Friday, January 31, 2014

Samaj Utkarsh Volume No 591 December 2013

To read Pages 1 to 8 of Samaj Utkarsh click here  

To read Pages 9 to 16  of Samaj Utkarsh click here

To read Pages 17 to 24 of Samaj Utkarsh click here  

To read Pages 25 to 32 of Samaj Utkarsh click here 

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff.

વિમલ-વચનામૃત – સં. કાર્તિકેય ભટ્ટ (ભાગ 2/2)


[ ‘વિમલ-વચનામૃત’ પુસ્તકમાંથી પૂ. વિમલાતાઈના (વિમલા ઠકાર) કેટલાક ચૂંટેલા સુવાક્યો અત્રે સાભાર પ્રસ્તુત છે.]
[16] અધ્યાત્મ તો જીવન જીવવાનું વિજ્ઞાન છે….. અધ્યાત્મ તો જીવનનું પરમતત્વ શું છે એ બતાવે છે…. અધ્યાત્મમાં તમે કાંઈ મેળવતા નથી. તમે અહંચેતના ગુમાવો છો. અહંચેતના એના મૂળ સ્ત્રોતમાં ભળી જાય છે…. અધ્યાત્મમાં કાંઈ મેળવવાનું નથી, અધ્યાત્મ પ્રતીતિનો વિષય છે…. અધ્યાત્મ તો સત્ય સમજવાનું વિજ્ઞાન છે.[17] બધાં શાસ્ત્રોના શબ્દોમાં જેટલી ઊર્જા છે, સર્જકતા છે, એના કરતાં અનેકગણી વધારે ઊર્જા અને સર્જકતા મૌનમાં છે.
[18] જ્યારે તમે શરીરને યમ, નિયમ, આસન, પ્રાણાયામથી અથવા પરિશ્રમથી શુદ્ધ રાખો છો ત્યારે તેમાં એક પ્રકારની નિરામયતા આવે છે.
[19] જીવન અનાદિ અનંત છે…. આ અનાદિત્વ અને અનંતતાની વચ્ચે આપણને જન્મ અને મૃત્યુ એ બે બિંદુ વચ્ચેનો સમય મળ્યો છે. એમાં સમજપૂર્વક જીવીએ, અનાદિતા અને અનંતતાને તર્કનો વિષય ન બનાવીએ, અનાદિતા અને અનંતતાના રહસ્ય સાથે જીવીએ.
[20] મરણિયા થઈને પ્રયત્ન કરવો હોય તો રોજિંદા જીવનમાં, આપણા વ્યવહારમાં, આપણા ચિંતનમાં, આપણી વાતોમાં જ્યાં જ્યાં વિસંગતિ અને વિરોધ નજરે પડે ત્યાંથી વિસંગતિ અને આંતરવિરોધનું નિરાકરણ કરવાનો પ્રારંભ કરો.
[21] તમે જેટલા પ્રશ્નો હૈયાઉકેલથી અને કોઠાસૂઝથી ઉકેલી શકો છો એટલા બુદ્ધિ-તત્વથી અને સિદ્ધાંતથી ઉકેલી શકતા નથી. સમજણની શક્તિ પરમાત્માની વિભૂતિરૂપે તમારા અને મારા હૈયામાં છે.
[22] મને ખબર પડતી કે શો અવરોધ, કયો અંતરાય આવે છે કે મનુષ્ય સમજેલું જીવી શકતો નથી ? અમારા જીવનમાં તો અમને જે ક્ષણે સમજાયું તે જ ક્ષણે એ આચરણમાં ઊતર્યું.
[23] તમારી બાહ્ય ઈન્દ્રિયોને સ્પર્શ કરનારી, તમારી ઈન્દ્રિયોને આમંત્રિત કરનારી જે કુદરત છે તે અને તમે સગાં છો ! લોહીના સંબંધ કરતાં પણ વધારે ઊંડો અને ગહન સંબંધ આ કુદરત સાથે આપણો છે અને સ્વયંસિદ્ધ સ્વયંભૂ એવી જે કુદરત છે તે જ પરમાત્માનું રૂપ છે.
[24] મનુષ્ય કેવળ પશુ નથી અને જે કુદરત તમને દેખાય છે તે કેવળ જડસૃષ્ટિ નથી. એ તો ચિન્મયી ઊર્જાઓનો મહારાસ છે !
[25] હૃદયની શુદ્ધિ, શુચિતા કે મંગલતા ઉપર કંઈ ઝાંખપ નથી લાગતી એનું નામ શ્રદ્ધા છે અને શ્રદ્ધા હોય ત્યાં ચિંતા રહેતી નથી.
[26] મનુષ્યમાં આત્મભાન અને આત્મચેતનાની શક્તિ છે. એટલે મનુષ્યની મોટી જવાબદારી થઈ જાય છે કે એ સત્યને શોધે અને પ્રગટ કરે. જે સત્ય સમજાય તેને જીવનમાં જીવે.
[27] ચિંતામાંથી ભય અને ભયમાંથી અસંતુલન પેદા થાય છે. પળભરની બીક વ્યવહારને બદલી નાખે છે, બદલાવી જ નાખે છે.
[28] દુઃખ લાગવું એ પણ સ્વાભાવિક છે. દુઃખ લાગે અને દુઃખ નથી લાગ્યું એવું કહેવું એ નકરું પાખંડ છે. દુઃખ લાગ્યું હોય તો એ પણ જીવી લેવું. એને કારણે આત્મદયા કે અવસાદમાં જવું, એના માટે પ્રતિશોધનો ભાવ સેવવો એ દ્વેષ છે.
[29] સંયમાગ્નિમાંથી તમારા વાસનાવિકારોને બાળીને ભસ્મસાઅત કરો ત્યારે સમતા, સંતુલન પ્રગટ થાય છે. ત્યારે જીવન સંતુલિત બને છે. પછી કોઈ પણ પરિસ્થિતિમાં જીવનના કોઈ પણ ઉતાર ચઢાવમાં પલ્લું ઊતરતું ચઢતું નથી.
[30] આંસુ તો જીવનનો-હૃદયનો વૈભવ છે. એ વૈભવને તમે ગમે તેમ વેડફો એમાં તો શક્તિનો વ્યય થાય.
સૌજન્ય : રીડ ગુજરાતી

Birth Anniversary (31-01)


1 ) Doshi Jayshree Gunvantrai Abhechand
2 ) Doshi Pranav Hitesh Chandulal
3 ) Mehta Priya Haresh Amulakhrai
4 ) Parekh Shailendra Chandulal
5 ) Solani Laxmichand Chhotalal

Thursday, January 30, 2014

Amazon Prime Air


Amazon Prime Air - unmanned aerial vehicle delivers your package in 30 minutes or less.  Footage from a recent test flight. Amazon: "We're excited to share Prime Air - something the team has been working on in our next generation R&D lab.  The goal of this new delivery system is to get packages into customers' hands in 30 minutes or less using unmanned aerial vehicles.  Putting Prime Air into commercial use will take some number of years as we advance technology and wait for the necessary FAA rules and regulations."  


Birth Anniversary (30-01)


1 ) Doshi Nita Mukesh Manharlal
2 ) Doshi Ketan Rajnikant Chaturdas
3 ) Doshi Dipti Anil Manharlal
4 ) Lodaria Usha Bhupendra Nagindas
5 ) Lodaria Nipa Nilesh Amrutlal
6 ) Lodaria Hitesh Dalichand
7 ) Mehta Manish Anupchand
8 ) Mehta Harish Shantilal
9 ) Parekh Siya Rahul Jitendra
10) Parekh Dipti Anil Doshi
11) Parekh Amita Narendra Shantilal
12) Sanghavi Shantaben Pravinchandra
13) Sapani Prafful Prabhulal
14) Sheth Harshika Nalin Navalchand
15) Sheth Hasumati Ambalal Dayalal

Wednesday, January 29, 2014

વિમલ-વચનામૃત – સં. કાર્તિકેય ભટ્ટ (ભાગ 1/2)


[ ‘વિમલ-વચનામૃત’ પુસ્તકમાંથી પૂ. વિમલાતાઈના (વિમલા ઠકાર) કેટલાક ચૂંટેલા સુવાક્યો અત્રે સાભાર પ્રસ્તુત છે.]
[1] પદાર્થવિજ્ઞાન અને આત્મવિજ્ઞાન એક જ વસ્તુને જોવાના બે રસ્તા છે. આત્મવિજ્ઞાન સમગ્રતાને લઈને ચાલે છે અને પદાર્થવિજ્ઞાન અણુમાં અણુ જોવાની કોશિશ કરે છે.
[2] ન આત્મા પ્રાપ્ત કરવાનો છે ન પરમાત્મા પ્રાપ્ત કરવાનો છે. એ તો સિદ્ધ છે જ, સ્વયંભૂ છે, એ ભીતર છે, બહાર છે. સકલ નિરંતર છે. સમગ્ર રીતે આપણા હોવાપણાનું શુદ્ધીકરણ જરૂરી છે.
[3] જીવનનું સત્વ તો પારસ્પરિક સંબંધોમાં છે. અને તે વળી એવા સંબંધો હોય કે પ્રત્યેક સંબંધમાં બિનશરતી સ્વતંત્રતાની ખુશ્બૂ મહેકતી હોય.
[4] જીવનનું જે હોવાપણું છે ‘The isness of life’ એને કૃપા કહે છે, અનુગ્રહ કહે છે. દિવ્યતાની કૃપાનો આશય તે જીવનનું હોવાપણું છે.
[5] વિશ્રાંત અવસ્થામાં આપણે બેસીએ તો ઘણીવાર એ શાંતિમાં અંતઃકરણની ઊર્જા આપણને માર્ગ બતાવે છે : કોઈ એને ‘અંતઃજ્ઞાન દર્શન’ તો કોઈ એને ‘સહજાભૂત દર્શન’ કહે છે.

[6] પ્રારબ્ધ એક તથ્ય છે. એની સાથે ઝઘડો કે ઈન્કાર કરી શકાતો નથી. તમે કદી કહી શકો નહીં કે ‘મારે એ નથી જોઈતું’. એની સાથે સુમેળ સાધો, પ્રારબ્ધને ઓળખીને પુરુષાર્થનો પ્રારંભ કરો.
[7] સંયમ સમજની સાથે જાય છે અને એમાં કલેશ થતો નથી. દમનમાં કલેશ છે કારણ કે અંદરથી એ જોઈએ છે અને બહારથી તમે એને રોકી રહ્યા છો.
[8] અધ્યાત્મથી માણસ પથ્થર બનતો નથી, બલ્કે એની સંવેદનશીલતા વધારે તીવ્ર, તરલ, તત્પર બને છે. અનુકૂળ પ્રતિકૂળ સંવેદન થાય છે, પરંતુ એમાંથી પ્રિયતા કે અપ્રિયતા ઊભી કરતો નથી.
[9] જીવનની સમગ્રતામાં તો મનુષ્ય પણ એક મામૂલી પ્રાણી માત્ર છે. એવી જ રીતે આ નાનકડો ગ્રહ અને તેજસ્વી સૂર્યમંડળ પણ એની આગળ સાવ નગણ્ય છે. એની સમગ્રતાના આપણે અંશ છીએ. એ જાણ્યા પછી ભય ન રહેવો જોઈએ.
[10] ધ્યાન માટે સાધના આવશ્યક નથી. આપણા શરીર, મન, પ્રાણ, બુદ્ધિ વગેરેની શુદ્ધિ માટે સાધના આવશ્યક છે. એ બધામાં એક વ્યવસ્થા, એ બધાંનો પરસ્પર સંવાદ પૂર્ણ સુંદર સંબંધ પેદા કરવો, એની ગતિઓમાં લય પેદા કરવો- એના માટે જે વૈજ્ઞાનિક કર્મ કરાય છે એને સાધના કહે છે.
[11] નાની ઉંમરમાં તમે તમારાં બાળકોના કોમળ મગજ પર મહાપુરુષોના લખાણ લાદશો નહીં. જો એ એમને બરાબર રીતે પકડી શકશે નહીં તો ઊલટો અર્થ કરીને કેટલીક વિકૃતિઓ પેદા કરશે.
[12] સૂર્યના કિરણોમાં જેટલી શક્તિ છે એટલી જ અથવા તેનાથી વધારે શક્તિ શુદ્ધ શબ્દમાં, શુદ્ધ નાદમાં અને શુદ્ધ સ્વરમાં છે.
[13] વિચારોનું, વૃત્તિઓનું ઊઠવાનું જ્યારે શાંત થઈ જાય છે, ત્યારે તમે મૌનગૃહના આંગણામાં પ્રવેશ કરો છો.
[14] જ્યારે આનંદની તરફ તમારી યાત્રા થશે ત્યારે સુખ અને દુઃખ દેનારાં વિષય-સાધન અથવા માધ્યમનું આકર્ષણ શાંત થઈ જશે.
[15] તન અને મનને શુદ્ધ વાતાવરણ અને શુદ્ધ આહાર-વિહાર આપવા માંડશો, એને નિરામય-નિરોગી બનાવશો તો અશુદ્ધિ તરફનું એનું આકર્ષણ આપોઆપ હટી જશે.
સૌજન્ય : રીડ ગુજરાતી

Birth Anniversary (29-01)


1 ) Gandhi Daksha Vijay Ravichand
2 ) Gandhi Nishpa Vinod Himatlal
3 ) Gandhi Yash Dhiren Madhusudan Lalchand
4 ) Mehta Hardik Vasantrai Vrajlal
5 ) Mehta Ekta Kamlesh Shashikant Chunilal
6 ) Parekh Rama Umedchand Panachand
7 ) Parekh Praful Vrajlal
8 ) Shah Vipul Anopchand Juthalal
9 ) Shah Vasantray Gulabchand
10) Sheth Dhruvi Sanket Vasantlal
11) Vora Bharat Hematlal

Tuesday, January 28, 2014

Playing Tennis On The Wing Of A Flying Airplane

Australian Open winner Novak Djokovic plays tennis on the wing of a flying plane. At 150 mph he needs all the power and speed he has to beat the wind drag  
Racquet: HEAD Tennis YouTek IG SPEED MP 18/20

Birth Anniversary (28-01)


1 ) Doshi Hetal Kishor Rajnikant
2 ) Gandhi Dhirendra Mahadevlal
3 ) Khandor Krishi Sanjay Dhirajlal Lavjibhai
4 ) Mehta Indira Indravadan Ujamshi
5 ) Mehta Sejal Yogesh Chandulal
6 ) Parekh Smita Praful Jagjivandas
7 ) Shah Dinesh Umedchand
8 ) Shah Divya (Kumar) Haresh Sumatilal
9 ) Sheth Hemal Dhirajlal Nyalchand
10) Solani Haresh Balwantray Mohanlal

Monday, January 27, 2014

લગ્નસંબંધનું ગણિત– બંસીધર શુક્લ

આપણા સમાજમાં લગ્ન એક સંસ્કાર છે. પ્રાચીનકાળથી લગ્નપ્રથા અને તેના શાસ્ત્રીય નિયમોનું પાલન થતું આવ્યું છે. શ્વેતકેતુ નામના ઋષિએ લગ્નસંસ્કારની પ્રતિષ્ઠા કરી. ઘણા ઋષિઓએ તેના વિષયમાં નીતિનિયમો આપ્યા. એવો એક નિયમ છે : સપિંડો વચ્ચે વિવાહસંબંધ થઈ શકે નહીં. સપિંડ એટલે સમાન પિંડ, સમાન દેહ. જે બે જણના દેહમાં પારિવારિક સંબંધની રીતે બીજાં પરિવારજનનો અંશ ઊતરતો હોય તો તે બે જણ સપિંડ ગણાય. તેઓ લગ્ન કરી શકે નહીં. અહીં બે પ્રશ્નો ઉદ્દભવે છે. એક, સપિંડ વચ્ચે નિષેધ શા માટે ? બે, સાત પેઢી પછી સપિંડતા રહેતી નથી, તેથી સાત પેઢી પછીનાં માટે નિષેધ નથી. અહીં સાત જ કેમ ? પાંચ કે દસ કેમ નહીં ?
પહેલા પ્રશ્નનો ઉત્તર સરળ છે. સ્ત્રી પુરુષ સાથે સમાગમથી એટલે કે પુરુષનો શુક્રકોશ પોતાના શરીરમાં પ્રવેશે તે પછી જ સગર્ભા બને છે. આમ, માતાપિતા સપિંડ બને છે. ગર્ભનું શિશુ માતાના શરીરમાંથી પોષણ મેળવીને વૃદ્ધિ પામે છે. શિશુમાં માતાના પિંડનો અંશ આવવાથી શિશુ પિતા ઉપરાંત માતા સાથે પણ સપિંડતાથી જોડાય છે. પ્રાચીનકાળથી વિજ્ઞાનીઓ-ઋષિઓ એ જાણતા આવ્યા છે કે નિકટના સગાંમાં લગ્નથી માઠાં લક્ષણો, આનુવંશિક રોગો, વિકૃતિઓ તથા અપ્રતિકારિતા સંતાનોમાં ઊતરે છે. આથી તેમણે નિકટના- સપિંડ વચ્ચે વિવાહ વર્જિત ઠરાવ્યો.
બીજા પ્રશ્નમાં સરળ ગણિત લાગુ પડે છે. તેને એક ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ. એક મોટો ચોરસ કે લંબચોરસ કાગળ લો. શક્ય એટલો મોટો અને લંબચોરસ હોય તો સારું. છાપાનો કાગળ ચાલે. તેની લાંબી બાજુને બરાબર વચ્ચેથી વાળીને ગડી કરો. ગડીના સળને વચ્ચેથી કાટખૂણે વાળીને બીજી ગડી બનાવો. કાગળ ચોથા ભાગનો થઈ જશે. આ પ્રમાણે બંને બાજુ વચ્ચેથી વાળીને ગડી કરતા જાઓ. કેટલી વાર વાળો છો, તેની નોંધ રાખો. કાગળ ગમે તેટલો મોટો લીધો હોય, તમે આઠેક વારથી વધારે વાર તેને નહીં વાળી શકો. કારણ કે વાળવાની પ્રક્રિયા અડધાનું અડધું…એ ઝડપે ભૌમિતિક શ્રેણીમાં તીવ્રતાથી ગતિ કરે છે. આઠમા વળે તે એટલો જાડો અને નાનો થઈ જાય છે કે તેને પકડીને આગળ વાળવાનું અશક્ય બને છે. હવે આ જ પદ્ધતિએ સંતાનોમાં માતાપિતાનો વારસો કેવી રીતે ઊતરે છે અને કેવી રીતે ક્ષીણ થતો લગભગ નહીંવત બની જાય છે, તે જોઈએ. આપણે જાણીએ છીએ કે દરેક સંતાન માતાપિતાનો અડધો-અડધો વારસો લઈને જન્મે છે. આ વારસો જેમ એક-એક ચરણ આગળ ઊતરે તેમ તે ફરી અડધો-અડધો થતો જાય છે. આ રીતે….
100-0 ચરણ (વર્તમાન પેઢી)
50-પહેલું ચરણ (તે પછીની પહેલી પેઢી)
25-બીજું ચરણ (બીજી પેઢી)
12.5-ત્રીજું ચરણ (ત્રીજી પેઢી)
6.25-ચોથું ચરણ (ચોથી પેઢી)
3.125-પાંચમું ચરણ (પાંચમી પેઢી)
1.56-છઠ્ઠું ચરણ (છઠ્ઠી પેઢી)
0.78-સાતમું ચરણ (સાતમી પેઢી)

આમ, 7મી પેઢીથી પહેલી પેઢીનો વારસો ઘટતો જઈ એક ટકાની અંદર-આશરે 0.78 ટકા થાય છે. આટલો પ્રભાવ એટલે નહિવત- શૂન્યવત પ્રભાવ. એટલે 7 પેઢીએ સપિંડતા સમાપ્ત થયા પછી જો બે વ્યક્તિ લગ્ન કરે, તો તેમને આનુવંશિક વિકૃતિ, રોગ, અપ્રતિકારિતા આદિનો ભય નડે નહીં.
સૌજન્ય : રીડ ગુજરાતી

Birth Anniversary (27-01)


1 ) Doshi Lata Vasantrai Jivraj
2 ) Doshi Dipti Jayesh Chamanlal
3 ) Mehta Esha Samir Mahesh Chhotalal
4 ) Mehta Nimesh Lalit Ratilal
5 ) Mehta Amish Mahesh Jevantlal
6 ) Mehta Kirit Manilal Parshottam
7 ) Parekh Induben Ramniklal
8 ) Sheth Rita Kirtikumar Tribhovandas
9 ) Trevadia Bhavin Suresh Ujamshi

Sunday, January 26, 2014




Native :Morbi
Currently At : Matunga, Mumbai

Name of the deceased :Dhirajlal Ratilal Shah
Age : 76 Years
Date of Death : 24-01-2014.  

Wife : Hasumatiben
Sons : Dipen, Bhavesh 
Daughter-in-Law : Bina 
Brothers : Late Navinbhai,Jashvantbhai, Late Bipinbhai,Vinodbhai, Uttambhai 
Sisters : Late Bhanuben, Late Kumudben
Father -in-Law  : Late Ramniklal Juthalal Shah
Father : Ratilal Fulchand Shah

May His Soul rest in eternal peace
મોરબી નિવાસી હાલ માટુંગા ધીરજલાલ રતીલાલ શાહ (ઉં. વ. ૭૬) તે હસુમતી બેનના પતિ. દિપેન, ભાવેશના પિતાશ્રી. બીનાના સસરા. સ્વ. નવીનભાઈ, જશવંતરાય, સ્વ. બીપીનભાઈ, વિનોદભાઈ, ઉત્તમભાઈ, સ્વ. ભાનુબેન, સ્વ. કુમુદબેન શાહના ભાઈ. સ્વ. રમણીકલાલ જુઠાલાલ શાહના જમાઈ. ૨૪-૧-૧૪ શુક્રવારના રોજ અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થના સભા મંગળવાર તા. ૨૮-૧-૧૪ના ૯-૩૦ થી ૧૧.૩૦. બી. આર. શાહ હોલ, ૬ઠ્ઠે માળે, શ્રી માનવ સેવા સંઘ, પ્લોટ નં. ૨૫૫/૨૫૭, સાયન રોડ, સાયન (વે.), ગાંધી માર્કેટની સામે, મુંબઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Anti-Theft Technology From The 1960s

John Fisher, an English inventor from Farnham, Surrey, UK demonstrates his anti-theft briefcase. Amazing Anti-Thief Security Case taken from the 1961 British Pathe reel "Beat The Bandit."  As the man runs off with the case three telescopic poles spring out of it making the case impossible to manage, as well as crushing the man's hand pressing it into the handle of the case.  It then has to be deactivated with a key!

Birth Anniversary (26-01)


1 ) Gandhi Chhaya Subhash Jamnadas
2 ) Vora Jinisha Pritesh Bharatbhai
3 ) Mehta Mansi Paras
4 ) Lodaria Aashish Vinodrai Jamnadas
5 ) Mehta Smita Narendra Vinodrai
6 ) Mehta Ansh Jignesh Chandrakant Vanechand
7 ) Mehta Anshumi Jignesh Chandrakant Vanechand
8 ) Parekh Harshad Navalchand
9 ) Sanghavi Priti Bhupesh Doshi
10) Shah Paresh Kantilal
11) Shah Jignesh Jitendra Kantilal
12) Shah Kunal Rasiklal
13) Shah Geeta Pradip Kushalchand
14) Sheth Pravinchandra Hematlal
15) Solani Geeta Fatehchand

Saturday, January 25, 2014

Death



Native :Jodia
Currently At : Sion, Mumbai & U.S.A.

Name of the deceased :Bijal Maulik Gholani
Age : 37 Years
Date of Death : 19-01-2014.  

Husband : Maulik Mahesh Gholani
Son : Ronit
Father -in-Law  : Mahesh Balachand Gholani
Mother-in-Law : Urviben
Father : Jayendrabhai Chhabildas Shah (Sion-Surendranagar)
Mother : Bhavnaben

May Her Soul rest in eternal peace

જોડિયા નિવાસી હાલ સાયન મહેશભાઈ બાલાચંદ શાહ (ઘોલાણી) અને શ્રીમતી ઉર્વીબેનના સુપુત્ર ચિ. મૌલિકના ધર્મપત્ની અ. સૌ. બીજલ (ઉં.વ. ૩૭) તે રોનિતના મમ્મી,તે સુરેન્દ્રનગર નિવાસી હાલ સાયન જયેન્દ્રભાઈ છબીલદાસ શાહ અને ભાવનાબેનની સુપુત્રી, હાલ અમેરિકા તા. ૧૯-૧-૧૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

સૂત્રો : પોથીમાંનાં રીંગણાં ? – રોહિત શાહ

[‘અખંડ આનંદ’ સામાયિક માંથી સાભાર.] દુનિયાની દરેક ભાષા પાસે કેટલાંક ચોટદાર સૂત્રો હોય છે. સૂત્રની ખૂબી એ છે કે એ ટૂંકું હોય છે અને વળી મર્મવેધક હોય છે. પ્રત્યેક સૂત્ર આપણને કોઈ ને કોઈ ‘પોઝિટિવ થૉટ’- હકારાત્મક વિચાર આપે છે. એ દષ્ટિએ જોઈએ તો આવાં સૂત્રો માણસ માટે ‘માઈલસ્ટોન’ જેવાં બની રહે છે.
આજે એક તરફ માતૃભાષા ગુજરાતીને બચાવવા માટે આપણે સૌ ચિંતિત છીએ ત્યારે મારી વાત આપણી માતૃભાષાની જનેતા સંસ્કૃત ભાષાનાં સૂત્રોની વાત- કદાચ તમને વિચિત્ર લાગશે. પરંતુ તમને જાણીને આનંદ થશે કે આપણી અનેક સંસ્થાઓ આજે પણ સંસ્કૃત ભાષાનાં સૂત્રોને પોતાનો આદર્શ માને છે. અલબત્ત, ક્યારેક એવું જોવા મળે છે કે એ સૂત્ર, માત્ર ‘શોભાના ગાંઠિયા’ જેવું કે ‘પોથીમાંનાં રીંગણાં’ જેવું બની ગયું હોય છે. ઉદાહરણો સાથે આગળ વધીએ.
સત્યમેવ જયતે
તમને ખબર છે ખરી કે ભારત સરકારનું આ મૂળ સૂત્ર છે : ‘સત્યમેવ જયતે’ ? સરકારમાં બેઠેલા લોકોને વિશ્વાસ છે કે સત્યનો જ સદા વિજય થાય છે. અથવા એવું એ આપણને કહેવા માગે છે. જે હોય તે, ભારત સરકારનો મુદ્રાલેખ ‘સત્યમેવ જયતે’ છે, એ કોઈ જોક નથી- ફેક્ટ છે.

સત્યં શિવં સુન્દરમ
ટેલિવિઝનનું સૂત્ર ‘સત્યં શિવં સુન્દરમ’ છે. જ્યારે પણ દૂરદર્શન કેન્દ્રનું સિમ્બોલ ટી.વી. સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવે છે ત્યારે આ સૂત્ર વાંચવા મળે છે. દૂરદર્શન એના દર્શકોને કેટલું સત્ય, કેટલું શિવમ-કલ્યાણકારી અને કેટલું સુંદર બતાવે છે એ પ્રશ્ન પૂછવામાં મજા નથી.

અહર્નિશ સેવામહે
આપણા તાર-ટપાલ ખાતાનું સૂત્ર છે ‘અહર્નિશ સેવામહે’ એટલે કે હું સતત તમારી સેવા કરું છું. ટપાલખાતાની સેવાઓથી આપણે પરિચિત છીએ. આજકાલ હવે આંગડિયા-કુરિયર સર્વિસને કારણે ટપાલ-ખાતા પાસે ખાસ કામ બચ્યું નથી. મોબાઈલ ફોન, ઈન્ટરનેટ, ફેસબૂકને કારણે હવે પત્રવ્યવહાર ખૂબ ઘટી ગયો છે. છતાં આપણું ટપાલ ખાતું આપણી કેવી અહર્નિશ સેવા કરે છે એની આપણને સૌને ખબર છે.

યોગક્ષેમ વહામ્યહં
લાઈફ ઈન્શ્યોરન્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (ભારતીય જીવનવીમા નિગમ)નું સૂત્ર ‘યોગક્ષેમ વહામ્યહં’ છે. એનો અર્થ છે હું યોગ-ક્ષેમનું વહન કરું છું. અલબત્ત, આ કોઈ સેવાભાવી કે સદાવ્રતી પેઢી નથી એટલે ગ્રાહકે પોતાનું યોગક્ષેમ આ સંસ્થા દ્વારા વહન કરાવવું હોય તો એનાં પ્રિમિયમ્સ ભરતા રહેવું પડે છે.

ધર્મચક્રાપ્રવર્તનાય
ધર્મચક્રનું પ્રવર્તન કરવાનું આ સૂત્ર કોનું છે એ જાણશો તો કદાચ તમને હસવું આવી જશે ! લોકસભા (સંસદ)- નવી દિલ્હીનું કાર્ય ભારતમાં ધર્મચક્રનું પ્રવર્તન કરવાનું છે. સંસદસભ્યોને ગાળાગાળી કરતા અને ખુલ્લા હાથની મારામારી કરતા જોયા પછી આ સંસદ કેવા ધર્મચક્રનું પ્રવર્તન કરશે એવી દહેશત જાગશે.

યતો ધર્મસ્તતો જયઃ
જ્યાં ધર્મ હશે ત્યાં વિજય થશે- આવું સૂત્ર આપણી સુપ્રીમ કોર્ટનું છે. એ વાત જુદી છે કે આપણે સાચા હોઈએ તોય ન્યાય મેળવવામાં એક ભવ ટૂંકો પડે છે. ન્યાયતંત્ર ઉપર જેને ભરોસો હોય એ સૌ પોતપોતાની આંગળી ઊંચી કરે, એવું પૂછવામાં જોખમ છે. ન્યાય મળવામાં વિલંબ થાય એ જ અન્યાય નથી શું ?

કોષ મૂલો દંડ :
ઈન્કમટેક્સ વિભાગનું આ સૂત્ર જ કેવું કાંટાળું છે ! કોષ (ભંડાર અથવા સમૃદ્ધિ)નું મૂળ દંડ (પનિશમેન્ટ) છે. જો દંડની જોગવાઈ ન હોય તો પછી ઈન્કમટેક્સ ભરવા કોણ જવાનું હતું ?

નાદ બ્રહ્માણે નમઃ
નાદ એટલે કે સ્વરના બ્રહ્મને નમન કરવાની ભાવના ધરાવતું આ સૂત્ર ‘બૃહદ ગુજરાત સંગીત સમિતિ’નું છે. સંગીતને તમામ લલિત કલાઓમાં શુદ્ધ કલા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એનું સાધન સ્વર છે. સ્વર હંમેશાં નિષ્કપટ હોય છે. નાદ બ્રહ્મને પ્રણામ કરવાથી સ્વરને સમજવાની પાત્રતા આવે છે.

પાકા નઃ સરસ્વતી
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (પાટણ)નું સૂત્ર છે ‘પાકા નઃ સરસ્વતી’ એટલે કે સરસ્વતી (વિદ્યા) આપણને સૌને પાવન કરે !

યોગઃ કર્મસુ કૌશલમ
ગુજરાત યુનિવર્સિટી (અમદાવાદ)નું સૂત્ર ‘યોગઃ કર્મસુ કૌશલમ’ એટલે કે યોગ અને કર્મમાં કુશળતા પ્રાપ્ત કરવાનું છે.

સ્વાધ્યાયઃ પરમં તપઃ
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (અમદાવાદ)નું સૂત્ર કેવું અર્થપૂર્ણ છે, ‘સ્વાધ્યાયઃ પરમં તપઃ’ અર્થાત સ્વાધ્યાય એ જ પરમ તપ છે. સ્વાધ્યાય દ્વારા જ માણસ પરફેક્ટ બને છે.

સેવા અસ્માકં ધર્મ
ભારતીય ભૂમિદળનું સૂત્ર છે : ‘સેવા અસ્માકં ધર્મ’ અર્થાત સેવા અમારો ધર્મ છે.

નભઃ સ્પૃશં દીપ્તમ
વાયુસેના (એરફોર્સ)નું સૂત્ર છે : ‘નભઃ સ્પૃશં દીપ્તમ’ એટલે કે આભને આંબતું અને વ્યોમમાં શોભતું. જોકે ભારતીય વાયુસેના (મેન્ટેનન્સ કમાન્ડ) નાગપુરનું સૂત્ર છે : ‘સર્વદા ગગને ચરેત’ એટલે કે હંમેશાં ગગનમાં વિહરતું.

શં નો વરુણઃ
નૌસેના (નેવી)નું સૂત્ર છે : ‘શં નો વરુણઃ’ એટલે કે વરુણદેવ આપણું રક્ષણ કરો !

એકાદ સૂત્ર અપનાવીએ
અહીં રજૂ કરેલાં તમામ સૂત્રો સંસ્કૃત ભાષામાં રચાયેલાં છે. આપણી સંસ્કૃત ભાષા કેટલી સમૃદ્ધ છે અને આપણને સંસ્કૃત ભાષા પ્રત્યે કેટલો બધો આદર છે એ આ સૂત્રો દ્વારા અને વિવિધ સંસ્થાઓમાં થતા તેના ઉપયોગ દ્વારા પુરવાર થાય છે. દરેક માણસે પોતાની લાઈફમાં આવાં કેટલાંક સૂત્રો અપનાવી લેવાં જોઈએ. આવાં સૂત્રો આપણને નૈતિક અધઃપતનમાંથી બચાવી શકે છે. યાદ રહે કે આ સૂત્રો ‘પોથીમાંનાં રીંગણાં’ ન બની રહેવાં જોઈએ. એનો સભાનપણે અને આદરપૂર્વક અમલ પણ થવો જોઈએ. સૂત્ર એ છે કે જેમાં કશોક પોઝિટિવ થૉટ હોય અને આપણું તો હિત હોય પરંતુ કોઈનુંય અહિત ન હોય. તમને સંસ્કૃત ભાષા ન આવડતી હોય તો ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં તમારું અંગત સૂત્ર અપનાવવાની તમને છૂટ છે.

સૌજન્ય : રીડ ગુજરાતી

Birth Anniversary (25-01)


1 ) Lodaria Jayshree Dhirendra Panachand
2 ) Mehta Smit Rajesh Natvarlal Kirchand
3 ) Sanghavi Krina Manish Chimanlal
4 ) Shah Harsha Kishore Umedchand
5 ) Shah Alpa Sandip Chimanlal
6 ) Sheth Darshna Hemal Dhirajlal Nyalchand

Friday, January 24, 2014

Ric Elias: 3 Things I Learned While My Plane Crashed


Ric Elias had a front-row seat on the plane that did an emergency landing in the Hudson River.  What went through his mind as the airliner went down? At the TED (Technology, Entertainment and Design) conference, Ric tells his story publicly for the first time.


Birth Anniversary (24-01)


1 ) Doshi Atul Manharlal
2 ) Gandhi Kinnari Vijay Ravichand
3 ) Mehta Grishma Ashok Rasiklal
4 ) Mehta Hardik Bharat Kantilal
5 ) Parekh Dr. Hasmukh Nagindas
6 ) Sanghavi Chitra Bipin Ratilal
7 ) Shah Rashmikant Jevatlal
8 ) Shah Kimi Pankaj Mugatlal
9 ) Shah Mona Kishore Umedchand
10) Shah Nila Mahesh Kushalchand
11) Shah Devi Hiten Hasmukh
12) Shah Padma Chimanlal
13) Sheth Malti Jayesh Vrajlal
14) Trevadia Pinkesh Gunvant Gopalji

Thursday, January 23, 2014

જીવનધર્મ તો શોધવો જ જોઇએ -ભૂપતભાઇ વડોદરિયા

વા હનના ટાયર ઉપર ‘ગુડઇયર’ નામ આપણે વાંચીએ છીએ. એમ થાય કે કોણ હશે એ ‘ગુડઇયર’? આજથી એકસો નેવુ વર્ષ પહેલાં એ જન્મ્યો હતો. અમેરિકામાં જન્મેલા આ માણસનું આપણી ઉપર એક ઋણ છે. રબ્બરનો ઉપયોગ શક્ય બન્યો તે ગુડઇયરને કારણે. રબ્બરની ચીજો પહેલાં પણ અનેક બનતી, પણ રબ્બર તાપમાં ગરમીમાં ઓગળી જાય છે, ગંધાઇ ઊઠે છે. એની ગંધ નાકને એટલી તો અસહ્ય લાગે છે કે અમેરિકામાં તાપમાં ઓગળીને ગંધાઇ ઊઠેલા આવા રબ્બરને જમીનમાં શબની જેમ દાટી દેવું પડતું હતું. ચાર્લ્સ ગુડઇયરે કંગાળ ગરીબી અને દેવાના ડુંર્રિીૂબેલી હાલતમાં મરી ગયો, પણ તે ‘કંઇક’ આપતો ગયો.
મહાત્મા ગાંધી બધું જ છોડીને ભારતની પ્રજાની જાગૃતિમાં પોતાની જીવનશક્તિ હોમી દે, મોતીલાલ નહેરુ ધીકતી વકીલાત છોડીને આઝાદીના જંગમાં ઝંપલાવે કે મહર્ષિ અરવિંદ ઉજ્જવળ કારકિર્દીનાં સ્વપ્ન જોવાનું છોડીને આત્મજ્ઞાનનો પંથ પકડે ત્યારે તેમાં તેમના જીવનધર્મનો નાદ સાંભળી શકાય છે. આપણા જીવનમાં રૂપિયા અને માનસત્તાનું ચલણ એટલું બધું વધી ગયું છે કે આપણે આજીવિકાને આપણી તમામ શક્તિઓના લિલામનું બહાનું બનાવી દીધું છે. આઇન્સ્ટાઇને પોતાની શોધોનો વેપાર કરવાની ના પાડી હતી અને વેપાર માટે કોઇ શોધ કરવાની ના પાડી હતી. તેમાં તેમના જીવનધર્મની સચ્ચાઇ બોલતી હતી. અગાઉ જેમને સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું હતું તે યહૂદી લેખક સિંગર એક છાપાના પ્રૂફરીડર છે. પ્રૂફ વાંચનારા સિંગર, તેની વાર્તાઓને લીધે, તેની નવલકથાઓને લીધે, ઘણાં બધાં વર્ષો લગી જીવશે. પ્રૂફરીડરની નોકરી એ તો આજીવિકાનું સાધન. માણસ આજીવિકા માટે ગમે તે સાધન મેળવે એનું બહુ મહત્ત્વ નથી. અગત્યનો સવાલ એનો જીવનધર્મ શું છે એ છે. આવો જીવનધર્મ બધા માણસોની બાબતમાં અમર કીર્તિ, નામના કે વેપારી લાભની ગુંજાશવાળો હોઇ ના શકે, પણ જીવનધર્મ એ માણસની પોતાની ખુશબો છે. આપણે આજીવિકાને કારકિર્દીના મોટા ચોકઠામાં વધુ ને વધુ ગોઠવવા માંડી છે ને આમ કરીને આપણે આજીવિકાની મર્યાદિત જરૂરિયાતને ભિક્ષુકની સદા અસંતુષ્ટ યાચનામાં ફેરવી નાખી છે.

જેમ વધુ ધન મળે, વધુ નામ મળે, વધુ માન મળે, વધુ પ્રભાવ કે સત્તા મળે તેમ આપણું કામ ઊંચું! નાટકમાં એક માણસ બરાબર રાજા બને છે, પણ તે ખરેખર રાજા નથી હોતો. નાટકમાં એેક માણસ ભિખારી બને છે, પણ તે ખરેખર ભિખારી હોતો નથી. ખરી ખૂબી ત્યાં જ છે કે તે ખરેખર શું કરે છે અને તેની નજર આગળ કે પાછળ કેટલી પહોંચ છે! કેટલીક વાર એવું બને કે માણસનો જીવનધર્મ જ એવો હોય છે કે તેણે અપ્રસિદ્ધિનો અંધકાર જ ઓઢી રાખવો પડે. મૃત્યુ મેળવવું સારું, પણ પારકો ધર્મ બજાવવામાં જબરું જોખમ છે. આજીવિકાનું સાધન જે હોય તે, આપણો કોઇ જીવનધર્મ તો શોધવો જ જોઇએ.


સૌજન્ય : શબ્દ પ્રીત

Birth Anniversary (23-01)


1 ) Doshi Pankti Virendra Manilal Ujamshi
2 ) Gandhi Krutik Bhavin Mahendra Govindji
3 ) Gandhi Jitesh Himatlal
4 ) Gandhi Himanshu Mahendra Dhirajlal
5 ) Mehta Surendra Jevantlal
6 ) Parekh Hasumati Chandrakant Keshavlal
7 ) Shah Paras Pradipkumar Vrajlal
8 ) Shah Himatlal Premchand

Wednesday, January 22, 2014

Cyclist Rides Down Wet Mountain Road At 50 Mph... Backwards

Eskil Ronningsbakken rides his bicycle backwards - sitting on the handlebars - down the 10% incline of Trollstigen in Norway.
Note: The speed was a maximum of 50 mph (80 km/h), slower of course when he was going around the tight curvese where he had to use the brakes.  Parts of the video are filmed with a helmet cam of another rider.   Trollstigen (English: Trolls' Path) is a serpentine mountain road in Norway and a popular tourist attraction due to its steep incline of 10% and eleven hairpin bends.  The pass has an elevation of approximately 850 metres (2,790 ft).   Music: "Elements" by Lindsey Sterling.


Birth Anniversary (22-01)


1 ) Lodaria Priti Mahesh Dalichand
2 ) Mehta Samveg Kaushik Arvind Sukhlal
3 ) Parekh Maulik Jagdish Kantilal
4 ) Parekh Haresh Kantilal
5 ) Shah Rohan Sandip Virendra Padamshi

Tuesday, January 21, 2014

તક બાય ચાન્સ- સ્નેહા પટેલ

“સરી ગયેલી તક જીવનમાં ફરી નથી મળતી.પણ હા, નવી તકો જરુર મળે છે”
‘તક’ આ બે અક્ષરોનો નાનકડો શબ્દ બહુ લપસણો અને સરકણો હોય છે. વળી મનમૌજીલો પણ ખરો. જીવનના કયા વળાંકે ક્યારે એ સામે ભટકાઈ જશે એનો કોઇ જ સમય કે ધારાધોરણો પહેલેથી નક્કી નથી હોતા. આપણે બસ આપણી સમજદારીના આંખ અને કાન ખુલ્લા રાખી સતત આપણી આજુ-બાજુ એની હાજરીની એંધાણીઓ શોધતા રહેવું પડે. સજાગ સાબદા રહેવું પડે છે અને જરાક પણ અણસાર આવે એટલે ચીલઝડપથી એનું પગેરું ચાંપીને ફટાક દેતાંક્ને એનો ‘થપ્પો’ કરી દેવો પડે છે. જરાક પણ ગફલત રહેવાનું ના પોસાય એમાં. જોકે સાચી તકો સમયસર સમજવી અને ઝડપવી એ સરળ નથી. અમુક સમયે તક જતી રહે ને આપણે બીજા જ જ રસ્તે તક્ને શોધતા ફરતા હોઇએ..
એક અમેરિકન લેખક હતા હોર્થોન. એમને પોતાની ગવર્નમેન્ટની સલામત નોકરીમાંથી એકાએક જ બરતરફી મળી. એ નિરાશાની ખાઇમાં ગર્ત થઈ ગયા. જીવનની કટોકટી ભરેલી આ પળોએ એમની વ્હારે આવ્યા એમના મિત્રતુલ્ય પત્ની. નિરાશાના વાદળોમાંથી આશાની રોશની શોધી કાઢી અને પતિના ટેબલ પર એક પણ અક્ષ્રરનો વાદ્-વિવાદ કર્યા વગર શાહીનો ખડીયો અને કલમ મૂકીને કહ્યું,
“ ઘણા વખતથી તમારા મગજમાં નવલકથા લખવાનો વિચાર રમતો હતો તો ઇશ્વરે હવે એ વિચારને પૂર્ણ કરવાની તક આપી છે. તો ઝડપી લો હવે.જે થયું સારા માટે જ થયું. “
હોર્થોને એ તક ઝડપી લીધી અને એમને પોતાની યાદગાર ક્રુતિ ‘ધી સ્કાર્લેટ લેટરનું’ સર્જન કર્યું અને એ પુસ્તક પોતાની પત્નીને સપ્રેમ અર્પણ કર્યું. આના જેવું સુંદર ઉદાહરણ બીજું કયું હોઇ શકે નિરાશામાંથી તક શોધીને એ તકનો યોગ્ય ઉપયોગ કરવાનું..!
તક અને મહેનત એ બેય ‘નસીબ’ નામના સિક્કાની બે બાજુ જેવી છે. દરેક માનવીના જીવનમાં અમુક તબકકે આ વાક્ય મોઢામાંથી સરી પડતું જ હશે કે,’અરે યાર…આટ-આટલી મહેનત કરીએ છીએ પણ શું થાય, નસીબ છે કે સાથ જ નથી આપતું. જીવનમાં આગળ વધવા એક જ ‘ચાન્સ-તક’ જોઈએ છે પણ એ હાથમાં આવતી જ નથી. મહેનત કરવામાં ક્યારેય પાછા નથી પડતા પણ તક હંમેશા ટપલીદાવ કરીને છટકી જ જાય છે શું કરવું આની અવળચંડાઇને હવે? ઘણા વ્યક્તિઓ બહુ જ પ્રેકટીકલ હોય છે.’અમે નસીબ બસીબમાં કંઇ નથી માનતા. મહેનત કરો મહેનત..તમને તમારા ભાગની મજૂરી મળી જ રહેશે. મહેનતના ફળ મીઠા જ હોય છે. તક બક તો આવે ને જાય..એવી ચિંતા નહી કરવાની’ જેવા સ્વસ્તિવચનો બોલ્યા કરતાં હોય છે. પણ એક વાર-બે વાર- ત્રણ વાર..બસ..મહેનતના ફળ પાક્યા વગર ટપ-ટપ જમીન પર પડવા માંડે અને નજર સામે જ ધૂળમાં રગદોળાઈને વેડફાતા લાગે ત્યારે જાત પરનો કાબૂ ગુમાવી, ધીરજ ખોઇને એ લોકો પણ રાતો રાત નસીબમાં માનતા થઈ જાય છે. ‘સાલ્લુ…નસીબ જ સાથ નથી આપતું..એક તક જોઇએ છે બસ..પછી જુઓ મારો સૂરજ કેવો મધ્યાન્હે તપે છે.’ પ્રારબ્ધ નામનો દેવ આવા લોકો પર સમય આવે રીઝે અને અણધારી રીતે જ કોઇ સોનેરી તક એમના જીવનમાં ધકેલી પણ આપે છે.પણ ત્યારે મુશ્કેલી એ આવે છે કે માણસો એ તકને સમજવા માટે અજાણ હોય છે.
આના સંદર્ભમાં એક જાણીતી વાત યાદ આવી. એક માણસને ભગવાન પર બહુ જ વિશ્વાસ હતો.એક વાર એ નદી પાર કરી હોડીમાં બેસીને શહેરમાં જતો હતો.રસ્તામાં ભયંકર વાવાઝોડું ફુંકાયું અને હોડી હાલક ડોલક થવા લાગી. એ માનવીને રસ્તામાં એક તૂટેલી હોડીનું લાકડું દેખાયું તો એણે વિચાર્યુ કે મારી રક્ષા કરનારો તો હજારહાથ વાળો બેઠો છે. મારે શું કામ આવા લાકડાની મદદ લેવી. મને મારા પ્રભુમાં અનહદ વિશ્વાસ છે. એમ કરીને એણે એ લાકડું જવા દીધું. તોફાન તો બંધ જ નહોતું થતું.ત્યાં પેલા માણસને એક તણખલું દેખાય છે તો પણ એ વ્યક્તિ ભગવાન જાતે આવીને એને બચાવશેની માળા જપતો બેસી રહે છે. છેલ્લે હોડી ડૂબી જાય છે અને પેલો માણસ ઉપર ભગવાન સમક્ષ ફરિયાદ કરે છે.’મેં તારી પર આટલો વિશ્વાસ રાખ્યો ને તું મારી મદદે ના આવ્યો. મેં તારી જોડે આવી અપેક્ષા તો નહોતી જ રાખી.’ ત્યાં પ્રભુએ કહ્યું,’હું બે વાર તારી મદદે આવ્યો..એક વાર તૂટેલ લાકડાના સ્વરુપે અને બીજીવાર તણખલાના સ્વરુપે. પણ તું સમજી ના શક્યો ને ફક્ત નસીબ અને શ્રધ્ધાના સહારે હાથ પર હાથ ધરીને બેસી રહ્યો. મળેલ તક સમજી ના શક્યો, ઝડપી ના શક્યો તો હું શું કરું? આમાં મારો વાંક ક્યાં?
આમ માનવી પોતાને કયા સ્વરુપે અને કયા સમયે તક રસ્તામાં ભટકાણી અને પોતે ક્યાં ચૂક્યા એ વાતોનું ધ્યાન આવે ત્યારે તો બહુ મોડું થઇ ગયું હોય છે. વધારામાં આ વેળા તો સાંપડેલી તક પોતે સમજી શક્યો નહીંનો વસવસો એને હેરાન પરેશાન કરીનાંખે છે.ચારેકોર જાણે ઘોર નિરાશાના વાદળો છવાઇ જાય છે. હતાશાની પળો એના દિલોદિમાગ પર કબ્જો જમાવી દે છે. અંદરોઅંદર તૂટતો જાય છે.
પણ એક વાત હંમેશા યાદ રાખો મિત્રો, આ દુનિયા એ ઉપરવાળાએ ગોઠવેલી એક ‘ઝીગ શો’ પઝલ ( નાના બાળકોની પૂંઠાના ટુકડાં જોડીને પિકચર બનાવવાની એક ગેમ)જ છે. એણે દરેકે દરેક પીસ એની યથાયોગ્ય જગ્યાએ ગોઠવીને જ આપણી આ જીદગી નામની ગેમ બનાવી છે. એક તસુભાર જેટલી ખોટ પણ ના હોય એની ગણત્રીમાં. બહુ અદભુત કલાકાર છે એ પણ. તમે બસ એની પર વિશ્વાસ રાખો. અખૂટ શ્રધ્ધા રાખો. આ તક ગઈ તો જાણે જીવન પતી ગયું કે અટકી ગયું જેવી નકારાત્મક લાગણીઓથી દૂર રહો. અરે આપણું જીવન તો જાત જાતની ભાત ભાતની તકોથી ભરપૂર છે. એક ગઈ તો બીજી નહી મળે એવું ક્યારેય ના વિચારો. બની શકે કે બીજીવાર કદાચ એનાથી પણ વધુ સારી તક તમારા નસીબના સિક્કામાં છપાયેલી હોય. માટે ફરીથી એક વાર સાબદા થઈ આંખકાન અને સમજશક્તિના દ્વાર ખુલ્લાં રાખીને મહેનત કરવાની લગન જીવંત રાખો.આ સડસડાટ સરકતી તકોની શું વિસાત કે તમારા હાથમાંથી ફરીથી છટકે? બસ તમારી મહેનત અને ઉપરવાળાના ન્યાયમાં શ્રધ્ધા અને થોડી ધીરજની જરુરત હોય છે.એ છેડા ભેગા થાય એ ક્ષિતીજની સીમાએ કેંઈ કેટલીય જાતની તકો હાથ ફેલાવીને તમારી રાહ જોતી’કને ઊભી જ છે. તો ઊઠો મિત્રો..રાહ કોની જુવો છો..મહેનત,,તક અને નસીબના ત્રિભેટે સફળતાનો સંગમ અચૂક થાય જ છે.જે તમારો બધો થાક ઉતારી કાઢશે. આખરે સફળતાનો, એમાંય રાહ જોઈ જોઈને, દિવસ-રાત એક કરીને મહેનત કરીને, તકોને સમજીને સદઉપયોગ કરીને મેળવેલ સફળતા તો જીવનની ગાડીમાં એકસ્ટ્રા માઈલેજ વધારી કાઢે છે.
- સ્નેહા પટેલ – અક્ષિતારક
સૌજન્ય : ધર્મધ્યાન

Birth Anniversary (21-01)


1 ) Gandhi Apurva Manharlal
2 ) Gholani Shreya Nimesh Pravinchandra Maganlal
3 ) Mehta Suryakant Rasiklal
4 ) Mehta Harshit Hasmukh Prabhashankar
5 ) Vora Rama Sureshchandra
6 ) Mehta Kalpen Tarun
7 ) Patel Bhairav Rajiv Trilokchandra
8 ) Sanghavi Apeksha Paresh Suryakant
9 ) Sanghavi Pravinchandra Harjivandas
10) Shah Binni Kekin Kantilal
11) Shah Ritik Manish Sevantilal
12) Shah Lilavanti Harilal
13) Sheth Hiral Jay Bipin Dalpatbhai
14) Sheth Rohan Ronak Manharlal
15) Sheth Kiran Kishor Revashankar

Monday, January 20, 2014

Smiling Monuments In Poland

Five well-known statues in Warsaw, Poland experienced a seemingly small, but significant change – they began to smile.

According to surveys, Poles are one of the least smiling nations in the world.  Blend-a-Med decided to make people smile more often and changed one of most long faced monuments into a smiling monument.  People responded and smiled back :)

Birth Anniversary (20-01)


1 ) Mehta Paras Suryakant Sukhlal
2 ) Mehta Rameshchandra Pranjivan
3 ) Mehta Hemlata Bharat Chandulal
4 ) Sanghavi Prachi Prakash Dharshibhai
5 ) Shah Nalini Lalitkumar Champaklal
6 ) Shah Nayna Rajendra Umedchand
7 ) Shah Dhiren Kishore Umedchand
8 ) Shah Sheetal Arvind Thakorlal

Sunday, January 19, 2014

હાસ્યપર્વ (રમૂજી ટૂચકાઓ) – સંકલિત

પત્નીએ પતિને પૂછ્યું : ‘જ્યારે આપણા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તો તમે મને ખૂબ સરસ નામોથી બોલાવતા હતા જેમ કે, ‘મારી રસમલાઈ, મારી રબડી, મારી બરફી…. વગેરે..’ તો હવે તમે મને એ નામોથી કેમ નથી બોલાવતા ?’
પતિ : ‘હા, તે પણ દૂધની મીઠાઈઓ આખરે કેટલા દિવસ તાજી રહે ?’
********
‘સાંભળ્યું….. ? પડોશીની દીકરીને વિજ્ઞાનમાં 99 માર્કસ આવ્યા.’
‘અરે વાહ, પણ એક માર્ક ક્યાં ગયો ?’
‘એ તમારો દીકરો લઈ આવ્યો.’
********
એક કવિએ પોતાની કવિતા વાંચવાની શરૂ કરી.
‘વરસાદ આવવા દો !’
અચાનક બધા શ્રોતાઓ ઊભા થઈને ચાલવા લાગ્યા. કવિએ નવાઈ પામીને પૂછ્યું : ‘અરે બધા આમ ક્યાં જાઓ છો ?’
‘છત્રી લેવા !’ જતાં જતાં એક શ્રોતાએ કહ્યું.
********

મગન : ‘બોલ છગન, તને બે મિનિટ માટે વડાપ્રધાન બનાવે તો શું કરે ?’
છગન : ‘મેગી બનાવું. બીજું તો શું કરું બે મિનિટમાં ?’
મગન : ‘ધારો કે પાંચ વર્ષ માટે બનાવે તો શું ધાડ મારે ?’
છગન : ‘ના રે બાપ, હું ના બનું પાંચ વર્ષ માટે.’
મગન : ‘કેમ ?’
છગન : ‘અરે, એટલી બધી મેગી ખાય કોણ ?’
********
ડોક્ટર : ‘સવારે, બપોરે અને રાત્રે ગોળીઓ બે ગ્લાસ પાણી સાથે લેશો.’
દર્દી : ‘ડૉક્ટર, ખરેખર મને શું બીમારી છે ?’
ડૉકટર : ‘તમે પૂરતું પાણી નથી પીતા.’
********
શિક્ષક : ‘કોઈ એવું વાક્ય બનાવો જેમાં ઉર્દૂ, હિંદી, પંજાબી, અંગ્રેજી બધું આવે.’
ટપુ : ‘ઈશ્ક દી ગલી વીચ નો એન્ટ્રી…’
********
સાયન્સના પ્રોફેસર : ‘ઓક્સીજન કી ખોજ 1773 મેં હુઈ થી.’
સન્તા : ‘થેન્ક ગોડ….. મૈં ઉસ સે પહેલે પૈદા હોતા તો મર જાતા !’
********
ભારતે મંગળ ગ્રહ પર મોકલેલું અવકાશયાન એટલું ધીમું ધીમું જાય છે કે જ્યારે તે મંગળ ગ્રહ પર ઉતરશે ત્યાં સુધીમાં…… દિપક ચોરસીયા કેમેરામેન મુકેશ સાથે એનું કવરેજ કરવા અગાઉથી પહોંચી ગયા હશે !
********
પત્ની : તમને શરમ નથી આવતી….હું એક કલાકથી બોલી રહી છું અને તમે દર મિનીટે બગાસાં ખાઓ છો……….
પતિ : હું બગાસાં નથી ખાતો……..હું કંઇક કહેવાનો પ્રયત્ન કરું છું…
********
એક વ્યક્તિને કાનમાં ચળ આવી એટલે એણે કાનમાં ચાવી ફેરવવાનું શરૂ કર્યું. થોડો સમય વીત્યા પછી એક વ્યક્તિએ કહ્યું,’ભાઈસાબ ! જો સ્ટાર્ટ ન થાય તો ધક્કો મારી દઉં ?’
********
મેન્ટલ હોસ્પિટલના ડૉક્ટરે એની પત્નીને કહ્યું : ‘આ પાગલોની સાથે રહીને હું અડધો પાગલ થઈ ગયો હોઉં એવું લાગે છે.’
પત્ની : ‘ક્યારેક તો કોઈ કામ પૂરું કરો.’
********
એક વ્યક્તિ ડૉકટર પાસે ગઈ અને કહ્યું : ‘હવે મારાથી પહેલા જેટલું કામ નથી થતું.’ ડૉકટરે બધા ટેસ્ટ કર્યા અને કહ્યું : ‘રોગ તો કંઈ નથી, તમે આળસુ થઈ ગયા છો.’
દર્દી : ‘આ વસ્તુને તમે ડૉકટરી ભાષામાં કહો જેથી હું મારી પત્નીને સમજાવી શકું.’
********
છાપરામાંથી પાણી ટપકતું હતું તે બંધ કરવા માટે છગને કડિયાને બોલાવ્યો.
કડિયાએ પૂછ્યું : ‘છાપરું ટપકે છે એની ખબર ક્યારે પડી ?’
છગન : ‘કાલે રાત્રે મને સૂપ પૂરો કરતાં બે કલાક લાગ્યા ત્યારે.’
********
પત્ની : ‘ ‘નારી’ નો અર્થ શું છે ?’
પતિ : ‘ ‘નારી’નો અર્થ છે શક્તિ.’
પત્ની : ‘તો પછી ‘પુરુષ’નો અર્થ શું છે ?’
પતિ : ‘સહન શક્તિ.’
********
છોકરીવાળા : ‘અમારે એવો છોકરો જોઈએ છે જે પાન, સિગારેટ, દારૂ કંઈ જ ન લેતો હોય, ફકત બાફેલું અને ઉકાળેલું ખાતો હોય અને દિવસ-રાત ભગવાનનું ભજન કરતો હોય.’
પંડિત : ‘એવો છોકરો તો તમને હોસ્પિટલના આઈ.સી.યુ. સિવાય બીજે ક્યાંય નહિ મળે !…’
********
વોટ્સ-અપ પર છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો : ‘ક્યાં છે તું ?’
છોકરી : ‘અત્યારે મારા પપ્પાની બી.એમ.ડબલ્યુ કારમાં ડ્રાઈવર મને કલબમાં છોડવા જઈ રહ્યો છે. હું સાંજે મળીશ. તું ક્યાં છે ?’
છોકરો : ‘અમદાવાદની સીટી બસમાં તારી પાછળની સીટ પર બેઠો છું અને હા, મેં તારી ટીકિટ લઈ લીધી છે, એટલે તું લેતી નહીં…..’
********
સૌજન્ય : રીડ ગુજરાતી

Birth Anniversary (19-01)


1 ) Prabhu Jigna Manish (Shashikant Shantilal Doshi )
2 ) Mehta Deepika Harshad Jayantilal Sukhlal
3 ) Mehta Lata Jitendra Hiralal
4 ) Late Mehta Chandrakant Vanechand
5 ) Parekh Sweta Bharat Jayantilal
6 ) Parekh Kinjal Narendra Shantilal
7 ) Shah Sharvari Jatin Navnitlal
8 ) Sheth Maitri Nikhil Shantilal
9 ) Sheth Parthik Narendra Dayalal
10) Solani Geeta Jayesh Dhirajlal Mohanlal

Saturday, January 18, 2014

The Best 'Wow, That Went Well!' 2013

A compilation of moments in which some skill or event went extremely well or even better than expected.Clips of some favorite wins from 2013 in one big wins compilation in a "People Are Awesome" style video. 
Great scenery and action with people that love huge challenges.  Or shall we say daredevils!   Song: "Time Of Our Lives" by Harlin James.


Birth Anniversary (18-01)


1 ) Mehta Ajit Natvarlal
2 ) Mehta Viral Hasmukh Ambavidas
3 ) Mehta Chandrika Deepak Narottamdas
4 ) Mehta Kumud Prakash Kantilal
5 ) Sanghavi Vinod Khushalchand
6 ) Shah Manish Navinbhai
7 ) Shah Dhara Dinesh Dhirajlal
8 ) Sheth Nilesh AJit Chandrakant

Friday, January 17, 2014

Quotes on Forgive and Forget

 (1) A happy marriage is the union of two good forgivers.
(2) Oscar Wilde;,” Always forgive your enemies, nothing annoys them so much.”
(3) Darkness cannot drive darkness out; only light can do that. Hate cannot drive hate out; only love can do that.
(4) Gandhi,” the weak can never forgive. Forgiveness is the attribute of the strong.”
(5) I forgive people, but that does not mean I trust them.
(6) One of the keys to happiness is a bad memory.
(7) Forgive and Forget, NOT revenge and regret.
(8) Forget what hurt you but never forget what it taught you.
(9) I don’t forgive people because I’m weak. I forgive them because I’m strong enough to know people make mistakes.
(10) My plan is to forgive and forget. Forgive myself for being stupid and forget you ever even existed.
(11) The first to APOLOGIZE is the bravest. The first to forgive is strongest and the first to forget is the happiest.

Compiled by :Hazari Amrut M.

Birth Anniversary (17-01)


1 ) Mehta Priyank Nilesh Arvind Sukhlal
2 ) Mehta Bhavna Naresh Manharlal
3 ) Mehta Jyotsna Jashwantrai Revashankar
4 ) Parekh Saloni Ashwin Narbheram
5 ) Sanghavi Yash Hitesh Chimanlal
6 ) Sanghavi Kasturchand Jetshi
7 ) Shah Saumya Sanjay Hiralal
8 ) Shah Paresh Hasmukhrai
9 ) Shah Bimal Mukesh Maganlal
10) Shah Dr. Priti PArag Anopchand
11) Shah Sarlaben Chandravadan
12) Shah Kirit Kantilal
13) Shah Bhavini Bipin Ratilal
14) Sheth Avni Devang Suryakant Ravichand
15) Solani Viral Jayesh Dhirajlal Mohanlal

Thursday, January 16, 2014

Summertime Skiing Through The Rainforest

Summertime skiing through a lush temperate rainforest in the middle of July - backfliping through old growth trees to huge airs over raging summer creeks.
 "How did they do that?!"  An excerpt from Sweetgrass Productions' "Valhalla," a ski movie "exploding the boundaries of the genre, opening the eyes and melting the hearts of any story-loving soul."  It follows one man's escape into the Northern woods and his wild journey towards satisfaction, understanding, and love.
Starring Zack Giffin, Karl Fostvedt, Eliel Hindert & Sander Hadley.  Presented by Patagonia.  Directed by Michael Brown & Ben Sturgulewski.  Music: "Om Nashi Me" by Edward Sharpe.


Birth Anniversary (16-01)


1 ) Doshi Yashika Jitin Jaysukhlal Shantilal
2 ) Lodaria Amit Ravichand
3 ) Mehta Kapil Dinesh Jatashankar
4 ) Sanghavi Eshita Hasmukh Chimanlal
5 ) Sanghavi Rachana Kishore Shantilal
6 ) Shah Rushabh Vijay Anopchand
7 ) Shah Yogesh Hasmukhrai

Wednesday, January 15, 2014

સુખી થવાનો સરળ ઉપાય – મોરારિબાપુ

માણસ હોય કે પશુ-પક્ષી હોય, દરેક જીવને સુખી થવું ગમે છે. દરેક માણસ પોતાના ધર્મસ્થાનમાં, ધર્મગુરુ પાસે કે વડીલો પાસેથી સુખનાં આશીર્વાદ ઈચ્છે છે. કબીર અને કુંતી જેવા બહુ ઓછા છે જે સુખ ઉપર પથ્થર પડે તેવું ઈચ્છે છે અને ઈશ્વર પાસે દુઃખ માગે છે. માનવીનાં હૃદયમાંથી પ્રેમ જન્મે છે અને મગજમાંથી બુદ્ધિ જન્મે છે. પ્રેમ હંમેશા સારો જ હોય છે જ્યારે બુદ્ધિ બે પ્રકારની હોય છે : (1) સદબુદ્ધિ (2) કુબુદ્ધિ. જેને સુમતિ અને કુમતિ પણ કહી શકાય. જ્યાં સુમતિ હશે ત્યાં સુખ હશે અને જ્યાં કુમતિ હશે ત્યાં દુઃખ હશે. આજે સૌને સુખનાં પ્રદેશમાં જવું છે. જે ચોરી અને લૂંટફાટ કરે છે એમનો ઈરાદો આ રીતે સુખી થવાનો હોય છે પણ એ કુમતિથી અપનાવેલો કુમાર્ગ છે અને એકપણ કુમાર્ગ સુખ સુધી જતો નથી. ઘણાં લોકો સુખ સુખી પહોંચવા માટે સંપત્તિનો વાહન તરીકે ઉપયોગ કરે છે પરંતુ પાયાની વાત એ છે કે સંપત્તિથી સત્તા, સાધનો અને સગવડ ખરીદી શકાય પરંતુ સુખની ખરીદી શક્ય નથી. સંપત્તિથી અદ્યતન શયનખંડ બનાવી શકાય પણ અદ્યતન શયનખંડનાં માલિક હોવું એ સુખ નથી. પરંતુ પથારીમાં પડતાંની સાથે ઘસઘસાટ ઊંઘ આવી જાય તે સુખ છે. સંપત્તિથી મોંઘામાં મોંઘી દવાઓ ખરીદી શકાય પરંતુ દવાઓ દ્વારા નિરોગી થઈ શકાય તો સુખ મળે. સુખ ઈલાજમાં નથી પરંતુ નિરોગી થવામાં છે. સંપત્તિથી કિંમતી પુસ્તકો ખરીદી શકાય પરંતુ સુખ પુસ્તકો ખરીદવામાં નથી પરંતુ એને વાંચીને-સમજીને રાજી થવામાં છે. માટે સુખી થવું હોય તો સંપત્તિ કરતાં સુમતિ વધુ ઉપયોગી છે.
શ્રીમદ ભગવદગીતામાં જે સત્વ, રજસ અને તમસ એમ ત્રણ ગુણની વાત છે તે ત્રણે ગુણો રામાયણમાં પ્રસંગ સ્વરૂપે જોવા મળે છે. ભગવાન રામ વાલીપુત્ર અંગદને રાજદૂત બનાવીને રાવણની સભામાં સમાધાનની વાત કરવા મોકલે છે અને સૂચના આપે છે કે રાવણનું કલ્યાણ થાય અને આપણું કામ થાય તે રીતે ગોષ્ઠી કરજે. અહીં ભગવાન પહેલા લંકેશનાં કલ્યાણની વાત કરે છે અને ત્યારબાદ પોતાના કામની ઈચ્છા રાખે છે. અહીં અંગદ સુમતિ છે. રાવણની સભામાં વિભિષણ સત્વગુણી છે, લંકા રજોગુણી છે અને રાવણ તમોગુણી છે. દ્વાપરમાં કુરુક્ષેત્રનાં મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ગીતાનું જ્ઞાન આપે છે ત્યારે જે ત્રણ ગુણોની ચર્ચા કરે છે તે ત્રેતાયુગમાં પ્રસંગ બનીને ભજવાય છે. ગીતામાં યોગ છે તેનો રામાયણમાં પ્રયોગ છે. મહાભારતનું યુદ્ધ જમીન એટલે જડ તત્વ માટે છે જ્યારે રામાયણનું યુદ્ધ જાનકી એટલે જીવંત તત્વ માટે છે, અત્યારે જડ તત્વ માટેનાં યુદ્ધ વધી ગયા છે. રજોગુણી લંકામાં તમોગુણી રાવણ પાસે સત્વગુણી વિભિષણની સાક્ષીએ સુમતિ અંગદ રાજદૂત બનીને આવે છે. વિભિષણમાં સત્વગુણ હોવાથી એનાં વચનમાં પાંચ શુભ તત્વો જોવા મળે છે : (1) વિચાર (2) વિશ્વાસ (3) વિવેક (4) વિરાગ (5) વિશ્રામ. આ પ્રસંગ બાદ વિભિષણ ઉર્ધ્વગતિ કરે છે. લંકા ત્યાંની ત્યાં રહે છે અને રાવણની અધોગતિ થાય છે. આવી એક સભા મહાભારત વખતે પણ જોવા મળે છે જ્યાં હસ્તિનાપુર રજોગુણી છે, પાંડવો સત્વગુણી છે અને કૌરવો તમોગુણી છે.
રામાયણમાં કેવટ, વિભિષણ અને સુગ્રિવને રામનાં મિત્ર માનવામાં આવ્યા છે જેમાં કેવટ અને વિભિષણ મિત્ર ઓછા અને સેવક વધુ છે, જ્યારે સુગ્રિવ સાચા અર્થમાં સખા છે. પરિણામે કેવટ રામનાં ચરણ સુધી પહોંચી શક્યો, વિભિષણ રામનાં કાન સુધી પહોંચી શક્યા અને સુગ્રિવનું માથું રામનાં ખોળામાં હોવાથી કહી શકાય કે સુગ્રિવ રામની ગોદ સુધી પહોંચી શક્યો. પરંતુ એક વાત ચોક્કસ છે કે ત્રણે પાસે સુમતિ હતી તો રામનાં હૃદય સુધી પહોંચી શક્યા, માટે ઈશ્વર સુધી પહોંચવા માટે સુમતિનું હોવું ફરજિયાત છે. આજનો માણસ સુખ સુધી પહોંચવા માટે સંપત્તિનો આશ્રય કરે છે અને શિવ સુધી પહોંચવા માટે શુષ્ક કર્મકાંડનો આશ્રય કરે છે, જ્યારે બન્નેનો ઉપાય સુમતિ છે, તો સવાલ થાય કે સુમતિ મેળવવા માટે શું કરવું જોઈએ ? તો એનાં પાંચ રસ્તા છે.
(1) હરિનામ : ઈશ્વરનું નામ સાધકની કુમતિ દૂર કરીને સુમતિ આપશે. ઘણીવાર માણસો માળાની ટીકા કરતાં હોય છે. જો માળા ફેરવીએ તો એમ કહે કે ભગવાનનું નામ લેવામાં ગણતરીની જરૂર નથી અને ન ફેરવીએ તો એમ કહે કે દેખાવ માટે માળા રાખી છે, પરંતુ ફેરવતા નથી. જ્યારે હું એમ કહું છું કે જો માળા ફેરવી શકાય તો સારી વાત છે બાકી ફેરવી ન શકાય તો પણ માળા રાખવી. આપણાં ખિસ્સામાં પંદરસો રૂપિયા હોય અને બસ કે ટ્રેનમાં મહુવાથી ભાવનગર જવાનું હોય તો માનસિક શાંતિ રહેશે કે વાહન ચૂકી જઈશું તો ટેક્સી કરીને પણ ભાવનગર પહોંચી જઈશું. કારણ ખિસ્સામાં દોઢ હજાર રૂપિયા છે, જો માત્ર દોઢ હજાર રૂપિયા યાત્રાને નિર્ભય બનાવી શકે તો અમૂલ્ય એવી માળા અનંતની યાત્રાને જરૂર નિર્ભય બનાવી શકે છે, માટે માળા જરૂર રાખવી અને કદાચ ન રાખી શકો તો જે રાખે છે એમની ટીકા ન કરો તો પણ સુમતિ આવી ગણાશે.
(2) સત્સંગ : સત્સંગનો સંકીર્ણ અર્થ કરશો નહીં. કોઈ ધાર્મિક સ્થાનમાં, ધાર્મિક દેખાતા માણસ પાસેથી ધર્મની ચર્ચા સાંભળો તો જ સત્સંગ થયો ગણાય એવું નથી. કોઈ પણ જ્ઞાતિનાં અને કોઈપણ ક્ષેત્રનાં સજ્જન માણસ પાસે કોઈપણ સ્થળે થયેલી કોઈપણ વિષયની સારી ચર્ચા સત્સંગ છે. ઉદાહરણ તરીકે કોઈ વાલ્મિકી કે દેવીપૂજક સમાજનો માણસ જે રીક્ષાચાલક છે, તેની રીક્ષામાં બેસીને ચાલુ પ્રવાસે કોઈ સારા વિષય ઉપર ચર્ચા થઈ શકે તો એ સત્સંગ છે. બાકી ધર્મનાં માંડવા નીચે સત્સંગનાં નામે કોઈ સાત્વિક ચર્ચા ન થાય તો એ સત્સંગ નથી પરંતુ કુસંગ છે.
(3) ભગવતકથા : કોઈપણ પ્રકારની કથા જો સરળ હોય, સબળ હોય અને સજળ હોય તો તે સાંભળવાથી સુમતિનું કેન્દ્ર સક્રીય બનશે – આ કથા કદાચ ધાર્મિક ન હોય પરંતુ પ્રેરણાદાયી હોય તો પૂરતું છે.
(4) સુસાહિત્યસંગ : સાહિત્ય-સંગીત-નાટક વગેરે અલગ-અલગ પ્રકારની આર્ટ છે અને આર્ટ હંમેશા હાર્ટમાંથી આવે છે, હૃદયમાંથી જન્મે તે કળા છે અને મગજમાંથી જન્મે તે વેપાર છે. પરંતુ સાહિત્ય સુસાહિત્ય હોવું જોઈએ. દરેક કલાકાર અન્ય કલાકારની કળાને વધાવી વખાણી શકશે તો સુમતિ સક્રીય થશે બાકી ઈર્ષ્યાની આગમાં સળગશે તો એ આગમાં એની સુમતિ સળગી જશે જે બીજાની સુમતિને જગાડી શકશે નહીં માટે કળાકાર-સાહિત્યકાર સુમતિ મેળવે અને પોતાને મળેલી ઈશ્વરદત્ત ભેટ દ્વારા બીજાની સુમતિને સક્રીય કરે તે ઈચ્છનીય છે.
(5) ઈશકૃપા : ઈશ્વરની કૃપા એ સુમતિ પામવાનું પાંચમું અને અંતિમ દ્વાર છે. આપણે હરીનામ લઈએ, સત્સંગ કરીએ, ભગવતકથા સાંભળીએ, સુસાહિત્યનો સંગ કરીએ પણ ઈશ્વરકૃપા ન હોય તો સુમતિ મળતી નથી.
આપણી મતિ ચાલાકી અને હોશિયારીનું સ્વરૂપ ધારણ કરે તે પહેલા હરિનામ, સત્સંગ, કથાશ્રવણ, સુસાહિત્યસંગ દ્વારા દિક્ષીત થાય અને એના ઉપર ઈશકૃપા અવતરે અને મતિ સુમતિ બને તે જરૂરી છે અને સુમતિ માણસને સુખ સુધી લઈ જશે, સુમતિ જીવને શિવ સુધી લઈ જશે.

સૌજન્ય :રીડ ગુજરાતી

Birth Anniversary (15-01)


1 ) Gandhi Maitri Shailesh Nyalchand Mansukhlal
2 ) Gholani Vaishali Parin Manhar Dhirajlal Somchand
3 ) Gholani Viral Keyur Mahesh Balachand
4 ) Mehta Atul Chamanlal
5 ) Mehta Rajeshree Chetan Natvarlal Kirchand
6 ) Parekh Chandrakant Keshavlal
7 ) Parekh Shaila Jayesh Prabhulal
8 ) Shah Bharat Jevatlal
9 ) Shah Pearl Atul Gunvantrai
10) Shah Yug Bhavik Chandravadan

Tuesday, January 14, 2014

Driving To The North Pole In A Pickup Truck - Top Gear

What is the best way to travel to the North Pole? Husky dogs or a Toyota pickup truck? No one has ever gotten to the North pole by car.
Watch this Top Gear Special and find out if Jeremy Clarkson and James May will succeed in reaching it on four wheels.

Timeline: On April 6, 1909, Robert Peary claimed to be the first person in recorded history to reach the North Pole.  He traveled with the aid of dogsleds and three separate support crews who turned back at successive intervals before reaching the Pole. -  The first persons to reach the North Pole on foot (or skis) and return with no outside help, no dogs, air planes, or re-supplies were Richard Weber (Canada) and Misha Malakhov (Russia) in 1995. No one has completed this journey since. -  On 2 May 2007, BBC's Top Gear reached the North Pole in a modified Toyota Hilux. -  On April 26, 2009, Vassily Elagin, Afanassi Makovnev, Vladimir Obikhod, Sergey Larin, Alexey Ushakov, Alexey Shkrabkin and Nikolay Nikulshin after 38 days and over 2,000 km (1,200 mi) (starting from Sredniy Island, Severnaya Zemlya) drove two Russian built cars "Yemelya-1" and "Yemelya-2" to the North Pole.