Tuesday, February 12, 2013

મિસકૉલ મારવાની મજા– ગુણવંત શાહ


ભારતની બધી ભાષાઓના બધા શબ્દકોશમાં ન જડે એવો એક શબ્દ હવે લોકજીભે ચડી ચૂક્યો છે. બૉસ અને એના ડ્રાઈવરને જોડતો એ શબ્દ છે : ‘મિસકૉલ.’ મોબાઈલ ફોન વાપરનારા લોકોમાં ગરીબ લોકોનું પ્રમાણ ઓછું નથી. ઝૂંપડપટ્ટીમાં મોબાઈલ ફોન ધરાવનારા લોકોની સંખ્યા ઓછી નથી હોતી. ઘરની કામવાળી પણ પોતાના પતિને મિસકૉલ મારતી હોય છે. મિસકૉલની દુનિયા અનોખી છે.
ઈલેક્ટ્રોનિક સ્વર્ગના સ્વપ્નદ્રષ્ટા માર્શલ મેકલુહાને એક સૂત્ર વહેતું મૂકેલું : ‘મિડિયમ ઈઝ મૅસેજ.’ આ સૂત્રમાં મૅસેજ શબ્દ ખૂબ મહત્વનો છે. મૅસેજ એટલે સંદેશો. સંદેશો મોકલવાની અનેક રીત છે. જ્યાં જ્યાં પ્રત્યાયન કે કૉમ્પ્યુનિકેશન થાય ત્યાં સંદેશો એક નાકેથી બીજા નાકે પહોંચે છે. લેખક લખીને સંદેશા મોકલે છે. ચિત્રકાર ચિત્રકામ કરીને સંદેશા મોકલે છે. શિક્ષક વર્ગમાં ભણાવે ત્યારે સંદેશા મોકલતો હોય છે. વક્તા લાંબું પ્રવચન કરે, પણ કોઈ સમજે નહીં ત્યારે શું બને છે ? મૅસેજ રિસીવ થયો, પણ રજિસ્ટર ન થયો. આવું બને ત્યારે શ્રોતાઓ બગાસાં ખાય છે તોય વિદ્વાન વક્તા માઈક છોડતા નથી. સભામાં બગાસું ખાવું એ શ્રોતાનો સૌથી નિખાલસ અભિપ્રાય ગણાય. અભિનેતાનો અભિનય એ પણ કમ્યુનિકેશન છે. પત્ની ક્યારેક આંસુ દ્વારા પતિને સંદેશો પાઠવે છે. ચુંબન પણ કમ્યુનિકેશન છે. નૃત્ય પણ કમ્યુનિકેશન છે. લાલ આંખ કરવી એ પણ સંદેશો મોકલવાની જ એક રીત છે. બૉડી લૅંગ્વેજ પણ કમ્યુનિકેશન છે. આખી દુનિયા આવા અસંખ્ય કમ્યુનિકેશન પર નભેલી છે. અરે ! સંગીત પણ કમ્યુનિકેશનનો જ એક પ્રકાર છે.
મોબાઈલ ફોન શબ્દો પહોંચાડે છે. એ શબ્દ બોલવાથી-સાંભળવાથી પહોંચે છે અને વળી એસએમએસ દ્વારા પણ પહોંચે છે. માનવીનો ઉદય થયો ત્યારથી એ સ્વજનોને અને શત્રુઓને સંદેશો (મૅસેજ) પહોંચાડતો રહ્યો છે. સદીઓ સુધી એણે ઉદ્દગાર દ્વારા કામ ચલાવ્યું. ધીમે ધીમે ઉદ્દગારમાંથી બોલીનો જન્મ થયો. બોલીમાંથી ભાષા પેદા થઈ. ભાષા જન્મી પછી સદીઓ વીતી ગઈ ત્યારે વ્યાકરણનો જન્મ થયો. માણસ ન બોલીને પણ સામા માણસને સંદેશો પહોંચાડી શકે છે. પત્ની ક્યારેક રિસાઈ જઈને એવો સંદેશ પહોંચાડે છે, જે એની વાણી પણ ન પહોંચાડી શકે. સંસ્કૃતમાં ઉક્તિ છે : ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનમ શિષ્યસ્તુ છિન્નસંશય: | ગુરુનું મૌન પણ વ્યાખ્યાન છે, જે શિષ્યના સંશયને દૂર કરે છે. માંદા બાળકના શરીરે માતા હાથ ફેરવે ત્યારે એ બોલ્યા વિના ઘણુંબધું કહી દેતી હોય છે.

આફ્રિકાના દેશોમાં ચોરી થાય એમાં મોબાઈલ ફોનની ચોરી મોખરે છે. આફ્રિકાના જંગલમાં મોબાઈલ ફોનને કારણે આવેલી કમ્યુનિકેશન-ક્રાંતિ અદ્દભુત છે. ચોરેલા મોબાઈલ પરથી જંગલમાં રહેતો આદિવાસી અન્ય આદિવાસી મિત્રે ચોરેલા મોબાઈલ પર વાત કરે તે એક રોમાન્ટિક અનુભવ ગણાય. માઈલોનું અંતર ખરી પડે છે. સમય થંભી જાય છે. ક્યારેક બે ‘મળેલા જીવ’ વચ્ચે મુગ્ધતાનું મેઘધનુષ રચાય છે. જૂની ફિલ્મનું ગીત યાદ છે ?
મેરે પિયા ગયે રંગૂન
વહાં સે કિયા હૈ ટેલિફૂન
તુમ્હારી યાદ સતાતી હૈ,
જિયામેં આગ લગાતી હૈ !
મિસકૉલની શોધ કોણે કરી ? ગરીબને પણ મોબાઈલ ફોન ગમી ગયો છે, પરંતુ વારંવાર ફોન કરવાનો વૈભવ એને પોસાય એમ નથી. પરિણામે એણે સામેવાળાને મિસકૉલ દ્વારા સંદેશો આપવાની એક એવી યુક્તિ શોધી કાઢી, જેને કારણે વગર ખર્ચે સંદેશ પહોંચાડી શકાય. બે મિત્ર એક જ કારમાં રોજ સવારે સ્વિમિંગ પુલ પર જાય છે. બહુમાળી મકાન પાસે પહોંચીને પંદરમે માળે રહેતા મિત્રને મિસકૉલ મારે ત્યારે ફોન પર ઘંટડી કે કૉલરટ્યૂન વાગે પછી બટન દબાવીને ફોન કટ કરવામાં આવે છે. એક પણ પૈસાના ખર્ચ વિના સંદેશ પહોંચી જાય છે : ‘હું નીચે તારી રાહ જોઈને ઊભો છું. તું આવી જા.’ આ ટૅકનિક કેટલા મોટા પ્રમાણમાં વપરાય છે એનો ખ્યાલ આવે એ માટે ગરીબ હોવું જરૂરી છે, ફરજિયાત નથી. માલદાર માણસ પાર્ટીમાં જાય છે. એનો ડ્રાઈવર જ્યાં જગ્યા મળે ત્યાં થોડે છેટે ગાડી પાર્ક કરે છે. પાર્ટી પૂરી થાય ત્યારે ડ્રાઈવરને મિસકૉલ દ્વારા ખબર આપવામાં આવે છે : ‘હું પ્રવેશદ્વાર પાસે ઊભો છું, તું ત્યાં આવી પહોંચ.’
આવી રીતે ફોનના બિલને સખણું રાખવામાં કોઈ અપ્રમાણિકતા નથી. મુંબઈથી વિમાનમાં દિલ્હી પહોંચીને કોઈ ધનપતિ પત્નીને મિસકૉલ દ્વારા એટલો સંદેશો પાઠવી દે છે કે પોતે દિલ્હી પહોંચી ગયો છે. મિસકૉલ મારવાની મજા માણનારા લોકોની બુદ્ધિ અત્યંત તીવ્ર હોય છે. હજૂરને અને મજૂરને, શેઠિયાને અને વેઠિયાને તથા ઠાકરને અને ચાકરને જોડતો સેતુ મિસકૉલ છે. મનુષ્ય પ્રાર્થના કરે તે પણ એક પ્રકારનો મિસકૉલ છે, કારણ કે ઈશ્વર ફોન રિસીવ ન કરે તોય મૅસેજ પહોંચી જાય છે. કવિ દલપતરામ ડાહ્યાભાઈ (ક.દ.ડા.)એ ભગવાનને મિસકૉલ માર્યો હતો તેમાં નીચેની પંક્તિઓ મોકલી હતી. પ્રાર્થનારૂપે લખાયેલી પંક્તિઓ તા. 27મી ફેબ્રુઆરી, 1872ને દિવસે જન્મી હતી. પંક્તિઓ સાંભળો :
ભક્તોનાં દુઃખ ભાંગવાં, તે છે તારી ટેવ
સહાયતા કરી આ સમે, દુઃખ હરનારા દેવ.

Monday, February 11, 2013

People Are Awesome 2013

Dan Rice of Hadouken returns with ‘People Are Awesome 2013', a sequel to his 2011 viral hit.


Sunday, February 10, 2013

ભીખારી અને ભીખારીવૃત્તી–સખા બોરડ

જેટલા ભીખારીઓ આપણા દેશમાં છે તેટલા દુનીયાના બીજા કોઈ દેશમાં નથી. આનું કારણ આપણી વીપુલ જનસંખ્યા માનવામાં આવે છે. પરન્તુ અસલ કારણ તો આપણા દેશની ધાર્મીક અને આર્થીક પરીસ્થીતી છે કે જે માત્ર ભીખારીઓની સંખ્યા જ વધારતી નથી; પણ તેને પ્રોત્સાહન પણ આપે છે. વસતી ચીનની પણ વધુ છે; પણ ત્યાં ભીખ માંગવા પર પ્રતીબંધ છે.
આપણે ત્યાં ઘણા પ્રાચીન સમયથી વર્ણવ્યવસ્થા ચાલી આવે છે. આ વ્યવસ્થા પ્રમાણે સમાજને ચાર વર્ગોમાં વહેંચી દેવામાં આવ્યો. આ વર્ગો એટલે બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર. ક્ષત્રીય રાજ્યનો કારભાર સંભાળે, યુદ્ધ કરે અને લોકોના જાનમાલનું રક્ષણ કરે. વૈશ્ય વેપાર અને અર્થવ્યવસ્થા સંભાળે અને શુદ્ર અન્ય વર્ગોની સેવા કરે. હવે બાકી રહ્યો બ્રાહ્મણ; અને એ બ્રાહ્મણે જ ભીક્ષાવૃત્તીનું બીજારોપણ કર્યું છે. આમ તો એમને બૌદ્ધીક અને માનસીક કામ સોંપાયાં, જેમાં શારીરીક મહેનત અને પરીશ્રમ ઓછામાં ઓછો હોય.
સમાજ એ યુગની જરુરતને અનુરુપ રીતે ચાલે એવો જ એનો પ્રારમ્ભીક ઉદ્દેશ હશે; કારણ કે ત્યારે સમાજ આટલો વીકસીત નહોતો. આજની ગતી અને આજની ઝડપ પણ ત્યારે નહોતાં. લોકોનો જીવનવ્યવહાર સાંકડી મર્યાદાઓ વચ્ચે ચાલતો હતો. પરન્તુ જેમને બૌદ્ધીક અને માનસીક કામ સોંપાયું એ લોકો જ નીયામક હતા તેથી સાથેસાથે જ એવી વ્યવસ્થા ગોઠવવામાં લાગી ગયા, જેનાથી એમની (મફતનું લેવાની) વૃત્તીને પણ પ્રતીષ્ડા મળે. ધર્મ અને નીતીમત્તા પણ આ જ વર્ગના ભેજાની નીપજ છે.
મોક્ષપ્રાપ્તી માટે દાન
ધાર્મીક કર્મકાંડો અને રીતરીવાજોની આડશમાં દાનદક્ષીણાની પરમ્પરા અહીંથી જ ઉતરી આવી છે. મફતમાં તો કોઈ કોઈને કંઈ પણ આપવા ઈચ્છતું નહીં હોય અને એટલા જ માટે કાલ્પનીક ભય પેદા કરવામાં આવ્યો અને અનેક જાતની લાલચો આપવામાં આવી. કહેવામાં આવ્યું કે અમુક વર્ગના(બ્રાહ્મણો–સાધુઓ) લોકોને જેટલું દાન આપશો તેનાથી અનેકગણું પરલોકમાં મળશે અથવા દાન દેવાથી પુણ્ય એકઠું થશે. જેનાથી મોક્ષની પ્રાપ્તી થશે. કેટલાકે ક્યારેક ક્યારેક વીરોધ કર્યો પણ ખરો; તો સત્તાધારીનો સાથ લઈને એ વીરોધ દબાવી દેવામાં આવ્યો.
આ વર્ગે જ્યારે જોયું કે અરે વાહ ! આવી કોરી કલ્પનાઓના આધાર પર તો સહેલાઈથી પેટ ભરી શકાય છે એટલું જ નહીં; પણ ધનસંચય પણ થઈ શકે છે ત્યારે એ લોકોએ એક ધંધાના રુપમાં એ વ્યવસ્થાને પ્રતીષ્ઠા અપાવી દીધી. ઠેકઠેકાણે ધર્મ(કર્મકાંડ)ની તરેહતરેહની દુકાનો ખુલવા માંડી અને ભીક્ષાની વૃત્તી ફુલવા–ફાલવા માંડી. ભારતનું વધુમાં વધુ શોષણ જો કોઈએ કર્યું હોય તો આ ધંધાના ધંધાદારીઓએ જ કર્યું છે અને આપણું જીવન આજે આટલું ભ્રષ્ટ થઈ ગયું છે તે પણ એ લોકોની ‘મહેરબાની’નું જ ફળ છે.
ભીખારીવેડા વધારવામાં ધાર્મીક શોષણ જેટલું જ આર્થીક શોષણ પણ જવાબદાર છે. ખાસ કરીને આધુનીક યુગમાં તો આ વૃત્તીમાં ધાર્મીક શોષણ ઓછું અને આર્થીક શોષણ વધુ છે.
આપણી આ ચર્ચામાં આપણે ભીખ માગનારાઓને ઉપલક વીચારે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. ૧. ધર્મના નામે ભીખ માંગનારા અને ૨. ગરીબીના કારણે ભીખ માંગનારા. લક્ષ બન્નેનું એક જ છે – કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારના શ્રમ વીના પોતાનું પેટ ભરવું; પરન્તુ બન્નેની રીતો અલગ લગ હોઈને બન્નેની કક્ષાઓ વચ્ચે ફરક દેખાય છે.
સાધુ–સંતોની જમાતનો જ દાખલો આપણે લઈએ. આ લોકો ભીખ માંગીને જ પોતાનું પેટ ભરે છે. પરન્તુ જ્યારે એમની ગણના ભારતના સાઠ–સીત્તેર લાખ ભીખ માગનારાઓમાં કરવામાં આવે છે ત્યારે એમને માઠું લાગે છે – અરે ભાઈ, તમે તો પોતે જ પોતાની જાતને ભીક્ષુ–ભીક્ષુક અથવા ભીખ્ખુ તરીકે ઓળખાવો છો.
પરન્તુ જ્યારે એમને સડકછાપ સાધારણ ભીખારીની તુલનામાં મુકવામાં આવે છે ત્યારે એમને નાનમ લાગે છે. ખોટા આદર્શોના ચકરાવામાં ફસાયેલા રહેવાને કારણે એ લોકો પોતાની ભીક્ષાવૃત્તીને પણ ઉચ્ચ આદર્શ માને છે અને એવી જ આશા રાખતા હોય છે કે લોકો એમની પુજા કરે.
ભીખની પદ્ધતીઓ
હકીકત તો એ છે કે આ જાતના ઉંચા દરજ્જાના ભીખારીઓ અને સડકો ઉપર હાથ લંબાવીને ભીખ માંગનારા ભીખારીઓ વચ્ચે કોઈ ફરક નથી.
એક ધર્માચાર્યને જ્યારે મેં આમ કહ્યું ત્યારે એ વીફર્યા અને બોલ્યા, ‘તમે અમારી ગણના એવા ભીખ માંગનારાઓમાં કરી જ કેમ શકો ? શું અમે બૌદ્ધીક અને માનસીક પરીશ્રમ નથી કરતા ? અમે તો લોકોને અધ:પતનમાંથી ઉપર ઉઠાવીએ છીએ, એમના આત્માને સન્માર્ગે વાળીએ છીએ અને એ રીતે માનવજાતનું કલ્યાણ કરીએ છીએ. આ શું એક મહાન કાર્ય નથી ? શું એમાં અમને મહેનત નથી પડતી ?’
મારો સ્પષ્ટ જવાબ હતો, ‘ના. તમારું કાર્ય મહાન નથી અને એમાં કોઈ જાતની મહેનત પણ નથી. વ્યર્થ વાણીવીલાસને પરીશ્રમ કહેવાય નહીં. સંસારત્યાગનું નાટક પણ તમે મહેનત અને પરીશ્રમથી બચવા માટે જ કરો છો. તમારા ઉપદેશોથી સમાજને કે દેશને કોઈ ફાયદો થતો/થયો નથી. એ તો પેટ ભરવા માટેનું એક તીકડમ્ જ છે. તમારી નૈતીકતાની પણ કોઈ કીંમત નથી. કેમ કે આત્મા, પરમાત્મા અને પુનર્જન્મની જે કલ્પનાને કેન્દ્રમાં રાખીને એનો ઉદ્ભવ કરવામાં આવ્યો છે તે કલ્પના પોતે જ તથ્યહીન, નીરાધાર, અવૈજ્ઞાનીક અને અસત્ય છે. આ જાતનાં છળ–કપટથી કરવામાં આવતી મહેનતને મહેનત કહેવાય જ નહીં; એ તો એક જાતનું શોષણ જ છે. દીલ અને દીમાગનું શોષણ, વ્યક્તીનું અને સમાજનું શોષણ’
ઘડીભર માની લઈએ કે એ લોકો જે કંઈ કરી રહ્યા છે તેનાથી લોકકલ્યાણ સધાઈ રહ્યું છે; તો પણ એનાથી ભીક્ષાવૃત્તીનું ઔચીત્ય તો સીદ્ધ નથી જ થતું. તમે ચોરી એટલા માટે કરો કે ચોરીથી મેળવાયેલા માલથી કોઈક અભાવગ્રસ્ત વ્યક્તીને મદદ કરી શકાય, તો તેથી કંઈ ચોરીનું કામ નૈતીક બની જતું નથી. એથી ભીક્ષાવૃત્તીનું સ્તર ભલે ગમે તેવું હોય; પણ એ અનીષ્ટ જ છે. સાધન ને સાધ્ય – બન્નેની શ્રેષ્ઠતામાં જ કાર્યની નૈતીકતા છે.
 કેટલાક લોકો ગૃહસ્થના વેશે પણ એ ધંધો કરતા હોય છે. પંડીતો, કથાકારો અને પુજાપાઠ કરતા – કરાવતા લોકોને પણ દાનદક્ષીણાના રુપમાં સારી દાનપ્રાપ્તી થતી હોય છે.
દેશના વીભાજન પછી એક બે પ્રાંતોમાં નીરાશ્રીત બનીને જુદી જાતની ભીખ માંગનારા પણ ઉપર તરી આવ્યા હતા. સરકારી સહાય માંગતાં–માંગતાં એ લોકોની મહેનત કરવાની મનોવૃત્તી ખતમ થઈ ગઈ છે અને આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ એ લોકો અહીંતહીં ભટકીને હાથ લંબાવતા નજરે ચડે છે.
દાનનું વરવું રુપ
ભીખમંગાઓની સંખ્યામા થઈ રહેલી અવીરત વૃદ્ધીનું એક મહત્ત્વનું કારણ આપણી દાનપરમ્પરા છે. એક જમાનામાં દાનનું મહત્ત્વ ભલે સ્વીકારાયું; પણ આજે એનું જે રુપ જોવા મળે છે તેમાં તો ભીખારીવૃત્તીને જ પોષણ મળી રહ્યું છે અને મનુષ્યત્વનું અપમાન થઈ રહ્યું છે. જેમ કે રોટલીઓ વેચવાવાળાની દુકાનેથી રોટલીઓ ખરીદીને દાનીઓ ભીખારીઓમાં વહેંચે છે. આવી કાચીપાકી રોટલીઓ માટે સેંકડો ભીખારીઓ ત્યાં લાઈન લગાવે છે. એવી એક એક રોટલી માટે એ લોકો વચ્ચે જે ઝપાઝપી, મારામારી અને ગાળાગાળી થતાં હોય છે તે જોઈને કોઈ પણ સંસ્કારી માણસનું – સંસ્કારી સમાજનું માથું શરમથી ઝુકી જાય. પરન્તુ દાન આપનારો ‘દાની’ એના માટે સંતોષ અને ગૌરવની લાગણી અનુભવતો હોય છે. એ જ પ્રમાણે ગ્રહણ ટાણે ભીખમંગાઓની ભીડ ઠેરઠેર જોઈ શકાય છે.
ઘણી વખત વીદેશી યાત્રીકો અને પત્રકારો આવા ભીખારીઓની તસવીરો પાડીને લઈ જતા હોય છે. કોઈકવાર આપણા દેશવાસીઓ આવી તસવીરો લેનારનો વીરોધ કરતા હોય છે. પણ એ રીતે શું આપણે એ કડવા સત્ય પર પડદો પાડી શકીશું ?
ભીક્ષા શું ધર્મસંગત છે ?
ભીક્ષાવૃત્તીને આપણે ધાર્મીક દરજ્જો આપી રાખ્યો છે. દાન ભીક્ષાના મહીમાથી આપણા પ્રાચીન ગ્રંથો ભર્યા પડ્યા છે. ધાર્મીક સંસ્કૃતીનો તકાદો છે કે ભીખ આપી આપીને પુણ્યનું ભાથું બંધાતું રહે અને મોક્ષદ્વારે પોતાની જગ્યા સુરક્ષીત થઈ જાય.
ધાર્મીક સંસ્કૃતીની આ કેવી વીચીત્ર બાજુ છે ! પુરવાર નહીં થયેલાં અને પ્રામાણીત પણ નહીં થયેલાં, આત્મા–પરમાત્માનાં મુલ્યો માટે આપણે લાખો લોકોને ગરીબી અને દારીદ્રના અભીશાપથી મુક્ત થવા દેવા નથી માગતા ! સામે ભીખ પામનારો પણ આ વીચારને ચીટકેલો એટલા માટે રહે છે કે ચાલો, વગર મહેનતે, હાથ–પગ હલાવ્યા વીના જ ખાવાપીવાની સમસ્યા તો હલ થઈ જાય છે !
ભીખારીવૃત્તીથી છુટકારો મેળવવા માટે આપણી આર્થીક વ્યવસ્થામાં તો પરીવર્તન કરવું જ પડશે; પણ એનીય પહેલાં જરુરી એ છે કે આપણે અવૈજ્ઞાનીક અને જુનવાણી માન્યતાઓને જડમુળથી ઉખેડીને ફેંકી દઈએ અને એ અનીષ્ટને પોષનારા વર્ગને ખતમ જ કરી નાખીએ.
– સખા બોરડ
અક્ષરાંકન: ગોવીંદ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

Saturday, February 9, 2013

Largest Glacier Break-Up Ever Filmed - Size Of Manhattan

Chasing Ice" has been nominated for an Academy Award.

Friday, February 8, 2013

કમુરતાંને બાયપાસ કરી શકાય ?–વર્ષા પાઠક

દર વરસે લગભગ 14-15 ડીસેમ્બરથી શરુ થઈને મકરસક્રાન્તી સુધીનો સમયગાળો કમુરતાંનો ગણાય છે. એમાં સારાં કામ ન કરાય, લગ્ન તો નહીં જ નહીં, એવું મનાય છે.
આવતે વરસે ધામધુમથી લગ્ન કરવા માટે થનગની રહેલાં એક કપલને મેં સહજભાવે સજેશન કર્યું કે આ મહીનામાં મેરેજ હૉલથી માંડીને કેટરીંગ સર્વીસવાળાના ભાવ ઓછા હશે, તો અત્યારે પરણી જાવ ને, બધું સસ્તામાં પતી જશે. અપેક્ષા મુજબ સામેવાળા ભડક્યા. કમુરતાંમાં લગ્ન કરાય ?
ચાલો સોરી ભાઈ, કમુરતાંમાં લગ્ન ન કરાય; પણ પછી સમુરતાં (આવો કોઈ શબ્દ છે ?) એટલે કે સારા મુહુર્ત, બહુ મહેનતથી શોધ્યા બાદ પણ એ જ સમયે ખરેખર લગ્ન કરવાના છો ? લગ્નની કંકોતરીમાં લખ્યું હોય, હસ્તમેળાપનો શુભ સમય: બપોરે 2.35 કલાકે; પણ સાચું કહેજો : એવું કેટલી વાર બનતું જોયું છે કે બરાબર બે ને પાત્રીસના ટકોરે કન્યાનો હાથ કુમારના હાથમાં મુકાયો હોય ? અમે, અડધો ડઝન વડીલો – પંડીતોને ભેગા કરીને ઝીણવટભેર છોકરા–છોકરીની જન્મપત્રીકાઓ જોઈને લગ્નનું મુહુર્ત કઢાવ્યું હોય; પણ લગ્નનો દીવસ ઉગે કે આખુંય ટાઈમટેબલ તડકે મુકાઈ જાય. હસ્તમેળાપનો સમય સવારે દસ વાગ્યાનો હોય; પણ સાડા અગીયાર વાગે ત્યાં સુધી કન્યાને એના રુમમાં બ્યુટી પાર્લરવાળી બહેન મેકઅપ કરતી હોય, જાનૈયાઓ દુર દુર રસ્તા પર નાચી રહ્યા હોય અને ગોરમહારાજ નીરાન્તે ગલોફામાં પાન જમાવીને છાપું વાચતાં બેઠા હોય, એવાં અનેક લગ્નો મેં જોયાં છે, માણ્યાં છે (તમે પણ સાંભળ્યું – જોયું કે કર્યું હશે).
કહેવાનો અર્થ એ કે સમયની ઐસીતૈસી જ કરવી હોય તો શુભ–અશુભ મુહુર્ત જોવાની માથાકુટમાં પડવું જ શું કામ ? આની સામે એવું કહી શકાય કે ઘડીયાળ નહીં; પણ કેલેન્ડર સામે તો આપણે જોઈએ છીએ ! લગ્ન માટે સારો દીવસ હોય, એટલે પત્યું ! બેના ચાર વાગે તો વાંધો નહીં.
પરન્તુ આવું આશ્વાસન લેવું હોય તો પછી દીવસનાં ચોઘડીયાંને શુભ, લાભ, ચલ, સામાન્ય વગેરે વગેરે ગણાવતાં કેલેન્ડર અને પંચાંગને ફાડીને ફેંકી દેવાં જોઈએ. આપણી મરજી પડે એ મુહુર્ત ! અને આમેય સારું મુહુર્ત, એ સફળ લગ્નજીવનની ગેરન્ટી આપતું હોય તો આપણે ત્યાં બધાં પતી–પત્ની સુખી હોત અને છુટાછેડા જેવો શબ્દ જ આપણા શબ્દકોશમાંથી નીકળી ગયો હોત.
હવે આ કમુરતાં શબ્દ આવ્યો ક્યાંથી, એ કોઈને ખબર છે ?
આપણી જુની પરમ્પરાઓ પાછળનાં કારણો સમજાવતી એક પુસ્તીકામાં મેં હમણાં વાચ્યું કે ખેડુતો માટે આ સમય બહુ વ્યસ્તતાનો હોય છે. ખેતરમાં કાપણી થાય, એ બજારમાં વેચવા જાય, સ્ત્રીઓ અનાજની સાફસુફીમાં વ્યસ્ત હોય, એટલે આવા સમયે લોકોને લગ્ન જેવા મોટા, મહત્ત્વના પ્રસંગો ગોઠવવાનું પરવડે નહીં, એટલે પછી એને કમુરતાં ઠરાવી  દેવાયાં (મહેરબાની કરીને નોંધ લેવી કે આ સંશોધન મારું નથી. જાણકારે લખેલી વાત મેં માત્ર દોહરાવી છે.)
પરન્તુ માની લો કે આ વાત સાચી હોય તો કમુરતાં માત્ર ખેડુતોને અને અનાજના વેપાર સાથે સંકળાયેલા લોકોને લાગુ પડવાં જોઈએ. એરહોસ્ટેસ તરીકે કામ કરતી છોકરીને કે આઈટી કંપનીમાં નોકરી કરતા છોકરાને ખેતરમાં વાવણી–કાપણીના સમય સાથે શું લાગેવળગે ?
અલબત્ત, જ્યોતીષશાસ્ત્રના પંડીતો, આસ્થાળુઓ કમુરતાંના આ અર્થઘટનનો સખત વીરોધ કરીને આસમાનમાં ફરતા ગ્રહોની સારી–નરસી અસરની વાત કરશે. અહીં જોવાનું એ કે જે ખરેખર ગ્રહોનો અભ્યાસ કરે છે, એ ખગોળશાસ્ત્રીઓને કોઈ ગ્રહ કે તારા અશુભ કે બદમાશ નથી લાગતા. મુમ્બઈસ્થીત નહેરુ પ્લેનેટોરીયમના ભુતપુર્વ ડીરેક્ટર અને આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ખગોળશાસ્ત્રી ડૉ. જે. જે. રાવળે વર્ષો પહેલાં એમની સુપરકુલ સ્ટાઈલમાં મને કહેલું કે મંગળથી શું ડરવાનું ? એ ગ્રહ તો એટલો નીરુપદ્રવી છે કે પકડીને પાણીની બાલદીમાં નાખો તો શાંતીથી તર્યા કરે ! પરન્તુ આપણે ત્યાં મંગળને નામે કેટલાય છોકરા–છોકરીઓ હેરાન થાય છે અને ‘ગ્રહશાન્તી’ને નામે પૈસાના ધુમાડા થાય છે. જાણે કોઈ એસ.એસ.સી. નાપાસ ગોરમહારાજ, જે સંસ્કૃત શ્લોકોનું સરખું ઉચ્ચારણ પણ ન કરી શકતો હોય એ ધરતી પર બેઠાં બેઠાં આસમાનમાં ફરતા ગ્રહોને કાબુમાં લાવી શકતો હોય !
અમુકતમુક રીવાજો, કર્મકાંડની પાછળ પ્રાચીન વીજ્ઞાનના સીદ્ધાન્તો છે. આ વાક્ય મેં આજ સુધીમાં લાખેક વાર તો સાંભળ્યું હશે; પરન્તુ ખરેખર જેમને વીજ્ઞાનમાં શ્રદ્ધા છે કમસે કમ થોડી ઘણી જાણકારી છે એ તો જાણતા હશે કે છેલ્લાં પચાસ–સો વર્ષમાં કેટલા નવા ગ્રહોની શોધ થઈ છે ! તો પછી એમાંથી કોઈ આપણને નડતો નહીં હોય ? આપણને હેરાન કરવાનો ઈજારો, પેલા જુના ને જાણીતા નવ જ ગ્રહોએ લીધો છે ? નવા શોધાયેલા ગ્રહ સારા ને નીરુપદ્રવી હોય તો જુના કેમ વાતે વાતે અશાંત થઈ જતા હશે ? અને ઘણા લોકો હજીય પૃથ્વીને સપાટ જ માને છે, એમના પર ગ્રહોની અસર થોડા જુદા એંગલથી થતી હશે ? અને આસમાનમાં પણ પ્રદેશવાદ, કોમવાદ ચાલતો હશે ? જે ગ્રહ ભારતના હીન્દુને નડતો હોય અમેરીકાના ખ્રીસ્તીને કેમ છોડી દેતો હશે ?
અલબત્ત, આટલાં વર્ષોમાં એ પણ જોયું છે કે આપણી પ્રજા ભલે આ જ્યોતીષશાસ્ત્ર, શુભ–અશુભ ચોઘડીયામાં માનતી હોય; પણ બીજી તરફ બહુ પ્રેકટીકલ પણ છે. દાખલા તરીકે, કમુરતામાં નવાં ઘર, કાર, ઘરેણાંની ખરીદી ન કરાય; પણ આ સમયગાળામાં હેવી ડીસ્કાઉન્ટ મળતું હોય એ કેમ છોડાય ? એટલે વચલો રસ્તો નીકળે. વસ્તુ પસંદ કરીને, થોડી એડવાન્સ રકમ ચુકવીને બુકીંગ કરાવી લો. કમુરતાં પતી ગયા બાદ એની ફીઝીકલ ડીલીવરી લેવાની. એડવાન્સ બુકીંગ કે પાર્ટ પેમેન્ટ જેવાં કાર્યો શુભ નહીં ગણાતાં હોય. કમુરતામાં સોનું ભલે ન ખરીદાય; પણ શાકભાજી ને સાકર ખરીદવાની છુટ રખાઈ છે.
આ પ્રેકટીકલ એપ્રોચ લગ્નને લાગુ ન પાડી શકે ? હમણાં મેરેજ હૉલ સહેલાઈથી મળી જાય છે તો મહેંદી, મ્યુઝીક પ્રોગ્રામ, જમણવાર વગેરે બધી પ્રાથમીક વીધીઓ પતાવી નાખવી. આમેય ત્યાં ચોઘડીયાં નથી નડતાં. માત્ર અગ્ની ફરતે ચોથો (કે સાતમો) ફેરો બાકી રાખવો, જે કમુરતાં ઉતરી ગયા બાદ ઘરમેળે ફરી લેવાય. આ વાંચીને મને મુર્ખ કહેતાં પહેલાં દસ વાર વીચાર કરજો. ગ્રહદશામાંથી બચવા માટે તમે કોઈ વાર, ક્યાંય પણ નાની સરખીય ગોલમાલ નથી કરી ? એક જમાનામાં કહેવાતું કે બુધવારે ભાઈ–બહેન છુટાં પડે તો અપશુકન થાય; પણ બુધવારની ટ્રેન કે પ્લેનની ટીકીટ આવી ગઈ હોય તો શું કરવું ? એટલે પછી જેણે નીકળવાનું હોય એ ભાઈ કે બહેન મંગળવારે પોતાનું એકાદ શર્ટ કે સાડી, ઘરની બહાર (કે પાડોશમાં) મુકી આવે. ભાઈ–બહેન, મંગળ–બુધ ગ્રહ અને બધાંય સુખી(રાજીના રેડ) !
અને છેલ્લે એટલું કહો કે શુભ મુહુર્ત જોઈને શરુ કરેલાં તમારાં બધાં કામકાજ સફળ જ નીવડ્યાં છે ?

–વર્ષા પાઠક
અક્ષરાંકન: ગોવિંદ મારૂ  
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર


Thursday, February 7, 2013

Highway System Of The Future Glows In The Dark

The highway system of the future in the Netherlands glows in the dark and has induction lanes to recharge electric cars.
 A futuristic highway that can save energy and improve road safety is set to be installed in the Netherlands by mid-2013. Two companies, Studio Roosegaarde and Heijmans Infrastructure, came up with the highway, which includes: glow-in-the-dark road markings painted with photo-luminescent paint which are charged during the day and light up during the night; temperature-responsive paint which indicates slippery roads when temperatures fall below zero; and interactive lights along the highway that light up as cars approach. Wind lights that light up using the draft produced by cars and priority induction lanes that can recharge electric cars as they run along them also feature. The luminous road markings and weather indicating roads will debut in the Dutch province of Brabant in the middle of next year. The wind powered and interactive lights along with the induction lanes are also planned to go into service in the next years.


Wednesday, February 6, 2013

દુઃખનાં કારણો – મોરારિબાપુ


[ મોરારિબાપુની 300 ઉપરાંત રામકથાઓ તેમજ પ્રવચનોમાંથી પ્રેરણાત્મક વિચારોના સંચયનાં પાંચ પુસ્તકોની શ્રેણી પૈકીના એક પુસ્તકમાંથી અગાઉ આપણે થોડું આચમન કર્યું હતું. આજે આ શ્રેણીના અન્ય એક પુસ્તક ‘આનંદ રાહ બતાવે રામાયણ’ માંથી એક પ્રકરણ માણીએ.]
માણસની દુઃખી થવાની પૂર્વતૈયારી જ તેને દુઃખી કરે છે. જો તમે દિલ પથ્થર જેવું રાખશો તો બીજાની તમારા તરફ ફેંકેલી ચિનગારી તેને સળગાવી નહિ શકે અને તમે દુઃખી નહીં થાવ. પણ જો તમારું દિલ ઘાસથી ભરેલું હશે તો તમારા તરફ બીજાની ફેંકેલી ચિનગારી ભડકો જ કરશે તેમાં શંકા નથી. જે દુઃખી થવાની તૈયારી સાથે બેઠો છે તેને કોઈ સુખી નથી કરી શકતો અને જેને દુઃખી નથી જ થવું તેને ઈશ્વર પણ દુઃખી નથી કરી શકતો.
મારે ત્રણ વાત કહેવી છે.
[1] આપણે સુખ સ્વરૂપ છીએ છતાંય દુઃખી થઈએ છીએ. એનું કારણ છે આપણી ઈર્ષ્યા અને દ્વેષ.
[2] બીજું, લોભ પ્રકૃતિ. લોભને કારણે આપણા મનમાં આવતી લુચ્ચાઈ.
[3] જેનો રોટલો ખાતા હોઈએ એને દગો દેવાની વૃત્તિ.
આવું જીવો. પછી ભલેને દુનિયા તમને થ્રી ઈડિયટ કહે ! એની ચિંતા કરશો નહીં, અમુક દુઃખો આપણે જ ઉપજાવ્યા છે. પરમતત્વ પૂરેપૂરો આપણાં હૃદયમાં બિરાજમાન હોય છતાંય આપણે દુઃખી કેમ છીએ એ જેને સમજાય તેના હાથમાં સુખી થવાની કુંચી આવી જાય અને દુઃખી થવું મુશ્કેલ થઈ જાય. થોડી મૂઢતા ને અહંકાર મૂકીએ તો આપણાં જીવનમાં સુંદર રજવાડું પ્રગટે. ગમે તેવી પરિસ્થિતિને વિવેકથી સવળી કરવાના પ્રયત્નો કરો તો દુઃખી થવું અઘરું છે. જો કે સુખી થવાની સમજણ મેળવતા પહેલા દુઃખનાં કારણો સમજી લેવા પડશે. જીવ દુઃખી કેમ છે ? એ બહુ મોટો પ્રશ્ન છે. જીવતાં આવડે તો દુઃખી થવું અઘરું છે, સુખી થવું અઘરું નથી. સુખ તો આપણો સ્વભાવ છે. આનંદ આપણો સ્વભાવ છે પરંતુ આપણે દુઃખી થઈએ છીએ એનાં મુખ્ય કારણો નીચે મુજબ છે :

[1] કાળ :
ઘણીવાર કાળ આપણને દુઃખ આપે; જેમ કે શિયાળામાં બહુ ઠંડી પડે. માણસ કાળ પરિવર્તન કરી શકતો નથી. પણ જીવન પદ્ધતિમાં પરિવર્તન કરી શકે છે. બહુ ઠંડી પડે તો ધાબળો ઓઢો અને ગરમી હોય તો એનો ઉપાય કરાય. પણ સ્વભાવ માણસને દુઃખી કરે છે. આપણા દુઃખનું એક કારણ તો કાળ છે. ભગવાન કૃષ્ણે એને દુઃખાલય કહી દીધું. આ દુઃખનું આલય છે, આમાં તમે ગમે તેટલા ફાંફા મારો, દુઃખ જ રહેવાનું. કાળથી દુઃખ આવે, ધરતીકંપ થાય ને દુઃખ આવે, એમાં આપણે શું કરવાનું ? પંખાનું બટન ફેરવ્યું ને ધરતીકંપ થયો એવું થોડું છે ? કાળજનિત દુઃખ છે. અતિવૃષ્ટિ થઈ, કાળજનિત દુઃખ છે. અનાવૃષ્ટિ થઈ, કાળ દ્વારા કોઈ રોગ એક સાથે ફેલાઈ જાય, આખી દુનિયામાં દુકાળ પડે, એ બધું કાળ આધારિત છે. એમાં આપણું કંઈ ન ચાલે, તો આવા કાળ આધારિત દુઃખ માટે માણસે અફસોસ નહિ કરવો જોઈએ. હરિ ભજતાં ભજતાં એને સહીએ. એના માટે એમ કહીએ કે આમ કેમ ? એ ખોટી અજ્ઞાનતા છે.

[2] કર્મ :
બીજું દુઃખ કર્મ આધારે છે. આપણે જેવું કર્મ કરીએ એવું ફળ મળે. હવે કેટલાંક કર્મો એવાં છે કે આપણને યાદ હોય કે આ જન્મમાં આવાં કોઈ કર્મો કર્યાં નથી, છતાંયે દુઃખ મળે, તો એનો અર્થ એ છે કે જન્મજન્મનાં કર્મો પડ્યાં છે, એનું ફળ આવે છે, એમાંયે આપણું કંઈ ચાલે એમ નથી, કોઈ કર્મના ફળ હશે એ ભોગવીએ છીએ.

[3] ગુણ :
દુઃખનું ત્રીજું કારણ છે ગુણ – જે વસ્તુની બનાવટ જ ભેળસેળવાળી હોય, એ વસ્તુ સુખ આપી શકે નહિ. ‘बिधि प्रपंच गुन अवगुन साना’ (1-6/4) સાના એટલે માટીમાં જે પાણી ભળી જાય, પછી એના પિંડામાંથી માટલું બનાવો, જે ઘાટ ઘડવો હોય તે ઘડાય. જેમ માટી અને પાણી ભળી શકે, સાનાનો અર્થ થાય છે એકબીજામાં ઓતપ્રોત થઈ જવું. આ બ્રહ્માની સૃષ્ટિ જ ભેળસેળવાળી છે અને મૂળમાંથી જ જે ભેળસેળ હોય, એ આપણને સુખ શું આપી શકે ? ગુણ જન્ય દુઃખ મૂળ ધાતુના ગુણ ઉપર આધાર રાખે છે. પિત્તળના વાસણમાં છાશ રાખીએ તો તે કટાઈ જાય. આ મૂળ ધાતુ જન્ય ગુણ છે. ગુણ જન્ય દુઃખ મૂળ ધાતુના ગુણના લીધે ઉત્પન્ન થયેલ દુઃખ છે. સત, રજો અને તમો આ ત્રણ મૂળ ધાતુ ગુણ છે. સારા સગવડવાળા પલંગમાં ઊંઘ આવે એ તમોગુણ યોગ્ય છે, પણ કથા શ્રવણમાં ઊંઘ આવે તો તે તમોગુણ યોગ્ય નથી. રજોગુણ હોય તો જ આપણે પ્રવૃત્તિ કરીએ. કામના સમયે રજોગુણ યોગ્ય છે પણ ઊંઘવાના સમયે જો રજોગુણ આવે તો ઊંઘ ન આવે. આ દુઃખ છે. પૂજાપાઠ સમયે સતોગુણ ઉપયોગી પણ જો આ સમયે જો રજોગુણ કે તમોગુણ આવે તો તે યોગ્ય નથી. આમ રજો, તમો અને સતગુણ જો તેના યોગ્ય સ્થાને હોય તો તે યોગ્ય જ છે પરંતુ ભેળસેળ થાય એમાંથી દુઃખ જન્મે.

[4] સ્વભાવ :
દુઃખનું જે ચોથું કારણ છે, તે આપણા કાબૂની વસ્તુ છે. અને આપણે એમાં ફેરફાર કરી શકીએ. તુલસીદાસજી દુઃખનું ચોથું કારણ કહે છે સ્વભાવ. સ્વભાવ દ્વારા જે દુઃખ ઊભું થાય, એ આપણા હાથની વાત છે. એમાં આપણે ફેરફાર કરી શકીએ. ઘણાં માણસો એવા હોય છે કે દુઃખ હોય તોયે સ્વભાવને લીધે સુખ બનાવી દે. ઘણાં એવા હોય કે બધી રીતે સુખ હોય, પણ સ્વભાવને લીધે દુઃખ બનાવી દે. એને તમે શું કરો ? બધી રીતનું સુખ હોય, શાંતિ હોય, કોઈ રીતનું દુઃખ ન હોય તોયે બબડતાં હોય કે….મરી ગયાં… આમ થઈ ગયું… તેમ થઈ ગયું…. તો હવે આવા દુઃખનો જવાબદાર તો એ જ છે, બીજો કોઈ હોઈ શકે જ નહિ. સ્વભાવગત છે. આમાં કોઈ દેશ, ભાષા, સંપ્રદાય ન કારણ બની શકે, પણ સ્વભાવ દ્વારા દુઃખ ઉત્પન્ન થાય, એ આપણા કાબૂની વાત છે. ઘણાં માણસો દુઃખી હોઈ, એકલા હોય તો વાંધો નહિ. આપણી સાથે રહી આપણા પર ઢોળી નાંખે, દુઃખ વહેંચતો જાય. આ સ્વભાવનું કારણ છે.

[5] પ્રભાવ :
બીજાનો પ્રભાવ જે આપણાથી સહન નથી થતો, એમાંથી દુઃખ જન્મે છે. બીજાના પ્રભાવનું આપણને દુઃખ હોય છે અને એમાંય સમક્ષેત્રમાં તો બહુ જ. એક ગાયક હોય ને, બીજો પણ ગાયક હોય. એમાં એક ગાયક કરતાં બીજા ગાયકનો પ્રભાવ શ્રોતાવર્ગ ઉપર વધારે થાય તો પેલાને દુઃખ થાય. બીજાનો પ્રભાવ મારા ને તમારા જીવનમાં દુઃખ જન્માવે. આ માણસ આટલો પ્રભાવશાળી ? આ માણસ આટલો મહિમાવંત ? જ્યાં જાય ત્યાં એનો પ્રભાવ પડે. ગમે ત્યાં જાય એનો હોકો પડે એ આપણાંથી સહન નથી થતું. આ દુનિયા બહુ સમજુ છે. મેં જોયું છે ઘણી વખત દીકરાનો પ્રભાવ બાપાથી સહન નથી થતો કે મારો દીકરો આટલો મહાન થયો. એનો પોતાનો બાપ સહન નથી કરી શકતો. પતિનો પ્રભાવ પત્ની સહન ન કરી શકે કે પતિની જ વાહ વાહ થાય એ પત્નીથી સહન ન થાય. કોઈક ઘરમાં પત્નીનો એટલો બધો પ્રભાવ હોય તો પતિ સહન ન કરી શકે. બીજાનો પ્રભાવ જોઈને થતી જલન, દ્વેષ, ઈર્ષ્યા એ આપણા દુઃખનું કારણ હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં આવું બને. ઘર, કુટુંબ, સમાજ, વ્યવસાય એમ દરેક ક્ષેત્રમાં વ્યક્તિ બીજાનો પ્રભાવ સહન કરી શકતો નથી. કોઈની સહેજ પ્રશંસા થાય કે ઈર્ષાથી સળગી ઊઠે. આમ, પ્રભાવ સહન ન થવો તે આપણાં દુઃખનું કારણ બને છે.

[6] અભાવ :
દુઃખનું અન્ય એક કારણ છે અભાવ. અમારી પાસે આ વસ્તુ નથી. કપડાં નથી, રોટી નથી, મકાન નથી, ઉત્સવ હોય ત્યારે અમે ફરી શકતાં નથી. અમે અમારા છોકરાંને બરાબર ભણાવી શકતાં નથી. કોઈ બીમાર પડે તો દવા, અમુક વસ્તુઓનો અભાવ એ દુઃખનું કારણ છે. એની પાસે છે એટલું અમારી પાસે હોત તો અમે આમ કરત, તેમ કરત. અભાવ, પણ મારી દષ્ટિએ બધા પ્રાથમિક સૂત્રો છે. બુદ્ધનું આર્યસત્ય સમજવા માટેનું કદાચ પહેલું પગથિયું છે. અભાવ દુઃખ આપે. સમયનો અભાવ દુઃખ આપે, પૈસાનો અભાવ દુઃખ આપે, કોઈ પણ અભાવ દુઃખ આપે.

[7] નિભાવ :
નિભાવ પણ દુઃખનું એક કારણ છે. નિભાવ નથી થતો. અમે આટલી ભલાઈ કરીએ છીએ પણ અમારી ભલાઈની કોઈ અસર થતી નથી. સમયનો નિભાવ થતો નથી, સંબંધનો નિર્વાહ નથી થતો. અમે આટલો સંબંધ રાખ્યો પણ સામાવાળા બસ સંબંધને નિભાવતા જ નથી. આ નિભાવમાંથી દુઃખ જન્મે. નિભાવ નથી થતો. પતિ-પત્ની, ભાઈ-ભાઈ આ બધા વચ્ચે જેટલાં દ્વંદ્વો દેખાય છે તેનું કારણ છે નિભાવ. લોકો કહે ભાઈ અમારે ઘણું કરવું પણ સમય નથી મળતો, સમય નિભાવી શકતાં નથી, સંસ્કારોનો નિર્વાહ કરી શકતાં નથી.

[8] કામના :
ઈચ્છાઓનાં અનંતપણાથી દુઃખોનો જન્મ થાય છે. ઈચ્છા સદા સગર્ભા હોય છે. યોગીઓમાં પણ ઈચ્છા હોય છે, પણ તેનું સર્ગભાપણું દૂર કરી તેનો ગર્ભપાત કરાવી નાખે છે. ઈચ્છામુક્ત થઈ જાય છે. નિરપેક્ષ અને અનપેક્ષ થઈ જાય છે. બાકી ઈચ્છા તો દુઃખને જ જન્મ આપે છે. ખરેખર, જેટલી ઈચ્છા વધારે કરો, પછી રામ વનવાસ જઈને જ રહેશે. સુખ મેળવવાની ચાહના જ દુઃખ આપે છે. સુખ મેળવવા માટે જ દુઃખ પેદા થાય છે. સુખના પ્રયત્નો કરવા જતાં જ દુઃખ આવે છે. અતિત દુઃખ આપે છે, ભવિષ્ય ચિંતા ઉપજાવે છે જ્યારે વર્તમાન જ માણસને વ્યવહારુ બનાવે છે. એક સત્યને ભૂલવું નહીં કે સુખનો અતિરેક અંતે દુઃખમાં જ પરિણમે છે. દૂધપાકનો એક પ્યાલો પીએ તો સુખ મળે. બે-ત્રણ પીએ તો પણ સુખ મળે, પણ જો દસ-બાર પ્યાલા પીએ તો કદાચ બીમાર પણ પડી જઈએ. જીવનનું પણ આવું જ છે. સુખની અનંતકામનામાંથી દુઃખનો જન્મ થાય છે.

[9] ભૂલ :
ભૂલના કારણે દુઃખ આવે છે. ભૂલના કારણે જે દુઃખ આવે છે, તે ભૂલ મટવાથી સમાપ્ત થઈ જાય છે. તમે વ્યપારી છો. હિસાબમાં ભૂલ થાય છે, તો તમે દુઃખી થઈ જાવ છો. આ દુઃખનું નિવારણ ફિલ્મ, સંગીત કે કથા નથી. ત્યારે ટીવી ચાલુ હશે તો પણ સુખ નહીં મળે. પણ મુનિમજી આવીને ભૂલ બતાવશે કે સુધારી દેશે, તો તરત તમે સુખી થઈ જશો. કહેશો-ટીવી ઓન કરો. હિસાબ બરાબર થઈ ગયો. તમે સુખી થઈ ગયા. આપણા જીવનના મોટા ભાગનાં દુઃખો ભૂલનું જ પરિણામ હોય છે. ક્યાંક હિસાબમાં ગરબડ છે. આ દુઃખો ટકાઉ નથી. ભૂલ સુધરી. દુઃખ ગયું. અસત્ય બોલ્યા, ભૂલ કરી, તે ભૂલનું ફળ સત્ય બોલો તો દુઃખ ગયું. દુઃખ ભોગવો છો તો તે તમારા વિલંબના કારણે છે. ભૂલ સુધરી, દુઃખ ગયું. આ પાકું સૂત્ર છે. આ બધાં સૂત્રો નિંભાડામાંથી નીકળેલ પાકી ઈંટો છે. તેનાથી તો પ્રસાદ (ભવન) બની શકે છે.

[10] ભય :
તમે જાણો છો કે આ કરવા જેવું નથી, છતાં તમો કરો છો તેથી તમને દુઃખ થાય છે. શું બધા નથી જાણતા કે ખરાબ નજર કરવી બરાબર નથી ? છતાં બધા કરે છે. સમજદારી સાથે જે ભૂલ થાય છે, તે દુઃખ ઉત્પન્ન કરે છે. અધર્મ દ્વારા જે ધન ઉપાર્જન કરો છો તો ધન ભય જ આપશે. તમારી દષ્ટિમાં તે સુખ હોઈ શકે, પણ ભય તો કરશે જ. ટ્રેનમાં જે ટિકિટ જોવા આવે છે, તે જો કોઈ પાસેથી વધારાના કે ખોટા પૈસા લેશે તો તે ભયભીત રહેશે. પણ કુલીને કોઈ ભય નહીં હોય. પૈસા વધારે લેવાવાળો અધર્મ કરે છે, તો સૂક્ષ્મ ભય તેના પાછળ હોવાનો જ. ચેન નહીં મળે. અધર્મના આશ્રયથી કરેલ ભોગ બે વસ્તુ આપશે : રોગ અને અપયશ. અધર્મની છાયામાં ધર્મ પણ કરશો, તો તે પણ વિનાશ જ કરશે. અધર્મના આશ્રયથી આવેલ ધન તમે પુણ્યમાં લગાવશો, છતાં હિસાબ પૂરો નહીં થાય. તે આપણામાં જડતા, વિકાર, અનિત્યના વગેરે ગરબડો પણ ઊભી કરશે. આપણે દષ્ટા નથી. જે દ્રષ્ટા બને છે તેમનું દુઃખ સમાપ્ત થઈ જાય છે.

Tuesday, February 5, 2013

Amazing Moments of 2012


Some amazing, awesome and funny moments of 2012..



Monday, February 4, 2013

Death



    

Native : Juna Ghantila
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased :Ambalal Harjivan Lodaria
Age : 82 Years
Date of Death : 30-01-2013
Wife  : Nirmalaben
Sons : Divyesh, Dharmesh, Tushar
Daughters-in-Law: Smita, Bina, Kalpana
Brothers : Late Nimchand, Late Kashalchand, Late Maganlal, Late Pranjivan
Sisters : Late Shantaben,Late Shivkunvar Ujamshi Khandor
Father-in-Law : Late Umedchand Devchand Sheth 

May His Soul rest in eternal peace

જુના ઘાંટીલા (હાલ ઘાટકોપર) અંબાલાલ હરજીવન શાહ (લોદરિયા) (ઉં. વ. ૮૨) બુધવાર, ૩૦-૧-૧૩ના અરિહંતશરણ પામેલ છે. તે નિર્મળાબેનના પતિ, તે દિવ્યેશ, ધર્મેશ, તુષારના પિતાશ્રી, તે સ્મિતા, બીના, કલ્પનાના સસરા, તે સ્વ. નીમચંદ, સ્વ. કસલચંદ, સ્વ. મગનલાલ, સ્વ. પ્રાણજીવનના સ્વ. શાંતાબેન, સ્વ. શિવકુંવર ઉજમશી ખંડોરના ભાઈ, સ્વ. શેઠ ઉમેદચંદ દેવચંદના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, ૪-૨-૧૩ના ૧૦ થી ૧૧-૩૦. ઠે: ઘાટકોપર જોલી જીમખાના, કિરોલ રોડ, ફાતિમા સ્કૂલની સામે, ઘાટકોપર (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.

Death

 

    

Native :Morbi
Currently At : Dadar, Mumbai
Name of the deceased :Balwantray Chandulal Mehta
Age : 82 Years
Date of Death : 30-01-2013
Wife  : Kalavantiben
Sons : Late Ramesh, Bharat, Bhupendra,Rajesh
Daughter-in-Law: Jyotiben
Daughters  : Arunaben Rameshbhai Sanghavi, Rekhaben Ajitkumar Mehta
Brothers : Late Vrujlal, Late Vinodray 
Sister : Late Chandanben Sukhlal Sanghavi
Father-in-Law : Late Shivlal Hemchand Shah

May His Soul rest in eternal peace


મોરબી હાલ મુંબઈ બળવંતરાય ચંદુલાલ મહેતા (ઉં. વ. ૮૨) ૩૦-૧-૧૩ના અરિહંતશરણ પામેલ છે. કળાવંતીબેનના પતિ. સ્વ. રમેશ, ભરત, ભૂપેન્દ્ર, રાજેશ, અરૂણાબેન રમેશભાઈ સંઘવી, રેખાબેન અજીતકુમાર મહેતાના પિતાશ્રી. જ્યોતિબેનના સસરા. વૃજલાલ, વિનોદરાય, સ્વ. ચંદનબેન સુખલાલ સંઘવીના ભાઈ. સાસરા પક્ષે શિવલાલ હેમચંદ શાહના જમાઈ. ભાવયાત્રા શુક્રવારે સવારે ૯.૩૦ વાગે, ૧-૨-૧૩ના. ચામડી, ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળ: યોગી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં,

વીજ્ઞાનની રુપેરી કોર પાછળ છુપાયું છે અન્ધશ્રદ્ધાનું અંધારું-નગીનદાસ સંઘવી

        યુરી ગાગારીનથી શરુ થયેલી અવકાશયાત્રા અને આર્મસ્ટ્રૉંગની ચન્દ્ર સફર પછી વીજ્ઞાનના પ્રભાવે માનવીના જ્ઞાન અને અવકાશી સમ્બન્ધોના સીમાડા સતત વીસ્તરતા જાય છે. હવે તો ભારત અને ચીન જેવા એશીયાઈ દેશો પણ આ અવકાશી ઉપાસનામાં જોડાયા છે. વીશ્વના સ્વરુપ અને તેની પ્રક્રીયાઓ અંગેના જ્ઞાનમાં સતત ઉમેરા થઈ રહ્યા છે. અણુથી પણ નાના કણને નજરોનજર નીહાળવા માટે વરસોની જહેમત અને અબજો રુપીયાનો ખર્ચ પણ લેખે લાગ્યો છે. વીશ્વને સમજવાની આ મથામણમાં સત્યેન બોઝ અને અશોક સેન જેવા ભારતીય ભૌતીકશાસ્ત્રીઓએ પોતાનો ફાળો નોંધાવ્યો છે. સોળ કરોડ રુપીયાનું રુસી પારીતોષીક મેળવનાર અશોક સેનનો સીદ્ધાન્ત હજુ પ્રયોગશાળામાં પુરવાર થયો નથી; પણ ગાણીતીક સમીકરણોની ગેડ બરાબર બેસી જાય છે.
       આવા શુદ્ધ વીજ્ઞાનના વહેવારુ ઉપયોગમાં ઘણો સમય લાગી જાય છે. અવકાશી યાત્રા માટે વપરાયેલ કેટલાંક ઉપકરણો આમજનતા પણ ઓછાં–વધતાં પ્રમાણમાં અથવા બદલાયેલાં સ્વરુપે વાપરી શકે છે; પણ વીશ્વના સ્વરુપ કે આદી બંધારણના જ્ઞાનનો વહેવારુ ઉપયોગ સીધી રીતે કરી શકાતો નથી.
       જગદીશચન્દ્ર બોઝ, રામાનુજન, સર સી. વી. રામન, સત્યેન બોઝ, હરગોવીન્દ ખુરાના, અશોક સેન જેવા વીશ્વ વીખ્યાત વીજ્ઞાનશાસ્ત્રીઓ ભારતીય સમાજમાં છે, પણ ભારતીય સમાજમાં વીજ્ઞાન અથવા વૈજ્ઞાનીક અભીગમનો લગભગ સમ્પુર્ણ અભાવ છે. આમજનતા હજુ આજે પણ વહેમો, ચમત્કારો અને જાતજાતની ચીત્રવીચીત્ર માન્યતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. શીતળાનો રોગ દુનીયામાંથી લગભગ નાબુદ થઈ ગયો છે; પણ શીતળા માતાની પુજા કે શીતળા સાતમને આપણે પડતી મુકતા નથી. ઉલટું વીજ્ઞાનનાં સાધનો આવી અવૈજ્ઞાનીક માન્યતાઓના સમર્થનમાં અને ફેલાવા માટે વાપરવામાં આવે છે. અત્યાધુનીક તંત્રજ્ઞાન અને ઉપકરણોના વીનીયોગથી છપાતાં અને વપરાતાં અખબારો અને ટેલીવીઝન, મોબાઈલ ફોન કે કમ્પ્યુટરો પણ જુનવાણી અને ભયાનક વહેમોને મજબુત બનાવવામાં વપરાયાં છે. ટેલીવીઝન ભુતકથાઓને લોકપ્રીય બનાવે છે અને કમ્પ્યુટરો કુંડળીઓ બનાવવા માટે વપરાય છે.
    અભણ અથવા અર્ધજ્ઞાની બાવા–સાધુઓ–મહન્તો–સ્વામીઓ–ગુરુઓ અન્ધશ્રદ્ધા નીવારણના કામમાં સૌથી મોટાં વીધ્નરુપ બની ગયાં છે. તેમાં એક સૌથી હાસ્યાસ્પદ સંસ્થા પાલીતાણામાં કાર્યરત છે. ખગોળના જુના ગ્રંથોને વળગી બેઠેલા આ સંસ્થાના સંશોધકો વીજ્ઞાનશાસ્ત્રીઓને ‘લુચ્ચા અને લબાડ’ ઠરાવવાની કડાકુટ કરતા રહે છે. નીલ આર્મસ્ટ્રૉંગની ચન્દ્રયાત્રા સમ્પુર્ણત: બનાવટી છે અને ચન્દ્ર સુધી કોઈ પહોંચ્યું જ નથી તેવું છાતી ઠોકીને જણાવવામાં આવે છે. આધુનીક ખગોળશાસ્ત્ર અનુસાર પૃથ્વી ગોળ છે અને સુર્યની ફરતે ઘુમે છે અને પોતાની ધરી પર પણ ઘુમે છે તેવો સર્વ સ્વીકાર્ય મત પણ તેમને માન્ય નથી. આ મતને સાબીત કરી આપનાર વ્યક્તીને કરોડ રુપીયાનું ઈના આપવાની જાહેરાતો વારમ્વાર થાય છે; પણ આવી ચકાસણી કદી કરવામાં આવતી નથી અને ઈનામ કદી કોઈને અપાયું નથી. સુરતની ‘સત્ય શોધક સભા’ના પુર્વપ્રમુખ અને રૅશનાલીસ્ટ ડૉ. બી. એ પરીખસાહેબે આધુનીક સીદ્ધાન્ત સાચો પુરવાર કરવા માટેની ચેલેન્જ ઉપાડી લીધી; પણ આ બાબતમાં તેમણે લખેલા બે રજીસ્ટર્ડ પત્રોમાંના મુદ્દાઓ વીશે કશો ઉત્તર અપાયો નથી, તેવું તેમણે જાતે આ લખનારને કહ્યું છે. (બન્ને પત્રોની પીડીએફ લેખના અંતે મુકવામાં આવી છે.)
       ભારતીય નાગરીકો માટે વૈજ્ઞાનીક અભીગમ કેળવવાની ફરજ બન્ધારણમાં આમેજ કરવામાં આવી છે; પણ તેનો અમલ થાય તો આવી સંસ્થાઓ બન્ધ કરવી પડે. પણ, બન્ધારણ રુઢીચુસ્ત ધર્મગુરુઓ સામે કામીયાબ બની શકતું નથી. આ બાબતમાં ચીન આપણા કરતાં વધારે નસીબવાન અને પ્રગતીશીલ છે. ચીની વીજ્ઞાનશાસ્ત્રીઓનાં નામ આપણે જાણતા નથી, તે આપણું અજ્ઞાન દર્શાવે છે. ચીન માત્ર આર્થીક વીકાસની દોડમાં આપણાથી આગળ છે તેવું માની લેવાનું કારણ નથી. લંડનમાં ચાલી રહેલા ઓલીમ્પીક રમતોત્સવમાં ચીની ખેલાડીઓ અનેક ક્ષેત્રમાં સૌથી પહેલા નંબરે ઉભા છે અને સૌથી વધારે ચન્દ્રકો જીતે છે.
       જગતની પ્રાચીન સંસ્કૃતીમાં યવન સંસ્કૃતી બૌદ્ધીક ક્ષેત્રે અને રમતગમતના ક્ષેત્રે પણ સર્વશ્રેષ્ઠ સંસ્કૃતી છે. આજનાં વીજ્ઞાનશાસ્ત્રોમાં વપરાતા અગણીત શબ્દો ગ્રીક ભાષાના છે. આ રમતોત્સવને ઓલીમ્પીક કહેવાય છે; કારણ કે ગ્રીકોનાં સર્વોચ્ચ દેવ ઝીયસ(Zeus)ના મુખ્ય મન્દીરની ટેકરી ઓલીમ્પીકની તળેટીમાં આ ઉત્સવની શરુઆત થઈ. આપણે આ કક્ષાએ પહોંચવું હશે તો બધાં ક્ષેત્રોમાં અને હરેક ક્ષણે વીજ્ઞાનશાસ્ત્ર પ્રમાણે ચાલીને દરેક જાતની અન્ધશ્રદ્ધાનો સમુળગો ઉચ્છેદ કરવો પડશે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

Sunday, February 3, 2013

Ultimate Of Awesome 2012



Awesome people of 2012 doing the most amazing things.

Music: "Backsynth" by Chronic Maze.


Saturday, February 2, 2013

સન્તો અને બુદ્ધીવાદ--દીનેશ પાંચાલ

દરેક માણસના મસ્તકમાં વીચારબૅંક આવેલી છે. દેહવીજ્ઞાનની ભાષામાં એને દીમાગ કહેવામાં આવે છે. બૅંકોમાં ઉજળાં નાણાં ભેગું કાળું નાણું પણ હોય તેમ માણસના દીમાગમાં સાચા ભેગી જુઠી વાતો પણ હોય. કહે છે કે એક કરોડ ઘુવડો ભેગા મળે તો છતાં સુરજે અંધારું થઈ જાય. અહીં એક વાત ધ્યાન બહાર ન રહી જવી જોઈએ. કરોડો ઘુવડો ખોટા છે એવું આપણે આપણી આંખની ક્ષમતાને કારણે કહી શકીએ છીએ. ઘણીવાર બે માણસનાં સત્ય વચ્ચે ઘુવડ અને માણસની આંખ જેટલું છેટું પડી જાય છે. ઘુવડો બોલી શકતા હોત તો માણસ સાથે તેનો જરુર વીવાદ થયો હોત. સમાજમાં અસત્ય વકરે ત્યારે વાદવીવાદનો કોલાહલ સર્જાય છે. અને સત્ય વકરે ત્યારે ‘સત્યશોધક સભા’ની સ્થાપના થાય છે. સત્ય અને અસત્યની દોરડાખેંચ નર્મદના જમાનાથી ચાલતી આવી છે. એ ગજગ્રાહમાંથી એક સત્યવાદ જન્મ્યો તે ‘વીવેકબુદ્ધીવાદ’. એને વીજ્ઞાનપ્રમાણીત ‘સત્યનો ધરમકાંટો’ કહી શકાય. સત્યનાં એ ત્રાજવાંમાં પણ ક્યારેક બે પલ્લાં વચ્ચે ધડાનો ફેર પડી જાય છે. એક જણ જુદું માને; બીજો જુદું માને !
ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતા કથાકારોએ નાસ્તીકોના ફંક્શનમાં હાજરી ન આપવી જોઈએ એમ ઘણા માને છે. બીજી તરફ ઘણાનું કહેવું છે કે નાસ્તીકોએ તેમના ફંક્શનમાં કથાકારને બોલાવવા જ ન જોઈએ. (અમારા બચુભાઈ માને છે કે નાસ્તીકોના સંમેલનમાં કથાકારને મંચ પર બેસાડવામાં આવે તે એવી વીચીત્રતા છે માનો, કોઈ ભુવા પાસે વીજ્ઞાનમેળાનું ઉદ્ ઘાટન કરાવવામાં આવતું હોય !) વીવાદનો કોઈ અંત નથી. એક દોરડાને બે માણસો ખેંચે ત્યારે ત્રણ વાત બને છે. (1) જે મજબુત હોય તે પોતાના તરફ દોરડું ખેંચી જાય છે. (2) બન્ને સરખા મજબુત હોય તો દોરડું સ્થીર રહે છે અને (3) બન્ને બેહદ જોર લગાવે તો દોરડું તુટી જાય છે. સમાજમાં ઘણા વૈચારીક ગજગ્રાહોનાં દોરડાં તંગ રહેતાં આવ્યાં છે. મોટેભાગે આવા ગજગ્રાહોમાં સત્યની નહીં; બળની જીત થાય છે.
માણસ ચા બનાવે કે કોફી, બન્નેમાં તપેલીની જરુર પડે છે તેમ ચર્ચા શ્રદ્ધાની થાય કે અશ્રદ્ધાની એમાં વીચારશક્તી અનીવાર્ય હોય છે. પ્રયત્ન કરીએ તો પણ મુળ સત્યને કોઈથી મરોડી શકાતું નથી. જો કે હવે સત્યનો પણ ‘મેકઓવર’ થાય છે. કાગડા કાળા જ હોય. એને ધોળા રંગથી રંગવો એ સત્યનું રીનોવેશન કરેલું ગણાય. શાક માર્કેટમાં કેપ્સીકમ મરચાં પહેલાં લીલાં જ જોવા મળતાં. હવે લાલ અને પીળા રંગનાં પણ મળે છે. કાળક્રમે સત્યો પણ કેપ્સીકમની જેમ રંગ બદલે છે. ચર્ચા, દલીલ, તર્ક, વીતર્ક એ બધાંને ધારેલી દીશામાં મરોડી શકાય છે. આવું થાય ત્યારે મુળ ચર્ચા વંટોળીયાની જેમ સત્યના એપી સેન્ટરથી ધમરોળાઈને દુર નીકળી જાય છે. જીદ, મમત, હઠાગ્રહ કે હમસચ્ચાઈ એ ચાર બાબતો રૅશનાલીઝમ માટે ચાર ડાઘુ જેવી કામગીરી બજાવે છે. બધી સ્મશાનયાત્રાઓની નનામી રોડ પર નીકળતી નથી. બધા મૃત્યુની શોકસભા યોજાતી નથી.
સન્તોને નાસ્તીકોના ફંક્શનમાં બોલાવવા જોઈએ કે નહીં; એ મુદ્દો ઘણો ચર્ચાયો. એક વાત નીર્વીવાદ સ્વીકારવી પડશે. સત્યને જુથબંધી ન હોવી જોઈએ. આખા વીશ્વ માટે સત્યનું ભોજન તૈયાર થયું હોય તેમાં આસ્તીક–નાસ્તીકનો ભેદભાવ ન હોઈ શકે. ભુખ પેટની હોય કે દીમાગની, માણસ માત્ર માટે જ્ઞાનનો ખોરાક જરુરી છે. રૅશનાલીઝમમાં કોઈ ઉપયોગી બાબત હોય તો કોઈ પણ સંત તેમાં સુર પુરાવે તે આવકારદાયક લેખાય. સત્ય કોઈ એકની જાગીર નથી. યાદ રહે જે સત્ય નાસ્તીકોની દુકાને નથી ખપી શકતું તે રામકથાના દરબારમાં રમતાં રમતાં વેચાઈ શકે છે. રામના નામે પથરા તર્યા હશે કે ન હશે; પણ રામના નામે રૅશનાલીઝમ અવશ્ય તરી જશે. સંતો પાસે ધર્મનું શક્તીશાળી માધ્યમ છે. ધર્મના માઈક્રોફોનમાંથી નીકળતા ઉપદેશો સાંભળવા કરોડો કાન તત્પર હોય છે.  રૅશનાલીઝમ માટે તો રૅશનાલીસ્ટોને પણ શ્રદ્ધાળુઓ જેટલો ઉમળકો નથી ! એક સત્ય દીવાદાંડી બની ચારે દીશાનું અંધારુ દુર કરે એ સમાજોપયોગી બાબત છે. એમાં સાધુ–સંતો કે આસ્તીક–નાસ્તીકના ભેદભાવો ન હોવા જોઈએ.
બીજી નક્કર વાત સાંભળો. જો રૅશનાલીઝમમાં રોજબરોજ જીવાતા જીવનનાં નક્કર સત્યો હશે તો કોઈ સાધુ–સંતો કે ભગતો તેના મુળીયાં ઉખેડી શકશે નહીં. કોણ બોલે છે તેનું નહીં; તે શું બોલે છે તેનું મહત્ત્વ હોય છે. આપણી અંદરના ત્રાજવે તોળીને એ સમજવાનું છે કે મોરારજી દેસાઈ દારુ પીવાની ભલામણ કરે તેથી દારુની હાનીકારકતા નષ્ટ થઈ જવાની નથી. બીજી તરફ ઓસામા બીન લાદેન શાન્તીની હીમાયત કરે તો તેને એક આતંકવાદીની હીમાયત ગણીને ફગાવી દેવાની જરુર નથી. કેટલાંક સત્યો વીવેકબુદ્ધીના બેરોમીટરથી તપાસતાં પોકળ જણાય છે. પરન્તુ રૅશનાલીઝમ અને જીવન એ બેનો હમ્મેશાં મેળ ખાતો નથી. જીવનમાં જીવાતાં વ્યવહારુ સત્યો જુદાં હોય છે અને વાસ્તવમાં જે અસલ સત્યો છે તે જુદાં છે. આ બન્ને સત્યોનો સમન્વય કર્યા પછી જન્મતું ‘વ્યવહારુ–રેશનાલીઝમ’ સમાજનું કલ્યાણ કરી શકે છે.
એક બે દાખલા જોઈએ. લાખો શ્રદ્ધાળુઓ (શીક્ષીતો) પણ સવારે સુર્યવંદના કરે છે. એ અન્ધશ્રદ્ધા હોય તોય તેનાથી સમાજનું ધનોતપનોત નીકળી જતું નથી. યાદ રહે અન્ધશ્રદ્ધાનો આનંદ પણ મદીરાપાન જેવો છે. દારુ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે છતાં;  નાસ્તીકો પણ તે પીએ છે. કેમ…? આનંદ મળે છે માટે ! (સંભવત: ‘બેફામ’ સાહેબે સાચું જ લખ્યું છે– ‘પુરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા… મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ…!) જીવનના પ્રત્યેક આનંદને ન્યાય, નીતી અને સત્યના ત્રાજવે તોલી શકાતો નથી. ચીનનો બ્રાહ્મણ સાપ, દેડકાં, ઉંદર વગેરે આરોગે છે. કહો જોઉં, એ સારુ છે કે ખરાબ તે કોણ અને શાના આધારે નક્કી કરશે?
બીજો મુદ્દો જોઈએ. માન્યું કે દીશાઓ માણસે શોધી છે. બ્રહ્માંડમાં દીશાઓ જેવું કશું છે જ નહીં. વાત સો ટકા સાચી. પણ શું દીશાઓ વીના માણસને ચાલશે ખરું ? (ડુંગરો કદી પગથીયાં વાળા હોતા જ નથી. પગથીયાં માણસ પોતે બનાવે છે. પણ પગથીયાં વીના ચાલે ખરું ?) દીશાઓ પણ ડુંગરના પગથીયાં જેવી છે. તે દરીયામાં, આકાશમાં, ધરતી પર કે રણમાં પ્રવાસ કરતી વેળા અનેક રીતે ઉપયોગી થાય છે. અમદાવાદ કઈ દીશામાં આવ્યું તે વાત કોઈને સમજાવવા માટે માણસે શોધી કાઢેલી તરકીબને દીશા કહી શકાય. તે અન્ધશ્રદ્ધા હોય તો પણ ઉપયોગી અને અનીવાર્ય અન્ધશ્રદ્ધા છે. ખરી વાત એટલી જ કે જીવનામાં સુખશાન્તીથી જીવી જવા માટે માણસ પોતાની રીતે જે વ્યવસ્થા ગોઠવે તેમાં ક્યાંક ખોટું પણ થતું હોય છે. પણ અસલી મુદ્દો એ છે કે જીવન કદી વ્યાખ્યાઓ અને વીજ્ઞાન વડે જીવી શકાતું જ નથી. સંજોગના પવન પ્રમાણે માણસે સુપડું ફેરવવું પડે છે. માણસ આસ્તીક હોય કે નાસ્તીક, વન વેમાં ટ્રીપલ સીટે સ્કુટર લઈને ઘુસી જાય પછી પોલીસ મેમો ફાડે તે પહેલાં પોલીસના ખીસ્સામાં સોની નોટ સરકાવી દે છે. આજપર્યંત એક પણ નાસ્તીક માણસે (રીપીટ એક પણ નાસ્તીકે…) પકડાયા પછી પોલીસ સામે એવી જીદ પકડી નથી કે મેં ગુનો કર્યો છે માટે કાયદા પ્રમાણે તેની સજા થવી જોઈએ.

ધુપછાંવ

માણસ સુરજને નમસ્કાર કરી લીધા પછી સુર્યપ્રકાશમાંથી વીજળી પેદા કરવાના સંશોધનમાં લાગી જતો હોય તો તેની અંગત શ્રદ્ધાનું સમાજને કોઈ નુકસાન નથી. માણસે તેમ કર્યું પણ છે. ઉંદરને ગણપતીનું વાહન માનતો માણસ પ્રયોગશાળામાં ઉંદરો પર પ્રયોગો કરીને અનેક દવાઓ શોધે છે. સવારે સુરજને વંદન કર્યા પછી તે સોલર–કુકર વડે તેની પાસે ખીચડી રંધાવી લે છે. નાગપાંચમને દીને નાગની પુજા કર્યા પછી તેના ઝેરમાંથી જ તે ઝેરમારણના ઈંજેક્શન બનાવે છે.

અક્ષરાંકન:ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

Friday, February 1, 2013

News in Brief

3rd January 

 The Prizes will be distributed by YUVAK MANDAL for the following categories

  • Students getting more than 80% marks in SSC
  • Best Students  (1 Boy + 1 Girl) in Nursery
  • Best Students  (1 Boy + 1 Girl) in Junior KG and Senior KG (English Medium)
  • Best Students  (1 Boy + 1 Girl) in Junior KG & Senior KG(Gujarati Medium)
  • Best Students(1 Boy + 1 Girl) (English Medium) in Std 10/SSC
  • Best Students (Gujarati Medium) in Std 10/SSC
  • Best Students in Std 11/SYJC in Science-Commerce or Arts stream
  • Best Students in Std 12/SYJC in Science-Commerce or Arts stream
  • Best Students in FY BCOM/ BSC/ BA 
  • Best Students in SY BCOM/ BSC/ BA
  • Under Graduate First Class Students
  • All Graduate Students
  • Diploma Engineering Students
  • M B A Students
  • Medical  Students
  • CA/CS/MBBS final students
  • M B B S students
  • All Students getting more than 90% in  Std 1 to 9 (Gujarati Medium)
  • All Students getting more than 90% in Std 1 to 9 (English Medium) 
  • Students who have participated in SPORTS (supported by school certificates)
  • All Blood Donors 

2nd January

The Prizes will be distributed by SAMAJ for the following categories
  • Students getting more than 80% marks in SSC
  • Best Students (English Medium) in Std 10/SSC
  • Best Students (Gujarati Medium) in Std 10/SSC
  • Best Students in Std 11/ FYJC in Science-Commerce or Arts stream
  • Best Students in Std 12/SYJC in Science-Commerce or Arts stream
  • Best Students in FY BCOM/ BSC/ BA 
  • Best Students in SY BCOM/ BSC/ BA
  • Under Graduate First Class Students
  • Best Graduate Students in any Stream
  • All Graduate Students
  • Diploma Engineering Students
  • Computer Engineering Students
  • Engineering Degree Students
  • Medical or Engineering Students
  • CA/CS/MBBS students
  • Post Graduate students
  • Best Students of Std 1 to 12 (Gujarati Medium)
  • Best Students of Std 1 to 10 (English Medium) 
  • Best Students Std. 3 & 4 (English Medium)
  • Best Students Std. 8 & 9 (English & Gujarati Medium)
  • Students who have participated in SPORTS (supported by school certificates)

New Year’s Fireworks In Reverse

.

Reversing the flow of time and showing the fireworks in slow motion makes them even more impressive.

 New Year's Eve Fireworks at Docklands, Melbourne, Australia.   Music: "Moon Behind The Tree" by Serphonic