Showing posts with label Kshamapana. Show all posts
Showing posts with label Kshamapana. Show all posts

Wednesday, October 31, 2012

ક્ષમાપના પ્રસંગે વહેચવામાં આવેલ પરિપત્ર

તપસ્વીઓના નામોની યાદી , માસ ખમણના તપસ્વીઓના અનુમોદન પત્રો , વર્ધમાન તપની આયંબિલની ઓળી કરનારા જ્ઞાતિજનોની યાદી તેમ જ  ધાર્મિક શિક્ષણ પારિતોષિક વિજેતાઓની યાદી વાંચવા  અત્રે ક્લિક કરો 

ક્ષમાપના સંમેલન

ગયા રવિવારે તા ૩૦-૦૯-૨૦૧૨ના રોજ ઘાટકોપર ખાતે સમાજનુ ક્ષમાપના સંમેલન દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવાઇ ગયું.ક્ષમાપના સંમેલનનું આયોજન બહુ જ મહેનત બાદ પાર પડે છે અને આનુ આયોજન સમાજ અને યુવક મંડળ સાથે મળીને કરે છે પરંતુ તેની ફળશ્રુતિ ખરેખર નિરાશા જનક જ હોય છે. કોઇ પણ સમજદાર વિચારક આવુ આપણે શા માટે કરવું જોઇએ તેમ સવાલ કરી શકે. મનમાં ખૂંચતા થોડા દાખલાઓ જોઇએ.

૧) સ્વામિ વાત્સલ્યમાં જમવા માટે જ્ઞાતિજનોની હાજરી ૬૫૦ જેટલી હોવા છતાં ક્ષમાપના પ્રસંગે માંડ ૨૦૦-૨૨૫ વ્યક્તિઓ હાજર હોય તે શા માટે ? આ એક વર્ષે જ આવું થયું છે એવું નથી.વર્ષાનુંવર્ષ આવું જ થતું આવે છે.  જે કાર્ય માટે આપણને આમંત્રણ આપવામાં આવ્યુ છે તેને સદંતર અવગણીને ફકત જમવા માટે જઇએ તો આપણને એવું લાગે કે આ ક્ષમાપના સંમેલન નથી પરંતુ ભૂખ્યાને ભોજન સમારંભ છે. પ્રસંગની ગરિમા સાચવવાનો વિચાર સુધ્ધા કોઇ કરતું નથી અને બેફિકરાઇથી જમી જમીને સૌ પોતપોતાના ઘરે જતું રહે તે કેટલું કઢંગુ લાગે તેનો વિચાર સુધ્ધા કોઇ કરતું નથી.

૨) તપસ્વીઓનું બહુમાન કરવાનું હોવા છતા ૬૦ % તપસ્વીઓ ગેરહાજર હોય અને તેઓના બદલે તેમના ઘરવાળા કે સગા સંબંધી સન્માન પત્ર લઇ જાય તો તેને સન્માન કહી શકાય ? આપણા સન્માનની આટલી જ કિંમત હોય તો તે કરવું જોઇએ ? કરવું જ હોય તો જમણવાર વખતે જ  એક કાઉંટર ખોલી ત્યાથી જ થેલીઓ આપી દઇએ તો ચાલે કે ?

૩) તપસ્વીઓ અને તેમના સગા સંબધીઓ સુધ્ધા મોટી મોટી તપસ્યાઓ કરીને આવ્યા  હોવા છતાં તેમને પણ તપસ્યાનો મહિમા હોતો નથી કારણ કે પોતાનું બહુમાન થઇ જાય એટલે તપસ્વી અને તેની સાથે આવેલ મિત્ર સમુદાય પણ ચાલતી પકડે છે. આથી જેમનું નામ છેલ્લે બોલાય તેમને જોવા વાળુ પણ કોઇ હોતું નથી ત્યારે તાળીની આશા કેમ રાખી શકાય ?

૪) આ જાતની વર્તણૂકથી સમાજ અને યુવક મંડળના સભ્યોને આભાર વિધી કરવાનો અવસર પણ મળતો નથી કારણ કે આભાર વિધી સાભળવા માટે જાજમ અને ખુરશી સપ્લાયરના મજુરો સિવાય કોઇ હોતુ જ નથી.

૫) આપણા સમાજની એક ખૂબી છે કોઇ પણ કાર્યની છેલ્લી તારીખ બાદ ૨૦-૨૫ જણા તેમના નામ લઇને કાર્યકરો પાસે પહોંચી જાય અને કાર્યકરો પણ તેવા નામો સ્વિકારતા જાય એટલું જ નહિ પરંતુ પ્રસંગને દિવસે સુધ્ધા કોઈ કોઈ જ્ઞાતિજન પોતાની વિગતો લઇને પહોંચી જાય અને પારિતોષિક કે બહુમાન પત્ર મેળવવાનો તેમનો હક્ક હોય તેવી રીતે માંગણી કરે. શિસ્તના સંપૂર્ણ અભાવને લીધે પછી ગોટાળા થાય અને ગેરવ્યવસ્થા બદલ ટીકા થાય પરંતુ પોતાનુ મોઢું અરિસામાં કોઇને જોવુ ન હોય. સમાજ  અને યુવક મંડળે પણ આ બાબત કડક પગલા લેવા જોઇએ અને આપેલ તારીખ બાદ આવેલ કોઇ પણ અરજી સ્વિકારવી ન જોઇઐ.  ક્ષમાપના સંમેલનમાં પણ ૧૨૫ નામ છપાયા હતા પરંતુ તે ઉપરાંત બીજા ૧૫-૨૦ નામ બીજા પણ ઉમેરવામાં આવેલ હતા.

૬) સમાજ કે યુવક મંડળ દ્વારા અપાતા પ્રમાણ પત્રની કિંમત શું છે ? તેની ઉપયોગિતા શું ? તે ક્યાં કામ લાગે ? તેનો જવાબ નથી કારણ કે તેની કોઇ જ વજુદ નથી. આવા પ્રમાણ પત્રો જે એક પણ રીતે ઉપયોગમાં આવી શકે તેમ નથી તેવા એકને બદલે બે પ્રમાણ પત્રો આપવાની શું જરૂર ? શું આપણે દાતાને આ વાત સમજાવી ન શકીયે ? શું તેમને તેમના દાનનો ઉપયોગ બીજી રીતે કરવા ન સમજાવી શકાય ?


બદલતા સમય સાથે આપણે બદલાવું જ જોઇએ નહિતર આપણે એકલા પડી જઇશું અને પાછળ રહી જશું. આવતા સમયને ઓળખીશુ નહી તો ભવિષ્યની પ્રજા આપણા ઉપર જરૂરથી હસસે.

Monday, September 27, 2010

Kshamapana Samelan of 26-09-2010

An article in Gujarati about Kshamapana Samelan is available on our Gujarati Blog. Please click here to read the article.

Monday, August 31, 2009

Kshamapana samelan by Yuvak Mandal

Kshamapana samelan,Swamivatsalya,Religious Education Award Distribution & Honouring of Tapasvis
4 in 1 event is going to take place on 6th Sept 2009 at SAMBHAVNATH JAIN DERASARJI, Borivali. Please read the circular in gujarati by clicking the picture. Passes for swamivatsalya are available at 6 places up-to 3rd Sept 2009.Certificates of passing the religious education examinations should be submitted at 2 places before 31 Aug 2009. For more details please refer to the circular

Monday, August 24, 2009

Kshamapana - (‘MICHCHAMI DUKKADAM’)

‘MICHCHAMI DUKKADAM’

On the auspicious day of Paryushan Parva, we say Michchami Dukkadam after performing the Pratikraman - some of you might be knowing the meaning of it and some of you might just be saying it as formality. Please read if you do not know the meaning:

Michcha = become fruitless (miththya)
Mi = mine (by me)
Dukkadam = bad deed

So covering up the meaning of these words, it sums as ‘may the bad deed (dushkrutya) done by me become fruitless’. This bad deed may be in any way by man (thought), vachan (words) or kaya (action). So please forgive me of all the bad deeds, actions, thoughts, or words that may have directly, indirectly, intentionally or unintentionally hurt your feelings.

Samvatsari is a day to ask for forgiveness and forgive others for the bad deeds. And that is why we say,

“Khamemi Savve Jiva, Savve Jiva Khamantu Me,
Mitti Me Savva Bhuteshu, Veram Majjam Ne Kenvi”

(We forgive all the living beings, We seek pardon from all the living beings, We are friendly towards all the living beings, And seek enmity with none)

MVJSAMAJ TEAM