Friday, February 7, 2014

Amazing Dog Tricks 2014

Jesse the Jack Russell Terrier can do somersaults, walking hand-stands, drive a car, roll atop a ball, ride a scooter, jump rope, skate-board, and more!

Birth Anniversary (07-02)










1) Doshi Devansh Parag Jashwantlal
2) Doshi Sidhdharth Yogesh Manharlal Chaturdas
3) Mehta Jigar Pravinchandra Amritlal
4) Mehta Jayantilal Jevantlal
5) Patel Manisha Dhiren Anantrai
6) Sanghavi Deval Akshay Bipin
7) Shah Kunal Ashok Pravinchandra
8) Shah Harsh Jatin Chimanlal


Thursday, February 6, 2014

Death




Native :Morbi
Currently At : Dadar, Mumbai

Name of the deceased :Kalavantiben Balwantrai Mehta
Age : 81 Years
Date of Death : 04-02-2014.  

Husband : Late Balwantrai Chandulal Mehta
Sons : Late Rameshbhai, Bharat, Bhupendra, Rajesh 
Daughter-in-Law : Jyotiben
Daughters :Aruna, Rekha 
Grand Children : Rohan, Varun
Father -in-Law  : Late Chandulal Abhechand Mehta
Father : Late Shivlal Hemchand Shah
May Her Soul rest in eternal peace

મોરબી (હાલ દાદર) સ્વ. બળવંતરાય ચંદુલાલ અભેચંદ મહેતાના ધર્મપત્ની કળાવંતીબેન (ઉં. વ. ૮૧) ૪-૨-૧૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રમેશભાઈ, ભરત, ભુપેન્દ્ર, રાજેશ, અરૂણા, રેખાબેનના માતુશ્રી. જ્યોતીબેનના સાસુ. રોહન, વરૂણના દાદી. પીયર પક્ષે શીવલાલ હેમચંદભાઈ શાહના દીકરી. પ્રાર્થના ૬-૨-૧૪ના ગુરુવારે ૧૦ થી ૧૨. ઠે. યોગી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઈ). (લૌકિક વહેવાર બંધ છે).

તો ક્યા ફાયદા, તુમ ગીતા પઢો યા કુરાન…?-દીનેશ પાંચાલ


નાનપણમાં અમે મામાને ત્યાં ફરવા જતા. મામા મજાકમાં પુછતાં, ‘બોલો અક્કલ બડી કે ભેંસ… ?’ અમે બધા છોકરાઓ સમુહસ્વરમાં બોલી ઉઠતાં – ભેંસ… !’ અક્કલની ઉંચાઈ માપવા માટે બુદ્ધીની મેઝરટેપ જોઈએ; પણ તે વખતે અક્કલ દુધીયા દાંત જેવી કુમળી… આંખોની ફુટપટ્ટી વડે જે મોટું જણાતું તે અમને મોટું લાગતું. આજનાં બાળકો ખાસ્સાં પરીપકવ હોય છે. તેમની સામે ચોકલેટ અને સો રુપીયાની નોટ ધરવામાં આવે તો તેઓ ચોકલેટ નહીં; સોની નોટ લઈ લે છે. (ત્રીજા ધોરણમાં ભણતા વીદ્યાર્થીને પુછવામાં આવ્યું, ‘કુંભમેળો ઉપયોગી કે વીજ્ઞાનમેળો…’ તેણે જરા વીચારીને જવાબ આપ્યો : ‘વીજ્ઞાનમેળો’… સુંદર જવાબ)
એકવાર ટીવી પર બાળકો ટીવી સીરીયલ જોઈ રહ્યાં હતાં. બન્યું એવું કે નાયીકાને ઉલટી થવા લાગી. એ સમયે એક બાળકે બીજા બાળક તરફ જોઈને અર્થસુચક સ્મીત કર્યું. બીજાએ બન્ને હાથના આંગળા એકમેકમાં ભીડી પારણું ઝુલાવવાની એક્ટીંગ કરતાં ‘ઉંવા… ઉંવા’ એવો અવાજ કાઢ્યો. કશાય પદ્ધતીસરના શીક્ષણ વીના આજનાં બાળકો ઘણું જાતીય જ્ઞાન ધરાવતાં હોય છે. તેમને સતત પ્રશ્નો થતા રહે છે. તેમનામાં શ્રદ્ધાવાદ કરતાં બુદ્ધીવાદ વધુ ઝડપથી વીકસી રહ્યો છે. એ સારી નીશાની છે. અન્ધશ્રદ્ધા સામેની તેમની પ્રતીકારક શક્તી વીશેષ છે. પુજાની અગરબત્તી કરતાં કાચબાછાપ અગરબત્તીની ઉપયોગીતા તેમને વીશેષ જણાય છે. મન્દીરના ઘંટ કરતાં નીશાળના ઘંટ જોડે તેમને વધુ ઘરોબો છે. એક વાર આ સ્થળેથી લખ્યું હતું – ‘દેશની વસતી પ્રતી સેકન્ડે ટાઈમ–બૉમ્બના ટાઈમરની ગતીએ વધી રહી છે. એ સંજોગોમાં સમાજને નાળીયેર કરતાં નીરોધ વધુ ઉપયોગી છે.’ એક ચૌદ વર્ષના છોકરાએ એ ટાઈટલ લાયબ્રેરીમાં તેના બીજા મીત્રને બતાવીને કહેલું – ‘વાત સાચી છે.’ (સીત્તેર–એંશી વર્ષ પહેલાના કોઈ કીશોરને આ વાત સાચી ન લાગી હોત; બલકે નીરોધ એટલે શું એ પ્રશ્ન પર જ તે મુંઝાઈ ગયો હોત !)
આપણી મુળ વાત શ્રદ્ધાની સરખામણીમાં જીન્દગીની નક્કર જરુરીયાતો કેટલી મહત્ત્વની હોય છે તે અંગેની છે. અબીલ, ગુલાલ, કંકુ, લોબાન કે અગરબત્ત્તી એ શ્રદ્ધાનાં સાધનો છે; પરન્તુ શ્રદ્ધાપુર્તી એ પેટપુર્તી પછીના ક્રમે આવતી બાબત છે. માનવ–વસતીમાં શ્રદ્ધાવાદ કરતાં ભૌતીકવાદનાં મુળીયાં ઉંડાં છે. ઈશ્વરપુજા વીના જીવી શકાય; પેટપુજા વીના નહીં ! માણસને પ્રભુ વીના ચાલે; પંખા વીના નહીં. હમણાં એક મન્દીરમાં મેં ભગવાનની મુર્તીને માથે પંખો ફરતો જોયો. મુર્તીને પવનની જરુર હોય તો માણસને કેમ નહીં ? પણ અમે જે ધર્મશાળામાં ઉતર્યા હતા ત્યાં બધી રુમોમાં એક પણ પંખો નહોતો !
આજના વીજ્ઞાનયુગમાં બીલીપત્ર કરતાં બકનળી (ટેસ્ટટ્યુબ)નું મહત્ત્વ વીશેષ છે. આસ્તીક અને નાસ્તીકને સરખી ભુખ લાગે છે. આસ્થા એ આત્માનો ખોરાક છે. દાળરોટી એ પેટની જરુરીયાત છે. કુદરતે વ્યવસ્થા જ એવી કરી છે કે માણસને શ્રદ્ધા કરતાં શીરામણની વધુ જરુર પડે છે. શ્રદ્ધાળુઓ એકાદ–બે ઉપવાસ કરી શકે; આખી જીન્દગી ભુખ્યા રહી શકતા નથી. ભગવાન વીના તેઓ જીવી શકે; પણ માણસ વીના એમનું કામ અટકી પડે. મન્દીર વીના ચાલી શકે; પણ સંડાસ વીના નહીં. સ્નેહ વીના જીવી જવાય; પણ શ્વાસ વીના નહીં. કોઈ પીઅક્કડને પુછજો. તે કહેશે, ‘મન્દીર વીના ચલાવી લઉં; પણ મદીરા વીના નહીં.’
મુળ વાત એટલી જ, માણસને શ્રદ્ધા કરતાં સાધનોની વધુ જરુર પડે છે. કોઈ કથાકારને ઑપરેશન કરાવવું જ પડે એવું હોય, ત્યારે તેણે મન્દીરનાં નહીં; હૉસ્પીટલમાં પગથીયાં ચઢવાં પડે છે. સંસાર છોડીને સાધુ બની ગયેલા લોકોને પણ જીવનજરુરીયાતનાં સાધનોની જરુર પડે છે. બસ–ગાડીમાં મુસાફરી કરવાને બદલે પગપાળા ભ્રમણ કરનારા સંતોનેય ચંપલ કે પાવડી વીના ચાલતું નથી. જૈન ધર્મના ઘણા વયોવૃદ્ધ સાધુ–મુનીઓ વ્હીલચેરમાં બેસી ભ્રમણ કરે છે. વીજ્ઞાનનો ઘોર વીરોધ કરતાં એ ગુરુઓ ધર્મપુસ્તકો વાચતાં પુર્વે આંખે ચશ્માં ચઢાવવામાં કશો છોછ અનુભવતા નથી. દાંતનું ચાડું પહેરવામાં પણ એમને વીજ્ઞાન પ્રત્યેનો તીરસ્કાર આડે આવતો નથી. સરદર્દ ઉપડે ત્યારે તેઓ પ્રભુને પ્રાર્થના કરતા નથી; પેરાસીટામોલ ટેબ્લેટ ગળી લે છે. એપેન્ડીક્સનું ઑપરેશન કરવાનું હોય ત્યારે તેઓ થોડાક સમય પુરતી વીજ્ઞાન પ્રત્યેની ઘૃણાને બાજુ પર રાખી હૉસ્પીટલમાં દાખલ થઈ જાય છે. ગંગાજળને જીવનજળ સમજતો સાધુ–સંત બીમાર પડે ત્યારે તેને ગંગાજળના નહીં; ગ્લુકોઝના બાટલા ચઢાવવા પડે છે. (જહાં કામ આવત સુઈ, વહાં ક્યા કરે તલવારી ?)
જે દીવસે ઈશ્વરની આરતી કરવાથી એઈડ્સ સાજો થઈ શકશે તે દીવસે નાસ્તીક લોકો પણ કાનની બુટ ઝાલીને શ્રદ્ધાળુ બની જશે. ઉનાળામાં પ્રસ્વેદની પીડા પંખાથી જ દુર થઈ શકે; પરમેશ્વરથી નહીં. (પરમેશ્વરને તો ખુદ મન્દીરમાં પંખો જોઈએ છે !) ક્યારેક થીજાવી દે એવી કાતીલ ઠંડી પડે છે ત્યારે ઈશ્વરના પ્રખર ભક્તને પણ શ્રદ્ધાનું આવરણ પુરું પડતું નથી. (શ્રદ્ધા સોલાપુરી ચારસાનો વીકલ્પ બની શકતી નથી) ભુખ લાગે ત્યારે ભગવાનની નહીં; ભાખરીની જરુર પડે છે. રોજ ગીતાના ચાર અધ્યાય વાંચવાનો તમારો પાકો ક્રમ હશે. તોય કેન્સર થયું હશે તો ગંગાજળ પીવાથી કે ચારધામની યાત્રા કરવાથી નહીં મટે. તે માટે કેન્સરની હૉસ્પીટલમાં દાખલ થવું જ પડે. શ્રી. હરીને રોજ ‘સાહેબજી’ કરી હોય તે ત્યાં કામ આવતી નથી.
જીવનમાં ડગલે ને પગલે શ્રદ્ધા કરતાં સાધનોનું આટલું મહત્ત્વ રહ્યું હોય ત્યારે સાધનોની જાળવણી જરુરી છે. જીવન એ જીવાત્માનું પ્લેટફોર્મ છે. જીવ મુસાફર છે. જીન્દગી એનો રસ્તો છે. એથી જીવ અને જીવનની પુરા આદરથી જાળવણી કરવી એ સૌનો જીવનધર્મ છે. ગોધરામાં ટ્રેનનો ડબ્બો સળગાવ્યા બાદ ઠેરઠેર માણસોને જીવતા જલાવી મુકવામાં આવ્યા. જીવ અને જીવન બન્ને સળગ્યાં. એમાં ન તો રામ રાજી થયા; ન અલ્લાને આનન્દ થયો. જીવતો જાગતો માણસ રહેંસાઈ જાય પછી સલામત રહેલી શ્રદ્ધા, બકરી કપાઈ ગયા પછી બાજુમાં પડેલા છરા જેવી હોય છે, એવી જીવલેણ શ્રદ્ધાને માથે આપણે કુરબાની કે શહીદીનું લેબલ લગાવી દઈએ છીએ. આગજનીને ધર્મયુદ્ધમાં ખપાવી દેવાય એનાથી મોટો ધાર્મીક દંભ બીજો એકે નથી. રામ–રહીમ માંહોમાહે કપાઈ મરે છે, ત્યારે ઈશ્વર અને અલ્લાનું અરણ્યરુદન માણસના કાન સુધી પહોંચતું નથી. કેટલા હીન્દુ મર્યા કે કેટલા મુસ્લીમ એવી ચર્ચા થાય છે. ખરો હીસાબ તો કેટલા માણસો મર્યા એનો કાઢવો જોઈએ. ડાબો હાથ કપાય કે જમણો; દેહને સરખી વેદના થાય છે. તમારી આંખો ફોડી નાખતાં પુર્વે કોઈ તમને પસંદગીની તક આપતા પુછે – ‘ડાબી ફોડું કે જમણી.. ?’ તો તેનો કોઈ આનન્દ થાય ખરો ?
આપણી કમનસીબી એ છે કે આપણે હીન્દુ કે મુસ્લીમને મરતાં જોઈએ છીએ પણ ઈશ્વર કે અલ્લાના આઘાતને જોઈ શકતા નથી. આ પૃથ્વીલોકમાં છાસવારે બુદ્ધીનાં ઉઠમણાં થતાં રહે છે અને માનવતાનાં મૈયત પર જીન્દગીઓ કુરબાન થતી રહે છે. બચુભાઈ એથી જ કહે છે – ‘ઈન્સાન અગર ઈન્સાન કો કરે કુરબાન; તો ક્યા ફાયદા, તુમ ગીતા પઢો યા કુરાન… ?

http://govindmaru.wordpress.com/ માંથી સાભાર


Birth Anniversary (06-02)


1 ) Mehta Milan Yogesh Natvarlal
2 ) Mehta Darshan Jitendra Jayantilal Sukhlal
3 ) Mehta Dipesh Jitendra Jayantilal Sukhlal
4 ) Mehta Jyoti Kamlesh Jayantilal
5 ) Mehta Priyal Bhavin Ramani
6 ) Sanghvi Kashmira Bharat Jevatlal
7 ) Shah Rajula Prakash Ravichand
8 ) Sheth Nilesh Nalin Jivraj

Wednesday, February 5, 2014

Ceremonial Guard Bloopers

Guards are supposed to perform their duty precisely, ceremoniously and without showing any emotion, but once in a while something unexpected happens....

Birth Anniversary (05-02)


1 ) Doshi Bhartiben Chandrakant
2 ) Doshi Damayanti Rameshchandra Amichand
3 ) Patel Kajal Jignesh
4 ) Mehta Saumil Ketan Indulal Umedchand
5 ) Mehta Dilip Jatashankar
6 ) Sanghvi Manthan Narendra Jayantilal
7 ) Shah Pallavi PankajKumar
8 ) Shah Viral Mukesh Nagindas
9 ) Solani Harsha Jitendra Laxmichand
10) Vora Vaishali Mukesh Maneklal
11) Shah Dhwani Dinesh Kantilal

Tuesday, February 4, 2014

તમારા બાળકને સાવ ભગતડું ન બનાવશો –રોહીત શાહ

‘અમારો દીકરો આગમ બહુ ધાર્મીક છે. હજી તો તે માંડ દસ વર્ષનો છે; છતાં કાંદા–લસણ ખાતો નથી, ટી.વી.–ફીલ્મ જોતો નથી, રાત્રે કદી ખાતો–પીતો નથી.’
મમ્મી–પપ્પાની આવી ગૌરવવાણી સાંભળીને આપણો અહોભાવ તેમના દીકરા પર ઠલવાઈ જવા લાગે છે. ધર્મને આપણે સમજવાનો નહીં; અનુકરણનો વીષય બનાવી દીધો છે. કશું જ સમજ્યા વગર એક પરમ્પરાને પકડી લેવી એ ધાર્મીકતા છે શું ?
પરમ્પરાનાં જાળાં :
ધર્મ શ્રેષ્ઠ બાબત છે એની ના નથી;, કીન્તુ ધર્મ વીશેનું અજ્ઞાન સૌથી ભુંડી બાબત છે. રેડીમેડ ટ્રેડીશનને અનુસરવાથી ધાર્મીક હોવાનું લેબલ લાગી જાય છે. કેટલાંક પેરન્ટ્સને પોતાનાં બાળકને ધાર્મીક બનાવી દેવાનો એટલો બધો રઘવાટ હોય છે કે તેઓ બાળકનું બાળકપણું ઝુંટવી લેતાં હોય છે, બાળકને દરેક પ્રકારના આનન્દથી દુર રાખવાના ઉધામા કરે છે. આ ન ખવાય, આ ન જોવાય, આમ ન કરાય – ન કરવાની યાદીમાં બાળકને ગુંગળાવી દેવામાં આવે છે. નાનું બાળક પોતાની બુદ્ધીપ્રતીભા ડેવલપ કરે અને સામે કોઈ તાર્કીક પ્રશ્નો પુછતું થાય એ પહેલાં જ તેના દીમાગમાં પરમ્પરાનાં જાળાં ગુંથી દેવાય છે. રેડીમેડ ધર્મના ખ્યાલો તેના ફ્રેશ માઈન્ડમાં ઠાંસી–ઠાંસીને ભરી દઈને લૉક કરી દેવામાં આવે છે. બાળક એટલી હદે બંધીયાર અને નૅરો–માઈન્ડેડ બની જાય છે કે તેને ગોખાવી દીધેલી ધાર્મીકતાની બહાર ડોકીયું કરવામાં પણ તે પાપ સમજે છે.
ધર્મ કે સામ્પ્રદાયીકતા ?
બાળકને ધર્મ સમજાવવો એ જુદી વાત છે અને તેને માત્ર પરમ્પરાઓ પઢાવી દેવી એ જુદી વાત છે. કેટલાંક પેરન્ટ્સ તો પોતાનાં બાળકોને ફાલતું ધાર્મીક શીબીરોમાં મોકલતા હોય છે. આવી શીબીરોમાં ધર્મનું નહીં; સામ્પ્રદાયીકતાનું પ્રભુત્વ હોય છે. સુખ અને આનન્દ ભોગવવાં એ પાપ છે એનું જ રટણ ત્યાં થતું હોય છે. શીબીર ચલાવનાર ગુરુ બાળકોને ધર્મનું નહીં; એના ખુદના સમ્પ્રદાયનું ગોખણીયું જ્ઞાન પીરસે છે. વાહીયાત વીધીવીધાનો અને ક્રુર ક્રીયાકાંડો કરવા માટે જ જાણે કે મનુષ્ય–અવતાર મળ્યો હોય એવું શીક્ષણ આપવામાં આવે છે. બાળક પરાક્રમી અને પ્રામાણીક, ચારીત્ર્યવાન અને સ્પષ્ટવક્તા બને એ જરુરી છે કે ટીલાં–ટપકાં તાણનારું ભગતડું બને એ જરુરી છે ? ધર્મના નામે સામ્પ્રદાયીકતામાં બાળક ગુંગળાઈ ન જાય એ જોવાની જવાબદારી કોની ?
સામ્પ્રદાયીક શીબીરો શંકાસ્પદ :
બાળક ગમે તેનાં ચરણોમાં સાષ્ટાંગ કરીને આળોટતું થઈ જાય એટલે તે ધાર્મીક બની ગયું  ? ‘જય જીનેન્દ્ર’, ‘જય સ્વામીનારાયણ’, ‘જેશી ક્રષ્ન’, ‘ખુદા હાફીઝ’ બોલવાનું આવડી જાય એટલે બાળક શું ધાર્મીક બની ગયું ? આ બધાં સામ્પ્રદાયીક પ્રતીકો છે. ગળથુથીમાંથી જ જેને સામ્પ્રદાયીકતા પીવડાવવામાં આવતી હોય તે બાળક ભવીષ્યમાં ધર્મને સમજવા જેટલું ઉદાર અને નીખાલસ બની શકે ખરું ? ધર્મ કદી સંકુચીત નથી હોતો અને સામ્પ્રદાયીકતા કદી ઉદાર નથી હોતી. ધર્મ સમભાવ શીખવાડે છે, સહીષ્ણુતા આપે છે; જ્યારે સામ્પ્રદાયીકતા માત્ર સંકુચીતતા આપે છે. એ સંકુચીતતા આગળ જતાં વીસ્તરીને અન્ય ધર્મ–સમ્પ્રદાય પ્રત્યે ધીક્કાર અને ઘૃણા પ્રગટાવે છે. પોતાની જ પરમ્પરાઓ શ્રેષ્ઠ છે અને બીજાઓની પરમ્પરાઓ ખોટી કે નકામી છે એવાં ખોટાં ગણીત બાળકના મનમાં દૃઢ કરનારી શીબીરો યોજનારા ગુરુઓની દાનત ડાઉટફુલ છે. શીબીરમાં આવેલાં બાળકોમાંથી ભવીષ્યના પોતાના શીષ્યો શોધવાનો પ્રપંચ પણ તેની પાછળ હોય છે !
બાળકને જીજ્ઞાસુ બનાવો :
વીશ્વ આજે જે રીતે આગળ વધી રહ્યું છે એ જોતાં બાળકને સામ્પ્રદાયીક સીમાડાઓમાં બાંધી રાખવું એ મહાપાપ ગણાશે. બાળકને  ગાયત્રીમંત્ર, નવકારમંત્ર કે કુરાનની આયાત નહીં આવડે તો તેનું કશું અટકી પડવાનું નથી; પણ તેને ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં નહીં આવડે તો તે દુ:ખી–દુ:ખી થઈ જશે. બાળકને ગોખણીયું ન બનાવો, જીજ્ઞાસુ બનાવો. તેના દીમાગમાં જાતજાતના પ્રશ્નો ફુટતા રહેવા જોઈએ. બુદ્ધી જે વાત ન સ્વીકારી શકે એનો વીનમ્ર વીરોધ કરવાનું તેને આવડવું જ જોઈએ. મોટે ભાગે એમ કહેવાય છે કે ભક્તીના માર્ગમાં બુદ્ધીનું કોઈ જ કામ નથી. એનો અર્થ એ થાય કે ભક્તીના માર્ગમાં માત્ર મુર્ખાઓનાં ટોળાં જ જઈ શકે છે ! બુદ્ધી વગરની ભક્તી હંમેશાં જડતાનો જ પર્યાય બની રહેતી હોય છે.
બાળકને એ સમજાવો કે…
ભગતડું બાળક સાંસારીક બાબતોમાં ડગલે ને પગલે પાપ જોતું થઈ જશે. પેરન્ટ્સની એ જવાબદારી છે કે પાપ અને પુણ્યની સાચી અને તટસ્થ સમજ બાળકને આપવી. ટી.વી. જોવું હંમેશાં ખરાબ નથી. શું જોવું અને શું ન જોવું એનો વીવેક બાળકને સમજાવવો જરુરી છે. ટી.વી. પ્રત્યે ધીક્કાર કરવાથી કંઈ ધાર્મીક બની જવાતું નથી. બાળકને એ પણ સમજાવવું જરુરી છે કે સાંસારીક સમ્બન્ધો ભલે સ્વાર્થથી ભરેલા હોય; છતાં નકામા નથી. સ્વાર્થ ન હોય, તો જગતમાં ધર્મ કરવા પણ કોણ નવરું છે ? મોક્ષ અને વૈકુંઠ પામવાનો સ્વાર્થ ન હોય, તો કોણ ભક્તી કરવા બેસશે ? બાળકને એ સમજાવો કે પરાવલમ્બી બનવું એ સૌથી મોટું પાપ છે. હરામનું ખાવું એ પાપ છે. બાળકને એ પણ સમજાવો કે સૌથી મોટું પુણ્ય શક્તી અને સામર્થ્ય છે. જે શક્તી પરોપકાર કરે છે એ શક્તી જ પોતે ધર્મ છે.
સંતાનને ભુલશો નહીં :
ભુલો ભલે બીજું બધું મા–બાપને ભુલશો નહીં,
અગણીત છે ઉપકાર તેના એહ વીસરશો નહીં !
આ કવીતા આપણે ખુબ ગાઈ લીધી. એ કવીતાનો મર્મ જો કે સૌએ જીવનમાં ઉતારવા જેવો છે. છતાં આજે એક ‘અજાણ્યા કવી’ની કવીતા ગાવી છે. જુની કવીતા સન્તાનોએ  યાદ રાખવાની છે, તો આ નવી કવીતા પેરન્ટ્સે યાદ રાખવાની છે:
ભુલો ભલે જગમાં બધું સંતાનને ભુલશો નહીં !
અગણીત છે અરમાન તેનાં એહ વીસરશો નહીં !
પુજા કરી, બાધા કરી ત્યારે દીઠું છે મુખડું,
એ દેવના દીધેલને કદીયે દુભવશો નહીં !
ગુણમાં તમારાથી સવાયાં નામ એ તમ રાખશે,
ઘડપણ મહીં થાશે સહારો વાત એ ભુલશો નહીં !
શ્રદ્ધા ભરો, ક્ષમતા ભરો, સંસ્કાર તેના દીલમાં
સ્વપ્નો તેનાં સાકાર થાશે, બનશે માન એ વીશ્વમાં !

http://govindmaru.wordpress.com/ માંથી સાભાર 

Birth Anniversary (04-02)


1 ) Doshi Ashwin Manharlal
2 ) Mehta Alka Hitesh
3 ) Mehta Bhairavi Bhavesh Vasantlal
4 ) Mehta Devesh Jashwantrai Revashankar
5 ) Parekh Dinesh Jethalal
6 ) Sanghvi Hina Abhay Ghelabhai
7 ) Shah Bhakti Jatin Chimanlal
8 ) Sheth Deepak Jamnadas
9 ) Sheth Binal Rajendra

Monday, February 3, 2014

Amazing Billiard Trick Shots 2014 By Florian Kohler

These amazing pool trick shots are only possible if you are a master of concentration, physics, geometry, and magic.

Birth Anniversary (03-02)


1 ) Mehta Dipali Rajesh Sevantilal
2 ) Mehta Jasmina Kalpesh Suresh Jevantlal
3 ) Mehta Dr. Anil Bhogilal
4 ) Parekh Hansaben Hasmukhlal
5 ) Shah Mahek Paras Pradipkumar
6 ) Shah Nilima Yagnesh Kamdar
7 ) Shah Shardaben Prabhudas

Sunday, February 2, 2014

પશ્વીમી સંસ્કૃતીની આલોચના–મુરજી ગડા


જ્યારે કોઈ અણછાજતી ઘટના બને છે, સન્તાનો સાથે મા–બાપના સમ્બન્ધ બગડે છે ત્યારે કેટલાંક વર્તમાનપત્રો અને સામયીકો એનો દોષ પશ્વીમી સંસ્કૃતી પર ઢોળે છે. આવું વાંચીને લોકો પણ એવું માનતા થાય છે. આમાં સત્ય સાથે અસત્યનો અંશ પણ ઘણો છે.

જ્યારેત્યારે વગોવાતી આ પશ્વીમી સંસ્કૃતી સાચે જ શું છે અને આપણી સામાજીક સમસ્યાઓ માટે કેટલી જવાબદાર છે એ સવાલ ઘણું વીશ્લેષણ માંગી લે છે.

બધી જ સંસ્કૃતીઓમાં સારાં–નરસાંનું મીશ્રણ છે. બે–ત્રણ હજાર વરસ પહેલાં કોઈએ ઘડેલા આદર્શોને સંસ્કૃતીનો સાચો અને પુર્ણ માપદંડ ન માની લેવાય. આજે આપણી નજર સામે જે દેખાય છે તે બધું આપણી સદીઓની સંસ્કૃતીનો નીચોડ છે. એ જ આપણી આજની સંસ્કૃતી છે. એ સ્થાનીક હોય કે બહારથી આવી હોય, આપણે અપનાવી એટલે આપણી થઈ ગઈ. ભારતીય સંસ્કૃતીમાં ગૌરવ લેવા જેવી ઘણી બાબતો છે. સાથે સાથે જાતીભેદ, અસ્પૃશ્યતા, અન્ધશ્રદ્ધા, ભ્રષ્ટાચાર, દમ્ભ, દહેજ, જાહેર જગ્યાઓની ગંદકી વગેરે ઘણી આપણી સંસ્કૃતીની કાળી બાજુ પણ છે. એક સંસ્કૃતી કરતાં બીજી ચડીયાતી છે એમ બેધડક કહેવું વાજબી નથી. આનો અર્થ એમ પણ નથી કે પશ્વીમી સંસ્કૃતી દોષરહીત છે. એનાં ઘણાં પાસાં આપણને અનુકુળ આવે એવાં નથી.

આઝાદી પછીનાં થોડાં વરસ આપણે આપણા બધા પ્રશ્નો માટે અંગ્રેજોને દોષ આપતા હતા. હવે શબ્દપ્રયોગ બદલાઈને ‘પશ્વીમી સંસ્કૃતી’ વપરાય છે. જો કે એનો ખરો ઈશારો અમેરીકા (USA) તરફ હોય છે. પશ્વીમના અન્ય દેશોની સંસ્કૃતી વીશે ભારતના લોકોને ઝાઝો ખ્યાલ નથી.

આ અમેરીકન સંસ્કૃતી સમજવા માટે એનો ઈતીહાસ જાણવો જરુરી છે. અમેરીકાની ભુમી શોધાયાને 500 વર્ષ અને એક સ્વતન્ત્ર રાષ્ટ્ર બનવાને હજી 235 વર્ષ થયા છે. જ્યારે અંગ્રેજો ભારત પર પ્રભુત્વ જમાવવાની વેતરણમાં હતા ત્યારે અમેરીકા અંગ્રેજી શાસનથી મુક્ત થયું હતું.

અમેરીકા સમ્પુર્ણપણે બીજા દેશોમાંથી આવેલા વસાહતીઓનો દેશ છે. ત્યાંના મુળ વતનીઓ તો ગણતરીમાં ન લેવાય એટલા જુજ છે. શરુઆતમાં અંગ્રેજો ત્યાં ગયા એટલે ત્યાં અંગ્રેજી ભાષા અને સંસ્કૃતીનું પ્રભુત્વ રહ્યું છે. પાછળથી યુરોપના બીજા દેશોમાંથી પણ લોકો ત્યાં જવા લાગ્યા. બીજા વીશ્વયુદ્ધ પછી વળી નવો પ્રવાહ શરુ થયો અને દુનીયાના બધા દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં જવા લાગ્યા.

પાંચસો વરસ પહેલા શરુ થયેલું આ એકતરફી માનવીય સ્થળાન્તર/ દેશાન્તર જરાય ધીમું નથી પડ્યું. આજે પણ દુનીયાના ઘણા દેશોમાંથી માન્યામાં ન આવે એટલા લોકો ત્યાં જવા ઉત્સુક છે. વીઝાનું નીયન્ત્રણ ન હોય તો પરીસ્થીતી બેકાબુ બની જાય. અત્યારે ત્યાં સવા કરોડ જેટલા ગેરકાયદે આવેલા વીદેશીઓ છે.

આ આકર્ષણ પાછળ સમ્પત્તી ઉપરાન્ત અન્ય કારણો પણ છે. વ્યક્તીગત વીકાસની ત્યાં ઘણી તકો છે. ત્યાં દુનીયાની શ્રેષ્ઠ શીક્ષણ સંસ્થાઓ છે જેમાં હડતાળો પડતી નથી. જાતી, રંગ વગેરે પર આધારીત ભેદભાવ હવે ઘણા ઓછા થઈ ગયા છે. શીસ્ત અને કાયદાપાલન ઘણું ઉંચું છે. સામાન્ય માણસને ભ્રષ્ટાચાર નડતો નથી, તેમ જ ન્યાય મળવાની શક્યતા ઘણી વધુ છે. સ્વચ્છતા છે, મોકળાશ છે અને દરેક વસ્તુની વીપુલતા છે.

આ એક એવો દેશ છે જ્યાં વસતી વધારો બે રીતે થાય છે. દેશમાં જન્મેલા તેમ જ બહારથી આવેલાને લીધે. આજે અમેરીકાની 15 ટકા વસતી દેશાન્તર કરીને આવેલી પ્રથમ પેઢીની છે. ત્રણ–ચાર પેઢી પાછળ જઈએ તો અડધી પ્રજાના પુર્વજો અન્ય કોઈ દેશમાંથી આવેલા જણાશે.

આમ તો ભારતના ભુતકાળમાં પણ બહારથી ઘણા આવ્યા છે. ફરક એટલો છે કે આર્યોથી માંડીને અંગ્રજો સુધીના આગન્તુકોમાંથી કેટલાક લુંટીને જતા રહ્યા અને બાકીના રાજ કરવા રોકાયા. જે થોડા ઘણા રહ્યા છે એ પણ મુખ્ય પ્રવાહમાં પુર્ણપણે ભળી શક્યા નથી. પારસીઓ જેવા અલ્પ અપવાદ છે.

દેશાન્તર કરનાર પ્રથમ પેઢી (First Generation Immigrants) બધા પોતાના બેગ–બીસ્તરા સાથે પોતાની સંસ્કૃતી પણ લાવે છે અને બને તેટલી જાળવી રાખવાની કોશીશ કરે છે. જ્યારે એમની બીજી પેઢી મુખ્ય પ્રવાહમાં ભળવા માંગે છે. તેઓને ઘરના અને બહારના સાંસ્કૃતીક વાતાવરણના ફરક વચ્ચે પોતાનો માર્ગ શોધવાના આત્મમંથનમાંથી પસાર થવું પડે છે. ભારતીયોની આ પેઢી ABCD તરીકે ઓળખાય છે. એમની યાતના સમજવાને બદલે બહુધા એમને હાંસીપાત્ર બનાવાય છે. એમના પછીની પેઢી સમ્પુર્ણપણે મુખ્ય પ્રવાહમાં ભળી જાય છે. આ બધો બદલાવ કોઈપણ બાહ્ય દબાણ વગર સ્વેચ્છાએ થાય છે. એટલે જ અમેરીકાને Melting Pot કહેવાય છે.

અમેરીકન સંસ્કૃતી ત્યાં ગયેલા બધા દેશવાસીઓની સામુહીક સંસ્કૃતીનો નીચોડ છે. એ સદા ધબકતી અને સમય પ્રમાણે બદલાતી સંસ્કૃતી છે. યુરોપીયનો લાંબા સમયથી રહેતા હોવાથી સંસ્કૃતી પર એમનું પ્રભુત્વ હતું. હવે સમીકરણો બદલાઈ રહ્યાં છે. મધ્ય અને દક્ષીણ અમેરીકા તેમજ એશીયન સંસ્કૃતીની અસર વર્તાઈ રહી છે.

અમેરીકનોની એક ખાસીયત છે કે તેઓ જે પણ નવું હોય એને ખુલ્લા મને એક વખત અજમાવશે, અને ગમે તો અપનાવશે. એમને સંસ્કૃતીનો કે મોટાપણાનો મીથ્યા આડંબર નડતો નથી.

પશ્વીમી સંસ્કૃતી વીશેના આપણા ખ્યાલ મુખ્યત્વે એમના સીનેમા, ઈન્ટરનેટ, છુટાછેડાના ઉંચા દર વગેરે પરથી આવેલા છે. આ વાજબી નથી. (આમ તો 70ના દાયકા સુધી પશ્વીમના દેશોમાં ભારતની છાપ ભુખમરાના, મદારીઓના, રસ્તે રઝળતી ગાયોના અને ભીખારીઓના દેશ તરીકેની હતી. એ પણ વાજબી નહોતું.) ખાસ કરીને ત્યાંના યુવાવર્ગની જીવનપદ્ધતી બધાની ટીકાપાત્ર બને છે. એને વીસ્તારમાં સમજીએ.

એક હજાર વરસ જેટલો લાંબો ઈતીહાસનો મધ્યયુગ, આખી દુનીયાનો અન્ધકારયુગ કહેવાય છે. તે સમય દરમીયાન સત્ત્તાધીશો, ધર્મગુરુઓ અને સમાજના આગેવાનો સંસ્કૃતી ઘડતા હતા અથવા તો એને સ્વીકૃતી આપતા હતા. આ બધા સામાન્ય રીતે મોટી ઉમ્મરના પુરુષો હતા. પરમ્પરાના ઓઠા હેઠળ એમણે પ્રજાનું ખુબ શોષણ કર્યું છે અને સ્ત્રીઓ પર અત્યાચાર કર્યા છે. ચારસો વરસ પહેલાં યુરોપ આ અન્ધારીયા યુગમાંથી બહાર આવવા લાગ્યું. બાકીની દુનીયા છેલ્લી અડધી સદીથી ધીરે ધીરે નવા યુગમાં પ્રવેશી રહી છે.

નવા યુગમાં સ્વતન્ત્ર રીતે વીચારવાની અને નવા અખતરા કરવાની શરુઆત થઈ છે. એની આગેવાની યુવા પેઢીએ લીધી છે. એનો પાયો વીચારોની મુક્ત અભીવ્યક્તી, વ્યક્તી સ્વાતંત્ર્ય અને સ્વાવલમ્બન પર આધારીત છે. આ સ્વતંત્રતા અને સ્વાવલમ્બનની શરુઆત, તેઓ પુખ્ત વયના થતાં મા–બાપથી અલગ રહેવાથી કરે છે. વીકસીત દેશોમાં આર્થીક રીતે આ શક્ય છે. આ પ્રથા ઘણાને જલદી જવાબદાર નાગરીક બનાવે છે, જ્યારે કેટલાકને આકરો સંઘર્ષ કરવો પડે છે.

સંસ્કૃતી પરની યુવા પેઢીની અસર સંગીત, નૃત્ય, મનોરંજન, રમતગમત વગેરેમાં ચોખ્ખી દેખાય છે. એટલું જ નહીં, સાહીત્ય અને ધંધામાં પણ એ પેઢીનો ઘણો ફાળો છે. અમેરીકાની અત્યારની ઘણી મોટી અને સફળ કમ્પનીઓ શરુ કરનાર, ત્યારે કૉલેજમાં જતા યુવાનો હતા.

અમેરીકાની સંસ્કૃતી, એ શીક્ષીત યુવા પેઢીની વીશ્વસંસ્કૃતી બની રહી છે. ત્યાંથી શરુ થતું આ સાંસ્કૃતીક પરીવર્તન ઘણું જોરદાર છે. આપણને ગમે કે ના ગમે; પણ તે આજનો પ્રવાહ છે. આખી દુનીયાનો શીક્ષીત વર્ગ એમાં જોડાવા ઈચ્છે છે. એમની સ્વતન્ત્રતા આપોઆપ જાહેર થઈ જાય છે અને શક્ય હોય તો સ્વાવલમ્બી (વીભક્ત કુટુમ્બ) પણ થઈ જાય છે.

અગત્યની વાત એ છે કે આ પરીવર્તન સ્વીકારવું કે નહીં એ યુવાનોના પોતાના હાથમાં છે. બન્ધનવાળી જુની સંસ્કૃતીમાં કોઈની પાસે આવો વીકલ્પ નહોતો. એનાં માઠાં પરીણામ જોયાં પછી નવી પેઢી આ સ્વતન્ત્રતાનો અખતરો કરવા અને એની કીમત ચુકવવા તૈયાર છે.

નાની ઉમ્મરે મળતી આ સ્વતન્ત્રતા, વધુ પડતી મહત્વાકાંક્ષા અને સીદ્ધી, ઘણી વખત અનીચ્છનીય પરીણામો પણ લાવે છે. ક્યારેક મા–બાપ પણ એનો ભોગ બને છે જે એક કમનસીબી છે. આદર્શ સમાજવ્યવસ્થા ક્યારે પણ જાળવી શકાતી નથી. લોલકની જેમ તે કોઈ એક બાજુ જતી રહે છે. જ્યારે અન્તીમે પહોંચે છે ત્યારે એની દીશા પલટાવા લાગે છે. સંસ્કૃતીનો આ દીશાપલટો ઘણો લાંબો સમય ચાલતો હોય છે. અત્યારે તો દોર યુવા પેઢીના હાથમાં છે.

આપણે ત્યાં જે માધ્યમો દ્વારા પશ્વીમી વીચારધારા આવે છે એમાંથી સૌથી પ્રભાવશાળી અને પ્રચલીત માધ્યમ છે સીનેમા, ટેલીવીઝન અને ઈન્ટરનેટ. એની સાથે સંકળાયેલા લોકોને કોઈ એક સંસ્કૃતીને બચાવવામાં કે ફેલાવવામાં રસ નથી. એમને ફક્ત પૈસા કમાવામાં રસ છે. એમનો જે માલ વધુ વેચાય છે એ જ તેઓ બનાવે છે. એટલે સંસ્કૃતી કે માધ્યમને દોષ દેવા કરતાં સપ્લાય/ડીમાંડના માર્કેટ–ફોર્સને સ્વીકારવું રહ્યું.

સીનેમા બે ત્રણ કલાકનું મનોરંજન પુરું પાડે છે. એના અન્તે ક્યારેક સારો સંદેશ પણ હોય છે. એની સરખામણીએ ટી.વી. પર આવતી કૌટુમ્બીક સીરીયલો વર્ષોનાં વર્ષો ચાલે છે. એમાં બતાવાતા અવાસ્તવીક કાવાદાવા ભોળા માનસને કલુષીત કરે છે. એનાથી આપણી સંસ્કૃતીને વધારે હાની પહોંચે છે. આવી સીરીયલો વીદેશી નહીં; પણ દેશી ઉપજ છે. એમની સામે ઉહાપોહ નથી સંભળાતો. ઉલટાનું લોકો એમને મોટાપાયે માણે છે. બાવા ચેનલો પણ લોકોને ધર્મનું અફીણ ખવડાવીને, ઘેનમાં રાખી, પલાયનવાદી બનાવી રહી છે.

ભારત અને અમેરીકા જેવા વીશાળ અને બહુરંગી પ્રજા ધરાવતા દેશની સંસ્કૃતી જટીલ હોઈ એને સરળતાથી સમજી કે વર્ણવી ન શકાય. બન્ને સંસ્કૃતીઓમાં ઘણાં જમા પાસાં છે; તેમ જ બન્નેમાં ઘણી અનીચ્છનીય બાબતો પણ છે. એના મુખ્ય મુદ્દા આવરી લેવાનો અહીં પ્રયાસ કર્યો છે. આપણી સંસ્કૃતીમાં જે ગર્વ લેવા જેવું છે તે ઈરાદાપુર્વક સામેલ નથી કર્યું; કારણ કે તે બધે ઠેકાણે ખુબ ચર્ચાય છે. પરન્તુ સામાન્ય રીતે જે નથી કહેવાતું કે ચર્ચાતું તે રજુ કરવાનો મારા આ લેખનો આશય છે.
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર

Birth Anniversary (02-02)


1 ) Doshi Sejal Samir Rajnikant Chatrabhuj
2 ) Lodaria Ila Mahesh Maganlal
3 ) Mehta Somil Anish Bhupatrai Ratilal
4 ) Mehta Kruti Yogesh Chandulal
5 ) Mehta Lilamben Chandulal
6 ) Mehta Nila Rohit Kantilal
7 ) Parekh Ishan Sanjay
8 ) Parekh Chetan Umedchand
9 ) Patel Nita Nilesh Chhabildas
10) Sanghvi Yogesh Ramniklal
11) Sanghvi Jagruti Kalpen Rajendra
12) Shah Driv Ketan Prafullchandra
13) Shah Vidu Ashok Pranlal
14) Shah Kishor Nyalchand
15) Shah Jayendra Kantilal

Saturday, February 1, 2014

Outdoor Fitness In Russia And The Ukraine

Outdoor fitness in Russia and the Ukraine.  Exercising outdoors provides fresh air and is a lot more fun!

Birth Anniversary (01-02)


1 ) Doshi Darshan Pradip Chimanlal
2 ) Doshi Dhruvin Dinesh Vadilal
3 ) Lodaria Nilesh Amrutlal
4 ) Lodaria Jayesh Rasiklal Chhaganlal
5 ) Mehta Shrenik Pankaj
6 ) Mehta Urmila Jagdish Himmatlal
7 ) Parekh Alpesh Kantilal
8 ) Shah Aashish Rashmikant
9 ) Shah Parita Jatin Dalpatray
10) Shah Nayna Ashwin Lalbhai
11) Shah Dr. Bhairav Dilipkumar
12) Shah Urmi Girish Hakemchand
13) Shah Navin Dhirajlal
14) Solani Mukesh Jevatlal Ratilal