આપોઆપ સુખી નથી થઈ જતો. ખાવાનું મળે એટલે ભુખનું દુ:ખ જતું રહે, તૃપ્તી થાય; પણ એ સ્થીતી કાયમ ટકતી નથી.
‘સન્તોષી નર સદા સુખી’ની જુની ને જાણીતી કહેવત સન્તોષને સુખનો મુકામ ગણે છે. અસન્તોષ એ દુ:ખનું કારણ જરુર છે; પણ સન્તોષને સુખનો આખરી મુકામ ગણવું જોખમી છે. સન્તોષથી થોડા સમય માટે સુખ મળતું હોય તો પણ; સંતોષી નર ‘સદા’ સુખી ન ગણાય. આપણી જરુરીયાતો, દૃષ્ટીકોણ વગેરે સમય પ્રમાણે બદલાતાં રહે છે. સંસારની જવાબદારીવાળા માણસ માટે સન્તોષ પ્રગતીનો બાધક બને છે. એટલે સન્તોષને સુખનો છેલ્લો મુકામ ગણવાને બદલે સુખની યાદીમાં ક્યાંક સ્થાન આપી શકાય.
ધર્મના રખેવાળો પાસેથી ‘સાચા’ સુખ વીશેની ઘણી વાતો સાંભળી છે; પણ તે ગળે ઉતરતી નથી. બુદ્ધી એને સ્વીકારતી નથી. શાશ્વત સુખની વાતો મૃગજળ ભાસે છે, પલાયનવાદી જણાય છે.
સુખ અને દુ:ખ વચ્ચેની એક સ્થીતી છે અલીપ્તતા – ઈન્ડીફરન્સ. મોટા ભાગના લોકો માત્ર એક–બે ટકા સમય માટે ખુશ (સુખી) હોય છે. એનાથી થોડા વધુ સમય માટે નાખુશ (દુ:ખી) હોય છે. બાકીના મહદ્ સમય માટે અલીપ્ત હોય છે. અઘરી ગણાતી સ્થીતપ્રજ્ઞતા આ અનાયાસે મળતી અલીપ્તતાથી બહુ દુર નથી લાગતી.
સુખ જ્યાં પણ હોય, એના સુધી પહોંચવાનો એક માર્ગ છે સફળતા. આવી પડેલી જવાબદારીઓ ઉત્સાહથી નભાવવી એ સફળતાની સાદી–સીધી વ્યાખ્યા છે. પોતાના વ્યવસાયમાં નીપુણતા અને  પ્રામાણીકતા કેળવવી એ પણ સફળતા છે. કમનસીબે વ્યવહારમાં સફળતાનો માપદંડ પૈસો અને સત્તા મનાય છે. પૈસો ઘણા અભાવોને પુરો કરી શકે છે તેમ જ પૈસાનો અભાવ અન્ય સફળતાને ગૌણ પણ બનાવે છે. આ વાસ્તવીકતા સ્વીકારીએ તો પણ આવી સફળતા લાંબો સમય ન પણ ટકે.
સુખના મુકામ સુધી પહોંચવાનો સફળતા કરતાં વધારે સચોટ માર્ગ છે સાર્થકતા. સાર્થકતા કોને કહેવાય ?
ભારત જેવા અતી ધાર્મીક દેશમાં સાચા ખોટા બધા સાધુ મહાત્મા પોતપોતાની રીતે સમાજને સુખ, શાન્તી, સફળતા, સાર્થકતાનો કીમીયો બતાવતા આવ્યા છે. આ બધા પલાયનવાદી માર્ગો કરતાં આ લેખકને અંગ્રેજીમાં વાચેલું એક વીધાન વધારે વાજબી લાગે છે. ‘IS THE WORLD ANY BETTER PLACE BECAUSE OF YOU?’ – ‘તમારા લીધે દુનીયામાં કંઈ સુધાર આવ્યો છે ?’ જો જવાબ ‘હા’ હોય તો જીવન સાર્થક થયું કહેવાય. ભલે ને આખી જીન્દગીમાં ક્યારે પણ પુજાપાઠ, વ્રત, તપ, જાત્રાઓ વગેરે કંઈ કર્યું ન હોય !
સાર્થકતાની માત્રાને સુધારાની માત્રા સાથે સીધો સમ્બન્ધ છે. ‘જે વધારે સુધાર લાવે તે વધારે સાર્થક’ ગણાય. આ ધોરણે જોઈએ તો વૈજ્ઞાનીકો, સમાજસુધારકો, સર્જકો, સમાજસેવકો, કાયદો–વ્યવસ્થા જાળવનારા વગેરે બધા પોતાની રીતે સાર્થક થયા ગણાય. સમ્પત્તી અને સત્તા હાંસલ કરનારા સફળતાની સાથે આપોઆપ સાર્થક નથી થઈ જતા. એમની ‘સમ્પત્તી/સત્તાનો અન્ય માટે કરેલ સદુપયોગ’ એમને સાર્થક બનાવે છે.
એની બીજી બાજુએ પ્રામાણીકપણે પોતાની ફરજ બજાવનાર સફાઈ કામદાર કે માળી (બાગવાન)ને કોઈ સફળ ન ગણે; છતાં તેઓ પોતાની મર્યાદામાં સાર્થક ગણાય. એમને લીધે દુનીયાનો એક નાનકડો ભાગ સ્વચ્છ રહે છે, સુંદર બને છે.
આટલી લાંબી યાદી તપાસ્યા પછી એટલું કહી શકાય કે કોઈ એક બાબતમાં સુખ સમાયેલું નથી. સફળ થવાની સાથે મહત્તમ સાર્થક બનવાની કોશીશ કરશું તો સુખ આપોઆપ આપણને ગોતતું આવશે. એની પાછળ દોડવાની જરુર નહીં રહે. યાદી બનાવવાની પણ જરુર નહીં રહે.
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર

Birth Anniversary (20-12)


1 ) Doshi Vami Hitesh Manilal Ujamshi
2 ) Lodaria Karan Naresh Amrutlal
3 ) Mehta Jayshree Mukesh Himmatlal
4 ) Mehta Bhairvi Jigar Shah
5 ) Parekh Ruchi Bhavin Shah
6 ) Sanghvi Naimin Chetan Sevantilal
7 ) Shah Nisha Nilesh Vasa
8 ) Shah Shailesh Shankarlal
9 ) Shah Rashmiben Ketan Mahendra Keshavlal
10) Sheth Suryakant Ravichand
11) Trevadia Priti Mayur Ashok
12) Vora Jagdish Hematlal

Thursday, December 19, 2013

Thorium-Fueled Car Only Needs A Fill-Up Once A Century

Imagine a new power generation system with unlimited power that is emissions free, and totally green.
 
Laser Power Systems says the system is cheap to build, safe to operate and can be used to power homes, business, transportation, cars, trucks, ships, and even planes and spacecraft.  "Thorium is the best alternative to oil, gas, coal and conventional Nuclear power plants and is the replacement technology internal combustion engines.  The amount of free energy contained in thorium fuel is 20 million times the amount of free energy contained in a similar mass of chemical fuel such as coal, making thorium an ideal source of energy."

Birth Anniversary (19-12)


1 ) Doshi Jasmin Bhalesh Gunvantrai Abhechand
2 ) Shah Heena Devesh Chandrakant
3 ) Mehta Dhara Bharat Kantilal
4 ) Mehta Foram Ketan Hargovinddas
5 ) Mehta Hitesh Dharshibhai
6 ) Mehta Jayshree Kirit Manilal
7 ) Parekh Alpna Bharat Kantilal
8 ) Parekh Sheetal Hemang Navinchandra
9 ) Sanghvi Vidhi Akshay Bipin Mohanlal
10) Shah Navya Hemal Dinesh
11) Shah Hir Ajay Vinodrai Jethalal
12) Sheth Suman Hitesh Mugatlal
13) Vakharia Kishore Labhshankar

Wednesday, December 18, 2013

Death



Native :Wankaner
Currently At : Kandivali(E), Mumbai
Name of the deceased :Lilamben Pravinchandra Mehta
Age : 80 Years
Date of Death : 15-12-2013. 

Husband : Late Pravinchandra Jechand Mehta
Sons : Hemendra, Late Ajit, Nitin
Daughters-in-Law : Maltiben, Rekhaben, Renukaben
Daughters : Nilaben, Surekhaben, Hemangiben
Brothers : Deepakbhai, Udaybhai
Sisters : Bhanuben, Chandrikaben,Indiraben
Father : Late Prabhulal Pranjivan Shah
May Her Soul rest in eternal peace 

વાંકાનેર હાલ કાંદિવલી (ઈ.) સ્વ. પ્રવીણચંદ્ર જેચંદભાઈ મહેતાના ધર્મપત્ની લીલમબેન (ઉં. વ. ૮૦), તે હેમેન્દ્ર, સ્વ. અજીત, નીતીન, નીલા, સુરેખા, હેમાંગીના માતુશ્રી. તે માલતીબેન, રેખાબેન, રેણુકાબેનના સાસુ. તે પિયરપક્ષે પ્રભુલાલ પ્રાણજીવન શાહના દીકરી. દીપકભાઈ, ઉદયભાઈ, ભાનુબેન, ચંદ્રિકાબેન, ઈન્દીરાબેનના બેન ૧૫-૧૨-’૧૩ રવિવારે અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા ૧૯-૧૨-’૧૩ ગુરુવારે ૯ થી ૧૧-૩૦. સ્થળ: શ્રી શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ જિનાલય, અશોકનગર, કાંદિવલી (ઈ.).

તૈયાર સુખ વારસામાં નથી જોઈતું ... - ભુપતભાઈ વડોદરિયા

સંતાનોના વહેવારથી દુઃખી થયેલા એક શ્રીમંત વૃદ્ધે હમણાં કહ્યુઃ ‘સંતાનોને સુખી કરવા માટે હું તો વધુ ને વધુ ધન મેળવવાની જંજાળ વધારતો ગયો. છેવટે એ ધન સંતાનોની નજરે જાતે નહીં કમાયેલી ઓચિંતી હાથ લાગેલી મિલકતની જેમ આવી ચડ્યું! પિતા સાથેની એમની સગાઈ માત્ર ધનની જ રહી, કેમ કે એ સિવાય તો સંતાનોને કશું આપ્યું જ નહોતું! એમને પ્રેમ નહોતો આપ્યો, મૈત્રી નહોતી આપી, સોબત નહોતી આપી. તેમની અંગત મૂંઝવણો સમજવાની કોશિશ કરી નહોતી કે તેમને કોઈ હૂંફ કે હિંમત આપી નહોતી. કારણકે આ બધા માટે મારી પાસે સમય જ નહોતો. મેં બધો સમય તેમના ‘સુખ’ માટે તેમની સરિયામ અવગણના કરીને માત્ર વધુ ને વધુ ધન કમાવા માટે જ વાપર્યો અને એમ કરીને તેમના ભવિષ્યને નિશ્ચિંત બનાવવાના ભ્રમમાં તેમના ચણતર-ઘડતરનાં વર્ષો વેડફી નાખ્યાં! કોઈ બીજી કડી ઊભી કરી જ નહીં. સ્નેહ જેવી મજબૂત કડી બીજી કોઈ નથી, તેનું સાચું ભાન તો મને પોતાને જ નહોતું એટલે મારાં સંતાનો સાથે માત્ર ધનની સગાઈ- એક જ એ કડી રહી. તમને કદાચ મારી વાત સાચી નહીં લાગે, પણ હું સાચું જ કહું છું કે મારાં સંતાનો મારા મૃત્યુની રાહ જુએ છે! હું આ સંસારમાંથી હંમેશ માટે વિદાય લઉં અને તેમને મારું એકત્રિત કરેલું ધન પ્રાપ્ત થઈ જાય! હું એમને ધનનો વારસો આપીને જઈશ, તેની કૃતજ્ઞતા તેમના અંતરમાં નથી- અલબત્ત, વાંક મારો જ છે- તેમને લાગે છે કે તેમને કાયદેસર મળવાપાત્ર વારસા ઉપર હું અજગર બનીને બેઠો છું અને હું જાઉં તો એમનો વારસો એમને મળે!’

આ ગૃહસ્થની વેદનાનો પાર નહોતો. એક વધુ અગત્યનો મુદ્દો કદાચ તેમના ખ્યાલ બહાર ગયો હશે. તેમણે પોતાનાં સંતાનોના ભવિષ્યની ચિંતા કરીને જે ધનનો વારસો તૈયાર કર્યો, તેના કારણે તેમણે પોતાનાં સંતાનોને જ પોતાના પગ ઉપર ઊભા રહેવા માટે આડકતરી રીતે નાલાયક જાહેર કર્યા- તેમની શક્તિમાં જાણે કે તેમને કોઈ વિશ્વાસ જ નહોતો. પુત્રોના પરાક્રમની ધગશ મરી જ પરવારે તો તેમાં નવાઈ શી?

અમેરિકાના એક અતિ શ્રીમંત ઉદ્યોગપતિએ પોતાનાં ધન-ધંધાનો વારસો પુત્રને આપવા આગ્રહ કર્યો, પણ પિતાની લાગણીને માન આપવા ખાતર પણ એ વારસો સ્વીકારવા પુત્ર તૈયાર ન થયો. પછી આ ઉદ્યોગપતિએ પોતાના પૌત્ર ઉપર મીટ માંડી. પૌત્ર સગીર મટીને પુખ્ત થયો, ત્યારે દાદાએ પોતાની સંપત્તિ તેને સોંપવા માંડી, ત્યારે પૌત્રે કહ્યું કે, ‘દાદા, મારે મારી પોતાની રીતે જીવવું છે!’

‘મારે સ્વતંત્ર રીતે જીવવું છે! મારે મારું પોતાનું એક આકાશ છે અને એ આકાશમાં મારે ઊડવું છે! તમે મને સલામતી આપવા માગો છો, પણ મારે આવી સલામતી જોઈતી નથી! મારા પરાક્રમની બધી જ પાંખો બંધાઈ જાય એવી સોનેરી પિંજરાના પંખીની સલામતી મારે શું કામની? તમે મને સુખી જોવા ઇચ્છો છો, પણ દાદા, તમે જેને સુખો માનો છો તે મારે મન સુખ છે જ નહીં! મારે કોઈ તૈયાર સુખ પિતાના કે દાદાના વારસારૂપે જોઈતું જ નથી! મારું સુખ પણ મારે મારી જાતે જ રચવું છે! હું તો અહીં અમેરિકામાં રહેવા પણ માગતો નથી! હું તો જર્મની, ઇટલી અને ફ્રાંસ જવા માગું છું! તમારા જેવા શ્રીમંત માણસની ગુડ્ઝ ટ્રેનનો કીમતી દાગીનો મારે બનવું જ નથી! મારે તો મારી યાત્રા મારી રીતે હાથ ધરવી છે અને મારી રીતે ઠોકર ખાતાં ખાતાં આગળ વધવું છે! તમે માઠું ન લગાડશો. હું તો તમારો પૌત્ર હોવાનો પણ સાફ ઇનકાર કરું છું! જે ક્ષણે હું તમારો પૌત્ર હોવાની વાત સ્વીકારી લઉં એ ઘડીએ મારું તો આવી જ બને! તમારા પૌત્ર થવું એટલે ગમે ત્યારે અપહરણનું જોખમ માથે લઈને જીવવું! કોઈ પ્રેમથી મારું અપહરણ કરે તો મને વાંધો નથી- કોઈ ધનને માટે મારું અપહરણ કરે- મારી જિંદગીની કિંમત માત્ર અમુક લાખ ડોલર માગે તે મને કબૂલ નથી!’ આ અમેરિકન ઉદ્યોગપતિએ છેવટે બધી જ મિલકત ધર્માદામાં આપી દીધી! એટલે જ એક પ્રાચીન ઉક્તિ એવું કહે છે કે પુત્ર સપૂત થવાનો છે, એવું માનતા હો તો પછી ધનનો સંચય શું કામ કરો છો?

અને તમને શંકા હોય કે પુત્ર કપૂત થશે તો તો પછી ધનનો સંચય કરવાનો કંઈ અર્થ જ નથી. કેમ કે તે તમારું ધન વેડફી નાખે એટલું જ જોખમ નથી- વધુ મોટું જોખમ એ છે કે તમારું જીવન વેડફી નાખવા જતાં પોતાનું જીવન પણ વેડફી નાખે!

ખરેખર જિંદગીમાં સુખી થવા માટે માણસે જરૂરિયાતોની કે સુખસગવડોની યાદીમાં ક્યાંક તો પૂર્ણવિરામ મૂકવું જ પડે છે અને પૂર્ણવિરામ વહેલામાં વહેલી તકે મૂકવાને બદલે જે પોતાની યાદીને લાંબી ને લાંબી કર્યા કરે છે, તે માત્ર વધુ ને વધુ દુઃખને વહોર્યા વગર રહેતો નથી!